વાયરલ Archives - Page 46 of 82 - CIA Live

April 4, 2021
maharashtra.jpg
1min515

કોરોનાના સતત વધતા જતા કેસોને પગલે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને કડક પગલાં ભરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્ર સરકારે રવિવારે મળેલી કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં વીકેન્ડ લોકડાઉનનો પણ નિર્ણય લેવાયો છે.

મહારાષ્ટ્રમાં શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે, એટલે કે, રાજ્યમાં શનિવારે અને રવિવારે સંપૂર્ણ લોકકડાઉન લાગુ રહેશે. આ ઉપરાંત દરરોજ રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ રહેશે અને આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, રાજ્યમાં 30 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન નહીં લગાવાય, પરંતુ પ્રતિબંધો વધુ કડક કરવામાં આવશે. લેવાયેલા નિર્ણય મુજબ, સમગ્ર રાજ્યમાં વીકેન્ડ લોકડાઉન લગાવાશે.

આ ઉપરાંત રાજ્યમાં ધાર્મિક સ્થળોને લઈને પણ કડક નિયમો બનાવાયા છે. મોલ્સ, થિયેટર, ગાર્ડન સંપૂર્ણ બંધ રહેશે. સમગ્ર મહારાષ્ટ્રમાં નાઈટ કરફ્યૂ લગાવી દેવાયો છે. જે મુજબ રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ રહેશે. તે દરમિયાન માત્ર જરૂરી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે. કર્મચારીઓએ ઘરેથી કામ કરવાનું રહેશે. આ અંગે ટૂંક સમયમાં જ એસઓપી જાહેર કરવામાં આવશે તેમ રાજ્યના મંત્રી અસલમ શેખે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારના નિર્ણય મુજબ, જરૂરી સેવાઓમાં કામ કરતા લોકોને જ રાત્રે નીકળવાની મંજૂરી રહેશે. તો, હોટલ અને રેસ્ટોરન્ટમાં બેસીને ખાવા પર પ્રતિબંધ રહેશે. જોકે, પેકિંગ સુવિધા ચાલુ રહેશે. તે ઉપરાતં મોટા શૂટિંગ માટે મંજૂરી નહીં અપાય. તો, ઉદ્યોગો માટે ટૂંક સમયમાં જ એસઓપી જાહેર કરાશે. સરકારી ઓફિસો 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે. શાકમાર્કેટ બંધ નહીં કરાવાય, પણ નિયમોનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત રિક્ષા, ટેક્સી અને ટ્રેન સેવા બંધ નહીં કરવામાં તેવી પણ જાહેરાત કરાઈ છે.

April 3, 2021
lock-down.png
1min363

વિજ્ઞાનીઓએ ચોક્કસ ગણતરી કરીને દાવો કર્યો હતો કે દેશમાં કોરોનાની બીજી લહેર એપ્રિલના મધ્યમાં સર્વોચ્ચ શિખરે હશે, પરંતુ મેના અંત સુધીમાં તેમાં ઘટાડો થવાની શક્યતા છે.

અગાઉ, દેશમાં કોરોનાની પ્રથમ લહેર ફેલાઇ હતી ત્યારે ચોક્કસ ગણતરીના આધારે આગાહી કરાઇ હતી કે કોરોનાની લહેર સપ્ટેમ્બરમાં સર્વોચ્ચ શિખરે હશે અને ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં તેમાં ઘટાડો થશે.

કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી)ના મનિન્દ્ર અગ્રવાલ સહિતના વિજ્ઞાનીઓએ કોરોનાના દરરોજ વધી રહેલા દરદીઓના આંકડાની ગણતરી કરીને આગાહી કરી હતી કે કોરોનાની બીજી લહેર એપ્રિલના મધ્યમાં સર્વોચ્ચ શિખરે હશે. અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં ૧૫થી ૨૦ એપ્રિલની વચ્ચે કોરોનાના દરદીઓની સંખ્યા ઘણી વધી શકે છે.

આમ છતાં, ૧૫થી ૨૦ એપ્રિલ દરમિયાન કોરોનાના દૈનિક નવા દરદીઓની સંખ્યા લગભગ એક લાખ જેટલી રહેશે.

વિજ્ઞાનીઓએ કરેલી ધારણા મુજબ દેશમાં કોરોનાની હાલની લહેર પંજાબમાં અને ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ઝડપી બનશે.

April 1, 2021
vaccination.jpg
1min505
India in strong position on Corona Vaccine, Ministry of Health said |  Corona સંક્ટ હજી ટળ્યું નથી, સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને આપી છે ચેતવણી

કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનને ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે. જે હેઠળ દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનને આખો મહિનો એપ્રિલ માસના તમામ ત્રીસે ત્રીસ દિવસ સતત ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે, આ દરમિયાન સરકારી સહિત રજાઓમાં પણ રસીકરણની કામગીરી ચાલુ રહેશે.

આ અંગે કેન્દ્રિય આરોગ્ય વિભાગે કહ્યું કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગુરુવારે એક પત્ર લખી રસીકરણ અભિયાનને સતત ચલાવવા માટે જરુરી વ્યવસ્થા કરવા જણાવ્યું છે. આરોગ્ય વિભાગનું કહેવુ હતું કે દેશમાં કોરોના રસીકરણની ઝડપ અને કવરેજ વધારવા માટે 31 માર્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠકમાં નિર્ણય લેવાયો હતો. જે હેઠળ દેશભરમાં એપ્રિલમાં આવતી તમામ જાહેર અને શનિવાર-રવિવારની રજાઓને રદ કરીને રસી આપવાની કામગીરી સતત ચાલશે.

April 1, 2021
pradipsing_jadeja-1280x720.jpg
1min538

ગુજરાતના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે તા.૧લી એપ્રિલ ૨૦૨૧ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રમાં દાખલ થતા પૂર્વે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ જીવનનું મહત્વનું કામ કરવા જઇ રહ્યા છે, તેમણે ગુજરાત વિધાનસભામાં લવ જિહાદ વિરુદ્ધનો કાયદો રજૂ કરવામાં આવી રહ્યો છે એવી માહિતી પણ પત્રકારોને આપી હતી.

ગુજરાતના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જિહાદ કાયદા અંગે શું કહ્યું સાંભળો

April 1, 2021
france_lockdown.jpg
1min510

ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોને તા.૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે ફ્રાન્સમાં ત્રીજુ દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાની જરૂરીયાત આવી ઉભી છે. કોરોનાના પુષ્કળ કેસોને પગલે ફ્રાન્સની હોસ્પિટલમાં ધસારો વધ્યો છે આવામાં આગામી ત્રણ અઠવાડિયા સુધી સ્કૂલો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાના કારણે આ આકરો નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કોરોનાના કારણે થતાં મૃત્યુઆંકમાં ઉછાળો આવવાના કારણે આખરે અર્થતંત્રને વેગવંતુ રાખવા માટે દેશને મુક્ત રાખવાનો નિર્ણય બદલવો પડ્યો છે. તેમણે દેશને જણાવ્યું છે કે, “જો આપણે અત્યારે નિર્ણય નહીં લઈએ તો આપણે કાબૂ ગુમાવવી દઈશું.”

પેરિસમાં અઠવાડિયા સુધી લોકોની અવર-જવર પર પાબંદીઓ લગાવી દેવામાં આવી હતી અને દેશના દક્ષિણ ભાગમાં પણ નિયમો લાગુ કરાયા હતા. પરંતુ હવે શનિવારથી આખા દેશમાં એક મહિના સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કડક પગલા ભરવાનો સમય આવી ગયો છે

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ એમ્યુનલ મેક્રોને કહ્યું કે લોકડાઉન દરમિયાન કોરોના રસીકરણનું કામ ઝડપથી કરવામાં આવશે અને ગરમી પતે ત્યાં સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી લગાવી દેવાનું લક્ષ્ય છે. રાષ્ટ્રપ્રમુખ મેક્રોન આખા દેશમાં 4 અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બુધવારે દેશવ્યાપી લોકડાઉન લગાવવાનો નિર્ણ લીધો છે.

મેક્રોને કહ્યું કે, આ નિર્ણય લેવામાં મોડું થાય તે માટેના તમામ પ્રયાસો કર્યા પરંતુ હવે સમય આવી ગયો છે કે કડક રીતે આ પ્રકારના નિર્ણય લેવા જરુરી બન્યા છે.

જરુરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે
https://23a11688aaa46c192002820cbd6b0f7c.safeframe.googlesyndication.com/safeframe/1-0-38/html/container.html
ફ્રાન્સમાં કોરોનાની ત્રીજી લહેર આવતા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવામાં રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ જણાવ્યું છે કે, સ્થિતિ પ્રમાણે લોકડાઉન જરુરી છે. ફ્રાન્સમાં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન માત્ર જરુરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે. ઓફિસ જવાના બદલે વર્ક ફ્રોમ હોમ કરી શકાશે. આ દરમિયાન 10 કિલોમીટર કરતા વધારે દૂર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ફ્રાન્સમાં અત્યાર સુધીમાં 46 લાખથી વધુ કેસ નોંધાયા

આપને જણાવી દઈએ કે ફ્રાન્સમાં 46 લાખ કરતા વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી ચુક્યો છે અને હાલ ત્રીજી લહેરમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કારણે 95,502 લોકોના મોત થઈ ગયા છે. હાલના દિવસોમાં બ્રિટનના નવા વેરિયન્ટ કોરોના વાયરસના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. WHO મુજબ 31 માર્ચે અહીં એક દિવસમાં 29,575 નવા કેસ નોંધાયા છે.

March 27, 2021
Sachin-Tendulkar.jpg
1min533

ભારતના વિશ્વ વિખ્યાત ક્રિકેટર સચિન તેંદુલકરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે.

સચિન તેંદુલકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માઇલ્ડ સિન્ટમ્સ સાથે તેઓ કોરોના પોઝીટીવ છે અને સાવચેતીપૂર્વક તકેદારી રાખી રહ્યા છે.

March 26, 2021
maharashtra_map.jpg
1min693

કોરોના કેસોમાં ભારતમાં સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. દેશમાં દરરોજ નોંધાઈ રહેલા કેસમાં મહારાષ્ટ્રના કેસની સંખ્યા સૌથી વધારે નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 35,952 નવા કેસ નોંધાયા છે. જ્યારે મુંબઈમાં પણ રેકોર્ડ કેસ નોંધાયા છે મુંબઈમાં 5,504 નવા કેસ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં દૈનિક કેસની સંખ્યા હવે 35,000 ઉપર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 111 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રની પરિસ્થિતિ વધારેને વધારે ચિંતાજનક બની રહી છે. સરકાર દ્વારા લોકોને બિનજરૂરી ઘરના બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, નાંદેડ અને બીડમાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

March 25, 2021
virus_mutation640-nc-4.png
3min648

આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે દેશના ઓછામાં ઓછા ૧૮ રાજ્યમાં કોરોના વાઇરસના કેટલાક ભિન્ન પ્રકારની સાથે સિવીઅર અક્યૂટ રૅસ્પિરૅટરી સિન્ડ્રૉમ-કોરોનાવાઇરસ-ટૂ (એસએઆરએસ-સીઓવી-ટૂ)ના ‘ડબલ મ્યૂટન્ટ’ (જેની રચનામાં બે વખત ફેરફાર થયા હોય એવા વાઇરસ) જોવા મળ્યા છે. અગાઉ, કોરોના વાઇરસના અમુક ભિન્ન પ્રકાર યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ સહિતના વિદેશોમાં પણ જોવા મળ્યા હતા.

આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે દેશના અમુક રાજ્યમાં વધેલી કોરોના દરદીઓની સંખ્યાને કોવિડ-૧૯ના આ ભિન્ન પ્રકારોની સાથે સંબંધ હોવાનું સાબિત કરતા કોઇ પુરાવા હજી નથી મળ્યા.

તેણે જણાવ્યું હતું કે ઇન્ડિયન સિવીઅર અક્યૂટ રૅસ્પિરૅટરી સિન્ડ્રૉમ-કોરોનાવાઇરસ-ટૂ ક્ધસોર્ટિઅમ ઓન જેનોમિક્સ (આઈએનએસએસીઓજી) દ્વારા જેનોમ સિક્વન્સિંગ કરાતા વિવિધ રાજ્યમાં અલગ-અલગ પ્રકારના કોરોના વાઇરસ અને કેટલીક જગ્યાએ નવા ડબલ મ્યૂટન્ટ વૅરિઅન્ટ શોધી કઢાયા હતા.

ઇન્ડિયન સિવીઅર અક્યૂટ રૅસ્પિરૅટરી સિન્ડ્રૉમ-કોરોનાવાઇરસ-ટૂ ક્ધસોર્ટિઅમ ઓન જેનોમિક્સ દેશમાં કોવિડ-૧૯નું જેનોમિક સિક્વન્સિંગ અને અનૅલિસિસ કરતી ૧૦ પ્રયોગશાળાનું જૂથ છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મોકલાયેલા કુલ ૧૦,૭૮૭ પૉઝિટિવ સૅમ્પલમાંથી ૭૭૧ ‘વૅરિયન્ટ્સ ઑફ ક્ધસર્ન્સ’ જોવા મળ્યા હતા. આ સૅમ્પલ્સમાંના ૭૩૬ યુકે (બી.૧.૧.૭) લાઇનેજના, ૩૪ દક્ષિણ આફ્રિકા (બી.૧.૩૫૧) લાઇનેજ અને એક બ્રાઝિલ (પી.૧) લાઇનેજના હતા.

In English

A new “double mutant” variant of the coronavirus has been detected from samples collected in India.

Officials are checking if the variant, where two mutations come together in the same virus, may be more infectious or less affected by vaccines.

Some 10,787 samples from 18 Indian states also showed up 771 cases of known variants – 736 of the UK, 34 of the South African and one Brazilian.

Officials say the variants are not linked to a spike in cases in India.

India reported 47,262 cases and 275 deaths on Wednesday – the sharpest daily rise this year.

The Indian SARS-CoV-2 Consortium on Genomics (INSACOG), a group of 10 national laboratories under India’s health ministry, carried out genomic sequencing on the latest samples. Genomic sequencing is a testing process to map the entire genetic code of an organism – in this case, the virus.

The genetic code of the virus works like its instruction manual. Mutations in viruses are common but most of them are insignificant and do not cause any change in its ability to transmit or cause serious infection. But some mutations, like the ones in the UK or South Africa variant lineages, can make the virus more infectious and in some cases even deadlier.

Virologist Shahid Jameel explained that a “double mutation in key areas of the virus’s spike protein may increase these risks and allow the virus to escape the immune system”.

The spike protein is the part of the virus that it uses to penetrate human cells.

March 23, 2021
vaccine-1.jpg
1min405

દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને વિસ્તારવાનો નિર્ણય લેતાં કેન્દ્ર સરકારે ત્રીજા તબક્કાના વેક્સીનેશન પ્લાન હેઠળ આગામી તા.૧ એપ્રિલ પછી દેશમાં 45થી વધુ ઉંમર ધરાવતા તમામ લોકોને વેક્સીન માટે એલિજીબલ ગણવાની મંજૂરી આપી દીધી છે. જેમાં હવેથી વેક્સીન લેનાર વ્યક્તિએ અન્ય બીમારીના સર્ટિફિકેટ આપવાની જરુર રહેશે નહીં. સરકારે કોરોના રસી માટે બીમારીના સર્ટિફિકેટની શરતને હટાવી લીધી છે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, રસી લેવા માટે 45થી વધુ ઉંમરના લોકોએ ડોક્ટરનું સર્ટિફિકેટ લાવવાની જરુર રહેશે નહીં. 45થી ઉપર ઉંમર છે તો રસી મળી જશે. તેમણે અપીલ કરી હતી કે કોરોના વેક્સીન માટે 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો તાત્કાલિક ધોરણ રજિસ્ટર કરાવી વેક્સીન ડોઝ મેળવી લેવાની પ્રક્રિયામાં સામેલ થાય. આ સિવાય તેમણે કોરોનાની અન્ય રસીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દેશમાં કેટલીક કોરોના વેક્સીન ટ્રાયલ ફેજમાં છે અને ટૂંક સમયમાં તેમને મંજૂરી મળી શકે છે.

કેન્દ્રના જણાવ્યા મુજબ દેશવ્યાપી રસીકરણના બીજા તબક્કામાં 60થી વધુ ઉંમરના લોકોને આવરી લેવાની સાથે સાથે 45થી વધુ ઉંમર ધરાવતા અન્ય બીમારીઓથી પીડિત લોકોનું વેક્સીનેશન પણ કરવામાં આવી રહ્યુ છે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેની માહિતી એક પત્રકાર પરિષદને સંબોધતા આપી હતી. રસીકરણ અભિયાનની માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 4 કરોડથી વધુ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે 80 લાખથી વધુ લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવાયો છે. તેમના જણાવ્યા મુજબ વિતેલા 24 કલાકમાં દેશભરમાં 32 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં તબક્કાવાર લોકોને વેક્સીન આપવાનો નિર્ણય લીધો હતો.

March 22, 2021
NFA.jpg
1min471

કોરોનાને કારણે અત્યંત વિલંબથી જાહેર થયેલા ભારતના પ્રતિષ્ઠિત એવોર્ડ, 67મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં આત્મહત્યા કરી લેનાર બોલીવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની ‘છિછોરે’ મૂવીને બેસ્ટ મૂવીનો નેશનલ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

બહુચર્ચિત અભિનેત્રી કંગના રણૌતને તેની ફિલ્મ મણિકર્ણિકા અને પંગાના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે જ કંગનાનો ચોથો નેશનલ એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ એક્ટરનો એવોર્ડ મનોજ બાજપાઈ તથા ધનુષને આપવામાં આવ્યો છે. મનોજ બાજપાઈને ફિલ્મ ભોસલે માટે તથા ધનુષને અસુરન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કંગના રણૌતને મણિકર્ણિકા અને પંગા ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)નો એવોર્ડ બી પ્રાકને આપવામાં આવ્યો છે. તેને ફિલ્મ કેસરીના લોકપ્રિય ગીત ‘તેરી મિટ્ટી મેં મિલ જાંવા’ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ)નો એવોર્ડ બારડોને આપવામાં આવ્યો છે. પલ્લવી જોષીએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ જ્યારે વિજય સેતુપતિએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. જલીકટ્ટુ ફિલ્મને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.