જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક અને નેશનલ લેવલની વેટરનરી કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે જેનો સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે એ નીટ યુજી NEET UG પરીક્ષાનું પરીણામ આજે તા.7મી સપ્ટેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવશે. આજે બપોરે 12 કલાકે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નીટ યુજીની વેબસાઇટ https://neet.nta.nic.in/ પર પરીણામ જાહેર કરવામાં આવશે. એવી જાહેરાત કરાયા બાદ દર વખતની જેમ એન.ટી.એ. દ્વારા પરીણામ જાહેર કરવામાં વિલંબ કરવામાં આવતાં લાખો વિદ્યાર્થીો અને વાલીઓ મૂઝાયા છે.
જે રીતે આન્સર કી જાહેર કરવામાં દસથી બાર કલાકનો વિલંબ કરાયો હતો એવું જ નીટના રીઝલ્ટ જાહેર કરવામાં થઇ રહ્યું છે.
કુલ 18.79 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટ યુજી 2022ની પરીક્ષા ગઇ તા.17મી જુલાઇ 2022ના રોજ આપી હતી. એ પછી દોઢ મહિને નીટનું પરીણામ જાહેર થઇ રહ્યું છે. તેમાં પણ આ પ્રકારે વિલંભ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂઝવણ અનુભવી રહ્યા છે. ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીણામની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.