CIA ALERT

કિડઝિસ્તાન Archives - Page 5 of 12 - CIA Live

February 14, 2021
election_coverage-1280x1047.jpg
1min687

આગામી તા.21મી ફેબ્રુઆરીએ યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર હાલ સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતપોતાની રીતે મતદારો સુધી આગવી શૈલીમાં પોતાની વાત પહોંચાડી રહ્યા છે. અમે અહીં વાત કરી રહ્યા છે એક નાનકડા સ્ટાર પ્રચારકની. આ સ્ટાર પ્રચારકની ઉંમર ફક્ત 12 વર્ષની છે. પરંતુ સુરતના વોર્ડ નં.12, સોનિફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ વોર્ડમાં 12 વર્ષિય વિવાન એક સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ જમાવી રહ્યો છે. એક બાર વર્ષિય નાનકડો બાળક વોર્ડ નં.21ના ઉમેદવારો અશોકભાઇ રાંદેરીયા, વ્રજેશભાઇ ઉનડકટ, ડિમ્પલબેન કાપડીયા અને સુમનબેન ગડીયા માટે આગવી વાક્શૈલીમાં કેન્વાસિંગ કરી રહ્યો છે.

સી.આઇ.એ. લાઇવની ટીમ જ્યારે વોર્ડ નં.21ના રાઉન્ડ પર હતી ત્યારે આ વોર્ડના ઉમેદવાર વ્રજેશ ઉનડકટના નિવાસસ્થાને એક ગ્રુપ મિટીંગનું આયોજન થયું હતું. આ ગ્રુપ મિટીંગમાં સૌના આશ્ચર્ય વચ્ચે વિવાના નામનો 12 વર્ષિય બાળક આગળ આવ્યો અને તેણે છટાદાર વાક્ છટા સાથે હિન્દી ભાષામાં ભાષણ શરૂ કર્યું. જોત જોતામાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી લઇને સુરતના વિકાસની વાતો કરવા માંડી. ગ્રુપ મિટીંગમાં હાજર સૌ દંગ રહી ગયા કે 12 વર્ષિય વિવાન ભારતની રાજનીતિથી લઇને સુરતના કરન્ટ સિનારિયોનું નોલેજ ધરાવે છે અને તેને શાબ્દિક રીતે પ્રેઝન્ટ પણ કરી રહ્યો છે.

એ જ વિવાને રવિવારે સિટીલાઇટ ખાતે પદમકૃતિ એપાર્ટમેન્ટમાં ભાજપના ઉમેદવારો સાથે યોજાયેલી ગ્રુપ મિટીંગમાં ફરીથી જોરદાર ભાષણ કરીને સૌને દંગ કરી દીધા.

સી.આઇ.એ. લાઇવની ટીમે જ્યારે છટાદાર શૈલીમાં ભાષણ કરતા વિવાન અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે એ વોર્ડ નં.21ના ભાજપાના ઉમેદવાર વ્રજેશભાઇ ઉનડકટનો દિકરો છે અને તેના ડેડીને બીગ માર્જિન વિક્ટરી મળે તે માટે કેન્વાસિંગ કરી રહ્યો છે. વિવાન માટે કહેવાય છે કે તેના ડેડીના કેન્વાસિંગમાં એ સ્પીચ આપવાની તક મળે તેની સતત રાહ જોતો હોય છે અને જેવી તક મળે એ પોતાનું ભાષણ હિન્દીમાં શરૂ કરી દે છે, જેને સાંભળીને મતદારોથી લઇને કાર્યકરો અચંબિત થઇ જાય છે અને એટલે જ એ સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ વોર્ડ નં.21 સોનીફળિયા, નાનપુરા, અઠવાલાઇન્સ, પીપલોદ વિસ્તારની ગ્રુપ મિટીંગોમાં ધરાવી રહ્યો છે.

January 27, 2021
backtoschool.png
1min516

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની જેમ હવે ધોરણ 9-11ની શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી કે, 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નાં વર્ગો શરૂ કરવામાં આવશે. આ સાથે જ ધોરણ 9થી 12 સુધી ટયુશન કલાસ પણ શરૂ કરાશે. શાળા અને ટ્યૂશન ક્લાસીમાં તમામ SOPનું પાલન કરવાનું રહેશે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ 9 અને 11ની શાળાઓ પહેલી ફેબ્રુઆરીથી શરુ કરાશે. તે ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 9-12 ટ્યુશન ક્લાસીસ શરુ કરવાની મંજુરી પણ આપવામાં આવી છે. ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી SOPનું પાલન કરવાનું રહેશે.

જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજુઆતોને ધ્યાને લેતાં કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવે છે.

રાજ્યમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, ટ્યૂશન ક્લાસીસને પણ મળી મંજૂરી, તમામ SOPનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે

November 21, 2020
cbse1.jpg
1min790

સીબીએસઇના બૉર્ડના સચિવ અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા ચોક્કસ યોજાશે અને એની તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કોવિડ-૧૯ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને અનેક લોકો ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા રદ કરવાની અથવા એની તારીખ લંબાવવાની માગણી કરી રહ્યા છે અને એના જવાબમાં ત્રિપાઠીએ આ વાત કહી હતી.

એમણે વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષાઓ ક્યારે અને કઇ રીતે યોજાશે એ વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં પરીક્ષાપત્રક જાહેર કરવામાં આવશે તથા પરીક્ષા કઇ રીતે લેવાશે એ વિશેની માહિતી પણ જાહેર કરવામાં આવશે.

જોકે, દર વર્ષની જેમ આ વખતે પણ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાશે કે નહીં એ વિશે એમણે મગનું નામ મરી નહોતું પાડયું, પણ એમ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં કોરોનાને કારણે પ્રતિબંધ લદાયા બાદ આગળ કઇ રીતે વધવું એ વિશે અવઢવ હતી ત્યારે અમારા શિક્ષકોએ પોતાની જાતને નવી ટૅકનોલોજીમાં ઢાળીને ભણાવવાનું ચાલું રાખ્યું હતું તથા થોડા જ મહિનામાં વિવિધ ઍપ્સનો ઉપયોગ કરીને ઑનલાઇન ભણાવવાની વાત સામાન્ય બની ગઇ હતી.

કેટલાંક રાજ્યોમાં ૧૫મી ઑક્ટોબરથી આંશિક રીતે શાળાઓ શરૂ કરવામાં આવી છે, પણ કોરોનાને લીધે અમુક રાજ્યોમાં શાળાઓ સદંતર બંધ જ રહી છે.

જે બૉર્ડની પરીક્ષાઓની તારીખ લંબાવાઇ હતી, એ છેવટે રદ કરાઇ અને પર્યાયી અસેસમેન્ટને આધારે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.

October 25, 2020
Balmandir-1280x1211.jpg
4min10990

તમારા સંતાનને કયા બાળમંદિરમાં પ્રવેશ અપાવશો? ડિટેઇલ ગાઇડન્સ માટે ક્લીક કરો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વખતે કોરોના પેન્ડેમિકને કારણે સ્કુલો બંધ છે નહીં તો દિવાળી પહેલા તો અનેક સ્કુલોમાં બાળમંદિર (પ્રીપ્રાઇમરી)માં પ્રવેશની કામગીરી પૂરી થઇ જતી હોય છે. બાળમંદિરોમાં પ્રવેશની કામગીરી સપ્ટેમ્બર માસમાં શરુ થઇ જાય છે અને ફેબ્રુઆરી સુધી ચાલતી હોય છે. જો આપનું સંતાન કે આપના પરિવારમાં કોઇ બાળકની વય 3 વર્ષની આસપાસ છે તો તમારા માટે આ આર્ટિકલ ઉપયોગી નિવડશે.

આટલા વિશાળ નેટવર્કમાંથી શું પસંદ કરશો

બાળમંદિરમાં પ્રવેશની દિશા બાળકના સમગ્ર શાળાકીય જીવનનો રસ્તો નક્કી કરતી હોય છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા પ્રવેશાર્થીઓના વાલીઓએ એ નક્કી કરવું જોઇએ કે કયા માધ્યમમાં પ્રવેશ લેવો જોઇએ.

  • ગુજરાતી મિડીયમ ( મોટા ભાગની સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • ઇંગ્લિશ મિડીયમ (80 ટકા સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન, 20 ટકા અધરધેન ગુજરાત બોર્ડ)
  • ગ્લોબલ ગુજરાતી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • હિન્દી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • મરાઠી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • ઉર્દૂ મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)

કયા બોર્ડને પસંદ કરશો

સુરત શહેર જિલ્લાની વાત કરીએ તો

  • ગુજરાત બોર્ડ – 850 પ્લસ સરકારી-પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલો
  • સેન્ટ્રલ બોર્ડ – CBSE 46 સ્કુલ, તમામ પ્રાઇવેટ સ્કુલ ઉપરાંત 5 કેન્દ્રીય વિદ્યાલય સરકારી સ્કુલો
  • આઇ.સી.એસ.ઇ. – ICSE 02 સ્કુલ
  • આઇ.બી. બોર્ડ – IB 01 સ્કુલ
  • કેમ્બ્રિજ બોર્ડ – 01 સ્કુલ
  • એન.આઇ.ઓ.એસ. NIOS (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) કોઇપણ સ્કુલે ગયા વગર ઘરે બેસીને અભ્યાસ. ધો.12 સુધી કોઇપણ પ્રવાહમાં ભણી શકાય. ધો.12 પછી મેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, બીબીએ, સમેત કોઇપણ કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ મળી શકે. (તમામ પ્રવેશ પરીક્ષાઓમાં મેરીટના આધારે)

રેગ્યુલર સ્કુલ કે રેસિડેન્સિયલ

પ્રવેશાર્થીના માબાપ તથા પરિવારજનોએ એ બાબતને પણ નિયત કરવાની રહેશે કે તમારા સંતાનને રેગ્યુલર સ્કુલમાં પ્રવેશ અપાવવો છે કે રેસિડેન્સિયલ (નિવાસી) શાળામાં. છેલ્લા ત્રણેક વર્ષથી સમગ્ર ભારતમાં રેસિડેન્સિયલ કન્સેપ્ટ ધરાવતી સ્કુલો તરફ વાલીઓનો ઝોક વધ્યો છે. આવી સ્કુલોમાં ધો.5થી હોસ્ટેલ એકોમોડેશન પૂરું પાડવામાં આવે છે. સુરતમાં આવી પણ અનેક શાળાઓ આવેલી છે.

તમારા ક્રાઇટેરીયા નક્કી કરો

બાળમંદિર પ્રવેશાર્થીઓના વાલીઓએ પોતાના ક્રાઇટેરીયા અનુસાર સંસ્થાની પસંદગી કરવાની રહેતી હોય છે. દેખાદેખી કે સાંભળેલી વાતોને આધાર બનાવ્યા વગર તમારા પોતાના ક્રાઇટેરીયા અને સ્વયં તપાસ (રિયાલિટી ચેક)ના આધારે તમારા બાળકનું સ્કુલિંગ ડેસ્ટિનેશન નક્કી કરવું જોઇએ.

  • સૌથી પહેલો ક્રાઇટેરીયા એરીયા. તમારા રેસિડેન્સ વિસ્તારની સ્કુલમાં લેવું છે કે અન્ય વિસ્તારમાં, કેમકે બાળકે 15 વર્ષ, 5000થી વધુ દિવસો સુધી ત્યાં અપડાઉન કરવાનું હોય છે. એટલે સૌથી પહેલા નક્કી કરો કે કયા એરિયાની સ્કુલમાં અભ્યાસ કરાવવો બહેતર રહેશે.
  • બીજો ક્રાઇટેરીયા ફી. ફી માટે કહેવાય છે કે ખાંડ નાંખો એટલું ગળ્યું થાય. એમ જેટલી ફી વધુ તેટલું સારું એજ્યુકેશન મળી રહે. આ સૂત્ર બધે ઠેકાણે કામ નથી કરતું પણ 99 ટકા સ્કુલો પર લાગૂ પડે છે. ઉંચી ફી ધરાવતી સ્કુલોનું એજ્યુકેશન બાળકનો ઓવરઓલ વિકાસ કરે છે. મોંઘવારીના જમાનામાં સારા શિક્ષકોનો પગાર સંસ્થાઓને પરવડતો નથી હોતો.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર. માળખાગત સુવિધાઓ. આજે એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાળકના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી થઇ ગયું છે. લાઇબ્રેરી, લેબોરેટરીઓ અપડુડેટ હોવા સાથે પ્લેગ્રાઉન્ડ, ડિજિટલ લેબ્સ, ઓડીટોરીયમ, રોબોટિક્સ, મ્યુઝિક સ્ટુડીયો વગેરે પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી સ્કુલોમાં અભ્યાસ કરતા બાળકોનો ગ્રોથ વધુ જોવાય છે.
  • એજ્યુકેશન. ત્રીજો ક્રાઇટેરીયા એજ્યુકેશન. સુરતના શાળાકીય શિક્ષણમાં જબરદસ્ત કોમ્પિટીશન જોવા મળે છે, તેનો ફાયદો વાલીઓ અને વિદ્યાર્થીઓ બન્નેને મળે છે. ક્વોલિટી એજ્યુકેશન આપતી સંસ્થાઓના વિદ્યાર્થીઓનું જાહેર પરીક્ષાઓમાં પરફોર્મન્સ જ માપદંડ છે. એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્વયં જાણી શકે છે કે એજ્યુકેશન વાઇઝ પરફોર્મન્સ જે તે શાળાઓનું કેવું રહે છે.

સુરતના અડાજણ વિસ્તારમાં સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાલયમાં પ્રવેશ કાર્યવાહી શરૂ

રાંદેર રોડ, અડાજણ વિસ્તારમાં સેન્ટ્રલ બોર્ડ એફિલિયેટેડ સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાલય તેમજ સ્વામીનારાયણ એચ.વી. એકેડેમીમાં પ્રીપ્રાઇમરી સેકશનમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે. ઉપરોક્ત પોસ્ટરમાં તમામ વિગતો સમાવિષ્ટ કરવામાં આવી છે. રસ ધરાવતા વાલીઓએ સત્વરે ન્યુ રાંદેર રોડ, સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાસંકુલ પર સંપર્ક કરવો.

ઉધના સ્થિત શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલમાં પ્રવેશ કાર્વાહી શરૂ

25/10 થી શરૂ થઇ કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલની પ્રવેશ કામગીરી

ઉમરાની ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના એડમિશન તા.26/10/2020 થી

ભૂલકાવિહાર સ્કુલમાં પ્રવેશ કાર્યવાહી 26મી નવેમ્બરથી શરૂ થશે

ભૂલકા ભવનમાં 26 નવેમ્બરથી બાળમંદિરમાં પ્રવેશની કામગીરી

આપની સ્કુલમાં બાળમંદિરમાં પ્રવેશ કાર્યવાહીની વિગતો અહીં સમાવવા અમને વ્હોટ્સએપ કરો 98253 44944

બાળમંદિરમાં પ્રવેશ અંગે પેરેન્ટ કાઉન્સેલિંગ, આપની એપોઇન્ટમેન્ટ અહીં બુક કરાવો 98253 44944

September 17, 2020
Schoolsclosed4.jpg
1min5100

16/9/20 મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખૂલે. કેન્દ્ર સરકારે અનલોક 4માં ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવા મંજૂરી આપી છે. જોકે, તે ફરજિયાત નહીં પરંતુ મરજિયાત છે. તેવામાં ગુજરાત સરકારે કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. કેબિનેટે એવું પણ નક્કી કર્યું છે કે ભવિષ્યમાં રાજ્યમાં કોરોનાના કેસો ઘટે ત્યારે જ સ્કૂલો ખોલવા અંગે નિર્ણય લેવાશે.

Indiana schools closed for rest of academic year

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર 9થી 12ના વર્ગો શરુ કરવા મરજિયાત છે. તેવામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂનથી સ્કૂલો ખૂલી જતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે હજુ સુધી સ્કૂલો નથી ખૂલી અને વિદ્યાર્થીઓને ઓનલાઈન જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

September 12, 2020
educationpolicyjpg.jpg
1min5020

નવી પેઢીના બાળકોના શિક્ષણ માટે ‘ઍન્ગેજ, ઍક્સપ્લોર, ઍક્સપ્રેસ ઍન્ડ ઍક્સલ’ નવો મંત્ર છે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવનારો નવો અભ્યાસક્રમ નવી શિક્ષણ નીતિને અનુરૂપ હશે.

વર્ષ ૨૦૨૨માં દેશ જ્યારે સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યાં સુધીમાં નવા અભ્યાસ્રમને નવી શિક્ષણ નીતિને અનુરૂપ બનાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

માર્કશિટ વિદ્યાર્થીઓ તેમ જ તેમના પરિવારજનો માટે પ્રેશરશિટ અને પ્રેસ્ટિજશિટ બની ગઈ હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો આશય આ પ્રેશર દૂર કરવાનો છે.

નવી શિક્ષણ નીતિ અભ્યાસક્રમ ઘટાડશે તેમ જ શિક્ષણને મનોરંજન અને સંપૂર્ણ અનુભવ આધારિત બનાવશે, એમ તેમણે કહ્યું હતું.

શિક્ષણ ખાતા દ્વારા આયોજન કરવામાં આવેલી ‘સ્કૂલ ઍજ્યૂકેશન કૉન્ક્લેવ’ને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે અભ્યાસક્રમનું માળખુ વિકસાવવામાં આવશે અને વર્ષ ૨૦૨૨માં દેશ સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યાર સુધીમાં તે તૈયાર થઈ જશે.

નવો અભ્યાસક્રમ વૈજ્ઞાનિક ઢબનો હોવા ઉપરાંત વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરશે.

નવી શિક્ષણ નીતિના અમલ અગાઉ માય ગવર્નમેન્ટ પૉર્ટલ મારફતે એક જ અઠવાડિયામાં ૧૫ લાખ કરતા પણ વધુ સૂચનો આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરતા તેમણે કહ્યું હતું કે ભાષા માત્ર અભ્યાસ કરવાનું માધ્યમ છે, પરંતુ ભાષા પોતે અભ્યાસ નથી.

વડા પ્રધાને શિક્ષકોને કોરોના વાઈરસની માર્ગદર્શિકાનું ભારપૂર્વક પાલન કરવા જણાવ્યું હતું.

તેમણે શિક્ષકોને માસ્કથી મોઢું ઢાંકવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને સ્વચ્છતા જાળવવા કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી દેશમાં માર્ક અને માર્કશિટ આધારિત શિક્ષણ હતું.

માર્કશિટ વિદ્યાર્થીઓ માટે પ્રેસરશિટ અને પરિવારજનો માટે પ્રેસ્ટિજશિટ બની ગઈ હતી.

નવી શિક્ષણ નીતિ બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરતી હોવા ઉપરાંત મનોરંજન, શોધ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એમ તેમણે કહ્યું હતું.

નવી પેઢીના બાળકોના શિક્ષણ માટે ‘ઍન્ગેજ, ઍક્સપ્લોર, ઍક્સપ્રેસ ઍન્ડ ઍક્સલ’ નવો મંત્ર છે, એમ તેમણે કહ્યું હતું.

અમારું કામ હજુ તો શરૂ થયું છે એ જણાવતાં મોદીએ કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો સમાનતા અને અસરકારક રીતે અમલ કરવામાં આવશે.

નવી શિક્ષણ નીતિ નવા યુગના આરંભનું બીજ વાવશે અને તે ૨૧મી સદીના ભારતને નવી દિશા આપશે, એમ તેમણે કહ્યું હતું.

August 31, 2020
coronavirus-children.jpg
3min896

બાળકો માં કોરોના અને એમ આઈ એસ સી કોરોના બીમારી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો

MIS-C શું છે ? સમજો પહેલા

Multisystem inflammatory syndrome in children (MISC), also called pediatric multi-system inflammatory syndrome (PMIS or PIMS), is a newly recognized, potentially serious illness in children that seems to be related to COVID-19.

એમ.આઇ.એસ. સી એટલે મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટ્રી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન. આ એક પ્રકારની ગંભીર બિમારીના બહુવિધ લક્ષણો છે જેને ખાસ કરીને કોવીડ-19 ડાયગ્નોસિસ શોધ તારણ તરીકે પ્રચલિત કરવામાં આવી રહ્યા છે.

(સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ SPACT) સુરતના ખ્યાતનામ પિડીયાટ્રીશ્યન ડૉ. પ્રશાંત કારીયાની ફેસબુક વોલ પરથી

  • 1) શું બાળકો અને નવજાત બાળકોમાં કોરોના ચેપ લાગી શકે છે? • હા, કોરોના ચેપ કોઈપણ વયના બાળકોમાં અથવા નવજાત બાળકોમાં પણ થઈ શકે છે.
  • 2) કોરોના બાળકોને કેવી રીતે અસર કરે છે? • કોરોના બાળકોને 2 રીતે અસર કરી શકે છે a. કોરોના 19 ચેપ – સામાન્ય રીતે મોટાભાગના જે બાળકો ને ચેપ થાય છે તે પુખ્ત વયના લોકોની જેમ બીમાર બનતા નથી તથા કેટલાકમાં કોઈ લક્ષણો દેખાતા નથી. b. એમ.આઈ.એસ. સી કોરોના – જે રોગ કોરોના ચેપ સામેની પ્રતિરક્ષાને કારણે થાય છે.
  • 3) MIS-C એટલે શું? • એમ આઈ એસ સી નું પૂરું નામ મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ in children With COVID 19.• એટલે કે કોરોના ના કારણે બાળકો મા જોવા મળતી શરીરના વિવિધ અંગોને અસર કરતી બીમારી.
  • 4) MIS-C શેનાથી થાય છે? • આ બીમારી કોરોના વાયરસ ના ચેપ સાથે સંકળાયેલી છે. • મોટાભાગના કેસમાં કોરોના થઈ ગયા પછી ૩ થી ૬ અઠવાડિયા ના ગાળામાં આ બીમારી જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે જેને જેને કોરોના થાય છે તેને તેને MI S-C થવાની શક્યતા છે.
  • 5) કોરોના થયા હોય એવા બાળકોમાં કેટલા ટકા બાળકોને એમએસસી થવાની શક્યતા છે? • પશ્ચિમી દેશોના ડેટા પ્રમાણે કોરોના થઈ ગયો તેવા બાળકોમાંથી 100 માંથી 2 એટલે કે બે ટકા ( 2 %) બાળકોને MIS – C થવાની શક્યતા છે.• આપણા દેશમાં હજુ રિસર્ચ ચાલે છે થોડા સમય પછી આપણને ખ્યાલ આવશે કે ઇન્ડિયામાં કેટલા ટકા બાળકોને થાય છે.
  • 6) શું આ MIS-C રોગ ચેપી છે? • એમએસસી નામની બીમારી મોટાભાગના કેસમાં ચેપી હોતી નથી .• કારણ કે MIS- C નાં દર્દી માં કોરોના વાઈરસ નાં બદલે વાઈરસ ના સામે બનેલ એન્ટી બોડી બીમારી માટે જવાબદાર હોય છે.

વિસ્તારમાં સમજ

જ્યારે પણ આપણા શરીરમાં કોઈપણ વાઈરસ બેક્ટેરિયા કે અન્ય વિષાણુ પ્રવેશે છે ત્યારે આપણું શરીર આપણી રક્ષા કરવા સૈનિકો તૈયાર કરે છે જેને આપણે એન્ટીબોડી કહીએ છીએ. આ એન્ટીબોડી નું કામ છે કે શરીરમાં આવતા વાઈરસને ઓળખી અને તેને શરીરમાંથી નિકાલ કરવાનું હોય છે.

પરંતુ એમએસસી નામની બીમારી માં આજ સૈનિકો એટલે કે એન્ટીબોડી આપણા શરીરના વિવિધ અંગો જેમકે હદય, લીવર, કિડની, આતરડું તેમજ અન્ય અંગોને વાયરસ તરીકે સમજી વિવિધ અંગો પર હુમલો કરે છે જેથી શરીરના વિવિધ અંગોને નુકસાન થાય છે.

બીમારીના લક્ષણો શું છે?

  • બધા જ બાળકોને તાવ આવતો હોય છે.
  • આ ઉપરાંત ઝાડા-ઉલ્ટી થવી
  • આંખો લાલ થવી
  • શરીર પર ચકામા આવવા
  • નબળાઇ લાગવી
  • નવજાત શિશુઓ ધાવણ ઓછું લેવું
  • ચીડિયો સ્વભાવ થવો
  • શરીરના ભાગમાં દુખાવો થવો
  • જો આ બીમારી વધારે પ્રમાણમાં ફેલાઈ તો શરીરમાં સોજો આવવો ધબકારા વધી જવા બ્લડપ્રેશર ઘટી જવું વધારે બાળક સૂઈ ને જ રહે તેવા લક્ષણો જોવા મળે છે.

માતા-પિતા તરીકે અમારે ક્યારે એવું સમજવું જોઈએ કે મારા બાળકને MIS-C છે? • જો તમારા બાળક માં ઉપરોક્ત જણાવ્યા મુજબ ના લક્ષણો જણાય તો તાત્કાલિક તમારા બાળરોગ નિષ્ણાંત ડોક્ટર નો સંપર્ક કરવો. 9) નિદાન કરવા માટે શું કરવું જોઈએ?

• નિદાન કરવા માટે બાળકની સંપૂર્ણ તપાસ બાળક ના ડોક્ટર દ્વારા થવી જરૂરી છે તેમજ વિવિધ લોહીની તપાસ અને હૃદયની તપાસ( ઇકો-કાર્ડિયોગ્રામ )દ્વારા થઈ શકે છે. 10) સારવાર કઈ રીતે કરી શકાય?

• એમ આઈ એસ સી ની સારવાર માટે મુખ્યત્વે સમયસર નિદાન જરૂરી છે. હોસ્પિટલમાં દાખલ કરી અને ખાસ પ્રકારના ઇન્જેક્શનો( IVIG/ Steroids) દ્વારા સારવાર કરવામાં આવે છે.

11) સુરતમાં આ બીમારીના કેટલા કેસો અત્યાર સુધી જોવા મળ્યા છે? • સુરતની તમામ હોસ્પિટલ ના મળી અંદાજીત 35 જેટલા કેસો નોંધાયા છે.

12) શું આ રોગ જીવલેણ છે કે કોઈ લાંબાગાળાની તકલીફ થવાની શક્યતા છે? • અમેરિકાની CDC સંસ્થાના સર્વે મુજબ MIS C નું નિદાન થયેલ દર્દીઓમાં 2 % જેટલા દર્દીઓ માં આ બીમારી જીવલેણ પુરવાર થઈ છે• એમએસસી નામની બીમારી છેલ્લા ચાર થી પાંચ મહિનાથી દુનિયામાં જોવા મળી છે અત્યાર સુધીના જે પણ બાળકોને આ બીમારીથી સારવાર અપાય છે તેમાં મોટાભાગના બાળકોને કોઈ લાંબા ગાળે તકલીફ રહેવાની શક્યતા ઓછી છે. પરંતુ કોઈ લાંબાગાળાની કોમ્પ્લિકેશન વિશે અત્યારે કહેવું ખૂબ જ અઘરું છે.

13) શું માતા-પિતાએ વર્તમાન પરિસ્થિતિમાં બાળકોનું નિયમિત રસીકરણ ચાલુ રાખવું જોઈએ? • હા ચોક્ક્સ , કારણ કે રસી દ્વારા બાળકોમાં થતા અન્ય ચેપને રોકવાનું પણ એટલું જ મહત્વનું છે.• તેથી તમારા બાળ ચિકિત્સકની સલાહ લો અને તમારા બાળકોની રસી ચાલુ રાખો. સુરત પિડિયાટ્રિક એસોસિએશન દ્વારા જનજાગૃતિ માટે જારી.

August 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7240

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલ કોવીડ-19 પેન્ડેમિકની સ્થિતિમાં શાળાઓ ગત માર્ચ માસથી બંધ છે અને નવા શૈક્ષણિક વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રનું શિક્ષણ કાર્ય સમગ્ર રાજ્ય અને દેશમાં ઓનલાઇન ચાલી રહ્યું છે. જ્યાં મોબાઇલ, ઇન્ટરનેટ નથી ત્યાં સરકારે ટેલિવિઝનથી બાળકોના ભણવાની વ્યવસ્થા કરી છે. દરમિયાન જુલાઇ 2020થી તો સરકારે ઓનલાઇન શિક્ષણ લઇ રહેલા પ્રાથમિક શાળાના બાળકોની સામાયિક પરીક્ષા યોજી હતી અને હવે સરકાર ઓનલાઇન શિક્ષણમાં પણ રેગ્યુલર પરીક્ષા લેવાના મૂડમાં જણાય રહી છે.

એક તરફ સુરત સમેત રાજ્યની હજારો ખાનગી શાળાઓના સંચાલકોએ સરકારની આ સામાયિક પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. તા.10મી સુધીમાં માર્કસ સરકારને અપલોડ કરવાના હતા એ પણ હજુ થયા નથી ત્યારે રાજ્ય સરકારે હવે દ્વિતીય સામાયિક પરીક્ષાની તારીખો જાહેર પણ કરી દીધી છે.

ધો.3થી 8માં પરીક્ષા 27 અને 28 ઓગસ્ટે લેવાશે

રાજ્ય સરકારે દ્વિતીય સામાયિક પરીક્ષાની તારીખ જાહેર કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે ધો.3થી 5માં આ વખતે પર્યાવરણ અને ધો.6થી 8માં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા યોજવાની સૂચના આપી છે. તા.5મી સપ્ટેમ્બર 2020 સુધીમાં વાલીઓએ બાળકોની આન્સરશીટ શાળાને પહોંચતી કરવાની રહેશે.

દ્વિતીય સામયિક પરીક્ષાનો સરક્યુલર

July 30, 2020
educationpolicyjpg.jpg
1min8449

 ભારતમાં 34 વર્ષના લાંબાગાળા બાદ આખરે નવી શિક્ષણ નીતિ આવી છે. કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં નવી શિક્ષા નીતિને મંજૂરી આપવામાં આવી હતી. જેનાં ભાગરૂપે હવે માનવ સંસાધન મંત્રાલયનું નામ પણ બદલાવીને ફરીથી શિક્ષા મંત્રાલય કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણયો કરવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠક બાદ માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને સૂચના-પ્રાસરણ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશની શિક્ષણ વ્યવસ્થામાં ધરખમ સુધારાઓની ઘોષણા કરી હતી.

માનવ સંસાધન મંત્રાલયનું નામ પહેલા શિક્ષણ મંત્રાલય જ હતું પણ 198પમાં તેને બદલવામાં આવેલું. નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં ફરીથી તેનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જેને કેબિનેટે મંજૂરી આપી છે.

પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિના અમલ પછી ભારત જ્ઞાનની મહાશક્તિ બનીને ઉપસી આવશે. આ નવી નીતિ વ્યાપક વિચારવિમર્શ પછી બનાવવામાં આવેલી છે. વિદ્વાનોથી લઈને જનપ્રતિનિધિઓ સુધી ગહન ચર્ચા અને પરામર્શ પછી તેને તૈયાર કરવામાં આવી હતી.

આ નવી નીતિ માટે કુલ સવા બે લાખ જેટલાં સૂચનો મળેલા અને ઉચ્ચ શિક્ષણ તથા શાળાકીય શિક્ષણ માટે અલગ-અલગ ટીમો બનાવીને તેને તૈયાર કરવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિ માટે ઈસરોના પૂર્વ વડા કે.કસ્તૂરીરંગનનાં વડપણમાં એક સમિતિની રચના થયેલી. આ પેનલે ગત વર્ષે માનવ સંસાધન મંત્રાલયેને પોતાની ભલામણોનો મુસદ્દો સુપરત કરી દીધો હતો. ત્યારબાદ તેને તમામ હિતધારકોનાં સૂચનો માટે સાર્વજનિક મંચ ઉપર રાખવામાં આવેલી.

દેશની વર્તમાન શિક્ષણનીતિને 1986માં તૈયાર કરવામાં આવી હતી. જેમાં 1992માં સુધારા કરવામાં આવેલા. ભાજપ દ્વારા વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ નવી શિક્ષણ નીતિને પોતાના ઘોષણાપત્રનો હિસ્સો બનાવી હતી. જેનો હવે અમલ થવા જઈ રહ્યો છે.

મુદ્દાસર નવી શિક્ષણ નીતિ

  • પ્રાથમિક સ્તર પર અપાતાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક નવા ‘રાષ્ટ્રીય પાઠયક્રમ’નું માળખું તૈયાર કરવા પર શિક્ષણ મંત્રાલયે ભાર મૂકયો છે.
  • નવી શિક્ષણનીતિની સૌથી મોટી વિશેષતા એ છે કે, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણની સાથોસાથ કૃષિ, કાયદો, ચિકિત્સા, ટેકનોલોજી જેવાં વ્યાવસાયિક શિક્ષણોને પણ નવી નીતિના દાયરામાં લવાયા છે.
  • નવી’ શિક્ષણનીતિમાં 2009ના શિક્ષણ અધિકાર કાયદાનો દાયરો વ્યાપક બનાવતાં હવેથી 3થી 18 વર્ષનાં બાળકોને આ કાયદાના દાયરા તળે લવાશે.
  • કલા, સંગીત, શિલ્પ, રમતગમત, સામુદાયિક સેવા, યોગ જેવા તમામ વિષયો પણ અભ્યાસક્રમમાં સામેલ કરાશે. આ તમામને સહાયક કે વધારાના અભ્યાસક્રમ નહીં કહેવાય.
  • બાળકોમાં જીવન જીવવાનાં જરૂરી કૌશલ્યો અને ક્ષમતાઓને વિકસિત કરવા પર પણ નવી શિક્ષણનીતિમાં ભાર મુકાયો છે.
  • અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામનો ઢાંચો પણ બદલાશે. હવે કોર્સ દરમ્યાન અનેક કક્ષામાંથી નીકળવા કે પ્રવેશ કરવાના ઘણા વિકલ્પ અપાશે.
  • નવી શિક્ષણનીતિમાં પાઠયક્રમમાં ભારતીય જ્ઞાન પદ્ધતિઓને સામેલ કરવા,
  • ‘રાષ્ટ્રીય શિક્ષણ આયોગ’ની રચના કરવા
  • ખાનગી શાળાઓને મરજી ફાવે તેમ ફી વધારા કરતી રોકવાની ભલામણ કરાઇ છે.
  • નવી શિક્ષણનીતિ તળે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિશ્વસ્તરીય સંશોધન અને ઉચ્ચ ગુણવત્તા સાથેના અભ્યાસ પર ભાર મુકાશે.
  • રાષ્ટ્રીય શિક્ષણનીતિ, 2019 ભારતીય લોકો, તેમની પરંપરાઓ, સંસ્કૃતિઓ, ભાષાઓની વિવિધતાને ધ્યાનમાં રાખતાં ઝડપભેર બદલતા સમાજની જરૂરતોના આધારે તૈયાર કરાઇ છે.
  • ઈ-પાઠયક્રમ ક્ષેત્રીય ભાષાઓમાં વિકસિત કરાશે. વર્ચ્યુઅલ લેબ વિકસિત કરવામાં આવી રહી છે અને એક રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી ફોરમ (એનઈટીએફ) બનાવવામાં આવી રહ્યું છે.
  • સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત જીડીપીના 4.43 ટકા જેટલા ખર્ચ સામે શિક્ષણ પાછળ થતો ખર્ચ વધારીને 6 ટકા કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
  • અમેરિકાનાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની તર્જ ઉપર ભારતમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના થશે. જે મોટા પ્રોજેક્ટ માટે ધિરાણ પણ ઉપલબ્ધ કરાવશે.
  • બાળકોનાં રિપોર્ટ કાર્ડમાં હવે લાઇફ સ્કિલ્સ પણ જોડાશે. અત્યાર સુધી આવી કોઈ વ્યવસ્થા નહોતી.
  • પાઠયક્રમોમાં ભારતીય જ્ઞાન પદ્ધતિઓનાં સમાવેશ માટે રાષ્ટ્રીય શિક્ષણ આયોગ રચાશે
  • વર્ષ 2020માં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે સામાન્ય પ્રવેશ પરીક્ષાની ઓફર આપવામાં આવશે પણ તે અનિવાર્ય નહીં રહે.
  • શાળાકીય શિક્ષણમાં 10+2ની પ્રણાલી સમાપ્ત
  • હવે નવી શિક્ષણ નીતિમાં 10+2નાં સ્થાને પ+3+3+4નાં ફોર્મેટનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેનો અર્થ એવો થાય કે પ્રથમ પાંચ વર્ષનાં શિક્ષણમાં ત્રણ વર્ષ પ્રી-પ્રાઈમરી અને ધો.1-2 સહિતનું પાયાનું સ્ટેજ રહેશે. ત્યારબાદ ત્રણ – ત્રણ વર્ષનાં બે પ્રાથમિક સ્તર એટલે કે ધો.3થી પનું સ્તર અને ધો.6થી 8નાં તબક્કામાં વિભાજિત થશે. ત્યારબાદ માધ્યમિકનાં 4 વર્ષમાં ધો.9થી 12નો સમાવેશ થશે.
July 25, 2020
Bal_kisaan1.jpg
2min9260

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કેટલીક તસ્વીરો અરેરાટી ઉપજાવતી હોય છે તો કેટલીક તસ્વીરો એવી પણ હોય છે તેને જ્યારે જોઇએ, જેટલી પણ વાર જોઇએ મનને અલૌકિક શૂકૂન આપનારી હોય છે. નજર ઠરી જાય, મન શાંતિ અનુભવે એવી એક બાળ ખેડૂતની તસ્વીરો હાલ સોશ્યલ મિડીયા સેન્સેશન બની છે.

અલ્હાબાદના કરછના ગામના એક ખેતરમાં ધાન રોપી રહેલા આ બાળ ખેડૂતનું નામ છે ઇન્દ્રજિત પટેલ. એની તસ્વીરો અલ્હાબાદના જ અભિનવ પાંડેએ તેમના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરી છે. જેને અમે અહીં સાભાર પ્રસ્તુત કરી છે.

અલ્હાબાદના કરછના ગામના ખેતરમાં ધાનની રોપણી કરી રહેલ આ બાળ ખેડૂતનું નામ ઇન્દ્રજીત પટેલ છે જે સોશ્યલ મિડીયા સેન્સેશન બની છે

સોશ્યલ મિડીયા સેન્સેશન બાળ ખેડૂત

સોશ્યલ મિડીયા સેન્સેશન બનવા માટે ટીકટોકની શું જરૂર

Read Also in This Site