વર્ષે 40,000થી વધુ વિદ્યાર્થીઓને મોબાઇલ અને ડ્રગ્સના દુષણથી થતી મુશ્કેલીઓ અને કોઇપણ વ્યક્તિને હેલ્થ ઇમરજન્સીમાં કેવી રીતે મદદ કરવી તે અંગેનું નોલેજ શેરીંગ કરાશે
ધો.8થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડ્રગ્સથી દૂર રહે, મોબાઇલના વ્યસની ન બને અને ઇમરજન્સીમાં દર્દીને કેવી રીતે ટ્રીટ કરી શકાય તેનાથી વાકેફ કરાશે
કિરણ હોસ્પીટલ દ્વારા સુરત શહેરની તમામ સ્કુલો તથા કોલેજોના ધો.8થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ હેલ્થકેર નોલેજ અભિયાનનો આરંભ આગામી શનિવારે સવારે 10 કલાકે કિરણ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે.
કિરણ હોસ્પીટલ દ્વારા સુરત શહેરની તમામ સ્કુલો તથા કોલેજોના ધો.8થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ હેલ્થકેર નોલેજ અભિયાનનો આરંભ આગામી શનિવારે સવારે 10 કલાકે કિરણ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે.વધુ માહિતી આપતા કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી અને અગ્રણી શાળા સંચાલક સવજીભાઇ પટેલ સહિત અન્યોએ જણાવ્યું હતું કે આ એક એવું અભિયાન છે જેમાં કિરણ હોસ્પિટલ ખાતે દર શનિવારે તેના ઓડીટોરીયમમાં જુદી જુદી શાળાના 350 વિદ્યાર્થીઓના એક એવા બે સેશનમાં તબીબો વિદ્યાર્થીઓને હેલ્થકેરના આજીવન જરૂરી પાઠ ભણાવશે. જેમાં હાલમાં સુરતમાં વધી રહેલા ડ્રગ્સના દુષણને કારણે થતી સમસ્યાઓ, મોબાઇલના વધુ પડતા ઉપયોગને કારણે થતી મુશ્કેલીઓ ઉપરાંત આસપાસમાં કોઇક વ્યક્તિની તબિયત અચાનક બગડે તો ક્વીક રિસ્પોન્સ સ્વરૂપે શું કરવું અને શું ન કરવું તે અંગેનું નોલેજ શેરીંગ કિરણ હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવશે. કન્યા છાત્રાઓ માટે મહિલા તબીબો તેમના પ્રશ્નોનું નિરાકરણ તેમજ ખોટી માન્યતાઓ કે ભ્રમણાઓથી ગેરમાર્ગે ન દોરવાવા અંગે માહિતગાર કરશે.આ કાર્યક્રમમાં નિરંતર રીતે દશ શનિવારે બે સેશનમાં જારી રહેશે. સુરત શહેર જિલ્લા કે બહારગામની કોઇપણ શાળા તેમના વિદ્યાર્થીઓ માટે આ નોલેજ શેરીંગ સેશન ઓનલાઇન બુક કરાવી શકશે.