કચ્છમાં 8 ટ્રેનના રૂટ રદ
કચ્છના મુંબઇ તેમજ અન્ય રાજયોમાં સ્થાઇ થયેલા લોકો પણ ભુજ અવારનવાર આવતા હોય છે અને કચ્છમાં પણ પરપ્રાંતિય નોકરીયાત વર્ગ વધારે છે જે પોતાના વતન જવા માટે મોટાભાગે ટ્રેનનો ઉપયોગ કરે છે.
કચ્છથી દોડતી તમામ ટ્રેન મોટાભાગે હાઉસફુલ રહે છે ત્યારે ભુજથી મુંબઇ તેમજ અન્ય રાજયોમાં જતી ત્રણ દિવસ માટે આઠ ટ્રેનના રૂટ રદ્દ કરાયા છે. છતાંય સામખિયાળીથી લાકડિયા સુધીના ૧૫ કિ.મી.ના ડબલ ટ્રેક કરવાની કામગીરી માટે ત્રણ દિવસ સુધી આઠ ટ્રેન પ્રભાવિત કરાઇ છે.
અમુક ટ્રેન તો રદ્દ જ કરી દેવાઇ છે. તો સાતેક ટ્રેન માત્ર અમદાવાદ સુધી જ દોડશે, તેવું રેલવેની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.
કચ્છના સામખિયાળીથી લાકડિયા સુધીના ડબલ ટ્રેકની કામગીરી કરવા માટે ત્રણ દિવસ સુધી અમુક ટ્રેન રદ્દ કરાઇ છે તો અમુકના રૂટ ટુંકાવાયા છે.
- ૨૯ ફેબ્રુઆરીની દાદર-ભુજ, પાલનપુર-ભુજ અને ગાંધીધામ-પાલનપુર રદ્દ કરાઇ છે.
- તા. ૨૯મીએ ગાંધીધામ-અમદાવાદ વચ્ચે પણ રદ્દ રહેશે.
- તા. ૨૮ ફેબ્રુઆરી અને તા. ૨૯ ફેબ્રુઆરીના બાન્દ્રા ટર્મિનસ, ભુજ-બાન્દ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદ સુધી જ આવશે.
- તા. ૨૮મી ફેબ્રુઆરીની બરેલી-ભુજ બરેલી દોડાવાશે જ નહીં.
- ૨૯મીએ બરેલી એક્સપ્રેસ અમદાવાદ-ભુજ વચ્ચે રદ્દ રહેશે.
- ૧ માર્ચના ભુજ બરેલી એકસપ્રેસ ભુજ-પાલનપુર વચ્ચે રદ્દ રહેશે.
- ૨૮ અને ૨૯મીએ જોધપુર-ગાંધીધામ ટ્રેન રદ્દ કરાવાઇ હોવાની રેલવેની સત્તાવાર યાદી જણાવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now