Hats off to SMC કોરોના, ખાડીપૂર, ભારે વરસાદ વચ્ચે નિરંતર લોકોની સેવામાં
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ભૂતકાળમાં સુરત શહેર પર અનેક કુદરતી આપત્તીઓ આવી ચૂકી છે. એ સમયે સુરત મહાનગરપાલિકા તંત્ર આજે જે રીતે કામ કરી રહ્યું છે એ જ રીતે કરતું હતું પરંતુ, આ વખતની સ્થિતિ વધુ વિકટ એટલા માટે છે કે કોરોના રોગચાળો ઉપરાંત ખાડી પૂરનું સંકટ, ભારે વરસાદની સ્થિતિ આ બધાની સાથે સુરત શહેરની હદ પણ ભૂતકાળની હદ કરતા વધુ વિસ્તરી ચૂકી છે એટલે મ્યુનિસિપલ કમિશનર ખુદ કહી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા શહેરીજનોની સેવામાં સતત કાર્યરત છે અને ઓવરટાઇમ કરી રહી છે.
અમે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ પરિવાર સુરત મહાનગરપાલિકાની કામગીરીને બિરદાવીએ છીએ. અનેક સંકટો વચ્ચે સુરત શહેરને ભૂતકાળમાં પણ ઉગાર્યું છે અને હાલમાં પણ સુરતને ઉગારી રહી છે સુરત મહાનગરપાલિકા….
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજરોજ તા.24મી ઓગસ્ટ 2020ના રોજ સવારે 10.20 કલાકે એક ટ્વીટ કર્યું હતું. તેમના ટ્વીટનું ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છે.
2013 પછી સૌથી વધુ વરસાદ સુરતમાં પડ્યો છે. સુરતીઓ સુરત મહાનગરપાલિકા આપના માટે ઓવરટાઇમ કરી રહી છે.
Highest rainfall in Surat after 2013. SMC is working overtime for Surtis!!
કોરોના, ખાડીપૂર, ભારે વરસાદ બધા સંકટો સામે ઝઝૂમી રહી છે સુરત મહાનગરપાલિકા
સુરત શહેર પર ભૂતકાળમાં અનેક વિપત્તીઓ આવી ચૂકી છે. 2001નો ભૂકંપ હોય કે પછી 2006નું ફ્લડ હોય કે પછી 1994ની રેલ અને એ પછી રોગચાળાની સ્થિતિ, તમામ વખતોએ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હાલમાં જે રીતે કાર્ય કરી રહ્યું છે એ રીતે જ કરતું હતું. પરંતુ, આ વખતે પરિસ્થિતિ વધુ વિકટ છે. કોરોનાની સ્થિતિ ઉપરાંત ભારે વરસાદ અને ખાડી પૂર, આમ, વિકટ પરિસ્થિતિઓને પગલે સુરત મહાનગરપાલિકાના તંત્રવાહકો પર ભારે વર્કલોડ છવાયેલો છે.
સુરતની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં હવે ગ્લોબલ સ્ટાન્ડર્ડને સમકક્ષ
સુરત મ્યુનિસિપલ કમિશનર અને ભાજપ શાસકો ઇ-બસ ટ્રાયલથી સંતુષ્ઠ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરત જેવા દિન દુગની રાત ચૌગુની પ્રગતિ કરતા મહાનગરમાં સામૂહિક પરિવહનની સેવા જેટલી પણ નિરુપદ્રવી હોય તેટલો ફાયદો શહેર અને શહેરમાં વસતા લોકોને થતો હોય છે. આજે સુરત મહાનગરપાલિકાની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અને નેટવર્કમાં ઇ-બસ ઇલેક્ટ્રોનિક બસની ટ્રાયલ રન સફળ નિવડી છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ અનિલ ગોપલાણીએ જણાવ્યું કે આજે સુરતના માર્ગો પર ઇલેક્ટ્રોનિક બસની ટ્રાયલ રન હતી.
અનિલ ગોપલાણીએ કહ્યું કે ટ્રાયલ રનમાં અમે સૌ, મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન સહિત અધિકારીઓ જોડાયા હતા અને આ ટ્રાયલ રન જે પ્રકારનું પ્રોજેકશન હતું એ મુજબ નિરુપદ્રવી, અવાજ રહિત, પ્રદુષણ મુક્ત વગેરેના ટેસ્ટીંગ પર ખરી ઉતરી છે.
મ્યુનિસિપલ કમિશનરે ટ્વીટ કરી
A new chapter of sustainable development in Surat City. Today we have started the prototype of E Bus for Surat City. pic.twitter.com/GotdeEBJsr
સુરત માટે 150 ઇ-બસ માટે ટેન્ડરિંગ પ્રોસેસ થઇ ચૂકી છે
સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણીએ જણાવ્યું હતું કે સુરતમાં સામૂહિક પરિવહનની સેવાને વધુ અસરકારક તેમજ નિરુપદ્રવી બનાવવા માટે ઇલેક્ટ્રોનિક બસને સુરતના લોકોની સેવામાં મૂકવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે અને 150 બસ પ્રથમ ફેઝમાં ખરીદી કરવા અંગેની ટેન્ડરિંગ પ્રોસેસ કરી દેવામાં આવી ચૂકી છે.
ધો.12 સાયન્સ, કોમર્સના પરીણામો જાહેર થયાના દોઢથી ત્રણ મહિના જેટલો સમય વિતી ગયો છે, ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં તો ધો.12 પછી કોલેજોમાં પહેલા વર્ષના ઓનલાઇન ક્લાસીસ શરૂ થઇ ચૂક્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા વચ્ચેની એકમાત્ર સ્ટેટ સરકારી યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પહેલા વર્ષના પ્રવેશના ઠેકાણા નથી. વીર નર્મદ યુનિવર્સિટીમાં હજુ તો તા.17મી ઓગસ્ટ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ છે.
ભણવાનું શરૂ કરવાની વાત તો દૂર રહી પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ સુદ્ધાં જાહેર નથી
પ્રવેશાર્થીઓના પ્રશ્નો અનુત્તર
ક્યાં સુધી ચાલશે ઓનલાઇન એપ્લિકેશન
કયારે જાહેર કરાશે મેરીટ યાદી
ક્યારે પ્રવેશ કન્ફર્મેશન
કેવી રીતે પ્રવેશ લેવાનો રહેશે
કયા ડોક્યુમેન્ટસ આપવાના રહેશે
કોલેજો ઓરિજિનલ ડોક્યુમેન્ટસ માંગશે તો શું કરવું
પહેલો રાઉન્ડ ક્યારે, રાઉન્ડવાઇઝ સમયપત્રકનું શું
પ્રવેશ કન્ફર્મ કરાવવા પહેલી ફી ક્યાં જમા કરાવવાની
પ્રવેશ એપ્લિકેશનમાં એડિટનો ઓપ્શન વિકલ્પ જ નથી અપાયો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડો.શિવેન્દ્ર ગુપ્તાનો કાર્યકાળ વિદ્યાર્થીઓ માટે એટલો હાનિકર્તા નિવડ્યો છે કે તેમની કારકિર્દીના પારાવાર નુકસાન થઇ રહ્યું છે અને સિન્ડીકેટ કે સેનેટ સભ્યો અસરકારક રીતે વિદ્યાર્થી હિતનું રક્ષણ કરવામાં વામણા પૂરવાર થયા છે. આ વર્ષે ધો.12 સાયન્સનું પરીણામ મે મહિનામાં જાહેર થઇ ચૂક્યું હતું, એ પછી જુનમાં ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર થયા એ પછી અત્યાર સુધી યુનિવર્સિટી પહેલા વર્ષમાં હજુ તો પ્રવેશ કાર્યવાહીના ફીફા ખાંડી રહી છે. ઓનલાઇન એપ્લિકેશન પછી ક્યારે શું પ્રોસેસ કરવાની એ અંગેની કોઇ જ જાણકારી યુનિવર્સિટીએ પ્રવેશાર્થીઓને આપી નથી. હજારો પ્રવેશાર્થીઓ રોજેરોજ યુનિ.ના પ્રવેશ અંગે નવી નવી મૂંઝવણોથી પીડાય રહ્યા છે પણ યુનિવર્સિટી તરફથી કોઇ જ સ્પષ્ટતા કરાતી નથી.
કેટલાય અભ્યાસક્રમોમાં તો હજુ એપ્લિકેશનની મુદતો વધારાય રહી છે
ધો.12ના પરીણામો જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓએ વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જ અભ્યાસ કરવો છે એવા વિદ્યાર્થીઓની કારકિર્દીને ભારે નુકસાન થઇ રહ્યું છે કેમકે યુનિવર્સિટી હજુ સુધી તો ઓનલાઇન એપ્લિકેશનનો સમય વધાર્યે જ જાય છે. પ્રવેશ કાર્યવાહી ક્યારે પૂર્ણ થશે એ તો રામ જાણે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની ધીરજ ખૂટી રહી હોય તેઓ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવીને અભ્યાસ શરૂ કરી રહ્યા છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશમાં થઇ રહેલા અસહ્ય વિલંબનો સીધો ફાયદો ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મળી રહ્યો છે. કેમકે ધો.12 સાયન્સ કોમર્સના પરીણામોને બેથી ત્રણ મહિના પછી પણ જો વીર નર્મદ યુનિવર્સિટી પ્રવેશ નિશ્ચિત કરી શકતી ન હોય તો વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્યારે શરૂ થશે. બીજી તરફ પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ દક્ષિણ ગુજરાતના ધો.12 પાસ વિદ્યાર્થીઓને અભ્યાસની તકો, એક્સપોઝર, સ્કોલરશીપ વગેરેની ઓફર કરીને વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માંડ્યા છે.
દાનવીર સુરતીઓએ વધુ એક વખત એ વાતની પ્રતીતી કરાવી છે કે આપવામાં તેમનો કોઇ જોટો જડે તેમ નથી. જોય ઓફ ગીવીંગ સુરતીઓને પામવો છે અને એટલે જ લોક સેવામાં રૂપિયા, સંપતિ, માનવ અંગો (ઓર્ગન ડોનેશન) અને હવે કોવીડ-19ના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝમા આપવામાં સુરતીઓ થોડા દિવસમાં જ ગુજરાતમાં અવ્વલ સ્થાને પહોંચ્યા છે એટલું જ નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
કોરોનાના ક્રિટીકલ દર્દીઓની સારવાર માટે પ્લાઝમા થેરાપીનો વિકલ્પ
કોવીડ-19 માટે હજુ અસરકારક દવા કે વેક્સિન બની નથી. અનેક પદ્ધતિઓથી દુનિયાભરમાં, દેશમાં, રાજ્યમાં, સુરતમાં કોરોનાના દર્દીઓની સારવાર થઇ રહી છે. આ સારવાર પદ્ધતિમાં એક સારવાર પદ્ધતિ છે તેનું નામ પ્લાઝમા થેરાપી. પ્લાઝમા થેરાપીની સામાન્ય સમજ એ છે કે જે દર્દીઓ કોરોનામાંથી રિકવર થઇ ચૂક્યા છે, તેમના લોહીમાં કોરોના સામે લડવા માટેના એન્ટીબોડીઝ ડેવલપ થઇ ચૂક્યા હોય છે. આથી કોરોનાથી સાજા થયેલા દર્દીઓના લોહીમાં ખાસ તત્વ હોય છે જે કોરોનાને ફાઇટ આપી શકે છે. આ તત્વને પ્લાઝમા કહેવાય છે અને સાજા થયેલા દર્દીઓના પ્લાઝમા સાથે મેચ થતા કોરોનાના એક્ટીવ ક્રિટીકલ દર્દીઓને એ પ્લાઝમા આપીને તેમને નવજીવન આપી શકાય તેમ છે.
પ્લાઝમા ડોનેશનની હાકલ પડી ને દોડી ગયા સુરતીઓ
નિમ્નદર્શિત ચાર્ટમાં જોઇ શકાશે કે રાજ્યમાં સૌથી વધુ કેસો ધરાવતા બે મોટા શહેરોમાં કોવીડ-19ના કેસો વધુ હતા અને ત્યાં રિકવર દર્દીઓની સંખ્યા પણ વધુ હતી. અમદાવાદ અને સુરતમાં પ્લાઝમા ડોનેશનની તા.10મી ઓગસ્ટની સ્થિતિ એ બાબતને સ્વયંસ્પષ્ટ કરે છે કે પ્લાઝમા ડોનેશનમાં પણ સુરતીઓનો જોટો જડે તેમ નથી.
સુરતને જુલાઇ 2020ના પહેલા સપ્તાહમાં પ્લાઝમા ડોનેશન એકત્રીતક કરવાની મંજૂરી મળી અને બહુ ઓછા સમયમાં 35 દિવસના સમયગાળામાં 455 જેટલા સુરતીઓ કે જેઓ પોતે કોરોનામાંથી સાજા થયા હતા અને તેઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે સ્વયંભુ ઉમટી પડ્યા. ફક્ત તેમને માહિતી આપવાની જરૂર હતી કે તમે પ્લાઝમા ડોનેટ કરીને કોઇકને નવજીવન આપી શકો. અમદાવાદમાં રાજ્યમાં સૌથી પહેલા પ્લાઝમા ડોનેશનની મંજૂરી મળી હતી. એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં અમદાવાદને પ્લાઝમા ડોનેશનની મંજૂરી મળી હતી. ત્યાં ગઇ તા.10મી સુધીમાં ફક્ત 232 કોરોના રિકવર્ડ પેશન્ટોએ તેમનું પ્લાઝમા દાન કર્યું. અમદાવાદમાં કોરોના રિકવર્ડ દર્દીઓની સંખ્યા પણ 21 હજાર ઉપરાંત છે. તેની સામે સુરતની સરખામણી કરીએ તો સુરતીઓએ પ્લાઝમા ડોનેશનમાં ફક્ત ગુજરાતમાં જ નહીં બલ્કે સમગ્ર દેશમાં ટકાવારીની દ્રષ્ટીએ સારામાં સારું ઉમદા કાર્ય કર્યું છે.
ભારતીય હવાઇ દળ (આઇએએફ) માટે ૨૦૦૯માં ૭૫ પિલાટસ બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ ખરીદવાના સોદામાં આચરવામાં આવેલા કથિત કૌભાંની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ગતરોજ તા.7 ઓગસ્ટને શુક્રવારે સુરત, દિલ્હી, ગુડગાંવ સમેત દેશના ૧૪ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
આ કૌભાંડમાં સીબીઆઇ દ્વારા સંજય ભંડારી, ભારતીય હવાઇ દળ, સંરક્ષણ દળ અને સ્વિત્ઝરલેન્ડસ્થિત પિલાટસ એરક્રાફ્ટ લિ. કંપનીના અજ્ઞાત અધિકારીઓ સામે ગુનો નોંધ્યો છે.
ઇડી દ્વારા દિલ્હીના ૧૨ જેટલા અને ગુડગાંવ તથા સુરતના એક-એક વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડી દ્વારા સોદાની તપાસ માટે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો તથા પુરાવા ભેગા કરવા માટે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિદેશ તથા ભારતમાં કથિત બિનહિસાબી સંપત્તિ ધરાવવી અને ભ્રષ્ટાચાર માટે ઇડી અને સીબીઆઇની અલગ અલગ તપાસનો સામનો કરી રહેલા કથિત વચેટિયા અને શસ્ત્ર સલાહકાર સંજય ભંડારીનો સમાવેશ થાય છે.
સંજય ભંડારી હાલમાં બ્રિટનમાં હોવાનું કહેવાઇ રહ્યું છે અને ઇડીએ તેને ભારતમાં લાવવાની કાર્યવાહી શરૂ કરી છે. ગયા વર્ષે જૂનમાં રૂ. ૨,૮૯૫ કરોડના પિલાટસ Training Aircraft સોદા પ્રકરણે સીબીઆઇએ કેસ નોંધ્યો હતો. આ કેસની આપમેળે નોંધ લેતા ઇડીએ મની લોન્ડરિંગ અંગે અને આરોપીની બિનહિસાબી સંપત્તિના સ્રોત અંગે તપાસ કરી રહી છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યવાહક પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડીયાએ આજરોજ તા.6 ઓગસ્ટ 2020ના રોજ સુરત શહેરના નવા પોલીસ કમિશ્નર શ્રી અજય તોમરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન ચેમ્બરના કાર્યવાહક પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડીયાએ ઔદ્યોગિક વિસ્તારોમાં દિવસ અને રાત્રિના સમયે પેટ્રોલીંગ સખત કરવાની ભારપૂર્વક રજૂઆત કરી હતી.
હાલમાં માર્ચ મહિના પછી ઉદ્દભવેલ કોવીડ-૧૯ની પરિસ્થિતિના કારણે ભારત સરકારે જે તે સમયે દેશમાં લોકડાઉન કરેલ પરંતુ વેપાર ઉદ્યોગ ધમધમતો રહે તે માટે જરૂરી નિયમોના આધિન વેપાર ઉદ્યોગને શરૂ રાખવા માટે છૂટછાટ આપવામાં આવેલ છે. આ છૂટછાટ પછી કોવીડ-૧૯ની પરિસ્થિતિના કારણે ૩૦% ઇન્ડસ્ટ્રી શરૂ થઇ શકેલ છે.
ઇન્ડસ્ટ્રીયલ વસાહતોમાં લૂંટના બનાવો વધી ગયેલ છે અને વધવાની શક્યતા પણ વધી છે. શહેરનું વાતાવરણ ન ડહોળાય અને વેપાર ઉદ્યોગને વધુ પડતું નુકસાન ન થાય તે માટે સુરતમાં આવેલ તમામ ઇન્ડસ્ટ્રીયલ વસાહતોમાં દિવસ અને રાતનું પેટ્રોલીંગ વધુ સખત બનાવવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત તેમણે કરી હતી.
સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં કાર્યરત ઓર્ગેનાઈઝ ગેંગ કે જેઓ દલાલોને સાથે રાખીને મોટે પાયે ફેબ્રિક ટ્રેડર્સ અને વિવર્સ સાથે ચીટીંગ કરે છે એ ગેંગનું નેક્સસ (Nexus) તોડવા માટેની તાત્કાલિક જરૂરિયાત ઉપર તેમણે ભાર મૂક્યો હતો. તે ઉપરાંત મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે જ્યાં હીરા ઉદ્યોગ ધમધમતો છે ત્યાં પણ ઓર્ગેનાઈઝ ગેંગ દલાલોના મેળાપીપણામાં સાથે મળીને પાર્ટીઓના વ્યવસ્થિત ઉઠમણાં કરાવે છે અને ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જાય ત્યારે ચીટર ગેંગ તરફથી તેમના કુટુંબના મહિલા સભ્યો તરફથી ખોટી ફરિયાદ જેની સાથે ચીટીંગ થયું છે તેના વિરુદ્ધ કરવામાં આવીને ફરિયાદીને આરોપી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
આવા હીરા ઉદ્યોગના કેસોમાં સુરત ડાયમંડ એસોસીએશન અને ટેકસટાઇલ ઉદ્યોગના કેસોમાં ફોગવા – ફોસ્ટા જેવી સંસ્થાઓને સાથે રાખીને ફરિયાદી કેસની મેરીટ ચકાસીને પોલીસ તપાસ આગળ વધારવી જોઈએ તેવી માંગણી કરી હતી.
SGCCI પ્રતિનિધિ મંડળમાં ચેમ્બરની મેનેજીંગ કમિટીના સભ્યો શ્રી નિખિલ મદ્રાસી, શ્રી મનિષ કાપડિયા અને નિવૃત્ત ડી.વાય.એસ.પી. શ્રી એમ. જી. કનેરીયા સામેલ થયા હતા. આ પ્રતિનિધિ મંડળે સુરત જિલ્લાના નવા પોલીસ વડા શ્રીમતી ઉષા રાડા, ડે. કમિશ્નર ઓફ પોલીસ સરોજકુમારી તેમજ ડે. કમિશ્નર ઓફ પોલીસ બી. આર. પટેલની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી.
સુરતના સરકારી તંત્રો ખાસ કરીને પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા તંત્ર મોટા ધરમસંકટમાં મૂકાયા છે. આજરોજ તા.24મી જુલાઇએ ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા પછી પહેલી વખત સુરત આવી રહેલા સી.આર. પાટીલને સત્કારવા માટે જે પ્રકારે વાલકથી ઉધના મગદલ્લા રોડ સુધીની કાર રેલી કાઢવામાં આવી છે. એ જ પ્રકારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પહેલી વખત સુરત આવી રહ્યા હોઇ તેમના સ્વાગત માટેની રેલી કાઢવાની પરવાનગી માગતી અરજી સ્થાનિક કોંગ્રેસી કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કરી છે.
કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ તા.23મી જુલાઇએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને સત્કારવા માટેની રેલીને મંજૂરી આપવા અંગેનો પત્ર સરથાણી પી.આઇ.ને લખ્યો છે. હવે પોલીસ તંત્ર શું કરશે એના પર તમામની નજર ઠરી છે.
કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ તા.23મી જુલાઇએ હાર્દિક પટેલની રેલીને પરવાનગી માટે અરજી કરી
નિલેશ કુંભાણીની ફેસબુક વોલ પરથી લેવાયેલા ચિત્રમાં 2જી ઓગસ્ટે હાર્દિક પટેલની રેલીનું આયોજન થયાની માહિતી મળી
સુરતમાં ખાસ કોવીડ-19ની ડ્યુટી માટે તૈનાત કરવામાં આવેલા આઇ.પી.એસ. અધિકારી હરેકૃષ્ણ પટેલ આજરોજ તા.23મી જુલાઇએ કોરોના સંક્રમિત હોવાના ઇલેક્ટ્રોનિક મિડીયામાં ફેલાયેલા સમાચારે સમગ્ર ગુજરાતના પોલીસ બેડા સમેત સમગ્ર સૌરાષ્ટ્રવાસી બહુલ વસતિ ધરાવતા વિસ્તારોમાં ખાસ્સી ચર્ચા જગાડી છે.
વરાછામાં કોરોના સંક્રમણ સામે જાગૃતિ લાવવા પાયાનું કામ કર્યું હરેકૃષ્ણ પટેલે
લોકોના સંક્રમણથી બચાવવા આ રીતે પોતાના સ્ટાફ સાથે પોલીસ અધિકારી હરેકૃષ્ણ પટેલ વરાછા, કતારગામ ખૂંદી વળ્યા
સુરતમાં વય મર્યાદાને કારણે નિવૃત થયેલા પોલીસ કમિશનર સતીશ શર્માની જગ્યાએ ઇન્ચાર્જ પૂર્વ પોલીસ કમિશનર તરીકે કામગીરી બજાવી ચૂકેલા અને હાલમાં ખાસ કોવીડ-19ની ડ્યુટી માટે સુરતમાં તૈનાત કરવામાં આવેલા હરેકૃષ્ણ પટેલ એક એવા આઇ.પી.એસ. અધિકારી કે જેમણે વરાછા, કતારગામ વિસ્તારોમાં સોસાયટીએ, સોસાયટીએ, ગલીઓ, મહોલ્લાઓમાં ફરી ફરીને કોરોના સંક્રમણથી મુક્ત કેવી રીતે રહી શકાય એ અંગેની સમજ આપી હતી. વરાછા કતારગામમાં હજારો લોકોને તેઓ રૂબરૂ મળ્યા અને તેમને સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા, સાફસફાઇ રાખવા જેવી બાબતોથી વાકેફ કર્યા અને તેમને કોરોના સંક્રમિત થતા બચાવ્યા છે.
સરથાણા વિસ્તારમાં આવેલી સોસાયટીઓના પ્રમુખોને કોરોના સંક્રમણ અટકાવવા માટેનું માર્ગદર્શન આપવા માટે હજુ ગઇ તા.19મી જુલાઇએ જ મિટીંગ યોજાઇ હતી. જેમાં હરિકૃષ્ણ પટેલ અને સરથાણા પી. આઈ. સોલંકી અન્ય ઉચ્ચ અધિકારીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
કોવીડ-19ની ડ્યુટીમાં આવ્યા પછી વરાછા કતારગામમાં દિવસ રાત સેંકડો મિટીંગો કરી
કોવીડ-19ની ખાસ ડ્યુટી માટે સુરત મૂકાયેલા આઇ.પી.એસ. હરેકૃષ્ણ પટેલે ડ્યુટી જોઇન કર્યા પછી સુરતના વરાછા, કતારગામ, કાપોદ્રા, સરથાણા, પૂણા વગેરે વિસ્તારોમાં દિવસ રાત એક કરીને અનેક મિટીંગો કરી. પગપાળા સોસાયટીઓની ગલીઓમાં, ખૂણે ખૂણે ગીચ બાંધકામો વચ્ચે જઇને લોકોને કોરોના સંક્રમણ કેવી રીતે થાય એનાથી વાકેફ કર્યા. લોકોની આદતો સુધારવાનું માર્ગદર્શન આપ્યું.
સ્નેહીઓ, મિત્રોને મળવા આવવા પણ સાફ ના પાડતા
ખુદ પોલીસ અધિકારી શ્રી હરેકૃષ્ણ પટેલ પોતે એ વાતથી વાકેફ હતા કે તેઓ જે રીતે લોકોની વચ્ચે જઇ રહ્યા છે, તેઓ સંક્રમિત થઇ શકે. સોસાયટીઓ, એપાર્ટમેન્ટોમાં, ગલીએ, મહોલ્લાઓમાં જઇને લોકોને માર્ગદર્શિત કરી રહ્યા હતા એ જોતા તેમને પણ એવો મનમાં ડાઉટ રહેતો કે તેમને પણ કદાચ સંક્રમણ થઇ શકે અને એટલે જ સુરતમાં તેમના એટલા બધા મિત્રો, સ્નેહીઓ, સગા સબંધીઓ વગેરે તેમને મળવા માટે કોલ કરતા ત્યારે તેઓ સામેથી કહેતા કે મને મળવા આવવું નહીં.
નેતાઓ જેની ‘ગાડી’માં બેસવાથી કતરાતા, એ CR પાટીલ હવે BJPની ડ્રાઇવિંગ સીટ પર !!
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
1995માં સુરતના સાંસદ અને ભાજપના કદાવર નેતા કાશીરામ રાણાનો દબદબો હતો. સાંસદ પણ હતા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ. કાશીરામ રાણા એ પછી વાજપેયીજીની આગેવાની હેઠળની એન.ડી.એ. સરકારમાં કેબિનેટ મિનિસ્ટર બન્યા. કાશીરામ રાણા જ્યાં સુધી સાંસદ રહ્યા ત્યાં સુધી તેમને ફાળવવામાં આવેલી નવી દિલ્હીના નોર્થ એવેન્યુ બંગલા નં.213માં રહેતા હતા. આ બંગલો ગુજરાતના નેતા માટે કહેવાય છે કે ખુબ શુકનિયાળ છે.
લોકો જેમની ગાડીમાં બેસવાનું પસંદ કરતા ન હતા એ સી.આર. પાટીલ હવે ગુજરાત બીજેપીની ડ્રાઇવિંગ સીટ પર પહોંચી ગયા છે
આ તસ્વીર ઘણી સૂચક છે. 19 જુલાઇ પહેલાનો સમય એવો હતો કે સ્થાનિક ભાજપી નેતાઓ સી.આર. પાટીલની ગાડીમાં (અહીં ગાડીનો અર્થ સાથે રહેવું સમજવો) બેસવા રાજી ન હતા, એ લોકોએ હવે સી.આર. પાટીલની ડ્રાઇવિંગ સીટ સાથે ભાજપની ગાડીમાં બેસવું પડશે. (CiA Live)
કાશીરામ રાણાની સાંસદ પદેથી એક્ઝિટ થઇ અને 2009માં એક સમયના તેમના ખાસ સી.આર. પાટીલની નવસારીના સાંસદ તરીકે લોકસભામાં એન્ટ્રી થઇ. સી.આર. પાટીલે ખુદ જણાવેલી વાત અનુસાર સાંસદ તરીકે તેમને દિલ્હી ખાતે એલોટ કરવામાં આવતા નિવાસ સ્થાન માટે સી.આર. પાટીલે આગ્રહ કરીને નોર્થ એવન્યુ બંગલા નં.213 જ પોતાના નામે એલોટ કરાવ્યો હતો.
આજે પણ નવસારી સાંસદ તરીકે સી.આર. પાટીલ ભલે નર્મદા ભવન ખાતે રહેતા હોય પરંતુ, તેમણે નોર્થ એવન્યુ 213 નંબરનો બંગલો પોતાના નામે જ એલોટ રખાવ્યો છે.
હિસ્ટ્રી રિપીટ થાય એમ સી.આર. પાટીલની તા.20મી જુલાઇ 2020 ને સોમવતી અમાસના દિવસે ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ પદે નિમણૂંક પામ્યા અને આજરોજ તા.21મી જુલાઇને મંગળવારે શ્રાવણ માસના પહેલા દિવસે તેઓ ગુજરાત બીજેપી ચીફ તરીકે ચાર્જ અખત્યાર કરી રહ્યા છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે કાશીરામ રાણા હોય કે સી.આર. પાટીલ દિલ્હીના નોર્થ એવન્યુ બંગલા નં.213માં જે રહ્યા છે એ ગુજરાતના રાજકારણમાં ટોચે પહોંચ્યા છે એ બાબત હકીકત સ્વરુપે દોહરાઇ ચૂકી છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માજી પ્રમુખ અને સુરતના જાણિતા ઉદ્યોગપતિ પરેશ પટેલ સતત સી.આર. પાટીલની પડખે રહ્યા. (CiA Live)
સી.આર. પાટીલને જ્યારે જ્યારે કોર્નર કરીને એકલા અટૂલા પાડવાનો પ્રયાસ થયો ત્યારે તેઓ અકલ્પ્ય પોઝીશન સાથે બહાર આવ્યા
સી.આર. પાટીલને સમજવામાં તેમના રાજકીય હરીફોએ ભારે થાપ ખાધી છે. ગુજરાત ભાજપના કેટલાક સંગઠનના નેતાઓએ કદાચ સી.આર. પાટીલનો રાજકીય ઇતિહાસ તપાસી જોયો હોત તો એક હિંટ જરૂર મળી હોત કે જ્યારે જ્યારે સી.આર. પાટીલને ઇગ્નોર કરવામાં આવ્યા ત્યારે ત્યારે તેઓ પાવરફુલ થઇને બહાર આવ્યા છે.
રાજનીતિમાં દુશ્મનાવટ એવી થતી હોય છે કે એ બીજાનું વજુદ ખતમ કરી દેવા સુધીની પેંતરાબાજી રોજેરોજ જોવા મળે. સી.આર. પાટીલને સ્પર્શે છે ત્યાં સુધી એક સમયમાં ગુજરાતના કદાવર નેતા તરીકે જેમનું નામ બોલાતું એ સુરતના કાશીરામ રાણા સાથે તેમને અબોલા થયા, દુશ્મનાવટ થઇ એક સમયના પાક્કા વિશ્વાસુ રાજકીય દુશ્મન બન્યા એ સમયે સી.આર. પાટીલના કપરા દિવસો હતા. ડાયમંડ જ્યુબિલી બેંક ડિફોલ્ટ થઇ અને એના અનુસંધાનમાં સી.આર. પાટીલ જેલમાં ગયા. એ સમય હતો કે જ્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં સી.આર. પાટીલ સાફ થઇ ગયાની વાતો ચાલી હતી. પણ સૌના આશ્ચર્ય વચ્ચે સી.આર. પાટીલે 2009માં નવસારી બેઠકના ભાજપાના ઉમેદવાર તરીકે રીએન્ટ્રી કરી.
હાલમાં પણ સુરત ભાજપામાં સી.આર. પાટીલને સાંસદ અને દિગ્ગજ નેતા હોવા છતાં કોર્નર કરવાના અનેક પ્રયાસો થયા. ભાજપના સંગઠનના નેતાઓ સી.આર. પાટીલને ઇગ્નોર કરવાની એકેય તક જતી કરતા ન હતા. આખા બોલા સી.આર. પાટીલે અનેક પ્રસંગોએ પોતાના દુશ્મનોને જાહેરમાં સંભળાવી પણ દીધું હતું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સી.આર. પાટીલની હવે આ છેલ્લી ટર્મ છે અને હવે તેમનો હાથ કોઇ પકડશે નહીં. આવી વાતો વચ્ચે ગુસ્તાખ ભાજપના કેટલાક નેતાઓને તા.20મી જુલાઇને સોમવતી અમાસે એવો ઝાટકો લાગ્યો કે હવે તેમને પોતાનું ભવિષ્ય જ અંધકાર મય લાગી રહ્યું છે.
સી.આર. પાટીલને એટલા અટૂલા કરી દેવાયા કે કોઇ પદ પર લોબિંગ કરવા માટે સી.આર. પાટીલ પાસે મજબૂત દાવેદારનું નામ ન હતું
સી.આર. પાટીલ માટે છેલ્લા બે વર્ષ સુરત, દક્ષિણ ગુજરાતમાં એટલા કપરાં ચઢાણ જેવા રહ્યા કે તેમને તેમના રાજકીય વિરોધીઓએ ભાજપામાં જ એટલા અટૂલા પાડી દીધા હતા કે તેઓ કોઇ પદ પર પોતાની વ્યક્તિનું નામ રજૂ કરે તેવો સમખાવા પૂરતો એકેય નેતા તેમની સાથે ન હતો. તેમની નજીકના સેકન્ડ કેડરના નેતાઓ સી.આર. પાટીલને જ પોતાના હરીફ ગણવા માંડ્યા હતા. સુરત ભાજપ સંગઠનમાં કે સરકારમાં કોઇ પદ આપવા માટે સી.આર. પાટીલ પાસે દાવો કરવા માટે માથા બાકી બચ્યા ન હતા એવી સ્થિતિ સુધી તેમની અવગણના કરવામાં આવી હતી.
છેલ્લે છેલ્લે તો હર્ષ સંઘવી સિવાય મોટા ભાગના નેતાઓએ સી.આર. પાટીલથી ડિસ્ટન્સ બનાવી લીધું હતું
કોરોના કાળ હોય કે એ પહેલેથી સુરતમાં સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીની જોડીએ ભાજપ સંગઠન અને સરકાર બન્ને માટે લોકલ (સુરત, અમદાવાદ)થી લઇને અમેરીકા સુધીના કાર્યક્રમોમાં ખભેખભા મિલાવીને કામ કર્યા. (CiA Live)
વર્તમાન સમયમાં નવસારીના સાંસદ અને સુરતના નેતા સી.આર. પાટીલ માટે કહેવાય છે કે પોતાના ઘર (ભાજપ)માં જ ચોમેર વિરોધીઓનો સામનો કરવાનો સમય આવ્યો હતો. સુરતમાં એક માત્ર હર્ષ સંઘવી સિવાય મોટા ભાગના નેતાઓએ સી.આર. પાટીલ સાથે ડિસ્ટન્સ બનાવી લીધું હતું. સી.આર. પાટીલ માટે અણગમો કહો, સી.આર. પાટીલના એરોગન્સથી નારાજગી હોય, સી.આર. પાટીલની કામ કરવાની પદ્ધતિથી નારાજગી હોય ભગવાન જાણે પણ ભાજપાના નેતાઓ સી.આર. પાટીલથી દૂર રહેવાનું પસંદ કરતા હતા. પણ હવે જ્યારે પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા છે ત્યારે તેમણે મને કમને પણ તેમને અપનાવવા રહ્યા.
સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને નાથવા માટેના પ્રયાસોના ભાગરૂપે સુરતીઓએ અનેક સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ, ધંધાકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા કરવામાં આવેલી સ્વૈચ્છીક લૉકડાઉનની હાકલને અનુસરીને હવે સુરતીઓમાં સ્વયંભુ લૉકડાઉનની જાગૃતિ જોવા મળી રહી છે. આજે તા.14મી જુલાઇએ શહેરમાં અવરજવરમાં ખાસ્સી ઓટ જોવા મળી હતી. લોકો સ્વૈચ્છીક રીતે એક સપ્તાહનું લૉકડાઉન પાળવા માટે અગ્રેસર થયા હોવાનું સ્પષ્ટ જણાય આવે છે.
તા.13 જુલાઇથી 21 જુલાઈ સુધીના એક સપ્તાહ દરમિયાન સરકાર ભલે લૉકડાઉન કરે નહીં પરંતુ, સુરતીઓ સ્વયંભુ, સ્વૈચ્છીક લૉકડાઉન પાળે એવા શરૂ કરાયેલા ટ્રેન્ડને આજે તા.14મી જુલાઇએ પહેલા દિવસે જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. સ્વયંભુ લૉકડાઉનમાં લોકો જોડાઇ રહ્યા છે તેની અનુભૂતિ મુખ્ય માર્ગો પરના ટ્રાફિકની સ્થિતિ પરથી પ્રતીત થઇ રહી છે.
સુરતના મુખ્ય ઉદ્યોગો, ટેક્સટાઇલ, ડાયમંડ, રિયલ એસ્ટેટ સમેત અનેક નાના મોટા ધંધારોજગાર ધરાવતા લોકોએ સ્વયંભુ એક સપ્તાહ માટે લૉકડાઉનમાં જોડવાને સમર્થન આપ્યું છે. આમ છતા, કેટલાક વેપાર ધંધાઓ શરૂ જોવા મળ્યા હતા.
હોસ્પિટલોમાં જગ્યા નથી, જીવનરક્ષક ઇન્જેકશન મળતા નથી, સ્વયંભુ લૉકડાઉન જ સૌથી મોટો ઉપાય
સુરતમાં એક તરફ સિવિલ તેમજ સ્મીમેર જેવી સરકારી હોસ્પિટલોમાં જગ્યા નથી અને શહેરની ખાનગી હોસ્પિટલોમાં તો પહેલેથી જ તમામ બેડ ફુલ થઇ ચૂક્યા છે. કોવીડ-19ના ક્રિટીકલ પેશન્ટસ જીવન રક્ષક ઇન્જેક્શન ટોસીલીઝુમેબ અને રેમડેસીવીર ઇન્જેક્શન માટે રીતસર તરસી રહ્યા છે. આ સ્થિતિને પગલે સુરતવાસીઓ હવે સ્વૈચ્છીક લૉકડાઉન પાળી રહ્યા છે.
આ સ્થિતિમાં શહેરમાં હવે સ્વૈચ્છિક લોકડાઉન માટે લોકો આગળ આવી રહ્યાં છે. શહેરના વરાછા સ્થિત માનગઢ ચોકમાં અને ચોકસીબજારને તારીખ 19મી જુલાઈ સુધી સ્વંયભૂ રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો એ મુજબ આજે તા.14મી જુલાઇએ હીરા બજાર સ્વયંભુ બંધ જોવા મળ્યા હતા.
કોરોના વાયરસના આ વિસ્તારોમાં વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લઈને માનગઢ 1 અને 2 તેમજ ચોકસીબજારને 19મી જુલાઈ સુધી એટલે કે એક અઠવાડિયા માટે શટડાઉન કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંધ સ્વંયભૂ છે, વરાછામાં આવેલા સેફ ડિપોઝિટ વોલ્ટ પણ આ સમય દરમિયાન બંધ જોવા મળ્યા હતા.
કતારગામ, વરાછા સૌથી વધુ અસરગ્રસ્ત
સુરતમાં છેલ્લાં 10 દિવસમાં સૌથી વધુ કોરોના વાયરસનું સંક્રમણ વરાછા અને કતારગામમાં જોવા મળ્યું છે. સુરતના કુલ પોઝિટીવ કેસમાંથી 50 ટકા કેસ આ બે વિસ્તારમાંથી મળ્યાં છે. સુરત મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનર રોજે-રોજ સંક્રમિત વિસ્તારોની મુલાકાત લઈને લોકોને સચેત કરી રહ્યાં છે. કોરોનાથી બચવાના ઉપાયોનું પાલન કરવા અને પાલિકા દ્વારા ઊભી કરવામાં આવેલી આરોગ્ય સેવાઓનો લાભ લેવા જણાવવામાં આવી રહ્યું છે.
તા.13મી જુલાઇને સોમવારે પણ બંને મ્યુનિસિપલ કમિશનર અને શહેર પોલીસ કમિશનરે તેમની ટીમો સાથે શહેરના કોરોના સંક્રમિત વિસ્તારોની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી અને જે-તે વિસ્તારના લોકોને કોરોના સામે જાગૃત રહેવા સૂચનો કર્યા હતા.
કેમકે શહેરના કુલ 2028 પોઝિટીવ કેસોમાંથી 1043 કેસો વરાછા એ અને બી અને કતારગામ ઝોનમાંથી મળ્યાં છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.