CIA ALERT

વાયરલ Archives - Page 2 of 83 - CIA Live

May 26, 2026
image-18.png
1min108

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પર ‘ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ’ (FWICE) દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય સોમવારે સાંજે ફિલ્મ ‘ડોન 3’ ને લઈને ફિલ્મમેકર અને એક્ટર ફરહાન અખ્તર સાથે થયેલા વિવાદ બાદ લેવામાં આવ્યો હતો.

FWICE એ આ મામલે રણવીર સિંહ વિરુદ્ધ અસહકારનો નિર્દેશ જારી કર્યો છે.એક અહેવાલ મુજબ, સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રણવીર સાથે કામ ન કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. અગાઉ, ફેડરેશનના મુખ્ય સલાહકાર, અશોક પંડિતે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીને આ રીતે બરબાદ થવા દેવામાં આવશે નહીં.

1978માં આવેલી અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ડોન અને શાહરુખ અભિનીત ડોન (2006) પછી આ ડોન ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. જાહેરાત સમયે કિયારા અડવાણીને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી. પરંતુ પ્રેગ્નન્સી અને મેટરનિટી બ્રેકના કારણે કિયારાએ ફિલ્મ છોડી દીધી, જેના પછી ક્રિતી સેનનને કાસ્ટ કરવાના સમાચાર આવ્યા.

આ ફિલ્મ ફરહાન અખ્તર, હોમ પ્રોડક્શન એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવી રહ્યા હતા. ડોન 3 ને ચાલુ રાખવા માટે ફરહાને પોતાની બીજી ફિલ્મ જી લે ઝરા પોસ્ટપોન કરી દીધી.

ફિલ્મ મોડી પડતાં રણવીર સિંહ ધુરંધરમાં વ્યસ્ત થઈ ગયા. રિપોર્ટ્સ હતા કે 2025માં ડોન 3નું શૂટિંગ શરૂ થશે, પરંતુ પછી અચાનક રણવીર સિંહે ફિલ્મ છોડી દીધી. મેકર્સનો આરોપ છે કે રણવીર સ્ક્રિપ્ટમાં હસ્તક્ષેપ કરી રહ્યા હતા. તે ગાળાગાળી અને હિંસક દ્રશ્યોની માંગ કરી રહ્યા હતા, પરંતુ મેકર્સ આના પર રાજી ન થયા.

રણવીર સિંહ પાસે કરી 45 કરોડની માંગણી

ફેડરેશને દાવો કર્યો છે કે, એક્ટરે (રણવીર સિંહે) પોતે આવીને પોતાની વાત સ્પષ્ટ કરવા માટે કરવામાં આવેલી ઘણી વિનંતીઓ (રિક્વેસ્ટ)નો કોઈ જવાબ આપ્યો નથી. ‘એક્સેલ એન્ટરટેઈનમેન્ટ’ (Excel Entertainment), જે ‘ડોન ૩’ (Don 3) ફિલ્મ બનાવી રહી છે, તેણે પણ રણવીર સિંહ પાસે ફિલ્મ છોડતા પહેલા પ્રી-પ્રોડક્શન (ફિલ્મ શરૂ થતા પહેલાની તૈયારીઓ) પર થયેલા ખર્ચના વળતર તરીકે 45 કરોડ રૂપિયાની માંગણી કરી છે.

પ્રતિબંધ પર રણવીર સિંહની ટીમની પ્રતિક્રિયા

દરમિયાન, રણવીર સિંહના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, એક્ટર આ બાબતે ચાલી રહેલી અટકળોમાં વધુ કંઈ ઉમેરવા માંગતા નથી, અને તેઓ માને છે કે આવા પ્રોફેશનલ મતભેદોને ખાનગીમાં જ ઉકેલવા સૌથી વધુ યોગ્ય છે. એક્ટરના પ્રવક્તાએ ઉમેર્યું, ‘Don 3 થી જોડાયેલી તાજેતરની ઘટનાઓ દરમિયાન, તેમણે જાણીજોઈને મૌન જાળવવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેઓ માને છે કે વ્યાવસાયિક ચર્ચાઓ અને વ્યક્તિગત સંબંધોને ગરિમા, સમજદારી અને પરસ્પર સન્માન સાથે જ સંભાળવા સૌથી સારા રહે છે.’

May 19, 2026
petrol-diesel-1.jpg
1min83

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત થતી મોટી વધ-ઘટ અને પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ)માં વધતા લશ્કરી તણાવની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર દેખાવા લાગી છે. દેશની સરકારી તેલ કંપનીઓએ મંગળવારે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર આશરે 90 પૈસાનો વધુ વધારો કરી દીધો છે.

સામાન્ય જનતા માટે આ બમણો ફટકો છે, કારણ કે ગયા શુક્રવારે (15 મે) જ તેલ કંપનીઓએ પ્રતિ લીટર આશરે 3 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો. એક જ અઠવાડિયાની અંદર ઇંધણ (પેટ્રોલ-ડીઝલ)ના ભાવમાં આ બીજો મોટો વધારો છે.

બજારના વિશ્લેષકો (એનાલિસ્ટ) અને ઉદ્યોગ જગત સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભાવવધારો વૈશ્વિક સ્તરે ચાલી રહેલી રાજદ્વારી અને લશ્કરી કટોકટીનું સીધું પરિણામ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી ખેંચતાણ તેમજ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Hormuz Strait) દરિયાઈ માર્ગ પર સપ્લાય ખોરવાઈ જવાની આશંકાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $100 ને વટાવી ગઇ છે.

જેના કારણે ભારતની રિફાઇનિંગ કંપનીઓને રોજ મોટું નુકસાન વેઠવું પડી રહ્યું હતું. જો કે, ગયા અઠવાડિયે થયેલા 3 રૂપિયાના વધારાથી કંપનીઓના નુકસાનમાં આશરે 25 ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ પડતર કિંમત અને વેચાણ કિંમત વચ્ચેના મોટા તફાવતને સરભર કરવા માટે આ નવો વધારો કરવામાં આવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક કટોકટી જલ્દી શાંત નહીં થાય, તો આવનારા દિવસોમાં ટુકડે-ટુકડે આવો હજી વધુ ભાવવધારો જોવા મળી શકે છે.

દિલ્હીમાં હવે પેટ્રોલ પ્રતિ લીટર 98.64 રૂપિયા પર વેચાઈ રહ્યું છે, જેમાં 87 પૈસાનો વધારો થયો છે; જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લીટર 91 પૈસા વધીને 91.58 રૂપિયા થઈ ગઈ છે, રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.77 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 98.64 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 91 પૈસા વધીને પ્રતિ લીટર 107.59 રૂપિયા અને ડીઝલની કિંમત 94 પૈસા વધીને પ્રતિ લીટર 94.08 રૂપિયા થઈ ગઈ છે.

કોલકાતામાં પેટ્રોલના ભાવમાં સૌથી વધુ વધારો નોંધાયો છે, જ્યાં પેટ્રોલ 96 પૈસા વધીને પ્રતિ લીટર 109.70 રૂપિયા થઈ ગયું છે; જ્યારે ડીઝલની કિંમત 94 પૈસા વધીને પ્રતિ લીટર 96.07 રૂપિયા થઈ ગઈ છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 82 પૈસા વધીને પ્રતિ લીટર 104.49 રૂપિયા અને ડીઝલની કિંમત 86 પૈસા વધીને પ્રતિ લીટર 96.11 રૂપિયા થઈ ગઈ છે

એક જ અઠવાડિયામાં ઇંધણ (પેટ્રોલ-ડીઝલ)ના ભાવમાં કુલ મળીને આશરે 4 રૂપિયાના વધારા (Cumulative Hike) કારણે સામાનની હેરફેર (ટ્રાન્સપોર્ટેશન) અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર સૌથી વધુ અને સીધી અસર પડશે. ડીઝલ મોંઘું થવાથી દેશભરમાં જરૂરી ચીજવસ્તુઓ, શાકભાજી, ફળો અને રોજિંદા સામાનના પરિવહનનો ખર્ચ વધી જશે, જેના લીધે આવનારા અઠવાડિયામાં છૂટક મોંઘવારી (Retail Inflation)માં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળી શકે છે.

May 18, 2026
image-13.png
1min103

IPL 2026 Playoff, PBKS vs RCB : ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) આઈપીએલ 2026ના પ્લેઑફમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. રવિવારે ધર્મશાલામાં રમાયેલા રોમાંચક મુકાબલામાં આરસીબીએ પંજાબ કિંગ્સને 23 રનથી હરાવીને ટોપ-4 માં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. આઈપીએલ 2026માં અત્યાર સુધી 13માંથી 9 મેચ જીત્યા બાદ બેંગલુરુએ પ્લેઑફની ટિકિટ મેળવી લીધી છે. ગ્રુપ સ્ટેજમાં બેંગલુરુની છેલ્લી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાશે.

બીજી તરફ, સતત 6 હાર બાદ પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ વધી ગઈ છે. પંજાબ કિંગ્સ તેની છેલ્લી મેચ જીતીને પણ ગ્રુપ સ્ટેજમાં માત્ર 15 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. પંજાબ કિંગ્સની આ હારથી ભલે કેપ્ટન શ્રેયસ અય્યરની ચિંતા વધી હોય, પરંતુ આ પરિણામથી બીજી બે ટીમોને જબરદસ્ત ફાયદો થયો છે.

બેંગલુરુ સામે પંજાબની હાર થતાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) માટે પ્લેઑફમાં પહોંચવાની તક વધી ગઈ છે. આ પરિણામથી ખાસ કરીને ચેન્નાઈને મોટો ફાયદો થયો છે. ચેન્નાઈના ખાતામાં હાલમાં 12 પોઈન્ટ છે અને તેની બાકી બચેલી બંને મેચ જીતીને તે 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. પંજાબ છેલ્લી મેચ જીતીને પણ મહત્તમ 15 પોઈન્ટ સુધી જ પહોંચી શકતી હોવાથી હવે ટોપ-4ની રેસમાં પંજાબ પાછળ ધકેલાઈ ગયું છે અને ચેન્નાઈ સુપર કિંગ્સને નવી લાઈફ લાઈન મળી ગઈ છે.

પ્લેઑફની રેસમાં અત્યાર સુધીના સમિકરણ મુજબ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની આશા હજુ જીવંત છે, પરંતુ તેમને આગળ વધવા માટે કોઈ ચમત્કારની જરૂર છે. આવી સ્થિતિમાં પ્લેઑફની બાકી બચેલી 3 સીટો માટે હવે સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ એમ 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર છે. હાલના તબક્કે બેંગલુરુ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ પ્લેઑફની રેસમાં આગળ ચાલી રહ્યા છે. આઈપીએલ 2026માં આગામી બે-ત્રણ દિવસ ખૂબ જ રોમાંચક રહેશે અને દરેક મેચના પરિણામ સાથે પ્લેઑફનું સમીકરણ સતત બદલાતું જોવા મળશે.

April 27, 2026
image-19.png
1min226

હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની પ્રબળ શક્યતા છે.

કયા જિલ્લાઓમાં એલર્ટ?

26 એપ્રિલ: સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી.

27 એપ્રિલ: અમદાવાદ અને પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને કચ્છમાં પણ ગરમીનું મોજું ફરી વળશે.

તાપમાનનો પારો ક્યાં પહોંચશે?

IMD ના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી 40ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આજે ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુભવાશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી શક્યતા છે.

યલો એલર્ટ હેઠળ, હવામાન વિભાગે સામાન્ય જનતા માટે ગરમી સહન કરી શકાય તેવી હોવા છતાં, નાના બાળકો, વૃદ્ધો અને બીમારી ધરાવતા લોકો માટે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે તેમ જણાવ્યું છે. સત્તાવાળાઓએ રહેવાસીઓને નીચે મુજબની સલાહ આપી હતી. જે મુજબ આવા લોકોએ વધારે સમય ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ, હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પુરતા પ્રમાણમાં પાણી પીવું અને હાઈડ્રેટેડ રહેવું જોઈએ.

26/04/2026 ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

અમદાવાદમાં 44.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 43.0 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 43.8 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 40.8 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 40.4 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 42.8 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 34.5 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 32.8 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 39.5 ડિગ્રી સેલ્સિયસ,, નલિયામાં 38.0 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 35.2 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 39.1 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 34.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

April 25, 2026
image-16.png
1min110

આઈપીએલ 2026નો 35મો મુકાબલો શનિવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયો હતો. આ મુકાબલામાં પંજાબની ટીમે ઈતિહાસ રચતા આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. દિલ્હીએ પહેલા બેટિંગ કરતા કેએલ રાહુલની સદીના દમ પર 264 રન બનાવ્યા હતા. પરંતુ પંજાબે આ મેચ એક ઓવર બાકી હતી ત્યારે જ જીતી લીધી હતી. આ મુકાબલો નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયો હતો, જ્યાં ટોસ જીતીને દિલ્હીની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેએલ રાહુલની તોફાની 152 રનની ઈનિંગના દમ પર દિલ્હીએ 264 રન બનાવ્યા હતા, પરંતુ પંજાબે તેને પણ ચેઝ કરી લીધો હતો.

265 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખૂબ જ શાનદાર રહી હતી. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે તાબડતોડ બેટિંગ કરી હતી. 7મી ઓવરમાં જ્યારે પ્રિયાંશની વિકેટ પડી ત્યારે પંજાબનો સ્કોર 126 રન થઈ ગયો હતો. પ્રિયાંશએ 17 બોલમાં 43 રન બનાવ્યા હતા. બીજી તરફ પ્રભસિમરનનું તોફાન ચાલુ રહ્યું હતું. ત્યારબાદ 8મી ઓવરમાં પ્રભસિમરન સિંહ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. પ્રભસિમરન સિંહના બેટથી 26 બોલમાં 76 રન આવ્યા હતા. પોતાની ઈનિંગમાં પ્રભસિમરન સિંહે 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

ત્યારબાદ નેહાલ વઢેરા અને શ્રેયસ અય્યર વચ્ચે 56 રનની સારી ભાગીદારી થઈ હતી. પરંતુ 15મી ઓવરમાં નેહાલ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા, તેમણે 15 બોલમાં 25 રન બનાવ્યા હતા. ત્યારબાદ શ્રેયસ અય્યરે મોરચો સંભાળ્યો અને 36 બોલમાં અણનમ 71 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગમાં અય્યરે 7 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. જેના દમ પર પંજાબે આ મેચ 7 બોલ બાકી હતા ત્યારે જ જીતી લીધી હતી. પંજાબ આ ટુર્નામેન્ટમાં અજેય રહી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

દિલ્હીની બેટિંગમાં કેએલ રાહુલનું તોફાન

પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી માટે ઈનિંગની શરૂઆત કેએલ રાહુલ અને પથુમ નિસાંકાએ કરી હતી. પરંતુ આ મેચમાં પણ નિસાંકા ફ્લોપ રહ્યો અને માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, ત્યારબાદ કેએલ રાહુલ અને નીતીશ રાણાએ તોફાની બેટિંગ કરી હતી. બંનેએ છગ્ગા-ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. કેએલ રાહુલે 15મી ઓવરમાં માત્ર 47 બોલમાં સદી ફટકારી હતી.

નીતીશ રાણા અને કેએલ રાહુલ વચ્ચે 95 બોલમાં 220 રનની ભાગીદારી થઈ હતી. રાણાએ 44 બોલમાં 91 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં નીતીશ રાણાએ 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ કેએલ રાહુલ એક છેડે ટકી રહ્યો હતો. કેએલ રાહુલે 67 બોલમાં અણનમ 152 રનની ઈનિંગ રમી હતી, જેના દમ પર દિલ્હીએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં કેએલ રાહુલે 16 ચોગ્ગા અને 9 છગ્ગા ઝીંક્યા હતા.

આઈપીએલ-2026માં આજે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ઈતિહાસ રચાવાની સાથે અનેક રેકોર્ડ સર્જાયા છે. દિલ્હીએ 20 ઓવરમાં બે વિકેટે 264 રન નોંધાવ્યા હતા, જે આ આઈપીએલ સિઝનનો સૌથી મોટો સ્કોર હતો, ત્યારે પંજાબે આ સ્કોર ચેજ કરીને રેકોર્ડ નોંધાવ્યો છે. પંજાબે 18.5 ઓવરમાં પાંચ વિકેટે 265 રન કરીને ભવ્ય વિજય મેળવ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, દિલ્હી કેપિટલ્સનો પોતાનો આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર હતો.

April 25, 2026
image-15.png
1min189

સુરતના અલથાણ વિસ્તારમાં ગઈકાલે (24મી એપ્રિલ) ટ્યુશનથી ઘરે જઈ રહેલી સગીરાની છેડતીની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. આ મામલે આજે (25મી એપ્રિલ) પકડાયેલા આરોપી મોહમ્મદ અઝીઝને લઈને જ્યારે પોલીસ ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી, ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ઉગ્ર બનેલી ભીડ અને મહિલાઓના વિરોધ વચ્ચે પોલીસે ભારે જહેમત બાદ આરોપીને બહાર કાઢવો પડ્યો હતો.

ગત રાત્રે 24/04/2026 અલથાણ વિસ્તારમાં આવેલી એટલાન્ટા મોલ પાસેના ટ્યુશન ક્લાસથી 12 વર્ષની દીકરી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન અંદાજે 40 વર્ષીય મહંમદ અઝીઝ નામના શખસે સગીરાની છેડતી કરી હતી. બાળકીએ હિંમત બતાવી ચીસાચીસ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપીને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

પાટીદાર સમાજની દીકરી સાથે છેડતીનો મેસેજ સોશિયલ મીડિયા વાઈરલ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ગત રાત્રે 24/04/2026 પણ ૩ કલાક સુધી લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી.

આજે 25/04/2026 પોલીસ જ્યારે આરોપી મોહમ્મદ અઝીઝ ઈમ્તીયાઝને એટલાન્ટા મોલ પાસે રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે પાટીદારો સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયાં હતાં. ભીડને જોતા પોલીસ આરોપીને અડધો કિલોમીટર દૂર ઉતારીને કન્સ્ટ્રક્શન સાઈટના રસ્તેથી લાવી હતી.

આ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી. આરોપીને જોતા જ મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી ચપ્પલ અને પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું હતું. બેકાબૂ બનેલી ભીડથી આરોપીને બચાવવા પોલીસે માનવ સાંકળ બનાવી સુરક્ષા કવચ તૈયાર કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ આરોપીને વાનમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધો હતો. અલથાણ વિસ્તારમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે. પાટીદાર સમાજના અગ્રણીઓએ આરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી છે. પોલીસ આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

April 21, 2026
earth-quake.png
1min138

Dated 21/04/2026 મંગળવારે વહેલી સવારે 5.59 વાગ્યે પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મણિપુરનું કામજોંગ હતું, જ્યાં જમીનથી 62 કિમી ઊંડાઈએ હિલચાલ નોંધાઈ હતી.

ભૂકંપના આંચકા માત્ર મણિપુરમાં જ નહીં, પણ નાગાલેન્ડ, અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સુધી અનુભવાયા હતા. વહેલી સવારે આવેલા આંચકાને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

જોકે સદનસીબે, હજુ સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી. પૂર્વોત્તર ભારતમાં એપ્રિલ મહિનામાં આ ત્રીજો ભૂકંપ છે. આ પહેલા 7 એપ્રિલે પણ મણિપુરમાં બે વાર આંચકા અનુભવાયા હતા.

ભારતની સાથે જાપાનમાં પણ સોમવારે 7.5ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ત્યાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

March 6, 2026
image-4.png
1min100
  • ભારત સતત બીજી વખત ફાઇનલમાંઃ અમદાવાદમાં રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સાથે ટક્કર
  • સૅમસન લાગલગાટ બીજી વાર મૅચ-વિનરઃ હાર્દિક, અક્ષરના યાદગાર પર્ફોર્મન્સઃ બુમરાહે 500મી વિકેટ લીધી

ICC T-20 Cricket વર્લ્ડ નંબર-વન ભારતે 05/03/2026 વાનખેડે સ્ટેડિયમમાં નંબર-ટૂ ઇંગ્લૅન્ડને ટી-20 વર્લ્ડ કપની દિલધડક સેમિ ફાઇનલમાં હરાવીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને હવે ત્રીજું ટાઇટલ ફક્ત એક ડગલું દૂર છે. ભારતને સતત બીજી વખત અને વિક્રમજનક ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપ જીતવાનો સુવર્ણ મોકો મળ્યો છે. રવિવારે 08/03/2026 અમદાવાદની ફાઇનલ (સાંજે 7.00 વાગ્યાથી)માં ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામે મુકાબલો થશે. નસીબવાન ઓપનર સંજુ સૅમસન (89 રન, 42 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) સતત બીજા મુકાબલામાં મૅચ-વિનર બન્યો હતો. તે 15મા રન પર હતો ત્યારે કૅપ્ટન હૅરી બ્રૂકે તેનો કૅચ છોડ્યો હતો અને સૅમસનને મળેલું જીવતદાન બ્રિટિશરોને છેવટે ભારે પડ્યું. વાનખેડેની સાત નંબરની પિચ પર રમીને ભારતીયો સાત રનથી જીત્યા.

ભારતે 254 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમ શરૂઆતથી વિકેટ ગુમાવતી રહી હતી. જૅકબ બેથેલ (105 રન, 48 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) એકલા હાથે ભારતીય બોલર્સ સામે ઝઝૂમ્યો હતો. તેની સેન્ચુરી યાદગાર બની, પણ મૅચ-વિનિંગ ન બની શકી. ઇંગ્લૅન્ડ 254 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં સાત વિકેટે 246 રન કરી શક્યું અને ભારતનો સાત રનથી રોમાંચક વિજય થયો હતો.

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર વિલ જૅક્સે (35 રન, 20 બૉલ, બે સિક્સર, ચાર ફોર) જૅકબ બેથેલ સાથે પાંચમી વિકેટ માટે 77 રનની ભાગીદારી કર્યા બાદ વિકેટ ગુમાવી હતી. મૅચને ટર્ન અપાવનાર આ વિકેટમાં અર્શદીપના ત્રણ વાઇડ પછીના બૉલમાં જૅક્સના ઊંચા શૉટમાં અક્ષર પટેલે બૉલ ઝીલ્યા બાદ સમયસૂચકતા વાપરીને બાઉન્ડરી લાઇનની બહાર જતાં બૉલ શિવમ દુબે તરફ ફેંક્યો હતો અને દુબેએ કૅચ ઝીલી લીધો હતો. એ પાંચમી વિકેટ વખતે કુલ સ્કોર 172 રન હતો અને ત્યાર બાદ સૅમ કરૅન અને બેથેલે ટીમને જિતાડવાની ખૂબ કોશિશ કરી હતી, પણ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીયો સામે તેમનું કંઈ નહોતું ચાલ્યું અને છેવટે બ્રિટિશરોએ હાર સ્વીકારવી પડી હતી.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં સતત ત્રીજી વખત સેમિ ફાઇનલ રમાઈ અને જે ભારતે જીતી લીધી. કૅપ્ટન સૂર્યાએ ગેમપ્લાન બદલીને 18મી ઓવર બુમરાહને અને 19મી ઓવર હાર્દિકને આપી હતી જેમાં અનુક્રમે માત્ર છ રન તથા નવ રન બન્યા હતા. શિવમ દુબેને આ મૅચમાં પહેલી જ વખત બોલિંગ અપાઈ અને એ પણ અંતિમ ઓવર જેમાં તેણે બાકીના 30 રન ડિફેન્ડ કર્યા હતા. એ ઓવરના પ્રથમ બૉલમાં જૅકબ બેથેલ રનઆઉટ થયો હતો. હાર્દિકના થ્રોમાં વિકેટકીપર સૅમસને આબાદ કલેક્ટ કરીને બેથેલને રનઆઉટ કરી દીધો હતો અને ત્યારે જ ભારતીયોએ જીતનું સેલિબે્રશન શરૂ કરી દીધું હતું.

બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500મી વિકેટ લીધી હતી અને હૅરી બ્રૂક તેનો 500મો બહુમૂલ્ય શિકાર બન્યો હતો. બુમરાહ 500 કે વધુ વિકેટ લેનાર આઠમો ભારતીય બોલર બન્યો છે.

એ પહેલાં, ભારતીય ટીમે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભરોસાપાત્ર ઓપનર સંજુ સૅમસન ઉપરાંત ચાર બૅટ્સમેનની સાધારણ છતાં આક્રમક ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 253 રન કરીને ઇંગ્લૅન્ડને 254 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. સૅમસન માત્ર 15 રન પર હતો ત્યારે કૅપ્ટન હૅરી બ્રૂકથી તેનો આસાન કૅચ છૂટી ગયો હતો જેનો સૅમસને પૂરો ફાયદો ઉઠાવ્યો હતો.

ટીમ ઇન્ડિયાના પત્ની સાક્ષી સાથે આવેલા એમએસ ધોનીની હાજરીમાં ભારતીય બૅટ્સમેનોએ જબરદસ્ત ફટકાબાજી કરી હતી. જોકે તેઓ 256 રનનો આ વર્લ્ડ કપનો પોતાનો જ વિક્રમ તેમ જ 260 રનનો શ્રીલંકાનો વર્લ્ડ કપનો વિશ્વવિક્રમ નહોતા તોડી શક્યા.

અભિષેક શર્મા (નવ રન)એ બીજી જ ઓવરમાં વિકેટ ગુમાવ્યા બાદ સૅમસને બાજી સંભાળી લીધી હતી અને રવિવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની અણનમ 97 રનની ઇનિંગ્સ જેવું રમ્યો હતો. સૅમસન 14મી ઓવરમાં કુલ 160 રનના સ્કોર પર સ્પિનર વિલ જૅક્સના બૉલમાં ફિલ સૉલ્ટના હાથમાં કૅચઆઉટ થયો ત્યાર પછી ટીમ ઇન્ડિયાનું રનમશીન ધીમું પડી ગયું હતું. ત્યાર પછી લગભગ અઢી ઓવર બાદ સૂર્યકુમારે શિવમ સાથે 30 રનની ભાગીદારી કરીને વિકેટ ગુમાવી હતી.

32,000-પ્લસ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ઇશાન કિશન (39 રન, 18 બૉલ, બે સિક્સર, ચાર ફોર), ચોથા નંબર પર મોકલવામાં આવેલા શિવમ દુબે (43 રન, પચીસ બૉલ, ચાર સિક્સર, એક ફોર), હાર્દિક પંડ્યા (27 રન, 12 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) તથા તિલક વર્મા (21 રન, સાત બૉલ, ત્રણ સિક્સર)એ નાના-મોટા યોગદાન સાથે છગ્ગા-ચોગ્ગાથી પ્રેક્ષકોનું અને સેલિબ્રિટીઝનું મનોરંજન કર્યું હતું. સૅમસન અને ઇશાન બાદ શિવમ, હાર્દિક તથા તિલક વર્માએ મેદાનની ચારેય બાજુએ બૉલ બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો. ઇંગ્લૅન્ડના છ બોલર્સમાં સ્પિનર વિલ જૅક્સ તથા બીજા સ્પિનર આદિલ રાશીદ બે-બે વિકેટ સાથે સૌથી સફળ રહ્યા હતા.

વાનખેડેમાં ઉપસ્થિત સેલિબ્રિટીઝમાં આઇસીસી ચૅરમૅન જય શાહ તેમ જ કે. એલ. રાહુલ, નીતા અંબાણી, શ્લોકા અંબાણી, રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ, વરુણ ધવન, લક્ષ્મી મિત્તલ વગેરેનો સમાવેશ હતો. ભારતે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નહોતો કર્યો, જ્યારે ઇંગ્લૅન્ડે રેહાન અહમદના સ્થાને ઑવર્ટનને મોકો આપ્યો હતો.

March 2, 2026
image-7.png
1min108

ટી20 વર્લ્ડકપમાં સુપર-8ની મેચમાં આજે ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમિ ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 195 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ સંજૂ સેમસનની વિસ્ફોટ બેટિંગના કારણે 5 વિકેટે 199 રન નોંધાવી જીત મેળવી છે. હવે ભારત તેની સેમિ ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે.

આ મેચ જીતતાં જ ભારત સેમિ ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે ભારત પાંચમી માર્ચના રોજ ઈંગ્લેન્ડ સામે બીજી સેમિ ફાઈનલ મેચ રમશે. જ્યારે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી માર્ચના રોજ પ્રથમ સેમિ ફાઈનલમાં રમાશે. આમાંથી જે ટીમ જીતશે તે 8મી માર્ચ રવિવારના રોજ ફાઈનલ મેચમાં સામ-સામે ટકરાશે.

વેસ્ટ ઈન્ડિઝની બેટિંગમાં શાઈ હોપે 33 બોલમાં 32 રન કર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. રોસ્ટન ચેઝે 25 બોલમાં 40 રનની ઝડપી ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. શિમરોન હેટમાયરે માત્ર 12 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. શેરફેન રધરફોર્ડે 9 બોલમાં 14 રન કર્યા હતા, જેમાં 1 છગ્ગો સામેલ હતો. રોવમેન પોવેલે અણનમ 34 રન 19 બોલમાં કર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. અંતમાં જેસન હોલ્ડરે 22 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 37 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ મેળવી હતી. બીજી તરફ, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે આ મેચમાં કોઈ પણ વિકેટ લીધી નહોતી. રન આપવાની બાબતમાં અર્શદીપ સિંહ સૌથી વધુ ખર્ચાળ સાબિત થયા હતા, જેમણે પોતાની 4 ઓવરમાં 43 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તી બંનેએ 40-40 રન આપ્યા હતા, જ્યારે અક્ષર પટેલે 35 અને જસપ્રીત બુમરાહે 36 રન ખર્ચ્યા હતા.

ભારતીય બેટિંગમાં સંજુ સેમસને સૌથી વધુ આક્રમક રમત રમતા 50 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 97 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 15 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 18 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ 14 બોલમાં 2 ચોગ્ગા સાથે 17 રન નોંધાવ્યા હતા. અભિષેક શર્મા અને ઈશાન કિશન બંનેએ 10-10 રન બનાવ્યા હતા, જેમાં અભિષેકે 11 બોલમાં 2 ચોગ્ગા અને ઈશાન કિશને 6 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. શિવમ દુબેએ 4 બોલમાં 2 ચોગ્ગાની મદદથી અણનમ 8 રન કર્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝની બોલિંગમાં જેસન હોલ્ડર અને શમર જોસેફે સૌથી વધુ 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે અકીલ હોસેનને 1 વિકેટ મળી હતી. બીજી તરફ મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, રોમારિયો શેફર્ડ અને રોસ્ટન ચેઝ એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યા નહોતા. રન આપવાની બાબતમાં શમર જોસેફ સૌથી વધુ ખર્ચાળ સાબિત થયા હતા, જેમણે પોતાની 4 ઓવરમાં 42 રન આપ્યા હતા. જેસન હોલ્ડરે 4 ઓવરમાં 38 રન અને રોમારિયો શેફર્ડે 2.2 ઓવરમાં 34 રન ખર્ચ્યા હતા.

March 1, 2026
image-1.png
1min74

Pakistan out of T20 World Cup: વર્લ્ડ કપમાં આજે રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે. શ્રીલંકા સામેની મેચમાં જરૂરી રનરેટ અને સમીકરણો જાળવી રાખવામાં અસફળ રહેતા પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે, જ્યારે ન્યૂઝીલેન્ડે સત્તાવાર રીતે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સુપર 8 મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને શ્રીલંકાને 147 રન સુધી રોકવું જરૂરી હતું પરંતુ શ્રીલંકાએ 15મી ઓવરના 5માં બોલે 147 રનનો આંકડો પર કરી લીધો હતો. જેથી ન્યૂઝીલેન્ડે રન રેટના આધારે સેમિ ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે.

મેચની 15.5 ઓવરમાં જ્યારે શ્રીલંકાએ 147 રનનો આંકડો વટાવ્યો, તેની સાથે જ પાકિસ્તાનની સેમિ ફાઈનલમાં પહોંચવાની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. ઉસ્માન તારિકના બોલ પર દાસુન શનાકાએ એક રન લેતાની સાથે જ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડના સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

પાકિસ્તાની ખેલાડીઓ મેદાન પર ભાવુક દેખાયા હતા, ખાસ કરીને યુવા બોલર અબરાર પોતાની આંખોમાં આંસુ રોકી શક્યો નહોતો. પાકિસ્તાન બહાર થતા અને ન્યૂઝીલેન્ડ ક્વોલિફાય થતા હવે કોલકાતા સેમિ ફાઈનલ મેચની યજમાની કરશે. તેમજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ યોજાશે.