CIA ALERT
09. May 2024

CA Foundation exam 2022 Archives - CIA Live

August 10, 2022
ca-foundation.jpeg
1min232

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા ગત જુન 2022માં લેવામાં આવેલી સી.એ.ના ફર્સ્ટ ફેઝ ગણાતા ફાઉન્ડેશનની પરીક્ષાનું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. આઇસીએઆઇ દ્વારા આ પરીક્ષામાં ફક્ત સ્કોર જાહેર કરવામાં આવે છે રેન્ક જાહેર કરાતા નથી.

સીએ ફાઉન્ડેશનમાં કુલ 4 વિષયોની 400 માર્કસની પરીક્ષામાં સ્કોરની દ્રષ્ટીએ જોઇએ તો સુરતમાં કોચીંગ ઇન્સ્ટીટ્યુટ ચલાવતા રવિ છાવછરીયાના સૌથી વધુ વિદ્યાર્થીઓ હાઇએસ્ટ સ્કોર લાવવામાં સફળ રહ્યા છે. સી.એ. રવિછારીયાનું કોચિંગ લઇ રહેલા સ્મીત પરમાર નામના વિદ્યાર્થીએ ફાઉન્ડેશનમાં કુલ 400માંથી 345 માર્કસ મેળવ્યા છે. સ્મીત પરમારથી વધુ માર્કસ સુરતમાં અન્ય કોઇ ઉમેદવાર લાવી શક્યા નથી. આથી તેમને સીએ ફાઉન્ડેશન 2022માં ટોપ સ્કોરર ગણાવવામાં આવી રહ્યા છે.

રવિ છાવછરીયાનું કોચિંગ લઇ રહેલા વિદ્યાર્થીઓના કુલ 400માંથી મેળવેલા માર્કસ

  • સ્મીત પરમાર 345
  • મનન વોરા 321
  • દિયા ચૌધરી 313
  • મેઘ શાહ 303
  • હેત મહેતા 298
  • પ્રિત શાહ 296
  • મેઘા આર તોડી 296
  • તિષા ગોરીસરીયા 296
  • રૈની ગાંધી 292
  • દર્શિત શાહ 292
  • હર્ષિતા ભાઉવાલા 289
  • જીનય બમ્બોલી 287
  • અરનન અગ્રવાલ 286
  • શ્રૈયાંશ જૈન 281
  • નૈના અગ્રવાલ 278
  • શ્રેયાંશ શુક્લા 275
  • જેની કટારીયા 275
  • ખુશી મુંદડા 275
  • હશનૈન કાગઝી 273
  • ઇશા મોદી 273
  • ક્રિશ મહેતા 271

સીએ ફાઉન્ડેશ જુન 2022ના ઓવરઓલ પરીણામની વાત કરીએ તો સમગ્ર દેશમાંથી કુલ 93729 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ફક્ત 23693 વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા છે. સી.એ. ફાઉન્ડેશનનું ઓવરઓલ પરીણામ ફક્ત 25.28 ટકા જેટલું આવ્યું છે. આ પરીણામ છેલ્લા ત્રણ વર્ષનું સૌથી ઓછું પરીણામ છે. વિદ્યાર્થીઓનું કુલ પરીણામ 25.52 ટકા જ્યારે વિદ્યાર્થિનીઓનું કુલ પરીણામ 24.99 ટકા આવ્યું છે.

December 27, 2021
icai_logo.jpeg
2min371

૧૭ ડિસેમ્બરે ICAI દ્વારા લેવામાં આવેલી CA ફાઉન્ડેશનની પરીક્ષાના ગણિત વિષયના પ્રશ્નપત્રમાં 4 પ્રશ્નોમાં ગંભીર ભૂલો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સી.એ. ફાઉન્ડેશનના ગણિતના પેપરમાં ચાર પ્રશ્નો અને આપવામાં આવેલા વિકલ્પો ખોટા હતા, જેને કારણે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હોવાથી આખરે વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન છોડવા પડ્યા હતા. દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની આ બાબત ધ્યાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગણિતના પેપરમાં ચાર પ્રશ્નો અને આપવામાં આવેલા વિકલ્પો ખોટા હતા, જેને કારણે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે.

વાયરલ થયેલા પેપર અનુસાર પ્રશ્ન નંબર 27, 52, 69, 75 પ્રશ્ન ભૂલભરેલા છે.

  • પ્રશ્ન નંબર 27માં જેમાં વિદ્યાર્થીઓને ‘a’નું મૂલ્ય શોધવાનું કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પ્રશ્નનો જવાબ ‘0.5’ છે, પરંતુ આ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો.
  • પ્રશ્ન નંબર 52માં વિદ્યાર્થીઓને આપેલી સંખ્યાઓનો મધ્યગા (Median) શોધવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ એક આંકડો ‘19. 66’ આપવામાં આવ્યો હતો. તેથી વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા હતા કે ડૉટ કોમાની જગ્યાએ ભૂલથી મૂકવામાં આવ્યું છે કે તે સંખ્યા ખરેખર 19.66 છે? જો આ સંખ્યા 19.66 હોય તો તેનો જવાબ વિકલ્પમાં આપવામાં આવ્યો ન હતો.
  • પ્રશ્ન નંબર 69 ‘ઓગિવ કર્વ (ઓજાઇવ કર્વ – Ogive Curve)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થતો નથી?’માં ત્રણ વિકલ્પો સાચા હતા અને એક વિકલ્પ ખોટો હતો, તેથી પ્રશ્નમાં ગોટાળો હોવાનું પુરવાર થાય છે. ઓજાઈવ કર્વ (Ogive Curve)નો ઉપયોગ મધ્યગા Median નક્કી કરવા માટે થાય છે. વિકલ્પમાં Mean, Median, Mode, Range આપવામાં આવ્યા હતા.
  • પ્રશ્ન નંબર 75માં વિદ્યાર્થીઓને Zebra, Giraffe, horse અને Tiger પૈકી અયોગ્ય વિકલ્પ શોધવાનું કહેવાનું આવ્યું હતું. હવે આ પ્રશ્નના જવાબમાં બે શક્યતા છે. જો માંસાહારી કે શાકાહારી પ્રાણીઓના સંદર્ભમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો આ પ્રશ્નનો જવાબ Tiger છે, પરંતુ જો પાલતું પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓ સંદર્ભે આ સવાલ હોય તો તેનો જવાબ અચૂક Horse આવે. જોકે, પ્રશ્નમાં આ બાબતે કોઈ ચોખવટ કરવામાં આવી ન હતી.