સુરત સમેત સમગ્ર ગુજરાતમાં નવરાત્રી 2022નો તહેવાર સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. સંધ્યાકાળ થાય અને માતાજીની આરતી સાથે નવરાત્રીના ગરબા ગૂંજી ઉઠે અને એ મધરાત સુધી સંભળાય. ગરબાનો સમય પૂરો થઇ ગયા પછી પણ ના થાક લાગે ના ઉંઘ આવે. અડધી રાત સુધી મન ગરબે ઘૂમતું જ રહે.
આવા જ કંઇક માહોલમાં સુરતના વેસુ કેનાલ રોડ પર આવેલા એવેન્યુ 77 રેસિડેન્સીયલ કોમ્પલેક્સમાં ગરબાનું આયોજન થયું છે. એવેન્યુ 77ના રહેવાસી ભાસ્કરભાઇ બોરસલ્લીવાલાએ જણાવ્યું હતું કે આ વખતે ગરબા માટે અમારા સંકુલમાં એવું એમ્બિયન્સ (વાતાવરણ) ખડું કરવામાં આવ્યું છે કે જેની વચ્ચે ગરબા રમવાનો આનંદ જ કંઇ અલગ છે. અમારા સંકુલમાં રહેતા પરિવારો, બાળકો, વડીલો બધા જ એકત્રિત થાય છે અને નવરાત્રીના ગરબા, દોઢીયા, રાસનો આનંદ માણીએ છીએ.