CIA ALERT
04. May 2024

Maha Shivratri Archives - CIA Live

February 18, 2023
shiv.jpg
1min648

ગુજરાત સહિત દેશભરમાં આજે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી શિવના મંદિરોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી. આજે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. દેશના પ્રમુખ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોમનાથ, મહાકાલેશ્વર અને રામેશ્વરમાં ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યુ છે. આ ઉપરાંત જૂનાગઢના ભવનાથમાં ભક્તો સાથે સાધુ-સંતોનો મેળાવડો. સાંજે ભવનાથમાં ભવ્ય રવેડી નિકળશે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવ વાતાવરણ બની રહેશે.

મહાશિવરાત્રી એ હિંદુ સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ પર્વ છે. હિંદુ ધર્મના મુખ્ય ત્રણ દેવોમાંના એક મહાદેવની ભક્તિ માટે દર વર્ષે આ પર્વ ઉજવવામાં આવે છે. આજે ગુજરાત સહિત દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. ગુજરાતમાં મહાદેવના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનું આજે સમાપન થશે. ભવનાથમાં હર હર મહાદેવનાં નાદ સાથે શરૂ થયેલા શિવરાત્રી મેળામાં ભજન, ભકિત અને ભોજનના સમુદ્રમાં ડુબકી લગાવવા લાખો શિવભકતો ભવનાથમાં ઉમટી પડયા છે. મહાશિવરાત્રીના મેળામાં દિગંબર સાધુઓની દિવ્યતાથી લાખો ભાવિકોને અનેરી અનુભૂતિ થઇ રહી છે. ભવનાથમાં આજે શિવમય માહોલ બન્યો છે. આજે મહાશિવરાત્રી મેળાનો છેલ્લો દિવસ હોવાથી હજારો ભાવિકો ઉમટી પડ્યા છે.

આજે મહાશિવરાત્રીનો પર્વ હોવાને કારણે રાજ્યના શિવજીના મંદિરોમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખેડા જિલ્લામાં કપડવંજનું ઉત્કંઠેશ્વર મહાદેવ, ગળતેશ્વર મહાદેવ, નડિયાદનું માઈ મંદિર અને ડાકોરના ડંકનાથ મહાદેવમાં ભાવિક ભક્તોની ભીડ જામી છે. મહાશિવરાત્રીનો પાવન પર્વ હોય ભક્તોને આકર્ષવા માટે શિવાલયોમાં આકર્ષક શણગાર કરાયો છે. આજે મંદિરોમાં પ્રસાદમાં ભાંગનું વિતરણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના મંદિરોમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. 

February 17, 2022
bhavnath.jpg
1min352

25મી ફેબ્રુઆરીએ ભવનાથના મેળાની શરુઆત થઈ રહી છે, જે 01 માર્ચ સુધી ચાલશે અને મહાશિવરાત્રીના દિવસે જ પૂર્ણ થશે

 ગિરનારની તળેટીમાં શિવરાત્રીએ (Mahashivratri) ભરાતા ભવનાથના મેળાને (Bhavnath Melo) જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી દીધી છે. આજે મળેલી જિલ્લાતંત્રની બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને મેળાને મંજૂરી આપવામાં આવી હતી. કોરોનાને કારણે ભવનાથના મેળાને મંજૂરી મળશે કે કેમ તેને લઈને આશંકા હતી. જોકે, આ વખતે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં મસમોટો ઘટાડો થયો હોવાના કારણે ભવનાથના મેળાને મંજૂરી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગિરનાર (Girnar) પરિક્રમાને પણ છેલ્લી ઘડીએ જ મંજૂરી આપવામાં આવી હતી. ભવનાથના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડતા હોય છે. ખાસ કરીને રવેડી સરઘસના દર્શન તેમજ રાત્રે નીકળતી દિગમ્બર સાધુઓની રવેડીનું ભવનાથના મેળામાં ખાસ્સું આકર્ષણ હોય છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે, મેળામાં આવનારા દરેક લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કના નિયમનું પાલન કરવાનું રહેશે.

સ્થાનિક તંત્રનો દાવો છે કે આ વખતે અત્યારસુધીનો સૌથી સારો મેળો યોજાશે. મેળામાં મોટી સંખ્યામાં લોકોની જનમેદની ઉમટી પડશે તેવી ગણતરી સાથે તેની તૈયારીમાં કોઈ કચાશ ના રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે અલગ-અલગ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. આજે મળેલી બેઠકમાં સાધુ-સંતો, ધારાસભ્યો તેમજ સ્થાનિક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેળાની તૈયારી કઈ રીતે કરવી અને કઈ-કઈ સમિતિ બનાવવી તેને લઈને ચર્ચા થઈ હતી.

25મી ફેબ્રુઆરીએ ભવનાથના મેળાની શરુઆત થઈ રહી છે, જે 01 માર્ચ સુધી ચાલશે અને મહાશિવરાત્રીના દિવસે જ પૂર્ણ થશે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે મેળાને કડક નિયમોના પાલનના શરતે જ મંજૂરી આપવામાં આવતી હતી. જોકે, આ વખતે રાજ્યમાં સ્થિતિ અલગ છે, અને કોરોનાની ત્રીજી લહેર લગભગ સમાપ્ત થઈ ગઈ હોય તેમ કેસોમાં રોજેરોજ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે.

સમગ્ર રાજ્યમાં કેસો ઘટતા રહે તો ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજ્યમાં ત્રીજી લહેર સત્તાવાર રીતે સમાપ્ત થઈ શકે છે.