ઇલેકટ્રોનિક ને આઇ ટી રાજયમંત્રી રાજીવ ચંદ્શેખરે કહયું હતું કે ડિજિટલ ચુકવણા બાબતે ભારતે હરણફાળ પ્રગતિ ભરી છે. ભારત આ બાબતે વિકસિત દેશોને પણ દિશા આપી શકે છે. ત્યાં સુધી કે જર્મની જેવો વિકસિત દેશ પણ ડિજીટલ પધ્ધતિ ડીબીટી ચુકવણામાં ભારત કરતા પાછળ છે. આઇ ટી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ 2021-22મા રોજ 90 લાખથી વધુ ડીબીટી ભુગતાન કરવામાં આવ્યા હતા.જેનાથી 9.5 કરોડ લાભાર્થીઓને ફાયદો મળ્યો હતો.
એટલું જ નહી રોજ સરેરાશ 28.4 કરોડ ડિજિટલ ટ્રાન્જેકશન થાય છે. આ ટ્રાન્જેકશન વિશ્વમાં સૌથી વધારે છે. ડીજીટલ ટ્રાન્જેકશન મામલે ભારત ચીન કરતા પણ આગળ છે. ચીન ભારત પછી બીજા ક્રમે જયારે અમેરિકા ત્રીજા ક્રમે છે. આમ ડિજીટલ ટ્રાન્જેકશન બાબતે ભારત માત્ર વિકાસશીલ જ નહી વિકસિત દેશો માટે પણ ઉદાહરણ રુપ બન્યો છે. પીએમ સન્માન નીધિ યોજના અંર્તગત 9.5 કરોડ લાભાર્થીઓના બેંક ખાતામાં એક જ બટન કલિકથી એક જ દિવસમાં 1900 કરોડ રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આછી એક કલીકમાં 9.5 કરોડ જેટલા ટ્રાન્જેકશન થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 2021-22ના વર્તમાન વર્ષમાં 8800 કરોડ ડિજીટલ ભુગતાન ટ્રાન્જેકશન થયા છે. વર્તમાન વર્ષમાં કુલ 566 લાખ કરોડ રુપિયાનું ડિજિટલ ટ્રાન્જેકશન થયું છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ના માધ્યમથી આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 10.72 લાખ કરોડ રુપિયાના 6.57 અબજ ડિજીટલ ટ્રાન્જેકશ થયા છે. જે ગત જુલાઇ મહિનાની સરખામણીમાં 4.62 ટકા વધારે છે.