ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની પાંચ મેચની ટી-20 શ્રેણી પહેલા નવી દિલ્હી ખાતે તા. પાંચ જૂને એકત્ર થશે. પહેલો મેચ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર તા. 9 જૂને રમાશે.’ દ. આફ્રિકાની ટીમ તા. 2 જૂને ભારત પહોંચશે. આ શ્રેણીમાં દર્શકો માટે સ્ટેડિયમ પ્રવેશનો કોઈ પ્રતિબંધ હશે નહીં. 100 ટકા દર્શકોને પ્રવેશ મળશે. બન્ને ટીમના ખેલાડીઓ માટે બાયો બબલ પણ નહીં હોય, જો કે દરેક ખેલાડીનો નિયમિત કોરોના ટેસ્ટ થશે.
ભારત-આફ્રિકા વચ્ચેની શ્રેણીના બાકીના ચાર મેચ કટક (12 જૂન), વિશાખાપટ્ટનમ (14 જૂન), રાજકોટ (17 જૂન) અને બેંગ્લુરુ (19 જૂન)ના રમાશે. આફ્રિકા સામેની શ્રેણીમાં નિયમિત કપ્તાન રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, રવીન્દ્ર જાડેજા સહિતના કેટલાક સિનિયર ખેલાડીઓને વિશ્રામ અપાયો છે. ટીમનું સુકાન કેએલ રાહુલને સોંપાયું છે.