સુરતીઓની દુનિયા Archives - Page 39 of 79 - CIA Live

July 10, 2020
corona-gujarat.jpg
1min5650

રાજ્યમાં અત્યાર સુધી અમદાવાદ ખાતે દૈનિક નવા કેસો સૌથી વધુ મળી રહ્યા હતા. જે હવે સુરત શહેર અને જિલ્લામાંથી મળવાના શરૂ થયા છે. તા.9મી જુલાઇએ સતત ત્રીજા દિવસે સુરત શહેર જિલ્લાના કેસોની સંખ્યા અમદાવાદ શહેર જિલ્લાના કેસો કરતા વધુ નોંધાઇ છે.

સુરતમાં શહેર અને જિલ્લામાં કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 212 નવા કેસ નોંધાયા છે અને 103 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં પણ કોરોનાના કેસની સંખ્યા 100ની નજીક પહોંચવા આવી છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 95 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં ચાર અને સુરત જિલ્લામાં બે લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

તા.9મી જુલાઇના છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 212 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક સમયે સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત રહેલા અમદાવાદમાં 153 કેસ નોંધાયા છે.

અમદાવાદ તથા અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 153 નવા કેસ નોંધાયા છે અને 133 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદમાં મૃત્યુઆંક પણ છેલ્લા ઘણા દિવસોથી એક આંકડામાં નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોવિડ-19થી પાંચ લોકો મૃત્યુ પામ્યા છે.

July 7, 2020
corona-gujarat.jpg
1min5940

ગુજરાતમાં કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત અમદાવાદમાં હવે સ્થિતિ ઝડપથી સુધરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં હવે કોરોનાના નવા કેસની સંખ્યા કરતા ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ સુરતમાં સતત ત્રીજા દિવસે 200થી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 201 નવા કેસ નોંધાયા છે.

અમદાવાદમાં હવે કોરોનાની સ્થિતિ સુધરી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોવિડ-19ના 168 નવા કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 235 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 15 નવા કેસ નોંધાયા છે અને પાંચ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સાત લોકોના મૃત્યુ થયા છે. આમ અમદાવાદમાં કેસ અને મૃત્યુઆંક સતત ઘટી રહ્યો છે.

કોરોના વાયરસના કેસની સંખ્યામાં ગુજરાતમાં હવે સુરત પ્રથમ ક્રમે આવી ગયું છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 201 કેસ નોંધાયા છે જ્યારે 42 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લાની વાત કરીએ તો 40 નવા કેસ નોંધાયા છે અને 44 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં ચાર અને સુરત જિલ્લામાં બે લોકોના મૃત્યુ થયા છે.

સુરતમાં કોરોનાના સતત વધી રહેલા કેસના કારણે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાતે સુરતની મુલાકાતે જઈ આવ્યા છે. મુખ્યમંત્રીએ સુરતમાં 100 કરોડના ખર્ચે બે કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સુરત માટે 200 વેન્ટિલેટર્સ મોકલવામાં આવ્યા છે.

July 6, 2020
harsh_shanghvi_CiA_live-1.jpg
2min13530

Jayesh Brahmbhatt 98253 44944

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સુરતની મુલાકાત બાદ પરત ગાંધીનગર ગયાના 36 કલાક બાદ આજે તા.6 જુલાઇને સોમવારે બપોરે સુરતના મજુરાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ એક ટ્વીટ કર્યું હતું, સોમવારે બપોરે 12.31 મિનિટે કરવામાં આવેલા ટ્વીટમાં હર્ષ સંઘવીએ લખ્યું છે કે કોઇની નજરમાં આવવા માટે મહેનત ન કરો, તમારામાં કાંઇક હશે તો, નજરમાં આવી જ જશો..

Surat Majura MLA Harsh Shanghvi file photo

હર્ષ સંઘવીએ આ ટ્વીટ કોઇને પણ ઉદ્દેશીને લખ્યું નથી. કે નથી હર્ષ સંઘવીએ આ ટ્વીટ સાથે કોઇક હેશટેગ કર્યું. આમ છતાં ભાજપના સુરત સમેત સમગ્ર ગુજરાતના ગ્રુપોમાં તેમની આ ટ્વીટને તીર તરીકે લઇને તેમની ટ્વીટની ઇમેજ જોરદાર રીતે ફરી રહી છે. કહેવા વાળા કહી રહ્યા છે કે સુરતમાં હર્ષ સંઘવી જે ગતિએ આગળ વધી રહ્યા છે એ જોતા ભાજપાના અનેક નેતાઓના પેટમાં તેલ રેડાય રહ્યું છે. હર્ષ સંઘવીએ પોતાના ટ્વીટ અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી ફક્ત એ નોર્મલ ટ્વીટ સ્ટેટસ અપડેટ છે પરંતુ, ભાજપામાં હવે આ ટ્વીટ એક તીરની જેમ ચાલી રહ્યું છે.

ખુબ સામાન્ય ભાવે ટ્વીટ કર્યું છે : હર્ષ સંઘવી

સી.આઇ.એ લાઇવ સાથે વાતચીતમાં હર્ષ સંઘવીએ સાહજિકતાથી કહ્યું કે ભાઇ એકદમ સામાન્ય ભાવે આ ટ્વીટ કર્યું છે, આમા કોઇને કશું સંભળાવાનો કે ટોન્ટીંગનો કોઇ ઇરાદો નથી.

ધારાસભ્ય હર્ષ સંઘવીની ટ્વીટ માટે નીચેની લિંક પર ક્લીક કરો

હર્ષ સંઘવીનું આ ટ્વીટ ગણતરીની મિનિટોમાં 60 વખત રીટ્વીટ થઇ ચૂક્યું હતું

સુરતના મજુરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવીની ટ્વીટનો ફોટો હાલ સુરત અને ગુજરાતના પોલીટીકલ વ્હોટ્સએપ ગ્રુપ્સમાં ગરમાગરમ રીતે વાઇરલ થઇ રહ્યો છે, જેની જેપીજી ઇમેજ નીચે પ્રસ્તુત છે

હર્ષ સંઘવી હાઇપ્રોફાઇલ વર્કિંગ પોલિટીકલ લિડર છે, સુરતમાં સાંસદને પણ ઝાંખા પાડે તેવો પ્રભાવ ધરાવે છે

સુરત મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પ્રભાવશાળી નેતા છે અને ધૂંઆધાર કામગીરી માટે વખણાય છે. કોવીડ 19 જનતા કરફ્યુથી શરૂ કરીને અત્યાર સુધી અત, તત્ર, સર્વત્ર તેઓ જ બધે કામ કરતા દેખાયા છે, લોકોએ તેમના કામની સરાહના ખૂબ કરી છે. કોવીડ-19માં સતત સક્રિય રહેલા નેતાઓમાં સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીનો નામોલ્લેખ બધા કરી રહ્યા છે ત્યારે હર્ષ સંઘવીએ આજે જે ટ્વીટ કરી છે એ કોને ઉદ્દેશીને કરી હશે એ બાબતને લઇને અનેક તર્કવિતર્કો શરૂ થયા છે.

July 6, 2020
textile.jpg
1min5660

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટો શરૂ રાખવાના વેપારીઓના નિર્ણય બાદ સોમવાર તા.6 જુલાઇ 2020ના રોજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે જો કોઇ ટેક્સટાઇલ માર્કેટમાં એક કરતા વધુ કેસો મળી આવશે તો તેને 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવશે.

એ પૂર્વે રવિવારે સુરતમાં સાંસદ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ટેક્સટાઇલ વ્યાપારીઓની બેઠક યોજાઇ હતી.

જેમાં લોકડાઉન બાદ શરૂ થયેલ ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગો છેલ્લા છ દિવસથી બંધ કરવામાં આવ્યા છે પરંતુ કોરોના પોઝિટિવ કેસમાં ચોંકાવાનારો વધારો જોવા મળતા હવે સોમવારે સાતમા દિવસે આ ઉદ્યોગો ચાલુ થશે તો પણ નવી ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાની શરતને પાળવી પડશે. જોકે કારખાનદાર કે એકમમાં ગાઇડલાઇનું પાલન નહીં થાય તો તેને તાત્કાલીક બંધ કરી દેવાની ચીમકી તંત્ર દ્વારા અપાઇ ચૂકી છે. સુરતમાં કામદારોમાં કોરોનાના કેસ વધી રહ્યા હતા. શનિવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સુરતની મુલાકાત કરી હતી. જેના બાદ આજે ડાયમંડ અને કાપડ ઉદ્યોગોના અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. કોરોનાની વિકટ બનતી સ્થિતિ વચ્ચે ઉદ્યોગો શરૂ રાખવા કે બંધ તે અંગે નિર્ણય લેવા ચર્ચા વિચારણા કરાઈ હતી. હીરા અગ્રણીઓ મીટિંગમાં કોરોના મહામારી વચ્ચે કઈ રીતે ઉદ્યોગ ચાલુ રાખી શકાય તે અંગે વાતચીત કરી હતી. સાત દિવસ પૂર્ણ થાય છે. તેઓએ જણાવ્યું હતુ કે, હીરા ઉદ્યોગ નવી ગાઈડલાઇન સાથે શરૂ થશે. આ ગાઈડલાઇનનું કડકપણે પાલન કરવું પડશે.

July 4, 2020
CiA_live_CM_Vijay-Rupani.jpg
1min17960

કાયદાનું સખ્તાઇથી પાલન કરાવવામાં તંત્રો વિફળ રહ્યાને સુરતમાં સંક્રમણ વધતું ગયું

કોવીડ-19ના કેસો હવે સુરતમાં અમદાવાદ કરતા પણ વધુ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના હેલ્થ કમિશનર જયંતિ રવિ સુરતમાં છે, રાજ્યના અનેક ઉચ્ચાધિકારીઓ સુરત આવ્યા છે. દરમિયાન આજે શનિવાર, તા.4 જુલાઇ 2020ના રોજ સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, ચીફ પ્રિન્સીપાલ સેક્રેટરી કૈલાશનાથન સમેત ગાંધીનગરથી અનેક અધિકારીઓનો કાફલો સુરતમાં આવ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે કૈલાસનાથન પણ સુરત પહોંચ્યા છે. આજે આખો દિવસ સીએમ સુરત મ્યુ. કોર્પોરેશન, કલેક્ટર ઓફિસના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગો કરશે. આ ઉપરાંત તેઓ નવી સિવિલ હોસ્પિટલ અને અન્ય સવલતોની પણ મુલાકાત લઈ કોરોનાના દર્દીઓને સારવાર આપવા ઉભી કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરવાના છે.

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સુરત એરપોર્ટ પર ઉતરતાની સાથે જ કલેક્ટર ડો. ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની તેમજ અન્ય અધિકારીઓ પાસેથી સુરતનું સ્ટેટસ જાણ્યું હતું.

સુરતની મુલાકાત અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલએ ફેસબુક પર સ્ટેટસ અપડેટ કર્યું

Nitin Patel यांनी वर पोस्ट केले शनिवार, ४ जुलै, २०२०

સુરતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણમને કાબુમાં લેવા માટે સુરત માટે આજે નવી નીતિ ઘડાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં હવે કોવીડ-19ના કાયદાઓનું પાલન સખ્તાઇથી કરવામાં આવશે. સુરતમાં લૉ એન્ફોર્સમેન્ટ કરાવવામાં સ્થાનિક મહાનગરપાલિકાનું તંત્ર તેમજ પોલીસ તંત્ર વામણું પુરવાર થયું છે અને તેના કારણે જ સંક્રમણના કેસો વધી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ બન્નેના સ્ટાફ મનસ્વી રીતે જ કોવીડની ગાઇડલાઇન્સનું પાલન કરાવતા હતા.

રહેમ કરતા હોઇ એ રીતે ફેરીયાઓ, કામદારો પર પોલીસ એકશન લેતી નથી, બધુ જોર મિડલ ક્લાસ પર

પોલીસ સ્ટાફ રહેમ કરતા હોય એ રીતે કોરોના સુપર સ્પ્રેડર શાકભાજીવાળા ફેરીયાઓ, લૉઅર ક્લાસના કામદારો વગેરેએ માસ્ક ન પહેર્યો હોય, જાહેરમાં થૂંકીને ગંદકી કરતા હોય તેની સામે કેસો નથી કરતા ફક્ત જે લોકો કાયદાનું પાલન કરતા હોય છે. એવા મિડલ ક્લાસ પર જ ભીંસ વધારી રહ્યા છે.

મ્યુનિસિપાલિટી નિર્મિત આવાસોમાં જઇને સ્થિતિ જોવી જોઇએ

સુરતમાં મહાનગરપાલિકા નિર્મિત ઇડબલ્યુએસ આવાસોમાં કોવીડ 19ની ગાઇડલાઇન્સનું કશું પાલન થતું નથી. આવા વિસ્તારોમાં જો સંક્રમણ ફેલાશે તો એ કાબૂમાં આવતા મોટી કિંમત સુરતના લોકોએ ચૂકવવી પડશે. હવે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી સમેતનો કાફલો આવ્યો છે ત્યારે તેમના ધ્યાને આ જ વાત લાવવામાં આવી છે કે સુરતમાં લૉ એન્ફોર્સમેન્ટમાં સખ્તાઇના અભાવે પરિસ્થિતિ બગડી જવા પામી છે.

Latest on CiA Live web

July 3, 2020
pangallo-1280x720.jpg
1min6510
CIA Live यांनी वर पोस्ट केले शुक्रवार, ३ जुलै, २०२०

સુરતમાં બેકાબુ કોરોનાને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેવામાં આજે સુરત મ્યુનિસિપલ કમિશનરે બંછાનિધિ પાનીએ ગુજરાત રાજ્ય એપેડેમિક ડીસીઝ એક્ટ 1897ની કલમ 2-3-4ના આધારે સુરત મહાનગરપાલિકાના નોર્થ ઝોન (કતારગામ), ઈસ્ટ ઝોન (વરાછા-A) અને ઈસ્ટ ઝોન (સરથાણા-B)માં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ પાનના લારી/ગલ્લા તથા પાનની દુકાનો 7 દિવસ માટે બંધ રાખવા નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, અન્ય વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા, દુકાનો અને લારીઓ પર 4થી વધારે લોકોની ભીડ ન કરવા અને જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

સુરતમાં આવેલા તમામ પાનના ગલ્લા/ લારી તથા પાનની દુકાનમાં લોકોની ભીડ થાય છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવતું નથી. ઘરથી બહાર નીકળતા લોકો જાહેરમાં માસ્કનો ઉપયોગ કરવાનું પણ ટાળી રહ્યા છે. આ ઉપરાંત પાન મસાલા ખાઈને લોકો જાહેરમાં જ થૂંકતા નજરે પડે છે. જેથી કોરોનાનું સંક્રમણ ભયનજક રીતે ફેલાઈ રહ્યું છે. જેથી શહેરના મ્યુનિસિપલ કમિશનરે ઉપરોક્ત વિસ્તારોમાં પાનના ગલ્લા, દુકાનો અને લારીઓ 7 દિવસ બંધ રાખવા નિર્ણય કર્યો છે.

June 25, 2020
diesel_chori.jpg
1min4980

છેલ્લા દાયકાથી સુરતના હજીરા વિસ્તારમાં ચાલી રહેલા પેટ્રોલ ડિઝલ ચોરી કૌભાંડને ઉજાગર કરતી વધુ એક ઘટના તા.24મી જુને આકાર પામી છે. હજીરા ખાતે આવેલા ઇન્ડીન ઓઇલ કોર્પોરશન લિ. (IOCL) ના ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવામાં આવી રહી હતી ત્યારે જ સુરતની સચીન પોલીસે રેડ પાડી હતી. સમગ્ર પ્રકરણમાં ડ્રાઇવર ભાગી છુટ્યો છે પણ પોલીસે ટેન્કર માલિકને ઝડપી પાડયો છે.

હજીરા સ્થિત આઇઓસીએલ કંપનીમાંથી અલગ-અલગ શહેર-જિલ્લામાં ડીઝલ મોકલાવવા માટે છેલ્લા એક વર્ષથી અમન ટ્રાન્સપોર્ટ કંપનીને ટેન્ડર પ્રક્રિયાથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ગત સાંજે 5 વાગ્યાના અરસામાં અમન ટ્રાન્સપોર્ટનો ટેન્કર નં. જીજે-19 યુ-7563 માં 12000 લિટર ડીઝલનો જથ્થો ભરી ટેન્કર કંપનીમાંથી ચાલક રાજનસીંગ નીકળ્યો હતો. ટેન્કર જયાં લઇ જવાનું હતું તેના બદલે ચાલક ટેન્કરને સચિન જીઆઇડીસી હાઇવે પર શાલીમાર કોમ્પ્લેક્ષ પાસે રોડ સાઇડમાં પાર્ક કરી દીધું હતું. ત્યાર બાદ ટેન્કર માલિક મુખ્તાર નાઝીર શેખ સાથે મળી ચાલક રાજનસીંગ 20 લિટરના કેરબામાં ડીઝલ કાઢી રહ્યા હતા આ સમયે સચિન પોલીસ ત્યાં ઘસી ગઇ હતી. અને કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

June 25, 2020
canarabank.jpg
1min5010

સુરતની એક બૅંકમાં ઘૂસીને મહિલા કર્મચારી પર હુમલો કરીને દાદાગીરી કરતા મામલો છેક નવી દિલ્હીમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમન સુધી પહોંચ્યા બાદ તેમણે આ પોલીસ કોન્સ્ટેબલ સામે પગલાં ભરવાની સૂચના આપ્યા બાદ આખરે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી સસ્પેન્ડ કર્યો હતો.

આ ઘટનામાં પોલીસ પણ કંઈ ન કરવા માટે દબાણ કરી હતી અને માત્ર જાણવા જોગ ફરિયાદ લીધી હતી. પીડિતાના પતિને પણ ચૂપ કરાવવામાં આવી રહ્યા હતા.

હવે નાણામંત્રી નિર્મલા સીતારમનના કારણે પગલાં લેવાઈ રહ્યા છે.આ ઘટનાની વિગત એવી છે કે, સુરત શહેરના સરથાણા પોલીસ મથકના કોન્સ્ટેબલે બૅંકમાં ધમાલ મચાલી મહિલા કર્મચારી સહિત બે પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી હતી.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ તો પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.

June 22, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5370

સુરતમાં છેલ્લા સપ્તાહ દરમિયાન કોવીડ-19ના મળેલા કેસોમાં 30થી 40 ટકા કેસો હીરા ઉદ્યોગ ખાસ કરીને રત્નકલાકાર તરીકે કામ કરતા કારીગરોના નીકળતા ગયા વીકએન્ડથી એવી હવા ચાલી હતી કે હીરા ઉદ્યોગને બંધ કરવામાં આવશે. પરંતુ, આજે તા.22મી જુનના રોજ મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે હીરા ઉદ્યોગના કારખાનાઓ બંધ નહીં થાય. જ્યાં કેસો મળશે તેની સંખ્યાના આધારે યુનિટ બંધ કરવામાં આવશે. કોઇક કારખાનામાંથી એક કેસ મળશે તો જે તે ફ્લોર (માળ) બંધ કરાશે, બે કે વધુ કેસ મળશે તો સમગ્ર યુનિટ બંધ કરવામાં આવશે. તમામ હીરા ઉદ્યાગકારોએ પોતાના યુનિટમાં કોવીડ-19 અંગેની ગાઇડલાઇન્સનું ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે. શનિવાર અને રવિવારે હીરા બજારો બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

File Photo : Diamond Industry

આજે તા.22મી જુન 2020ના રોજ સોમવારે સુરતના મેયર ડો. જગદીશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની તેમજ હીરા ઉદ્યાગકારો વચ્ચે મિટીંગ મળી હતી. જેમાં હીરા ઉદ્યોગ બંધ રાખવો કે નહીં એ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જે કેસો મળ્યા છે એ મોટા યુનિટોમાંથી મળ્યા છે, નાના કારખાનેદારો પાસે માંડ કામકાજ શરૂ થયું હોઇ, કારખાના બંધ નહીં થાય

બેઠકમાં એવી ચર્ચા થઇ હતી કે રત્નકલાકારોના જે કેસો મળ્યા છે એ કેસો મોટા કારખાનાઓમાંથી મળ્યા છે. એવા કારખાનાઓ કે જ્યાં કોવીડ-19 નો સામનો કરવા માટે તંત્ર દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સોશ્યલ ડિસ્ટન્સિંગ તેમજ કર્મચારીઓને ટૂકડે ટૂકડે બોલાવવા જેવી ગાઇડલાઇન્સનો ભંગ કરવામાં આવ્યો હોવાથી કેસો મળ્યા એવી દલીલ કરવામાં આવી હતી.

બીજી તરફ મોટા ઉદ્યાગકારો એટલે કે મોટા કારખાનેદારો એકાદ સપ્તાહ માટે કારખાનાઓ બંધ કરવા માટેનો અભિગમ ધરાવતા હતા. પરંતુ, નાના અને મધ્યમ કારખાનેદારોના જૂથે કારખાના બંધ કરવાની બાબતનો વિરોધ કરીને એવી રજૂઆત કરી હતી કે મોટા યુનિટો પાસે કામ નથી પણ નાના યુનિટોમાં હાલ કામકાજ શરૂ થયું છે અને જો તેને બંધ કરાશે તો મોટી નુકસાની વેઠવી પડે તેમ છે. જે કેસો મળ્યા છે એ પણ મોટા યુનિટોમાંથી મળ્યા છે. નાના અને મધ્યમ યુનિટોમાં મળ્યા નથી.

June 18, 2020
CIA_Live_Logo_New2.jpg
1min11990

SMC હદ વિસ્તરણથી શોર્ટ ટર્મ કોઇ ફાયદો નથી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ વિભાગે રાજ્યની મહાનગરપાલિકાની હદનું વિસ્તરણ કરતું નોટિફિકેશન આજરોજ તા.18મી જુન 2020ના રોજ જાહેર કર્યું છે. જાણકારો કહે છે કે સુરત સમેત રાજ્યની મહાનગરપાલિકાઓની હદના વિસ્તરણથી શોર્ટ ટર્મ કોઇ ફાયદો નથી, લાંબા ગાળે ફાયદો મળશે પરંતુ, ટૂંકા ગાળામાં તો સિટી લિમિટનું વિસ્તરણ મોટા પ્રશ્નો સર્જશે.

  • સુરત મહાનગરપાલિકા પર માળખાગત સુવિધાઓ વિકસાવવાનું ભારણ વધી જશે
  • સુરત મહાનગરપાલિકા પર વધુ 4થી 5 લાખની વસતિને પાયાની સુવિધાઓ પહોંચાડવાનું ભારણ વધશે
  • શહેરના હદ વધારવા સાથે ચૂંટણી પંચે નવા વિસ્તારોને સુરત મહાનગરપાલિકામાં પ્રતિનિધિત્વ મળે એ માટે મ્યુનિસિપલ વોર્ડ સીમાંકન નવેસરથી હાથ ધરવું પડશે તેના વગર ચૂંટણી યોજી શકાય નહીં.
  • લાંબા ગાળાનો ફાયદો એ થશે કે ગ્રામ પંચાયતોમાં બિનઆયોજનબદ્ધ રીતે થતા બાંધકામો ખાસ કરીને પહોળા માર્ગોની જોગવાઇ લાભકર્તા બનશે

સિટી લિમીટ વિસ્તરણની સૌથી માઠી અસર આગામી વર્ષે રાજ્યની મહાનગરપાલિકાઓમાં યોજનારી સામાન્ય ચૂંટણી પર પડશે એમાં બે મત નથી. નિષ્ણાંતો કહે છે કે અર્બન ડેવલપમેન્ટ વિભાગની સત્તાવાર જાહેરાત બાદ હવે તંત્ર દ્વારા શહેર હદ વિસ્તરણની કામગીરી કાગળ પર હાથ ધરવામાં આવશે. એક વર્ષના સમયગાળામાં સુરત સમેત જે મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યાં ચૂંટણી યોજવી હોય તો એ પહેલા શહેરની હદમાં સામેલ કરવામાં આવેલા વિસ્તારને આવરી લેતું વોર્ડ સીમાંકન કરવું પડશે. ચૂંટણી પંચ માટે વોર્ડ સીમાંકન કરવું એટલે એક વર્ષ જેટલી લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ સુરત મ્યુનિસિપલ વોર્ડ સીમાંકન થઇ શકે.

નવા વિસ્તારોનું મ્યુનિસિપલ વોર્ડ સીમાંકન વગર ચૂંટણી યોજી શકાશે નહીં

જાણકારો કહે છે કે રાજ્ય સરકારે આધિકારીક રીતે મહાનગરપાલિકાઓની હદનું વિસ્તરણ કરી દીધું છે હવે શહેરમાં નવા સામેલ કરવામાં આવેલા ગામડાઓના વિસ્તારોના પ્રતિનિધિઓને પણ સુરત મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખમાં સ્થાન આપવું પડશે. આમ, હવે સુરત શહેરની હદ વિસ્તરણ બાદ જો ચૂંટણી પંચ નવા વિસ્તારોને આવરી લેતું વોર્ડ સીમાંકન યુદ્ધના ધોરણે હાથ નહીં ધરે તો આગામી વર્ષે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી યોજવી મુશ્કેલ થઇ પડશે.

Latest on this Web