CIA ALERT

WE Archives - Page 39 of 63 - CIA Live

September 19, 2019
lalbhai.jpg
1min10760

વિશ્વભરના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટીની યાદીમાં પહેલા ક્રમે બિરાજતા સુરત શહેરમાં સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટીઝ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસની બની રહી છે અને એમાં દક્ષિણ આફ્રિકાની વુમન નેશનલ ક્રિકેટ ટીમના કેપ્ટન પણ હામી પુરાવી છે. સુરતની મુલાકાતે આવેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન સૂને લુસએ આજે કહ્યું હતું કે સુરતમાં અવ્વલ દરજ્જાનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને હું તેને ડર્બન ક્રિકેટ સ્ટેડિયમ સાથે સરખાવી શકું.

દક્ષિણ આફ્રિકાના ડર્બન જેવું લાગે છે સુરતનું લાલભાઇ ક્રિકેટ સ્ટેડીયમ એવું સુરતમાં ક્રિકેટ રમવા આવેલી દક્ષિણ આફ્રિકાની નેશનલ વુમન ક્રિકેટ ટીમના કેપ્ટન સને લૂસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

ફાસ્ટેસ્ટ સિટી સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડથી આફ્રિકન મહિલા ક્રિકેટ કેપ્ટન પ્રભાવિત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે આગામી દિવસોમાં પાંચ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચો રમાવાની છે. બી.સી.સી.આઇ. અને ગુજરાત ક્રિકેટ એસોસીએશનના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના ઉપક્રમે આ મેચો યોજાવાની છે. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ સુરત આવી પહોંચી છે અને તા.20 સપ્ટેમ્બર અને 22મી સપ્ટેમ્બરના રોજ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન સામે તેઓ પ્રેક્ટિસ મેચ રમશે. એ પછી પાંચ ક્રિકેટ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચ રમાશે.

તા.20 અને તા.22મીની પ્રેક્ટિસ મેચો સવારે 11 કલાકે શરૂ થશે અને તેના માટે કોઇ જ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. શહેરીજનો આ મેચ સ્ટેડીયમ પર જઇને નિહાળી શકે છે.

  • ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચોનું શિડ્યુલ આ મુજબ છે, પાંચેય મેચો ડે નાઇટ રમાશે
  • તા.24મી સપ્ટેમ્બર પહેલી મેચ
  • તા.26મી સપ્ટેમ્બર બીજી મેચ
  • તા.29મી સપ્ટેમ્બર ત્રીજી મેચ
  • તા.1લી ઓક્ટોબર ચોથી મેચ
  • તા.4 ઓક્ટોબર પાંચમી મેચ

સુરતના ગ્રાઉન્ડ પર પહેલી વખત યોજાનારી ઇન્ટરનેશનલ મહિલા ક્રિકેટમાં ભારત અને આફ્રિકાની તમામ મેચોનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ અને હોટસ્ટાર પર કરાશે

આ છે આફ્રિકાના મહિલા ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન સુને લૂસ , જેમણે તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ સુરત ખાતે પ્રેસ કોન્ફરેન્સ સંબોધી હતી.

દરમિયાન આજે આફ્રિકન મહિલા ક્રિકેટ કેપ્ટન અને કોચ તેમજ બીસીસીઆઇ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનના કેપ્ટન અને મેનેજરએ સુરતના પત્રકારો સાથે વાતચીત કરી હતી.

આફ્રિકન મહિલા ક્રિકેટ કેપ્ટન સુને લૂસે જણાવ્યું હતું કે તેમણે સુરતની પીચનું હજુ નિરીક્ષણ કર્યું નથી પરંતુ, બાકીની ફેસેલિટીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેસ્ટ સ્ટાન્ડર્ડના હોવાનો તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

September 17, 2019
ibps.jpg
2min91540

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોઇપણ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા હોય એવા 28 વર્ષની વય સુધીના યુવક યુવતિઓ માટે બેંકની નોકરીની જબરદસ્ત તક આવી છે. આઇ.બી.પી.એસ. એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન દ્વારા દેશભરમાં આવેલી 17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની 12000થી વધુ પોસ્ટ્સ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આઇ.બી.પી.એસ.ની નીચે દર્શાવેલી વેબસાઇટ લિંક પર ક્લીક કરીને કોઇપણ ગ્રેજ્યુએટ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

https://www.ibps.in

17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની આટલી મોટી ભરતી પ્રક્રિયા પહેલી વખત હાથ ધરવામાં આવી છે. નીચે દર્શાવેલી બેંકોની દેશભરમાં પથરાયેલી બ્રાન્ચમાં ક્લેરીકલ કેડરની ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવાની રહે છે.

રસ ધરાવતી ગ્રેજ્યુએટ ઉમેદવારોએ તા.17મી સપ્ટેમ્બર 2019થી તા.9મી ઓક્ટોબર 2019 સુધીમાં ઓનલાઇન પોતાની અરજી કરવાની રહેશે.

બે પ્રકારની પરીક્ષા લેવાશે

આઇ.બી.પી.એસ. ક્લેરીકલ કેડરની પોસ્ટસની ભરતી પ્રક્રિયામાં બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. પહેલા તબક્કામાં પ્રીલિમનરી પરીક્ષા અને બાદમાં મેઇન પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને બેંકમાં ક્લેરીકલ કેડરની જોબ માટે પસંદ કરવામાં આવશે. પરીક્ષામાં શું પૂછાશે તેની સઘળી માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

આઇ.બી.પી.એસ. બેંક ક્લાર્કની ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન અહીંથી ડાઉનલોડ કરી શકશો

https://www.ibps.in/wp-content/uploads/DetailedAdvtCRP_Clerks_IX.pdf

September 9, 2019
icai_logo.jpeg
1min5450

ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી નવેમ્બર 2019માં લેવામાં આવનારી તમામ પરીક્ષાઓની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.

September 3, 2019
jee_main.png
1min18100

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ મેથેમેટિક્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખાસ નોંધવા જેવા સમાચાર એ છે કે તા. 2 સપ્ટેમ્બર 2019થી જેનું રજિસ્ટ્રેશન થયું છે એ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે એન્ટ્રીલેવલ ટેસ્ટ જેઇઇ મેઇન્સ ની પરીક્ષા પેટર્ન બદલવામાં આવી છે.

અત્યાર સુધી 360 માર્કસની લેવાતી જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 થી 300 માર્કસની લેવામાં આવશે.

ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેયમાં કુલ 25-25-25 સવાલો હશે. 20 સવાલો એમસીક્યુ બેઝ્ડ હશે, આ સવાલોના પ્રત્યેક સાચા જવાબના કુલ 4 ગુણ અને ખોટા જવાબોના માઇનસ એક ગુણ જ્યારે જવાબ નહીં લખનારને ઝીરો માર્કસ મળશે. 5 સવાલોના ન્યુમેરિકલ જવાબો હશે. ન્યુમેરિકલ જવાબો ધરાવતા સવાલોમાં નેગેટિવ માર્કિંગનો નિયમ લાગુ પડશે નહીં.

જેઇઇ મેઇન્સ 2020થી પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફારો આવ્યા પછીની પેટર્ન માટે આ વાંચો

જેઇઇ મેઇન્સ પરીક્ષામાં જાન્યુઆરી 2020થી થઇ રહેલા ફેરફારો અંગે સુરત સમેત ગુજરાતની મોટા ભાગની સાયન્સ સ્કુલો અને તેમાં જેઇઇ ભણાવી રહેલા શિક્ષકો તેમજ ધંધાદારી કોચિંગ ક્લાસીસોના સંચાલકો અજાણ છે, આ સમાચાર શક્ય હોય તેટલા ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ સુધી પહોંચતા કરવા જરૂરી છે.

August 30, 2019
sda.jpg
1min12140

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દિકરી તો પારકી થાપણ કહેવાય….આ લોકપ્રિય ગુજરાતી ગીતની કડી સાથે ગૌરવભેર ઉમેરાય એવી કડી જોડી છે સુરતની રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલના કર્તાહર્તાઓએ.

દિકરીઓને પારકી થાપણ સમજતા સમાજમાં પ્રેરણાદાયી દાખલો બેસે એ માટે અને ભારત સમેત ગુજરાતમાં જ્યારે સેક્સ રેશિયો 1000 પુરુષે 823 સ્ત્રી સુધી નિમ્નસ્તરે પહોંચી ચૂક્યો છે એવા સંજોગોમાં સુરતની RTSV ડાયમંડ હોસ્પિટલના સંચાલકોએ બેટી બચાવો અભિયાન હાથ ધર્યું અને પરિવારમાં બીજી દિકરીને જન્મ આપતા માબાપને ધન્યતાથી વધાવવા સાથે તેમના ઘરે જન્મેલી (લોકગીત મુજબ પારકી થાપણ) દિકરીઓના નામે પોતીકી (પોતાની) થાપણ મૂકીને તેમનું જાહેર અભિવાદન કરવામાં આવે છે.

ભારત બેટી બચાવો બેટી પઢાવો સૂત્રને સાર્થક કરવા માટે ચૌતરફા પ્રયાસો થઇ રહ્યા છે. સરકારથી શરૂ કરીને બિનસરકારી સંસ્થાઓ અને વ્યકિગત પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ, કહેવા દો કે બેટી બચાવો માટેનો સૌથી નક્કર અને પરીણામદાયી પ્રયાસ માનવામાં આવે છે સુરતની RTSV ડાયમંડ હોસ્પિટલની બોન્ડ વિતરણના કન્સેપ્ટને.

RTSV ડાયમંડ હોસ્પિટલ, સુરતના મંત્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે તેઓ આગામી તા.31મી ઓગસ્ટને શનિવારે 250 દિકરીઓના મા-બાપને (પ્રત્યેક) 1-1 લાખ રૂપિયાના બોન્ડ એનાયત કરવા જઇ રહ્યા છે.

તેમણે કહ્યું કે RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલએ 5 વર્ષ પૂરા કરીને 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ બેટી બચાવો અભિયાન હાથ ધરીને અત્યાર સુધીમાં હજારો દિકરીઓને જન્મ મળે એ માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે.

દિનેશ નાવડીયાએ કહ્યું કે જે પરિવારમાં એક દિકરી પછી બીજી દિકરી જન્મે એ પરિવારનું જાહેર અભિવાદન કરવા સાથે એ માબાપને દિકરીના નામે રૂ.1 લાખના બોન્ડ અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 1018 દિકરીઓને આ પ્રમાણે રૂ.1-1 લાખના બોન્ડ RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. એક લાખ રૂપિયાના બોન્ડ દિકરી જ્યારે 18 વર્ષની થશે ત્યારે તેના ખાતામાં જમા થઇ જાય એ પ્રકારની વેલિડીટી ધરાવે છે.

આમ પારકી થાપણોના નામે પોતીકી થાપણ આપવાનો આવકારદાયક પ્રયાસ RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ કરી રહી છે.

August 29, 2019
shagun.jpg
1min13350

શાળાના શિક્ષણને લગતી બધી માહિતી આપતું અને દેશની ૧૫ લાખ શાળાને જોડતા શાળાના શિક્ષણ માટેના પોર્ટલ ‘શગુન’નું કેન્દ્રીય એચઆરડી પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકે બુધવારે ઉદ્ઘાટન કર્યું હતું. બધી શાળાઓને જીઓ ટેગ કરવામાં આવી છે અને એમણે આપેલી બધી જ માહિતી આ પોર્ટલ દ્વારા જાણી શકાશે. 

August 26, 2019
magic-1280x1771.jpg
1min11950

રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે બહાર પાડેલા એક તાજા પરિપત્રમાં તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓમાં જાદુગરના ખેલો બતાવવા કે જાદુગરના ખેલ બતાવવા વિદ્યાર્થીઓને લઇ જવા પર પ્રતિબંધ લાદ્યો છે. શાળાઓમાં જાદુના ખેલોના નામે એક મોટો વેપાર પણ ચાલી રહ્યો હતો. વિદ્યાર્થીઓને 30થી 50 ટકા કન્સેશન આપીને આખીને આખી સ્કુલોમાં જાદુના ખેલો બતાવીને રોકડી કરવાનો ધંધો લાખો રૂપિયા રળી આપતો હોય, ગુજરાતમાં અનેક જાદુગરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા હતા. જાદુગરોના શો આમેય ફક્ત શાળાઓ પૂરતા સિમીત બની ચૂક્યા હતા.

સૌરાષ્ટ્રના અમરેલીના એક જાદુગરે શિક્ષણમંત્રીને કરેલી ફરીયાદના અનુસંધાને સમગ્ર રાજ્યમાં શાળાકીય સ્તરે જાદુગર કે જાદુના ખેલો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાદુગરના ખેલમાં કેટલાક આગ સાથે રમતો, તિક્ષ્ણ હથિયાર સાથેના ખેલો હોઇ, સેફ્ટી સિક્યુરિટીના કોઇ પગલાં લેવાતા નથી તેમજ જાદુના ખેલોથી મનોરંજન સિવાય કશું ઉપલબ્ધ થતું  ન હોવાથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને બહાર લઈ જઈને પણ જાદુનો ખેલ નહીં બતાવી શકાય

રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં જાદુના ખેલ બતાવવા પર તેમજ જાદુના ખેલ બતાવવા માટે જાદુગરના ટેન્ટ સુધી વિદ્યાર્થીઓને લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક પરિપત્રનો માત્ર સરકારી જ નહીં પરંતુ રાજ્યની ખાનગી શાળાઓમાં પણ અમલ કરવા માટે આદેશ અપાયો કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે આ અંગે પરિપત્ર બહાર પાડી સૂચના આપી છે.

અમરેલી જિલ્લાના એક જાદુગરે રાજ્યના શિક્ષણમંત્રીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જાદુગરો દ્વારા સ્કૂલનો સમય બગાડી જાદુના ખેલ બતાવતા હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહ્યું હતું કે, રાજ્યમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નિકળેલા જાદુગરો પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓને જાદુ બતાવી મનોરંજન પૂરું પાડવું છે તેમ જણાવી અધિકારી-કચેરી ખાતે ખોટી વિગતો રજૂ કરી પરિપત્ર કરાવી કાર્યક્રમો યોજતા હોય છે. આવા જાદુગરો શાળાઓમાં બે કલાકનો ખેલ બતાવી સ્કૂલનો અને વિદ્યાર્થીનો શિક્ષણનો અમૂલ્ય સમય બરબાદ કરતા હોય છે.

આ ઉપરાંત ઘણી જગ્યાએ જાદુગરો ખૂલ્લામાં મોટા ટેન્ટ બાંધી જાદુના ખેલ બતાવતા હોય છે. ત્યાં તાલુકા શિક્ષણને લગતા સ્થાનિક અધિકારીઓ પાસેથી ખોટી વિગતોના આધારે મંજૂરી લઈ વિદ્યાર્થીઓને માલવાહક વાહનોમાં ખૂલ્લામાં શાળામાંથી જાદુના સ્થળ સુધી જીવના જોખમે લાવી જાદુ બતાવતા હોય છે. આવા સ્થળો સુધી પહોંચવા માટે જાદુગર દ્વારા ટ્રેક્ટર અથવા તો ખૂલ્લા ટેમ્પોમાં વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાંની જેમ ભરીને લાવવામાં આવે છે. ઉપરાંત જાદુના સ્થળ પર પણ સુરક્ષાની કોઈ સુવિધા હોતી નથી. ટેન્ટ પણ કપડાનું હોય છે અને આગ જેવી ઘટનામાં વિદ્યાર્થીઓના જીવનું જોખમ રહેલું હોય છે.

જાદુનો ખેલ બતાવવા માટે સ્કૂલમાં આવતા જાદુગર ખોટી રજૂઆતો કરતા હોય છે. જેમાં તેઓ વિદ્યાર્થીઓના શો દ્વારા આવેલા પૈસા ગાયોના ઘાસચારા માટે અથવા તો અનાથ આશ્રમમાં અપાશે તેમ જણાવતા હોય છે. ત્યારબાદ તેઓ બે કલાકના જાદુના શો માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૩૦થી ૫૦ સુધી પડાવતા હોય છે. આ પૈસા આવ્યા બાદ જાદુગરો પોતાના હિત માટે જ આ રૂપિયાનો ઉપયોગ કરતા હોય છે. આમ, જાદુગરો અધિકારીઓ સમક્ષ પણ ઈમોશનલ રજૂઆતો કરી તેમને ભોળવી મંજૂરી લેતા હોય છે.

August 26, 2019
danh-girl_d.jpg
1min7810
દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગની દિકરી આશા પવાર કે જેણે સાયન્સફેરમાં રજૂ કરેલા ડ્રેેનેજ ક્લીનીંગ મશીનના પ્રોજેક્ટ આંતર રાષ્ટ્રીય સ્તરે જાપાન ખાતે યોજાઇ રહેલા સ્કુલ સાયન્સ ફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, આ નિમિત્તે નવસારી વિરવાડી હનુમાન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા દગડીઆંબા ગામે રહેતી આશા પવારે પોતાના જિલ્લા સ્તરની શાળાકીય વિજ્ઞાન મેળાની હરીફાઇમાં ગટર સાફ કરવાનું વર્કિંગ મોડેલ બનાવીને રજૂ કર્યું હતું, જે જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે વિજેત બન્યા બાદ ભારતમાં રાષ્ટ્રકક્ષાના સાયન્સ ફેરમાં પણ આ બાળવિજ્ઞાનીનો ડ્રેનેજ ક્લીનીંગ મશીન પ્રોજેક્ટ વાહવાહી લૂંટી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગની દિકરી આશા પવારનો ડ્રેનેજ ક્લીનીંગ મશીનનો પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી જાપાનના આંતર રાષ્ટ્રીય સ્તરના સ્કુલ સાયન્સફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા દગડીઆંબા ગામે રહેતી આશા પવાર પિતાની છત્રછાયા બાળપણથી ગુમાવી ચૂકી છે. છેવાડાના આદિવાસી જિલ્લાની આશા પવારે ન તો ડ્રેનેજ જોઈ છે કે ભૂગર્ભ ડ્રેનેજ, પરંતુ આ વિદ્યાર્થિનીએ સ્કૂલના વિજ્ઞાન મેળામાં ગટર સાફ કરવા માટેનું યંત્ર બનાવ્યું હતું જેની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ થઈ છે.

દેશમાંથી આવેલી ૮૫૦ કૃતિઓમાંથી ૬૬ પસંદ કરવામાં આવી હતી, જેમાંની દગડીઆંબા ગામની સ્કૂલની આશાનું ગટર સાફ કરતું યંત્ર પણ પસંદ કરવામાં આવ્યું છે.

એક વર્ષમાં આપણા ભારત દેશમાં સર્વે મુજબ અંદાજિત ૩૦ હજાર સફાઈ કામદારો ગટરમાં ઊતરવાના કારણે મૃત્યુ પામતા હોય છે. જે ન બને એ માટે આશાએ એક આશા બાંધી હતી અને એમાં સફળતા મળતાં આશા પવારે મશીન બનાવ્યું છે જેના થકી ગટરનું પાણી કે કચરો સીધો બહાર આવી શકે છે જે પ્રોજેક્ટને તૈયાર કરવા માટે દગડીઆંબાના શિક્ષકે પણ આશાને સારો સહકાર આપ્યો છે.

નવસારીના વિરવાડી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા દત્તક લઈને વધુ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અનેક બાળકીઓમાં રહેલી શક્તિઓને ખિલવવા માટે સદાય અગ્રેસર રહેતા લોકોએ આ દીકરીને સન્માની છે, જેના કારણે કામ કરવાની વધુ ધગશ મળી છે.

August 24, 2019
neet.jpeg
1min11200

MBBS ‌‌અને BDSમાં પ્રવેશ માટે લેવાતી NEETની પરીક્ષા ૩ મે, ૨૦૨૦ના રોજ લેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે. જેના માટે વિદ્યાર્થીઓ ૨ ડિસેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ફોર્મ ભરવા માટે ૩૧ ડિસેમ્બર સુધીની મુદ્દત નક્કી કરાઈ છે અને ત્યારબાદ ૨૭ માર્ચના રોજ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ૪ જૂનના રોજ NEETનું પરિણામ જાહેર કરાશે. 

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) અંતર્ગત એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાનારી પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા ૩ મે, ૨૦૨૦ના રોજ લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષા માટે ૨ ડિસેમ્બરથી ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ થશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર રાખવામાં આવી છે. જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા હોય તેઓ NEETની વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. NEETની પરીક્ષા માટે જે ઉમેદવારોએ ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી લીધી છે તેઓ જ ફોર્મ ભરી શકશે. NEET માટે જાહેર કરાયેલાં નોટિફિકેશન મુજબ આ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. ઓફલાઈન એટલે કે પેન-પેપર પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ૨૭ માર્ચથી ડાઉનલોડ કરી શકાશે. આ પરીક્ષાનું પરિણામ ૪ જૂન, ૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવશે. 

NEETની પરીક્ષામાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. આ ત્રણેય વિષયના મળી કુલ ૧૮૦ પ્રશ્નો પૂછવામાં આવશે. બાયોલોજીને લગતા ૯૦ પ્રશ્નો અને ફિઝિક્સ તથા કેમેસ્ટ્રીના ૪૫-૪૫ પ્રશ્નો પૂછવામાં આવશે. NEETની પરીક્ષા ત્રણ કલાકની રહશે. દરેક સાચા જવાબ માટે વિદ્યાર્થીને ૪ ગુણ આપવામાં આવશે જ્યારે ખોટા જવાબ માટે નેગેટિવ માર્ક આપવામાં આવશે. વિદ્યાર્થી જે પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયાસ નહીં કરે તેના માટે કોઈ માર્ક કાપવામાં આવશે નહીં. NEETની પરીક્ષાનો સિલેબસ NCERTનો ધોરણ-૧૧ અને ૧૨નો રહેશે. અગાઉ આ પરીક્ષા CBSE બોર્ડ દ્વારા લેવામાં આવતી હતી, પરંતુ હવે NEETની પરીક્ષા NTA દ્વારા લેવામાં આવશે.

August 15, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8620
બારડોલીના સાગર ઠાકર અને તેમના પુત્રો રૂદ્રાક્ષ અને રિધાન એ સ્વતંત્રતા પર્વે અનેરું સાહસ ખેડીને સોનગઢથી બારડોલી સુધીના 73 રનિંગ કિલોમીટર લાંબા રૂટ પર નોનસ્ટોપ સ્કેટિંગ ચલાવીને વિક્રમ સર્જ્યો છે.

આજકાલ કેટલો ડિજિટલ જમાનો છે… છોકરાઓ રડે તો આપણે એમને ફોન આપી દઈએ છીએ, છોકરી કે છોકરો જમે નહીં તો ફોન આપી દઈએ છીએ, ઘણી વખત તો મમ્મી કે પપ્પા પોતે કામમાં એટલા વ્યસ્ત હોય છે કે બાળકોને ફોન આપી પોતે સ્વતંત્ર થઈ જાય છે. ‘બહાર રમવા નથી જવાનું લે આ મોબાઈલ લે’ આવા શબ્દો નો પ્રયોગ આજકાલ વધી રહ્યો છે?

બારડોલીના સાગર ઠાકર તેમના પુત્રો રુદ્રાક્ષ અને રિધાનએ 14મી ઓગસ્ટ એ વ્યારાથી શરુ કર્યું હતું મિશન લોંગેસ્ટ સ્કેટિંગ

મોબાઇલથી થતી માઠી અસરથી આપણે સૌ પરિચિત છીએ, એના માટે કોઈ લાંબો લેખ લખવાની જરૂર નથી. બાળકોની કેળવણીમાં આજકાલ મોબાઈલ ખૂબ અગત્યનો બનતો જણાતો જાય છે? શું મોબાઈલ વગર બાળકોને કોઈ બીજી પ્રવૃત્તિમાં વ્યસ્ત ના રાખી શકાય? બાળકોને મોબાઈલથી દૂર રાખવાં માટે બાળકોને મનગમતી પ્રવૃત્તિ કરાવી શકાય. પિતા એક એવા વ્યક્તિ હોય છે જે પોતાના બાળકોને પોતાનાથી એક ડગલું આગળ જોવા ઇચ્છતા હોય છે, પિતાનું અનુકરણ બાળકો હંમેશા કરતા હોય છે તેથી જ પિતાની એક ફરજ છે કે બાળકોને કંઈક એવી પ્રવૃત્તિ તરફ વળાવવા કે તેઓમાં નાનપણથી જ સાહસ અને ધગશ બંને વધે. આ કોન્સેપ્ટ ને ધ્યાનમાં રાખી સરદાર નગરી બારડોલીનો એક સાહસિક યુવાન સાગર ઠાકર પોતાનાં બે નાના બાળકો રુદ્રાક્ષ_ઠાકર (ઉંમર ૯ વર્ષ) અને રિધાન_ઠાકર (ઉંમર ૬ વર્ષ) બંને ને સાથે લઈને એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.

વિશ્વભરમાં પથરાયેલા ભારતીયો જ્યારે ૭૩ મો સ્વાતંત્રતા દિન મનાવી રહ્યા હતા ત્યારે સાગર ઠાકર બંને બાળકો સાથે ૭૩ km નું અંતર સ્કેટિંગ દ્વારા કાપી એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરવા કરવાનું સાહસ ખેડી રહ્યા હતા

બારડોલીના સાગર ઠાકર અને તેમના પુત્રો રૂદ્રાક્ષ અને રિધાનએ ગઇકાલ, બુધવાર, ૧૪મી ઓગષ્ટ ના દિવસે વ્યારા મુકામેથી શરૂ કરી સોનગઢ થઈ બારડોલી ખાતે નિર્વિધ્ને પરત ફર્યા હતા.