CIA ALERT

રમત જગત Archives - Page 22 of 45 - CIA Live

April 9, 2021
IPL_cia.jpg
1min390

દેશભરમાં જ્વાળામુખીની માફક ફાટી નીકળેલ કોરોનાની બીજી જીવલેણ લહેર વચ્ચે આજે તા.૯ એપ્રિલ ૨૦૨૧ને શુક્રવારથી દુનિયાની સૌથી ધનિક ટી-20 લીગ ઇન્ડિયન્સ પ્રીમિયર લીગ (આઇપીએલ)નો અનિશ્ચિતતા અને અજંપા વચ્ચે પ્રારંભ થશે. પહેલી મેચ મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ રોયલ ચેેલેન્જર્સ વચ્ચેે રમાશે

પાંચ ખિતાબ સાથે આઇપીએલ ઇતિહાસનો સૌથી સફળ કપ્તાન રોહિત શર્મા છઠ્ઠીવાર અને ખિતાબની હેટ્રિક રચવાના મકકમ નિર્ધાર સાથે તેની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સાથે મેદાને પડશે. આ વખતે પણ રોહિતની ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર છે.

મુંબઇની ટીમમાં રોહિત ઉપરાંત ડિ’કોક, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, પોલાર્ડ, પંડયાબ્રધર્સની મજબૂત બેટિંગ લાઇનઅપ છે. બોલિંગમાં તેની પાસે બુમરાહ, બોલ્ટ અને નાથન કુલ્ટર નાઇલ જેવા ખતરનાક ફાસ્ટ બોલર છે. સ્પિન વિભાગની જવાબદારી રાહુલ ચહર સંભાળશે. આ કડી મુંબઇની નબળી છે.

મુંબઇની સામે આરસીબી હશે. કોહલીની ટીમ પહેલીવાર આઇપીએલનું ટાઇટલ જીતવા માંગે છે.’ ટીમમાં મેકસવેલ અને કિવિ ઓલરાઉન્ડર કાઇલ જેમિસનને લેવામાં આવ્યા છે. કોહલી સાથે પડીક્કલ ઓપનિંગ કરશે. આ પછી સુપરસ્ટાર એબી ડિ’વિલિયર્સ હશે. યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાઝ અને નવદિપ સૈની સારા ફોર્મમાં છે. જયારે સ્પિનર તરીકે યજુર્વેન્દ્ર ચહલ હશે.

April 1, 2021
IPL_cia.jpg
9min506
DateFixtureTime in ISTCity
April 9, FridayMumbai Indians vs Royal Challengers Bangalore7:30 PMChennai
April 10, SaturdayChennai Super Kings vs Delhi Capitals7:30 PMMumbai
April 11, SundaySunrisers Hyderabad vs Kolkata Knight Riders7:30 PMChennai
April 12, MondayRajasthan Royals vs Punjab Kings7:30 PMMumbai
April 13, TuesdayKolkata Knight Riders vs Mumbai Indians7:30 PMChennai
April 14, WednesdaySunrisers Hyderabad vs Royal Challengers Bangalore7:30 PMChennai
April 15, ThursdayRajasthan Royals vs Delhi Capitals7:30 PMMumbai
April 16, FridayPunjab Kings vs Chennai Super Kings7:30 PMMumbai
April 17, SaturdayMumbai Indians vs Sunrisers Hyderabad7:30 PMChennai
April 18, SundayRoyal Challengers Bangalore vs Kolkata Knight Riders3:30 PMChennai
April 18, SundayDelhi Capitals vs Punjab Kings7:30 PMMumbai
April 19, MondayChennai Super Kings vs Rajasthan Royals7:30 PMMumbai
April 20, TuesdayDelhi Capitals vs Mumbai Indians7:30 PMChennai
April 21, WednesdayPunjab Kings vs Sunrisers Hyderabad3:30 PMChennai
April 21, WednesdayKolkata Knight Riders vs Chennai Super Kings7:30 PMMumbai
April 22, ThursdayRoyal Challengers Bangalore vs Rajasthan Royals7:30 PMMumbai
April 23, FridayPunjab Kings vs Mumbai Indians7:30 PMChennai
April 24, SaturdayRajasthan Royals vs Kolkata Knight Riders7:30 PMMumbai
April 25, SundayChennai Super Kings vs Royal Challengers Bangalore3:30 PMMumbai
April 25, SundaySunrisers Hyderabad vs Delhi Capitals7:30 PMChennai
April 26, MondayPunjab Kings vs Kolkata Knight Riders7:30 PMAhmedabad
April 27, TuesdayDelhi Capitals vs Royal Challengers Bangalore7:30 PMAhmedabad
April 28, WednesdayChennai Super Kings vs Sunrisers Hyderabad7:30 PMDelhi
April 29, ThursdayMumbai Indians vs Rajasthan Royals3:30 PMDelhi
April 29, ThursdayDelhi Capitals vs Kolkata Knight Riders7:30 PMAhmedabad
April 30, FridayPunjab Kings vs Royal Challengers Bangalore7:30 PMAhmedabad
May 1, SaturdayMumbai Indians vs Chennai Super Kings7:30 PMDelhi
May 2, SundayRajasthan Royals vs Sunrisers Hyderabad3:30 PMDelhi
May 2, SundayPunjab Kings Vs Delhi Capitals7:30 PMAhmedabad
May 3, MondayKolkata Knight Riders vs Royal Challengers Bangalore7:30 PMAhmedabad
May 4, TuesdaySunrisers Hyderabad vs Mumbai Indians7.30 PMDelhi
May 5, WednesdayRajasthan Royals vs Chennai Super Kings7.30 PMDelhi
May 6, ThursdayRoyal Challengers Bangalore vs Punjab Kings7.30 PMAhmedabad
May 7, FridaySunrisers Hyderabad v Chennai Super Kings7.30 PMDelhi
May 8, SaturdayKolkata Knight Riders v Delhi Capitals3.30 PMAhmedabad
May 8, SaturdayRajasthan Royals v Mumbai Indians7.30 PMDelhi
May 9, SundayChennai Super Kings v Punjab Kings3.30 PMBengaluru
May 9, SundayRoyal Challengers Bangalore v Sunrisers Hyderabad7.30 PMKolkata
May 10, MondayMumbai Indians v Kolkata Knight Riders7.30 PMBengaluru
May 11, TuesdayDelhi Capitals v Rajasthan Royals7.30 PMKolkata
May 12, WednesdayChennai Super Kings v Kolkata Knight Riders7.30 PMBengaluru
May 13, ThursdayMumbai Indians v Punjab Kings3.30 PMBengaluru
May 13, ThursdaySunrisers Hyderabad v Rajasthan Royals7.30 PMKolkata
May 14, FridayRoyal Challengers Bangalore v Delhi Capitals7.30 PMKolkata
May 15, SaturdayKolkata Knight Riders v Punjab Kings7.30 PMBengaluru
May 16, SundayRajasthan Royals v Royal Challengers Bangalore3.30 PMKolkata
May 16, SundayChennai Super Kings v Mumbai Indians7.30 PMBengaluru
May 17, MondayDelhi Capitals v Sunrisers Hyderabad7.30 PMKolkata
May 18, TuesdayKolkata Knight Riders v Rajasthan Royals3.30 PMBengaluru
May 19, WednesdaySunrisers Hyderabad v Punjab Kings3.30 PMBengaluru
May 20, ThursdayRoyal Challengers Bangalore v Mumbai Indians7.30 PMKolkata
May 21, FridayKolkata Knight Riders v Sunrisers Hyderabad3.30 PMBengaluru
May 21, FridayDelhi Capitals v Chennai Super Kings7.30 PMKolkata
May 22, SaturdayPunjab Kings v Rajasthan Royals7.30 PMBengaluru
May 23, SundayMumbai Indians v Delhi Capitals3.30 PMKolkata
May 23, SundayRoyal Challengers Bangalore v Chennai Super Kings7.30 PMKolkata
May 25, TuesdayQUALIFIER 17.30 PMAhmedabad
May 26, WednesdayELIMINATOR7.30 PMAhmedabad
May 28, FridayQUALIFIER 27.30 PMAhmedabad
May 30, SundayFINAL7.30 PMAhmedabad
March 31, 2021
Rishabh-Pant-Delhi-Capitals-captain-IPL-2021.jpg
1min437

વિકેટકીપર-બેટસમેન ઋષભ પંત આઇપીએલની 14મી સિઝન માટે આજે દિલ્હી કેપિટલ્સનો કપ્તાન જાહેર થયો છે. તેણે શ્રેયસ અય્યરની જગ્યા લીધી છે. અય્યર ખભાની ઇજાને લીધે આઇપીએલની બહાર થઇ ગયો છે. 23 વર્ષીય ઋષભ પંતે આ પહેલા ઘરેલુ ક્રિકેટમાં દિલ્હીની ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. આઇપીએલમાં તે પહેલીવાર સુકાની નિયુકત થયો છે. પંત 2017માં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં દિલ્હીનો કેપ્ટન હતો.

દિલ્હી કેપિટલ્સ ફ્રેંચાઇઝીએ આજે રાત્રે ઋષભ પંતને નવો કેપ્ટન બનાવ્યાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. પંતે કહ્યંy છે કે દિલ્હીમાં હું મોટો થયો છું. અહીં 6 વર્ષ પહેલા આઇપીએલની યાત્રા શરૂ કરી હતી. હવે આ ટીમનો કેપ્ટન બનવું સપના જેવું લાગી રહ્યંy છે. ઋષભ પંતનું હાલમાં ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન રહ્યંy છે. જેનું તેને આ ઈનામ મળ્યું છે. આઇપીએલ-14માં દિલ્હી કેપિટલ્સ તેના અભિયાનની શરૂઆત 16 એપ્રિલે ચેન્નાઇ સામે રમીને કરશે. દિલ્હીના સુકાનીની રેસમાં સ્ટીવન સ્મિથ અને આર. અશ્વિન પણ હતા.

March 27, 2021
Sachin-Tendulkar.jpg
1min543

ભારતના વિશ્વ વિખ્યાત ક્રિકેટર સચિન તેંદુલકરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે.

સચિન તેંદુલકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માઇલ્ડ સિન્ટમ્સ સાથે તેઓ કોરોના પોઝીટીવ છે અને સાવચેતીપૂર્વક તકેદારી રાખી રહ્યા છે.

March 26, 2021
indiavsengland.jpg
1min506
India vs England ODI series 2021: Fixtures, Time-Table, Squads, Broadcast &  Live Streaming Details

સૂર્યકુમાર યાદવને શુક્રવારે ઇંગ્લેન્ડ વિરૂધ્ધના બીજા વન ડે મેચમાં ભારતીય ઇલેવનમાં મોકો મળવાની પૂરી સંભાવના હશે. જ્યારે ટીમ ઇન્ડિયાની નજર આ મેચમાં જીત હાંસલ કરીને શ્રેણી 2-0ની અતૂટ સરસાઇ સાથે કબજે કરવા પર રહેશે. બીજી તરફ ઇંગ્લેન્ડ માટે શ્રેણીમાં જીવંત રહેવા માટે બીજો વન ડે મુકાબલો કરો યા મરો સમાન બની રહેશે. શ્રેયસ અય્યર ખભાને ઇજાને લીધે સિરીઝ બહાર થઇ ગયો છે. આથી ફોકસ સૂર્યકુમારના વન ડે ક્રિકેટમાં પદાર્પણ પર રહેશે. તેણે ટી-20માં શાનદાર ડેબ્યૂ કરીને તેનો દાવો સધ્ધર કર્યોં છે. મેચ શુક્રવારે બપોરે 1-30થી શરૂ થશે.

કોરોના મહામારી પહેલા શ્રેયસ અય્યર વન ડે ફોર્મેટનો મહત્ત્વનો ખેલાડી હતો, પણ હવે ભારતની બેંચ સ્ટ્રેંથ એટલી મજબૂત છે કે નવોદિત ખેલાડી પણ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને ખતરનાક લાગી રહ્યા છે. આથી ટીમ મેનેજમેન્ટ માટે પસંદગીની દુવિધા છે. સ્ટાર રવીન્દ્ર જાડેજા ત્રણ મહિનાથી ટીમ બહાર છે, પણ અક્ષર પટેલે ટેસ્ટમાં અને કુણાલ પંડયાએ તેની ખોટ મહેસૂસ થવા દીધી નથી. જયારે આઇપીએલથી મશહૂર બનેલા મીડિયમ પેસર પ્રસિધ્ધ કૃષ્ણાએ વન ડે પદાર્પણ સાથે 4 વિકેટ લઇને ટીમ ઇન્ડિયામાં શાનદાર એન્ટ્રી કરી છે.

ભારત માટે રાહતની વાત એ છે કે શિખર ધવન અને કેએલ રાહુલે ફોર્મમાં વાપસી કરી લીધી છે. ધવને 98 અને રાહુલે અણનમ 62 રનની ઇનિંગ રમીને ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. રોહિત શર્માને પહેલા મેચમાં કોણીની ઇજા થઇ છે, પણ તે ફિટ થઇ જશે તેવી આશા છે. જો રોહિતને બ્રેક અપાશે તો ધવન સાથે યુવા શુભમન ગિલને દાવનો પ્રારંભ કરવાનો મોકો પ્રાપ્ત થશે. ચાઇનામેન બોલર કુલદિપ યાદવે પહેલા મેચમાં 9 ઓવરમાં 68 રન આપ્યા હતા. તેના સ્થાને યજુર્વેન્દ્ર ચહલને તકની પ્રબળ સંભાવના છે. ભુવનેશ્વર-શાર્દુલ-કૃષ્ણાની ત્રિપુટીએ 10માંથી 9 વિકેટ લીધી હતી. આથી આ કોમ્બીનેશનમાં પ્રયોગનો કોઇ અવકાશ નથી. નટરાજન અને સિરાઝમાંથી કોઇ એકને શ્રેણી જીત બાદ આખરી મેચમાં મોકો મળી શકે છે.
બીજી તરફ ઇંગ્લેન્ડનો ઇરાદો શ્રેણી જીવંત રાખવાનો રહેશે.

કપ્તાન ઇયોન મોર્ગન અને સેમ બિલિંગ્સ ઇજાગ્રસ્ત છે. આથી બન્નેનું રમવું શંકાસ્પદ છે. પહેલા મેચમાં બેયરસ્ટો અને રોયની ઓપનિંગ જોડીએ ધસમસતી શરૂઆત આપી હતી, પણ બાદમાં સમયાંતર વિકેટો પડવાથી ઇંગ્લેન્ડની ટીમ 66 રને હારી હતી. ઇંગ્લેન્ડે બીજા વન ડેમાં મોટો સ્કોર કરવા માટે બટલર, સ્ટોકસ અને મોઇન અલીએ પાસેથી મોટી ઇનિંગ નીકળે તેવી આશા રાખવી પડશે. જોફ્રા આર્ચરની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડની પેસ બેટરી ઢીલી પડી છે. જેનો ફાયદો વન ડે શ્રેણીમાં ભારતને મળી રહ્યો છે.

March 21, 2021
india_won.jpg
1min470
India vs England: India outplay England in high-scoring 5th T20I to seal  series 3-2 | Cricket News - Times of India

અમદાવાદમાં રમાય રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી20 શ્રેણીમાં બન્ને ટીમ 2-2થી બરાબરીએ રહ્યા બાદ આજે શ્રેણીને નામે કરવા માટે બન્ને ટીમ મેદાનમાં ઉતરી હતી. જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની આતશી ઈનિંગથી ભારતે 224 રનનો સ્કોર ઉભા’ કર્યા બાદ લક્ષ્યાંકને પાર પાડવામાં ઈંગ્લેન્ડની ટીમ નિષ્ફળ સાબિત થઈ હતી અને ભારતનો 36 રને વિજય થયો હતો. મેચમાં એક સમયે ઈંગ્લેન્ડની સ્થિતિ પણ મજબુત બની ગઈ હતી અને તોફાની બેટિંગથી ભારતના હાથમાંથી બાજી ફસકી રહી હોય તેવો માહોલ બન્યો હતો. જો કે 13મી ઓવરમાં બટલરની વિકેટ પડયા બાદ ઈંગ્લેન્ડની ટીમના હાથમાંથી બાજી ધીરે ધીરે સરકી હતી. મેચમાં ભુવનેશ્વર કુમારને બે અને ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડયા અને નટરાજનને એક એક વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી બટલરે 52 અને મલાને 68 રન કરીને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાકીના કોઈ બેટ્સમેન સફળ ન રહેતા હારનો સામનો કરવો પડયો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના નિર્ણાયક પાંચમા ટી20 મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતની શરૂઆત ખુબ જ મજબુત રહી હતી અને રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઉતરેલા કોહલીએ સાથે મળીને સારી શરૂઆત અપાવી હતી. રોહિત શર્માએ શરૂઆતથી જ આક્રમણ વલણ અપનાવતા તાબડતોડ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ કોહલીએ એક છેડેથી રન ઉમેરવાનું ચાલુ રાખ્યું હતું. રોહિત શર્મા 64 રનના અંગત સ્કોરે સ્ટોક્સની બોલિંગમાં આઉટ થયો હતો. રોહિતે પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. આ સમયે ભારતનો સ્કોર 8.6 ઓવરમાં 94 રન હતો. ત્યારબાદ વન ડાઉન આવેલા સુર્યકુમાર યાદવે પણ આક્રમણ વલણ યથાવત રાખ્યું હતું અને માત્ર 17 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 32 રન કર્યા હતા. સુર્યકુમાર યાદવને આદિલ રાશિદે આઉટ કર્યો હતો.

‘આ દરમિયાન કોહલીએ પણ કેપ્ટન ઈનિંગ રમતા શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. અંતિમ ઓવરોમાં હાર્દિક પંડયા અને કોહલીએ સાથે મળીને ભારતનો સ્કોર 20 ઓવરમાં 2 વેકેટ 224 રન સુધી પહોંચાડયો હતો. વિરાટ કોહલી 52 બોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 80 રન અને હાર્દિક પંડયા 17 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 39 રન કરીને નોટઆઉટ રહ્યા હતા. ભારતીય બેટ્સમેનો દરેક બાબતમાં ઈંગ્લેન્ડના બોલરો ઉપર ભારે રહ્યા હતા અને ઈંગ્લેન્ડના બોલરોને વિકેટ માટે ખુબ જ મહેનત કરવી પડી હતી. જો કે ભારતને વિશાળ સ્કોર કરતા રોકવામાં સફળતા મળી નહોતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડન સૌથી વધારે ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 57 રન આપ્યા હતા.

March 20, 2021
indiavsenglandt20.jpg
1min418

ભારતીય ટીમ આજરોજ તા.૨૦મી માર્ચને શનિવારે અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે અંતિમ T-20 મેચ સાથે આગામી વર્લ્ડ કપ T-20 પહેલાની અંતિમ મેચ પણ ભારત રમશે. હાલ પાંચ મેચની શૃંખલા 2-2ની બરાબરી પર ચાલી રહી છે. દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ગેરહાજરીમાં મેચ શનિવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.

ટીમ ઇન્ડિયા શ્રેણી જીતીને આગામી ટી-20 વર્લ્ડ કપનો વિજયી મંચ તૈયાર કરવા અને તેની તરફ મજબૂત રીતે આગેકૂચ કરવાનું’ લક્ષ્ય રાખે છે. ભારતીય ટીમે આ શ્રેણી દરમિયામ નીડર અને સાહસિક રવૈયો અપનાવ્યો છે. પાંચમા મેચનું પરિણામ જે પણ હોય, પણ વિશ્વ કપની તૈયારી સાચી દીશામાં આગળ વધી રહી છે તેવું કહી શકાય. શ્રેણી દરમિયાન કોહલીની ટીમને ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવના રૂપમાં બે હુકમના એક્કા મળી ગયા છે. જો કે આ શ્રેણીમાં રોહિત અને રાહુલ જેવા અનુભવી ખેલાડીઓના નબળા પ્રદર્શનથી ટીમની ચિંતા જરૂર વધી છે.

બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ જે પાછલા ત્રણ વર્ષથી એક પણ ટી-20 શ્રેણી હારી નથી. તે પણ વર્લ્ડ કપને ધ્યાને રાખીને આગળ વધી રહી છે. તેનો ઇરાદો આખરી મેચમાં આક્રમક બેટિંગ અને ઝડપી બોલિંગ આક્રમણથી ટીમ ઇન્ડિયાની ભીંસમાં લેવાનો રહેશે. ઇંગ્લેન્ડના બે ઝડપી બોલર આર્ચર અને વૂડ શાનદાર ફોર્મમાં છે. જે નિર્ણાયક ટી-20 મેચમાં ભારતીય બેટધરો પર ભારે પડી શકે છે. જો કે તેને ક્રિસ જોર્ડન તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો નથી. બેટિંગમાં બટલર અને મલાનમાં નિરંતરતાનો અભાવ ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપ પહેલા રેડ સિગ્નલ જેવો છે.

ભારતીય ટીમની તેના સ્ટાર બેટસમેન રોહિત શર્મા પાસેથી એક સારી ઇનિંગની આશા રહેશે. કેએલ રાહુલને વિશ્રામ મળી શકે છે. તે સતત નિષ્ફળ રહ્યો છે. તેના સ્થાને યુવા ઇશન કિશનની વાપસી શકય છે. ઓલરાઉન્ડરના રૂપમાં હાર્દિકે પાછલા મેચમાં અસરકારક બોલિંગ પ્રદર્શન કર્યું છે, પણ તે હજુ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જેવો બેટિંગ ફોર્મમાં હતો તેવો આ શ્રેણીમાં હજુ સુધી જોવા મળ્યો નથી. નિર્ણાયક મેચમાં ટીમ મેનેજમેન્ટ અનુભવી શિખર ધવન પર ભરોસો મુકે છે કે નહીં તે પણ જોવું રહ્યંy. તે પહેલા મેચ પછીથી ઇલેવનની બહાર છે.

ઇંગ્લેન્ડે અંતિમ ટી-20 શ્રેણી જુલાઇ 2018માં ભારત સામે જ ગુમાવી હતી. આ પછીથી પાછલી 8 સિરીઝમાં ઇંગ્લેન્ડે સાત જીતી છે અને એક ડ્રો રહી છે. ઇંગ્લેન્ડ હવે ભારતને તેની સરજમીં પર ટી-20માં હાર આપવા માંગે છે. ટીમના કેપ્ટન મોર્ગને કહ્યંy છે કે અમે દબાણભર્યા મેચ રમવા માંગીએ છીએ. જેથી વિશ્વ કપની તૈયારી થઇ શકે. વિદેશી ધરતી પર ટી-20 શ્રેણી જીતવી શાનદાર બની રહેશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 18 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાયા છે. જેમાં બન્ને બળિયા બરાબરી પર છે. ભારત અને ઇંગ્લેન્ડ બન્નેના નામે 9-9 જીત છે. ભારતની ધરતી પર બન્ને વચ્ચે 10 ટી-20 ટક્કર થઇ છે. જેમાં પણ બન્ને પ-પ વિજય સાથે સમતોલ છે.

March 18, 2021
ritika_phoghat.jpg
1min449
Babita Phogat cousin Ritika commits suicide after losing wrestling match |Ritika  Phogat Suicide: पहलवान Babita और Geeta Phogat की बहन रितिका ने की  आत्महत्या, जानिए क्या थी वजह | Hindi News

ભારતની સ્ટાર રેસલર બબીતા ફોગાટ અને ગીતા ફોગાટની પિતરાઇ બહેન રિતિકા ફોગાટે કુશ્તી સ્પર્ધામાં મેચ હારી જતાં આત્મહત્યા કરી લીધી છે. રિતિકાએ કુશ્તીની ફાઇનલ મેચમાં મેળલી હાર સહન ન થતાં ગંભીર પગલુ ઉઠાવી લીધુ હતું, પિતરાઇ બહેનને આત્મહત્યા કરી લેવાના કારણે ગીતા ફોગાટે દુખની લાગણી વ્યક્ત કરી હતી. ગીતા ફોગાટે પ્રતિક્રિયા આપતાં કહ્યુ હતું કે, હાર અને જીત જીવનનો ભાગ હોય છે. કોઇપણ ખેલાડીએ આવુ પગલુ ન લેવું જોઇએ.

ગીતા ફોગાટે ટ્વીટર પર લખ્યું હતું કે ભગવાન મારી નાની બહેન અને મારા મામાની દિકરી રિતિકાની આત્માને શાંતિ આપે. મારા પરિવાર માટે દુખનો સમય છે. રિતિકા પ્રભાવશાળી રેસલર હતી. હાર અને જીત ખેલાડીના જીવનનો હિસ્સો હોય છે, આપણે આવુ પગલુ ન લેવુ જોઇએ.

17 વર્ષની રિતિકા ફોગાટે રાજસ્થાનના ભરતપુરમા લોહાગઢ સ્ટેડિયમમાં આયોજીત સ્ટેટ લેવલ સબ જૂનિયર ટૂર્નામેન્ટમાં હિસ્સો લીધો હતો. સ્પર્ધાની ફાઇનલ મેચમાં પહોંચ્યા બાદરિતિકા માત્ર એક અંકથી મેચ હારી ગઇ હતી અને આ હારથી નિરાશ થઇ તેણે ફાંસી લગાવી લીધી હતી.

માહિતી મુજબ રિતિકાએ બુધવારની રાતે આશરે 11 વાગે પોતાને ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. રિતિકાએ પોતાના ફુઆ અને ગીતા-બબીતાના પિતા મહાવીર ફોગાટ પાસેથી કુશ્તીની તાલીમ મેળવી હતી. રિતિકાની ફાઇનલ મેચ દરમિયાન મહાવીર ફોગાટ હાજર હતા.

March 12, 2021
indiavsenglandt20.jpg
1min480

ટીમ ઈન્ડિયા સામે હવે ટી20 ચેલેન્જ છે. ઈંગ્લેન્ડ સામે પાંચ ટી20 ઈન્ટરનેશનલ મેચની શ્રેણીનો પહેલો મુકાબલો શુક્રવારે રમાશે. ભારતીય ટીમની નજર શ્રેણી જીતવા ઉપરાંત ભારતમાં જ આયોજીત ટી20 વર્લ્ડકપ માટે પરફેક્ટ સંયોજન શોધવા ઉપર રહેશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

કેપ્ટન વિરાટ કોહલીનું મુખ્ય લક્ષ્ય શ્રેણી મારફતે ઓક્ટોબરમાં થનારા વિશ્વકપ માટે ખેલાડીઓને પસંદ કરવા ઉપર રહેશે. ભારતીય કેપ્ટન આ માટે ઈયોન મોર્ગનની આગેવાનીની દુનિયાની નંબર 1 ટી20 ટીમથી વધારે સારા પ્રતિદ્વંદ્વીની આશા કરી શકે નહી.

શ્રેણી દરમિયાન સપાટ પીચ ઉપર ખૂબ રન બનવાની સંભાવના છે. તેવામાં ભારતીય બોલરો માટે સ્થિતિ સરળ નહી રહે. ઈંગ્લેન્ડના આક્રમક વિકેટકીપર જોશ બટલરે કહ્યું હતું કે, ઈંગ્લેન્ડ માટે આ શાનદાર તક છે કે અલગ પરિસ્થિતિમાં રમવાનો મોકો મળી રહ્યો છે અને જ્યાં વિશ્વકપ પણ રમાવાનો છે.

ભારત પાસે દરેક સ્થળ માટે અલગ અલગ વિકલ્પ છે અને તેવામાં આ કેપ્ટન માટે સારો માહોલ છે. જો કે ઘણી વખત મુશ્કેલ સ્થિતિ પણ બની શકે છે. જેમ કે 2019માં ટૂર્નામેન્ટમાં ભારત પાસે નિયમિત રૂપે ચોથા ક્રમાંકનો બેટ્સમેન નહોતો.

અનુભવને ધ્યાને લઈને કોહલી અને મુખ્ય કોચ રવિ શાત્રી ઈચ્છશે કે તેઓ નિર્ણય કરે કે વિશ્વકપમાં રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કોણ કરશે. તેમની પાસે કેએલ રાહુલ અને શિખર ધવનના રૂપમાં બે વિકલ્પ છે.

સામાન્ય રીતે સીમિત ઓવરના અંતિમ ઈલેવનમાં રાહુલની પસંદગી લગભગ નક્કી છે. પરંતુ વૈશ્વિક પ્રતિયોગિતામાં શિખર ધવને હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટીમના સૌથી સીનિયર ખેલાડીઓમાંથી એક છે. કોહલી જો ધવનને તક આપવાનો નિર્ણય કરશે તો રાહુલને ચોથા ક્રમાંકે ઉતરવું પડશે.

આ મુશ્કેલ નિર્ણય છે જે કોહલીએ લેવાનો છે. કારણ કે બન્ને રમશે તો શ્રેયસ અય્યર અથવા આકરી મહેનત બાદ ટીમમાં જગ્યા મેળવનારા સૂર્યકુમાર યાદવને બહાર બેસવું પડશે. શ્રેયસ અને સૂર્યકુમાર ચોથા કે પાંચમા ક્રમાંકે આક્રમક બેટિંગ કરે છે.’ ટીમ પ્રબંધન તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.

મોટેરા પીચ નિશ્ચિત રીતે સપાટ રહેશે. બન્ને ટીમમાં ઘણા આક્રમક બેટ્સમેન છે અને તેવામાં દર્શકોને ઢગલાબંધ બાઉન્ડ્રી જોવા મળી શકે છે.

ભારત પાસે ઉપકેપ્ટન રોહિત ઉપરાંત ઋષભ પંત અને હાર્દિક પંડયા જેવા તોફાની બેટ્સમેન છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાં ઈયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ડેવિડ મલાન અને જેસન રોય જેવા આક્રમક બેટ્સમેન છે.

ટી નટરાજન ઉપલબ્ધ ન હોવાથી બોલિંગ આક્રમણની આગેવાની વાપસી કરનારો ભૂવનેશ્વર કુમાર કરશે. જ્યારે સીનિયર સ્પિનર યુજવેન્દ્ર ચહલ તેનો સાથ આપશે. ચહલને વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ બન્નેનો સાથ મળી શકે છે. ત્યારબાદ શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને નવદીપ સૈનિમાંથી કોઈ એકને તક મળશે.

March 9, 2021
wtc_final.jpg
1min482

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)નો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારો ફાઇનલ મેચ લોર્ડસના મેદાન પર નહીં, પણ સાઉથમ્પટનના એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ જાણકારી આજે બીસીસીઆઇના ઉપપ્રમુખ રાજીવ શુકલાએ આપી છે. લંડનમાં કોવિડ-19ના વધતા કેસને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી જૂનમાં 18થી 22 દરમિયાન રમાનાર ડબ્લ્યૂટીએનો ફાઇનલ મેચ લોર્ડસના બદલે સાઉથમ્પટનના સ્ટેડિયમમાં રમાશે.

ભારતે હાલમાં જ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 3-1ની જીતથી ફાઇનલમાં પ્રવેશ કર્યોં છે. અમદાવાદના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા ત્રીજા અને ચોથા ટેસ્ટ મેચમાં અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની ફિરકીથી ભારતનો ઇંગ્લેન્ડ વિરૂધ્ધ બે અને ત્રણ દિવસમાં જ વિજય થયો હતો.