CIA ALERT

યંગિસ્તાન Archives - Page 32 of 37 - CIA Live

February 4, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5650

રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિવસે દિવસે કથળી રહ્યું છે. જેનું ઉદાહરણ રાજ્યમાં વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી રહેલી બેઠકો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્ષની ૯૦ ટકાથી લઈ ૩૫ ટકા સુઘી બેઠકો ખાલી રહી છે.

  • એન્જિનિયરિંગ, ફાર્મસી,એમબીએ-એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની ૨૨૨૬૬૭ જેટલી સીટો
  • ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માંડ ૧૦૯૭૨૪ જેટલી બેઠકો જ ભરાઈ
  • ડિગ્રી એન્જિનિયરિંગની ૬૩૮૪૬ સીટોમાંથી ૩૦૫૨૧ સીટો ભરાઈ
  • એમસીએની ૪૭૩૨ સીટોમાંથી માત્ર ૫૮૯ સીટો ભરાઈ
  • રાજ્યમાં એન્જિનિયરિંગ, ફાર્મસી,એમબીએ-એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની ૨૨૨૬૬૭ જેટલી સીટો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૨૨૨૬૬૭ માંથી માંડ ૧૦૯૭૨૪ જેટલી બેઠકો જ ભરાઈ છે. જ્યારે ૧લાખ ૧૨ હજાર ૯૪૩ બેઠકો ખાલી રહી છે. આમ પ્રોફેશનલ કોર્ષની ઓવર રોલ ૪૯ ટકા બેઠકો જ ભરાઈ છે જ્યારે ૫૧ ટકા બેઠકો ખાલી છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી અને ટેક્નિકલ શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓને પીપીપી ધોરણે ડીગ્રી-ડીપ્લોમા, ઈજનેરી કોલેજો ખોલવા માટે વાર્તાલાપ થાય. સરકારી બેઠકોમાં વધારો ન કરી સરકાર પીપીપી ધોરણે ઉદ્યોગપતિઓને હવાલે ટેક્નિકલ શિક્ષણ સોંપવા જઈ રહી છે.

રાજ્યમાં ટેક્નિકલ શિક્ષણની સતત અધોગતિ અને અવદશા માટે અપૂરતા અધ્યાપકો, લેબોરેટરી, લાયબ્રેરી સહિતની સુવિધાનો અભાવ, ફી ના અતિ ઊંચા ધોરણો, રોજગારની સતત ઘટતી જતી તકો અને દિશાવિહીન શિક્ષણ વિભાગ જવાબદાર હોવાનો આક્ષેપ કરતા દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગની ૬૩૮૪૬ સીટોમાંથી ૩૦૫૨૧ સીટો ભરાઈ છે. એટલે કે ૪૭ ટકા બેઠકો ભરાઈ છે જ્યારે ૫૩ ટકા સીટો ખાલી રહી છે. તો એમસીએની ૪૭૩૨ સીટોમાંથી માત્ર ૫૮૯ સીટો ભરાઈ છે..એટલે કે એમસીએની ૧૨ ટકા જ સીટો ભરાઈ છે જ્યારે ૮૮ ટકા સીટો ખાલી રહી છે. ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગની ૨૭ ટકા સીટો ભરાઈ છે જ્યારે ૭૩ ટકા સીટો ખાલી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી સીટોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં પ્રોફેશનલ કોર્ષની કોલેજો બંધ થતાં દર વર્ષે સીટોમાં ઘટાડો થઈ રહ્યો છે અને ખાલી સીટોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં પ્રોફેશનલ કોર્ષની સ્થિતિ સાવ ખાડે ગઈ છે. એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતના કોર્ષની ૬૦ ટકાથી ૯૦ ટકા બેઠકો ખાલી રહી છે. એક તરફ હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળતો જ્યારે બીજી તરફ મોટા પ્રમાણમાં વિવિધ અભ્યાસક્રમની બેઠકો ખાલી છે.

January 30, 2019
modisurat-1280x796.jpeg
1min14960

સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં ફોરેન સ્ટાઇલમાં મોદીની સભા યોજાઇ, મોદીએ કહ્યું હું થાકતો નથી. જે લોકો સ્ટેડીયમમાં નથી આવી શક્યા તેમની માફી માગું છું. દેશનો નવ જવાન દેશનું ભવિષ્ય છે. આજરોજ તા.30મી જાન્યુઆરી 2019ના રોજ સુરતના શ્રોતાઓથી ખચાખચ ભરાયેલા ઇન્ડોર સ્ટેડીયમમાં સી.એ, વકીલો, તબીબો, વ્યાપારીઓ, વ્યવસાયિકો, કોલેજીયન્સ વગેરેની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ 2019ની ચૂંટણી માટે જબરદસ્ત માર્કેટિંગ કર્યું હતું. તેમણે યંગસ્ટર્સ અને નવા વોટર્સને નમો એપ ડાઉનલોડ કરીને તેમને ગમતી, સારી બાબતોને નેટ પર શેર કરવા માટે પણ આહવાન કર્યું હતું.

સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં મોડી સાંજે સુરતના બુદ્ધીજીવીઓ સાથે ભારતના નરેન્દ્ર મોદીનો વાર્તાલાપ યોજાયો હતો. જે અક્ષરશઃ અત્રે પ્રસ્તુત છે.

દેશ ઝડપી ગતિએ બદલાય રહ્યો છે. આશાઓ અને અપેક્ષા સાથે 2014માં તમે મને દેશની જવાબદારી સોંપી હતી. ગુજરાતના લોકો મને મારા કામને જાણતા હતા, પણ હિન્દુસ્તાન માટે હું નવો હતો, પણ દેશે મારા પર ભરોસો કર્યો, ગુજરાતીઓએ દેશને જણાવ્યું. આજે વિકાસના કામોની વાત ચર્ચાય રહી છે. દુનિયામાં ભારતનો નકશો બદલાવા અંગે છાપ પડી રહી છે. કારણ મોદી નથી, કારણ મતદારોનો એક મત છે. તમને હવે ખબર પડી રહી છે કે તમારા વોટની તાકાત શું છે. તમારા એક મતએ 5 વર્ષ મને કામ કરવાનું બળ આપ્યું, તમારા એક મતે મને દિવસ રાત જાગીને તમારા માટે કંઇક કરવાની પ્રેરણા આપે છે. સુરત વ્યાપારીઓની ભૂમી છે, તમને લાગતું હશે કે તમે 2014માં જે વાવ્યું હતું તેનું ફળ મળ્યું હશે અને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળ્યું હશે.

2014ના દિવસોમાં દેશમાં નિરાશા વ્યાપી હતી, દેશ નહીં બચે એવી ચર્ચાઓ ચાલતી હતી. આજે વાતાવરણ બદલાય જવા પામ્યું છે. દેશમાં આશાઓ વિશ્વાસમાં પલટાય અને આ વિશ્વાસ હિન્દુસ્તાનને બહું જ આગળ વધારવા માટે કાફી છે. કેટલાક લોકોનો સ્વભાવ છે રોયા કરવાનો, મારો રોવામાં વિશ્વાસ નથી કે રોવડાવવામાં વિશ્વાસ નથી, પણ મને આગળ ધપવામાં વિશ્વાસ છે. દેશ ચાલી નીકળ્યો છે, દરેક નવા સપનાઓ સાથે આગળ આવ્યા છે. લોકો મને પૂછે છે તમે કામો તો બહું જ કર્યા, દરેક ક્ષેત્રમાં કામ કર્યા પણ તમે લોકોમાં એટલી આશાઓ જગાડી, અપેક્ષાઓ જગાડી તેને તમે પૂરા નહીં કરી શકો. નિરાશાની જગ્યાએ આશા પેદા કરવાની વાત સારી છે. નવી આકાંક્ષા જોવી સારું છે કે ખરાબ છે. આપણને ગર્વ હોવો જોઇએ કે દેશમાં એવી સરકાર કામ કરી રહી છે જેનું કામ જોઇને લોકો કહી રહ્યા છે કે મોદીજી કંઇક કરી શકતા હોય તો બીજું કોઇપણ કરી શક્શે.

આ જ તાકાત છે જે દેશને આગળ વધારે છે. સ્વચ્છતાનો વિષય દેશે સ્વીકારી લીધો છે, પહેલાના ભારતની કલ્પના કરી છે, બે શબ્દો ભારતની ઓળખ બન્યા હતા, કોઇપણ કામ લઇને જાવ તો મારું શું અને બીજો શબ્દ મારે શું. આ બન્ને વૃત્તિઓ સામે લડાઇ લડી છે, જેનુ પરીણામ છે સબકા સાથ સબકા વિકાસ.

પ્રશ્ન નં. 1 ફેનિલ પરીખ

હું કમ્પ્યુટર એન્જિનિયર છું, પહેલા માનસિકતા હતી, આ દેશનું કશું નહીં થાય, પણ હવે દેખઆય રહ્યું છે કે બદલાવ થઇ રહ્યો છું. મારે જાણવું છે કે આ બદલાવ કેવી રીતે થયો

જવાબ

તમે બદલાવને અનુભવો છે એ માટે ધન્યવાદ. એ વાત સાચી છે કે સૌથી પહેલું જો કોઇ કામ કર્યું હોય અમે તો એ 2004થી 2014 કે જ્યારે રિમોટ વાળી સરકાર ચાલતી હતી એ સમયના હાલત એ હતી કે દરેકે માની લીધું હતું કે ખેલ ખતમ છે. અમે નકારાત્મક માનસિકતા ને જ ખતમ કરી દીધી છે. 2014 સુધીના અખબારો વાંચી જુઓ, પહેલા ગોટાળાઓ, કૌભાંડો જ દેખાતા, આજે 2014 પછી છાપાઓની હેડલાઇન બદલાય કે નહીં..એક નાનુ ઉદાહરણ એ છે કે 26 સપ્ટેમ્બરની ઘટના..મુંબઇમાં આતંકી હુમલો, પછી શું થયું…એ પછી અમારી સરકાર દરમિયાન ઉરી ઘટના બની, ઉરીની ઘટના પછી શું થયું એ તમે જાણો છો, મુંબઇમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા પણ સરકાર ઉંઘતી હતી, પણ ઉરની ઘટનાએ મને ઉંઘવા દીધો નહીં. જવાનોની શહાદત અમારા માટે પવિત્ર હતી. અને એમાંથી જ અંદરની આગ હતી કે જે આગ જવાનના દિલમાં હતી, એ જ આગ પ્રધાનમંત્રીના દિલમાં ભભૂકતી હતી. તેનું જ પરીણામ હતું , સર્જિકલ સ્ટ્રાઇક. બદલાવ આવી રીતે આવે છે. કોઇ કલ્પના કરી શકે કે કાળા નાણાં સામે કોઇ આટલી મોટી લડાઇ લડશે. બધાને હતું કે નેતા આવે છે અને પોતાનું સેટ કરી લે છે, પણ આ (હું) એવો નેતા છે જે સેટ તો થતો નથી પણ બીજાને અપસેટ કરી મૂકે છે. 3 લાખ બેનામી કંપનીઓને બંધ કરાવી દીધી, પાપમાં ડૂબેલા લોકોને ચૂં પણ બોલવા દીધી નથી. દેશ હિતમાં અંગત સ્વાર્થ ન હોય તો મોટા નિર્ણય થઇ શકે.

કલ્પના કોઇ કરી શકે છે કે હિન્દુસ્તાનમાં રોજ આંતકીઓને મારી રહ્યા છે. જવાનો શહીદ થાય છે પણ આતંકીઓ તેનાથી વધારે સફાયો થતો હતો. એ સમયે બોંબ ધડાકાઓ થતા હતા, મારા સાડાચાર વર્ષની સરકારમાં કશું થયું નથી. બધું કશ્મીરમાં સીમીત થઇ ગયું. બદલાયો કે નહીં જમાનો.

મુદ્રા યોજના હેઠળ બેકના દરવાજો ખટખટાવો એટલે જામીન વિના ધિરાણ મળે છે, આ દેશમાં બળાત્કાર પહેલા પણ થતો હતો, આજે ત્રણ દિવસમાં બળાત્કારીઓને તત્કાલ ફાંસી મળી જાય છે. બેટીઓને બચાવવા માટે મોટા નિર્ણયો લેવાય છે. ટીવી પર બળાત્કાર 7 દિવસ ચાલે પણ ફાંસીની સજાની ખબર ફટાફટ નીકળી જાય છે. ફાંસીની સજાની ખબર ફેલાવવી જોઇએ જેથી બીજા બળાત્કારની સજાથી ફફડીને આવું દૃષ્કૃત્ય ન કરે.

દેશ બદલાય રહ્યો છે, આપણો સ્વભાવ છે કે બસ, ટ્રેન, પ્લેનમાં બાજુની સીટ ખાલી પડે એટલે આપણે સામાન મૂકી દઇએ છીએ. પણ જ્યારે સીટવાળો આવે ત્યારે અમારે ચીજવસ્તુઓ પાછી લેવી પડે છે ત્યારે મોઢું પડી જાય છે. આપણી સીટ નથી હોતી છતાં ખરાબ લાગે છે, પણ કેટલાકને આ બદલાવ નથી ગમતો. દેશમાં બદલાવ આવ્યો છે, હકારાત્મક બદલાવ મળ્યો. રેલવેમાં સિનિયર સિટીઝન્સને મળતી રાહત સરન્ડર કરવાનો વિકલ્પ ઉમેરવા માટે વિકલ્પ અપાયો, ત્યારે દેશના 45 લાખ સિનિયર સિટીઝન્સે દેશ હિતમાં પોતાની રાહત આપી દેવાનો વિકલ્પ અપનાવ્યો. આ દર્શાવે છે કે દેશનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. આશાઓ, અપેક્ષાઓને અનુકુળ સરકારની ગતિ, સરકારની મતિ નવી તાકાત આપે છે.

પહેલા એવી માન્યતા હતી કે બધું સરકાર કરે છે, અમે આવીને બદલી નાંખ્યું કે નહીં લોકો જ દેશમાં બધું કરે છે અને દેશ જાતે બધું કરી શકે છે. લોકોના ભરોસે સરકાર દેશને આગળ વધારી રહી છે. એક મોદી નથી, સવાસો કરોડ મોદી છે જે દેશ બદલે છે.

પ્રશ્ન નં.2 ડો. નિશિલ શાહ

ભારતના નાગરિક હોવાનો ગર્વ છે. 2019માં મહાગઠબંધન બનાવે છે ત્યારે કોંગ્રેસ મુક્ત ભારત વિશે શું કહેશો

જવાબ

તમે સાચું કહ્યું કે તમે સામાન્ય પરિવારમાંથી આવો છે, આટલી મોટી લડાઇ કેવી રીતે લડી રહ્યા છો, હું એટલે લડું છું કેમકે હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છે. જો હું પણ અમીર પરિવારમાંથી આવ્યો હોત તો મને પણ ડર હોત કે મારા પણ રહસ્યો ખુલ્લા પડી ગયા હશે. પણ મને ડર નથી મારું જીવન ખુલ્લી કિતાબ જેવું છે.14 વર્ષ ગુજરાતમાં કામ કર્યું વિરોધીઓએ કોઇ આંગળી પણ ઉઠાવી શક્યા નથી. ક્યારેય ડર નથી લાગતો. દેશ સમસ્યાઓની જડમાં ભ્રષ્ટાચાર ઉધઇની જેમ ઘૂસીને બધી વ્યવસ્થાઓ ખોરવી નાંખી હતી. હવે કોઇએ તો શરૂઆત કરવી પડે કે નહીં. મારી આત્મા કહી રહી હતી કે ક્યાંકથી તો શરૂ કરવું પડશે, અને મારે ઉપરથી શરૂ કરવું પડ્યું. ઉપર (ધનિક વર્ગ) ઠીક થઇ જશે એટલે બાકી બધું ભમાભમ થવા માંડશે. તમે જોયું જેની ચાર-ચાર પેઢીઓ, જેમનું નામ લેતા જ દેશ ધ્રુજી ઉઠતો હતો, દેશને 18 મહિનો જેલખાનું બનાવી દીધો હતો. 4-4 પેઢી ભારત પર રાજ કરનારાઓને એક ચા વાળો ચૂનોતી આપી રહ્યો છે, લોકોને આ પ્રશ્ન થઇ રહ્યો છે. તમને ખબર છે ને, કોઇએ વિચાર્યું હશે કે તેમના સાગરિતો કોર્ટના ચક્કર કાપી રહ્યા છે, બધા જાણી લે કે તેમણે એક દિવસ જેલ જવું પડશે. દેશનું જેમણે લૂંટ્યું છે એમણે દેશને પાછું આપવુ જ પડશે. પહેલા પણ બેઇમાની કરીને લોકો દેશ છોડીને ભાગ્યા છે કે નહીં, ત્યારે શું થયું. શું કરીએ ભાગી ગયા એવી માનસિકતાથી વિપરીત અમે કાયદા બનાવ્યા, જે ભાગી ગયા છે તેની પાઇ પાઇ જપ્ત કરી લઇશું. જે ભાગી ગયા છે તેઓ પણ આઘાપાછા થઇ રહ્યા છે. 125 કરોડ લોકોના ઉજ્જળ ભવિષ્ય માટે કઠોર નિર્ણય લઇશ. 2019ની ચૂંટણીમાં શું લાગે છે એવા સવાલના જવાબમાં લોકોએ મોદી મોદીના નારા લગાડ્યા હતા. જુઓ જનતા જનાર્દન ઇશ્વરનું સ્વરૂપ હોય છે. 2019માં અમારી સામે કસોટી છે, એક દળ કે એક પક્ષના રૂપમાં કોંગ્રેસ હારી જાય એનાથી માની જવાનું નથી. કોંગ્રેસે જે પરિવારવાદ, જાતીવાદ, વંશવાદ, ભ્રષ્ટાચાર, મેરા-તેરાની બિમારીમાંથી દેશને બહાર કાઢવો જ પડશે. એટલે જ અમે મંત્ર લઇને આવ્યા છે સબકા સાથ સબકા વિકાસ.

પ્રશ્ન નંબર 3 શ્રીમતી ઉર્મિલા બારોટ,

હું પોલિટીક્સ ફોલો કરી રહી છું, 2014માં જે લોકો તમને હારતા જોવા માંગતા હતા, એ જ લોકો મિડીયા અને પ્રસાર માધ્યમો મારફતે નકારાત્મકતા ફેલાવીને ખોટા મેસેજ પાસ કરી રહ્યા છે, આપણો દેશ વિશ્વગુરુ બની રહ્યો છે, મહાસત્તા બની રહ્યો છે ત્યારે અરાજકતા બંધ થવી જોઇએ. નાગરીકો માટે તમારો શું સંદેશ છે

જવાબ

2013-14ના લોકસભાની ચૂંટણીના સમાચારો જોશો તો ખબર પડશે કે એક ટોળી હતી, ભોળી કે ભલી ટોળી નહીં પણ આ ટોળી એવો પ્રચાર કરી રહી હતી કે ભાજપા મોદીને પીએમ ઘોષિત કરી દેશે એટલે ભાજપા ખતમ. તેમણે એવો પ્રચાર શરૂ કર્યો કે મોદીને ગુજરાત સિવાય કોણ જાણે છે, ફરી એમણે શરૂ કર્યું કે બીજીપીને કુલ મતો જોઇને અંદાજ લગાડ્યો કે પૂર્ણ બહુમત નહીં મળે ભાજપાને. અનેક વાતો ફેલાવવામાં આવી. જનતાના ગળે એમની વાત નહીં પણ જનતાના ગળે મોદી ઉતર્યા.  2014માં જેમણે મોદીના નામનો વિરોધ કર્યો અને કશું હાથ ન લાગ્યું એવા લોકો અપમાન સહન કરતા હશે, એટલે એ લોકો મોદીને નીચા જોવડાવવાનો પ્રયાસ કરશે. આવી નકારાત્મકતાની ચિંતા કર્યા વગર તેનો ઉત્તમ ઉપાય સકારાત્મકતાનો અપનાવીને સાચી, સારી, ખરી વાતો સો વખત કરવી જોઇએ. સારી બાબતો ફેલાવવામાં તેમને કરતા વધુ પ્રયાસ કરવો પડશે. જેમને મારું મોઢું પસંદ નથી, જેમને મારું નામ પસંદ નથી. કેટલાક લોકો એવા છે કે જેને મેં જ પેદા કર્યા છે. એવા લોકો બોલશે કે મોદી બેકાર છે. પહેલા સસ્તા અનાજની દુકાનો હતી, તેમાં સરકાર 30-35 રૂપિયે ખરીદે અને ગરીબને 3-4 રૂપિયામાં આપે. પણ કેટલાક લોકો ગરીબોનું પણ ખાય જતા હતા. 6 કરોડ રેશન કાર્ડ એવા હતા જે લોકો પેદા જ થયા ન હતા, તેવા લોકોના નામ પર અનાજ પહોંચી જતું હતું. આવા 6 કરોડ લોકો જેઓ ભૂતિયા હતા, જેમનું અસ્તિત્વ ન હતું એવા વચેટાઓની દુકાન બંધ થઇ ગઇ. જેના ખિસ્સામાં દર વર્ષે 90 હજાર કરોડ રૂપિયા જતા હતા, મોદીએ તેના પર તાળાબંધી કરી દીધી તો એ લોકો મોદીને પસંદ કરશે ખરા, મોદી તેમને નહીં ગમે. દેશ માટે મારે આવા કામો કરવા જોઈએ કે નહી…મારે મારી ચિંતા છોડીને કોઇ કામ ન કરવા જોઇએ કે નહીં. એટલે જ મેં નકારાત્મકતા છોડીને દેશ હિતમાં પવિત્ર કામો કર્યા છે. તમારા તરફથી પોઝિટીવ પ્રચાર થવો જોઇએ. નમો એપ ડાઉનલોડ કરો, તેના પર તમામ સાચી, સારી અને એક એક મિનિટની જાણકારી ઉપલબ્ધ છે, જે માહિતી ગમે તે તમારા સર્કલ સુધી પહોંચાડો જુઓ પછી બદલાવ જોવાશે.

સવાલ 4 શ્રીમતી વિરાજ દિવાન

તમે અમારા જેવા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છો, અનેક કામો કર્યા છે જેનાથી આવનારી પેઢી આભાર માનશે. એક સી.એ. હોવાના નાતે હું કહેવા માંગું છું કે જીએસટી બેસ્ટ પગલું છે. વોટ બેંકની પરવાહ કીયે બિના કૈસે કર શક્તે હૈ.

જવાબ

125 કરોડ લોકો મારી સાથે છે એટલે હું કરી શકું છું. સમાજ જીવનમાં ભારત આજે એવી અવસ્થામાં છે, આ તક જતી કરવી જોઇએ નહીં. જ્યારે સરકાર બની ત્યારે આપણે અર્થવ્યવસ્થામાં 10મો નંબર હતો, આજે આપણે વિશ્વમાં 6 નંબર પર આવી ગયા છે. 4 વર્ષમાં 10માં નંબરથી 6 નંબર પર પહોંચી ચૂક્યું છે. દુનિયાના સમૃદ્ધ દેશોને પાછળ મૂકી દીધા છે. દુનિયાની અનેક ગૌરવવંતી બાબતો આજે ભારત શ્રેય લઇ રહ્યું છે. પહેલાની સરખામણીમાં દેશમાં 38 ટકા જ રૂરલ સેનિટેશન હતું, આજે 98 ટકા પહોંચી ચૂક્યું છે. દેશમાં અડધા લોકો પાસે જ બેંક અકાઉન્ટ હતા, આજે લગભગ બધા લોકો પાસે બેંક અકાઉન્ટ છે. સમાજે મને અહીંયા ઉંઘવા માટે નથી મોકલ્યો. કાળી મજૂરી કરીશ પણ દેશને પાછળ નહીં પડવા દઉ.

સવાલ નં. 5 શીખા નારંગ

ભારતના વિકાસ માટે કઠોર મહેનત કરી, યોજનાઓથી ભારત દેશનું ભવિષ્ય કેવું જુઓ છો

જવાબ

હું ભારતનું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય જોઇ રહ્યું છે. શાનદાર, જાનદાર ભવિષ્ય જોઇ રહ્યો છું. આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે કે નહીં. અમેરીકા, યુકે. ઓસ્ટ્રેલિયા, કેનેડા સમેત દુનિયામાં ચારો તરફ ભારતના ગૌરવગાન થઇ રહ્યા છે, આટલા ઓછા સમયમાં જો આપણે દુનિયામાં ભારતના અધિકારને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યા એ આજે મળ્યા છે. આંતર રાષ્ટ્રીય યોગા દિવસ આખી દુનિયાએ સ્વીકાર્યો ત્યારે ગર્વ થાય કે નહીં. ઇઝરાયેલ અને પેલેન્સ્ટાઇન ભલે દુશ્મન છે, પણ બન્ને ભારતના દોસ્ત છે કે નહીં. ભારતે પોતાની જગ્યા બનાવી છે, એવી જ રીતે આર્થિક ક્ષેત્ર સમેત દરેકમાં ભારત આગળ છે. સ્ટાર્ટઅપ જે દેશ પાસે 800 મિલિયન યુથ હોય ત્યારે આ યુવાન દેશ પાસે જવાનીની તાકાત, ઉર્જા, ઉંમગ હોય તે દેશ કેવી રીતે પાછળ રહી શકે. આવશ્યકતા હોય ત્યારે અવસર આપવો જોઇએ. દુનિયાની સૌથી ઝડપે ચાલતી મોટી ઇકોનોમીમાં ભારત પહેલો નંબર છે. મારા દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે.

સવાલ નં. 6  આર.જે. વિશ્રુતિ

ટીવી પર જે પોલિટિકલ ડિસ્કશન ચાલતા હોય છે તેનાથી ભારતીય યુવાઓ બહું જ મૂઝાય રહ્યા છે આવા યુથને શું કહેવા માંગશો

જવાબ

આપણું લોકતંત્ર મજબૂત છે, વાઇબ્રન્ટ છે, પણ દેશના રાજનીતિક દળોની માનસિકતા આજે પણ પૂરાણી છે, એટલે સતત વિકાસના મુદ્દા પર ચર્ચા થાય, સામાજિક મુદ્દા પર ચર્ચા થાય તેની જગ્યાએ કમનસીબે અમારા વિરોધીઓ માટે આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી મુશ્કેલ છે, કેમકે પહેલાની સરકાર કરતા મોદીની સરકારે સારું કામ કર્યું છે એટલે તેમના માટે પરેશાની થાય છે. એટલે કમનસીબે જવાબદાર પાર્ટીઓ પણ મુદ્દાઓ પર ચર્ચા કરવા રાજી નથી. તેમનો એક જ મુદ્દો છે મોદી. સવારે ઉઠે એટલે મોદી, મોદી અને રાત્રે પણ ઉંઘતા હશે કે કેમ એ સવાલ છે. તેમના માટે મુદ્દો મોદી છે, મારા માટે મુદ્દો સવાસો કરોડ લોકોના સપના છે., આશા, આકાંક્ષાઓ છે, જે શહેર પાસે સુવિધા છે તે ગામડાઓ સુધી પહોંચાડવાની છે. પહેલા ટીવી, છાપાઓ જે પીરસી રહ્યા હતા એ જ લેવું પડતું હતું, પણ આજે તમારી પાસે મોબાઇલ ફોન છે, હવે તમે પોતે જ વેરીફાય કરી શકો છો. નવી પેઢીના ફર્સ્ટ ટાઇમ વોટર, ગુગલ ગુરુના વિદ્યાર્થીઓ છે, તેઓ સારી નરસી બાબતો ચકાસી શકે છે, દેશની યુવા પેઢી સમાચારોને બારીકાઇથી ચકાશે. પણ પરિવારવાદ, વંશવાદ, જાતિવાદ, ભ્રષ્ટાચાર આવી ચીજોએ દેશને બરબાદ કર્યો છે તેમની સાથે નહીં જ જવું જોઇએ. આપણા નવા વોટરને ખબર નથી કે કટોકટીકાળ શું હતો, નવી પેઢીને વાકેફ કરવી પડશે કે પહેલાની સ્થિતિ, બરબાદી શું હતી, હું એવું નથી કહેતો કે બધું કર્યું છે, પણ જે કર્યું છે એ સાચી દિશામાં કર્યું છે, મારી ચામડી બચાવવા માટે નહીં, જી જાનથી કર્યું છે, જીવન જોખમમાં મૂકીને કર્યું છે, હું ક્યારેય ઝુકવાનો નથી. મારું માથું ફક્ત સવાસો કરોડ લોકો સામે ઝુકશે, મારું રિમોટ કન્ટ્રોલ ફક્ત સવાસો કરોડ લોકો પાસે છે.

January 29, 2019
Bhachau_Lagnotsav1.jpg
1min10390

ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં બે દિવસ પૂર્વે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ભચાઉના આ સમૂહ લગ્નોત્સવમાં 115 યુગલ પ્રભુતામાં પગલાં પાડવાના હતા. સમૂહ લગ્નના આયોજકોએ લગ્ન અંગે તો જડબેસલાક વ્યવસ્થા કરી જ હતી પણ વરઘોડા માટે પણ એવી તૈયારી કરી હતી કે એ તૈયારીઓ જ્યારે પાર પડી ત્યારે સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર ઘટના બની હતી.

ભચાઉ સ્થિત સમૂહલગ્નમાં જાન લઇને આવેલા વરરાજાઓનો વરઘોડો કાઢવા માટે તમામને એક સરખી સ્કોર્પિયો કાર આપવામાં આવી હતી. જ્યારે એક સાથે 115 સ્કોર્પિયો કાર ભચાઉના માર્ગો પર નીકળી ત્યારે જાણે મોદી, શાહરુખ કે અમિતાભ આવ્યો હોય અને જે રીતે ફોટાઓ પડતા હોય તે રીતે લોકોએ 115 એક સરખી કારના વરઘોડાના ફોટા પાડ્યા હતા. સમગ્ર વિશ્વમાં આ વરઘોડો વાઇરલ થઇ ગયો છે.

ભચાઉના માર્ગો પર સમૂહ લગ્નમાં જાન લઇને આવેલા વરરાજાઓની 115 સ્કોર્પિયો કાર સાથે જબરદજસ્ત શાનદાર વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડો શહેરના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભચાઉ શહેરના લોકોએ આ નજારો માણ્યો હતો. આગળની સ્લાઇડ્સમાં તસવીરોમાં તમે પણ માણો આ નજારો.

આ સમૂહલગ્નમાં માંડવીના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા.
January 24, 2019
railway-recruitment-board.jpg
1min8640

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતીય રેલ સૌથી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવા જઇ રહ્યું છે. લગભગ દરેક પ્રકારનો અભ્યાસ તેમજ સ્નાત્તક કે અન્ય ડિગ્રી ધારકોને ભારતીય રેલની નોકરી ઉપલબ્ધ બની શકશે. કેમકે ભારતીય રેલ ચાલુ કેલેન્ડર વર્ષમાં કમસે કમ 4 લાખ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન કરી રહી છે.

  • આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક
  • રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી
  • રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી
  • બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે
  • સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી

રેલ મંત્રી પીયૂષ ગોયલે બેરોજગારો માટે એક મોટું એલાન કર્યું છે. ગોયલના કહેવા અનુસાર ગત વર્ષે સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી અને આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક રેલવે આપવા જઈ રહ્યું છે. રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી બહાર પાડવામાં આવશે. રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી પડી છે. બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે. આમ કુલ મળીને બે વર્ષમાં રેલવે ચાર લાખ જેવી ભરતી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2.30 લાખ નવા પદ માટે થનારી ભરતીમાં આર્થિક કમજોર ઉમેદવારોને 10 ટકા અનામતનો લાભ પણ આપવામાં આવનાર છે. આ ભરતી બે તબક્કામાં થશે. પહેલા ચરણમાં 1.31 લાખ પદો માટે જાહેરનામું બહાર પડશે. જે ફેબ્રુઆરી કે માર્ચમાં આવવાની સંભાવના છે. જ્યારે બીજા તબક્કામાં 99 હજાર પદો ઉપર ભરતી થશે. તેનાં માટે મે-જૂન 2020માં નોટીફિકેશ જારી કરવામાં આવશે.

January 23, 2019
calogo1.jpg
3min18380

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આજરોજ તા.23મી જાન્યુઆરી 2019ના રોજ સી.એ. ફાઇનલ્સ અને સી.એ.નું પહેલું ચરણ ફાઉન્ડેશનની રાષ્ટ્રવ્યાપી પરીક્ષાનું પરીણામ જાહેર કર્યું હતું.

સુરત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ બનવા માટેનું હબ છે અને એ રૂઆબ સાથે જ આજે સુરતના ઉમેદવારોનું ઝળહળતું પરીણામ જોવા મળ્યું હતું. સુરતમાં વર્તમાન પરિસ્થિતિમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ સ્ટડી માટેનું સૌથી બેસ્ટ કોચિંગ રવિ છાવછરીયા આપી રહ્યા છે. આજે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પરીક્ષાના પરીણામમાં પણ રવિ છાવછરીયાના તાલિમાર્થીઓએ જ મેદાન માર્યું છે.

રવિ છાવછરીયા પાસે કોચિંગ લેતા કુલ 12 વિદ્યાર્થીઓએ સી.એ. ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતના ટોપ ફિફ્ટી (ટોચના 50) ઉમેદવારોમાં સ્થાન હાંસલ કરીને સમગ્ર સુરતનું નામ આખા ભારતમાં ગૂંજતુ કરી દીધું છે. એટલું જ નહીં પણ ત્રણ ઉમેદવારો એવા છે જેમણે રવિ છાવછરીયાનું કોચિંગ લઇને સી.એ. ફાઇનલ્સની 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ટોપ ફિફ્ટીમાં રેન્ક હાંસલ કર્યો છે.

સમગ્ર ભારતમાંથી સી.એ. બનવા માટે ઉમેદવારો સુરત જેની પાસે કોચિંગ લેવા માટે આવે છે એ રવિ છાવછરીયાએ સી.આઇ.એ . લાઇવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે તેમની પાસેથી કોચિંગ લઇને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ડિગ્રી હાંસલ કરનારા ઉમેદવારોની સંખ્યા 90થી વધુ છે. તા.23મીએ રાત્રે જ્યારે આ લખાય રહ્યું હતું ત્યારે હજુ તેમના વિદ્યાર્થીઓના રિઝલ્ટ એક પછી એક મળી રહ્યા હતા.

આમ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહેલા રવિ છાવછરીયાએ આજે સી.એ. રીઝલ્ટ 2019માં સુરતને 15 નેશનલ રેન્કર્સ તો આપ્યા છે સાથોસાથ સુરતને 90થી વધુ નવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પણ આપ્યા છે.

રવિ છાવછરીયા પાસે કોચિંગ લઇને ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં દેશના ટોચના 50માં સ્થાન મેળવનારા ઉમેદવારોની યાદી

All INDIA Rankers from SURAT
Name Rank in India Marks
Dhara Tailor 17th 353
Akash Bothra 25th 345
Anshul Agarwal 25th 345
Rushab Khaitan 32nd 338
Harshit Chanduka 32nd 338
Vishvas Nandwani 33rd 337
Mayank Jajoo 35th 335
Dipti Seksaria 43rd 327
Divyansh Jain 44th 326
Mayank Jain 47th 323
Prachi K Shah 48th 322
Amish Ramgarhia 49th 321

સી.એ. ફાઇનલ્સ 2019 પરીક્ષામાં દેશના ટોપ ફિફ્ટીમાં સ્થાન પામનારા વિદ્યાર્થીઓની યાદી

All INDIA Rankers From Surat
Name Rank in India Marks
Shubham Sarfale 12th 548
Megha Chhaparia 27th 524
Harshita Salecha 31st 519
Abhishek Jariwala 504
Kajol Deora 493
Satyam Agarwal 490

 

 

January 23, 2019
gpsc_logo.jpg
1min29400

GPSC એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (ગુજરાત જાહેર સેવા આયોગ) દ્વારા ચાલુ કેલેન્ડર વર્ષ 2019 દરમિયાન ગુજરાત સરકાર માટે જુદા જુદા સંવર્ગ અને જુદા જુદા ખાતાઓ માટે કુલ 4500થી વધુ ક્લાસ વન, ક્લાસ ટુ અને ક્લાસ થ્રી વર્ગની પોસ્ટસ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન ધરાવે છે.

આજરોજ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કેલેન્ડર વર્ષ 2019માં કઇ કઇ પરીક્ષાઓ હાથ ધરાવામાં આવશે તે અંગેની સઘળી વિગતો જાહેર કરવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓ માટેની સઘળી વિગતો આ મુજબના કેલેન્ડર પરથી સરળતાથી જાણી શકાશે. લગભગ દરેકેદરેક ફેકલ્ટીમાંથી ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા યુવક યુવતિઓ માટે આ ભરતી પ્રક્રિયાને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી માનવામાં આવી રહી છે. આવો જાણીએ જીપીએસસી કઇ કઇ પરીક્ષાઓ લેવાનું છે.

આ તમામ ભરતી પ્રક્રિયા માટે એપ્લિકેશન કરવાની પ્રક્રિયા ઓનલાઇન છે અને રસ ધરાવતા યુવક યુવતિઓએ ઓજસ (ઓનલાઇન જોબ એપ્લિકેશન) જે ગુજરાત સરકારની વેબસાઇટ છે તેના પરથી પોતાની ઉમેદવારી નોંધાવવાની રહેશે.

January 21, 2019
natamain.jpg
1min12780

દેશભરમાં આવેલી આર્કિટેક્ચર કોલેજોને પહેલા વર્ષમાં પ્રવેશ માટે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દ્વારા રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવતી નાટા (નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર) 2019 માં પાછલા વર્ષોની સરખામણીમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે.

પહેલો ફેરફારઃ નાટા 2019 બે વખત લેવાશે

છેલ્લા બે વર્ષથી વર્ષમાં એક જ વખત લેવાયેલી નાટા પરીક્ષા 2019માં બે વખત પહેલી વખત તા.14મી એપ્રિલ 2019ના રોજ અને દ્વિતિય પરીક્ષા તા.7મી જુલાઇ 2019 (મોટા ભાગની કોલેજોમાં પ્રવેશ અપાઈ ચૂક્યા હશે ત્યારે) લેવામાં આવશે. નાટાની બીજી પરીક્ષા એટલા માટે લેવામાં આવી રહી છે કે પહેલી પરીક્ષામાં મેળવાયેલા માર્કસથી અસંતુષ્ઠ ઉમેદવારો બીજી પરીક્ષામાં તેમનું પરફોર્મન્સ સુધારી શકે. નાટા 2019નું સમયપત્રક નીચે મુજબ છે.

Information Brochure

બીજો ફેરફાર ઃ નાટા પરીક્ષામાં ક્વોલિફાઇંગ લેવલ ઘટાડીને 40 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દેવાયું

નેશનલ એપ્ટિટ્યુટ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર 2019 પરીક્ષામાં કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરના વહીવટકર્તાઓએ ક્વોલિફાઇંગ લેવલ એટલે કે નાટામાં પાસ થવાનો લઘુત્તમ સ્કોર 40 ટકા હતો જેમાં પહેલી વખત ઘટાડો કરીને આ પ્રમાણ 25 ટકા કરી દેવામાં આવ્યું છે. 2018 સુધી નાટામાં પાસ થવા (બી.આર્ક.માં પ્રવેશ માટે લાયક થવા) માટે 200માંથી 80 માર્કસ અનિવાર્ય હતા. પરંતુ, હવે નાટાના બન્ને પાર્ટમાં 25 ટકા માર્કસ લાવીને કુલ 200માંથી 50 માર્કસ આવશે એટલે ઉમેદવારને બી.આર્ક.માં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે.

અત્યાર સુધી આર્કિટેક્ચર કોલેજોમાં 200માંથી 80 માર્કસનું લાયકાત ધોરણ હોવાથી અનેક વિદ્યાર્થીઓ આ લેવલ પાસ કરી શકતા ન હતા અને તેને પરીણામે કોલેજોમાં બેઠકો ખાલી પડી રહેતી હતી. ગુજરાતમાં આ વખતે 600 જેટલી બેઠકો પહેલા રાઉન્ડમાં ખાલી પડી રહી હતી.

નાટામાં પરીણામ કેવી રીતે ગણનામાં લેવામાં આવશે એ અંગેની સઘળી વિગતો નીચે મુજબ છે.

Information Brochure

કોમર્સના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધી

ચાલુ શૈક્ષણિક વર્ષથી નાટા પરીક્ષાનું રજિસ્ટ્રેશન ફક્ત એવા વિદ્યાર્થીઓ કરી શકશે જેઓ માર્કશીટમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટીક્સ વિષય ધરાવતા હશે. આ વર્ષથી આ નિયમ અમલી બનાવાયો છે. જોકે, આ સૂચના બે વર્ષ અગાઉથી જાહેર કરી દેવામાં આવી હતી.

January 19, 2019
ragha1-1280x926.jpg
1min10600
  • જેઇઇ પેપર-1 2019માં સુરતના રાઘવ સોમાણીએ કુલ 99.99 પર્સન્ટાઇલ માર્કસ મેળવી રાજ્યમાં ટોપ કર્યું છે
  • સુરતમાં જીએસટી અધિકારીનો દિકરો છે રાઘવ સોમાણી
  • જેઇઇ પેપર-1 જાન્યુઆરી 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવએ આઇઆઇટી મુંબઇથી કમ્પ્યૂટર સાયન્સ કરવું છે

(Raghav Somani, Jee Main Gujarat Topper & Student of Aakash Institute)

સુરતમાં જીએસટી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અધિકારીનો દિકરો રાઘવ સોમાણી આજે સમગ્ર ગુજરાતના શિક્ષણમાં છવાય જવા પામ્યો છે. સુરતમાં ઉછરીને મોટા થયેલા રાઘવ સોમાણીએ ચાલુ મહિનામાં જ લેવાયેલી ઇજનેરી માટેની નેશનલ ટેસ્ટ જેઇઇ પેપર-1માં સમગ્ર ગુજરાતમાં નંબર વન હાંસલ કર્યો છે.

  • ધો.10માં મહેશ્વરી વિદ્યાપીઠમાં 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા રાઘવ સોમાણીએ
  • આશ્ચર્યજનક રીતે ધો.11-12 સાયન્સમાં કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવએ

રાઘવ સોમાણી માટે કહેવાય છે કે ધો.10 સુધી એ સુરતની મહેશ્વરી સ્કુલમાંથી ભણ્યો હતો.  ધો.10માં રાઘવ સોમાણીએ 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા. આટલા સીજીપીએ મેળવ્યા પછી પણ રાઘવ સોમાણીએ એવી સ્કુલમાં પ્રવેશ મેળવ્યો કે જ્યાં રાઘવને ભણવા માટે વધુ સમય મળી શકે એટલે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવ એ એવું તેમના પિતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ધો.11-12 સાયન્સમાં ભણવા માટે વધુ સમય મળી શકે તે માટે કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો. આજે જ્યારે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં રાઘવ સોમાણીની ચર્ચા સર્વત્ર થતી હતી ત્યારે ડીવાઇન ચાઇલ્ડ સ્કુલના સંચાલકો સાવ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણી જેઇઇ મેઇન જેવી અઘરી પરીક્ષામાં ગુજરાત ટોપર આવ્યો છે. આવું સ્વભાવિક છે કેમકે અગાઉ ડીવાઇન સ્કુલનું નામ ટોપર લિસ્ટમાં ભાગ્યે જ આવ્યું છે. આજે જ્યારે પરીણામ જાહેર થયું ત્યારે પણ રાઘવ સોમાણી આકાશ મજૂરાગેટ ખાતે જ હતો.

  • આખા ગુજરાતના શિક્ષણ જગતમાં ડીવાઇન ચાઇલ્ડ સ્કુલનું નામ ચર્ચાતું હતું ત્યારે તેના સંચાલકો જ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણીએ જેઇઇ મેઇન પેપર-1 જેવી અઘરી પરીક્ષામાં ગુજરાતમાં સૌથી પહેલો ક્રમ મેળવ્યો છે.

ખેર વાત કરીએ રાઘવ સોમાણીની. જેઇઇ મેઇન પેપર-1માં ગુજરાત ટોપર આવેલા રાઘવ સોમાણીએ જણાવ્યું કે તે મુંબઇ આઇ.આઇ.ટી.માં કમ્પ્યૂટર સાયન્સ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક છે અને તેણે મજૂરા ગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યૂટ નામના કોચિંગ ક્લાસીસમાં ધો.9થી જ પ્રવેશ મેળવી લીધો હતો. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે રાઘવ સોમાણીની અદ્વિતિય સિદ્ધિમાં આકાશનો જ સિંહફાળો રહ્યો છે પરંતુ, ખેલદિલ રાઘવ સોમાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ સિદ્ધિ માટે ક્રેડિટ કોને આપશો ત્યારે તેણે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલ અને આકાશ બન્નેને શ્રેય આપ્યો હતો.

ફરીથી આકાશ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

જેઇઇ મેઇન પેપર-1 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવ સોમાણીને પત્રકારો સમક્ષ રજૂ કરનાર સુરતના મજૂરાગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકોએ જણાવ્યું હતું કે ફરીથી તેમના વિદ્યાર્થીઓ જેઇઇ મેઇન જેવી પરીક્ષામાં ઝળકી ઉઠ્યા છે. આકાશ ઇન્સ્ટિટ્યૂટના અનેક વિદ્યાર્થીઓએ 97થી 99 પર્સન્ટાઇલ વચ્ચે માર્કસ મેળવ્યા છે.

January 19, 2019
hacked.jpg
2min11450

દુનિયાભરમાંથી 77,29,04,991 ઇમેલ I’d. હેક થયા છે. રકમ વાંચવામાં તકલીફ પડતી હોય તો દેશી ભાષામાં લખીએ છીએ કે દુનિયાભરમાંથી કુલ 77 કરોડ 29 લાખ 4 હજાર 991 ઇમેઇ આઇ.ડી. હેક થયા છે. આની સાથે 21,222,975 જેટલા યુનિક પાસવર્ડ પણ હેકર્સે હેક કરી લીધા છે. ઘણાં લોકો માટે એક ઇમેઇલ આઇ.ડી. એટલે કોઇ કિંમત નથી પણ ઘણાં લોકો માટે ઇમેઇલ આઇડી એટલે બેંક અકાઉન્ટ કરતા પણ વધુ કિંમતી છે અને ઘણાં લોકોએ પોતાની પ્રાઇવેટ માહિતીઓ, પ્રાઇવેટ ફોટા, પ્રાઇવેટ વિડીયો પેન ડ્રાઇવ કે હાર્ડ ડિસ્ક જેવી ફિઝિકલ સ્ટોરેજ વસ્તુઓમાં સંગ્રહિત કરવાને બદલે ઇમેઇલમાં મૂકી રાખ્યા છે. જો આવા લોકોના ઇમેઇલ આઇડી હેક થયા હોય તો તેમના માટે કદાચ જીવન મરણનો પણ પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે છે.

77 કરોડ ઇમેઇ આઇ.ડી. હેક કરીને હેકર્સે સમગ્ર વિશ્વમાં મોટું તોફાન મચાવ્યું છે હવે તેઓ ઇમેઇલમાં સંગ્રહિત કિંમતી માહિતીઓનો ઉપયોગ કરીને રૂપિયા બનાવશે, લોકોને બ્લેક મેઇલ કરશે, લોકોને ઉઘાડા પણ પાડશે.

આવી સ્થિતિમાં સી.આઇ.એ. લાઇવએ પોતાના વાચકો માટે એક ઉપયોગી લિંક અહીં મૂકી છે. તમે ખુદ ચેક કરી શકો છો કો તમારુ ઇમેઇલ આઇ.ડી. હેક થયું છે કે સલામત છે. લિંકને ફોલો કરશો એટલે પાંચથી 10 સેકન્ડમાં વેબસાઇટ દર્શાવશે કે તમારુ ઇમેઇલ આઇડી હેક થયું છે કે નથી થયું.

સંશોધકોએ એક ઇન્ટીગ્રેટેડ ડેટા બેઝ તૈયાર કર્યો છે અને તેનું નામ જ છે હેવ આઇ બીન પૉન્ડ…

  • તમારુ આઇ.ડી. હેક થયું છે કે નહીં તે જાણવા માટે આ મુજબની પદ્ધતિ અનુસરો

  • આ માટે આ વેબસાઇટ પર લોગ ઇન કરો.

  • https://haveibeenpwned.com

  • પહેલા વેરીફાઇ કરશે કે યુઝર રોબોટ તો નથી ને..

  • બીજા સ્ટેપમાં તમારું ઇમેઇલ આઇડી માંગશે એ લખ્યા બાદ લિંક પર ક્લીક કરશો એટલે 5 સેકન્ડમાં રિઝલ્ટ આવશે કે તમારું ઇમેલ હેક થયું છે કે નથી થયું.

The researcher has integrated the database on the website ‘Have I been Pwned’ (https://haveibeenpwned.com). You can easily check if your email ID was part of hacked email IDs list, by just entering your email ID in the dialog box.

જો તમારી સ્ક્રીન પર નીચે દર્શાવેલી ઇમેજ ડિસ્પ્લે થાય તો સમજી જજો કે તમારું મેઇલ આઇ.ડી. હેક છે

જો તમારુ ઇમેઇલ આઇડી હેકિંગ લિસ્ટમાં હોય તો તમને સલાહ છે કે તાત્કાલિક અસરથી ડેસ્કટોપ કે લેપ્ટોપ પરથી મેઇલ લોગઇન કરીને પાસવર્ડ બદલી નાંખજો

તમારો પાસવર્ડ હેક થયો છે કે કેમ તે કેવી રીતે જાણશો

પાસવર્ડ હેક થયો છે કે કેમ એ જાણવા માટે https://haveibeenpwned.com/passwords પર લોગઇન થાવ.

જો તમારી સ્ક્રીન પર નીચે દર્શાવેલી ઇમેજ આવશે તો સમજી જજો કે તમારો યુનિક પાસવર્ડ હેક થઇ ચૂક્યો છે.

જો પાસવર્ડ હેકિંગ લિસ્ટમાં હોય તો તેને બદલવું થોડું અટપટું કામ થઇ જશે.

January 19, 2019
maha_canteen1-1.jpg
1min5020

મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટિનમાં વેઇટરની 13 ખાલી પડેલી જગ્યાએ નોકરી માટે 7,000 ઉમેદવારોએ અરજી કરી છે અને.તેમાં મોટા ભાગના અરજદાર ગ્રેજ્યુએટ ડિગ્રી ધારક છે. રાજ્યમાં યુવાનો પાસે નોકરી નથી અથવા જેમની પાસે નોકરી છે તેઓ તેનાથી સંતુષ્ટ નથી એવી ચર્ચાઓ કરતા એવી ચર્ચાઓને વ્યાપક સ્થાન મળી રહ્યું છે કે મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટિન એવી જગ્યા છે જ્યાંથી મહારાષ્ટ્ર કે મુંબઇના જ નહીં બલ્કે દેશભરના અબજો રૂપિયાના પ્રોજેક્ટસના બી રોપાય છે, મહારાષ્ટ્ર મંત્રાલયમાં આવતા જતા લોકો આર્થિક, સામાજિક, રાજકીય રીતે પાવરફુલ મનાય છે અને એટલા માટે જ અહીંથી લાયેઝનિંગનું કામ સરળતાથી થઇ શકે છે.

સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર તાજેતરમાં વેઇટરના પદ માટે 100 માર્ક્સની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને તે માટેની શૈક્ષણિક લાયકાત ચોથા ધોરણ પાસ હતી. પરીક્ષાની પ્રક્રિયા 31 ડિસેમ્બરે પૂર્ણ થઇ ચૂકી છે અને હાલમાં નોકરીમાં જોડાવા અંગેની પ્રક્રિયા શરૂ છે. વેઇટરના પદ માટે પસંદ કરવામાં આવેલા 13 અરજદારમાંથી આઠ પુરુષ અને બાકીની મહિલાઓ છે.

મંત્રાલયમાં વેઇટરની નોકરી માટે પસંદ કરવામાં આવેલા 13 જણ પૈકી 12 ગ્રેજ્યુએટ છે, જયારે એક બારમું ધોરણ પાસ છે. આ તમામની વય 25-27 વર્ષ વચ્ચે છે.

બીજીતરફ મહારાષ્ટ્રના વિપક્ષી નેતા ધનંજય મુંડેએ જણાવ્યું હતું કે માત્ર 13 પદ માટે 7,000 અરજીઓ આવી એ દર્શાવે છે કે રાજ્ય અને દેશમાં રોજગારની સ્થિતિ કેટલી ગંભીર છે. ચોથા ધોરણની લાયકાત ધરાવતા પદ માટે ગ્રેજ્યુએટ અરજી કરે આ દુ:ખની વાત છે. દરમિયાન બે કરોડ લોકોને રોજગાર આપવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દાવા વિરુદ્ધ તેમણે કહ્યું હતું કે તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં પોલીસના 852 ખાલી પદ માટે 10.5 લાખ લોકોએ અરજી કરી હતી. તે જ પ્રમાણે રેલવેમાં પણ 10,000 ખાલી પદ માટે એક કરોડ બેરોજગાર લોકોએ અરજી કરી હતી. મોદી સરકારના જીએસટી અને નૉટબંધી જેવા નિર્ણયને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ પડી ગયા, પરિણામે બેરોજગારીમાં વધારો થયો.