ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.12 સાયન્સની મુખ્ય વિષયની ઓબ્જેક્ટીવ ટાઇપ પરીક્ષાની પ્રોવીઝનલ આન્સર કી વેબસાઇટ પર રિલીઝ કરી છે. નીચે મુજબના વિષયોની આન્સર કી રીલીઝ કરવામાં આવી છે.
Maths-050 Provisional Key (GHE – all Medium)
Chemistry-052 Provisional Key (GHE – all Medium)
Physics-054 Provisional Key (GHE – all Medium)
Biology-056 Provisional Key (Gujarati Medium)
How to check GSEB HSC Science Answer Key 2020
Candidates can follow the steps given below to check and download the answer key. 1. Go to the official website of GSEB —gsebeservice.com 2. On the homepage click on the link which reads “HSC Science Examination March 2020 Provisional Answer key” 3. It will direct to a new page of the GSEB website 4. Your GSEB HSC Science Answer Key 2020 will be displayed on the screen 5. Download and take a print out of GSEB HSC Science Answer Key 2020 for future reference
નેશનલ ટેસ્ટિંગ એજન્સીના આધારભૂત સૂત્રોએ આપેલી માહિતી મુજબ આગામી તા.3જી મે 2020ના રોજ લેવામાં આવનારી મેડીકલ અને ડેન્ટલ અન્ડર ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટેની એક માત્ર સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજી 2020ના એડમિટ કાર્ડ તા.27મી માર્ચે જાહેર કરવાનું સમયપત્રક છે. પરંતુ, દેશમાં પ્રવર્તમાન કોરોના આઉટબ્રેક તેમજ લૉકડાઉનની સ્થિતિને જોતા નીટ યુજી 2020 પરીક્ષાના એડમિટ કાર્ડ તા.27મી માર્ચે ઓનલાઇન રિલિઝ નહીં થાય.
નીટ યુજી 2020 અંગે મહત્વની મિટીંગ નેશનલ ટેસ્ટિંગ એજન્સી તેમજ કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે તા.14મી એપ્રિલે યોજાનારી છે. નીટ યુજી જે હાલમાં 3જી મે 2020ના રોજ લેવાની છે, એને મુલતવી રાખીને નવી તારીખ લૉકડાઉન પિરિયડમાં એટલે કે નજીકના ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે. નીટ અંગેની મહત્વની ઘોષણા તા.26 થી 28 દરમિયાન કરવામાં આવે તેવી શક્યતા છે.
NTA Clarification
As a Precaution against COVID – 19, our helpdesk is operating with limited resources. For exam related queries text us on the given numbers. For all other queries, please check the website regularly.
HELPLINE (OPERATIONAL DURING 09:30 AM TO 05:30 PM)
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઇઇ મેઇન્સ 2 પરીક્ષા જે એપ્રિલ 2020માં લેવાનું આયોજન હતું એ 21 દિવસના લૉકડાઉનની જાહેરાત પહેલા જ મુલતવી રાખી દેવામાં આવી છે.
News in English
The examination date for the National Eligibility cum Entrance Test-Under Graduate (NEET UG) 2020 is likely to be postponed. The National Testing Agency (NTA) will not be issuing the admit cards from Friday as scheduled.
According to a senior NTA official, “We will not be issuing the admit cards on March 27, 2020 as scheduled. The new date for downloading of admit cards will be issued later following a review on April 14, 2020”
The ministry of human resource development and the ministry of health and family welfare are reviewing the matter on postponement of the exams scheduled for May 3, 2020. With all the remaining CBSE, NIOS and CISCE Board exams postponed after March 20, the competitive exams to be conducted thereafter are also going to be affected. After announcement of the 21-day lockdown across the country on March 24 the JEE (main) exam too stands postponed.
According to a senior HRD official, “The new dates will be announced only after the lock down period is over. The ministry is in talks with the health ministry over the matter and new dates will be announce by NTA post the lockdown period.”
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે પ્રવર્તેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારે રાજ્યમાં ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી (માસ પ્રમોશન) આપવાનો મોટો અને અપેક્ષિત નિર્ણય કર્યો છે. આ નિર્ણય અમલમાં આવતાં આ વર્ષે અત્યારથી જ શાળાઓમાં ઉનાળું વેકેશન લાગુ પડી જશે. મહત્ત્વનું છે કે રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ સમાપ્ત થઇ ગઇ છે અને શાળાકીય પરીક્ષાઓ લેવાની બાકી હતી પરંતુ વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં શાળાકિય પરીક્ષાઓ રદ કરવાનો મોટો નિર્ણય લેવાતાં હવે તમામ વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી આપવામાં આવશે.
રાજ્યમાં મુખ્યપ્રધાન દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર કરવામાં આવેલી કોર કમિટીના સદસ્ય અને રાજ્યના માહિતી ખાતાના સચિવ અશ્વિનીકુમારે આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની તમામ શાળાઓ બંધ રાખવામાં આવશે અને ધોરણ 1થી 9 અને 11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. રાજ્ય સરકારના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને પણ રજા આપવામાં આવશે.
અશ્વિનીકુમારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના શિક્ષકોને પણ વેકેશન અને રજા જાહેર કરવામાં આવી છે. હવે શિક્ષકો પણ શાળાએ નહીં જાય અર્થાત શિક્ષકોએ શાળાએ જવું ફરજિયાત નહીં રહે. સાથે જ નવું શૈક્ષણિક સત્ર પણ અગાઉ મુજબ જૂન મહિનાથી જ ચાલુ થશે. આમ તો ગઇકાલે જ આ માસ પ્રમોશનના અહેવાલ આવ્યા હતાં પણ મોડેથી સરકારે કહ્યું હતું કે, હજી સ્પષ્ટ થયું નથી.
નોંધનીય છે કે હાલ 31મી માર્ચ સુધી ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યું હતું અને જો હજુ કેસ વધશે તો આ લોકડાઉન લાંબું ખેંચાઈ શકે છે એટલે જ ગુજરાતમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં પેપર ચેકિંગની કાર્યવાહી પણ બંધ કરવામાં આવી છે.
આ વખતે ફાર્મસી (B.Pharm) કોલેજમાં પ્રવેશ માટે ધસારો થાય તેવી દેખીતી સ્થિતિ
Jayesh Brahmbhatt 98253 44944
આગામી તા.31મી માર્ચ 2020ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી ધોરણે લેવામાં આવતી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ કહો કે ગુજસેટ) લેવામાં આવશે. આ પરીક્ષા મોટા ભાગે એન્જિનિયરિંગ, ફાર્મસી તેમજ એગ્રિકલ્ચર કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે મેરીટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે ધો.12માં એ ગ્રુપ (મેથ્સ) ગ્રુપના વિદ્યાર્થીઓ વધુ હોય છે પરંતુ, આ વખતે ગુજકેટના રજિસ્ટ્રેશનમાં બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થીઓએ વધુ રજિસ્ટ્રેશ કરાવ્યું છે. જેનો સીધો મતલબ એ થયો કે બી.ફાર્મ. કોલેજોમાં પ્રવેશ માટે આ વખતે ધસારો જોવા મળશે. કેમકે બાયોલોજીના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શકે નહીં. ગુજકેટ આપનારા બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે વિકલ્પ બચે છે ફાર્મસીનો.
ગુજકેટમાં કયા ગ્રુપના કેટલા વિદ્યાર્થીઓ
ગુજકેટ 2020 માટે કુલ 1 લાખ 25 હજાર 781 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે
ગુજકેટ 2020 માટે એ ગ્રુપ મેથ્સ ગ્રુપના કુલ 49,888 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન
ગુજકેટ 2020 માટે બી ગ્રુપ બાયોલોજીના કુલ 75,519 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન
ગુજકેટ 2020 માટે એ અને બી બન્ને ગ્રુપ ધરાવતા કુલ 374 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન
31 માર્ચ 2020ના રોજ સવારે 10થી સાંજે 4 સુધી લેવાશી ગુજકેટ 2020
Nearly 1.26 lakh students from across the state are expected to participate in the Gujarat Common Entrance Test (GujCET) to be held on March 31.
Gujarat Secondary and Higher Secondary Education Board (GSHSEB), which conducts GujCET, stated 12,5781 Class XII (science) students have registered for the exam. This consists of 49,888 students from Group A, 75,519 from Group B and 374 from Group AB.
ધો.12 ત્રણ વિષયના કુલ માર્કસના 60 ટકા અને ગુજકેટના કુલ માર્કસના 40 ટકા મળીને મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે.
The state level exam is held annually for science students seeking admissions in degree engineering and pharmacy courses in the government, grant-in-aid and self-financed engineering institutions in Gujarat.
The entrance exam will be held between 10am to 4pm on March 31. Physics and chemistry exams will be held from 10am to 12 noon which will be followed by an hourlong break. Students will take biology exam from 1pm to 2pm followed by the maths from 3pm to 4pm.
ગુજકેટનો સ્કોર ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજો, ફાર્મસી કોલેજો અને એગ્રિકલ્ચર કોલેજોના પહેલા વર્ષનું મેરીટ બનાવવામાં ઉપયોગી
The result of GujCET will be announced along with the Class XII (science) board results. Exam hall tickets will soon be issued to the students by GSHSEB. It will also be posted online.
A merit list will be drawn up by giving 40% weightage to percentiles obtained by the candidates in GUJCET 2020 and 60% weightage to percentiles obtained in Class XII (science) board exams.
ગુરુવાર તા.5મી માર્ચ 2020થી શરૂ થયેલ ગુજરાત બોર્ડની પરીક્ષાના પહેલા દિવસે ધો.10માં ફર્સ્ટ લેંગ્વેજની પરીક્ષા હતા. ઇંગ્લિશ મિડીયમમાં અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ હોય છે અને તેના પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓની જનરલ અવેરનેસ કેટલી છે એની ચકાસણી કરતા પ્રશ્નો પૂછાયા હતા.
જેમકે એસ.એસ.સી. ઇંગ્લિશ મિડીયમમાં અંગ્રેજીના પેપરમાં અમેરિકામાં યોજાયેલી હાઉડી મોદી ઇવેન્ટને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. હાઉડી મોદી ઇવેન્ટમાં એક સ્વયંસવેક તરીકે ડાયરી લખવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું.
ડાયરી લખવા માટેનો બીજો પ્રશ્ન કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેઠા હોય તો કેવો અનુભવ થાય તે પોતાના શબ્દોમાં વર્ણવા કહેવાયું હતું.
આ ઉપરાંત ચંદ્રયાન-2 ભારતને ગર્વ અપાવનાર અંતરિક્ષ મિશન અથવા ઓનલાઇન શોપિંગ વિ. ઓફલાઇન શોપિંગ અંગે નિબંધ લખવા માટે પણ કહેવાયું હતું. જ્યારે પત્ર લખવાના પ્રશ્નમાં પોતાના મિત્રને સુરક્ષિત દિવાળી ઉજવવાની અપીલ સાથે ચાઈનિઝ ફટાકડાથી દૂર રહેવા માટે પત્ર લખવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જ્યારે બીજો ઓપ્શન એક ઇમેલ પત્રાચારનો હતો જેમાં તેમણે નવી ઇન્સ્ટોલ કરવામાં આવેલ પ્રીકોલેશન સિસ્ટમ જે કેવી રીતે પાણી બચાવે છે તેના અંગે માહિતી આપવાની હતી.
ગુજરાત બોર્ડની પરીક્ષાના પહેલા દિવસે ધો.10 માટે ભાષાનું પેપર, ધો.12ના વિજ્ઞાન પ્રવાહ માટે ફિઝિક્સનું પેપર અને ધો. 12ના સામાન્ય પ્રવાહ માટે એકાઉન્ટનું પેપર પ્રમાણમાં ઇઝી રહ્યું હોવાના અહેવાલો સાર્વત્રિત રીતે મળ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ આજે ગુરુવાર તા.5મી માર્ચ 2020 થી શાંતિપૂર્ણ રીતે આરંભ થયો છે.
ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૧૭.૫૩ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેશે. પરીક્ષા માટે પસંદ કરાયેલા મોટાભાગના સેન્ટર પૈકી ૫૯૭૩૩ પરીક્ષા ખંડ CCTVથી સજ્જ છે, જ્યારે જે સેન્ટર પર CCTVની સુવિધા નહીં હોય તેવા ૨૯૪ કેન્દ્ર પર ટેબલેટ દ્વારા પરીક્ષામાં વિદ્યાર્થી પર નજર રાખવામાં આવી રહી છે.
આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં ધો.૧૦માં પ્રથમ ભાષા (મોટા ભાગે ગુજરાતી) અન્ય માધ્યમોને અનુરૂપ પરીક્ષા લેવામાં આવી હતી..
બપોરના સેશનમાં ધો.૧૨ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાનાં મૂળતત્ત્વોની પરીક્ષા લેવામાં આવી રહી છે.
આમ, પ્રથમ દિવસે જ મહત્ત્વના પેપરો હોઈ વિદ્યાર્થી પૂરતી તૈયારી સાથે પરીક્ષા બેઠા હતા. પ્રથમ દિવસે પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓનું ગોળ-ધાણા ખવડાવી સ્વાગત કરવામાં આવ્યાના અહેવાલો રાજ્યભરમાંથી મળ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી તા. ૫મી માર્ચથી શરૂ થવાની છે જેમાં કુલ ૧૭.૩૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ ૧૦ના ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ ૧૨ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના ૬.૫૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
અતિસંવેદનવાળી શાળાઓમાં સીસીટીવી કૅમેરા લગાડી ચોરી કરતા વિદ્યાર્થીઓ અને ચોરી કરાવતા શિક્ષકો ઉપર બાજનજર રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાંથી ૧૭૫ જેટલા કેદીઓ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા આપવાના હોઈ રાજ્યની જેલો દ્વારા આ કેદીઓને પૂરતો બંદોબસ્ત ફાળવી પરીક્ષાઓ આપવા વ્યવસ્થા કરવામાં આવી છે.
દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ નર્વસ તેમ જ ઉતાવળમાં ઘણી વસ્તુઓનું ધ્યાન નથી રાખતા તેમ જ તેમના વાલીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મૂકવા જતી વખતે તેમની કહેવાની ઘણી વાતો ભૂલી જતા હોય છે. આવા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પણ મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
the number of Indian students in The United States of
America has doubled. More and more Indian students prefer to study in the USA
for higher education because of the expansive range of subjects conducted in
universities of this country. Universities in the USA are open to all
international student applications that successfully complete the mentioned
prerequisites process. The USA student visa process is often the procedure
Indian students have trouble completing. Therefore, this article will conclude
everything that one needs to know about The United States of America student
visa process.
Before applying for a visa to study in the USA, students
must have their university/college acceptance letter. The international student
office reviews the financial documents and further sends out an I-20 form to
the student after reviewing the application and capability to study in the U.S.
In case of exchange students, the international office sends out a DS- 2019
form.
Note – Students must fill out the F1 visa form within 120
days of receiving the I-20 form.
Refer to the following table to find out the type of student
visa application you apply –
Types of Visa
Description
F-1 student visa
Students with an acceptance letter to study in an accredited
college in the USA for learning the English language based subjects
J Exchange visa
This visa is issued for students willing to participate in
the exchange study program in a high school or a university in the USA
M student visa
For non-academic or vocational study or training in the United States of America THE PROCEDURE –
STEP 1 (I-20 form)
It is mandatory to patiently wait for the I-20 form (you
will receive this from the university’s end) as it is not only a proof for
admission confirmation but also has important details that you will require
while applying for an F-1 student visa.
To apply for an F-1 student visa (DS – 160 form) you will need the following mentioned details – SEVIS ID
School/University name and address
Program start date and end date
School/University code
Estimated cost for 1 year
I-20 form consists of many more details, however, the
above-mentioned points are considered to be extremely important for F-1 student
visa application
STEP 2 (Process to fill DS – 160 form)
Shortly after receiving your I-20 form you can proceed to fill out the DS-160 form, Here’s an overview of the DS-160 form – DS – 160 form must be filled electronically/online
This form requires details of Passport, University, Fees,
Basic information of the applicant, documents details and I-20 form
At the beginning of the DS – 160 form – one must select the
Embassy/Consulate they are willing to visit for the F-1 visa interview.
Locations available for Embassy/Consulate student visa interview are New Delhi,
Mumbai, Chennai, Hyderabad, and Kolkata
Questions related to immigration, nationality, and education
are asked on DS – 160 form. All the questions are in English
An alpha-numeric code is generated after completing the DS –
160 form. Ensure to print out and also save a PDF format of the DS – 160
receipt. The print-out is a mandatory requirement for visa interview
*To get detailed information visit the official website of
Homeland Security Department of USA
STEP 3
(F-1 visa interview application fee + Scheduling an appointment for OFC and Visa interview)
After successfully filling out the DS – 160 form, proceed to
pay the F-1 visa interview fee.
The amount required for an F-1 visa interview is $160 i.e.
RS 11,132/- (as of June 2019)
The application fee can be paid through internet-banking or
mobile-banking services
The F-1 visa interview is scheduled for two days – OFC
appointment and Visa Interview
*Note – Students are advised to schedule their F-1 visa
interview at least 120 days before the university/college program is scheduled
to begin. It is understood that the Embassy/Consulate does not accept students
to complete their visa interview before 120 days.
STEP 4 (SEVIS I – 901 form)
The SEVIS I – 901 form fee is the last application step. The
I-901 form is a non-immigrant application form. It is applicable for types of
student visas i.e. F1, J exchange and M-1 visa. This form requires payment
depending on the type of visa.
The amount required to pay for F1 and M1 visas (I-901 form)
-$200 i.e. RS 13,949/- (as of June 2019)
The amount required to pay for J- exchange visa (I – 901
form) – $180 i.e. RS 12,555/- (as of June 2019)
Finally, visit the Embassy/Consulate location you scheduled
to give you’re the United States of America student visa interview. The key to
nailing the visa interview is to stay confident and being as honest as
possible. You will be notified if your visa is approved or rejected immediately
after the interview. We are sure you will get through your final step to
studying in the United States.
Here’s wishing you All the Best for your student visa!
છેલ્લા ૪ વર્ષથી રેડિયો મિર્ચી ૯૮.૩ એફએમ સમગ્ર ભારતમાં એક અલગ જ પ્રકારની દોડનું આયોજન કરે છે. સુરતમાં આ વખતે વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી સાથે આ ભવ્ય મિર્ચી નિઓન રન નું આયોજન કરવામાં આવ્યું હતું .
કુલ ૪૬૯૨ લોકોએ આ ૫ કિમી દોડમાં ભાગ લીધો હતો. આ દોડ તમામ માટે આકર્ષણ નું કેન્દ્ર બને છે કારણકે એ રાત્રે થાય છે અને એમાં તમામ સ્પર્ધકો નિઓન કલરના કપડાં સાથે દોડે છે.. અંધારામાં આ કલર ચમકે છે અને એક અલગ જ દુનિયા સર્જાય છે.
સુરત મહાનરપાલિકા કમિશનર શ્રી બંછનિધિપાની, રેડિયો મિર્ચીના ગુજરાત હેડ બિથીન્દ્ર બિશ્વાસ, સમિત શાહ, હર્ષવર્ધન વ્યાસ, પ્રોગ્રામ હેડ પાર્થ દેસાઈ સહિત વિવિધ કૉલેજના પ્રિન્સીપાલ એ આ દોડની શરૂઆત કરાવી હતી.
૫ કિમી ની દોડ બાદ તમામ VIP road ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા.કોલકતા થી આવેલા ભારતના પ્રસિદ્ધ કલબ મિર્ચી ના ડીજે રિચાર્ડ દ્વારા ડીજે મિક્સમાં તમામ લોકો મન મૂકીને નાચ્યા હતા. આ પેહલા કલ્ટ સ્પોર્ટ્સ દ્વારા નમ ફિટનેસ સેશન અને માનસી દ્વારા ઝુંબા સેશન વોર્મ અપમાં તમામે ભાગ લીધો હતો.
મિર્ચી ના આરજે હર્ષ , કૃતાર્થ , પરીમાં અને ઉમંગ દ્વારા આ કાર્યક્રમ નું સફળ સંચાલન કરાયું હતું.
તમામ દોડવીરો માટે મિલ્કોગ્રફી દ્વારા ફ્રી માં લો ફેટ દુધ નું વિતરણ કરાયું હતું જ્યારે પરફેક્ટ ડાયોગને સ્ટિક દ્વારા ફ્રી બ્લડ ચેક અપ ની સેવા અપાઈ હતી.
આ નિઓન રન ના અંતે મિર્ચી હેડ બીથિન્દ્ર બિશ્વાસ એ જણાવ્યું હતું કે શહેરીજનો ના દર વર્ષના ઉત્સાહને જોઈ ને મિર્ચી દ્વારા આ નિઓન રન નું આયોજન કરવાનો અમને સંતોષ થાય છે. તેમણે તમામ દોડવીરો અને શહેરીજનો નો આભાર માન્યો હતો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવામાં આવનારી પરીક્ષા માટે પ્રથમ વખત ધો.૧૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. અત્યાર સુધી દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળતો હતો. આ વખતે ધો.૧૦માં જંગી ૭૨ હજાર જેટલા વિદ્યાર્થી ગતવર્ષ કરતા ઓછા નોંધાયા છે. ધો.૧૨ સાયન્સમાં ૪ હજાર વિદ્યાર્થીઓ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે. આમ, કુલ ૮૨ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે.
અત્યાર સુધી બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા ગતવર્ષ કરતા વધતી હતી. પરંતુ આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ વખતે ધો.૧૦માં ૧૦.૮૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ૨૦૧૯ની પરીક્ષા વખતે ધો.૧૦માં ૧૧.૫૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
2019 કરતા આ વખતે ધો.૧૦માં ૭૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ૨૦૧૮માં ધો.૧૦ની પરીક્ષામાં ૧૧.૦૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ૨૦૧૮ની સરખામણીમાં પણ ચાલુ વર્ષે ૧૬ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા હોવાનું જાણવા મળે છે. ધો.૧૦માં છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં પ્રથમ વખત આંકડો ૧૧ લાખ કરતા ઓછો થયો છે.
આ પહેલા ૨૦૧૯, ૨૦૧૮ અને ૨૦૧૭માં ધો.૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧ લાખ કરતા વધુ હતી. જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આ વખતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૨૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગત વર્ષે એટલે કે, ૨૦૧૯માં ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે ૫.૩૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
2019 કરતા આ વખતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૬ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ૨૦૧૮માં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં માત્ર ૪.૭૬ લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા હતા. જ્યારે ધો.૧૨ સાયન્સની વાત કરીએ તો ચાલુ વર્ષે ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ૨૦૧૯માં ધો.૧૨ સાયન્સમાં ૧.૪૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સાયન્સમાં પણ ૪ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. આમ, ધો.૧૦માં ૭૨ હજાર, સાયન્સમાં ૪ હજાર અને સામાન્ય પ્રવાહમાં ૬ હજાર મળી આ વખતે ૮૨ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે.
વાપીમાં ચા ની દુકાને અનાયાસે મળેલા 2 એન્જિનયરોની 3 Idiots ફિલ્મ જેવી કહાણી
ગમતું કામ કરવું જોઇએ એવી શીખ આપતા થ્રી ઇડિયટ પીક્ચરની સ્ટોરીને પણ ટક્કર મારે એવી જીવતી વારતાં સૂરતમાં ઘટી છે. બે ડિગ્રી ધારી એન્જિનિયરોએ પોતાને ઓછી ગમતી નોકરી છોડીને જેને પીવાનો બહું શોખ છે એ ચા નો સ્ટોલ કહો કે દુકાન કહો કે સ્ટુડીયો શરૂ કર્યો અને તેમને જરાય સંકોચ કે ખચકાંટ નથી. તેમને ચા પીવાની ગમે છે એટલે કામ શરૂ કર્યું. પોતે જ ચા બનાવે છે અને પોતે જ સર્વ કરે છે ચા. વાંચો એન્જિનિયરોની ચા ની કહાણી.
સુરતના બે મિત્રોએ..એક ભાઈનું નામ છે પ્રદીપ જે મિકેનિકલ એંજિનિયર થયેલા છે..કુવૈત, દુબઇની ઘણી મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી કરીને દોઢ લાખ રૂપિયા મહિને કમાતા હતા..અને બીજા છે ગણેશભાઈ જેમને હમણાં જ સિવિલ એંજિનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે..પણ નોકરી કરવા કરતા તેઓ પોતાની મહેનતથી રૂપિયા કમાવવા માંગતા હતા..અને એટલે બધી નાનપ બાજુ પર મૂકીને વરાછા મિનીબજારમાં તેમને શરૂ કરી આ ચા ની દુકાન અને નામ રાખ્યું ચાય મેકર્સ-બાય એંજિનિયર્સ..આ બંને એન્જીનિયર જાતે જ ચા બનાવે છે..જાતે જ ચા નો કપ ભરી આપે છે..હીરાની દુકાનોમાં ચાની ડિલિવરી આપવા પણ જાતે જ જાય છે.. (સૂરતના મહિલા પત્રકાર પારુલ મહાડીકની ફેસબુક વોલ પરથી સાભાર)
ઉપરના ફોટામાં યેલો ટીશર્ટમાં છે એ યુવાનનું નામ પ્રદીપ જાદવ છે જે મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે અને મિડલ ઇસ્ટમાં શારજાહ તેમજ દુબઇ નોકરી કરી ચૂક્યા છે. આ યુવાનની સાથે તેના પાર્ટનર કમ ફ્રેન્ડ ગણેશ પંડીત દૂધનાલય છે જે મહારાષ્ટ્રના લાતૂરના છે. આ બન્ને યુવાનો એન્જિનિયર છે, અભ્યાસ પછી સારી નોકરી મળી નહીં. એક દિવસ વાપી સ્ટેશન રોડ પર ગુજરાત ચા નામની ચાની કિટલીએ અનાયાસે બન્નેનો ભેટો થઇ ગયો. બન્નેએ એન્જિનિયરિંગની નોકરી ગમતી ન હોવાની વાતો શેર કરી. બન્ને ચા પીવાના ભારે રસીયા અને વાપીની ચાની દુકાને જ નક્કી કરી લીધું કે ચા બનાવીને વેચવાનો ધંધો શરૂ કરીએ.
આ વાતને માંડ એકાદ વર્ષ થયું હશે. અને આ પ્રદીપ જાદવ અને ગણેશ પંડીત દૂધનાલયએ સૂરતના મિનીબજાર ખાતે ગઇ તા.20મી જાન્યુઆરી 2020ના રોજ ચાય મેકર્સ નામની ચા ની દુકાન શરૂ કરી. એક મહિનામાં આ બન્ને મિત્રોએ શરૂ કરેલી ચાની દુકાન ચાલવા માંડી છે. પ્રદીપ જાદવે સી.આઇ.એ લાઇવને જણાવ્યું કે એક મહિનામાં સારો રિસ્પોન્સ છે અને અમે એન્જિનિયરિંગની નોકરી છોડીને આ ધંધો ચાલુ કર્યો છે અમે ખુશ છીએ. એવું લાગે છે અમારે માણસો રાખવા પડશે કેમકે અમે બે પહોંચી વળતા નથી એટલા ઓર્ડર મળી રહ્યા છે.
એન્જિનિયરોના હાથે બનાવેલી ચા પીવી હોય તો સૂરતના વરાછાના મિની બજારમાં આ દુકાનો જવું પડશે
ચા ની દુકાન શરૂ કરવા માટે સૂરતના વરાછા વિસ્તારમાં મિની બજાર જ કેમ પસંદ કર્યું એવા પ્રશ્નના ઉત્તરમાં પ્રદીપ જાદવે કહ્યું કે થોડો માર્કેટ સરવે કર્યો અને જાણવા મળ્યું કે વરાછા વિસ્તારમાં લોકો ચા પીવાના શોખીન છે તેમજ મિની બજાર સંપૂર્ણ કમર્શિયલ વિસ્તાર છે અને અહીં મોટા ભાગે મશીનની ચા મળી રહી છે. એટલે અમે આ લોકેશન પર દુકાન ભાડે રાખીને ચા નો બિઝનેસ શરૂ કર્યો.
એંજિનિયર્સની ચા જેવી તેવી તો હોય જ નહીં ને પાછી..દાર્જિલિંગથી ફિલ્ટર થઈને આવેલી અને સલ્ફર ફ્રી ખાંડથી બનેલી એક નહીં પણ 9 પ્રકારની ચા અહીં મળે છે. ચાની કિંમત પણ કંઈ વધારે ન સમજતા..વેરાયટી પ્રમાણે 15 રૂપિયાની અંદર એક ચા નો કપ મળી જશે પણ ટેસ્ટ એકદમ હટકે મળશે એની ગેરંટી. (સૂરતના મહિલા પત્રકાર પારુલ મહાડિકના ફેસબુક વોલ પરથી સાભાર)
પ્રદીપ જાદવે સી.આઇ.એ લાઇવને જણાવ્યું કે આપણા ઘરે બને છે તેવી સાદી ચા એક ફુલ કપના રૂ.10 છે જ્યારે ફ્લેવર્ડ ચા ના રૂ.15 આખો કપના રાખ્યા છે. તેમની દુકાનો હોટ ચોકલેટ, ગ્રીન ટી, ગ્રીન હની ટી, રોઝ ટી, લેમન ગ્રીન ટી, લેમન ટી, કોફી વગેરે વેરાઇટી ઉપલબ્ધ છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.