સાંસદોની ગેરહાજરી પર PM મોદીએ કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી
ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીએ પાર્ટીના સાંસદોને વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવા કડકાઇથી કહ્યું હતું. ગૃહમાં હાજર રહેવાની કડક સૂચના ઉપરાંત પીએમ મોદીએ સાંસદોને લોકોના હિતમાં કામ કરવા પણ કહ્યું હતું. પીએમ મોદીએ સત્ર દરમિયાન સંસદમાં ન આવતા સાંસદોને ઠપકો આપ્યો હતો.
ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ ગૃહમાં પાર્ટીના સાંસદોની ગેરહાજરી પર ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જો બાળકોને વારંવાર એક જ વસ્તુ કહેવામાં આવે તો તેઓ તે કરતા નથી. કૃપા કરીને પરિવર્તન લાવો, નહીં તો પરિવર્તન જાતે જ થઈ જશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદોને સૂર્ય નમસ્કાર કરવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું, દરેક વ્યક્તિએ સૂર્ય નમસ્કાર કરવું જોઈએ અને તેની સ્પર્ધા કરવી જોઈએ, તે દરેકને સ્વસ્થ રાખશે.
આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, હું 13 તારીખે કાશી જઈ રહ્યો છું. પહેલી વખત તમને બધાને ત્યાં આવવા માટે કહીશ નહીં. એટલા માટે કે અત્યારે સંસદ ચાલી રહી છે, તમારે બધાએ સંસદમાં રહેવું જોઈએ. તમારે બધાએ અહીંથી રહીને તમારા વિસ્તારના લોકો માટે કાશી કાર્યક્રમ સારી રીતે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. તેમણે પાર્ટીના સાંસદોને કહ્યું કે, હું 14 ડિસેમ્બરે ચા પર ચર્ચા કરીશ. હું ચા પર બનારસના તમામ જિલ્લાના પદાધિકારીઓને મળીશ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now