CIA ALERT
05. May 2024

Related Articles



સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીનું AAPને ટાટા

Share On :
Print Friendly, PDF & Email

સુરતના ઉદ્યોગપતિ એવા મહેશ સવાણીએ પણ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. ઉદ્યોગપતિ મહેશ સવાણી દ્વારા હાલ રાજીનામું ધરી દેવાયું છે. એક પછી એક દિગ્ગજોના રાજીનામાના કારણે હાલ આમ આદમી પાર્ટીના ઉચ્ચપદના નેતાઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

Gujarat News: Diamond businessman Mahesh Savani, who gifted employees from  door to door, joins AAP, Sisodia said – politics is taking a new turn in  Gujarat - PressWire18

ગુજરાતી લોકગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી (AAP) છોડીને આજે ભાજપમાં જોડાઈ ગયા છે. ગાંધીનગર ભાજપ કમલમ ખાતે સીઆર પાટીલના હસ્તે વિજય સુવાળાએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળાએ મીડિયાને જણાવ્યું કે, ભાજપ આજે વિશ્વની સૌથી મોટી સંગઠન ધરાવતી પાર્ટી છે. ભાજપે મારા સમાજ અને મારા પરિવારને ઘણું બધું આપ્યું છે. સુવાળાએ વધુમાં કહ્યું કે, મારી ત્રણ પેઢી ભાજપની વિચારણા સાથે જોડાયેલી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હું ફેન છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે આજે વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો હતો. પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે નીલમબેન વ્યાસે કેસરિયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડ્યો હતો. મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવાની સાથે રાજકીય સંન્યાસની જાહેરાત કરી દીધી છે. વિજય સુવાળા અને નીલમ વ્યાસના કેસરિયા બાદ ગુજરાત આમ આદમી પાર્ટીને ત્રીજુ સૌથી મોટું નુકસાન થયું છે. હજુ તો 4 મહિના પહેલા જ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો!

મહત્વનું છે કે, જૂન 2021માં વિજય સુવાળા આપ નેતા ઈસુદાન ગઢવીની હાજરીમાં આપમાં જોડાયા હતા. આપમાં જોડાતી વખતે ‘નાનામાં નાના માણસોને પોતાનો હક મળી શકે તે માટે આપમાં જોડાયો છું. મારી પાસે બેરોજગારી, ખેડૂતો સહિતના ઘણા બધા મુદ્દાઓ છે, જેમાં ન્યાય મળે તે માટે હું સરકારો સામે લડાઈ કરી શકું.’ તેવું કહેનારા વિજય સુવાળાએ ભાજપમાં જોડાયા બાદ આપને છોડવાનું સ્પષ્ટ કારણ ન બતાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભાજપમાં જોડાવાની વાત કહેતા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેમના ઘરે ગયા હતા. જોકે ઈસુદાન ગઢવીના મનામણા છતાં વિજય સુવાળા પોતાના નિર્ણયથી ટસના મસ થયા નહોતા. જો કે, વિજય સુવાળા કયા કારણોસર પાર્ટીથી નારાજ હતા એ વિગતો પણ હજી બહાર આવી નથી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :