CIA ALERT
06. May 2024

surat crime Archives - CIA Live

March 7, 2022
fanshi.jpg
1min448

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માતા અને પુત્રી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કોર્ટે દોષિત હર્ષ સહાયને Dt.7/3/22 ફાંસીની સજા ફટકારી છે જ્યારે સહ આરોપી હરિઓમને આજીવદ કેદની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ મૃતકના પરિવારને 7.50 લાખ રૂપિયા ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

સુરતના પાંડેસરામાં ચકચારીત માતા-બાળકી પર રેપ બાદ હત્યા મામલે 3 દિવસ પહેલા સુરત કોર્ટે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જરને દોષિત ઠેરવ્યો છે. આ સાથે મદદગારી કરનાર આરોપી હરિઓમ ગુર્જરને પણ દોષિત ઠેરવ્યો છે.

એપ્રિલ 2018માં માસૂમ બાળકી અને તેની માતાની હત્યા કરી ઝાડીઓમાં ફેંકી દીધી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 6 એપ્રિલ 2018ના રોજ ગુનો નોંધાયો હતો, જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવાતા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન.પરમારે દલીલો કરી હતી. સમગ્ર કેસમાં જે તે સમયે પોલીસે આરોપી સામે પુરાવા ભેગા કર્યા હતા. શરૂઆતમાં બંને માતા-દીકરી છે એ જ ખબર ન હતી. કારણ કે બંનેની લાશ જુદી-જુદી જગ્યાએથી મળી આવી હતી. બાદમાં ડીએનએ કરતા બંને માતા અને દીકરી હોવાની પૃષ્ટિ થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે, નરાધમે બાળકી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લાકડી નાંખી મોતને ઘાટ ઉતારી દેવાઈ હતી.

માતાની હત્યા લગભગ 4 દિવસમાં જ માતાના મૃતદેહ બાદ બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. બન્નેની ઓળખ માટે પોલીસે લગભગ 6500 પોસ્ટર દેશના તમામ રાજ્યોમાં લગાડી પરિવાર શોધવાનો પ્રયાસ કર્યો હતો. છતાંય કોઈ સફળતા મળી નહોતી. જોકે આખરે એક CCTV કેમેરાની ફૂટેજના આધારે કડી મળી હતી અને કારમાં સવાર આરોપીઓ પકડાઈ ગયા અને પૂછપરછમાં તેમને ગુનો કબૂલ કરી લીધો હતો. તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે, માતા અને દીકરીને રાજસ્થાનના એક ગામમાંથી કામ અપાવવાના બહાને સુરતના કામરેજ ખાતે લવાયા હતા. જ્યાં એક ક્ન્સ્ટ્ર્ક્શન સાઈટ પર કામ અપાવ્યા બાદ આરોપીઓએ પહેલા માતા અને બાદમાં દીકરીની હત્યા કરી બંને લાશ અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધી હતી.

January 26, 2022
money_laundering.jpg
1min306

ચીનના રૂ. ૧૦૦૦ કરોડના હવાલા કૌભાંડમાં સંડોવાયેલી કંપનીઃ સી.એ. ફર્મ સામે પણ ફરિયાદઃ સાવરિયા ઇન્ટરનેશનલના ડિરેક્ટર મુકુન્દ કુર્ને, સુમિત રમેશ બોદ્રા,નિલમ સુમિત બોદ્રા તથા જે.પી. હિરપરા એન્ડ કંપનીની સંડોવણી

રૂ. ૧૦૦૦ કરોડની છેતરપિંડી કરીને પરદેશમાં નાણાં મોકલી આપનાર ચાર્લી પેન્ગ ઉર્ફી લૂ સેન્ક સાથે સંકળાયેલા સાવરિયા ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ સામે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રૂ. ૧૦૦૦ કરોડના મની લૉન્ડરિંગના કૌભાંડમાં આ કંપનીની પણ સંડોવણી હોવાનો નિર્દેશ મળતા અને રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં વાર્ષિક હિસાબો રજૂ ન કરવા બદલ કંપની સામે કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. ચાર્લી પેન્ગ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેસ ફાઈલ કરેલો છે. 

સાવરિયા ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના મુકન્દ દત્તાત્રેય કુર્ને, સુમિત કુમાર રમેશભાઈ બોદ્રા, નિલમ સુમિત બોદ્રા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે.પી. હિરપરા એન્ડ કંપની સામે ફરિયાદ કરવામાં આવી છે. સુરતમાં અભિષેક શોપિંગ સેન્ટરમાં આવેલી જે.પી. હિરપરા એન્ડ કંપની અંગે  ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ ફરિયાદ કરવામાં આવી છે. આ કંપની સાથે સંકળાયેલા તમામ પ્રોફેશનલ્સ સામે ફરિયાદ ફાઈલ કરવામાં આવી છે. જુલાઈ ૨૦૧૨માં કંપનીની સ્થાપના કર્યા પછી આજ સુધીમાં કંપનીએ એક પણ વાર રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં વાર્ષિક હિસાબો રજૂ  ન કર્યા હોવાથી પણ તેની સામે ફરિયાદ કરવામાં આવી છે.

બિટકોઈન અને અન્ય ક્રિપ્ટો કરન્સી સામે માઈનિંગ મશીનમાં રોકાણ કરવાની લાલચ આપીને લોકોને લલચાવીને એસબીડબ્લ્યુ સાઉથ એશિયન પ્રા.લિ. નામની કંપની છેતરપિંડી કરતી હોવાની એક ફરિયાદ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે નારણપુરા પોલીસ સ્ટેશનમાં કરી છે. અમેરિકાની બિટકોઈન માઈનિંગ કંપની ૨૧ આઈએનસી સાથે તે જોડાયેલી હોવાનો દાવો કરવામાં આવતો હતો. આ માઈનિંગ મશીનમાં રોકાણ કરવાને નામે લોકોને લલચાવવાનું કામ કંપની કરતી હતી. તેમના નાણાં માઈનિંગ મશીનમાં રોકવામાં આવતા હતા, તેના માધ્યમથી ક્રિપ્ટો કરન્સીમાં નાણાંનું રોકાણ કરવામાં આવતું હોવાનું જણાવવામાં આવતું હતું. 

કંપની વિરુદ્ધ આર.ઓ.સી.-રજિસ્ટ્રાર ઓફ કંપની દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ક્રિપ્ટો કરન્સીના વેચાણ દ્વારા તેઓ મોટો આર્થિક લાભ મેળવી રહ્યા છે. તદુપરાંત શિંગુ ટેક્નોલોજી અને એસ.બી.ડબ્લ્યુ. સાઉથ એશિયન પ્રાઈવેટ લિમટેડન નામની કંપનીની સ્થાપના રજની કોહલી નામના કંપની સેક્રેટરી દ્વારા કરવામાં આવી હતી. આ કંપની ભારતમાં ડમી ડિરેક્ટર ઊભા કરી આપવાની કામગીરી પણ કરતી હતી. તેમ જ વિઝા ફેસિલિટેટર તથા ચાઈનીઝ ડિરેક્ટર્સ પૂરા પાડવાની કામગીરી પણ કરતી હતી. લોકો પાસેથી ભંડોળ મેળવીને માત્ર પેપર પર ઊભી કરવામાં આવેલી શૅલ કંપનીઓ મારફતે તે નાણાં વિદેશમાં ડાયવર્ટ કરી દેવાતા હતા.નાણાં વિદેશમા ંડાયવર્ટ થઈ ગયા પછી બારતીય વ્યક્તિઓને તે કંપનીના ડિરેક્ટરના હોદ્દા પર ગોઠવી દેવામાં આવતા હતા. આર્થિક રીતે નબળી અને ગરજાઉ વ્યક્તિને ડિરેક્ટર બનાવી દેવામાં આવતા હતા. કંપની રૃા. ૨ કરોડ કે તેનાથી વધુના રોકાણની વાત કરતી હોવા છતાંય તેનો કોઈ જ બિઝનેસ નોહોતો. ખોટા અને મેન્યુપ્યુલેટેડ એકાઉન્ટ બનાવવાની કામગીરી પણ આ કંપની કરતી હતી.