CIA ALERT
03. May 2024

Diamond company Laxmi in Surat Archives - CIA Live

October 19, 2022
laxmi_diamonds.jpg
2min299

સુરત સહિત સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગમાં જાણિતું નામ એટલે લક્ષ્મી ડાયમંડ. ૧૯૭૨માં સ્થપાયેલ લક્ષ્મી ડાયમંડ કંપનીને ૫૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભવ્ય સ્વર્ણિમ મહોત્સવ કાર્યક્રમ ગઇ તા.૧૨થી ૧૬ ઓક્ટોબર દરમિયાન મોટા વરાછા ખાતે આવેલી કેપિટલ લોન્સ ફાર્મ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

સ્વર્ણિમ મહોત્સવમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સમેત કર્મચારીઓનું જાહેર બહુમાન કરવામાં આવ્યું હતું. આ પાચ દિવસીય સમાંરભમાં દરમ્યાન લક્ષ્મી ડાયમંડ પરિવારના અદાજીત ૨૫૦૦૦ વ્યકિતનો ભોજન સમાંરભ તેમજ કંપનીમાં ૧૦ વર્ષથી લઈ ૩૦ વર્ષ અને તેના કરતા વધારે સમયથી કંપનીમાં ફરજ બજાવતા ૧૦૧૧ કર્મનિષ્ઠ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાંચેય દિવસના સમાંરભમાં દરરોજ અલગ અલગ મોટીવેશનલ સ્પીકર દ્વારા જીવન લક્ષીય અને પરિવાર ભાવના જળવાય તેવી જીવન ઉપયોગી માહિતી આપી હતી. જેમાં પ્રથમ દિવસે શૈલેશભાઈ સગપરીયા, બીજા દિવસે ધર્મબંધુજી અને જય વસાવડા, ત્રીજા દિવસે કાજલ ઓઝા વૈદ, ચોથા દિવસે સંજય રાવલ અને પાંચમાં દિવસે નેહલબેન ગઢવી ઉપસ્થિત રહી પરિવારના શું સભ્યોને આંધ્રય જીવન જીવવા માટે ખુબ વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું.

આ કાયક્રમ માં અન્ય આમત્રિત મહેમાનો જેવ કે શ્રીમતી દર્શનાબેન ઝરદોષ (રેલ્વે રાજ્ય મંત્રી,ભારત સરકાર), પુર્ણેશ મોદી (પ્રવાસન મંત્રી, ગુજરાત રાજ્ય), તેમજ રાજ્યના પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડાયમંડ ઉધોગ અને કાપડ ઉદ્યોગના નામાંકિત મહાનુભાવો દ્વારા લક્ષ્મી ડાયમંડ આ પારિવારિક ભાવને બિરદાવવામાં આવ્યો હતો. સાથે સાથે કંપનીના સ્થાપક વસંતભાઈ ગજેરા અને ચુનીભાઈ ગજેરાએ પણ જીવન ઉપયોગી વાતો કરી પરિવારજનોને કુરીવાજો અને અંધશ્રદ્ધા વિષે સમજ આપી હતી તથા પારિવારિક ભાવનાની જીવન ઉપયોગીતા વિષેની સમજ આપી હતી.