સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગ્રેડ વિભાગે રાત્રે કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવી દીધો છે. ફાયર સેફ્ટી વિનાની કોમર્શિયીલ બિલ્ડીંગ્સ સામે પગલાં ભરતાં એક હજારથી વઘારે દુકાનોને સીલ કરીને દુકાનદારોને નોટીસ પાઠવવામાં આવી છે. ફાયર સેફ્ટીના પુરતા સાધનો અને સર્ટીફિકેટ લીધા બાદ જ દુકાનોના સીલ ખોલવા માટે આદેશ અપાયો છે.
જે દુકાનોને સીલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમાં અંબાજી માર્કેટમાં 650 દુકાનો, ન્યૂ અંબાજી માર્કેટમાં 80 દુકાનો, મધુસુદન હાઉસમાં 100 દુકાનો, શંકર માર્કટમમાં 110 દુકાનો, મનીષ માર્કેટમાં 200 દુકાનો, ભેસ્તાનમાં આવેલા પેરિસ પ્લાઝા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 54 દુકાનો અને ડ્રીમ હોન્ડાના શો રુમનો સમાવેશ થાય છે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના 2005 પછીના પ્રમુખોએ દાખવેલી ગંભીર બેદરકારી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની આંખે ચઢી છે. સરસાણા ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરનો પ્રોજેક્ટ હાથ ધરાય એ પહેલાની કાગજકીય કાર્યવાહીમાં રાજ્ય સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું કે સુરત કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના ઉદ્યોગ કમિશનરને હોદ્દાની રૂએ ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટ (સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર) માં સરકારી પ્રતિનિધિ તરીકે સમાવવામાં આવે.
પત્ર સ્વરુપે જુલાઇ 2004માં આ પ્રકારની સ્પષ્ટ અને લેખિતમાં સૂચના રાજ્ય સરકારે આપી હતી. આ અંગે ચેમ્બરના તત્કાલિન પ્રમુખ દિનેશ માંડલેવાલાએ 2 ફેબ્રુઆરી 2005ના રોજ ઠરાવ પણ કર્યો હતો. એ પછી જ સારને સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ બનાવીને સુરત ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરના નિર્માણની પ્રક્રિયા હાથ ધરાવી જોઇતી હતી. પરંતુ, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર કે રાજ્યના ઉધોગ કમિશનરને ચેમ્બરના ટ્રસ્ટ કે કમિટીમાં લીધા વગર કરોડોનો વહીવટ ચેમ્બરના કેટલાક કારભારીઓએ મનસ્વી રીતે કરી નાંખ્યો છે અને હજુ પણ તેના વહીવટ, મેઇન્ટેનન્સ વગેરેમાં સરકારી પ્રતિનિધિઓને સમાવવાની દરકાર લેવામાં નથી આવી રહી.
આ કોઇપણ પ્રકારના સિમેન્ટ સિલિંગ (સ્લેબ) વગર બનાવવામાં આવેલા સરસાણા કન્વેશન સેન્ટરના નિર્માણમાં કહેવાય છે કે રૂ.46 કરોડ જેવી માતબર રકમ ખર્ચી નાંખવામાં આવી છે. જેમાં 80 ટકા જેટલી રકમ સરકારે આપી છે. આમ છતા, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના ઉદ્યોગ કમિશનરને સમાવ્યા વગર ચેમ્બરના કેટલાક વ્હાઇટ કોલર કારભારીઓએ સમગ્ર વહીવટ મનસ્વી રીતે કર્યો છે. પરંતુ, હવે આ વાત સરકારના ધ્યાને આવી છે અને ટૂંક સમયમાં જ ચેમ્બર, સાર અને ટ્રસ્ટ તમામના વહીવટમાં એકસૂત્રતા જળવાય તે અંગે માર્ગદર્શક સૂચનાઓ ચેમ્બર ઓફ કોમર્સને આપવામાં આવે તેમ છે.
46 કરોડના ખર્ચે સરસાણા ડોમ બને એ પહેલા ચેમ્બરના ટ્રસ્ટમાં મ્યુનિ. કમિશનર, કલેક્ટર અને રાજ્યના ઉદ્યોગ કમિશનરને હોદ્દાની રૂએ સમાવવા રાજ્ય સરકારે સૂચના આપી હતી, તત્કાલિન ચેમ્બર પ્રમુખ દિનેશ માંડલેવાલાએ 5/2/2005ના રોજ ઠરાવ પણ કરાવ્યો હતો, જેનું પાલન આજદિન સુધી કરાયું નથી
CamScanner 06-21-2020 17.22.08
ચેમ્બરના માજી પ્રમુખો દૂધે ધોયેલા હોત તો કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરને કમિટીમાં સરકારી પ્રતિનિધિ તરીકે કેમ ન લીધા
સરસાણા ખાતે સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર sieccના નિર્માણ ખર્ચમાં 80 ટકા જેટલો હિસ્સો સરકાર આપવાની હતી, પરીણામે રાજ્ય સરકારે તા.3 જુલાઇ 2004ના પત્રથી ચેમ્બર ઓફ કોમર્સના ત્રણ સભ્યોની સરકારી પ્રતિનિધિ તરીકે ચેમ્બરના ટ્રસ્ટમાં નિમણૂંક કરવા લેખિત સૂચના આપી હતી. કરોડો રૂપિયાના સરકારી ખર્ચ થવાનો હોય તો સ્વાભાવિક છે કે સરકારી પ્રતિનિધિની દેખરેખમાં માલસામાનની ખરીદી, કોન્ટ્રાક્ટ, ટેન્ડરિંગ પ્રક્રિયા વગેરે થવી જોઇએ. પરંતુ, 2005થી લઇને siecc બનીને તૈયાર થઇ ગયું ત્યાં સુધી સુરત કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કમિશનર કે ઉદ્યોગ કમિશનરને ટ્રસ્ટમાં કે કન્સ્ટ્રક્શન કમિટીમાં પ્રતિનિધિત્વ કેમ ન આપ્યું એ બાબત શંકાપ્રેરક બની છે.
ચેમ્બરના ટ્રસ્ટને સરકારે સુપરસીડ કરવું પડે તેવી સ્થિતિ, નકરી લાલીયાવાડી ચાલી રહી હોઇ ચેરિટી કમિશનરે એકપણ ફેરફાર રિપોર્ટ મંજૂર કર્યા નથી
સરસાણા ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરના નિર્માણમાં સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે તે માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ કારભારીઓએ મનસ્વી રીતે નિર્ણયો કર્યે રાખ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સ હોવા છતાં તેને રેગ્યુલરાઇઝ કરવાની જગ્યાએ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું, ટ્રસ્ટની જો તપાસ કરાવવામાં આવે તો આજે પણ એના બંધારણમાં અનેક છીંડાઓ અને લાલીયાવાડીઓ મળી આવે તેમ છે. ચેરિટી કમિશનરે એક પણ ફેરફાર રિપોર્ટ મંજૂર કર્યા નથી તેના પરથી પ્રથમદર્શી નજરે ખ્યાલ આવી જાય કે બધો કારભાર મનસ્વી રીતે થઇ રહ્યો છે.
હવે સમગ્ર મામલો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અધિકારીઓના ધ્યાનમાં આવ્યો છે અને ટૂંક સમયમાં આ મુદ્દે સરકાર દરમિયાન થાય તેવું જણાય રહ્યું છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર (મેડીકલ કોલેજ)માં હાલ એમ.બી.બી.એસ.ની 200 બેઠકો છે, આગામી વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષથી એમબીબીએસની 50 વધુ સીટ મળે એ માટે સુરત મહાનગરપાલિકાએ તા.15મી ડિસેમ્બર 2020ના રોજ એમ.એન.સી.માં અરજી કરી દીધી છે. મેડીકલ કોલેજમાં નવી બેઠકોની મંજૂરી માટેની અરજી કરવાની અંતિમ તા.15મી ડિસેમ્બર હતી. હવે આગામી વર્ષથી સ્મીમેર (મેડીકલ કોલેજ)માં એમબીબીએસની કુલ 250 સીટોનો લાભ સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતના વિદ્યાર્થીઓને મળશે.
સી.આર. પાટીલે રસ દાખવીને સ્મીમેરમાં 50 સીટ વધે એ માટે નિર્ણય લેવડાવ્યો
સ્મીમેર (મેડીકલ કોલેજ)માં એમબીબીએસની 50 સીટ વધવાને કારણે તેના સ્ટેટસમાં બદલાવ તો આવશે જ પરંતુ, તેનાથી અનેક ફાયદાઓ મળે એમ હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ આ બાબતથી વાકેફ હતા. તેમણે અંગત રસ લઇને સ્મીમેર (મેડીકલ કોલેજ)માં એમબીબીએસની 50 સીટ વધારવા માટે સ્થાનિક સ્તરે મિટીંગ યોજીને નિર્ણય લેવડાવ્યો હતો.
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, સ્મીમેરના ડીન, સુરત મહાનગરપાલિકાના મેયર જગદીશભાઇ પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન અનિલભાઇ ગોપલાણી વગેરેએ દીર્ઘદ્રષ્ટીપૂર્ણ નિર્ણય પાલિકાની સામાન્ય સભાની ટર્મ પૂરી થાય એ પહેલા લઇ લીધો હતો.
સુરત સમેત ગુજરાતના વિદ્યાર્થીઓને આગામી વર્ષથી એમબીબીએસની 50 સીટો વધુ મળશે, સ્મીમર મોટી મેડિકલ કોલેજ કે જેની 250 સીટની સ્ટ્રેન્થ છે એ ક્લબમાં સામેલ થશે.
35 એસોસીએટ પ્રોફેસર્સને પ્રોફેસર તરીકેનું પ્રમોશન મળશે. વર્ષોથી સ્મીમેર કોલેજના અધ્યાપકોની ડિમાંડ હતી કે તેમને બઢતી આપવામાં આવે.
એવી જ રીતે કમસે કમ 30 જેટલા આસિસ્ટન્ટ પ્રોફેસરને એસોસીએટ પ્રોફેસર તરીકેની બઢતી મળશે.
CiA Live એ 18 જુને લખ્યું હતું કે ‘ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં વિલંબ નિશ્ચિત’
Jayesh Brahmbhatt 98253 44944
ભાજપાના 80 અને કોંગ્રેસના 36 મળીને કુલ 29 વોર્ડમાં 116 કોર્પોરેટરોનું સંખ્યાબળ ધરાવતી સુરત મહાનગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી પાંખના છેલ્લા દિવસનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. તા.14મી ડિસેમ્બર 2015ના રોજ વર્તમાન ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં આવી હતી જેની પાંચ વર્ષની અવધિ આગામી તા.13મી ડિસેમ્બર 2020ના રોજ પૂરી થઇ રહી છે. આ વખતે કોરોનાકાળના અસામાન્ય સંજોગોને કારણે હજુ સુધી ચૂંટણીઓ યોજી શકાઇ નથી. આ અંગે CiA Live એ ગઇ તા.18મી જુન 2020ના રોજ સ્પષ્ટ લખ્યું હતું કે ચૂંટણીઓમાં વિલંબ નિશ્ચિત છે.
સુરત મહાનગરપાલિકાની જેમ જ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ આ જ સ્થિતિ સર્જાયેલી છે. હવે પછીના 8 દિવસમાં રાજ્ય સરકાર બેમાંથી એક નિર્ણય જાહેર કરશે
તા.14મી ડિસેમ્બરથી સુરત મહાનગરપાલિકા સમેત તમામ મહાનગરપાલિકાઓમાં વહીવટદારનું નિમણૂંક કરીને જ્યાં સુધી ચૂંટણીઓ નહીં યોજાય ત્યાં સુધી વહીવટ વહીવટદારોને હવાલે કરશે અથવા
વર્તમાન ચૂંટાયેલી પાંખને બે મહિના જેટલું એક્ષટેન્શન આપી શકે
વર્તમાન ચૂંટાયેલી પાંખમાં ભાજપાના કુલ 80 કોર્પોરેટરો અને કોંગ્રેસના કુલ 36 કોર્પોરેટરોનો સમાવેશ થાય છે
નવા વોર્ડ સીમાંકન પ્રમાણે જો સુરત મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાશે તો 30 વોર્ડ અને 120 કોર્પોરેટરો પાંચ વર્ષ માટે પાલિકાના વહીવટ કરશે
મહાનગરપાલિકાની ચૂંટણીઓ સંદર્ભે બે મેટર સબજ્યુડીશ છે, જેનો અંતિમ નિર્ણય સામાન્ય ચૂટણીઓને અસરકર્તા બની રહેશે
એક વોર્ડ અને એક કોર્પોરેટર હોવા અંગે સુપ્રીમ કોર્ટમાં રીટ કરવામાં આવી છે
જો ધારાસભાની પેટા ચૂંટણીઓ યોજી શકાય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કેમ ન યોજી શકાય એ સંદર્ભે હાલમાં બે પીટીશન ચાલી રહી છે
નવી ટીમની રચનાઓ અને પેજ પ્રમુખ અભિયાનને કારણે ભાજપા એક્ટિવ મોડ પર છે
ગુજરાત બીજેપી ચીફ સી.આર. પાટીલે ગઇ તા.27મી નવેમ્બર 2020ના રોજ પોતે પ્રદેશ પ્રમુખ હોવા છતાં પોતાનું નામ મતદાર યાદીના જે પેજ પર છે તે પેજના પ્રમુખ બન્યા હતા અને તેમણે કાર્યકર્તાઓ જોગ જણાવ્યું હતું કે મારા બુથ નંબર 94નાં પેજ નંબર 36નાં પેજ પ્રમુખ તરીકે મેં પેજ પર આવતા પ્રત્યેક ઘરમાંથી એક સદસ્યને સમાવિષ્ટ કરી પેજ કમિટીની રચના સંપૂર્ણ કરી, સુરત મહાનગર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરાને સુપરત કરી છે. ભારતીય જનતા પાર્ટીનાં પ્રત્યેક કાર્યકર્તાશ્રીઓને મારી નમ્ર અપીલ છે કે આપ સૌ પણ આપની પેજ કમિટીની રચના શીઘ્ર પૂર્ણ કરશો.
હાલમાં ચાલી રહેલી બિનઆધારભૂત ચર્ચાઓ મુજબ આગામી ફેબ્રુઆરી 2020માં ગુજરાતમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓની ચૂંટણીઓની સામાન્યૂ ચંટણીઓ યોજાઇ શકે એમ છે. તૈયારીની વાત કરીએ તો સુરત ભાજપા નહીં બલ્કે સમગ્ર રાજ્યમાં ભાજપા એક્ટિવ મોડ પર છે. ભાજપામાં દિવાળી પૂર્વે જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂંકો કરીને ભાજપાને એક્ટિવ મોડમાં લાવી દીધી છે. હાલમાં મતદાર યાદી પેજ પ્રમુખ અભિયાનને કારણે ગમે ત્યારે ચૂંટણીઓ યોજાય ભાજપાના કાર્યકરો એક્ટીવ મોડમાં જણાય રહ્યા છે.
કોંગ્રેસમાં સંગઠનાત્મક પ્રવૃતિ નહીંવત્
કોંગ્રેસની પરિસ્થિતિ એ છે કે ભાજપા જે રીતે સંગઠનની નવરચના અને પેજ પ્રમુખ જેવા અભિયાનો કરીને કાર્યકરોને સતત પાર્ટી માટે એંગેજ રાખી શકે છે તેવી કોઇ જ સ્થિતિ કોંગ્રેસમાં જોવા મળતી નથી. કોંગ્રેસમાં કેટલાક પ્રાદેશિક નેતાઓ અને સ્થાનિક કોર્પોરેટરો સ્વયંના જોરે એક્ટીવ રહ્યા છે, એ સિવાય સંગઠનાત્મક સક્રિયતામાં ભાજપા સામે કોંગ્રેસનો કોઇ કાળે મેળ પડે તેમ જણાતો નથી.
120/120 થી ઓછું કંઇ નહીં ખપે ભાજપાને
ગમે ત્યારે ચૂંટણી લડી શકે એવા મોડ પર હાલ એક્ટીવ સુરત ભાજપના પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરાને નાનપુરા ટીમલિયાવાડના ભાજપાના આગેવાન શ્રી અશોકભાઇ રાંદેરીયાએ મતદાર યાદીના પેજ પ્રમુખ તરીકે પેજ કમિટીની રચનાનું પત્રક સુપરત કર્યું હતું. આ રીતે ભાજપા માઇક્રોલેવલ પર કાર્યકરોને મતદાન માટે તૈયારી કરાવી રહી છે.
સુરત શહેર ભાજપાના પ્રમુખ પદે નિયુક્તિ બાદ પહેલી પ્રતિક્રિયા નિરંજનભાઇ ઝાંઝમેરાએ આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે નવા વોર્ડ સીમાંકનના આધારે 20 વોર્ડમાં 120 કોર્પોરેટરો માટે ચૂંટણી યોજાશે તો ભાજપનો તમામ 120 બેઠકો પર વિજય થશે, આનાથી ઓછું કંઇ ખપે નહીંં. ભાજપાનું સંગઠન ચૂંટણીમાં ક્લીન સ્વીપ માટે તૈયાર છે.
CiA Live એ 18 જુન 2020ના રોજ લખ્યું હતું કે ચૂંટણીમાં વિલંબ નિશ્ચિત
આજરોજ તારીખ ૩ 11 2020 ને સવારે 11:00 જુનિયર ડૉકટર નેટવર્ક (જે ડી એન) ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ના ડોક્ટર સભ્યોએ Indian Medical Association સૂરતના પ્રેસિડેન્ટ ડોક્ટર હિરલ શાહ, Gujarat વાઈઝ પ્રેસિડન્ટ ડોક્ટર પારુલ વડગામા, મીડિયા કોઓર્ડીનેટર ડોક્ટર હેતલ કુમાર યાજ્ઞિક અને સેનેટ મેમ્બર ડોક્ટર વિપુલ ચૌધરી વગેરે પ્રતિનિધિમંડળે આયુર્વેદિક તબીબોને જનરલ સર્જરીની છૂટ આપવાના લીધેલા નિર્ણયનો પદ્ધતિસર વિરોધ થાય અને સરકાર આ નિર્ણય રૉલબેક કરે એ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
IMA સુરતે એક્શન કમિટી બનાવી, ટૂંક સમયમાં શ્રેણીબદ્ધ વિરોધ પ્રદર્શન કરશે
Indian Medical Association સૂરતના પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે mixopathy ના નિર્ણયનો વિરોધ કરવા એક એકશન કમિટી ની રચના કરવામાં આવી છે, આ કમિટીના ચેરમેન શ્રીડોક્ટર વિનોદ શાહ છે અને તેમના ગાઇડન્સ હેઠળ કમિટીના સભ્યો Indian Medical Association સૂરત તરફથી આગામી દિવસોમાં તબક્કાવાર વિરોધ પ્રદર્શનો કરશે.
મીડિયા કોર્ડીનેટર ડો. હેતલકુમાર યાજ્ઞિકે જણાવ્યું હતું કે તા.3 ડિસેમ્બરના રોજ સુરત ખાતે આયુર્વેદિક તબીબોને જનરલ સર્જરી કરવાના નિર્ણયનો વિરોધ કરવા માટે થયેલા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં તબીબો, મેમ્બર ડોક્ટર્સ, શુભેચ્છકો વગેરે જોડાયા હતા. વધુ એક્શન પ્લાન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ભાજપ, સુરત મહાનગરના પ્રમુખ પદે બિરાજ્યા બાદ નિરંજનભાઇ ઝાંઝમેરાએ આજરોજ તા.26મી નવેમ્બર 2020ના રોજ તેમની ટીમ જાહેર કરી હતી. નિરંજનભાઇએ સુરત શહેર ભાજપનું સંચાલન કરવા માટે જાહેર કરેલી પોતાની 19 સભ્યોની ટીમમાં 3 મહામંત્રીઓ, 7 ઉપપ્રમુખો, 8 મંત્રીઓ અને 1 કોષાધ્યક્ષના નામો જાહેર કર્યા છે.
સુરત ભાજપાના 19 હોદ્દેદારોમાં 6 મહિલાઓને સ્થાન
સુરત શહેર ભાજપાની કુલ 19 હોદ્દેદારોની બનાવવામાં આવેલી ટીમમાં કુલ 6 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં (1) તેજલબેન વિક્રાંતભાઇ કાપડીયાની ઉપપ્રમુખ તરીકે (2) ભાવનાબેન વસંતભાઇ પટેલની ઉપપ્રમુખ તરીકે (3) દેવિકાબેન મુકુંદભાઇ જાદવાણી (4) સુમિત્રાબેન નટવરભાઇ પટેલ (5) રક્ષાબેન નરેશભાઇ સોલંકી અને (6) નલીનીબેન નિલેશભાઇ બારોટ (ચારેય)નો સુરત શહેર ભાજપાના મહામંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
ત્રણ મહામંત્રીઓમાં બે પૂર્વ મહામંત્રીઓનો સમાવેશ
ત્રણ મહામંત્રીઓમાં સ્થાયી સમિતિના માજી અધ્યક્ષ (1) મુકેશ દલાલ, પૂર્વ બીજેપી મહામંત્રી રહી ચૂકેલા લલીત વેકરીયા અને (3) કિશોર બિંદલને સ્થાન આપવામાં આવ્યું છે.
પ્રવીણ માળીને કોષાધ્યક્ષ બનાવાયા
સુરત શહેર ભાજપા માટે દાયકાઓ સુધી કાર્ય કરનાર પ્રવીણભાઇ ટી માળીને આખરે સુરત ભાજપામાં કોષાધ્યક્ષ તરીકેનું પદ મળ્યું છે.
હેમેન્દ્ર બોરસલ્લીવાલા અને વિરલ ગીલીટવાલાનો સમાવેશ
નિરંઝન ઝાંઝમેરાએ પોતાની ટીમ બનાવવામાં સંતુલન જાળવ્યું છે. સિનિયર નેતાઓ ઉપરાંત નવયુવાનોને પણ સમાવવવામાં આવ્યા છે. જેમાં માજી મંત્રી રણજિત ગીલીટવાલાના પુત્ર વિરલ ગીલીટવાલાનો સુરત શહેર ભાજપ મંત્રી તરીકે તેમજ યુવા વકીલ હેમેન્દ્ર બોરસલ્લીવાલાનો પણ ઉપપ્રમુખ તરીકે સમાવેશ તેમની ટીમમાં કરવામાં આવ્યો છે.
સિનિયર સિટીઝન્સ, મહિલાઓ, નાના બાળકો સાથેના પરિવારજનો કરફ્યુ વેળાએ સુરત પરત ફરવાના હોય તો ચેમ્બર ઓફ કોમર્સને આગોતરી જાણ કરીને વ્યવસ્થા મેળવી શકાશે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાની આગેવાની હેઠળ અત્યાર સુધી ચેમ્બરે જે નથી કર્યું એવા લોકહિતના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોનાકાળમાં શ્રમિકો માટે શ્રેણીબદ્ધ પગલાંઓ ભરનાર દિનેશ નાવડીયાની ટીમે હાલ રાત્રિ કરફ્યુની સ્થિતિમાં બહારગામથી સુરત આવતા લોકો ટ્રાન્સ્પોર્ટેશન બંધ હોવાના કારણે રઝળી ના પડે તે માટે વિનામૂલ્યે પરિવહનની સેવા શરૂ કરી છે. પહેલા જ દિવસે આ કામમાં 25થી વધુ મોટરકારોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
હાલના રાત્રિ કરફ્યુની પરિસ્થિતિમાં સુરત રેલ્વે સ્ટેશને આવતા સિનિયર સીટીઝન્સ, નાની વયના બાળકો અને એકલી મહિલા મુસાફરો કે જેઓ પાસે પોતાના વાહનની સગવડ નહિ હોય તેઓને સુરત રેલ્વે સ્ટેશનથી ઘર સુધી પહોંચાડવા માટે ચેમ્બર દ્વારા વિના મૂલ્યે સેવાકાર્ય શરૂ કરાયું છે. જે અંતર્ગત મંગળવાર, તા. ૨૪ નવેમ્બર, ૨૦૨૦ના રોજ કુલ ૨૫ કારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને લગભગ ૧૨૫ મુસાફરોને રેલ્વે સ્ટેશનથી તેમના ઘર સુધી સુવ્યવસ્થિત પહોંચાડાયા હતા. આ અભિયાન હાલમાં ચાલુ રહેશે.
આ સેવાકાર્યમાં આપ પણ આપનું નામ નોંધાવી શકો છો. આપ આપની કાર અને કાર ચાલક સહિત આપના નામો નોંધાવવા માટે દીપક શેઠવાળા – ૯૮૨૪૧૩૭૭૦૫, બીજલ જરીવાળા – ૯૧૭૩૩૪૨૬૧૦, અનિલ સરાવગી – ૯૮૨૫૦૭૭૬૭૮ નો સંપર્ક કરી શકો છો.
પ્રથમ દિવસે સુરત પોલીસ કમિશ્નર શ્રી અજયકુમાર તોમર, ડે. કમિશ્નર ઓફ પોલીસ સુશ્રી ભાવનાબેન પટેલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર કામગીરી નિહાળી હતી. ચેમ્બર દ્વારા માસ્ક અને હેન્ડસેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દરેક કારને પોતાનો એક રાઉન્ડ સમાપ્ત થયા પછી સંપૂર્ણ સેનિટાઈઝ કરવામાં આવતી હતી અને ત્યાર પછી જ બીજા રાઉન્ડ માટે કારને મોકલવામાં આવતી હતી. આ સેવાકાર્યમાં ચેમ્બરના પ્રમુખ શ્રી દિનેશ નાવડીયા, ઉપ પ્રમુખ શ્રી આશીષ ગુજરાતી, માનદ્દ મંત્રી શ્રી નિખિલ મદ્રાસી, માનદ્દ ખજાનચી શ્રી મનિષ કાપડીયા, ગ્રુપ ચેરમેન શ્રી દીપક શેઠવાળા, ડૉ. અનિલ સરાવગી, શ્રી બીજલ જરીવાલા, શ્રી રાકેશ જૈન, શ્રી પરેશ લાઠીયા તેમજ મેનેજિંગ કમિટીના સભ્યો શ્રી લાલજીભાઈ હિરાણી, ઉપસ્થિત રહ્યા હતા.
પાંડેસરાના એકાંત વિસ્તારમાં રહેતી એક ૪૦ વર્ષની મહિલા કે જેમનો સંપર્ક તેમના પરિવાર સાથે થઇ નહોતો શકતો તેમને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ચાર નાની બાળાઓ કે જે મુંબઈથી સુરત આવતી ટ્રેઈનમાં ઉતરી હતી. તેઓના વાલીઓનો સંપર્ક નહોતો થઇ શકતો તેમને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. કામરેજ રહેતા એક પરિવાર પાસે રીક્ષામાં જવા માટેના પૈસા નહોતા તેઓને તેમના કામરેજ નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા.
૮૦ વર્ષના અપંગ વૃદ્ધ તેમના પરિવાર સાથે આશ્રય શોધતા હતા તેમના આઠ વ્યક્તિઓના પરિવારને સહીસલામત તેમના નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. નવાગામ ડીંડોલીમાં રહેતા રેલવેના મહિલા સ્ટાફ સભ્યોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. રેલ્વે પોલીસ અને રેલ્વેનો સ્ટાફ પણ આ આખી વ્યવસ્થામાં જોડાયા હતા.
આગામી દિવસોમાં શહેરના ઔદ્યોગિક એસોસીએશનો, બેંકો, સહકારી સંસ્થાઓના સહકારથી ૫૦૦ જેટલા બેરીકેડ્સ સુરત પોલીસને ભેટ આપવામાં આવશે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ નામને આધાર આપી રહેલી એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ સુરત-શારજાહ વચ્ચેની એરઇન્ડિયાની ફ્લાઇટને તા.31મી માર્ચ 2021 સુધી રદ કરી દેવામાં આવી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત સુરત એરપોર્ટના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી આજરોજ તા.25મી નવેમ્બરથી કરવામાં આવી છે. સુરત-શારજાહ વચ્ચેની આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ખાસ્સી લોકપ્રિય બની હતી અને તેના ટિકિટના દર પણ સસ્તા હોવાને કારણે મહારાષ્ટ્ર અને સુરત સિવાયના ગુજરાતના યાત્રીઓ પણ દુબઇથી પરત આવવા માટે આ ફ્લાઇટ્સનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા હતા.
એક વર્ષ બંધ રહેશે ફ્લાઇટ
ગત માર્ચ 2020માં લોકડાઉનને કારણે સુરત શારજાહ વચ્ચેની ફ્લાઇટ બંધ થઇ હતી, હવે નવી ઘોષણા મુજબ તા.31મી માર્ચ 2021 સુધી આ ફ્લાઇટ બંધ રહેવાની હોઇ, હવે કમ્પ્લીટ એક વર્ષ માટે સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ રહેશે.
Kind Attention all passengers: As per information provided by Air India Express @FlyWithIX, Flight IX 172 / IX 171 SHJ-STV-SHJ is canceled till 27 MAR'21.@aairedwr@AAI_Official@MoCA_GoI
મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું અસ્તિત્વ હતું ત્યારે પણ અને આજે પણ સુરતના ખ્યાતનામ ઓપ્થેલમોલોજિસ્ટ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ ન સિર્ફ ગુજરાત લેવલ પર બલ્કે ઇન્ડીયા લેવલ પર મહત્વની કામગીરીઓ કરી રહ્યા છે. તાજેતરમાં જ કોલકાતા ખાતે મળેલી ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની સેન્ટ્રલ કાઉન્સિલની મિટીંગમાં આઇ.એમ.એ.ની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકેની મહત્વની કામગીરી સુરતના ડો. મહેન્દ્રસિંહ ચૌહાણને સોંપવામાં આવી છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલએ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણને તેમની આઇ.એમ.એ.માં નિયુક્તિ બાદ શુભેચ્છાઓ પાઠવી હતી. એ વેળાએ વીર નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડો.કશ્યપ ખરચીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાતના મેડીકલ એજ્યુકેશન ક્ષેત્રમાં પારદર્શક અને જડબેસલાક સિસ્ટમ સેટ કરવાનું શ્રેય જેના શિરે જાય છે, તેમના કાર્યકાળમાં થયેલી કામગીરીને પગલે આજે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેડીકલ એજ્યુકેશનની ક્વોલિટીની પ્રશંસા થઇ રહી છે. તેમણે લેવડાવેલા કેટલાક નિર્ણયોનો અમલ રાજ્ય અને ભારતની અનેક યુનિવર્સિટીઓની મેડીકલ ફેકલ્ટીમાં થઇ રહ્યા છે એવા ડો. મહેન્દ્રસિંહને ઇન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની મહત્વની કામગીરી સોંપવામાં આવી છે.
નિયુક્તિ બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા ડો.મહેન્દ્રસિંહે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે તેઓ નિષ્ઠાપૂર્વક જે પણ કામગીરી સોંપવામાં આવી છે તે પૂર્ણ કરવા માટે સજ્જ છે.
કોવીડ-19ની બીજી લહેર વચ્ચે સુરત શહેરમાં વધી રહેલા કોરોના કેસો પર કાબૂ મેળવવા માટે હાથ ધરાયેલા અનેક પગલાંઓમાં એક પગલું એ પણ છે કે સુરત શહેરમાં દાખલ થનારા દરેકે દરેક પ્રવાસીઓનું બોર્ડર પર જ ટેસ્ટીંગ કરવામાં આવશે. જેમકે સુરત એરપોર્ટ, સુરત રેલવે સ્ટેશન તેમજ દરેક રોડ એન્ટ્રી ગેટ પર રેપીડ એન્ટીજન ટેસ્ટ કર્યા બાદ જ પ્રવાસીઓ કે દિવાળી બાદ ફરવા ગયેલા સુરતીઓને સુરતમાં પ્રવેશવા દેવામાં આવશે.
દરમિયાન ગુજરાત સરકારના નિયમાનુસાર આજરોજ તા.21મી નવેમ્બરથી સુરત શહેરમાં દરરોજ રાત્રી કર્ફ્યુ લાગૂ રહેશે. રાત્રે 10થી સવારે 6 સુધી સામાન્ય નાગરીકો પોતાના ઘરની બહારન નીકળી શકશે નહીં.
આરોગ્ય ટીમો દ્વારા શહેરમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ એક્ટિવિટીમાં વધારો કરવામાં આવ્યો છે. ઉધરસ, તાવ અને શરદીથી પીડિત વ્યક્તિઓને ઝડપી એન્ટિજેન પરીક્ષણ માટે તેમના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ધનવંતરી રથની મુલાકાત લેવા વિનંતી કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનરની સીધી સૂચના
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોના વકરે નહીં તે માટે સામાન્ય લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે જે લોકો ફેમિલી ટૂર નીકળ્યા છે તેઓને શહેરમાં એન્ટ્રી પોઇન્ટ પર રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવો પડશે. તેમણે જણાવ્યું કે, ‘દિવાળી વેકેશન દરમિયાન ઘણા રહેવાસીઓ બહાર નીકળ્યા છે, અમે ખાતરી કરીશું કે શહેરમાં પ્રવેશતા દરેક વ્યકિતનો કોવિડ -19 માટે પરીક્ષણ કરવામાં આવશે.’
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.