CIA ALERT

કિડઝિસ્તાન Archives - Page 9 of 12 - CIA Live

April 16, 2019
diamond1.jpg
1min9260

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ (IDI) ડાયમંડ, જેમ એન્ડ જવેલરી ક્ષેત્રમાં પ્રશિક્ષણ આપતી સંસ્થા

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, સુરત એક સંક્ષિપ્ત વિવરણ અને જેમ એન્ડ જવેલરી ઇન્ડસ્ટ્રીઝમાં ભાગીદારી

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ શું છે?

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત અને જેમ અને જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલનો પ્રોજેક્ટ છે. આ સંસ્થાની સ્થાપના ૧૩મી મે ૧૯૭૮ નાં રોજ તે સમય નાં કેન્દ્રીય વાણિજ્ય  મંત્રી સ્વ. શ્રી મોહન ધારિયાનાં શુભ હસ્તે થઇ હતી. આઈ.ડી.આઈ. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ અને સોસાયટી રજીસ્ટ્રેશન એકટ ૧૮૬૦ હેઠળ રજીસ્ટર થયેલ સંસ્થા છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટનો મુખ્ય હેતુ હીરા, ઝવેરાત અને કલરસ્ટોનનાં ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોફેશનલીઝમ લાવવાનો છે.તદુપરાંત આ ક્ષેત્ર સાથે સંકળાયેલ કારીગરોમાં ઉચ્ચ પ્રકારની કાર્યકુશળતા વિકસાવવાનો છે. દુનિયાભરમાં જેમ એન્ડ જ્વેલરી ટ્રેડમાં થતા ટેકનોલોજીકલ ફેરફારોસાથે તાલમેલ સાધી ભારતીય જેમ એન્ડ જ્વેલરી ટ્રેડને તેનાથી માહિતગાર કરવાનો સંસ્થાનો અન્ય હેતુ છે. આમ પરોક્ષ રીતે સંસ્થાનો મુખ્ય હેતુ દેશ માંથી જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં વધારો કરવાના સાથે આ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરવાનો છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટની પ્રવૃતિઓ

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટની મુખ્ય પ્રવતિઓમાં જેમ એન્ડ જવેલરી ટ્રેડને અનુરૂપ તાલીમ કાર્યકમો ચલાવવા, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અને કન્સલટન્સી સર્વિસ આપવી.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટમાં કયા પ્રકારના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે?

આ સંસ્થામાં ડાયમંડ, જ્વેલરી અને કલર જેમ સ્ટોનનાં ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઈન જ્વેલરી પ્રોફેશનલ, પ્રોફેશનલ ડીપ્લોમાં – ડાયમંડ ગ્રેડીંગ, ડાયમંડ મેન્યુફેક્ચરિંગ, જ્વેલરી ડીઝાઈન, જ્વેલરી મેન્યુફેકચરીંગ, જેમોલોજી, જેવા કારકિર્દી લક્ષી સંપૂર્ણ અભ્યાકમો ચલાવવામાં આવે છે. જે વર્ષમાં એપ્રિલે, જુન, ઓગસ્ટ અને ડીસેમ્બર માં શરૂ થાય છે.

શોર્ટ ટર્મ અભ્યાસક્રમો

ડીપ્લોમાં અભ્યાસક્રમ સિવાય અનેક ટુંકા ગાળાના સર્ટિફિકેટ લેવલનાં અભ્યાસક્રમોં પણ આ સંસ્થામાં ચલાવવામાં આવે છે, જેમાં  પ્રોફેશનલ અને ફાઉન્ડેશન લેવલ નાં સર્ટિફિકેટ અભ્યાસક્રમો દર મહિનાના પહેલા સોમવારનાં દિવસે શરૂ થાય છે. જેમાં ડાયમંડ ક્ષેત્રમાં ડાયમંડ ગ્રેડીંગ, એડવાન્સ ડાયમંડ ગ્રેડીંગ, ડાયમંડ સોર્ટીંગ, કોમ્પુટરાઈઝડ ડાયમંડ પ્લાનીંગ, ડાયમંડ પોલિશિંગ, ગેલક્ષી ડાયમંડ પ્લાનીંગ, ગેલક્ષી QC, લેસર ડાયમંડ પ્રોસેસિંગ (4P), ડાયમંડ વેલ્યુએશન, ડાયમંડ આઇડેન્ટિફીકેશન, અને જ્વેલરીનાં ક્ષેત્રમાં જ્વેલરી ડીઝાઈન (મેન્યુઅલ), CAD જ્વેલરી ડીઝાઈન, જ્વેલરી ડીઝાઈન (MATRIX), જ્વેલરી ડીઝાઈન (CORAL), CAM જ્વેલરી મેન્યુફેકચરીંગ, ગોલ્ડ એસેયીંગ, જવેલરી કાસ્ટિંગ, જવેલરી મેકિંગ અને સ્ટોન સેટીંગ જેવા અભ્યાકમો ચલાવવામાં આવે છે.

ધંધાદારીઓને પણ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ સવલતો પૂરી પાડે છે

IDI સંસ્થા, જેમ એન્ડ જ્વેલરી ટ્રેડને વિવિધ સવલતો પૂરી પાડે છે. જેમાં ડાયમંડ જ્વેલરી ગ્રેડીંગ રિપોર્ટ, ડાયમંડ ગ્રેડીંગ રિપોર્ટ (4C), લેબગ્રોન ડાયમંડ ટેસ્ટીંગ રિપોર્ટ, સિન્થેટિક ડાયમંડ ટેસ્ટીંગ રિપોર્ટ, સ્ટાર અને મેલે સાઈઝ ડાયમંડ ગ્રેડિંગ રિપોર્ટ, લૂઝ અને સ્ટડેડ જેમ સ્ટોન ટેસ્ટીંગ રિપોર્ટ, ગોલ્ડ ટેસ્ટીંગ રિપોર્ટ જેવી અનેક સુવિધાઓ તદ્દન નજીવા ભાવે આઈ.ડી.આઈ. ખાતે ઉપલબ્ધ છે.

હયાત કર્મચારીઓ માટે ખાસ સ્કીલ અપગ્રેડેશન સ્કીમ કૌશલ્યમ 

જેમ અને જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં “કૌશલ્યમ“ પ્રોગ્રામમાં ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ નોલેજ પાર્ટનર તરીકે જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં કાર્યરત રત્નકલાકારો, જવેલર્સ/ ટ્રેડ સાથે સંલગ્ન પ્રોફશનલને સ્કીલ અપગ્રેડેશન કરવા માટે ગુજરાતભરમાં તાલીમ આપે છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ દ્વારા જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં કાર્યરત પ્રોફશનલ, જેના પાસે અનુભવ હોવા છતાં કોઈપણ પ્રકારના પ્રમાણપત્ર નથી હોતા, એના માટે સંસ્થા એક દિવસીય પ્રેકટીકલ પરીક્ષા લઇ, ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. આ પ્રકારનું ટ્રેડ સર્ટિફિકેટ ફક્ત પોલીશ્ડ ડાયમંડ ગ્રેડીંગ, રફ ડાયમંડ સોર્ટીંગ, કોમ્પુટરાઈઝડ ડાયમંડ પ્લાનીંગ, ડાયમંડ પોલિશિંગ જેવા પ્રોગ્રામ માટે આપવામાં આવે છે.

10 જૂન 2019થી નવો બેચ શરૂ થશે

જ્વેલરી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિધાર્થીઓ માટે સંસ્થા દ્વારા ૩ વર્ષ (૬ સેમેસ્ટર) નો હાયર ડીપ્લોમાં ઇન જ્વેલરી ડીઝાઈન અને મેન્યુફેકચરીંગ અભ્યાસક્રમ છેલ્લા ૧૯ વર્ષ થી સતત ચલાવવામાં આવે છે. જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા આરંભ થઇ ચુકી છે. આ કોર્ષમાં એડમીશન ધોરણ ૧૨મું પાસ કર્યા પછી લઇ શકાય છે. આ અભ્યાસક્રમનો ૧૯મો બેચ ૧૦મી જુન, ૨૦૧૯ થી શરૂ થશે, આ કુલ ૬ સેમેસ્ટરનો કોર્ષ છે, જેમાં ૫ સેમેસ્ટર વિધાર્થીઓ આઈ.ડી.આઈ. માં અભ્યાસ કરવાના રહેશે અને ૬ઠું સેમેસ્ટરમાં  વિધાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટર્નશીપ તરીકે પ્રેકટીકલ જ્ઞાન મેળવવાનું રહશે.

ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં સામેલ બાબતો

કુલ ૩ વર્ષ નાં અભ્યાસક્રમ દરમ્યાન જ્વેલરી ડીઝાઈન (મેન્યુઅલ અને કોમ્પ્યુટર), કેડ-કેમ, જવેલરી કાસ્ટિંગ, મેટલ ફેબ્રીકેશન, મેટલર્જી, ગોલ્ડ એસેયીંગ, રીફાઇનીંગ, સ્ટોન સેટીંગ, ડાયમંડ ગ્રેડીંગ, જેમોલોજી વગેરે જેવા અનેક વિષયો તથા ડાયમંડ, જ્વેલરી અને જેમ સ્ટોનનાં ક્ષેત્રનું સંપૂર્ણ ઊંડાણપૂર્વક જ્ઞાન આ કોર્ષમાં આવરી લેવામાં આવે છે.

અભ્યાસક્રમ કરનારને કેવા પ્રકારની જોબ વર્ક મળી શકે?

ઉપરોક્ત અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિધાર્થીઓને ડાયમંડ, જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં જ્વેલરી ડીઝાઈનર, CAD ડીઝાઈનર, સુપરવાઈઝર, પ્રોડક્શન મેનેજર, QC ઇન્ચાર્જ, તથા ખ્યાતનામ લેબોરેટરીમાં ડાયમંડ ગ્રેડર તથા જેમોલોજીસ્ટ તરીકે ઉજ્વળ કારકિર્દી બનાવી શકે છે. ડાયમંડ, જેમ જ્વેલરી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટેનો આ એક સંપુર્ણ કોર્ષ છે.

સંસ્થા દ્વારા કોર્ષ પૂર્ણ કર્યા બાદ પ્લેસમેન્ટની સુવિધા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ કોર્ષ પૂર્ણ કરનાર વિધાર્થીઓ નામાંકિત કંપનીઓ જેવી કે  ટાઈટન, લક્ષ્મી જ્વેલરી, કિસના, જવેલ ગોલ્ડી, એનસાઈન, જેવી કંપની તથા IGI, GIA, IIDGR, GTL-જયપુર જેવી અનેક લેબોરેટરી માં નિમણૂંક પામી આજે ઉચ્ચપદો પર કાર્યરત છે

:: વધુ જાણકારી માટે સંપર્ક કરો ::

:: કતારગામ કેમ્પસ ::

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, કતારગામ જી.આઈ.ડી.સી.,

સુમુલ ડેરી રોડ, સુરત-૩૯૫૦૦૮,

ટેલિફોન : ૦૨૬૧-૨૪૦૭૮૪૭ / ૪૮, મો. ૯૮૭૯૧૬૨૨૨૮

:: વેસુ કેમ્પસ ::

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ – સીટી સેન્ટર, સોમેશ્વરા એન્કલેવ સોસાયટી પાછળ,
ઉધના મગદલ્લા રોડ, સુરત-૩૯૫૦૦૭

ટેલિફોન : ૦૨૬૧-૨૨૧૫૫૧૧ / ૬૬, મો. ૯૪૨૬૧૨૪૮૭૯

ઈમેલ : admission@diamondinstitute.net

web : www.diamondinstitute.net

*-*-*-*-*-*-

March 20, 2019
masood_mumbai11.jpg
1min19370

જયેશ બ્રહ્મભટ્ટ

આજે તા.20મી માર્ચ 2019ને હોલિકા દહનનો પર્વે સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાશે. ભદ્રા યોગ હોવાથી રાત્રે નવ વાગ્યા પછી મોટા ભાગના સ્થળો પર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાશે. હોલિકા દહનના કાર્યક્રમો પૈકી મુંબઇમાં હોલિકા દહનના કાર્યક્રમમાં કેટલીક વેરાયટી મુંબઇગરાઓએ એડઓન કરી છે. જેમકે મુંબઇમાં પાંચેક ઠેકાણે હોલિકા દહનની સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના વિશાલકાય પૂતળાને પણ બાળવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવી જ રીતે હોલિકા દહન પર્વે બાળકોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ આવે તે માટે એકાદ બે સ્થળોએ પબજી ગેમના આઇકોનના વિશાળ કદના પૂતળાનું પણ દહન કરવાના આયોજનો કરવામાં આવ્યા છે. હોલિકા દહન સાથે આ પ્રકારે સમાજના દૂષણોને બાળવાના કાર્યક્રમો સોશ્યલ મિડીયા પર ભારે ટ્રોલ થઇ રહ્યા છે.

A boy points to an effigy made in the likeness of Jaish-e-Mohammad chief Masood Azhar to be lit as part of the Hindu festival of Holika Dahan in Mumbai, India, Tuesday, March 19, 2019. Holika Dahan is a festival celebrated just before Holi by burning an effigy of Holika, the devil. (AP Photo/Rajanish Kakade)

મુંબઇગરાઓ હોલિકા દહન સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર, પબજી ગેમના આઇકોનના પૂતળાઓનું પણ દહન કરશે

મુંબઇમાં સ્કુલે જતા બાળકોના પેરેન્ટસની સૌથી મોટી ફરીયાદ એ હતી કે તેમના બાળકો સ્કુલ-ટ્યુશન જાય છે એ પછીનો મોટા ભાગનો સમય તેઓ મોબાઇલ ફોન પર પબજી ગેમ્સ રમી રહ્યા છે. ઘણાં બાળકો મોડી રાત્રે ઉજાગરા કરીને પબજી ગેમ્સ રમતા હોય છે, ઘણા પેરેન્ટસએ એવી પણ ફરીયાદો કરી હતી કે બાળકો તેમના પર્સનલ બેડરૂપમાં વાંચવાના બહાને પબજી ગેમ રમતા હોય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. મુંબઇગરાઓએ પબજી ગેમ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે આજે તા.20મી માર્ચ 2019ના હોલિકા દહન પર્વે પબજીના વિશાળ કદના પૂતળાઓ બનાવીને તેનું પણ હોળી સાથે દહન કરી દેવાના આયોજનો મોટા પાયે કર્યા છે.

હોલિકા દહન સાથે બાળકો, યુવાનોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ ફેલાય તે માટે અનેક સ્થળોએ કાર્યક્રમો

મુંબઇમાં એક સ્થળે હોલિકા દહન પ્રોગ્રામની સાથે જ  પાકિસ્તાની આતંકવાદી અઝહર મસૂદના વિશાળ કદનું પૂતળું છેલ્લા ત્રણ દિવસથી ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું છે. ભારતનો સૌથી મોટો ગુનેગાર મનાતો પાકિસ્તાની આતંકવાદી મસૂદના પૂતળાને આજે હોલિકા દહન દરમિયાન બાળવામાં આવશે. સમગ્ર મુંબઇના લોકોમાં મસૂદના આ વિશાળ કદના પૂતળાના દહનને લઇને વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે અને આજે સાંજે મોટી સંખ્યામાં લોકો મસૂદના બળતા પૂતળાને જોવા માટે તેમજ હોલિકા દહન માટે આયોજન સ્થળે ભેગા થાય તેમ માનવામાં આવી રહ્યું છે. મુંબઇમાં હોલિકા દહન સાથે મસૂદને બાળવાના આયોજનના ફોટો સોશ્યલ મિડીયા તેમજ ટ્વીટર પર પણ મોટા પાયે ટ્રોલ થઇ રહ્યો છે.

મુંબઇગરાઓ આજે હોલિકાદહનની સાથે ભારતના મોસ્ટ વોન્ટેટ ગુનેગાર પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરનું પૂતળું પણ બાળશે.

March 16, 2019
tejaswi.jpg
1min3358

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક આઇડિયા કિસ્મતને બદલી શકવા સમર્થ હોય છે. આ કહેવતના સાક્ષાત્કાર કરાવતી અનેક ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે. સુરતની બચકાણીવાલા સરદાર સ્કુલની હોનહાર સ્કુલ ગર્લ તેજસ્વી દેસાઇને એક આઇડિયા આવ્યો કે જે રીતે વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઇને ઓક્સીજન બહાર ફેંકે છે એ જ તર્જ પર કોઇ મશીન કેમ કામ ન કરે. આ આઇડિયાને સાકાર કરવા માટે ફક્ત રૂ.50 જેટલો ખર્ચ થયો, બચકાણીવાલા સ્કુલના પ્રિન્સીપાલ જ્યોતિબેન પરીખની આજ્ઞાથી અને કો-ઓર્ડિનેટર સુનિલ જાધવનું માર્ગદર્શન લઇને તેજસ્વી એ પ્રોજેક્ટને પહેલા સુરત લેવલે થયેલા સાયન્સ ફેરમાં પછી ગુજરાત સાયન્સ ફેરમાં પછી નેશનલ સાયન્સ ફેરમાં રજૂ કર્યો. પ્રોજેક્ટ બધાને ગમ્યો, બધાએ પ્રોજેક્ટને બિરદાવ્યો અને હવે સુરતી ગર્લ તેજસ્વી દેસાઇ જાપાનના ટોકિયો ખાતે 20થી 26 એપ્રિલ 2018ના રોજ યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જશે. ભારતમાંથી કુલ 850 શાળાઓના પ્રોજેક્ટ રજૂ થયા હતા, ગુજરાતમાંથી સુરતની એચએમ બચકાણીવાળા સરદાર સ્કુલની વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇનો એકમાત્ર પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લેવલે જાપાન શકુરા યુથ એક્સચેન્જ માટે શોર્ટ લિસ્ટ થયો છે. આમ, ફક્ત રૂ.50માં સાકાર થયેલો આઇડિયા વર્કિંગ મોડેલ સાથે હવે જાપાનમાં ભારતનું નામ રોશન કરશે.

વૃક્ષ પરથી પ્રેરણા લઇને સુરતી ગર્લ તેજસ્વી દેસાઇએ પ્રોજેક્ટ બનાવ્યો જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજન બહાર તો ફેંકે છે સાથોસાથ વીજળી પણ ઉત્પાદિત કરે છે, આવો પ્રોજેક્ટ અગાઉ કોઇપણ વખત રજૂ થયો નથી

શાળા કક્ષાએ યોજાતા સાયન્સ ફેર (વિજ્ઞાન મેળા કહો કે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન કહો) કેટલા બધા ઉપયોગી અને ફળદાયી નિવડે છે એ જાણવું હોય તો આ જીવતી વારતાં વાંચવી પડશે. પાલનપુર પાટીયા ખાતે આવેલી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એચ.એમ.બચકાણીવાળા સરદાર ઇંગ્લિશ મિડીયમ સ્કુલમાં હાલ ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તેજસ્વી નિરવ દેસાઇને ગત વર્ષે ધો.10માં હતી ત્યારે સુરત શહેર જિલ્લા કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળામાં શાળા તરફથી એક પ્રોજેક્ટ રજૂ કરવાનો હતો. કોઇ ચોપડીમાં નથી કે ગુગલ પર પણ નહીં મળે તેવો આઇડિયા તેજસ્વી દેસાઇના મનમાં અંકુરીત થયો. આઇડીયા એ હતો કે ઝાડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સીજન બહાર ફેંકે છે તેના જેવું કોઇ યંત્ર, મશીન કેમ ન વિકસાવી શકાય. બસ આ આઇડિયા તેણે આચાર્યા જ્યોતિબન પરીખને કહ્યો. જ્યોતિબેન પરીખે શાળાના કો-્ઓર્ડિનેટર સુનિલ જાધવને તેજસ્વી દેસાઇને માર્ગદર્શિત કરવા જણાવ્યું. શિક્ષક અને વિદ્યાર્થિનીએ પ્રોજેક્ટ પર કામ કરવા માંડ્યું અને શાળાની લેબોરેટરીમાં પ્રોજેક્ટ વિકસાવવા માંડ્યો. કેમકે આ પ્રોજેક્ટ અગાઉ ક્યાંયે કોઇ રીતે રજૂ થયો ન હોઇ, બધું જ કામ જાતે કરવું પડ્યું.

શિક્ષક સુનિલ જાધવ અને વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇએ સાયન્સના પ્રયોગોને આધાર બનાવતા બે બિકર લીધા એક બિકરમાં સાંદ્ર મીઠું અને બીજા બિકરમાં ધોવાનો સોડા પ્રમાણસર રાખ્યો. બન્ને બિકર વચ્ચે ટીશ્યુ પેપર સોલ્ટ બ્રિજ બનાવ્યો, પહેલા બિકરમાં ગ્રેફાઇડ કેથોડે અને બીજા બિકરમાં એનાર્ડેનોની મદદથી બન્ને વચ્ચે વાયર જોડી તેના પર મલ્ટીમીટર ફીટ કર્યું. પ્રોજેક્ટ હતો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજનને હવામાં છોડવો. આ પ્રોજેક્ટ તો સાકાર થયો પણ સાથોસાથ એક નવીન શોધ એ પણ થઇ કે તેમાંથી તેઓ એનર્જી જનરેશનનો બિલકુલ તરોતાજા પાઠ શીખ્યા. બસ પછી પૂછવું જ શું.

તેજસ્વી દેસાઇ તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ જાપાનના ટોકીયો ખાતે શકુરા યુથ એક્સચેન્જ અન્વયે યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેર 2019માં ભારત તરફથી પોતાનો પ્રોજેક્ટ રજૂ કરશે

બિલકુલ ફ્રેશ પ્રોજેક્ટ સુરતમાં રજૂ થયો, સુરતમાં પહેલો નંબર, સ્ટેટ લેવલ પર રજૂ થયો ત્યાં પણ પહેલો નંબર પછી નવી દિલ્હી આઇ.આઇ.ટી. ખાતે યોજાયેલા નેશનલ સાયન્સ ફેર 2019માં રજૂ થયો. ત્યાંનું રિઝલ્ટ આવવાનું બાકી છે પરંતુ, જ્યુરીએ દેશભરમાંથી આવેલા 850 પ્રોજેક્ટમાંથી કુલ 42 પ્રોજેક્ટ પસંદ કર્યા તેમાં સુરતની એચએમબી સરદાર ઇંગ્લિશ હાઇસ્કુલની તેજસ્વી દેસાઇનો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટને જાપાન ખાતે આગામી તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ યોજાનાર શકુરા યુથ એક્સચેન્જ અન્વયેના ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે પરવાનગી મળી ગઇ. કુલ 41 દેશોના બાળ વિજ્ઞાનીઓ જાપાન ખાતે આયોજિત સાયન્સ ફેરમાં પોતાના પ્રોજેક્ટસ રજૂ કરશે.

જાપાનના ટોકીયો શહેર ખાતે આયોજિત શકુરા યુથ એક્સચેન્જ અન્વયે પસંદગી પામેલા બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટસમાં ગુજરાત તરફથી સુરતની એચએમબી સ્કુલની તેજસ્વી દેસાઇ એકમાત્ર છે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન તેજસ્વી દેસાઇએ અને તેના માર્ગદર્શક સુનિલ જાધવે કહ્યું કે આ બિલકુલ ઓરિજિનલી અમારો પ્રોજેક્ટ છે. વિશ્વમાં અગાઉ ક્યારેય આવી શોધ થઇ નથી. આજે વાતાવરણમાં ભારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ભળીને વાતાવરણ પ્રદૂષિત થઇ રહ્યું છે તેવા સંજોગોમાં આ બેટરી ટાઇપ પ્રોજેક્ટ એવો છે કે જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને ઓક્સીજન તો ભેળવે જ છે સાથોસાથ વીજળી પણ પેદા કરી શકે છે. એટલા આ પ્રોજેક્ટને જ્યાં રજૂ કરીએ છીએ ત્યાં સ્વીકૃતિ મળી રહી છે.

તેજસ્વી દેસાઇએ કહ્યું કે લાંબા ગાળે આ પ્રોજેક્ટ વાહનોની બેટરીમાં તેમજ પર્યાવરણના પ્રોજેક્ટમાં સાકાર કરી શકાય તેમ છે. હાલ તો આ પ્રોજેક્ટ માટે તમામ ચીજવસ્તુઓ મળીને ફક્ત રૂ.50નો ખર્ચ થયો છે, આટલા ખર્ચમાં આ પ્રોજેક્ટ છેક ઇન્ટરનેશનલ સાયન્સ ફેર સુધી પહોંચી ગયો છે.

March 16, 2019
Greta-Thunberg-.jpg
3min9560
  • સ્કુલમાં ગૂલ્લી મારીને ગ્રેટા ક્લાઇમેટ ચેન્જ અવેરનેસ કેમ્પેઇન ચલાવતી હતી
  • યુનાઇટેડ નેશન્સની ઇકોનોમિક ફોરમમાં લેક્ચર આપી આવી છે
  • પર્યાવરણ બચાવવા માટે 15 વર્ષની ઢબૂડી ગ્રેટાની મૂવમેન્ટને વિશ્વભરના લોકો સપોર્ટ કરી રહ્યા છે
  • 15 વર્ષની ઉંમરે સામાન્ય રીતે બાળકો દસમા ધોરણની પરીક્ષા આપતા હોય ત્યારે સ્વીડનની આ ઢબૂડી નોબલ પ્રાઇઝ માટે નોમિનેટ થઇ અને થોડા દિવસોમાં કદાચ પ્રાઇઝ હાંસલ પણ કરી લે

ગુજરાતમાં 12 લાખ જેટલા 15 વર્ષના વિદ્યાર્થીઓ જ્યારે ધો.10ની પરીક્ષા આપી રહ્યા હતા એ માર્ચ 2019ના બીજા સપ્તાહમાં સ્વીડનની એક 15 વર્ષિય ગર્લ ગ્રેટા ને પર્યાવરણનો નોબલ પારિતોષિક એનાયત કરવા માટે ભલામણ કરવામાં આવી છે. 15 વર્ષની આ ઢબૂડી ગ્રેટા સ્કુલમાં ગૂલ્લી મારીને સ્વીડનમાં જુદા જુદા સ્થળોએ ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ બચાવ માટેની જાગૃતિ ફેલાવવાનું કામ કરતી હતી. અનેક વખત તેમણે તેના સહધ્યાયીઓને ભણવાનું છોડાવીને રોડ પર દેખાવો યોજ્યા હતા. ગ્રેટા તેના સહધ્યાયીઓને સમજાવતી કે ભણવા કરતા મહત્વનું પર્યાવરણ છે, પર્યાવરણને બચાવીશું તો માનવીઓને બચાવી શકીશું. ગ્રેટા અત્યાર સુધી યુનાઇટેડ નેશન્સની ઇકોનોમિક ફોરમથી લઇને અનેક આંતર રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલનોમાં સ્પીચ આપી આવી છે. તેની આ મૂવમેન્ટને વિશ્વભરના લોકો સપોર્ટ કરી રહ્યા છે.

પર્યાવરણ દિશામાં કામ કરતી સ્વીડનની 16 વર્ષીય ગ્રેટા થુનબર્ગ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. નોર્વેના ત્રણ સાંસદ દ્વારા ગ્રેટાનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયું છે.

ગ્રેટા અનેકવાર શાળા છોડીને સ્વિડીશ સંસદની બહાર બેસીને પર્યાવરણ બચાવવાની માંગને લઇને પ્રદર્શન કરી ચૂકી છે. ફ્રેડી આંડરે ઓવેસ્ટેગાર્ડ અને સોશિયાલિસ્ટ લેફ્ટ પાર્ટીના બે અન્ય સભ્યોએ જણાવ્યું હતું કે, અમને લાગે છે કે ગ્રેટાએ જેવી રીતે પર્યાવરણ મુદ્દે આંદોલનનો સૂર છેડ્યો છે તે શાંતિ સ્થાપિત કરવા ખૂબ જ મોટું યોગદાન છે.

ગ્રેટાએ બાળકોને શાળા છોડીને જળવાયુ પરિવર્તનમાં ઝડપી કાર્યવાહની માંગ સંબંધી પ્રદર્શનોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ગ્રેટા થુનબર્ગ તાજેતરમાં પર્યાવરણ સુરક્ષા માટે યોગ્ય પગલા ન લેવાતા આંદોલન કરીને વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ગયા ફેબ્રુઆરી માસમાં ગ્રેટાએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને પર્યાવરણ સુરક્ષા મુદ્દે નક્કર પગલા લેવાની માંગ કરી હતી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના શક્તિશાળી નેતાઓ પૈકી એક માનવામાં આવે છે. ગ્રેટા પણ એ જાણે છે અને તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પર્યાવરણ બચાવ ઝુંબેશ જાગૃતિ ફેલાવવામાં મદદ કરવા અપીલ કરી હતી

Climate Activist Greta Thunberg Has A Message For Narendra Modi

A 16-year-old climate activist, Greta Thunberg from Sweden, has asked world leaders not to ignore the impending consequences of runaway climate change. The young girl has a message for Prime Minister, Narendra Modi, and she mentioned it in a video by Brut India.

What is the movement about?

The Schools Strike for Climate is a global, growing movement of students demanding more action from authorities regarding global warming and climate change. The movement began last year as a solo protest by a 15-year-old Swedish girl Greta Thunberg outside the Swedish Parliament building. It has since grown, and on March 15, thousands of students from across continents are expected to skip school and take part in protests. It is said to be the largest such protest.

Who is Greta Thunberg?

Ninth-grade student Greta Thunberg, on August 20, 2018, decided to skip school that day and sat outside the Riksdag (Swedish Parliament) with the signSkolstrejk för klimatet (school strike for the climate). Spurred by the recent heatwave and wildfires in Sweden, Ms. Thunberg skipped school for the next three weeks and continued her protest outside Parliament, demanding that the Swedish government reduce carbon emissions per the Paris Agreement. On September 8, Ms. Thunberg decided to continue striking every Friday, leading to the hashtag #FridaysForFuture and #Climatestrike. She posted her protests on social media, which went viral and the movement spread as students started protesting outside their respective parliaments and town halls. In November 2018, Ms. Thunberg spoke at TEDxStockholm, the following month she addressed the United Nations Climate Change Conference. In January this year, she spoke at the World Economic Forum in Davos. On Thursday, she was nominated for a Nobel Peace Prize.

March 9, 2019
virar_womens.jpg
1min14640

પગ ધોઇને પાણી પી જવાનો ટ્રેન્ડ પવનપુત્ર હનુમાનજીએ શરૂ કર્યો હતો એ પછી કેવટએ તમસા નદી પાર કરાવી આપવાના બદલામાં પગ ધોવા દેવાની ભગવાન શ્રી રામ સમક્ષ શરત મૂકી હોવાનો ઉલ્લેખ રામાયણમાં છે

 

વનવાસે નીકળેલા રામ-સીતા અને લક્ષ્મણ તમસા નદીના કિનારે આવે છે. નાવમાં બેસી નદી પાર કરવા રામજી કેવટને બોલાવે છે. કેવટ વિચારે ભગવાનના ચરણ ધોવા મળે તો ભવપાર થાય. રામજીને કહે છે પ્રભુ પગ ધોવા દ્યો તો નદી પાર કરાવું.

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં ગંગા સફાઇ કરી રહેલા કર્મચારીઓના પગ ધોયા હતા, આ ઘટના એટલી વાઇરલ થઇ હતી કે દેશમાં હવે પગ ધોવાનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે.

મહિલા દિને મહારાષ્ટ્રના વિરારની સ્કૂલમાં નાનાં ભૂલકાંઓ પોતાની મમ્મીના પગ ધોઈ પૂજા કરી : બાળકોને પગ ધોતાં જોઈને અનેક મમ્મીની આંખ ભીની થઈ

મુંબઈ: મહિલા દિવસની અનોખી ઉજવણી
વિરારની સ્કૂલમાં બાળકોએ માં ના પગ ધોઈને તેની પૂજા કરી હતી.

મુંબઇના વિરાર (વેસ્ટ)માં આવેલી શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સેન્ટ મૅરી સ્કૂલમાં સંચાલકોએ મહિલા દિન નિમિત્તે તમામ મમ્મીઓને સ્કુલમાં બોલાવીને માતાઓના પગ બાળકો પાસે ધોવડાવીને તેમને માં નું મહાત્મ્ય સમજાવવા પ્રયાસ કર્યો હતો. સ્કૂલનાં ભૂલકાંઓની મમ્મીને સ્કૂલમાં બોલાવી તેમના પગ ધોઈ પુષ્પ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવી હતી અને એ જોઈને અનેક મમ્મીની આંખો રીતસરની ભરાઈ આવી હતી.

કોઇકના પગ ધોવા એ ભારતીય શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર કાર્ય માનવામાં આવે છે અને એ જ રૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા નદીની સફાઇ કરી રહેલા સફાઇ કર્મીઓના પગ ધોઇને સમાજને એક પવિત્ર સંદેશો પાઠવ્યો હતો. એવી જ રીતે વિરાની સ્કુલના સંચાલકોએ બાળકોમાં તેમની મમ્મીનું મહત્વ સમજાવવા અને આ પ્રવૃત્તિ કરવાથી તેમનામાં સારા સંસ્કાર કેળવી શકાય એ હેતુથી માં ના પગ ધોવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આજના ડિજિટલ યુગમાં આપણાં બાળકો આપણી સંસ્કૃતિથી દૂર થઈ રહ્યાં છે. આવા સમયમાં આવા કાર્યક્રમના માધ્યમથી આપણે આપણાં બાળકોમાં એ સંસ્કૃતિ અને સંસ્કારનો પરિચય કરાવવો ખરેખર જરૂરી છે. આ કાર્યક્રમ સ્કૂલે જેવો વિચાર્યો એના કરતાં પણ સારો રહ્યો, કારણ કે સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત તેમની માતાઓ પણ ખૂબ ઉત્સાહિત જોવા મળી હતી અને સમય પહેલાં જ સ્કૂલમાં પહોંચી ગઈ હતી. તેમનાં નાનાં ભૂલકાંઓને તેમનાં ચરણ ધોયાં અને પુષ્પ અર્પણ કરીને પૂજા કરી એ જોઈને અનેક માતાઓ રીતસરની રડી પડી હતી અને વાતાવરણ ભાવુક થઈ ગયું હતું.

કાર્યક્રમ જોઈ રહેલા લોકો માટે પણ આ દૃશ્ય હૃદયસ્પર્શી બની ગયું હતું. અનોખી રીતે કરવામાં આવેલી મહિલા દિવસની ઉજવણીને કારણે માતાઓએ ખૂબ વિશેષ અનુભવ ક્ર્યો અને બાળકો પણ ઘણું શીખ્યા હતા. ત્યાર બાદ માતા-બાળક માટે હરીફાઈનું પણ આયોજન કર્યું હતું. ગઈ કાલે આખી સ્કૂલમાં ફક્ત મહિલાઓ અને મહિલાઓ જ દેખાઈ રહી હતી.’

March 7, 2019
gseb-1280x720.jpg
1min18020

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે તા.7મી માર્ચ 2019થી શરૂ થયેલી રાજ્યવ્યાપી પરીક્ષામાં ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે ધો.10 હોય કે ધો.12 સાયન્સ અને કોમર્સ હોય તમામ પ્રશ્નપત્રોના 90 ટકાથી વધુ સવાલો ફક્તને ફક્ત પાઠ્ય ક્રમ અને પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા હતા. ધો.12 કોમર્સના અકાઉન્ટન્સી ના પેપરમાં તો દાખલાઓમાં રકમ પણ એ જ પૂછાઇ હતી કે જે પાઠ્ય પુસ્તકમાં છે. ફક્ત નામ બદલીને દાખલાઓ સીધા જ પાઠય પુસ્તકમાંથી પૂછવામાં આવ્યા હતા. આવો જાણીએ તમામ પ્રશ્નપત્રના રિવ્યુ.

Paper Review HSC ફિઝિક્સ

બપોરના સેશનમાં વિજ્ઞાન પ્રવાહમાં આજે પહેલી જ પરીક્ષા ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) વિષયની હતી. પરીક્ષા પૂરી થયા બાદ શહેરની આશાદીપ વિદ્યાલયના શિક્ષક શ્રી મહેશભાઇ શ્યાનીએ આપેલી માહિતી મુજબ ફિઝિક્સનું પેપર પ્રમાણમાં સરળ રહ્યું હતું. ત્રણમાંથી એક મુખ્ય વિષયની અને એ પણ પહેલી પરીક્ષા સરળ અને સારી રીતે પસાર થતા વિદ્યાર્થીઓને મોટી રાહત થઇ છે.

ભૂલકા વિહાર સ્કુલના આચાર્યા શ્રીમતી મીતાબેન વકીલે તેમના શિક્ષકો, વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા રિવ્યુ બાદ જણાવ્યું કે 90 ટકાથી વધુ પ્રશ્નો પાઠ્ય પુસ્તકોમાંથી જ પૂછાયા હતા. એમસીક્યુના સવાલો પણ પાઠ્ય પુસ્તકની પાછળ આપેલા સવાલોમાંથી જ પૂછાયા હતા. ફિઝિક્સના દાખલાઓ પણ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછાયા હતા. સરવાળે એકદમ સરળ પેપર રહ્યાનું તેમણે જણાવ્યું હતું.

Paper Review HSC અકાઉન્ટન્સી

ધો.12 કોમર્સમાં આજે અકાઉન્ટન્સી વિષયનું પ્રશ્નપત્ર અગાઉના તમામ વર્ષો કરતા સરળ રહ્યાના રિવ્યુ સી.આઇ.એ. લાઇવને મળ્યા હતા. વિદ્યાર્થીઓએ પેપર અંગે ત્યાં સુધી કહ્યું કે મોટા ભાગના દાખલાઓ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા છે અને કેટલાક દાખલાઓમાં તો રકમ પણ પાઠ્ય પુસ્તકમાં જે છે એ જ રાખીને ફક્ત નામો બદલીને દાખલા પૂછવામાં આવ્યા હતા. જેમણે અકાઉન્ટન્સી વિષયના પાઠ્ય પુસ્તકને જકડીને તૈયારી કરી હશે તેમના માટે આજે 100માંથી 96-98 માર્કસ લાવવા સરળ બની રહેશે.

Paper Review SSC એનસીઇઆરટી બેઝ્ડ

આજે એનસીઇઆરટી બેઝ્ડ પાઠ્યક્રમ સાથે ધો.9 અને ધો.10 અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજનું પ્રશ્નપત્ર હતું. વિદ્યાર્થીઓ તેમજ બોર્ડ બન્ને માટે આ પહેલી વખતની પરીક્ષા હતી. એનસીઇઆરટી આધારિત સિલેબસની પૂર્વતૈયારી રૂપે વિદ્યાર્થીઓને જે પ્રકારે પેપરનું માળખું આપવામાં આવ્યું હતું તે જ પ્રમાણે પ્રશ્નપત્ર આવતાં પરીક્ષાર્થીઓ ખુશખુશાલ જણાયા હતા.

Paper Review SSC

પ્રશ્નપત્ર પૂર્ણ થયા બાદ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સી.આઇ.એ. લાઇવ ટીમે પરીક્ષાર્થીઓ તેમજ પરીક્ષા બાદ ગુજરાતી વિષય શિક્ષકોને પૂછીને પ્રશ્નપત્ર અંગે રિવ્યુ લીધા હતા. જેમાં તારણ એ આવ્યું કે પહેલું પેપર ગુજરાતી વિષયનું બહું જ સહેલું હતું. વિદ્યાર્થીઓને કોઇ ખાસ મુશ્કેલી ન થાય તેટલું સરળ પેપર રહેતા ધો.10ના વિદ્યાર્થીઓ હસતા મોઢે આજે પહેલા દિવસની પરીક્ષાના અંતે બહાર આવ્યા હતા.

ભૂલકાભવન પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતી સોનલબેન દેસાઇએ સી.આઇ.એ.ને ગુજરાતી વિષયના પ્રશ્નપત્ર અંગે જણાવ્યું હતું કે સમગ્ર પ્રશ્નપત્ર પાઠ્ય પુસ્તક આધારિત હતું. એ ત્યાં સુધી કે ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલા નિબંધ પણ પાઠ્ય પુસ્તકમાં નિર્દેશિત વિષયમાંથી જ પૂછવામાં આવ્યા હતા. સોનલબેને કહ્યું કે ગુજરાતી વિષયની તૈયારી જે વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકના આધારે કરી હશે એ વિદ્યાર્થીઓને આજનું પેપર સાવ સરળ ઉપરાંત સ્કોરિંગ લાગ્યું હશે.

વધુમાં આજે સુરત શહેરના પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 800 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

 

March 5, 2019
ann2.jpg
1min17880

દર વર્ષે બોર્ડ અને કોલેજોની પરીક્ષા સમયે સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની કતારો લાગે છે, કતાર દર્શન અને આશીર્વાદ માટે તો લાગે છે પરંતુ, અહીં પરંપરા કહો કે પોઝિટીવ વાઇબ્સ ગણો, પણ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરાયેલી બોલપેન મેળવવા માટે રીતસર કતાર લાગે છે. પ્રસ્તુત તસ્વીર તા.5મી માર્ચ 2019ના રોજ સાંજે 7 વાગ્યે લાગેલી કતારની છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ કહે છે કે બોર્ડની પરીક્ષા આડે હવે એક દિવસ બાકી હોઇ, મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ જે બોલપેનથી ઉત્તરવહી લખવાના હોય તે બોલપેન તેમજ અન્ય ટુલ્સ, કંપાસ વગેરે લઇને ગણપતિ દાદા પાસે આવે છે અને તેમના ચરણોનો સ્પર્શ કરાવીને અભિમંત્રિત કરાવે છે. આ કોઇ અંધશ્રદ્ધા નથી પરંતુ, ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરેલી આ વસ્તુઓથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને હકારાત્મક લાગણી અનુભવાય તેમજ તેના પરીણામો ભૂતકાળમાં સારા મળ્યા છે એટલે પરંપરા દર વર્ષે આગળ વધી રહી છે.

અહીં પરીક્ષા પહેલા દર્શનાર્થે આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ખોટો ભય રહેતો નથી, પોઝિટીવ વાઇબ્સની અનુભૂતિ સાથે વિદ્યાર્થીઓ કોઇપણ જાતનો ભય રાખ્યા વગર પ્રશ્નપત્રો આપી શકે છે.

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અભિમંત્રિત કરાવવા માટે તા.5મી માર્ચ 2019ની સાંજે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની કતાર લાગી હતી તે વેળાની તસ્વીર

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અર્પણ કરીને આશીર્વાદ મેળવી રહેલા પરીક્ષાર્થીઓ દ્રશ્યમાન છે

પરીક્ષા આડેના 7 દિવસ પૂર્વેથી શહેરના કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના ઇષ્ટ દેવના આશીર્વાદ લેવા માટે મંદિરોની મુલાકાતે જતા જોવાયા હતા. સૌથી વધુ વિદ્યાર્થીઓ પાલ અડાજણના સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનના દર્શનાર્થે જ જતા હોવાનો રેકોર્ડ છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જ્યારથી સિદ્ધી વિનાયક ગણપતિ દાદા પાલ અડાજણ મંદિર સ્કુલમાં બિરાજમાન થયા છે એ વર્ષથી જ બોર્ડની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે બોલપેન લઇને આવે છે અને જે બોલપેનથી ઉત્તરવહીમાં લખવાનું હોય છે એ બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં ધરીને આશીર્વાદ લેવાની પરંપરા છે. આ વર્ષે પણ સેંકડો વિદ્યાર્થીઓ આ પ્રકારે આવી ચૂક્યા છે.

સિદ્ધી વિનાયક ગણપતિ મંદિરમાં પૂજારી શ્રી અંબિકા પ્રસાદ પરીક્ષાર્થીઓની બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં સમર્પિત કરીને મંત્રોચ્ચાર કર્યા બાદ બોલપેન પરત આપે છે. આ જ્યારથી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ થયો ત્યારથી ચાલી આવે છે.

બીજી તરફ પરીક્ષાર્થીઓના ઘરે શુભેચ્છા આપવા માટે મિત્રો, સબંધીઓ, કુટુંબીજનો વગેરે પણ ભીડ લગાડી રહ્યા છે. કાઉન્સિલરો કે શિક્ષણશાસ્ત્રીઓ ભલે આવું કરવાની ના પાડતા હોય પરંતુ, લાગણીવશ સુરતીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા માટે ગીફ્ટસ અને ગુડલક લઇને વીશ કરવા માટે પહોંચી જાય છે.

March 5, 2019
exams.jpg
1min6510

જયેશ બ્રહ્મભટ્ટ

તા.7મી માર્ચ 2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ ધરાવતા સુરત જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહ્યા પૂર્વેનો માહોલ એ વાતની ચાડી ખાય છે કે સુરત હવે પરીક્ષામય બની રહ્યું છે. સુરતમાં દર ચૌથા ઘરે એક બોર્ડનો પરીક્ષાર્થી હોય તેટલી જંગી સંખ્યામાં પરીક્ષાર્થીઓ આ વખતે નોંધાયા છે. પરીક્ષા પૂર્વે પરીક્ષાર્થીઓને ગુડલક-ગીફ્ટસ આપવા માટે મિત્રો, સંબંધીઓ, શુભેચ્છકો વગેરેની આવન-જાવન વચ્ચે સ્વાભાવિક છે કે પરીક્ષાર્થી ઉચાટમય બન્યો છે.

આજે તા.5મી માર્ચે સુરત શહેર જિલ્લામાં જ્યાં જ્યાં જે જે શાળાકીય ભવનોમાં બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે ત્યાં પરીક્ષાર્થીઓને તેમની બેઠક વ્યવસ્થા દર્શાવવાના સમયે પરીક્ષાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા, સ્કુલ બિલ્ડીંગ, માહોલ વગેરે ચકાસવા માટે વાલીઓ સાથે આવ્યા હતા. ઘણાંને બેઠક વ્યવસ્થાથી અસંતોષ હતો તો ઘણાંને બેઠક વ્યવસ્થાથી સંતુષ્ઠિ જણાતી હતી.

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અર્પણ કરીને આશીર્વાદ મેળવી રહેલા પરીક્ષાર્થીઓ દ્રશ્યમાન છે

પરીક્ષા આડેના 7 દિવસ પૂર્વેથી શહેરના કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના ઇષ્ટ દેવના આશીર્વાદ લેવા માટે મંદિરોની મુલાકાતે જતા જોવાયા હતા. સૌથી વધુ વિદ્યાર્થીઓ પાલ અડાજણના સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનના દર્શનાર્થે જ જતા હોવાનો રેકોર્ડ છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જ્યારથી સિદ્ધી વિનાયક ગણપતિ દાદા પાલ અડાજણ મંદિર સ્કુલમાં બિરાજમાન થયા છે એ વર્ષથી જ બોર્ડની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે બોલપેન લઇને આવે છે અને જે બોલપેનથી ઉત્તરવહીમાં લખવાનું હોય છે એ બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં ધરીને આશીર્વાદ લેવાની પરંપરા છે. આ વર્ષે પણ સેંકડો વિદ્યાર્થીઓ આ પ્રકારે આવી ચૂક્યા છે.

બીજી તરફ પરીક્ષાર્થીઓના ઘરે શુભેચ્છા આપવા માટે મિત્રો, સબંધીઓ, કુટુંબીજનો વગેરે પણ ભીડ લગાડી રહ્યા છે. કાઉન્સિલરો કે શિક્ષણશાસ્ત્રીઓ ભલે આવું કરવાની ના પાડતા હોય પરંતુ, લાગણીવશ સુરતીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા માટે ગીફ્ટસ અને ગુડલક લઇને વીશ કરવા માટે પહોંચી જાય છે.

March 5, 2019
twin1.jpg
1min15190

આજે પણ ઘણાં પરિવારો એવા જોવા મળે છે જેમને દિકરી નથી જોઇતી, દિકરાના જન્મે ખુશ થાય છે. આવા પરિવારોથી વિપરીત સુરતમા ંએક એવો પરિવાર છે કે જેણે પરિવારમાં ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે ઠાઠમાઠથી કાઢવામાં આવતા કોઇ વરઘોડાને ટક્કર મારે તેવી શોભાયાત્રા કાઢીને દિકરીઓને પરિવારમાં વધાવી લીધી હતી.

સુરતના એક જૈન પરિવારની આ કહાની છે. ટ્રાવેલિંગ બિઝનેસ સાથે સંકળાયેલા આશિષ જૈનના પરિવારમાં ટવીન દિકરીઓનો જન્મ થયો છે. આ દિકરીઓનું નામ આન્યા અને અનાયા રાખવામાં આવ્યું છે. સમાજમાં બેટી બચાવો અભિયાનનો ચોંટદાર પડઘો પડે તે માટે આશિષ જૈન અને તેમના પરિવારજનોએ ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે રવિવારે સવારે અઠવાલાઇન્સથી ટીમલિયાવાડ સુધી આકર્ષક સરઘસ કાઢ્યું હતું.

પહેલી નજરે આ સરઘસને જોનારાઓને એવું થઇ આવે કે હાલ ચાલી રહેલા લગ્ન પ્રસંગનો કોઇ વરઘોડો નીકળ્યો હોય. પરંતુ, તપાસ કરાતાં જાણવા મળ્યું કે જૈન પરિવારને ત્યાં પારણું બંધાયું અને પારણે ટવીન દિકરીઓ અવતરી છે. આ દિકરીઓના સન્માનમાં જૈન પરિવારો ઘોડાગાડી, બગી, ડીજે મ્યુઝિકના સથવારે સગાસબંધીઓ સાથે સરઘસ કાઢીને દિકરીઓના જન્મ પ્રસંગને આવકાર્યો છે.

 

February 28, 2019
Untitled-1-1280x986.jpg
3min19670

7મી માર્ચ 2019થી ગુજરાત બોર્ડની ધો.10 તથા ધો.12ની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. બોર્ડના વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આવા સંજોગોમાં અનેક લોકો, સગાસબંધીઓ, શિક્ષકો, પાડોશીઓ, શુભેચ્છકો, મિત્ર વર્તુળ વગેરે બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. ઘણાં લોકો એક બીજાના ઘરે જઇને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ ટ્રેન્ડ છેલ્લા 10 વર્ષોથી સુરતમાં ચાલી રહ્યો છે. ઘણાં લોકો ટીકા કરે છે, ઘણાંને આ બાબત સારી લાગે છે.

પણ બોર્ડના વિદ્યાર્થીઓએ આખરી કાઉન્ટ ડાઉન દરમિયાન શું કરવું જોઇએ એ અંગે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલની ટીમે સુરતના જુદા જુદા શિક્ષણશાસ્ત્રીઓ, કેળવણીકારો, આચાર્યો, શિક્ષકોને પૂચ્છા કરીને તેમના માટે એક સરસ મજાનો આર્ટિકલ તૈયાર કર્યો છે. સૌથી મહત્વની સલાહ એ જ હતી કે સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોનથી જેટલા દૂર રહેશે વિદ્યાર્થીઓ તેટલા જ પરીક્ષામાં ફોકસ કરી શક્શે.

શ્રી મહેશ શ્યાની 

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ, વરાછા સુરત

સમગ્ર ગુજરાતમાં હાયર સેકન્ડરી એજ્યુકેશન ક્ષેત્રમાં અગ્રગણ્ય ગણાતી સુરતના વરાછાની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના શ્રી મહેશભાઇ શ્યાનીએ સી.આઇ.એ. લાઇવના વાચકો અને તેમના વિદ્યાર્થીઓ માટે કેટલીક ટીપ્સ આપતા જણાવ્યું હતું કે છેલ્લી ઘડીએ ઉતાવળ કરવાને બદલે વિદ્યાર્થીઓએ શાતિપૂર્વક રિવીઝન કરવાનું તેમજ ઓવર સ્ટડી કરવું નહીં. તેમણે ખાસ ભાર મૂકતા કહ્યું કે ઘણાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એવી આદત હોય કે કેટલાક લોકો દ્વારા બહાર પાડવામાં આવતી આઇ.એમ.પી. મોસ્ટ આઇ.એમ.પી. સવાલોની યાદીઓ કે જે સાવ બોગસ હોય તેના પર છેલ્લી ઘડીએ ભરોસો મૂકીને એ જ વાંચતા હોય છે. શ્રી મહેશભાઇએ કહ્યું કે આવી કોઇ વાતને માનવી નહીં અને વિદ્યાર્થીઓએ પોતાની મહેનત પર જ ભરોસો રાખવો. તેમણે ઉમેર્યું કે પેપર ફૂટી ગયું છે, તેવી અફવાથી દૂર રહેવું કોિપણ મિત્રો દ્વારા પેપર આપવામાં આવે તો  ભરોસો કરવો નહીં. માત્ર આપણી તૈયારી પર વિશ્વાસ રાખવો.

પરીક્ષા સેન્ટર પર માતા અથવા પિતા સાથે જવું હિતાવહ છે.

પરીક્ષા પહેલા નવું વાંચવાનું ટાળવું કેમકે નવું વાંચન વધુ મૂંઝવણો પેદા કરી શકે જે સરવાળે વિશ્વાસ તોડવાનું કામ કરે એટલે નવું વાંચન ટાળવું.

વિદ્યાર્થીઓએ જે તૈયારીઓ કરી છે તેની ફોર્મ્યુલા અને કી પોઇન્ટને વારંવાર વાંચન કરો. પુનરાવર્તનને પણ અવકાશ હોવો જોઇએ.

 

સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોનથી દૂર રહેશે એટલો ફાયદો થશે બોર્ડના પરીક્ષાર્થીઓને

સુરતના પાલ રોડ પર આવેલી ભૂલકા વિહાર સ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતી મીતાબેન વકીલએ બોર્ડની પરીક્ષા આપી રહેલા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને શુભથાઓની શુભેચ્છા આપતા તેમણે છેલ્લી ઘડીના દિવસોમાં શું શું કરવું જોઇએ તે અંગેની ટીપ્સ અમને મોકલી હતી જે અમે અહીં રજૂ કરી રહ્યા છે. હવે પછી બોર્ડની પરીક્ષા સુધી દરરોજ અમે વાલીઓ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ટીપ્સ આપતા રહીશું.

સી.આઇ.એ. લાઇવ ના માધ્યમથી સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી અગ્રણી શિક્ષણવિદો પરીક્ષા ચાલશે ત્યાં સુધી નિયમિત રીતે બોર્ડના વિદ્યાર્થીઓને ટીપ્સ આપશે.

શ્રીમતી મીતા વકીલ

આચાર્યા, ભૂલકા વિહાર સ્કુલ, સુરત

 

# તમને તમારી શક્તિ અને નબળાઇનો ખ્યાલ છે, એ પ્રમાણે વર્તો.

1. You know your strength and weakness the best –

Plan your entire schedule around your strong and weak points. Give more time to the topics you’re less thorough with.

# મોડેલ પેપર કે અગાઉના વર્ષોના પેપરો જોઇ જાવ.

2. Refer the past year papers –

In the board exams you’ll see a pattern of questions asked repeatedly. Be thorough with those and prepare according to the paper style.

# પેપર પ્રેક્ટિસનો કોઇ જ વિકલ્પ નથી, ગમે તેટલા તૈયાર હોવ. પેપર પ્રેક્ટિસ સૌથી મહત્વની પુરવાર થાય છે.

3. Practice & practice –

No matter how prepared you feel you are, keep practicing. Take up a different sections from the question paper each day, stop not until you’re done with the 10th and 12th board exams.

# પાઠ્ય પુસ્તકમાંથી કશું જતું ન કરો. છેલ્લે એક નજર તો મારી જ જાવ.

4. Don’t leave aside a single topic from the text book –

Study the chapters, solve every question given at the end of the textbook. Don’t leave a single topic undone.

# નિષ્ઠાપૂર્વક સ્વનિર્ધારિત સમયપત્રકને વળગી રહો.

5. Disciplined schedule –

Sleep on time, wake up on time. Follow a strict and disciplined schedule and stick to it. Our body takes time to adjust to a new routine, refrain from trying new timetables.

# પરીક્ષા છે એટલા માટે વધુ પડતી મહેનત કરીને થાકને નિમંત્રણ ન આપો.

6. Don’t overstress yourself –

Many students feel stressed out before the board exams. Give yourself some creative time, work out or pursue your hobby for an hour a day.

# સેમ્પલ પ્રશ્નપત્રોને સોલ્વ કરી જાઓ.

7. Solve sample papers –

Solve sample papers from other schools to practice more and get a hang of a variety of questions asked.

# નોટ્સ બનાવીને વાંચન કરો.

8. Prepare notes –

Jot down the important formulae in a diary or keep sticky notes with reminder topics. Add one tick more with every revision.

# હાંસલ થઇ શકે તેવા લક્ષ્યાંકો બનાવતા રહો.

9. Keep targets –

Your productivity increases when you study with targets in mind. Prepare realistic and achievable milestones.

# સોશ્યલ મિડીયા, સ્માર્ટ ફોનનો ઉપયોગ બિલકુલ મર્યાદિત કરી દો.

10. Reduce the use of social media –

Spend as much time you can studying. Social media tends to distract. Replace social media with exercise to remain healthy.

બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવી હોય તો આનાથી ઉપયોગી વસ્તુ બીજી કોઇ ન હોઇ શકે