CIA ALERT

WE Archives - Page 38 of 63 - CIA Live

October 4, 2019
uka_london-1280x960.jpg
1min18430

ઉચ્ચ અભ્યાસમાં વિદેશની સ્ટડી ટૂરનું એક્સપોઝર અત્યંત જરૂરી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓએ કેવા પ્રકારની સંસ્થામાં પ્રવેશ લેવો જોઇએ એ અંગેની ગડમથલ વચ્ચે મોટા ભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓ સસ્તી, ફી માફી આપતી, ક્લાસ ભરવામાંથી મુક્તિ આપતી વગેરે પ્રકારની કોલેજો શોધતા હોય છે, પણ એવા વિદ્યાર્થીઓ અને વાલીઓની સંખ્યા હવે વધી રહી છે જેઓ અભ્યાસ સાથે એક્સપોઝર, બાહ્ય જ્ઞાન, વર્કિંગ અનુભવ, ફોરેન સ્ટડી ટૂર પર લઇ જતી સંસ્થાઓમાં પ્રવેશ લેતા હોય છે.

યુનાઇટેડ કિંગ્ડમ (લંડન)ની વિશ્વવિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટી સમેતની યુનિવર્સિટીઓની 10 દિવસની સ્ટડી ટૂર પર નીકળતા પૂર્વે ઉકા તરસાડીયા યુનિવર્સિટીના 24 વિદ્યાર્થીઓ સંસ્થાના પોવૉસ્ટ શ્રી ડો.દિનેશ શાહને મળ્યા હતા. શ્રી દિનેશ શાહે વિદ્યાર્થીઓને સ્ટડી ટૂપની આ તકને બન્ને હાથે શક્ય એટલી વધુ નોલેજ ગેઇનિંગ તરીકે લેવાની અપીલ કરી હતી.

સુરત નજીક બારડોલી મહુવા રોડ પર આવેલું માલીબા વિદ્યાસંકુલ અને તેમાં ચાલી રહેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ના વિદ્યાર્થીઓને આ વખતે એવી અમૂલ્ય તક મળી છે કે એ તક ઝડપીને 24 કોલેજીયન યુવક યુવતિઓ લંડન (યુનાઇટેડ કિંગ્ડમ)ની 10 દિવસની સ્ટડી ટૂર પર ઉપડી રહ્યા છે. ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ના વિદ્યાર્થીઓને લંડનની સ્ટડી પર પર જે એક્સપોઝર, નોલેજ ગેઇનિંગ મળશે એ લગભગ બીજે ક્યાંયથી નહીં મળી શકે.

વધુ મળતી માહિતી મુજબ ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU) સંચાલિત કોલેજોમાં આ વખતે એક વર્કશોપ કરવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓની કમ્યુનિકેટિંગ સ્કીલ્સ, અવેરનેસ, ઇંગ્લિશ કમ્યુનિકેશન્સ, બેઝિક નોલેજ વગેરે બાબતનો સ્ટડી કર્યા પછી તેમાં સફળ રહેલા વિદ્યાર્થીઓને બ્રિટીશ હાઇકમિશનરની કચેરી, ગ્લોબલ ટ્રેનિંગ એજ્યુકેશન પ્રોગ્રામના ભાગરૂપે અને ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ના પ્રયાસોથી લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટી તેમજ અન્ય સંસ્થાઓની સ્ટડી ટૂર પર મોકલવાનો પ્રોગ્રામ ઓફર કરવામાં આવ્યો.

ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ની મેનેજમેન્ટ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, કોમર્સ કોલેજ, ફાર્મસી કોલેજ વગેરે મળીને કુલ 24 યુવક યુવતિઓએ આ તક ઝડપી લીધી અને હવે તેઓ યુ.કે. જઇ રહ્યા છે.

યુ.કે. (U.K.)માં શું જોશે-જાણશે ઉકા તરસાડીયા યુનિ. (UTU)ના વિદ્યાર્થીઓ

10 દિવસના પ્રવાસ દરમિયાન ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું રોકાણ હોટેલ હોલિડે ઇન ખાતે રહેશે. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી, કોન્વેન્ટ્રી યુનિવર્સિટી તેમજ ફોરેસ્ટ્રી યુનિવર્સિટીની મુલાકાત લેશે, આ દરમિયાન ત્યાં યોજાનારા ગ્લોબલ સેમિનાર અને વર્કશોપ્સ પણ તેઓ એટેન્ડ કરશે.

October 1, 2019
lata.jpg
1min13610

ભારતના વિશ્વ પ્રસિદ્ધ કોકિલકંઠી ગાયક ગણાતા લતા મંગેશકર સોશ્યલ મિડીયા પર છાશવારે ધૂમ મચાવે છે.

ટ્વીટર ઉપર લતા મંગેશકરના ટ્વીટ ગણતરીના સમયમાં લોકો માટે ચર્ચાનો વિષય બને છે. હવે લતા મંગેશકરે 90 વર્ષની ઉંમરે સોશ્યલ મિડીયામાં એક મહત્વના માધ્યમ ગણાતા ઈન્સ્ટાગ્રામ પર આગમન ( ડેબ્યૂ ) કર્યું છે.

લતા મંગેશકરે 28મી સપ્ટેમ્બરે 90મો જન્મદિવસ મનાવ્યો હતો. જન્મદિનના બે દિવસ બાદ હવે લતા મંગેશકર’ ઈન્સ્ટાગ્રામ ઉપર આવ્યા છે. આ સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર લતા મંગેશકરે તસવીરો પણ પોસ્ટ કરી હતી.

તસવીરના કેપ્શનમાં લતા મંગેશકરે લખ્યું હતું કે નમસ્કાર, આજે પહેલી વખત લોકો સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે જોડાઈ છું. ઈન્સ્ટાગ્રામમાં લતા મંગેશકર જોડાયાના બે કલાકની અંદર 48 હજાર ચાહકો ફોલો કરી ચૂક્યા હતા. સોશિયલ મીડિયા ઉપર લતા મંગેશકરનું લોકોએ જોરદાર સ્વાગત કર્યું હતું અને શુભકામનાઓ પણ આપી હતી.

October 1, 2019
Apprenticeships-Logo.png
1min6550

પ્રેન્ટિસશિપ નિયમોમાં સુધારાનું જાહેરનામું

સરકાર દ્વારા તાલીમાર્થી (ટ્રેઇની-એપ્રેન્ટિસશિપ) નિયમ -1992માં સુધારાઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ દેશમાં કુશળ શ્રમબળ વધારવા અને પ્રશિક્ષુઓની તાલીમવૃત્તિ (સ્ટાઇપેન્ડ)માં વધારો કરવાનો છે.

ટ્રેઇની નિયમ 2019 અંતર્ગત કોઈપણ એકમમાં તાલીમાર્થીની ભરતીની સીમા વધારીને કુલ શ્રમબળના 1પ ટકા જેટલી કરવામાં આવશે. આ ઉપરાંત તેમને ચૂકવાતું સ્ટાઇપેન્ડ પણ વધારીને માસિક 9 હજાર રૂપિયા કરવામાં આવશે.

આ ઉપરાંત ફરજિયાત પ્રતિબદ્ધતા હેઠળ ટ્રેઇનીની સેવા લેવા માટે કોઈપણ સંસ્થાના કદની મર્યાદા પણ 40થી ઘટાડીને 30 કરવામાં આવી છે.

કૌશલ્ય વિકાસ મંત્રી મહેન્દ્રનાથ પાંડે દ્વારા આજે એક કાર્યક્રમના ઉપક્રમે કહેવામાં આવ્યું હતું કે, કાયદામાં નોંધપાત્ર સુધારાઓ કરવામાં આવ્યા છે અને તેનાથી સ્ટાઇપેન્ડની રકમ બમણા જેટલી વધી જશે. આ ઉપરાંત ટ્રેઇનીની સંખ્યા પણ વધીને 2.6 લાખ જેટલી થવાનો અંદાજ છે.

September 30, 2019
dropout.jpg
1min6690

એમ. ટૅક.ના અભ્યાસક્રમને વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ન કરી લે કે નોકરી ન મળે ત્યાં સુધીની વચગાળાની વ્યવસ્થા માનતા હોવાને કારણે આઈઆઈટી ખાતે એમ. ટૅક.નો અભ્યાસક્રમ અધવચ્ચે જ છોડી જનારાંઓનું પ્રમાણ પચાસ ટકા કરતા પણ વધુ હોવાનું આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર રામગોપાલ રાવે કહ્યું હતું.

તાજેતરમાં કરવામાં આવેલા ફી વધારાને તેમણે રસ ન ધરાવતા વિદ્યાર્થીઓ પરની સર્જિકલ સ્ટ્રાઈક લેખાવી હતી. ફી વધારો કરવાનો આઈઆઈટી કાઉન્સિલનો નિર્ણય આ સમસ્યાનો ઉકેલ લાવશે અને સરકારી ભંડોળની બચત કરશે.

આ અભ્યાસક્રમમાં રસ ન ધરાવતા વિદ્યાર્થીઓને અમુક મફત સુવિધાઓ આપીએ છીએ તે હવે બંધ થવી જોઈએ અને બેજવાબદાર બનેલી સિસ્ટમને ક્યાંક અટકાવવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.

અનેક વિદ્યાર્થી એમ. ટૅક.નો અભ્યાસ કરવા માટે ઍડમિશન લે છે, પરંતુ તેમાંથી પચાસ ટકા કરતા પણ વધુ વિદ્યાર્થી જેવી તેમને નોકરી મળે કે તરત જ અભ્યાસ અધવચ્ચેથી જ પડતો મૂકી દે છે.

બાકી બચેલા વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને તેમને હાલના તેમનાં અભ્યાસમાં બિલકુલ રસ હોતો નથી, એમ દેશની ૨૩ આઈઆઈટીની ટોચની નિર્ણાયક સંસ્થા આઈઆઈટી કાઉન્સિલના સભ્ય રાવે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ બાબત દેશના મૂલ્યવાન સ્રોતોનો બગાડ કરવા બરાબર છે. આઈઆઈટીમાં માસ્ટર્સની ડિગ્રીના અભ્યાસક્રમમાં પચાસ ટકા કરતા પણ વધુ ડ્રૉપઆઉટનો મતલબ વિદ્યાર્થીઓ માટે બી. ટૅક. બાદ તેમને મળતી નોકરીનું મૂલ્ય એમ. ટૅક.ના અભ્યાસ બાદ તેઓ જે કારકિર્દી ઘડી શકે છે તેનાં કરતા વધુ છે.

આવા વિદ્યાર્થીઓને અમે કરદાતાઓની મહેનતના રૂપિયાથી મફત શિક્ષણ કઈ રીતે આપી શકીએ જ્યારે તેમને પોતાને જ એ અભ્યાસક્રમનું મૂલ્ય નથી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ ચેતવણીરૂપ પરિસ્થિતિ છે.

September 24, 2019
icai_logo.jpeg
5min7520

ICAI દિલ્હી કચેરી સામે જોરદાર દેખાવો, ટ્વીટર પર ICAI સામે મોટી ઝુંબેશ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશની સૌથી વિશ્વસનીય સંસ્થા ગણાતી ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ICAI દ્વારા દેશવ્યાપી ધોરણે લેવામાં આવતી સી.એ. ની જુદી જુદી પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણીમાં ધાંધલી થઇ હોવાના સંગીન આરોપો સોશ્યલ મિડીયામાં હાલ ICAI પર કાદવ ઉછાળી રહ્યા છે. હદ ત્યારે થઇ કે ICAI મૂલ્યાંકન પદ્ધતિ સામે સવાલો ઉઠાવીને કેન્દ્ર સરકારના મંત્રીઓ સુધી તેને પહોંચાડવામાં આવી હતી.

દરમિયાન આજે તા.24મી સપ્ટેમ્બર 2019ની સવારે નવી દિલ્હી સ્થિત ICAIની વડી કચેરી પર સી.એ.ની જુદી જુદી પરીક્ષા આપી રહેલા ઉમેદવારોએ ICAIની મૂલ્યાંકન પદ્ધતિ સામે દેખાવો કર્યા હતા.

ICAIની નવી દિલ્હી સ્થિત વડી કચેરીની બહાર સી.એ.ની પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારોએ મૂલ્યાંકન પદ્ધતિ સામે દેખાવો કર્યા હતા.

સી.એ.ની જુદી જુદી પરીક્ષઆ આપનારા વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી હતી કે જ્યારે પરીણામો જાહેર થયા હતા ત્યારથી જ તેમને પરીણામ બાબતે અસંતોષ હતો. મૂલ્યાંકનમાં ગરબડી અંગે સોશ્યલ મિડીયા મારફતે જાણકારી મળી ત્યારે અમારી ફરીયાદ સાચી લાગી છે. ICAI આ મામલામાં દરેક વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહી દર્શાવીને બતાવી દેવું જોઇએ કે ગરબડીની ફરીયાદો સાચી છે કે ખોટી

ICAI દ્વારા વેબસાઇટ પર મૂલ્યાંકન પદ્ધતિ અંગે આ પ્રકારે સ્પષ્ટતા કરવામાં આવી હતી

ANNOUNCEMENT- Evaluation of answer books of CA exams
September 21, 2019
It has been brought to our notice that certain adverse reports relating to the system of evaluation of answer books of CA exams are doing the rounds in social media. In this connection, following reforms which have been put in place recently are brought to the attention of the stakeholders in respect of the ICAI examination system

1.Digital evaluation : As communicated in January 2019 Chartered Accountant Student newsletter , continuing further from the pilot e evaluation for first group of Intermediate Nov 2018 exams; all papers of Intermediate and Foundation level exams in November 2019/May 2020 will be put through the digital evaluation mode bringing in following benefitsDoing away with stages of physical handling of answer booksAvoiding variations in marks awarded by examiners.Eliminating scope of any totalling errorsContinuous review of performance of the Examiners on real time basis;Generation of analytical reports enabling quality control checks; and2. Central evaluation: Further the Central Evaluation is being carried out in several papers of CA exams, w.e.f November 2018 wherein examiners evaluate answer books under the supervision of Head Examiner/Associate Head Examiners.

3. Machine based evaluation: Effective May, 2019 exams, objective type questions for 30 marks have been introduced in select papers of Intermediate and Final Exams. Further the Institute has decided to introduce OMR based evaluation for MCQ’s of Elective Papers 6A to 6F of final New course with effect from November 2019 which are machine processed thus avoiding subjectivity.

4.Stepwise marking : Provision regarding stepwise marking is being enforced whereby in case the stepwise marks are not awarded ; it will be deemed as unevaluated answer and stepwise marks will be awarded during the course of re verification of marks

5.Mandatory on-line test for empanelment of examiners: All applicants shortlisted for empanelment as examiners are required to qualify an on-line test in the subject of their choice before inclusion of their names in the Panel of Examiners. It has further been decided that all existing examiners would also be required to undergo an on-line test in their respective subjects, once in 3 years.

Budding students are the backbone of the Chartered Accountancy profession as with them lies the future and growth of the profession. Various endeavours of the Institute through its Board of Studies like World class study material, Live Virtual /Revision Classes, training opportunities for article/industrial training, constant study updates, monthly student journal ,GMCS and ITT batches are targeted to build capability of students providing due scalability .Students are requested to be not to be misled and swayed by any tirade as ICAI stands committed to fulfil their genuine concerns.
દિલ્હીમાં આઇસીએઆઇ સામે થઇ રહેલા દેખાવોમાં હજારો ઉમેદવારો જોડાઇ રહ્યા છે.

#icaipleasechange ટ્વીટર પર આ હેશટેગથી ટ્રોલ થઇ રહી છે ICAI

ટ્વીટર પર આઇ.સી.એ.આઇ.ના ઇમેલની વિગતો જાહેર કરવામાં આવી
ટ્વીટર પર આઇ.સી.એ.આઇ.ના ઇમેલની વિગતો જાહેર કરવામાં આવી
September 23, 2019
harmanpreet.jpg
1min7630

અમે ભૂતકાળ નહીં ભવિષ્યને ધ્યાને રાખીને રમીએ છીએ : ડબલ્યુ.વી. રમન, કોચ વુમન્સ ક્રિકેટ ટીમ ઇન્ડિયા

તા.24મી સપ્ટેમ્બર 2019ની સાંજથી સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડીયમ ખાતે શરૂ થઇ રહેલી ઇન્ડિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકાની વુમન્સ ટી ટ્વેન્ટી ક્રિકેટ સિરીઝની પૂર્વ સંધ્યાએ બન્ને ટીમના કેપ્ટન્સ અને કોચની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી. રમનએ તાજેતરની મહિલા ક્રિકેટ ટીમની સિરીઝ હાર અને સુરત ખાતે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનની કંગાળ રમત અંગે કશું કહેવાનો ઇન્કાર કરીને ફક્ત એટલું જ કહ્યું હતું કે અમે ભૂતકાળને નહીં ભવિષ્યને ધ્યાને લઇને રમીએ છીએ. ડબલ્યુ વી. રમને ઉમેર્યું કે જે વીતી ગયું છે તેને ભૂલી જઇને ભવિષ્યમાં શું તેના પર રમત રમવી જોઇએ.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી. રમનએ સુરત ખાતે ઇન્ડિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકા વુમન્સ ટી ટ્વેન્ટી ક્રિકેટ સિરીઝની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોફરન્સ સંબોધી હતી.

ડબલ્યુ વી. રમને કહ્યું કે તેઓ આગામી ફેબ્રુઆરી 2020માં ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનારા વિમેન્સ વર્લ્ડકપ ટી ટ્વેન્ટી માટેની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બિલ્ડીંગ પર હાલ ફોકસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં ભારતીય મહિલા ક્રિકેટરો દરેક પાસામાં તેમની બેસ્ટ રમત દર્શાવી જ રહી છે. ભારતીય મહિલાઓની વર્લ્ડ કપ માટેની ક્રિકેટ ટીમનું ઘડતર હાલમાં ઉપલબ્ધ ખેલાડીઓના હવે પછીની મેચોના પરફોર્મન્સ પરથી થવાનું છે.

સુરતની ગ્રાઉન્ડ કન્ડીશન્સ અંગે ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી. રમને કહ્યું કે ફર્સ્ટ ક્લાસ ફેસેલિટીઝ છે, અમે ગ્રાઉન્ડ કન્ડીશનથી ખુશ છીએ. બસ વરસાદ નહીં પડવો જોઇએ. બાકી બધી જ કન્ડીશનને તેમણે ઓલ વેલ ગણાવી હતી.

T-20 વર્લ્ડ કપ પહેલા અમારી પાસે હવે 15 મેચો બચી છે : હરમનપ્રિત કૌર, વુમન્સ ટીમ ઇન્ડિયા કેપ્ટન

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરએ સુરત ખાતે પ્રેસ કોફરન્સમાં ટીમ ઇન્ડિયા અંગે વાતચીત કરી હતી.

ઇન્ડીયન વિમેન્સ ક્રિકેટ કેપ્ટન હરમનપ્રિત કૌરએ જણાવ્યું હતું કે વિમેન્સ વર્લ્ડ કપ પહેલા ટીમ પાસે હવે ફક્ત 15 જેટલી ઇન્ટરનેશનલ મેચીસ છે અને આ મેચીસ દરમિયાન અમારે પરફોર્મન્સ દર્શાવવાનું છે. તેણે કહ્યું કે ટીમ ઇન્ડિયાની દરેક પ્લેયર તેની ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે કટિબદ્ધ છે. હરમનપ્રિતે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ અંગે જણાવ્યું કે એ શ્રેષ્ઠ ટીમ છે અને તેમની સામે રમવાનું હંમેશા ટફ હોય છે, બેટિંગ, બોલિંગ, ફિલ્ડીંગમાં તેઓ હાલમાં બેસ્ટ ટીમ ગણાય રહી છે. સુરત ખાતેની સિરીઝમાં અમે પણ અમારી રીતે પરફોર્મન્સ આપવા માટે બિલકુલ રેડી છીએ.

સુરત ખાતે યોજાનારી મેચો ક્યારે વાંચો અહીં http://cialive.in/sdcastadium/

સુરત ખાતેના ગ્રાઉન્ડમાં પહેલી વખત ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચ યોજાઇ રહી છે, નવા વેન્યુ પર રમવા માટે તમારે કેવી અને કેટલી તૈયારી કરવી પડતી હોય છે એવા પ્રશ્નના ઉત્તરમાં હરમનપ્રિત કૌરે જણાવ્યું કે ટીમ ઇન્ડિયા હંમેશા જુદા જુદા વેન્યુ પર રમતી હોય છે, ફોકસ એ જ હોય છે કે દરેક ખેલાડી તેની ક્ષમતા અનુસાર બેસ્ટ પ્રદાન કરે.

15 વર્ષિય ખેલાડી સેફાલીને અમે તેની નેચરલ રમત રમવાની છૂટ આપી છે

ફક્ત 15 વર્ષિય ટીમ પ્લેયર સેફાલી અંગે ઇન્ડિયન ક્રિકેટ ટીમ કેપ્ટન હરમનપ્રિત કૌરે કહ્યું કે તેની વયને જોતા અમે તેને તેની નેચરલ ગેમ રમવા માટે જ પ્રોત્સાહિત કરીએ છીએ. 15 વર્ષની ઉંમરે એ ઇન્ડિયન વુમન્સ ટીમ સુધી પહોંચે એ દર્શાવે છે કે સેફાલી એક ક્ષમતાવાન પ્લેયર છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી એ વેળા લેવાયેલી તસ્વીર
September 23, 2019
ielts_toefl.jpg
1min5790

ઈચ્છુક ઉમેદવારોએ સંબંધિત આરોગ્ય નિયામક પાસે નામ નોંધાવવા ઑક્યુપેશનલ ઈંગ્લિશ ટૅસ્ટ (ઓઈટી) આપવાની રહેશે અને યુકે હવે ઓઈટીનાં માર્ક્સ સ્વીકારશે જેને કારણે હવે યુકેમાં પ્રેક્ટિશ કરવા માગતા ડૉક્ટર, ડૅન્ટિસ્ટ, નર્સે ઈંગ્લિશ ભાષા માટેની ટૉફેલ કે ઈઈએલટીએસની પરીક્ષા નહીં આપવી પડે.

ઓઈટી અંગ્રેજી ભાષાનો પ્રયોગ થતો હોય તેવા વાતાવરણમાં પ્રૅક્ટિશ કરવા માગતા અને નામ નોંધવવા માગતા લોકોની એ ભાષામાં વાતચીત કરવાની ક્ષમતાની ચકાસણી કરવા માટેની પરીક્ષા છે.

ઉમેદવારોએ અગાઉ નામ નોંધાવવા યુકેસ્થિત બે આરોગ્ય બૉર્ડ (નર્સિંગ ઍન્ડ મીડવાઈફરી કાઉન્સિલ તેમ જ જનરલ મૅડિકલ કાઉન્સિલ)ની પરીક્ષા આપવા ઉપરાંત વિઝા માટે અરજી કરવા ટૉફેલ કે આઈઈએલટીએસની પરીક્ષા આપવી પડતી હતી.

ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવેલા ફેરફારને કારણે દેશમાં હૉસ્પિટલ ચલાવતા અને તબીબી પ્રેક્ટિશ કરતા લોકો વધુ ઝડપથી કર્મચારીઓની ભરતી કરી શકશે.

આ ફેરફાર પહેલી ઑક્ટોબરથી ટીયર ટૂ (જનરલ) વિઝા માટે અરજી કરનાર લોકોને લાગુ પડશે.

September 21, 2019
amit-panghal-1280x720.jpg
1min6790

મુક્કાબાજીનો એશિયન ચૅમ્પિયન અમિત પંઘાલ ગઈ કાલે વર્લ્ડ બૉક્સિગં ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય બન્યો હતો. બાવન કિલો વર્ગમાં તેણે રસાકસીભર્યા સેમી ફાઇનલ મુકાબલામાં કઝાખસ્તાનના સાકેન બિબોસિનોવને ૩-૨થી હરાવ્યો હતો. ભારતનો જ મનીષ કૌશિક (૬૩ કિલો વર્ગ) બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ખેડૂત-પુત્ર કૌશિકે પીટીઆઇને કહ્યું હતું કે ‘મને ખાતરી હતી કે હું વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ જીતીશ જ. મેં ટ્રાયલમાં શિવા થાપાને હરાવ્યો ત્યારે જ મને ખાતરી થઈ ગઈ કે હવે હું વર્લ્ડ મેડલ જીતીશ જ.’

ભારતનો જાણીતો બૉક્સર વિજેન્દર સિંહ ૨૦૦૯ની સાલમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપનો બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો અને આ સ્પર્ધામાં તેનો એ સૌથી સારામાં સારો પર્ફોર્મન્સ હતો અને કૌશિકે ગઈ કાલે કાંસ્યચંદ્રકની તેના જેવી સિદ્ધિ મેળવી હતી. જોકે, હવે પંઘાલ ગોલ્ડ મેડલ અથવા સિલ્વર મેડલ જીતીને ભારત માટે નવા ઇતિહાસનું સર્જન કરશે. પંઘાલની આજે ફાઇનલમાં ઑલિમ્પિક ચૅમ્પિયન ઉઝબેકિસ્તાનના શાખોબિદિન ઝોઇરોવ સાથે ટક્કર થશે. ઝોઇરોવે સેમી ફાઇનલમાં ફ્રાન્સના બિલ્લાલ બેન્નમાને હરાવ્યો હતો.

વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારત વતી વિજેન્દરની જેમ વિકાસ ક્રિષ્નન (૨૦૧૧), શિવા થાપા (૨૦૧૫) અને ગૌરવ બિધુરી (૨૦૧૭) બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. જોકે, પંઘાલે ગઈ કાલે સેમીમાં જીત્યા પછી પત્રકારોને કહ્યું, ‘હું ગોલ્ડ મેડલ જીતવા કોઈ કસર બાકી નહીં રાખું.’

દરમિયાન, કૌશિકનો ગઈ કાલે સેમી ફાઇનલમાં ટૉપ-સીડેડ ક્યુબાના ઍન્ડી ગોમેઝ ક્રુઝ સામે ૦-૫થી પરાજય થયો હતો.

September 19, 2019
lalbhai.jpg
1min10710

વિશ્વભરના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટીની યાદીમાં પહેલા ક્રમે બિરાજતા સુરત શહેરમાં સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટીઝ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસની બની રહી છે અને એમાં દક્ષિણ આફ્રિકાની વુમન નેશનલ ક્રિકેટ ટીમના કેપ્ટન પણ હામી પુરાવી છે. સુરતની મુલાકાતે આવેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન સૂને લુસએ આજે કહ્યું હતું કે સુરતમાં અવ્વલ દરજ્જાનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને હું તેને ડર્બન ક્રિકેટ સ્ટેડિયમ સાથે સરખાવી શકું.

દક્ષિણ આફ્રિકાના ડર્બન જેવું લાગે છે સુરતનું લાલભાઇ ક્રિકેટ સ્ટેડીયમ એવું સુરતમાં ક્રિકેટ રમવા આવેલી દક્ષિણ આફ્રિકાની નેશનલ વુમન ક્રિકેટ ટીમના કેપ્ટન સને લૂસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

ફાસ્ટેસ્ટ સિટી સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડથી આફ્રિકન મહિલા ક્રિકેટ કેપ્ટન પ્રભાવિત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે આગામી દિવસોમાં પાંચ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચો રમાવાની છે. બી.સી.સી.આઇ. અને ગુજરાત ક્રિકેટ એસોસીએશનના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના ઉપક્રમે આ મેચો યોજાવાની છે. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ સુરત આવી પહોંચી છે અને તા.20 સપ્ટેમ્બર અને 22મી સપ્ટેમ્બરના રોજ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન સામે તેઓ પ્રેક્ટિસ મેચ રમશે. એ પછી પાંચ ક્રિકેટ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચ રમાશે.

તા.20 અને તા.22મીની પ્રેક્ટિસ મેચો સવારે 11 કલાકે શરૂ થશે અને તેના માટે કોઇ જ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. શહેરીજનો આ મેચ સ્ટેડીયમ પર જઇને નિહાળી શકે છે.

  • ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચોનું શિડ્યુલ આ મુજબ છે, પાંચેય મેચો ડે નાઇટ રમાશે
  • તા.24મી સપ્ટેમ્બર પહેલી મેચ
  • તા.26મી સપ્ટેમ્બર બીજી મેચ
  • તા.29મી સપ્ટેમ્બર ત્રીજી મેચ
  • તા.1લી ઓક્ટોબર ચોથી મેચ
  • તા.4 ઓક્ટોબર પાંચમી મેચ

સુરતના ગ્રાઉન્ડ પર પહેલી વખત યોજાનારી ઇન્ટરનેશનલ મહિલા ક્રિકેટમાં ભારત અને આફ્રિકાની તમામ મેચોનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ અને હોટસ્ટાર પર કરાશે

આ છે આફ્રિકાના મહિલા ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન સુને લૂસ , જેમણે તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ સુરત ખાતે પ્રેસ કોન્ફરેન્સ સંબોધી હતી.

દરમિયાન આજે આફ્રિકન મહિલા ક્રિકેટ કેપ્ટન અને કોચ તેમજ બીસીસીઆઇ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનના કેપ્ટન અને મેનેજરએ સુરતના પત્રકારો સાથે વાતચીત કરી હતી.

આફ્રિકન મહિલા ક્રિકેટ કેપ્ટન સુને લૂસે જણાવ્યું હતું કે તેમણે સુરતની પીચનું હજુ નિરીક્ષણ કર્યું નથી પરંતુ, બાકીની ફેસેલિટીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેસ્ટ સ્ટાન્ડર્ડના હોવાનો તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

September 17, 2019
ibps.jpg
2min91480

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોઇપણ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા હોય એવા 28 વર્ષની વય સુધીના યુવક યુવતિઓ માટે બેંકની નોકરીની જબરદસ્ત તક આવી છે. આઇ.બી.પી.એસ. એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન દ્વારા દેશભરમાં આવેલી 17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની 12000થી વધુ પોસ્ટ્સ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આઇ.બી.પી.એસ.ની નીચે દર્શાવેલી વેબસાઇટ લિંક પર ક્લીક કરીને કોઇપણ ગ્રેજ્યુએટ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

https://www.ibps.in

17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની આટલી મોટી ભરતી પ્રક્રિયા પહેલી વખત હાથ ધરવામાં આવી છે. નીચે દર્શાવેલી બેંકોની દેશભરમાં પથરાયેલી બ્રાન્ચમાં ક્લેરીકલ કેડરની ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવાની રહે છે.

રસ ધરાવતી ગ્રેજ્યુએટ ઉમેદવારોએ તા.17મી સપ્ટેમ્બર 2019થી તા.9મી ઓક્ટોબર 2019 સુધીમાં ઓનલાઇન પોતાની અરજી કરવાની રહેશે.

બે પ્રકારની પરીક્ષા લેવાશે

આઇ.બી.પી.એસ. ક્લેરીકલ કેડરની પોસ્ટસની ભરતી પ્રક્રિયામાં બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. પહેલા તબક્કામાં પ્રીલિમનરી પરીક્ષા અને બાદમાં મેઇન પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને બેંકમાં ક્લેરીકલ કેડરની જોબ માટે પસંદ કરવામાં આવશે. પરીક્ષામાં શું પૂછાશે તેની સઘળી માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

આઇ.બી.પી.એસ. બેંક ક્લાર્કની ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન અહીંથી ડાઉનલોડ કરી શકશો

https://www.ibps.in/wp-content/uploads/DetailedAdvtCRP_Clerks_IX.pdf