CIA ALERT
02. May 2024

Gujarat Archives - CIA Live

August 21, 2022
medical.jpg
1min665

ધો.12 બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થીઓ અને નીટ બેઝ સિવાયના કોર્સમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ગુજરાત સરકારની એડમિશન કમિટીએ ફિઝિયોથેરાપી, નર્સિંગ, ઓપ્ટોમેટ્રી જેવા નોન નીટ અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરી છે. તા.25મી ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ તમામ પ્રક્રિયા ઓનલાઇન જ રહેશે.

વધુ માહિતી માટે નીચે મુજબની સરકારની જાહેરાત વાંચવી.

March 7, 2022
cia_edu-1280x925.jpg
1min385

ચાલુ માસથી શરૂ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાને અનુલક્ષીને ગુજરાત બોર્ડે દર વર્ષની જેમ આ વર્ષે પણ હેલ્પલાઇન વ્યવસ્થા વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ હેલ્પલાઇન વિદ્યાર્થીઓ, વાલીઓથી લઇને શાળાના શિક્ષકો, આચાર્યોને કનડતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે.

ગુજરાત બોર્ડની પરીક્ષા હેલ્પલાઇન નં. 1800 233 5500

January 4, 2022
cia_multi-1280x1045.jpg
1min506

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે તા.4 જાન્યુઆરીએ રાજ્યની તમામ માધ્યમિક અને ઉ.મા. શાળાઓમાં આગામી તા.6 અને 7ના રોજ યોજાનારી દ્વિતિય એકમ કસોટીનો બીજો તબક્કો મુલતવી રાખવાની જાહેરાત કરી છે. સરકારી પરીપત્રમાં આ તારીખો 7 અને 8 દર્શાવવામાં આવી છે. શાળાઓમાં હાલ ચાલી રહેલા વેક્સીનેશનના કાર્યક્રમને અસર ન પહોંચે તે માટે પરીક્ષા મુલતવી રાખવામાં આવી હોવાનું કારણમાં જણાવાયું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગઇ તા.3થી શરૂ કરીને તા.8મી જાન્યુઆરી સુધી દ્વિતિય એકમ કસોટી લેવાનું આયોજન છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવી રહ્યા છે. પરંતુ, હાલમાં 15 કે તેથી વધુ વયના વિદ્યાર્થીઓનું વેક્સીનેશન શાળાઓમાં જ હાથ ધરવામાં આવ્યું છે. હાલ કોરોનાની વધી રહેલા કેસો જોતા બાળકોમાં વેક્સીનેશન થાય એ જરૂરી છે અને આ સંજોગોમાં જો શાળાઓમાં પરીક્ષાઓ યોજાશે તો વિદ્યાર્થીઓ પરીક્ષા માટે વેક્સીન નહીં મૂકાવે તેવો ભય હતો. આથી રાજ્ય સરકારના પરીપત્ર અનુસાર તા.7 અને 8 જાન્યુઆરીના રોજ લેવાનારી દ્વિતિય એકમ કસોટીની પરીક્ષાઓને જ મુલતવી રાખી દેવાનું એલાન કરી દીધું છે જેથી કરીને વેક્સીનેશનની કામગીરી ન ખોરવાય. હવે પછી આ પરીક્ષાઓની તારીખોનું એલાન કરવામાં આવશે.

December 7, 2021
BHUPENDRA.jpg
1min615

વર્ષ 2015માં પાટીદાર આંદોલન દરમિયાન આંદોલનકારીઓ સામે થયેલા તમામ કેસ પરત ખેંચવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંયધરી આપી હોવાનું જાણવા મળ્યું છે. Gujarat CM 8 ડિસેમ્બરના રોજ દુબઈના બે દિવસના પ્રવાસે જવાના છે. ત્યારબાદ પરત નહીં ખેંચાયેલા કેસોનો અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે તેવું જાણવા મળ્યું છે.

સોમવારે Dt.6-12-21 સાંજે સીએમ નિવાસ સ્થાને મુખ્યમંત્રી પટેલે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ, પાટીદાર અગ્રણી- આંદોલનકારીઓ દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, જયેશ પટેલ, ગીતાબેન પટેલ સહિતના સાથે બેઠક યોજી હતી. આ અંગે માહિતી આપતા દિનેશ બાંભણિયા અને જયેશ પટેલના જણાવ્યા અનુસાર પોણા બે કલાક ચાલેલી બેઠકમાં સીએમ પટેલનું વલણ સકારાત્મક રહ્યું હતું અને તેમણે તમામ કેસ પરત ખેંચવાની બાંયધરી આપી છે.

પાટીદાર આંદોલન દરમિયાન કુલ 481 જેટલા કેસ થયા હતા, જેમાંથી 228 પરત ખેંચાયા હતા. સીએમને અત્યાર સુધી પરત ખેંચવાની હિલચાલ નથી થઈ નથી તેવા 146 કેસ અંગેની વિગતો પણ નરેશ પટેલ દ્વારા રજૂ કરાઈ હતી. તે ઉપરાંત જે આંદોલનકારીઓ મૃત્યુ પામ્યા છે તેમાંથી વારસદારોને અર્ધસરકારી કચેરીમાં નોકરી મળે અને ટીચરગેસના કારણે ઈજાગ્રસ્ત થયા છે તેમને વળતર મળે તે માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત હાર્દિક પટેલ સહિતના ઉપર રાજદ્રોહના કેસ કરાયા છે તે સહેલાઈથી પરત ખેંચાય તેવા નથી તે અંગે પણ અલગથી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર અગ્રણીઓએ રાજસ્થાનમાં આવા કેસ પરત ખેંચવામાં આવ્યા હોવાની વિગતો રજૂ કરવાાં આવી હતી. તેમાં પણ હકારાત્મક વલણ દાખવ્યું હોવાનો પાટીદાર અગ્રણીઓ દાવો કર્યો હતો.