CIA ALERT
19. May 2024

મોદીની રેલીમાં ગેરહાજર મંડીના MLA સામે શિસ્તભંગનાં પગલાં લેવાશે

Share On :
Print Friendly, PDF & Email

હિમાચલ પ્રદેશના મંડીમાં યોજાયેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં હાજરી નહીં આપનારા ભાજપના વિધાનસભ્ય સામે પક્ષ ટૂંક સમયમાં પગલાં ભરશે. લોકસભા ચૂંટણીપ્રચાર દરમિયાન મોદીએ ૧૦ મેના દિવસે મંડીના પડડલ મેદાનમાં સ્થાનિક સાંસદ રામસ્વરૂપ શર્માના સમર્થનમાં એક રેલીને સંબોધન કર્યું હતું. અનિલ શર્મા નામના સ્થાનિક વિધાનસભ્ય રેલીમાં હાજર રહ્યા ન હતા. તેમના પુત્ર આશ્રય શર્માને કૉંગ્રેસ પક્ષે આ જ મતવિસ્તારમાં ટિકિટ આપી હતી. હિમાચલ પ્રદેશ ભાજપના પ્રમુખ સતપાલસિંહ સત્તીએ કહ્યું કે પાર્ટી હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા પછી અનિલ શર્મા સામે પગલાં ભરવામાં આવશે. કૉંગ્રેસે આશ્રય શર્માને ટિકિટ આપી હતી તે પછી અનિલ શર્માએ ઊર્જા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે ભાજપને કહ્યું હતું કે તે ન તો ભાજપ માટે કે ન તો તેમના પુત્ર માટે પ્રચાર કરશે.

પ્રદેશ પ્રમુખ સત્તીએ કહ્યું હતું કે અનિલ શર્માને રાજ્યની કારોબારીમાંથી હટાવવા અમારી શિસ્ત સમિતિ ટૂંક સમયમાં નિર્ણય કરશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :