સંવત 2075માં સેન્સેક્સ 45,000 સુધી થવાનો આશાવાદ
દિવાળીથી હિંદુઓનું નવું હિસાબી વર્ષ શરૂ થાય છે. ગુરુવારથી શરૂ થયેલા વિક્રમ સંવત 2075માં ઘણી સ્થાનિક અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં નિષ્ણાતોના મત મુજબ શેરબજાર બુલિશ એટલે કે હરણફાળ ભરવાના મોડ પર રહેશે. આગામી દિવાળી સુધીમાં સેન્સેક્સ 40,000ની સપાટીએ પહોંચવાનો અંદાજ છે. કેટલાક નિષ્ણાતોએ તો નવા વર્ષમાં બજાર 45,000 થવાની આગાહી કરી છે.
સંવત 2075માં સૌથી પહેલાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવાં મોટાં રાજ્યોમાં ચૂંટણી છે. ત્યાર પછી 2019ની લોકસભા ચૂંટણી બજાર માટે ‘ગેમચેન્જર’ પુરવાર થવાની સંભાવના ધરાવે છે. વૈશ્વિક બજારમાં પણ ઘણાં પરિબળો ભારતીય બજારની ચાલને અસર કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાં બ્રેક્ઝિટ, વૈશ્વિક મધ્યસ્થ બેન્કો દ્વારા તરલતામાં ઘટાડો તેમજ ક્રૂડ-કરન્સીની અનિશ્ચિતતા સામેલ છે. ઘરઆંગણે તરલતાની સમસ્યા અને સરકારની રાજકોષીય ખાધ પણ દબાણ ઊભું કરી શકે. જોકે, તમામ અનિશ્ચિતતા છતાં ટોચના મની મેનેજર્સે બજારમાં તેજીની આગાહી કરી છે.
ટોચના 20માંથી 12 મની મેનેજર્સને આગામી દિવાળી સુધીમાં સેન્સેક્સ 40,000-45,000ની રેન્જમાં પહોંચવાનો અંદાજ છે. સરવેમાં બ્રોકરેજિસ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પ્રાઇવેટ ઇક્વિટી (PE) ફર્મ્સનો અભિપ્રાય લેવાયો હતો. આનંદ રાઠી, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ, TIW પ્રાઇવેટ ઇક્વિટી, શેરખાન, SBI લાઇફ અને સેન્ટ્રમે સેન્સેક્સ અને નિફ્ટી માટે કોઈ ટાર્ગેટ આપ્યો ન હતો.
મોટા ભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બજાર આગામી 12 મહિનામાં નવી ટોચ બનાવશે. જ્યારે ચાર મની મેનેજર્સના જણાવ્યા અનુસાર આગામી દિવાળી સુધીમાં સેન્સેક્સ હાલના સ્તરે અથવા તેનાથી નીચો રહેશે. સરવેમાં નિફ્ટી માટે આગામી દિવાળી સુધીમાં સરેરાશ 11,755ની સપાટીની આગાહી કરવામાં આવી છે. નિષ્ણાતોએ તેજી માટે આગામી લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે મોદી સરકારના પુનરાગમનની શક્યતાને મુખ્ય કારણ ગણાવ્યું છે.
આગામી દિવાળી સુધીમાં નિફ્ટી 12,000 અને સેન્સેક્સ 42,000ની સપાટીએ પહોંચવાની શક્યતા છે. લોકસભા ચૂંટણી બજારની મધ્યમ ગાળાની ચાલ નિર્ધારિત કરશે. કોઈ એક પક્ષની સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર બજાર માટે ઉત્તમ રહેશે. જોકે, ચૂંટણી કરતાં પણ કંપનીઓની નાણાકીય કામગીરી વધુ મહત્ત્વની રહેશે. ઉપરાંત, રૂપિયાના મૂલ્યમાં વૃદ્ધિ અને ક્રૂડના ભાવમાં ઘટાડો બજારમાં સરપ્રાઇઝ ઉછાળો લાવી શકે.
એક વર્ષમાં સેન્સેક્સ 30,700 અને નિફ્ટી 10,000ની સપાટીએ પહોંચવાનો અંદાજ છે. તેમણે ચૂંટણી, રૂપિયો અને ક્રૂડ ઓઇલને મહત્ત્વનાં જોખમ ગણાવ્યાં હતાં. તમામ એનાલિસ્ટ્સ માટે 2019ની લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ જનાદેશનો અભાવ અને ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો ચિંતાનાં મુખ્ય પરિબળ હતાં.
કેટલાક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરકારના બજેટ સિવાયના ખર્ચમાં તીવ્ર વૃદ્ધિથી સ્થાનિક બોન્ડ્સ પર દબાણનો અંદાજ છે, જે બજારમાં ઘટાડો લાવશે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરના જણાવ્યા અનુસાર નિફ્ટી માટે આગામી દિવાળી સુધીનો ટાર્ગેટ 10,250 છે. જેમાં 2018-’19ના પ્રથમ ક્વાર્ટરના 10,400ના ટાર્ગેટની તુલનામાં ઘટાડો નોંધાયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now