CIA ALERT

Slider Archives - Page 486 of 488 - CIA Live

June 22, 2018
congress_financial.jpg
1min13510

તા.22 જૂન, 2018

કેન્દ્રમાંથી કૉંગ્રેસે સત્તા ગુમાવ્યા બાદ નિરંતર રીતે કોંગ્રેસની પડતી જોવા મળ રહી છે. અધૂરામાં પૂરું હવે કૉંગ્રેસ આર્થિક ભીંસનો સામનો કરી રહી છે. કૉંગ્રેસને ફંડ આપતા ઉદ્યોગપતિઓ હવે ભાજપ તરફ ઢળ્યા છે અગર તો કોંગ્રેસને મદદ કરવામાં ડરી રહ્યા છે.

ભાજપના ફંડમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે ત્યારે સૌથી જૂનો રાજકીય પક્ષ કૉંગ્રેસની તિજોરી તળીયા ઝાટક થઇ જવા પામી છે.  કૉંગ્રેસે ગુજરાતના તેના તમામ ધારાસભ્યોને પાર્ટી ફંડમાં એક એક લાખ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

મોતીલાલ વોરાની સહીથી કાગળ ઇશ્યું થયા

કૉંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાંથી ચૂંટાયેલા કૉંગ્રેસના તમામ 77 ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદો પાસેથી એક-એક લાખ રૂપિયાનું ફંડ પક્ષમાં જમા કરાવવા આદેશ કર્યો છે. કૉંગ્રેસ પક્ષની આર્થિક સ્થિતિ નબળી પડતાં એઆઈસીસીના ખજાનચી મોતીલાલ વોરાની સહી સાથેનો પત્ર તમામ ધારાસભ્યોને અપાયો છે, જેમાં વહેલી તકે એઆઈસીસીને એક લાખનો ચેક મોકલી આપવા તાકીદ કરાઈ છે.

ધારાસભ્યોમાં કચવાટ

ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો પાસેથી એક એક લાખ રૂપિયાની માગણીને કારણે કૉંગ્રેસ પક્ષના નવા-સવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં અંદરો અંદર ગણગણાટ વ્યાપી ગયો છે. કૉંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કૉંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પાસેથી એક લાખ ફંડનું ઉઘરાણું શરૂ કર્યું છે. આ આદેશને પગલે અત્યાર સુધીમાં કૉંગ્રેસના 60 ટકા જેટલા ધારાસભ્યોએ એઆઈસીસીના નામે દિલ્હી દરબારમાં ચેક મોકલી આપ્યો છે, પરંતુ હજુ 40 ટકા જેટલા ધારાસભ્યોએ પાર્ટી ફંડ આપ્યું નથી.

આ ધારાસભ્યો નાણાં છૂટા કરે તે માટે તાજેતરમાં જ કૉંગ્રેસના યુવા નેતાએ તાજેતરમાં જ બેઠક યોજી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પાર્ટી ફંડ તો આપવું જ પડશે. ફંડના ઉઘરાણા પાછળ એવું કારણ અપાયું છે કે, ધારાસભ્યો પક્ષના માધ્યમથી ચૂંટાયા છે. સંગઠનને આર્થિક રીતે તકલીફ ના પડે તે માટે દરેક સભ્યનું યોગદાન જરૂરી છે. જોકે કૉંગ્રેસ હાઈકમાન્ડના આ ફરમાન સામે ગુજરાત કૉંગ્રેસના કેટલાક ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેમણે હજુ સુધી એક લાખનો ચેક જમા કરાવ્યો નથી.

June 21, 2018
nzpmfeature.jpg
1min14800
જયેશ બ્રહ્મભટ્ટ
ન્યુઝીલેન્ડના 150 વર્ષના ઇતિહાસમાં સૌથી યુવાન વયે વડાપ્રધાન બનવાનું શ્રેય જેના શિરે જાય છે એ 37 વર્ષિય મહિલા પ્રાઇમ મિનિસ્ટર જેસિન્ડા કેટ લૉરેલ એર્ડર્નએ આજે બેબી ગર્લને જન્મ આપ્યો છે. ન્યુઝીલેન્ડના મહિલા પ્રાઇમ મિનિસ્ટરના ઘરે પહેલી વાર પારણું બંધાયું હોવાના સમાચારો ન્યુઝીલેન્ડ સહિત સમગ્ર વિશ્વમાં ભારે વાઇરલ થયા હતા. ન્યુઝીલેન્ડવાસીઓ આને ઉત્સવની જેમ માણી રહ્યા છે. ન્યુઝીલેન્ડમાં વહેલી સવારથી જ આ મુદ્દે જશ્નભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.
ગત જાન્યુઆરી 2018માં જેસિન્ડા કેટ લૉરેલ એર્ડર્નએ ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી કે તેઓ ગર્ભવતી છે અને 6 માસની રજા પર જઇ રહ્યા છે.
કોઇ દેશના ટોચના પદાધિકારી હોદ્દા પર આરુઢ હોય તેવા સમયગાળામાં બાળકને જન્મ આપ્યો હોય તેવી ઘટના આજે 30 વર્ષ પછી બની છે. જેસિન્ડા એર્ડર્નએ આજે તેમના પહેલા બાળક તરીકે બેબી ગર્લને ઓકલેન્ડની સિટી હોસ્પિટલ ખાતે જન્મ આપ્યો હતો. બેબી ગર્લને જન્મ આપ્યાના થોડા કલાકો પછી તેમણે સોશ્યલ મિડીયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડના સ્થાનિક સમય મુજબ સવારે 4.45 કલાકે બેબી ગર્લે જન્મ લીધો છે અને જન્મ સમયે તેનું વજન 7.3 પાઉન્ડ (3.31 કિલોગ્રામ) છે. તેમણે ઓકલેન્ડ સિટી હોસ્પિટલના સ્ટાફનો જાહેર આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેમની સેવા અવિશ્મરણીય રહી છે.
ગત તા.26મી ઓક્ટોબરના રોજ જેસિન્ડા એર્ડર્ન લેબર પાર્ટીના નેતા તરીકે વડાપ્રધાન પદે આરુઢ થયા હતા.
June 21, 2018
yog_Cr-1280x853.jpg
1min14410

સરસાણા ખાતે મંત્રીશ્રી, મેયર, કલેકટર સહિતના નાગરિકોએ યોગાભ્યાસ કર્યો હતો 

 યોગએ વિશ્વને ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ છે. ૨૧મી જૂનના અવસરે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરત શહેર-જિલ્લામાં પણ યોગદિનનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ શહેરના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સવારે ૬.૦૦ વાગે વન, આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જિલ્લામાં કુલ ૧૫ લાખથી વધુ લોકોએ યોગ કરીને યોગમય બન્યા હતા.

વેડરોડ ગુરૂકુલના બાળકોએ વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત યોગમુદ્રા સાથે ‘ભારતના નકશા’ની વિશાળ માનવાકૃત્તિ રચી

૨૧મી જૂન ‘વિશ્વ યોગ દિન’ની ઉજવણી નિમિત્તે વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ રંગબેરંગી પોશાકમાં સજ્જ થઇ સામૂહિક રીતે વિવિધ યોગ મુદ્રાઓ દ્વારા યોગ નિદર્શન કરીને નિરોગી રહેવાનો અનોખો સંદેશો આપી પોતાનો દેશપ્રેમ પ્રગટ કરતા ગુરૂકુળના પ્રાંગણમાં ‘ભારતના નકશા’ની માનવાકૃત્તિ રચીને આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો.

 

June 21, 2018
choreographer.jpg
1min13400

જયેશ બ્રહ્મભટ્ટ

ડાન્સ રિયલિટી શોના કોરિયોગ્રાફર મોહિતકુમાર ટાકનું પરાક્રમ, છેવટે જયપુર એરપોર્ટ પરથી પકડી લેવાયો

ઇન્ડિગો ઍરલાઇન્સની જયપુરથી મુંબઈની ફ્લાઇટ ચૂકી ગયા પછી એ પ્લેનમાં બૉમ્બ મુકાયો હોવાની ખોટી માહિતીને કારણે ભારતના નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. મોટાભાગના એરપોર્ટ એલર્ટ મોડ પર આવી ગયા હતા. જોકે, થોડી મિનીટોમાં એ વાત ક્લીયર થઇ ગઇ હતી કે જયપુરથી મુંબઇની જે ફ્લાઇટમાં બોંબ મૂકાયો હોવાનો ફોન આવ્યો હતો એ માત્ર અફવા જ હતી.

ઇન્ડિગો ઍરલાઇન્સની જયપુરથી મુંબઈની ફ્લાઇટ પ્લેનમાં બૉમ્બ મુકાયાની ખોટી માહિતી આપતા ફોનના સમયગાળામાં જયપુરથી ઉપડેલી ફ્લાઇટ મુંબઈ ઍરપોર્ટ પર લૅન્ડિંગની તૈયારીમાં હતી. લૅન્ડિંગ પછી પ્લેનનો અખત્યાર સિક્યૉરિટી એજન્સીઝે લઈ લીધો હતો અને ત્રણ કલાક સુધી તપાસ કર્યા બાદ આગળના શેડ્યુલ્ડ ઑપરેશન્સ માટે ફ્લાઇટને ક્લિયર કરી હતી.

દરિમયાન ઇન્ડિગો ઍરલાઇન્સની જયપુરથી મુંબઈની ફ્લાઇટ ચૂકી ગયા પછી એ પ્લેનમાં બૉમ્બ મુકાયો હોવાની ખોટી માહિતી આપનારને તા.20મી જૂનના રોજ CISFના અધિકારીઓએ જયપુર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પકડી પાડ્યો હતો. એ વ્યક્તિ બીજું કોઇ નહીં પરંતુ, ટીવી પર આવતા રિયાલિટી શૉમાં કોરીયોગ્રાફર તરીકે કામ કરતા મોહિતકુમાર ટાક હતો. ડાન્સ રિયલિટી શોના કોરિયોગ્રાફર ૨૪ વર્ષના મોહિતકુમાર ટાંકે બુધવારે પરોઢિયે પાંચ વાગ્યાની જયપુરથી મુંબઈની ફ્લાઇટ ૬-E૨૧૮ રવાના થયા પછી સાડાપાંચ વાગ્યે ઇન્ડિગો ઍરલાઇન્સના ગુડગાંવ સ્થિત કૉલસેન્ટરમાં ફોન કરીને એ ફ્લાઇટમાં બૉમ્બ મુકાયો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેને ઝડપીને પૂછપરછ કરતા મોહિતકુમારે કહ્યું કે તે ફ્લાઇટ ચૂકી ન જાય તે માટે આવું કર્યું હતું.  CISFએ તેને પકડી પાડ્યા બાદ સાંગાનેર પોલીસ-સ્ટેશનને સુપરત કર્યો હતો.

મોહિત કહે છે ફ્લાઇટ વહેલી ઉપડી ગઇ હતી
મોહિતકુમાર ટાંકનું કહેવું હતું કે ફ્લાઇટનો સમય પાંચ વાગ્યાનો હતો, પરંતુ ૪.૫૨ વાગ્યે રવાના થઈ ગઈ હતી. CISFના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘મોહિત સમયસર ઍરપોર્ટ પર પહોંચી ન શક્યો એટલે તેણે ગુડગાંવ કૉલ સેન્ટરમાં ફોન કરીને જયપુરથી મુંબઈની ફ્લાઇટ નંબર ૬-E૨૧૮માં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.

June 19, 2018
1min13360
રશિયામાં ચાલી રહેલા FIFA વર્લ્ડ કપ માટે સાઉદી અરબની ટીમ લઇને સેન્ટ પીટર્સબર્ગથી રોસ્તોવ લઈ જઈ રહેલા પ્લેનમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોકે, એરલાયન્સના એરબસ જેટને સલામત રીતે જમીન પર લેન્ડ કરાવવામાં સફળતા મેળવી હતી અને તેને કારણે જ વર્લ્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ એક કાળમુખી ઘટનાથી સહેજમાં ઉગરી જવા પામી છે. સાઉદી અરેબિયાની ફૂટબોલ ટીમના કોઈ ખેલાડીઓને નુકસાન થયું હોવાની માહિતી નથી મળી. પ્લેનમાં આગ લાગી હોવાની ઘટનાના વિડીયોઝ વિશ્વભરના સોશ્યલ મિડીયામાં ભારે વાઇરલ થયા હતા.
સાઉદીની નેશનલ ટીમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ખેલાડીઓ સુરક્ષિતત હોવાની માહિતી અપાઈ છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, “સાઉદી અરબ ફૂટબોલ ફેડરેશન સૌને આશ્વસ્ત કરવા માગે છે કે વિમાનમાં ટેક્નિકલ ખરાબીના કારણે સાઉદીની નેશનલ ટીમના તમામ ખેલાડીઓ સુરક્ષિત છે.”
એરલાઇન્સે આગની ઘટના જ નકારી દીધી
એરલાયન્સે જણાવ્યું કે વિમાનના એન્જિનમાં પક્ષી ફસાઈ જવાથી આ ઘટના બની. જોકે, એરલાયન્સે વિમાનમાં આગની ખબરને નકારી દીધી છે. પણ સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં દેખાય છે કે વિમાનમાં કેવી આગ લાગી હતી.
https://www.youtube.com/watch?v=QTjr6Eim_gE
June 18, 2018
sakuntla.jpg
1min14290

જયેશ બ્રહ્મભટ્ટ

માનવીના મન પાસે અપાર અને અસિમીત શક્તિઓ છે, માનવીનું મન ધારે તો કોઇપણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે એવું શાસ્ત્રોમાં તો લખાયું જ છે પણ વિજ્ઞાન પણ એવું કહે છે અને તેની પ્રતીતિ કરાવતા સાક્ષાત પરચાઓ આપણી નજર સામે આવતા-જતા રહે છે પણ 99.5 ટકા લોકો પોતાના મનનો ઉપયોગ અદ્વિતીય સિદ્ધી હાંસલ કરવા માટે કરી શક્તા નથી. અહીં એક એવી જીવતી વારતાં  રજૂ કરી રહ્યો છું કે જેને વાંચ્યા પછી કદાચ કોઇ વાચક પોતે અથવા અન્ય કોઇને કશું ક હાંસલ કરવાની પ્રેરણા આપી શકે.

 મહારાષ્ટ્ર બોર્ડના ચેરપર્સન શકુંતલા કાલે

તમે ક્યારેય વિચારી શકો કે કોઇ છોકરી જેના 14 વર્ષની ઉંમરે લગ્ન થઇ જાય અને 18 વર્ષ સુધીમાં તો બે બાળકોની માતા પણ બની જાય અને પછી એ ભણવાનું શરૂ કરીને મહારાષ્ટ્ર MPSC મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની ક્લાસ-2 ઓફિસર અને એ પછી ક્લાસ-વન ઓફિસરની પરીક્ષા પાસ કરીને આજની તારીખમાં એ ભારતના સૌથી મોટા સેકન્ડરી બોર્ડ, મહારાષ્ટ્ર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરપર્સન એટલે કે સૌથી ટોચના અધિકારી બની જાય…

આ મહિલાનું નામ છે શકુંતલા કાલે. મહારાષ્ટ્રના ક્લાસ-વન દરજ્જાના સનદી અધિકારી છે અને 2017ના સપ્ટેમ્બરની 25મી તારીખે એમને મહારાષ્ટ્ર બોર્ડના ચેરમેન તરીકે સરકારે નિયુક્ત કર્યા ત્યારે સમગ્ર વિશ્વને એ બાબતની જાણ થઇ કે આ સનદી અધિકારીના તો 14 વર્ષની ઉંમરે લગ્ન થઇ ગયા હતા અને 18 વર્ષની ઉંમર સુધીમાં તો તેઓ બે સંતાનોના માતા બની ચૂક્યા હતા.

શકુંતલા કાલે જ્યારે 14 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. પરિવારમાં માં મજૂરી કરીને ગુજરાન ચલાવતી. એ સમયે બાળલગ્નની પ્રથા મહારાષ્ટ્રના ગામોમાં જીવંત હતી એટલે શકુંતલા નામની છોકરીના 14 વર્ષની વયે લગ્ન કરીને તેને સાસરે વળાવી દેવામાં આવી. જ્યારે બે સંતાનોને જન્મ આપી દીધો ત્યારે શકુંતલા કાલેને જીવનમાં કંઇક અદ્વિતીય કરી છૂટવાની તમન્ના જાગી અને તેમણે ડિસ્ટન્સ લર્નિંગ સંસ્થામાંથી ધો.12ની પરીક્ષા આપી અને પાસ થઇ ગયા. બસ પછી ધૂન લાગી કે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવું.

શકુંતલા કાલેએ એ સમયે પૂણા વિશ્વ વિદ્યાલય કે જે આજે સાવિત્રીબાઇ ફુલે વિશ્વવિદ્યાલયથી જાણીતી છે એ યુનિવર્સિટીમાંથી એમ.એ. મરાઠીની ડિગ્રી મેળવી. ડિગ્રી મળવાની સાથે જ તેઓ જે સ્કુલમાં ભણ્યા હતા ત્યાં ટીચર તરીકેની નોકરીમાં જોડાઇ ગયા. બસ હવે શકુંતલા કાલેનું સપનું હતું કે એમપીએસસીની પરીક્ષા આપું. એ સમયે કોઇ લાઇબ્રેરી, પુસ્તક કે કશું ન હતું પણ રેડીયો સાંભળતા અને રેડીયો પણ એટલે સાંભળતા કે ઉંઘવાનું ઓછું અને રેડીયો વધારે સાંભળવાનો કે જેથી બાહ્ય નોલેજ, જાણકારી, જનરલ અવેરનેસ મળે. પોતાની જાતને જ પ્રેરણા આપતા, સેલ્ફ મોટીવેશન થકી શકુંતલા કાલેએ ક્લાસ-ટુ ઓફીસરની પરીક્ષા પાસ કરી દીધી અને જોતજોતામાં તો ક્લાસ-વન ઓફીસર તરીકે મહારાષ્ટ્ર સરકારને સેવા આપતા થઇ ગયા.

શકુંતલા કાલે કહે છે  નો પેઇન નો ગેઇન, આજના બાળકોને સ્ટ્રગલ વાળી લાઇફ ગમતી નથી, માબાપ તેમના સંતાનોને સોફ્ટ ટાર્ગેટ, કમ્ફર્ટ ઝોનમાં ભણાવે છે. પણ પુરુષાર્થ વગર કશું નક્કર મેળવી શકાતું નથી. શકુંતલા કાલે સવારે 3 વાગ્યે ઉઠીને પીવાનું પાણી ભરવા માટે પાંચ કિલોમીટર પગપાળા જતા હતા. આજે તેઓ મહારાષ્ટ્ર બોર્ડમાં ચેરમેન તરીકે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓની સર્ટિફિકેટ્સ પર તેમના ઓટોગ્રાફ આપી રહ્યા છે.

June 18, 2018
sudixa-copy.jpg
1min14490

જયેશ બ્રહ્મભટ્ટ

આજકાલ ગરીબ અને મિડલ ક્લાસ પરિવારોના સંતાનોમાં નહીં ભણવા માટેનું જો કોઇ સોલિડ કારણ હોય તો એ પરિવારની આર્થિક સ્થિતિ છે, મા-બાપને ફી પોષાય તેમ નથી. આવી બહાનાબાજીથી ઉપર ઉઠીને ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની એક અત્યંત ગરીબ પરિવારની દિકરી સુદીક્ષા ભાટીએ જે કરી બતાવ્યું છે એ કોઇપણ કરી શકે છે, પણ કરવા માટેની શુદ્ધ દાનત હોવી જોઇએ. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી સુદીક્ષાએ અમેરિકામાં ભણવું હતું અને તેને ખબર હતી કે જો તે અવ્વલ દરજ્જા સાથે ધો.12 પાસ થશે તો સેંકડો સ્કોલરશીપ્સ એવી છે કે એ જાત મહેનતથી મેળવીને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. સુદીક્ષાએ પોતાના આ ઇમેજિનેશનને રિયાલિટીમાં કન્વર્ટ કરતા ધો.12 સેન્ટ્રલ બોર્ડમાં 98 ટકા સાથે પાસ કરીને અમેરિકાની પ્રસિદ્ધ બોબસન કોલેજમાં પ્રવેશ અરજી કરી હતી, પરીક્ષા આપી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે સુદીક્ષાને બોબસન કોલેજની ભણવાની પૂરેપૂરી ફીની રકમ એટલે કે ભારતીય ચલણ મુજબ રૂ.3.8 કરોડની સ્કોલરશીપ મળી છે.

સુદીક્ષા ભાટી જેણે સીબીએસઇમાં ધો.12 98 ટકા લાવીને અમેરિકાની કોલેજની રૂ.3.8 કરોડની સ્કોલરશીપ મેળવી

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં રહેતી સુદીક્ષા ભાટીને અમેરિકાની પ્રતિષ્ઠિત બોબસન કોલેજમાં અભ્યાસ માટે સંપૂર્ણ ફીની સ્કોલરશિપ મળી હોવાના સમાચાર સમગ્ર ભારતમાં વાઇરલ થઇ રહ્યા છે. અત્યંત સામાન્ય પરિવાર એટલે કે સુદીક્ષાના પપ્પા ચાની લારી ચલાવીને પરિવારનું પેટીયું રળે છે એવા પરિવારમાંથી આવીને . 12માં સીબીએસઈમાં 98% માર્ક મેળવનાર તેમજ બુલંદ જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થનાર સુદીક્ષા માટે આ પરીક્ષા બિલકુલ સરળ નહતી.

સુદીક્ષાનો પ્લસ પોઇન્ટ શું

સુદીક્ષાનો પ્લસ પોઇન્ટ એ જ છે કે  પરિવારની આર્થિક સ્થિતિ અને સામાજિક બાબતોને કોરાણે મુકીને સુદીક્ષાએ અભ્યાસમાં મન પરોવાયેલું રાખ્યું એટલું જ નહીં પરંતુ હવે તે યુએસની નામાંકિત કોલેજમાં અભ્યાસ માટે જઈને પોતાનું સપનું સાકાર કરી રહી છે.

સુદીક્ષા માતા-પિતા સાથે

વંચિતો માટેની શાળામાં ભણી સુદીક્ષા

સુદીક્ષાએ કહ્યું કે, ‘પહેલા મારા માટે અભ્યાસનું સપનું સાકાર કરવાનું સરળ નહતું. 2011માં મને વિદ્યાજ્ઞાન લીડરશિપ એકેડમી સ્કૂલમાં એડમિશન મળ્યું. આ શાળામાં મોટેભાગે વંચિત સમુદાયના બાળકો ભણે છે અને મને પણ ત્યાં ભણવાની તક મળી હતી. શરૂઆતમાં મારા પરિવાર અને સંબંધિઓને વાંધો હતો, પરંતુ મારા માતા-પિતાએ અભ્યાસ ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું હતું.’

વિદ્યાવાન સ્કોલશિપ એકેડમીની સ્થાપના 2009માં શિવ નાડાર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. તે વખતે બુલંદશહેર અને સીતાપુરમાંથી 1900થી વધુ પરિવારના બાળકો આ કાર્યક્રમ હેઠળ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવી શક્યા હતા. સુદીક્ષા બીજા બાળકોને એટલું કહેવા માંગે છે કે કોઈપણ પોતાના સપનાને સાકાર કરી શકે છે બસ માત્ર મહેનત કરવાનું બંધ ના કરવું જોઈએ.

June 16, 2018
suratairport1.jpg
1min16130

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

સુરત એરપોર્ટ પર ટૂંક સમયમાં એર એશિયા અને ઇન્ડીગો એરલાઇન્સ દ્વારા સુરતને કેન્દ્રમાં રાખીને સંખ્યાબંધ ફ્લાઇટ શરૂ કરશે. આ બન્ને એરલાઇન્સ કમસે કમ 8 જેટલી ફ્લાઇટ્સ સાથે સુરતને સાંકળી લેવાનું આયોજન ધરાવે છે જેમા વારાણસી, કોલકાત્તા, જમ્મુ, પટણા જેવા શહેરો સાથે સુરત એરપોર્ટને સાંકળી લેવામાં આવશે.

એક સમયે એકમાત્ર દિલ્હીની ફ્લાઇટ ધરાવતા સુરત એરપોર્ટ પર આગામી દિવાળી સુધીમાં સંખ્યાબંધ ફ્લાઇટ અને એ પણ રાઉન્ડ ધ ક્લોક આવતી જતી જોવા મળશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એર એશિયા ચાર નવા પ્લેન ખરીદી રહી છે અને આ ચાર પૈકી 2 ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ફાળવી દેવાનું પ્લાનિંગ છે. એર એશિયા દ્વારા સુરત હાલમાં સુરત બેંગ્લોર વચ્ચે ફ્લાઇટ ચલાવવામાં આવે છે અને હવે પછી એર એશિયા સુરતથી કોલકાતા, કોલકાતાથી વાયા દિલ્હી અને ત્યાંથી જમ્મુને કનેક્ટ કરતી ફ્લાઇટ શરૂ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એવી જ રીતે અન્ય એક ફ્લાઇટમાં સુરતથી પટણા વચ્ચે પણ ફ્લાઇટ આપવાનું પ્લાનિંગ હોવાનું જાણવા મળે છે. સુરતથી વારાણસી અને પટનાની ફ્લાઇટ કનેક્ટીવીટી ઓગસ્ટમાં શરૂ કરી દેવાશે જ્યારે સુરતથી પટના ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવે તેવું શિડ્યુલ ગોઠવાયું છે.

ઇન્ડિગો એરલાઇન્સ 6 ફ્લાઇટ્સ લઇને સુરત એરપોર્ટ ધમધમતુ કરી મૂકશે

ભારતમાં ડોમેસ્ટિક એરલાઇન્સ ક્ષેત્રમાં નફો કરતી એકમાત્ર કંપની ઇન્ડિગો એરલાઇન્સ પહેલી વખત સુરત એરપોર્ટ પર આવી રહી છે. સુરત એરપોર્ટ પર ઇન્ડીગો એરલાઇન્સને પોતાની કેબિન માટે લોકેશન પણ ફાળવી દેવાયું છે. મળતી માહિતી મુજબ ઇન્ડિગોએ પોતાનું કામકાજ શરૂ કરવા માટે જરૂરી ફિલ્ડ સ્ટાફ માટેની રિક્રુટમેન્ટ પણ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી જુલાઇમાં 3 ફ્લાઇટ અને એ પછીના મહિને, ઓગસ્ટ 3 ફ્લાઇટ સુરત એરપોર્ટ સાથે સાંકળીને શરૂ કરવાનું પ્લાનિંગ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા કરવામાં આવ્યું છે. કયા સેક્ટર ઇન્ડિગો પોતાની ફ્લાઇટ શરૂ કરશે હજુ સુધી એ નક્કી નથી, પણ સુરતથી છ ફ્લાઇટ્સ આગામી બે માસમાં શરૂ કરવા અંગેનો નીતિ વિષયક નિણર્ય ઇન્ડિગો એરલાઇન્સે લઇ લીધો છે.

સુરત એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું એક્સપાન્સન વર્કની તજવીજ

સુરત એરપોર્ટ પર જેમ જેમ ફ્લાઇટ્સની સંખ્યા વધી રહી છે તેમ તેમ ટર્મિનલ બિલ્ડિંગનો વ્યાપ વિસ્તાર વધારવાની અનિવાર્યતા પણ થઇ રહી છે. મળતી માહિતી મુજબ સુરત એરપોર્ટને રૂ.28 કરોડના ખર્ચે હાલના ટર્મિનલ બિલ્ડિંગને એક્સપાન કરવાની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે અને આગામી ડિસમ્બર 2018 સુધીમાં મહદઅંશે ટર્મિનલ બિલ્ડંગની સિકલ બદલાય જાય તેવું કામ હાથ ધરી દેવામાં આવશે.

રનવે સાથે ટેક્સી વે પણ સાકાર કરાશે

કોઇપણ એરપોર્ટ સાથે ટેક્સી વે ની અનિવાર્યતા છે. ટેક્સી વે એટલે મેઇન રનવે પર લેન્ડ કરતું પ્લેન રનવે પરથી 27 સેકન્ડમાં ટેક્સી વે પર પહોંચી જવું જોઇએ. જેથી જે તે એરપોર્ટ પરથી અન્ય ફ્લાઇટના ટેકઓફ કે લેન્ડિંગમાં વધારે સમય ન બગડે કે વેઇટિંગમાં ઉભા ન રહેવું પડે.

સુરત એરપોર્ટ પર હાલમાં ટેક્સી વે નથી, પરીણામે ટેક્સી વે પણ સાકાર કરવાનું પ્લાનિંગ છે જેથી ભવિષ્યમાં સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યામાં વધારો કરી શકાશે.

દિવાળી સુધીમાં સુરત એરપોર્ટ વ્યસ્ત બની જશે : સી.આર. પાટીલ

સુરતને એર કનેક્ટિવિટી મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે જે રીતે ડેવલપમેન્ટ થઇ રહ્યા છે, નવી નવી એરલાઇન્સ સુરત એરપોર્ટથી ફ્લાઇટ શરૂ કરવા માટે વાટાઘાટો કરી રહી છે એ જોતા દિવાળી સુધીમાં તો સુરત એરપોર્ટ દેશના વ્યસ્ત એરપોર્ટસની યાદીમાં મૂકાય જશે એમાં શંકાને કોઇ સ્થાન નથી.

June 16, 2018
airport_building.jpg
1min14710

સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ્સના મુદ્દે પખવાડિયામાં તપાસ રિપોર્ટ આવશે

એરપોર્ટના રનવેને નડતરરૂપ 80 બિલ્ડિંગ્સના 190 ફ્લેટ્સ પર હથોડા ઝીંકવા કે કેમ મુદ્દે હવે પખવાડિયામાં કોઈ સ્પષ્ટ સંકેત મળે તેમ છે. એરપોર્ટ ઓથોરિટીએ નાસિકની એજન્સીને સરવે કરીને તપાસ રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યુ છે. આ એજન્સી સોમવારથી સરવેનું કામ પણ હાથ ધરી દેશે. 80 જેટલી બિલ્ડિંગ્સના તમામ નહીં પણ 190 ફ્લેટ્સ પૈકી કેટલાક સમૂળગા તોડી નાંખવા પડે તો કેટલાકના આંશિક હિસ્સાને દૂર કરીને બિલ્ડિંગની ઉંચાઇ નિર્ધારિત પ્રમાણ સુધી લાવવી પડે તેમ છે.

 (પ્રતિકાત્મક તસ્વીર)

સૌથી પહેલા આ તપાસ એજન્સીએ આજે પાલિકા, કલેક્ટરાલય અને એરપોર્ટ ઓથોરિટી સાથે એક બેઠક પણ યોજી દીધી છે. ગયા સોમવારે ડીજીસીએના સ્ટાફે સુરતની મુલાકાત પણ લીધી હતી. છેલ્લાં ઘણા સમયથી 18 પ્રોજેક્ટ્સની 80 બિલ્ડિંગ્સ અને 190 ફ્લેટ્સ સુરત એરપોર્ટને નડી રહ્યાં છે. આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં મુકાયો છે. આ મુદ્દે ગત 26મી મેના રોજ એક બેઠક સુરત પાલિકાકલેક્ટરાલયપીડબલ્યુડી વિભાગસુડા અને એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાઈ હતી.

પાલિકાના અધિકારીઓએ જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા

બેઠકમાં પાલિકા તરફથી એવી રજૂઆત થઈ હતી કેઆ જે વિવાદી બિલ્ડિંગ્સ છેતે પ્રોજેક્ટ્સની મંજૂરી માટે સુરત મહાનગર પાલિકા પાસે જે સમયે અરજીઓ સામે આવી હતી. તે સમયે રાજ્ય સરકારના પીડબલ્યુડી વિભાગના એનઓસીના આધારે ફાઇનલ પ્લોટ બનાવાયા હોઈ તેના ઉપર ડેવલપમેન્ટ માટેની મંજૂરીની પ્રક્રિયા આગળ વધારાઈ હતી. તેમાં એરપોર્ટ ઓથોરિટીએ પણ એનઓસી આપ્યું હોવાથી પાલિકાએ આ તમામ 80 બિલ્ડિંગ્સને સાંકળતા 18 પ્રોજેક્ટસને મંજૂરી આપી હતી. એટલે પાલિકાની તરફે કોઈ મુદ્દો રહેતો નથી. એમ કહીને સિફતપૂર્વક હાથ ખંખેરી લીધાં હતાં.

મ્યુનિ.ને ગેરમાર્ગે દોરીને પ્લાન મંજૂર કરાવાયા હતા

તપાસના ધમધમાટને પગલે ઓર્ગેનાઈઝર્સમાં ફફડાટ ફેલાવા માંડ્યો છે કેમકે વિવાદી પ્રોજેક્ટ્સના પ્લાન મંજૂર કરાવવા માટે પાલિકાને ખોટી વિગતો અપાઈ હતી. આને આધારે પાલિકા ઇચ્છે તો પ્લાન રદ્દ કરી શકે તેમ હોવા છતાં વિવાદમાંથી પાલિકાએ હોંશિયારીપૂર્વક હાથ બહાર કાઢી લીધાં છે. ઉપરથી કલેક્ટરાલય એટલે કે રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે કોઈ સહયોગ જોઈતો હોય તો અમે આપવા માટે તૈયાર છીએતેવું જણાવીને હાથ ઉપર રાખ્યો હતો. એટલે દડો ફરી એરપોર્ટ ઓથોરિટીના પલ્લામાં પડ્યો હતો. એટલે, એરપોર્ટ ઓથોરિટીએ આવી બિલ્ડિંગ્સની તપાસ કરીને રિપોર્ટ કરાવવા માટેની ગતિવિધિ શરૂ કરી દીધી છે. 

June 16, 2018
carrats1.jpg
2min17980

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

ડાયમંડ નગરીથી જાણીતા સુરત શહેરના હાર્દ સમા અને હીરા ઉદ્યોગ જ્યાંથી વિસ્તરીને સમગ્ર વિશ્વમાં પહોંચ્યો છે એ વરાછા ખાતે આવેલા સૌરાષ્ટ્ર ભવન ખાતે આગામી તા.10થી 12 જુલાઇ દરમિયાન વિશ્વસ્તરીય ડાયમંડ એક્સપો જેનું નામાભિધાન કેરેટ્સ કરવામાં આવ્યુ છે એનું આયોજન સુરત ડાયમંડ એસોસીએશનના નેજા હેઠળ કરવામાં આવ્યું હોવાની પહેલી વહેલી જાહેરાત આજે બાબુભાઇ એન. ગુજરાતી જેઓ આ સંસ્થાના પ્રમુખ છે એમણે કરી છે.

કેરેટ્સ, સુરત ડાયમંડ એક્સપો અંગેની વિગતવાર માહિતી આપતા બાબુભાઇ એન. ગુજરાતી, ગૌરવ શેઠી વગેરે આગેવાનોએ જણાવ્યું હતું કે સુરત ખાતે યોજાનારું હીરા ઉદ્યોગનું આ પ્રદર્શન અનોખું એટલા માટે છે કેમકે તેમાં ટૂર્કી, પૂર્વ આફ્રિકા, સિંગાપોર, મલેશિયા, ચાઇના વગેરે જેવા દેશો સમેત વિશ્વભરમાંથી અંદાજે 10 હજારથી પણ વધુ ડેલિગેટ્સ ભાગ લેશે. આ એક્સપો એટલા માટે પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે કેમકે એ બીટુબી, બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર હશે અને હીરા ઉદ્યોગના ધંધાર્થીઓને નવા જોડાણોથી વાકેફ કરાવશે. કેરેટ્સ- સુરત ડાયમંડ એક્સપોમાં રાઉન્ડ શેપ અને ફેન્સી શેપ્સના પોલ્કી, રોઝ કટ, ફેન્સી કલર્સ ડાયમંડની આખી રેન્જ પણ જોવા મળશે.

સુરત ખાતે આગામી તા.10થી 12 જુલાઇ દરમિયાન યોજાનારા કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સપોમાં ભાગ લેનારા 60 ટકા પ્રદર્શકો પહેલી જ વખત કોઇ એક્સપોમાં ભાગ લઇ રહ્યા છે, બાયર્સ અને ટ્રેડર્સ માટે આ જ કારણે નવા જોડાણો શક્ય બની શકશે.

રેપાપોર્ટના માર્ટિન ખાસ ઉપસ્થિત રહેશે

સમગ્ર વિશ્વમાં ડાયમંડ ક્ષેત્રે વિશ્વસનીય નામ રેપાપોર્ટના માર્ટીન રેપાપોર્ટ કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો માટે ખાસ ઉત્તેજિત છે અને તા.10મી જુલાઇએ ખાસ ઉદઘાટનમાં પધારીને એક કલાકની કોન્ફરન્સને તેઓ સંબોધન પણ કરશે.

કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સો માટે ભારતમાં અનેક શહેરોમાં રૉડ શૉ

કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સોને ભારતમાં હાઇલાઇટ કરવા માટે દિલ્હી, કોલકાત્તા, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નઇ, જયપુર જેવા મોટા શહેરો તેમજ ટૂ ટાયર કક્ષામાં આવતા ભારતના અન્ય શહેરોમાં પણ ખાસ રોડ શૉ કરવામાં આવશે. જેમાં સુરત ખાતે યોજાનારા કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સોમાં પધારવા માટે રજિસ્ટ્રેશન, ઇન્વિટેશન વગેરે આપવામાં આવશે.

રૂ.200 વિઝીટર ચાર્જ

કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સો નિહાળવા માટેની ઇચ્છા ધરાવનાર દરેક મુલાકાતીઓએ ઓન ધ સ્પોટ રૂ.200નો ચાર્જ ચૂકવવા પડશે.

જ્યારે હાલમાં તા.30મી જુન સુધી www.sdasurat.org ખાતે રજિસ્ટ્રેશન બિલકુલ ફ્રી થઇ રહ્યું હોવાનું સુરત ડાયમંડ એસોશીએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું.

 

NEWS for English Readers

B2B LOOSE DIAMOND EXHIBITION – 10, 11, 12 JULY 2018.

SDA is consistently working towards the growth of diamond industry and endeavors to keep it on the forefront of the world map. SDA takes great pride in announcing an exclusive showcase of loose diamonds “CARATS – Surat Diamond Expo” which will prove as a landmark event by opening new avenues for the Small and Medium scale diamond enterprises and boost B2B transactions by bringing SME’s directly in touch with big buyers.  The exhibition will be held on 10, 11, 12 July 2018 in Surat .

The exhibition brings together on a single platform in three days all operators of retail and wholesale trade, distributors, importers and exporters. The event will welcome around 10,000 global visitors and showcase comprehensive varieties of diamonds including round and fancy shapes, polki, rose cut and fancy color.