દેશભરમાં સરેરાશ ચોમાસું સામાન્ય રહેશે
દેશભરમાં આ વખતે ચોમાસું એકંદરે સામાન્ય રહેશે. જોકે, ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી છે, એમ ભારતીય વેધશાળાએ 31 May 2019 શુક્રવારે જણાવ્યું હતું.
અલ-નીનો સમુદ્રના પાણીના ગરમાટાથી ઉદ્ભવતી એવી સ્થિતિ છે જેની ભારત સહિતના વિવિધ દેશોની આબોહવા તથા ચોમાસા પર અસર પડતી હોય છે. અલ-નીનોની અસર આ વખતે ભારતમાં વરસાદની મોસમ દરમિયાન પણ ચાલુ રહેશે. જોકે, ચોમાસાના પાછલા ભાગમાં આ સ્થિતિ તટસ્થ રહેવાની શક્યતા છે, એમ વેધશાળાએ જણાવ્યું હતું.
આ વિભાગનું એવું પણ માનવું છે કે જુલાઈ તથા ઑગસ્ટમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની સંભાવના પણ છે અને વરસાદનું પ્રમાણ લૉન્ગ પિરિયડ ઍવરેજ (એલપીએ)ના 96 ટકા રહેવાની શક્યતા છે. ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં વરસાદ એલપીએના 94 ટકા, મધ્ય ભારતમાં એલપીએના 100 ટકા, દક્ષિણ ભારતમાં એલપીએના 97 ટકા અને ઉત્તર-પૂર્વ ભારતમાં એલપીએના 91 ટકા રહેવાની આગાહી છે.
કેરળમાં ચોમાસું 6ઠ્ઠી જૂનની આસપાસ બેસવાની સંભાવના છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now