સુરતીઓની દુનિયા Archives - Page 39 of 81 - CIA Live

September 12, 2020
cia_society-1280x880.jpg
1min5730

ગત માર્ચ 2020માં કોરોના પેન્ડેમિક અને લૉકડાઉનની સ્થિતિને કારણે સુરતથી પોતાના વતન ઓરીસ્સા પરત ફરેલા કામદારોને હવે ઝડપભેર સુરત પરત લાવવામાં નહીં આવે તો ઉદ્યોગોને પારાવાર નુકસાન થાય તેમ છે. આવી સ્થિતિમાં ઓરિસ્સાથી કામદારો ઝડપભેર પરત ફરે તે માટે ટ્રેન વ્યવહાર જરૂરી હોવાથી સુરતના સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ વિવિધ યુનિયનોએ સુરત-નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલની મધ્યસ્થી સાથે કેન્દ્ર સરકારને રજૂઆતો કરી હતી. આ રજૂઆતો ફળદાયી રહી છે અને કેન્દ્ર સરકારે ઓરીસ્સાથી સુરત ત્રણ સ્પેશયલ ટ્રેન કામદારો માટે જ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આથી ચેમ્બર ઓફ કોમર્સ સમેત સુરતના જુદાજુદા એસોસીએશનોએ કેન્દ્ર સરકાર, વડાપ્રધાન શ્રી મોદી, પેટ્રોલિયમ મંત્રી શ્રી ધર્મેન્દ્રપ્રધાન, રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલ તેમજ નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલનો આભાર માંગતુ નિવેદન પ્રગટ કર્યું છે.

આટલા એસોસીએશનોએ કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો

  • સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી દિનેશ નાવડીયા
  • ફિયાસ્વી, સુરતના ચેરમેન શ્રી ભરતભાઇ ગાંધી
  • ક્રેડાઇ સુરતના પ્રમુખ શ્રી રવજીભાઇ પટેલ
  • સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસો.ના પ્રમુખ શ્રી જીતુભાઇ વખારીયા
  • પાંડેસરા વિવર્સ કો.ઓ. સોસા.ના પ્રમુખ શ્રી આશિષભાઇ ગુજરાતી
  • વેડરોડ આર્ટ-સિલ્ક સ્મોલ સ્કેલ કો.ઓ. ફેડરેશનના પ્રમુખ શ્રી દિવેશ પટેલ
  • સચીન નોટીફાઇડ એરીયા ઓથોરિટીના ચેરમેન શ્રી મહેન્દ્રભાઇ રામોલિયા,
  • પ્રવાસી ઉડીયા પરિવારના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ રાઉત
  • માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસીએશનના પ્રમુખ શ્રી જવાહરભાઇ ગોંડલિયા
  • સૌરાષ્ટ્ર ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખ શ્રી હિંમતભાઇ ભાટીયા
  • સુરત એમ્બ્રોઇડરી એસોસીએશનના પ્રમુખ શ્રીસંદીપભાઇ દુગ્ગલ
September 5, 2020
SMC_commissioner.jpg
2min12370

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછા નિધી પાનીએ આજે તા.5મી સપ્ટેમ્બર 2020ના રોજ એક વર્ષ પૂર્ણ કર્યું. 365 દિવસના ફરજ કાળ દરમિયાન બંછા નિધી પાની સતત સુરતના માર્ગો પર જોવા મળ્યા એટલે કે તેમને ઓન ધ ફિલ્ડ સતત સુરતવાસીઓએ જોયા છે. તેમની આ ફરજમાં અડધું વર્ષ તો કોવીડ-19 પેન્ડેમિક બાદ ઉદ્ભવેલી વિપરીત પરિસ્થિતિમાં વ્યવસ્થાપનમાં નીકળી ગયું. આમ, છતાં પણ સુરતને તેમના કાર્યકાળ દરમિયાન જ ભારતનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર બનવાનો ખિતાબ મળ્યો. તેમની લિડરશીપમાં જ સુરત 14માં નંબર પરથી એક જ વર્ષમાં બીજા નંબરના ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા બની શક્યું છે.

બંછાનિધી પાનીની સૌથી મોટી ક્વોલિટી : Captain is leading from the Front

સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યાના પહેલા જ દિવસથી બંછાનિધી પાનીની એક ખાસિયતથી આજ દિન સુધીમાં તો હરકોઇ સુરતી વાકેફ થઇ ચૂક્યો છે અને એ છે સતત ઓન ધ ફિલ્ડ રહેવું. કોવીડ પેન્ડેમિક દરમિયાન સુરતનો એવો એકેય વિસ્તાર નહીં હોય જ્યાં તેઓ પગપાળા ગયા નહીં હોય. લૉકડાઉન પાલનથી લઇને સોશ્યલ ડિસ્ટન્સિંગ તેમજ મ્યુનિસિપલ આરોગ્ય સેવાઓ પરત્વે તેઓ સતત ઓફિસની બહાર રહીને જ મેનેજમેન્ટ કરવામાં પાવરધા જણાયા છે.

આખુ વર્ષ આ રીતે બંછાનિધી પાની સુરતના માર્ગો પર જોવા મળ્યા છે

2019ની 13મી સપ્ટેમ્બરે ટર્શરી પ્લાન્ટનું પાણી સૌના આશ્ચર્ય વચ્ચે ગટગટાવી ગયા

2019ની 13મી સપ્ટેમ્બરે એટલે કે સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ લીધાના એક અઠવાડીયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રદૂષિત પાણીને ટર્શરી પ્લાન્ટથી શુધ્ધ કરવાના પ્લાન્ટની મુલાકાતે ગયા અને ત્યાં તેમને કહેવામાં આવ્યું કે આ પાણી પીવાલાયક છે અને સૌ અધિકારીઓના આશ્ચર્ય વચ્ચે તેઓ પાણીનો ગ્લાસ ગટગટાવી ગયા હતા. સામાન્ય લોકોની વાત કરીએ તો પ્રદૂષિત પાણી છે એવું જાણ્યા પછી ભલેને ગમે તેટલું ટ્રીટેડ કરાયું હોય, આવું ટ્રીટેડ પાણી પીવાનું કોઇપણ ટાળતા હોય છે.

2019માં 14મી સપ્ટેમ્બરે સ્વચ્છ સર્વેક્ષણ માટે મિટીંગ યોજી હતી

સુરતને તાજેતરમાં ભારતના બીજા નંબરના સ્વચ્છ શહેરનો ખિતાબ કંઇ બેઠા બેઠા મળ્યો નથી. ગઇ તા14મી સપ્ટેમ્બર 2019ના રોજ તેમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચાધિકારીઓની મિટીંગ યોજીને એક પ્લાન બનાવ્યો હતો. સતત તેના પર કામ કરીને એક વર્ષમાં 14માં નંબરના સ્વચ્છ શહેર પરથી સુરતને બીજા નંબરના સ્વચ્છ શહેર પર લઇ આવવાનું શ્રેય તેમના શિરે જાય છે.

ખુશીઓનો પટારો પ્રોજેક્ટ ભૂલી શકાય નહીં

સુરતના લાખો લોકોને ખુશીઓનો પટારો કાર્યક્રમ અંતર્ગત કપડા, રમકડા, ફટાકડા, મીઠાઇ વગેરે જેવી ચીજવસ્તુઓ વિતરીત કરીને કાર્યક્રમને સુપર યુઝફુલ બનાવ્યો હતો.

મ્યુનિસિપલ કમિશનરે ટ્વીટ કરીને સૌનો આભાર માન્યો

September 2, 2020
smc.jpg
1min5920

અત્યાર સુધી એવા સમાચાર મિડીયામાં વાંચવા-જોવા મળતા કે હેલ્મેટ નહીં પહેરવા અને નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા બદલ સુરતીઓ દંડાયા, પણ આજે એવી હેડલાઇન બની છે કે માસ્ક નહીં પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં રાખવા બદલ સુરતીઓએ લૉકડાઉન-અનલૉકથી અત્યાર સુધીમાં કુલ રૂ. 1 કરોડ 74 લાખ 84 હજાર 873 રૂપિયાનો દંડ સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવી દીધો છે.

સુરત મહાનગરપાલિકાએ આજરોજ 31મી ઓગસ્ટ 2020ના રોજ જાહેર કરેલી સત્તાવાર અખબારી યાદીમાં આપેલી વિગતો મુજબ કુલ 39,907 વ્યક્તિઓ પાસેથી કોવીડની જુદીજુદી ગાઇડલાઇન્સનો ભંગ કરવા બદલ 1.74 કરોડ જેટલી માતબર રકમનો દંડ સુરત મહાનગરપાલિકાનું તંત્ર અત્યાર સુધીમાં વસુલી ચૂક્યું છે.

કોવીડની આ ગાઇડલાઇનનો ભંગ કરવામાં સુરતીઓ પાવરધા

  • ગમે ત્યાં થૂંકવું ખાસ કરીને પાન મસાલા ખાવાવાળાઓ
  • જાહેર સ્થળો પર, જાહેર માર્ગો પર માસ્ક પહેર્યા વગર ફરવું
  • દો ગજ કી દૂરી, સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવો
  • જાહેર ધંધાકીય સ્થળો પર સેનિટાઇઝરનો ઉપયોગ નહીં કરવો

સુરત મહાનગરપાલિકાની આ છે સત્તાવાર પ્રેસ વિજ્ઞપ્તિ

September 1, 2020
chorasi.jpg
2min8370

Jayesh Brahmbhatt 9825344944

માલસામાનની હેરફેર માટે સુરત મહત્વનું થાણું હતું અને છે અને રહેશે

સજ્જડ લૉકડાઉનમાં પણ સતત ઓપરેશનલ રહ્યું સુરત એરપોર્ટનું એર કાર્ગો ટર્મિનલ

ફેબ્રુઆરી 2020માં સુરત એરપોર્ટ પર એક કાર્ગો ટર્મિનલ શરૂ થયું ત્યારથી અત્યાર પર્યંત વિક્રમી જથ્થા 2434 ટન માલસામાનની હેરફેર

બ્રિટીશકાળ સમયે સુરત બંદરથી સમગ્ર વિશ્વમાં માલ પરિવહન થતું હતું

સુરતના લલાટે સિદ્ધીઓનો યશ લખાયેલો છે એની પ્રતીતિ આદીકાળથી જોવા મળી રહી છે. અંગ્રેજોએ જ્યારે પહેલી કોઠી સુરત બંદરે સ્થાપી હતી ત્યારે પણ સુરત માલસામાનની હેરફેર માટેનું મુખ્ય બંદર મથક હતું અને હવે સુરતનું એરપોર્ટ એ દિશા તરફ આગળ વધી રહ્યું છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એ બાબતની નોધ લીધી છે કે સુરત એરપોર્ટ પર કાર્યાન્વિત એરકાર્ગો ટર્મિનલ દેશમાં સજ્જડ લૉકડાઉન વખતે સતત ઓપરેશનલ હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પોતાના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી કરેલા ટ્વીટમાં એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે ફેબ્રુઆરી 2020માં સુરત એરપોર્ટ પર એર કાર્ગો ટર્મિનલનો આરંભ થયો ત્યારથી અહીં કાર્ગો મૂવમેન્ટ નિરંતર થઇ રહી છે.

છેલ્લા છ મહિનામાં સુરત એરપોર્ટના એરકાર્ગો ટર્મિનલથી 2434 ટન માલની હેરફેર થઇ ચૂકી છે

સુરત એરપોર્ટ પર એરકાર્ગો ટર્મિનલ પર ફેબ્રુઆરી 2020થી અત્યાર સુધી (લૉકડાઉન પિરીયડ)માં કુલ 2434 ટન જેટલા જંગી માત્રામાં માલસામાનની હેરફેર કરવામાં આવી ચૂકી છે. આ એક નોંધપાત્ર કાર્યવાહી હોવાનું એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સુરત એરપોર્ટ કાર્ગો સર્વિસીઝ માટેનું ટ્વીટ

August 27, 2020
harsh_shanghvi_CiA_live-1.jpg
1min1228

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો એ દિવસથી સતત લોકો માટે સક્રિય રહીને ટ્રીટમેન્ટથી લઇને ફૂડપેકેટ વિતરણની કામગીરીમાં શહેર, રાજ્ય જ નહીં બલ્કે દેશમાં સૌથી વધુ અને સતત વ્યસ્ત રહેલા સુરત મજૂરાના ધારાસભ્ય હર્ષભાઇ સંઘવીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતી તેમણે ખુદ ટ્વીટર પર આપી હતી. તેમણે અપીલ કરી હતી કે પાછલા દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા લોકો કોરોન્ટાઇન થઇને પોતાનો ટેસ્ટ પણ કરાવી લે.

હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમણે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવાનો નિર્ણય કર્યો છે.

August 25, 2020
gujrat-012.jpg
1min6210

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સોમવારે સવારે 6 વાગ્યે છેલ્લા 24 કલાકમાં 2.66 ઈંચ વરસાદ વરસી ગયો, જે રાજયના મોસમી વરસાદના 8 ટકા છે. ભારે વરસાદની સાથે રાજ્ય સીઝનના 69 દિવસમાં 100 ટકાને પાર કરી રહ્યું છે.

2019 અને 2017માં રાજયમાં 100% કરતાં વધારે મોસમી વરસાદ નોંધાયો હતો. 2019માં 5 સપ્ટેમ્બરના દિવસે 100 ટકા વરસાદ પૂરો થયો હતો જ્યારે 2017માં 30 ઓગસ્ટે. 2018 અને 2016માં 31 ઓક્ટોબર સુધીમાં કુલ મોસમી વરસાદ અનુક્રમે 76.7% અને 91% હતો.

જો કે, ઓગસ્ટના પહેલા 23 દિવસમાં સોમવારે 6 વાગ્યા સુધીમાં 19.80 ઈંચ વરસાદ એટલે કે 59% વરસાદ નોંધાયો હતો. સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી મેઘરાજા સતત વરસતા રાજ્યમાં 1.19 ઈંચ નોંધાયો હતો. સોમવાર સવાર સુધીમાં ગુજરાતના 251 તાલુકામાંથી 109માં 100 ટકા કે તેથી વધુ મોસમી વરસાદ વરસ્યો.

24 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધીમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં અનુક્રમે 91%, 126% અને 119% મોસમી વરસાદ નોંધાયો હતો. રાહત અને બચાવ કાર્ય માટે NDRFની 13 ટીમ અને SDRFની 1 ટીમ અલગ-અલગ જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે.

ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાડોશી વિસ્તારમાં લો-પ્રેશર તેમજ ઉત્તર-પશ્ચિમી અરબ સાગર પર સાયક્લોન સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે. આ બે સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. વધુમાં નિષ્ણાતોની નજર બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલી સિસ્ટમ પર છે, જે રાજ્યમાં વધારે વરસાદ લાવી શકે છે.

August 24, 2020
SMC_commissioner.jpg
1min7870

Hats off to SMC કોરોના, ખાડીપૂર, ભારે વરસાદ વચ્ચે નિરંતર લોકોની સેવામાં

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભૂતકાળમાં સુરત શહેર પર અનેક કુદરતી આપત્તીઓ આવી ચૂકી છે. એ સમયે સુરત મહાનગરપાલિકા તંત્ર આજે જે રીતે કામ કરી રહ્યું છે એ જ રીતે કરતું હતું પરંતુ, આ વખતની સ્થિતિ વધુ વિકટ એટલા માટે છે કે કોરોના રોગચાળો ઉપરાંત ખાડી પૂરનું સંકટ, ભારે વરસાદની સ્થિતિ આ બધાની સાથે સુરત શહેરની હદ પણ ભૂતકાળની હદ કરતા વધુ વિસ્તરી ચૂકી છે એટલે મ્યુનિસિપલ કમિશનર ખુદ કહી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા શહેરીજનોની સેવામાં સતત કાર્યરત છે અને ઓવરટાઇમ કરી રહી છે.

અમે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ પરિવાર સુરત મહાનગરપાલિકાની કામગીરીને બિરદાવીએ છીએ. અનેક સંકટો વચ્ચે સુરત શહેરને ભૂતકાળમાં પણ ઉગાર્યું છે અને હાલમાં પણ સુરતને ઉગારી રહી છે સુરત મહાનગરપાલિકા….

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજરોજ તા.24મી ઓગસ્ટ 2020ના રોજ સવારે 10.20 કલાકે એક ટ્વીટ કર્યું હતું. તેમના ટ્વીટનું ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છે.

2013 પછી સૌથી વધુ વરસાદ સુરતમાં પડ્યો છે. સુરતીઓ સુરત મહાનગરપાલિકા આપના માટે ઓવરટાઇમ કરી રહી છે.

કોરોના, ખાડીપૂર, ભારે વરસાદ બધા સંકટો સામે ઝઝૂમી રહી છે સુરત મહાનગરપાલિકા

સુરત શહેર પર ભૂતકાળમાં અનેક વિપત્તીઓ આવી ચૂકી છે. 2001નો ભૂકંપ હોય કે પછી 2006નું ફ્લડ હોય કે પછી 1994ની રેલ અને એ પછી રોગચાળાની સ્થિતિ, તમામ વખતોએ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હાલમાં જે રીતે કાર્ય કરી રહ્યું છે એ રીતે જ કરતું હતું. પરંતુ, આ વખતે પરિસ્થિતિ વધુ વિકટ છે. કોરોનાની સ્થિતિ ઉપરાંત ભારે વરસાદ અને ખાડી પૂર, આમ, વિકટ પરિસ્થિતિઓને પગલે સુરત મહાનગરપાલિકાના તંત્રવાહકો પર ભારે વર્કલોડ છવાયેલો છે.

August 24, 2020
electric_bus_SMC.jpg
2min9820

સુરતની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં હવે ગ્લોબલ સ્ટાન્ડર્ડને સમકક્ષ

સુરત મ્યુનિસિપલ કમિશનર અને ભાજપ શાસકો ઇ-બસ ટ્રાયલથી સંતુષ્ઠ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત જેવા દિન દુગની રાત ચૌગુની પ્રગતિ કરતા મહાનગરમાં સામૂહિક પરિવહનની સેવા જેટલી પણ નિરુપદ્રવી હોય તેટલો ફાયદો શહેર અને શહેરમાં વસતા લોકોને થતો હોય છે. આજે સુરત મહાનગરપાલિકાની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અને નેટવર્કમાં ઇ-બસ ઇલેક્ટ્રોનિક બસની ટ્રાયલ રન સફળ નિવડી છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ અનિલ ગોપલાણીએ જણાવ્યું કે આજે સુરતના માર્ગો પર ઇલેક્ટ્રોનિક બસની ટ્રાયલ રન હતી.

અનિલ ગોપલાણીએ કહ્યું કે ટ્રાયલ રનમાં અમે સૌ, મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન સહિત અધિકારીઓ જોડાયા હતા અને આ ટ્રાયલ રન જે પ્રકારનું પ્રોજેકશન હતું એ મુજબ નિરુપદ્રવી, અવાજ રહિત, પ્રદુષણ મુક્ત વગેરેના ટેસ્ટીંગ પર ખરી ઉતરી છે.

મ્યુનિસિપલ કમિશનરે ટ્વીટ કરી

ઇલેટ્રોનિક બસના ફાયદા

  • ડિઝલથી થતા પ્રદુષણથી મુક્તિ
  • ડિઝલ એન્જિનથી થતાં અવાજના પ્રદુષણથી મુક્તિ
  • ડિઝલ કોસ્ટથી અસરકારક રીતે ઓછો ખર્ચ
  • જાળવણી અને નિભાવ ખર્ચમાં ઘટાડો

સુરત માટે 150 ઇ-બસ માટે ટેન્ડરિંગ પ્રોસેસ થઇ ચૂકી છે

સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણીએ જણાવ્યું હતું કે સુરતમાં સામૂહિક પરિવહનની સેવાને વધુ અસરકારક તેમજ નિરુપદ્રવી બનાવવા માટે ઇલેક્ટ્રોનિક બસને સુરતના લોકોની સેવામાં મૂકવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે અને 150 બસ પ્રથમ ફેઝમાં ખરીદી કરવા અંગેની ટેન્ડરિંગ પ્રોસેસ કરી દેવામાં આવી ચૂકી છે.

Also read

August 19, 2020
vnsgu.jpg
1min5940

ધો.12 સાયન્સ, કોમર્સના પરીણામો જાહેર થયાના દોઢથી ત્રણ મહિના જેટલો સમય વિતી ગયો છે, ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં તો ધો.12 પછી કોલેજોમાં પહેલા વર્ષના ઓનલાઇન ક્લાસીસ શરૂ થઇ ચૂક્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા વચ્ચેની એકમાત્ર સ્ટેટ સરકારી યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પહેલા વર્ષના પ્રવેશના ઠેકાણા નથી. વીર નર્મદ યુનિવર્સિટીમાં હજુ તો તા.17મી ઓગસ્ટ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ છે.

ભણવાનું શરૂ કરવાની વાત તો દૂર રહી પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ સુદ્ધાં જાહેર નથી

પ્રવેશાર્થીઓના પ્રશ્નો અનુત્તર

  • ક્યાં સુધી ચાલશે ઓનલાઇન એપ્લિકેશન
  • કયારે જાહેર કરાશે મેરીટ યાદી
  • ક્યારે પ્રવેશ કન્ફર્મેશન
  • કેવી રીતે પ્રવેશ લેવાનો રહેશે
  • કયા ડોક્યુમેન્ટસ આપવાના રહેશે
  • કોલેજો ઓરિજિનલ ડોક્યુમેન્ટસ માંગશે તો શું કરવું
  • પહેલો રાઉન્ડ ક્યારે, રાઉન્ડવાઇઝ સમયપત્રકનું શું
  • પ્રવેશ કન્ફર્મ કરાવવા પહેલી ફી ક્યાં જમા કરાવવાની
  • પ્રવેશ એપ્લિકેશનમાં એડિટનો ઓપ્શન વિકલ્પ જ નથી અપાયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડો.શિવેન્દ્ર ગુપ્તાનો કાર્યકાળ વિદ્યાર્થીઓ માટે એટલો હાનિકર્તા નિવડ્યો છે કે તેમની કારકિર્દીના પારાવાર નુકસાન થઇ રહ્યું છે અને સિન્ડીકેટ કે સેનેટ સભ્યો અસરકારક રીતે વિદ્યાર્થી હિતનું રક્ષણ કરવામાં વામણા પૂરવાર થયા છે. આ વર્ષે ધો.12 સાયન્સનું પરીણામ મે મહિનામાં જાહેર થઇ ચૂક્યું હતું, એ પછી જુનમાં ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર થયા એ પછી અત્યાર સુધી યુનિવર્સિટી પહેલા વર્ષમાં હજુ તો પ્રવેશ કાર્યવાહીના ફીફા ખાંડી રહી છે. ઓનલાઇન એપ્લિકેશન પછી ક્યારે શું પ્રોસેસ કરવાની એ અંગેની કોઇ જ જાણકારી યુનિવર્સિટીએ પ્રવેશાર્થીઓને આપી નથી. હજારો પ્રવેશાર્થીઓ રોજેરોજ યુનિ.ના પ્રવેશ અંગે નવી નવી મૂંઝવણોથી પીડાય રહ્યા છે પણ યુનિવર્સિટી તરફથી કોઇ જ સ્પષ્ટતા કરાતી નથી.

કેટલાય અભ્યાસક્રમોમાં તો હજુ એપ્લિકેશનની મુદતો વધારાય રહી છે

ધો.12ના પરીણામો જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓએ વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જ અભ્યાસ કરવો છે એવા વિદ્યાર્થીઓની કારકિર્દીને ભારે નુકસાન થઇ રહ્યું છે કેમકે યુનિવર્સિટી હજુ સુધી તો ઓનલાઇન એપ્લિકેશનનો સમય વધાર્યે જ જાય છે. પ્રવેશ કાર્યવાહી ક્યારે પૂર્ણ થશે એ તો રામ જાણે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની ધીરજ ખૂટી રહી હોય તેઓ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવીને અભ્યાસ શરૂ કરી રહ્યા છે.

વીર નર્મદ યુનિ. પ્રવેશમાં વિલંબથી પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશમાં થઇ રહેલા અસહ્ય વિલંબનો સીધો ફાયદો ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મળી રહ્યો છે. કેમકે ધો.12 સાયન્સ કોમર્સના પરીણામોને બેથી ત્રણ મહિના પછી પણ જો વીર નર્મદ યુનિવર્સિટી પ્રવેશ નિશ્ચિત કરી શકતી ન હોય તો વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્યારે શરૂ થશે. બીજી તરફ પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ દક્ષિણ ગુજરાતના ધો.12 પાસ વિદ્યાર્થીઓને અભ્યાસની તકો, એક્સપોઝર, સ્કોલરશીપ વગેરેની ઓફર કરીને વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માંડ્યા છે.

August 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min13370

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દાનવીર સુરતીઓએ વધુ એક વખત એ વાતની પ્રતીતી કરાવી છે કે આપવામાં તેમનો કોઇ જોટો જડે તેમ નથી. જોય ઓફ ગીવીંગ સુરતીઓને પામવો છે અને એટલે જ લોક સેવામાં રૂપિયા, સંપતિ, માનવ અંગો (ઓર્ગન ડોનેશન) અને હવે કોવીડ-19ના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝમા આપવામાં સુરતીઓ થોડા દિવસમાં જ ગુજરાતમાં અવ્વલ સ્થાને પહોંચ્યા છે એટલું જ નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

કોરોનાના ક્રિટીકલ દર્દીઓની સારવાર માટે પ્લાઝમા થેરાપીનો વિકલ્પ

કોવીડ-19 માટે હજુ અસરકારક દવા કે વેક્સિન બની નથી. અનેક પદ્ધતિઓથી દુનિયાભરમાં, દેશમાં, રાજ્યમાં, સુરતમાં કોરોનાના દર્દીઓની સારવાર થઇ રહી છે. આ સારવાર પદ્ધતિમાં એક સારવાર પદ્ધતિ છે તેનું નામ પ્લાઝમા થેરાપી. પ્લાઝમા થેરાપીની સામાન્ય સમજ એ છે કે જે દર્દીઓ કોરોનામાંથી રિકવર થઇ ચૂક્યા છે, તેમના લોહીમાં કોરોના સામે લડવા માટેના એન્ટીબોડીઝ ડેવલપ થઇ ચૂક્યા હોય છે. આથી કોરોનાથી સાજા થયેલા દર્દીઓના લોહીમાં ખાસ તત્વ હોય છે જે કોરોનાને ફાઇટ આપી શકે છે. આ તત્વને પ્લાઝમા કહેવાય છે અને સાજા થયેલા દર્દીઓના પ્લાઝમા સાથે મેચ થતા કોરોનાના એક્ટીવ ક્રિટીકલ દર્દીઓને એ પ્લાઝમા આપીને તેમને નવજીવન આપી શકાય તેમ છે.

પ્લાઝમા ડોનેશનની હાકલ પડી ને દોડી ગયા સુરતીઓ

નિમ્નદર્શિત ચાર્ટમાં જોઇ શકાશે કે રાજ્યમાં સૌથી વધુ કેસો ધરાવતા બે મોટા શહેરોમાં કોવીડ-19ના કેસો વધુ હતા અને ત્યાં રિકવર દર્દીઓની સંખ્યા પણ વધુ હતી. અમદાવાદ અને સુરતમાં પ્લાઝમા ડોનેશનની તા.10મી ઓગસ્ટની સ્થિતિ એ બાબતને સ્વયંસ્પષ્ટ કરે છે કે પ્લાઝમા ડોનેશનમાં પણ સુરતીઓનો જોટો જડે તેમ નથી.

સુરતને જુલાઇ 2020ના પહેલા સપ્તાહમાં પ્લાઝમા ડોનેશન એકત્રીતક કરવાની મંજૂરી મળી અને બહુ ઓછા સમયમાં 35 દિવસના સમયગાળામાં 455 જેટલા સુરતીઓ કે જેઓ પોતે કોરોનામાંથી સાજા થયા હતા અને તેઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે સ્વયંભુ ઉમટી પડ્યા. ફક્ત તેમને માહિતી આપવાની જરૂર હતી કે તમે પ્લાઝમા ડોનેટ કરીને કોઇકને નવજીવન આપી શકો. અમદાવાદમાં રાજ્યમાં સૌથી પહેલા પ્લાઝમા ડોનેશનની મંજૂરી મળી હતી. એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં અમદાવાદને પ્લાઝમા ડોનેશનની મંજૂરી મળી હતી. ત્યાં ગઇ તા.10મી સુધીમાં ફક્ત 232 કોરોના રિકવર્ડ પેશન્ટોએ તેમનું પ્લાઝમા દાન કર્યું. અમદાવાદમાં કોરોના રિકવર્ડ દર્દીઓની સંખ્યા પણ 21 હજાર ઉપરાંત છે. તેની સામે સુરતની સરખામણી કરીએ તો સુરતીઓએ પ્લાઝમા ડોનેશનમાં ફક્ત ગુજરાતમાં જ નહીં બલ્કે સમગ્ર દેશમાં ટકાવારીની દ્રષ્ટીએ સારામાં સારું ઉમદા કાર્ય કર્યું છે.