આજે પંજાબમાં તમામ 117 અને UPમાં ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર ચાલી રહ્યું છે મતદાન
આજરોજ તા.20મી ફેબ્રુઆરી 2022ને રવિવારે સવારે 8 કલાકથી પંજાબની તમામ 117 વિધાનસભા બેઠકો તેમજ ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું. આરંભના બે કલાકમાં જ 12થી 15 ટકા મતદાન થઇ ચૂક્યું હોવાના અહેવાલો મળ્યા હતા. ક્યાંયથી કોઇ અનિચ્છનીય ઘટનાના સમાચાર મળ્યા નથી. બન્ને રાજ્યોમાં ત્રીપાંખીયો જંગ ખેલાઇ રહ્યો છે.
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આજે રવિવારે સવારે મતદાનની ઝડપ સામાન્ય કરતા વધુ નોંધાઇ હતી. પંજાબમાં લગભગ 2.14 કરોડ મતદારો રાજ્યની 117 બેઠકો પર નસીબ અજમાવી રહેલા 1,304 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે મતદાન કરી રહ્યા છે. આ ઉમેદવારોમાં 93 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસના અધિકારીએ જણાવ્યું કે મતદાન સવારે 8 વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે શરૂ થઇ ચૂક્યું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે અને મતગણતરી 10 માર્ચે થશે. પંજાબમાં આ વખતે કોંગ્રેસ, AAP, SAD-BSP ગઠબંધન, BJP-PLC-SAD (યુનાઇટેડ) અને સંયુક્ત સમાજ મોરચા વચ્ચે બહુકોણીય મુકાબલો છે.
સાથોસાથે ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં 16 જિલ્લાની 59 સીટો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. 59 સીટો પર 627 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં 4 યોગીના અને એક કેન્દ્રીય મંત્રી છે. 2.15 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આજનું મતદાન કેટલાક દિગ્ગજો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન છે. જેમાં સૌથી વધુ ચર્ચા છે કરહલ વિધાનસભા સીટની, જ્યાંથી સપા પ્રમુખ અખિલેશ મેદાનમાં છે. તેઓ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત બિકરુ કાંડવાળા કાનપુર અને આવકવેરાના દરોડાથી ચર્ચામાં આવેલા અત્તરના વેપારીવાળા કન્નૌજમાં પણ વોટિંગ આજે થઈ રહ્યું છે.
પોતાની સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહેલી શાસક કોંગ્રેસને ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દાઓ પર વિવિધ રાજકીય વિરોધીઓના આકરા હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. પંજાબમાં કોંગ્રેસ સામે સૌથી મોટા હરીફ તરીકે ઉભરી રહેલી AAP આ વખતે સત્તામાં આવવા માટે પૂરા પ્રયાસ કરી રહી છે. તેણીનું દિલ્હી મોડેલ રજૂ કરીને, તે રાજ્યમાં સરકાર બનાવવા માટે સખત મહેનત કરી રહી છે.
આ વખતે પંજાબમાં ચૂંટણી પ્રચાર ખૂબ જ હાઈપ્રોફાઈલ રહ્યો છે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સહિતના દિગ્ગજોએ એડી ચોટીનું જોર લગાવીને પોત પોતાના પક્ષ માટે પ્રચાર કર્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now