CIA ALERT
07. May 2024
November 9, 20191min3300

Related Articles



હનુમાનજીના વારે, રામજી મંદિરના દ્વારે : આજે સૂરતના મંદિરોમાં મહાઆરતી

Share On :
Print Friendly, PDF & Email

અયોધ્યા ખાતે રામજન્મભૂમિ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને વધામણા

આજે તા.9-11 ને હનુમાનજીના વાર, શનિવારે ભારતની સર્વોચ્ચ અદાલતે અયોધ્યા ખાતે રામજન્મ ભૂમિ પર રામજી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થવા આડેના અવરોધો દૂર કરતા સમગ્ર ભારત વર્ષમાં ખુશાલી વ્યાપી ગઇ છે. હિન્દુ ધર્મના અનુયાયીઓમાં સ્વાભાવિક ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૂરતની વાત કરીએ તો સૂરતમાં સુપ્રીમ કોર્ટના આદેશોના ઠેરઠેર વધામણા થઇ રહ્યા છે. સોશ્યલ મિડીયામાંથી બહાર નીકળીને શહેરના મંદિરોમાં આજે ખાસ વધામણા કાર્યક્રમો અને મહાઆરતીના આયોજનો થઇ રહ્યાના સગડ મળ્યા છે.

ખાસ કરીને સૂરતના વરાછા રોડ પર મિની બજાર ખાતે સાંજે 6 કલાકે મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ શહેરના દરેક રામજી મંદિરોમાં આજે સાંજની આરતી વિશેષ સ્વરૂપે કરવાના આયોજન થઇ રહ્યા છે. કેટલાક સ્થળોએ રામધૂન અને ક્યાંક મહાપ્રસાદીના પણ આયોજન હાથ ધરવામાં આવ્યા છે.

અયોધ્યા ખાતે છેલ્લા 70 વર્ષથી રામ મંદિર નિર્માણ કાર્ય કરવાના થઇ રહેલા પ્રયાસોમાં છેવટે સુપ્રીમ કોર્ટના આદેશોને પગલે મંદિર નિર્માણનો માર્ગ મોકળો બનતા હિન્દુ સંપ્રદાયના લોકોમાં ખુશાલી વ્યાપે આ સ્વાભાવિક છે.

સાંજે 4.30 કલાકે શિવાજી મહારાજ સ્મારક ખાતે

  • સાંજે 7 કલાકે મિનીબજાર વરાછા રોડ ખાતે જાહેર મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
  • સાંજે 4.30 કલાકે સૂરતના ન્યુ બોમ્બે માર્કેટ ખાતે, કરણીચોક સ્થિત શિવાજી સ્મારક ખાતે સુપ્રીમ કોર્ટના ચુકાદાને વધાવવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
  • એવી જ રીતે અટલ આશ્રમ ખાતે આજે સાંજે મહા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
  • અડાજણ, સ્ટાર બજારની સામે રામજી મંદિર ખાતે પણ આજે સાંજે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાને સહર્ષ વધામણા, કોમી એખલાસભર્યો માહોલ જાળવી રાખવો આપણી જવાબદારી :  દિનેશ નાવડીયા, અધ્યક્ષ, દક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ

દક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ, SGCCI વાઇસ પ્રેસિડેન્ટ અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણી શ્રી દિનેશભાઇ નાવડીયાએ આજે સુપ્રીમ કોર્ટે અયોધ્યા ખાતે રામજન્મભૂમિ અંગે ચાલી રહેલા 70 વર્ષ જુના કેસમાં આપેલા આખરી ચુકાદાને સહર્ષ આવકારતા જણાવ્યું હતું કે રામજન્મભૂમિ અયોધ્યા એ હિન્દુ ધર્મ માટે આ એક આસ્થાનું પ્રતિક છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મભૂમિએ તેમનું મંદિર નિર્માણ થાય એ ભારત જ નહીં વિશ્વમાં વસતા દરેક હિન્દુઓનું સપનું છે. અમે સુપ્રીમ કોર્ટના આદેશને આવકારીએ છીએ અને તેના વધામણા કરીએ છીએ. અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ આડેના અવરોધો દૂર થયા છે. વિધ્વાન વકીલોના પ્રતિસાદો સાંભળ્યા બાદ જણાયું છે કે સુપ્રીમ કોર્ટે અતિસંવેદનશીલ મનાતા અયોધ્યાના વિવાદમાં સર્વસંમત અને ખુબ જ સમતોલ ચૂકાદો આપ્યો છે.

વધુમાં વિહીપના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ શ્રી દિનેશ નાવડીયાએ હિન્દુ ધર્મપ્રેમી તમામને અપીલ કરી છે કે ક્યાંયે ઉત્સાહ કે ઉન્માદના અતિરેકમાં આવીને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી આપણે તમામે રાખવાની છે. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કોઇની હાર કે કોઇની જીતનો વાદ વિવાદ હોઇ ન શકે. આપણી આસપાસ, આપણા પ્રદેશમાં, આપણા દેશમાં કોમી એખલાસભર્યો માહોલ જળવાયેલો રહે એની જવાબદારી આપણા સૌની છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :