CIA ALERT
04. May 2024

PMmodi Archives - CIA Live

December 12, 2021
narendra-modi-twitter.jpg
1min529

વણઓળખાયેલા હેકરે શનિવારે મધરાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વેરીફાઇડ (સત્તાવાર) ટ્વીટર હેન્ડલ હેક કરી દઇને તેના પર બિટકોઇનને ભારતમાં સત્તાવાર મંજૂરી આપી દેવાઇ હોવાનું ટ્વીટ પણ કરી દીધું હતું. જોકે બે જ મિનિટમાં અકાઉન્ટને રિકવર કરી દેવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું.

રવિવારે (12 ડિસેમ્બર) સવારે 2.11 વાગ્યે @narendramodi તરફથી સ્પામ Tweet કરવામાં આવ્યું હતું.. Tweet માં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતે બિટકોઈનને સત્તાવાર રીતે કાનૂની સ્વીકૃતિ આપી દીધી છે. સરકારે અધિકૃત રીતે 500 BTC ખરીદ્યા છે અને તે દેશના તમામ નાગરિકોને તેનું વિતરણ કરી રહી છે. ભારત જલ્દી કરો…… ભવિષ્ય આજે આવી ગયું છે!’

Hackers Posted this message

The hackers posted one tweet and a scam link from the handle.

જો કે, આ Tweet બે મિનિટમાં જ ડિલીટ થઈ ગયું. બીજી Tweet સવારે 2.14 કલાકે આવી હતી, જે પ્રથમ Tweetની નકલ હતી. આ Tweet પણ તરત જ ડિલીટ થઈ ગયું. PMOએ Tweet કરીને જાણકારી આપી કે મોદીનું એકાઉન્ટ થોડા સમય માટે હેક થયું છે. PMO દ્વારા સૂચના આપવામાં આવી હતી કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ કોઈપણ Tweet ને ‘ઈગ્નોર’ કરવામાં આવે.

આ રીતે ભારતના વડાપ્રધાનનું સત્તાવાર ટ્વીટર હેન્ડલ હેક કરીને બિટકોઇન અંગે જે સંદેશાઓ પ્રસારિત કરવામાં આવ્યા તે અત્યંત ગંભીર બાબત છે અને પીએમઓ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

December 7, 2021
modi.jpeg
1min295

ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીએ પાર્ટીના સાંસદોને વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવા કડકાઇથી કહ્યું હતું. ગૃહમાં હાજર રહેવાની કડક સૂચના ઉપરાંત પીએમ મોદીએ સાંસદોને લોકોના હિતમાં કામ કરવા પણ કહ્યું હતું. પીએમ મોદીએ સત્ર દરમિયાન સંસદમાં ન આવતા સાંસદોને ઠપકો આપ્યો હતો.

ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ ગૃહમાં પાર્ટીના સાંસદોની ગેરહાજરી પર ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જો બાળકોને વારંવાર એક જ વસ્તુ કહેવામાં આવે તો તેઓ તે કરતા નથી. કૃપા કરીને પરિવર્તન લાવો, નહીં તો પરિવર્તન જાતે જ થઈ જશે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદોને સૂર્ય નમસ્કાર કરવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું, દરેક વ્યક્તિએ સૂર્ય નમસ્કાર કરવું જોઈએ અને તેની સ્પર્ધા કરવી જોઈએ, તે દરેકને સ્વસ્થ રાખશે. 

આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, હું 13 તારીખે કાશી જઈ રહ્યો છું. પહેલી વખત તમને બધાને ત્યાં આવવા માટે કહીશ નહીં.  એટલા માટે કે અત્યારે સંસદ ચાલી રહી છે, તમારે બધાએ સંસદમાં રહેવું જોઈએ. તમારે બધાએ અહીંથી રહીને તમારા વિસ્તારના લોકો માટે કાશી કાર્યક્રમ સારી રીતે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. તેમણે પાર્ટીના સાંસદોને કહ્યું કે, હું 14 ડિસેમ્બરે ચા પર ચર્ચા કરીશ. હું ચા પર બનારસના તમામ જિલ્લાના પદાધિકારીઓને મળીશ.