
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવાર તા.31 જુલાઈ સુધી અનલોક-2.0 ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે જે તા.1લી જુલાઇ 2020થી અમલી બનશે. અનલૉક- 2.0 કેટલીક શરતો સાથે અનેક ગતિવિધિઓમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. જોકે, કન્ટેઈનમેન્ટ ઝોનમાં પહેલાની જેમ નિયમોનો કડક અમલ રહેશે. નવી ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોનમાં તા.31 જુલાઈ સુધી લોકડાઉન જારી રહેશે. આ ઉપરાંત મેટ્રો સર્વિસ, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલ, થિયેટર, બાર, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ જમા કરવા પર પ્રતિબંધ યથાવત રહેશે.
કેન્દ્રની નવી ગાઈડલાઈન મુજબ અનલોક-2માં શાળા-કોલેજ અને કોચિંગ ઈન્સ્ટિટ્યુટ 31 જુલાઈ સુધી બંધ રહેશે. પરંતુ ડિસ્ટન્સિંગ લર્નિંગ અને ઓનલાઈન અભ્યાસ જારી રહેશે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ 15 જુલાઈથી શરૂ થશે. આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગે યાત્રા કરવા પર પ્રતિબંધ રહેશે. જોકે, ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હોય એવા લોકો જ યાત્રા કરી શકશે.
– કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તાલીમ સંસ્થા 15 જુલાઈથી ખોલી શકાશે. જોકે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર સાથે
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ તરફથી આગામી દિવસમાં SOP જારી કરાશે.
– વિવિધ વિસ્તારો
પ્રમાણે દુકાનો પર એક સમયે 5થી વધારે લોકોની એટ્રી આપી શકાશે. જોકે, તેમા જગ્યા પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
– અગાઉ 9થી સવારના 5 વાગ્યા સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ હતો. આ વખતે એક કલાકનો સમય
વધારવામાં આવ્યો. અનલોક-2માં રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ઘરમાંથી બહાર નિકળી શકાશે
નહીં. એટલે કે રાતે એક કલાક વધારે બહાર રહી શકાશે.
સોમવારે રાત્રે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-2 માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી. અનલોક-2 માં કરફ્યુ સમય રાત્રિ 10થી સવારના 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. અનલોક-2 આવતીકાલથી સમગ્ર દેશમાં લાગૂ થશે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, રાષ્ટ્રીય અને રાજ્ય હસ્તક હાઈવે પર લોકોની અવર-જવર, માલ-સામાનના પરિવહન, લોડિંગ અને અનલોડિંગ, બસ, ટ્રેન, પ્લેનથી ઉતર્યા બાદ લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા અને જવા માટે રાત્રિ કરફ્યુમાં છૂટ આપવામાં આવી છે.












