સોની ઇન્ડિયા દ્વારા દુનિયામાં સૌ પ્રથમવાર Vlogger કોમ્યુનિટી માટે ફુલ ફ્રેમ કેમેરા ZV E1 નું લોન્ચિંગ 26 ઓગસ્ટ 2023ના રોજ સુરતના પોદાર આર્કેડ વરાછા રોડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સોની ઇન્ડિયાના ગુજરાતના મેનેજર સંકેત મિસ્ત્રી, ડિસ્ટ્રીબ્યુટર દિપક શેઠવાલા, ડીલર મયુરભાઈ, રવિભાઈ, જીગ્નેશભાઈ, ચિરાગભાઈ સહિત સોનીની ટીમ ઉપસ્થિત રહી હતી.
સંકેતભાઈએ જણાવ્યું હતું કે વેડિંગ માટે અથવા વાઈલ્ડ લાઇફ માટે ઘણા કેમેરા લોન્ચ થયા છે પણ કોરોના પછી સોશિયલ મીડિયા આવકના નવા સ્ત્રોત તરીકે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને તેનાથી બહુ મોટા લોકોને રોજગારીની તક સાંપડે છે તો આવા સંજોગોમાં તેના ઉત્થાન માટે ટેકનોલોજી નો સાથ ખૂબ જરૂરી છે આ બાબતને ધ્યાનમાં રાખીને સોની ઇન્ડિયાએ વી લોગર્સ માટે નવા નવા કેમેરા લોન્ચ કર્યા છે. નવો ZV E1 કેમેરા ફુલ ફ્રેમ છે એડવાન્સ AI નો એમાં ખૂબ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનાથી ઓટો ફોકસ અને ઓટો ફ્રેમ પણ થઈ શકે છે આ કેમેરા ખૂબ જ કોમ્પેક્ટ અને લાઈટ વેઇટ છે તેનાથી તેને વાપરવાનું ખુબ સરળ છે.
સ્પાર્કલ પ્રદર્શનમાં લગ્નસરા, તહેવારો અને બિન નિવાસી ભારતીયોને ધ્યાનમાં લઇ સુરતના જ્વેલર્સ દ્વારા સ્પેશિયલ ડિઝાઇન કરાયેલી જ્વેલરી અને નેકલેસિસમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે
સ્પાર્કલમાં ચાંદીના રામ દરબારની સાથે રામ મંદિર આકર્ષણ જમાવશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે. સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીના અદ્ભુત કલેકશનમાં ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા સાથેનું રામ દરબાર ઉપરાંત રામ મંદિર, ૪ ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પ્રદર્શિત કરાશે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ચાંદીના આધુનિક ફર્નિચર, હોમ ડેકોરેશન અને ચાંદીની ગીફટીંગ પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શનની મુલાકાતાર્થે સુરતના ૬૦૦થી વધુ પરણવા જઇ રહેલા યુગલો તથા તેમના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
સુરતના જ્વેલર્સોએ બિન નિવાસી ભારતીયો, લગ્નસરા તથા આગામી તહેવારો જેવા કે જન્માષ્ટમી, રક્ષાબંધન અને દિવાળીને ધ્યાને લઇને નવી ડિઝાઇનરી જ્વેલરીમાં નેકલેસિસ ડેવલપ કરવામાં આવ્યા છે. જેમાં ટેકિનકલ વેરીયસ સાથે જુદા–જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરાઇ છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે. જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગનું ખાસ કલેકશન અહીં જોવા મળશે.
ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરાયું છે. જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઇ, જયપુર અને બિકાનેરના ૩૦ જેટલા જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું આજથી ત્રણ દિવસ માટે પ્રદર્શન કરવામાં આવશે
ઑરો યુનિવર્સિટી, સુરત ખાતેની સ્કૂલ ઑફ લૉ, આગામી “કાયદા અને ઉભરતા મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય પરિષદ 2023″ની જાહેરાત કરી રહી છે, જે 24મી અને 25મી ઑગસ્ટ, 2023ના રોજ યોજાવાની છે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટનો ઉદ્દેશ્ય વિદ્વાનો માટે એક મંચ પૂરો પાડવાનો છે, સંશોધકો, નીતિ નિર્માતાઓ અને વિદ્યાર્થીઓ ઝડપથી વિકસિત વૈશ્વિક પડકારોનો સામનો કરવા કાયદાના ગતિશીલ લેન્ડસ્કેપ પર વિચારણા કરવા.
“કાયદો અને ઉભરતા મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય પરિષદ 2023” શીર્ષક, આ ઇવેન્ટ સતત પરિવર્તન દ્વારા વર્ગીકૃત થયેલ વિશ્વમાં સતત બદલાતા કાયદાકીય લેન્ડસ્કેપને સંબોધવા માંગે છે. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય સંશોધકો, શિક્ષણવિદો, નીતિ નિર્માતાઓ, સંશોધન વિદ્વાનો, વિદેશી પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓને સમકાલીન કાનૂની પડકારોની આસપાસના વિચારો અને આંતરદૃષ્ટિના આદાનપ્રદાનમાં જોડાવવાનો છે.
પ્રો. વિની કપૂર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર, બી.આર. આંબેડકર નેશનલ લો યુનિવર્સિટી મુખ્ય અતિથિ તરીકે અને શ્રી. રોહિત પાંડે, એડવોકેટ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા અને માન. સેક્રેટરી, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન ગેસ્ટ ઓફ ઓનર રહેશે. આ પરિષદમાં 150 ઓફલાઈન અને 90 ઓનલાઈન ઉપસ્થિતોની સહભાગિતા જોવા મળશે, જે દેશભરની વિવિધ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરશે. કોન્ફરન્સમાં આસામ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, કેરળ, કર્ણાટક વગેરે રાજ્યોમાંથી સંશોધન પત્રો અને સહભાગીઓ પ્રાપ્ત થયા છે. વધુમાં, કોન્ફરન્સમાં બાંગ્લાદેશ, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોના 10 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની સહભાગિતા છે.
કોન્ફરન્સમાં નિષ્ણાતોની વાર્તાલાપ, પેપર પ્રેઝન્ટેશન અને થીમ હેઠળ ચર્ચાઓ કરવામાં આવશે જેમ કે- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ જસ્ટિસ, બંધારણ અને માનવ અધિકારો સામેના પડકારો, સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે પર્યાવરણ અને ઇકોસિસ્ટમ્સ ટકાવી રાખવા, વ્યવસાયમાં પડકારો અને પ્રગતિ, સ્પર્ધાત્મક કાયદો અને આઈપીઆર, સામાજિક ન્યાય, જાતિ ન્યાય અને સમાનતા, અને આંતરરાષ્ટ્રીય કાયદા માટે સમકાલીન પડકારો. આ સત્રોની અધ્યક્ષતા કાયદા અને શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે, જેમાં કેટલાકના નામ છે- પ્રો. પ્રોફેસર એમેરિટસ, સિસ્ટર નિવેદિતા યુનિવર્સિટી, ડૉ. અરુણ કુમાર સિંઘ, પ્રોફેસર, ICFAI લૉ સ્કૂલ, ICFAI યુનિવર્સિટી, દેહરાદૂન.
કોન્ફરન્સનું પરિણામ એ છે કે તે સહભાગીઓને સંશોધન ભાગીદારીને પ્રોત્સાહન આપવા, નવીન વિચારો શેર કરવા અને કાયદાકીય મુદ્દાઓને દબાવવા પર ચાલી રહેલા સંવાદમાં યોગદાન આપવા માટે એક અનન્ય તક પૂરી પાડશે. પસંદગીના સંશોધન પત્રો ટેલર અને ફ્રાન્સિસ અને કેમ્બ્રિજ સ્કોલર જેવા જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે
હાલ સોની એન્ટરટેઇનમેન્ટ ટીવી પર ચાલી રહેલી કૌન બનેગા કરોડપતિ 2023ની સિરીઝમાં સુપરસ્ટાર હોસ્ટ અમિતાભ બચ્ચને એક પ્રતિસ્પર્ધીને એવો સવાલ પૂછ્યો કે જેને લઇને સુરતના ખજોદ ખાતે સાકાર પામેલું સુરત ડાયમંડ બુર્સ ફરીથી સમગ્ર વિશ્વમાં ચમકી ગયું છે. અમિતાભ બચ્ચને સુરત ડાયમંડ બુર્સને અનુલક્ષીને પ્રતિસ્પર્ધીને નીચે મુજબનો સવાલ પૂછ્યો હતો.
Which building record, that stood for 80 years, did the Surat Diamond Bourse break to become the largest office building in the world?
ઉદઘાટન પહેલા જ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બની ચૂક્યું છે સુરતનું ડાયમંડ બુર્સ
સુરત ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ તો છે જ પણ અનેક દ્રષ્ટીએ આ પ્રોજેક્ટ અનોખી ભાત પાડનારો અને અનોખી છાપ ઉભી કરનારો છે. દુનિયામાં સહકારી ક્ષેત્રે રૂ.3600 કરોડ જેટલી વિક્રમી ખર્ચ કરીને એકપણ રૂપિયાનું ધિરાણ લીધા વગર ઉભી થયેલી વિશ્વની સૌથી મોટી ઇમારત પણ સુરત ડાયમંડ બુર્સ છે.
સુરત ડાયમંડ બુર્સ સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ તો છે જ પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું હીરા બજાર પણ આ જ જગ્યાએ વિકાસ પામશે.
સુરત ડાયમંડ બુર્સ જ્યારે સંપૂર્ણ ક્ષમતા અનુસાર કાર્યરત બની જશે ત્યારે ભારતમાં સૌથી વધુ નિકાસ ધરાવતું શહેર સુરત હશે અને રાજ્ય ગુજરાત બની જશે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ શહેરના અઠવાલાઇન્સ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સ્પાર્કલ એક્ષ્પો ડિસેમ્બર માસમાં યોજાતો હોય છે પરંતુ, આ વર્ષથી પરંપરા એટલા માટે બદલવામાં આવી છે કે દિવાળી પછી લગ્નસરાની સિઝન માટે ઝવેરાતની ખરીદી થઇ શકે અને તેને લઇને સમગ્ર ઇન્ડસ્ટ્રીઝને વેપાર મળશે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નું આયોજન
સ્પાર્કલ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા, વીપી વિજય મેવાવાલા, નિખિલ મદ્રાસી, હિમાંશુ બોડાવાલા, બિજલ જરીવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશન યોજાશે. જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઇ, જયપુર અને બિકાનેરના રપ જેટલા જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવતી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવશે.
વિશ્વમાં આગળ વધવા માટે આ સમય સારો છે. હવે સુરત ડાયમંડ બુર્સ બની ગયું છે, આથી આખા વિશ્વના ડાયમંડ સુરતથી હેન્ડલ થાય એવો સમય આવી ગયો છે.મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેકશન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે, આથી મહિલાઓનું આ રિસર્ચ સ્પાર્કલ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે.
સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, ઓગષ્ટ મહિના પછી લગ્નસરા શરૂ થશે. લગ્ન પ્રસંગ હોવાથી લોકો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જેમના ત્યાં લગ્ન પ્રસંગ હોય તેઓ જ્વેલરી કયાંથી ખરીદવી તે બાબતે દુવિધામાં હોય છે. તદુપરાંત જ્વેલરીમાં કયો ટ્રેન્ડ ચાલી રહયો છે? તેનાથી પણ તેઓ વાકેફ હોતા નથી, આથી સ્પાર્કલ પ્રદર્શનમાં સમગ્ર દેશભરની જુદી–જુદી ડિઝાઇનની જ્વેલરીનું પ્રદર્શન થાય છે. જેથી કરીને લોકો એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરી પસંદ કરી તેની ખરીદી કરી શકે છે.
સ્પાર્કલ એકઝીબીશનના કો–ચેરમેનો નિખિલ દેસાઇ, પ્રતાપ જીરાવાલા અને સલિમ દાગીનાવાલાએ આ પ્રદર્શનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં લગ્નસરાને ધ્યાનમાં લઇ સુરતના જ્વેલર્સ દ્વારા નેકલેસિસ ડેવલપ કરવામાં આવ્યા છે. જેમાં ટેકિનકલ વેરીયસ સાથે જુદા–જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરવામાં આવી છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે.આ ઉપરાંત ગોલ્ડમાં પોલ્કી–હેરિટેજ જ્વેલરી અને ડાયમંડમાં એમ્રાલ્ડ–પર્લનું ફયુઝન બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરવામાં આવે છે. આ બધી જ જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એકઝીબીશનમાં કરવામાં આવશે. પોલ્કી–હેરિટેજ જ્વેલરી લોન્ગ લાસ્ટીંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે. આ પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી–જુદી જ્વેલરી જોવા મળશે.
ચાંદીમાં રામમંદિરની થીમની કૃતિ આકર્ષણ જમાવશે
સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીનું અદ્ભુત કલેકશન પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા સાથેનું રામ દરબાર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ૪ ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પણ આકર્ષણ ઉભું કરશે. ચાંદીની પ્રતિમા ઉપરાંત આધુનિક ફર્નિચર, હોમ ડેકોરેશન અને ચાંદીની ગીફટીંગ પણ પ્રદર્શિત કરવામાં આવશે.
આગામી છ-આઠ માસમાં જેમના લગ્ન થવાના છે તેમને ખાસ આમંત્રણ અપાયા
ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સુરત શહેરના ૬૦૦થી વધુ યુગલો તથા તેમના પરિવારજનોને સ્પાર્કલની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યુગલો એવા છે કે જેઓના થોડા મહિના બાદ લગ્ન થવાના છે, જેથી તેઓને એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરીનું કલેકશન મળી રહેશે. આ પ્રદર્શનમાં બિન નિવાસી ભારતીયો માટે લગ્નસરા તથા રક્ષાબંધન અને દિવાળી જેવા તહેવારો માટે ખાસ કલેકશન જોવા મળશે.
સુરતના ઉદ્યોગપતિ બી.એસ. અગ્રવાલે એડિશનલ ચીફ સેક્રેટરી એસ.જે. હૈદરને કરેલી રજૂઆતો બાદ સોલાર સંદર્ભે નવી ગાઇડલાઇન બહાર પડી
અત્યાર સુધી ગુજરાતમાં કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવતા ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકાર તરફથી ઇન્સેન્ટીવ કે સબસિડી આપવામાં આવતી ન હતી. ઉલ્ટાનું સરકારના કેટલાક અધિકારીઓ જોગવાઇનું મનસ્વી અર્થઘટન કરીને એવો હઠાગ્રહ રાખી રહ્યા હતા કે ઔદ્યોગિક એકમની પ્રીમાઇસમાં જ સોલાર પાવર પ્લાન્ટ નાંખવામાં આવે તો જ ઇન્સેન્ટીવ અપાશે. પરંતુ, રાજ્યના ચીફ એડિશનલ સેક્રેટરીની દરમિયાનગીરી બાદ ગઇ તા.18મી ઓગસ્ટે જાહેર કરેલી નવી ગાઇડલાઇન અનુસાર હવેથી રાજ્ય સરકાર રાજ્યમાં ગમે ત્યાં સોલાર પાવર પ્લાન્ટ ઉભો કરનાર ઔદ્યોગિક ગૃહોને ઇન્વેસ્ટમેન્ટ પર ઇન્ટરેસ્ટ સબસિડી આપશે. આશ્ચર્યની વાત છે કે અત્યાર સુધી ઔદ્યોગિક એકમોને કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ માટે એક પણ રૂપિયાની રાહત અપાતી ન હતી.
સોલાર પાવર ક્ષેત્રમાં સુરતના ઉદ્યોગપતિ બી.એસ. અગ્રવાલ અને અન્યોએ ગયા મહિને જ્યારે રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી એસ.જે. હૈદર સુરત આવ્યા હતા ત્યારે તેમને રૂબરૂ મળીને રજૂઆતો કરી હતી કે સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની યોજના ધરાવતા ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકાર દ્વારા કોઇપણ પ્રકારનું ઇન્સેન્ટીવ કે રાહત અપાતી નથી. ઉલ્ટાનું કાયદાનું મનસ્વી અર્થઘટન કરવામાં આવે છે. આ મુદ્દે એસ.જે. હૈદરે રાજ્ય સરકારના સંબંધિત વિભાગ સાથે પરામર્શ કરીને નવી ગાઇડલાઇન ગઇ તા.18મી ઓગસ્ટના રોજ જાહેર કરાવડાવી હતી. જેમાં સ્પસ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે જો કોઇપણ ઔદ્યોગિક એકમ કેપ્ટીવ કન્ઝપ્શન માટે સોલાર પાવર પ્લાન્ટ રાજ્યમાં ગમે ત્યાં ઇન્સ્ટોલ કરે તો તેને ઇન્વેસ્ટમેન્ટ પર ઇન્ટરેસ્ટ સબસિડી મળવાપાત્ર છે.રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચનાઓ હવે ઔદ્યોગિક એકમો સુધી પહોંચાડવામાં આવી રહી છે કેમકે ઔદ્યોગિક એકમો જો પોતાના સોલાર પાવર પ્લાન્ટ સ્થાપે તો રાજ્યમાં વીજ ઉત્પાદન પર ઘણો લોડ ઓછો કરી શકાય તેમ છે.
વાર્ષિક રૂ.5થી 7 લાખ સબસિડી 5 વર્ષ મળે
કેપ્ટીવ કન્ઝપ્શન માટે સોલાર પાવર પ્લાન્ટ રાજ્યમાં ગમે તે વિસ્તારમાં સ્થાપનાર ઔદ્યોગિક એકમોને તેના મૂડીરોકાણ પર એરીયા બેઝ વર્ષે 5થી 7 ટકા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી પાંચ વર્ષ સુધી આપવામાં આવશે. જેમાં સૌથી બેકવર્ડ એરીયામાં જો પ્લાન્ટ નાંખવામાં આવે તો વર્ષે 7 ટકા, 7 વર્ષ સુધી અને રૂ.35 લાખ સુધી મળી શકે. જો સેમિ અર્બન એરીયામાં પ્લાન્ટ હશે તો વર્ષે 6 ટકા 6 વર્ષ સુધી મહત્તમ રૂ.30 લાખ અને જો મ્યુનિસિપલ એરિયામાં પ્લાન્ટ હશે તો વર્ષે 5 ટકા પાંચ વર્ષ સુધી મહત્તમ રૂ.25 લાખ સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી મળવાપાત્ર છે.
મળતી માહિતી મુજબ સુરતના અનેક ઉદ્યોગપતિઓ પોતાના વીજ વપરાશનું ભારણ ઘટાડવા માટે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. પરંતુ, અત્યાર સુધી રાજ્ય સરકારની એવી કોઇ નીતિ ન હતી કે જેમાં સોલા પાવર પ્લાન્ટના ઇન્સ્ટોલેશનમાં ઇન્સેન્ટીવ કે ઇન્ટરેસ્ટ સબસિડી કે અન્ય કોઇ રાહત મળતી હોય. પરંતુ, હવે તા.18મી ઓગસ્ટ 2023 બાદ પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે અને હવેથી રાજ્યના ઔદ્યોગિક એકમોને પાવર પ્લાન્ટ માટે મોટી રકમની ઇન્ટરેસ્ટ સબસિડી મળે તેમ છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે એકલા સુરતમાં જ 1 મેગા વોટથી લઇને 25 મેગા વોટના પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે જેનું કામ હવે આગળ ધપશે.
“વર્લ્ડ સીનીયર સીટીઝન ડે” ની પૂર્વ સંધ્યાએકિરણ હોસ્પિટલ દ્વારા ભારત વડીલ વંદના કાર્યક્રમ
“કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન કેલ્થ કેર” યોજનામાં સુરતમાં રહેતા ૨૬ રાજયના ૧૫ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા
કિરણ હોસ્પિટલ દ્વારા “સીનીયર સીટીઝનો” માટે એક અનોખી યોજના બનાવવામાં આવી છે તે યોજના થકી સીનીયર સીટીઝનો ને હોસ્પિટલમાં તેમજ ઘર બેઠા આરોગ્ય સારવાર આપવા માટેની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ યોજનાનો પ્રારંભ માનનીય આરોગ્યમંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલના વરદ હસ્તે રવિવાર તા.20મી ઓગસ્ટે સુરતના સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ કન્વેન્સન સેન્ટર ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજીને કરવામાં આવ્યો હતો.
“કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન કેલ્થ કેર” યોજનામાં સુરતમાં રહેતા ૨૬ રાજયના ૧૫ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા છે.
આરોગ્યમંત્રી રૂષિકેશભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો.
સુરતમાં રહેતા ૨૬ રાજયના સીનીયર સીટીઝન આ યોજનામાં જોડાયેલા હોવાથી આ કાર્યક્રમનું નામ “ભારત વડીલ વંદના” રાખવામાં હતુ. “વર્લ્ડ સીનીયર સીટીઝન ” ની સમગ્ર દુનિયામાં ઉજવણી થાય છે ત્યારે કિરણ હોસ્પિટલ દ્વારા ૨૦ ઓગષ્ટ ને રવિવાર ના રોજ સુરત ખાતે કંઇક અલગ પ્રકારે સીનીયર સીટીઝનોને મદદરૂપ થવાય તેવા ઉદેશ થી “કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજના” લોન્ચ કરીને “વર્લ્ડ સીનીયર સીટીઝન ડે” ની ઉજવણી કરવામાં આવી.
આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માનનીય આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલ, તેમજ મહેમાન તરીકે પદ્મશ્રી પઝદીભાઈ કરજીયા, સદભાવના ટ્રસ્ટના વિજયભાઇ ડોબરીયા, ઉપરાંત કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી લાલજીભાઈ પટેલ, શ્રી રવજીભાઈ મોણપરા, શ્રી મનભાઇ લખાણી તેમજ કિરણ હોસ્પિટલના ટ્રસ્ટીદાતાશ્રીઓ, શહેરના મહાજનો અને યોજનામાં જોડાયેલા ૧૪ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
આજના કાર્યક્રમમાં કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સાવણી દ્વારા આ યોજનાની ઉડાણ પૂર્વક માહિતી આપી અને યોજનામાં સીનીયર સીટીઝનોને કેવી રીતે લાભ મળશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ માનનીય આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલે કિરણ હોસ્પિટલ દ્વારા સીનીયર સીટીઝનો માટે આવી યોજના બનાવવા બદલ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી તેમજ સૌ ટ્રસ્ટીદાતાશ્રીઓને આવા ઉમદા કાર્ય બદલ બિરદાવ્યા હતા.
કિરણ હોસ્પીટલ દ્વારા લાખો લોકોને ક્વોલીટી સેવા પૂરી પાડવામાં આવી છે, આપણે સૌ જાણીએ છીએ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે આપણે દેશના મોટા મેટ્રો સીટીની હોસ્પિટલોમાં જવું પડતું હતું. તે બધાજ ટ્રાન્સપ્લાન્ટ ઘર બેઠા કિરણ હોસ્પિટલે સુરતમાં શરુ કર્યા અને બહુ મોટી સંખ્યામાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ પણ કરવામા આવી.
કિરણ હોસ્પિટલની વિવિધ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર ટીમનું આરોગ્યમંત્રીશ્રી ના વરદ હસ્તે આપણે સન્માન કરવામાં આવ્યું હતું જેમ કે
સદભાવના વૃધાશ્રમમાં ૬૦૦ થી વધારે સીનીયર સીટીઝનોની સેવા કરનાર એવાશ્રી વિજયભાઈ ડોબરીયા જેઓએ ૨૦ લાખથી વધારે વૃક્ષો ઉછેર્યા છે. સુરતના અનેક રસ્તો ઉપર સદભાવના ટ્રસ્ટ દ્વારા ૫૦ હજાર થી વધારે વૃક્ષો રોપી અને તેને ઉછેરવાનું કામ ચાલુ છે. નવા ૧૫ કરોડ વૃક્ષો ઉછેરવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છે, રાજકોટમાં ૩૦ એકરમાં ૨ હજાર નિરાધાર વડીલોને માન સન્માન સાથે રાખી શકાય તેવા કેમ્પસનું નિર્માણ કાર્ય ચાલુ છે. આવી અનોખી સેવા કરનાર એવા શ્રીવિજયભાઈ ડોબરીયા નું માનનીય આરોગ્યમંત્રી શ્રી અને કિરણ હોસ્પિટલ દ્વારા સન્માનકરવામાં આવ્યું હતું
SJMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન અને WICCI વુમન્સ ઇન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા તા.18મી ઓગસ્ટના રોજ વરાછા રોડ સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે મહિલાઓ માટે અભિલાષા નામથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ મહિલાઓને વ્યાવસાયિક કારકિર્દીના ઘડતર માટે યોજવામાં આવી હતો.
અભિલાષા કાર્યક્રમમાં મહિલાઓને નોકરીની અને સ્કીલ ડેલપમેન્ટની તકોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
SJMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન અને WICCI વુમન્સ ઇન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ સુરતની અભિલાષા ઇવેન્ટને સફળ બનાવવા માટે જે ટીમે કામ કર્યું એ ટીમ મેમ્બર્સની સમૂહ તસ્વીર
SJMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રેસિડેન્ટ જયંતિ સાવલિયા અને WICCI વુમન્સ ઇન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ સુરતના ડો.રિંકલ જરીવાલાએ સમારોહના મુખ્ય મહેમાન અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલનું મંચ પર અભિવાદન કર્યું હતું.
ગુજરાત સરકારની મેડીકલ-પેરામેડીકલ ફી નિર્ધારણ કમિટીએ મેડીકલ કોલેજોની ફી ઘટાડવાનો નિર્ણય કરતા આજે ગુજરાત સરકાર મેડીકલ એડમિશન કમિટીએ એમબીબીએસ (મેડીકલ) અને બીડીએસ (ડેન્ટલ)માં આપવામાં આવેલા 8113 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેતા પ્રવેશાર્થીઓ અને તેમના વાલીઓને ભારે આંચકો લાગ્યો છે. મેડીકલમાં સેમી સરકારી કોલેજોની ફીમાં કરાયેલા ધરખમ વધારાને કારણે અનેક વિદ્યાર્થીઓએ તેમને પ્રવેશ મળતો હતો છતાં એ જતો કર્યો હતો. સરકારે પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા પછી આજે તા.8મી ઓગસ્ટે મેડીકલ કોલેજોમાં કરાયેલો ફી વધારો પરત ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આથી જે વિદ્યાર્થીઓએ ફી વધારાના કારણે પ્રવેશ લીધો ન હતો એવા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એ કારણથી મેડીકલ એડમિશન કમિટીએ ચાલુ વર્ષની મેડીકલ અને ડેન્ટલ કોલેજોની પહેલા રાઉન્ડની આખેઆખી પ્રવેશ પ્રક્રિયા જ રદ કરી દેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે એમબીબીએસમાં કુલ 6858 તથા ડેન્ટલમાં કુલ 1255 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાની સૂચના આપવામાં આવી હતી એ મુજબ વિદ્યાર્થીઓએ ફી પણ ભરપાઇ કરી દીધી છે. હવે સમૂળગી પ્રવેશ પ્રક્રિયા જ રદ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ ડઘાઇ ગયા છે.
ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ કોલેજોમાં હવે નવેસરથી પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
એડમિશન કમિટીની વેબસાઇટ પર આ સૂચના જારી કરવામાં આવી છે
આથી શૈક્ષણિક વર્ષ:૨૦૨૩-૨૪ ના પ્રથમ રાઉન્ડ માં MBBS અને BDS કોર્સમાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે, પ્રવેશ પ્રક્રીયા દરમ્યાન CEO શ્રી, GMERS સોસાયટી, ગાંધીનગર ના તા.૨૦/૦૭/૨૦૨૩ નાં પત્ર ક્રમાંક:પરચ/સેલ્ફ. ફાય./મેનેજમેન્ટ/પ્રવેશ/ફી/૨૦૨૩-૨૪/ડ-૪/૨૩ થી GMERS મેડીકલ કોલેજોની નવી ટ્યુશન ફી નક્કી કરવામાં આવેલ હતી. જે અન્વયે ગવર્મેન્ટ ક્વોટાની ટ્યુશન ફી રૂ. ૫.૫૦ લાખ, મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. ૧૭.૦૦ લાખ તથા NRI ક્વોટા ની ૨૫,૦૦૦/- US Dollar નકકી કરવામાં આવેલ હતી. પરતું આજ રોજ તા. ૦૮/૦૮/૨૦૨૩ ના રોજ સરકાર શ્રી માં થયેલ મીટીંગ અને CEO, GMRES સોસાયટી, ગાંધીનગર નાં આજ રોજ તા.૦૮/૦૮/૨૦૨૩ ના પત્ર ક્રમાંક:પરચ/સેલ્ફ. ફાય./મેનેજમેન્ટ/પ્રવેશ/ફી/૨૦૨૩-૨૪/ડ-૪/૨૩ થી તેઓની ટ્યુશન ફી નો વધારો પરત ખેંચવામાં આવેલ છે. અને આ પત્ર મુજબ GMERS મેડીકલ કોલેજોની ગવર્મેન્ટ ક્વોટાની ટ્યુશન ફી રૂ. ૩.૩૦ લાખ, મેનેજમેન્ટ ક્વોટા ની ફી રૂ. ૯,૦૭,૫૦૦/- તથા NRI ક્વોટા ની ૨૨,૦૦૦/- US Dollar રાખવા જણાવેલ છે. જેથી પ્રથમ રાઉન્ડની તમામ પ્રવેશ પ્રક્રીયા રદ કરવામાં આવે છે. અને નવેસરથી પ્રથમ રાઉન્ડની ચોઈસ ફીલિંગ ચાલુ કરવામાં આવશે, જેનો વિગતવાર કાર્યક્રમ પ્રવેશ સમિતિની વેબસાઈટ પર મૂકવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ ટ્યુશન ફી ભરેલ છે અને અસલ પ્રમાણપત્રો હેલ્પ સેન્ટર પર જમા કરાવીને એડમિશન કન્ફર્મ કરાવેલ છે. તેમજ એડમિશન ઓર્ડર મેળવેલ છે. અથવા તો ફક્ત ટ્યુશન ફી ભરેલ છે, તેવા તમામ વિદ્યાર્થીઓના એડમિશન પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓની ભરેલી ફી હવે પછી યોજાનાર રાઉન્ડમાં મજરે આપવામાં આવશે. જેની દરેક વિદ્યાર્થી અને વાલી એ નોંધ લેવી.
જે ઉમેદવારોએ પ્રવેશ સમિતિના પ્રથમ રાઉન્ડ માં MBBS અને BDS કોર્સ માં પ્રવેશ માટે જરૂરી ટ્યુશન ફી ભરી હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે. જો તેઓ પોતાના અસલ પ્રમાણપત્રો પરત મેળવવા ઈચ્છતા હોય તો તે ઉમેદવાર (૧) પોતાની અરજી (૨) ફોટો આઈડી ની નકલ અને (૩) અસલ એડમીશન ઓર્ડર હેલ્પ સેન્ટર ખાતે આપી અસલ પ્રમાણપત્રો પરત મેળવી શકશે.
સુરતના બંદરે એક સમયે ૮૪ દેશોના વાવટા ફરકતા હતા, સુરતના આ ઇતિહાસને દર્શાવવાના હેતુથી યાર્ન પ્રદર્શનમાં ૮૪ પ્રકારના યાર્ન દર્શાવતું થીમ પેવેલિયન મૂકવામાં આવશે : ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયા
દેશભરમાંથી ૯૦ જેટલા એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લેશે અને ભારતના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે, તદુપરાંત જાપાન, સિંગાપોર, નેપાલ અને બાંગ્લાદેશથી પણ વિદેશી ડેલીગેશન – બાયર્સ એકઝીબીશનની મુલાકાતે આવશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૩–ર૪ ના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન તા. ૪, પ અને ૬ ઓગષ્ટ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન અંદાજે ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે, જેમાં ૯૦ જેટલા એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, ભરૂચ, મુંબઇ, ઇચ્છલકરંજી, ઇરોડ, સેલમ, મદુરાઇ, કોઇમ્બતુર, કર્ણાટકા, તેલંગાણા, કોલકાતા, ગોવા (વાસ્કો) અને પૂણેના એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.
આ વર્ષે યાર્ન એક્ષ્પોનું પાંચમું એડીશન રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોમાં થીમ પેવેલિયન તરીકે સુરતનો કિલ્લો બનાવવામાં આવશે. એક સમયે સુરતમાં ચોર્યાસી બંદરે ૮૪ દેશોના વાવટા ફરકતા હતા, આથી આ પ્રદર્શનની મુલાકાતે આવનારા ભારતના વિવિધ રાજ્યોના તેમજ વિવિધ દેશોના બાયર્સ સમક્ષ સુરતનો ઇતિહાસ દર્શાવવામાં આવશે, જેના ભાગ રૂપે ૮૪ પ્રકારના યાર્ન દર્શાવતું થીમ પેવેલિયન અહીં મૂકવામાં આવશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ૪ ઓગષ્ટ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એક્ષ્પોનું ઉદ્ઘાટન કરાશે. જેનો ઉદ્ઘાટન સમારોહ સેમિનાર હોલ A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એમએસએમઇ કમિશ્નર સંદિપ જે. સાગલે (IAS) ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત સેન્ચુરી એન્કા લિમિટેડના મેનેજિંગ ડિરેકટર સુરેશ સોદાની, શિરાની અરિયારાથને (Minister (Commercial) Deputy High Commission, Sri Lanka, Mumbai, India), સીજીએસટી સુરતના કમિશ્નર પંકજ કુમાર સિંઘ, યુએસએ સ્થિત કિલનિકલ ડાટા સોલ્યુશન એલએલસીના પ્રમુખ પ્રવિણ પાનસુરિયા અને તરૂણ શર્મા (Indian Subcontinent Officer, Govt. of Umm AI Quwain, Free Trade Zone Authority, UAE) અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, દેશભરના વિવિધ રાજ્યો તથા શહેરો જેવા કે ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરેથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. વિવર્સ, નીટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ તથા ઉદ્યોગ સાહસિકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. વિવિધ યાર્નના ઉત્પાદકો અને બાયર્સ એક છત નીચે એક જ પ્લેટફોર્મ પર ભેગા થતા હોવાથી તેઓની વચ્ચે બિઝનેસ મીટ પણ યોજાશે.
આ ઉપરાંત જાપાન, સિંગાપોર, નેપાલ અને બાંગ્લાદેશથી પણ વિદેશી ડેલીગેશન તેમજ બાયર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવનાર છે.
યાર્ન એક્ષ્પો– ર૩ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. આશરે ર૦ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.
યાર્ન એક્ષ્પોમાં નીચે મુજબના યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરાશે
આ પ્રદર્શનમાં યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ૧૦૦ ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિસ્લો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.
ફેબ્રિક બનાવવા માટે અત્યાર સુધી પ્લાસ્ટીક જરીનો જ ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે બામ્બુ ફાયબર્સમાંથી બનતી ઇકો ફ્રેન્ડલી જરીનો ઉપયોગ ફેબ્રિક બનાવવામાં થઇ રહયો છે. આ ઇકો ફ્રેન્ડલી જરીનો ઉપયોગ કન્વેન્શનલ વિવિંગ અને હાઇસ્પીડ ટેકનોલોજી જેવી કે રેપિયર, એરજેટ અને વોટરજેટ પર વિવિંગ માટે કરી શકાય છે.
આ ઉપરાંત એક્ષ્કયુઝીટ રેઇન્બો મેટાલિક યાર્ન જુદા જુદા ખૂણાઓથી અલગ અલગ રંગ દર્શાવે છે, જેને કારણે કોઈપણ ફેબ્રિકમાં મનમોહક મેઘધનુષ્ય ઝબૂકતું દેખાય છે. સાડીઓ, લેસ અથવા અન્ય કોઈપણ ઉત્પાદનમાં તેનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને ડિઝાઇનર ફેબ્રિકમાં માસ્ટરપીસ બનાવવા માટે તેનો વધુ ઉપયોગ કરી શકાય તેમ છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.