CIA ALERT

Slider Archives - Page 487 of 488 - CIA Live

June 16, 2018
chatri1.jpeg
1min26000

ભારતમાં રચનાત્મકતા ઠાંસી ઠાંસીને ભરેલી છે. ભારતીયોની જીવનશૈલીને સરળત્તમ બનાવે તેવા ક્રિએશન આપણે દિનપ્રતિદિન માણી રહ્યા છે. અહીં અમે આપને જે કહેવા જઇ રહ્યા છે એ હાલ શરૂ થયેલા ચોમાસા દરમિયાન સૌથી વધુ પ્રાથમિકતા જેને આપવામાં આવે છે એ છત્રીને લગતા ક્રિએશન પર છે. કેરેલામાં હાલ એવી છત્રીઓ ચપોચપ ઉપડી રહી છે જેમાં વાઇફાઇ ઇનેબલ ડીવાઇસ છે અને એ મોબાઇલ સાથે કેનેક્ટ થઇને ફોનકોલ્સ, મ્યુઝીક તેમજ અન્ય સુવિધાઓ ચાલુ વરસાદે સરળતાથી પૂરી પાડે છે.

હાલમાં કેરેલા રાજ્યમાં વાઇફાઇ છત્રીની ભારે બોલબાલા છે. વાઇફાઇ અમ્બ્રેલા એ એવી છત્રી છે જે બ્લ્યુ ટુથથી મોબાઇલ સાથે કનેક્ટ થાય છે અને વરસાદમાં જ્યારે યુઝર છત્રી ખોલીને બચવાનો પ્રયાસ કરે છે બરાબર એ જ સમયે મોબાઇલ ફોનમાં કોલ આવે તો એ કોલને પણ એટેન્ડ કરી શકે છે. મોબાઇલ ફોન ભલે ખિસ્સામાં હોય કે કેરીબેગમાં હોય. વાઇફાઇ અમ્બ્રેલાના હાથા પર લાગેલા બ્લ્યુ ટુથ ઇક્વિપમેન્ટને કારણે યુઝર ફોન કોલ એટેન્ડ કરીને વાતચીત કરી શકે છે.

આ અત્યંત શુલભ અને ઉપયોગી વાઇફાઇ અમ્બ્રેલાથી બે ફાયદા થાય છે. વરસાદમાં મોબાઇલ હેન્ડસેટનો ભીનો થતા બચાવી શકાય છે. બીજો ફાયદો ચાલુ વરસાદે છત્રી બે કામ આપે છે. વરસાદથી તો બચાવે છે પરંતુ, સાથોસાથ મોબાઇલ ટોક પણ સરળતાથી થઇ શકે છે.

                                                                                                                                                            (સૌજન્ય આઇબીએન ન્યુઝ ચેનલ)

પોપી અમ્બ્રેલાની ટીવી એડ જે હાલમાં કેરલમાં ધૂમ મચાવી રહી છે

June 16, 2018
w1.jpg
1min16180

ચાલુ સપ્તાહમાં વોટ્સ એપ દ્વારા તેની સર્વિસ અંગેના પેજ પર કેટલાક અપડેટ્સ શેર કરવામાં આવ્યા હતા. જે મુજબ  ડિસેમ્બર 2018થી વોટ્સ એપ એપ્લિકેશન કેટલા હેન્ડસેટમાં વર્ક નહીં કરી શકે. પરીણામે એ મોબાઇલ હેન્ડસેટ્સ પર વોટ્સએપ કામ કરતું બંધ થઇ જશે. સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી સસ્તા મોબાઇલ લેતા ભારતના કરોડો યુઝર્સને વ્હોટ્સએપના આ ચેન્જને કારણે મોટી અસર થશે એમ માનવામાં આવે છે.

ભારતમાં સેકન્ડ હેન્ડ મોબાઇલ ફોન ખરીદનારાઓની સંખ્યા ઘણી મોટી છે. ગ્રામીણ વિસ્તારોમાં હજુ આજે પણ એન્ડ્રોઇડના જૂના વર્ઝન ધરાવતા સેકન્ડ હેન્ડ મોબાઇલ ફોન લે-વેચનું ટર્નઓવર કરોડો રૂપિયામાં છે. આજે આવા સેકન્ડ હેન્ડ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ખરીદવા પાછળનું સૌથી મોટું કારણ જ સોશ્યલ મિડીયા અને તેમાં પણ ફેસબુક અને વ્હોટ્સ એપ જ મહદઅંશે હોતું હોય છે ત્યારે વ્હોટ્સ એપની સુવિધા બંધ કરવાના કારણો કરોડો ફોન ઇન્સ્ટ્રુમેન્ટસ ફક્ત કોલિંગ કે ટેક્સ્ટ મેસેજિંગ સેવા માટે જ ચાલી શકશે.

  • નોકીયા S40 મોડેલમાં 31 ડિસેમ્બર 2018થી વોટ્સ એપ એપ્લિકેશન કામ કરતી બંધ થઇ જશે
  • 2.3.3 નંબરના એન્ડ્રોઇડ વર્ઝન ધરાવતા મોબાઇલ ફોનમાં વ્હોટ્સ એપ એપ્લિકેશન બિલકુલ ચાલી નહીં શકે
  • વ્હોટ્સએપ 3GS/iOS 6 નંબરના આઇફોનમાં સપોર્ટ કરતું બંધ થઇ જશે
  • બ્લેકબેરી OS અને બ્લેકબેરી 10માં વ્હોટ્સ એપ એપ્લિકેશન્સ સપોર્ટ જ નહીં કરે.
  • બ્લેકબેરીના એન્ડ્રોઇડ સિસ્ટમથી ચાલતા PRIV, DTEK50, KEYone અને KEY2માં વ્હોટ્સ એપ એપ્લિકેશન અને સુવિધા ચાલુ રહેશે
  • વિન્ડોઝ 8.0 અને તેનાથી જૂના મોબાઇલ ફોન્સમાં 1 જાન્યુઆરી 2018થી વ્હોટ્સ એપ એપ્લિકેશન સપોર્ટ નહીં કરે.
  • એન્ડ્રોઇડ 2.3.7 જીંજરબ્રેડ વર્ઝન ધરાવતા કોઇપણ મોબાઇલ ફોનમાં ફેબ્રુઆરી 1, 2020થી વ્હોટ્સએપ એપ્લિકેશન સપોર્ટ નહીં કરે
  • આઇફોન્સના iOS 7 મોબાઇલ ફોન્સ પર ફેબ્રુઆરી 1, 2020થી વ્હોટ્સ એપ કામ કરતું બંધ થઇ જશે.
June 15, 2018
drug.jpg
1min13030

બે બ્રિટિશ અને એક વિયેટનામના એેમ ત્રણ વિદેશી નાગરિકો સહિત કુલ ૧૦ જણની ધરપકડ

સમગ્ર વિશ્વમાં પથરાયેલા ડ્રગ રેકેટનો ભંડાફોડ કરતા ડીઆરઆઇએ વડોદરા-ગોવા-મહારાષ્ટ્રની જુદી જુદી જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરીને 10 જણાની ધરપકડ તો કરી જ છે સાથે 308 કિલોગ્રામ કેટામાઇનનો જથ્થો પણ કબજે કર્યો છે. અબજો રૂપિયાના આ કાળા કારોબારનો રેલો ગુજરાતના વડોદરા સુધી વિસ્તર્યો છે.

કેટામાઇન ડ્રગ્સના બનાવીને સપ્લાય કરવાના એક ઇન્ટરનૅશનલ રૅકેટનો ભંડાફોડ DRI મુંબઇએ કર્યો છે. ડીઆરઆઇએ કરેલી કાર્યવાહીમાં ગોવા, રાયગડ તેમ જ વડોદરામાં જુદા જુદા સ્થળોએ રેઇડ પાડી મોટા પ્રમાણમાં ડ્રગ જપ્ત કર્યું છે. અધિકારીઓએ બે બ્રિટિશ અને એક વિયેટનામના એેમ ત્રણ વિદેશી નાગરિકો સહિત કુલ ૧૦ જણની ધરપકડ કરી છે. આ રૅકેટને પકડવા માટે અધિકારીઓએ ‘ઑપરેશન વિટામિન’ હાથ ધર્યું હતું અને એમાં ૨૫૦ કિલો કેટામાઇન બનાવવા માટેનું ૨૦૦૦ કિલો રૉ-મટીરિયલ જપ્ત કર્યું છે.

આ ડ્રગની ડીલ હવાલા દ્વારા થતી હતી અને ભારતમાં આ ડ્રગની સપ્લાય માટે સારીએવી ચેઇન બનાવવામાં આવી હતી. અધિકારીઓએ ત્રણ દિવસમાં સિરીઝ પ્રમાણે ગોવા, વડોદરા અને રાયગડમાં રેઇડનું આયોજન કર્યું હતું અને ૩૦૮ કિલો કેટામાઇન જપ્ત કર્યું હતું, જેમાં રહેવાસી અને ઇન્ડસ્ટ્રિયલ સંકુલનો પણ સમાવેશ છે.

June 15, 2018
gm-1280x1280.png
1min12670

ભારતીય-અમેરિકન મહિલા ધિવ્યા સૂર્યદેવરાની વિશ્વ વિખ્યાત ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સ (GM)ના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલ કોર્પોરેટ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડન્ટ સૂર્યદેવરા પહેલી સપ્ટેમ્બરથી GMના હાલના CFO ચક સ્ટિવન્સનું સ્થાન લેશે.

વિશ્વવિખ્યાત ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સમાં મૂળ ભારતીય ધિવ્યા સૂર્યદેવરા તા.1લી સપ્ટેમ્બર 2018થી ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે ફરજ બજાવશે

ચેન્નાઈમાં જન્મેલાં 39 વર્ષનાં ધિવ્યા સૂર્યદેવરા જુલાઈ 2017થી GMના કોર્પોરેટ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડન્ટ છે. તે કંપનીના CEO મેરી બારાને રિપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, મેરી બારા 2014થી કંપનીના વડા છે. બારા અને ધિવ્યા સૂર્યદેવરા ઓટો ઉદ્યોગમાં તેમના હોદ્દા પર પ્રથમ મહિલા છે. અન્ય કોઈ વૈશ્વિક ઓટો કંપનીના CEO કે CFO તરીકે મહિલા એક્ઝિક્યુટિવ નથી. આ સાથે GM મહિલા CEO અને CFO ધરાવતી હર્ષી કંપની અને અમેરિકન વોટરવર્ક્સ જેવી S&P 500 કંપનીઓની યાદીમાં જોડાશે.

ધિવ્યા સૂર્યદેવરાએ યુનિવર્સિટી ઓફ મદ્રાસમાંથી કોમર્સમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યાર પછી તે ૨૨ વર્ષની વયે હાવર્ડ યુનિવર્સિટીમાં MBA માટે અમેરિકા ગયાં હતાં. સૂર્યદેવરા ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ અને એકાઉન્ટન્ટ છે. તેમણે 25 વર્ષની વયે 2005માં GMમાં જોડાતાં પહેલાં UBS અને પ્રાઇસવોટરહાઉસકુપર્સમાં કામ કર્યું છે. બારાએ જણાવ્યું હતું કે, “ધિવ્યાના અનુભવ અને ઘણી મહત્ત્વની ભૂમિકામાં લીડરશિપથી કંપની ઉત્તમ કામગીરી દર્શાવવામાં સફળ રહી છે.”

સ્ટિવન્સ (58 વર્ષ) જાન્યુઆરી 2014થી GMના CFO રહ્યા છે. તે આગામી વર્ષે માર્ચ મહિનામાં કંપનીમાં 40 વર્ષની મેરેથોન ઇનિંગ્સ પછી નિવૃત્તિ લેશે. કંપનીના જણાવ્યા અનુસાર સ્ટિવન્સ નિવૃત્તિ સુધી કંપનીના સલાહકારપદે રહેશે. સ્ટિવન્સે 1978માં બ્યુક ડિવિઝનમાં કામગીરી શરૂ કરી હતી.

June 14, 2018
bank1.jpg
1min16040

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સ અનુસાર દેશભરમાં આવેલી કો-ઓપરેટિવ બેંકોને સ્મોલ ફાઇનાન્સ બેંકમાં તબદીલ કરવામાં આવશે અને આ કારણે હાલમાં કરોડો રૂપિયાનું ધિરાણ બેરોકટોક આપી રહેલી કો-ઓપરેટિવ બેંકો કોઇ એક ક્લાયન્ટને રૂ.25 લાખનું જ ધિરાણ આપી શકશે. સહકારી બેંકોના કાર્યક્ષેત્રને મર્યાદિત બનાવતી સ્મોલ ફાઇનાન્સ બેંકની રિઝર્વ બેંક યોજના સામે દેશભરમાંથી ભારે વિરોધ ભભૂકી ઉઠ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલી ધિરાણ નીતિમાં શહેરી સહકારી બેન્કોને સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં પરિવર્તિત કરવા ટૂંક સમયમાં સ્કીમ બહાર પાડવા કરેલી જાહેરાતના સહકારી બેન્કો તરફથી ઘેરા પ્રત્યાઘાત સાંપડ્યા છે.

ફેડરેશન ઓફ અર્બન બેંકસ ઓફ ગુજરાતના સીઇઓ આર એન જોશીએ જણાવ્યું હતું કે, “જો કોઇ સહકારી બેંક સ્મોલ બેંક બને તો તે વધુમાં વધુ ₹25 લાખનું જ ધિરાણ કરી શકે. ઉદ્યોગો કે નાના ઉદ્યોગ સાહસિકોને ₹1 કરોડ થી ₹3 કરોડ કે તેનાથી પણ વધુ રકમની લોન આપી શકતી સહકારી બેન્કો સ્મોલ બેન્કો બને તો તેનો બિઝનેસ તો બંધ થઇ જશે. અગાઉ કરતાં ઓછો બિઝનેસ કરવાની આ પ્રકારની દરખાસ્ત સધ્ધર સહકારી બેંક સ્વીકારી શકે તેમ નથી.”

દેશના સહકારી માળખા સાથે સંકળાયેલા અને સહકાર ભારતીના વડા જયોતિન્દ્ર મહેતાએ આ જાહેરાતનો સીધો છેદ ઉડાડતા કહ્યું હતું કે અમે આ પ્રકારની ભલામણનો વિરોધ કરીએ છીએ.

નેશનલ ફેડરેશન ઓફ અર્બન બેંક એન્ડ ક્રેડિટ સોસયટી (નાફકબ)ના ચેરમેન જયોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, “આ ભલામણ જ સહકારી ક્ષેત્રના માળખાથી વિપરીત છે. કો-ઓપરેટીવ બેંકોની સ્થાપના જ નાના-મધ્યમ વર્ગના લોકો અને વેપારીઓ માટે થઇ છે, ત્યારે આ બેન્કોની ખાનગી બેંક બનાવવી શકય નથી. તેના ખાનગી માલિકો બની જાય જેઓ હાલમાં ચૂટાઇને આવે છે.

અમે તો આ પગલાંનો વિરોધ કરીએ છીએ. એટલું જ નહીં સહકારી કાયદાઓમાં પણ સહકારી બેન્કોનું ખાનગીકરણ કરવાની કોઇ જોગવાઇ નથી. તેવા સંજોગોમાં આવી ભલામણ સાથે હવે સહકારી કાયદાઓમાં પણ સુધારાઓ કરવામાં આવે તો આવી બાબત શકય બને,જે અંગે હાલમાં કોઇ જોગવાઇ જ નથી. ”

બુધવારે ધિરાણ નીતિની જાહેરાત કરતાં આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર એન એસ વિશ્વનાથને જણાવ્યું હતું કે, “બેન્કનો દરજ્જો બદલવા કેટલાંક વર્ગ તરફથી આરબીઆઇ સમક્ષ માગ કરવામાં આવી હતી. અમે શહેરી સહકારી બેન્કમાંથી સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં કન્વર્ઝન અંગે વિગતવાર સ્કીમ જાહેર કરીશું.”

આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર આર ગાંધીના વડપણ હેઠળ રચાયેલી કમીટી ઓન અર્બન કો-ઓપરેટીવ બેંકે ભલામણ હતી કે મોટી અર્બન કો-ઓપરેટીવ બેંક પોતે ઇચ્છે તો, અને કેટલાંક માપદંડનું પાલન કરે તો તે સ્વૈચ્છિક રીતે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રૂપાંતર કરી શકે છે. કમીટીએ ₹ 20,000 કરોડથી વધુનું ટર્નઓવર કરતી બેંકને કોમર્શિયલ બેંકમાં તબદીલ કરવાની પણ ભલામણ કરી હતી. કમીટીએ આપેલા રીપોર્ટમાં અર્બન કો-ઓપરેટીવ બેંકને કોમર્શિયલ બેંકમાં તબદીલ થવા માટે ટ્રાન્ઝીશન સમય આપવાની પણ ભલામણ કરી હતી.

June 14, 2018
smcbuilding.jpg
1min16920

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

સુરત મહાનગરપાલિકામાં 1995થી શાસન કરી રહેલા ભાજપાના હાઇકમાન્ડે આજે મેયર પદે ડો.જગદીશ પટેલ, ડેપ્યુટી મેયર પદે શ્રી નિરવ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન પદે શ્રી અનિલભાઇ ગોપલાણી અને શાસક પક્ષના નેતા પદે શ્રી ગિરજાશંકર મિશ્રાની  નિયુક્તિ કરીને સ્થાનિક સ્તરે અંદરખાને લડતા-ઝઘડતા રહેતા નેતાઓને ‘લાડવાઓ’ વહેંચી આપ્યા. કેટલાક ભાજપી ભક્તોએ એમ કહી રહ્યા છે કે દંડક પદે મહિલાની નિમણૂંક કરી છે, ત્યારે આવા ભક્તોને રાજકીય વિશ્લેષક એવી સલાહ આપી રહ્યા છે કે દંડક એ શાસકોની પોસ્ટ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સત્તાવાર પદ એ જાણવા માટે બીપીએમસી એક્ટની ચોપડી વાંચવી જોઇએ.

સુરત મેયર પદે ડો. જગદીશ પટેલની વરણી

સુરતના ડેપ્યુટી મેયર પદે શ્રી નિરવ શાહની વરણી

સુરત મ્યુનિ. કોર્પોરેશનની તિજોરીની ચાવી હવે ડો. અનિલ ગોપલાણી પાસે

ભાજપા હાઇકમાન્ડની આ વહેંચણીમાં સ્ત્રી સશક્તિકરણનો ‘સરાસર’ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણીની દુહાઇ આપીને ભાજપા હાઇકમાન્ડે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાની વરણીમાં મેરીટ જોઇને  નિમણૂંક આપવાનો કોલ આપ્યો હતો એનો મતલબ એ થયો કે ભાજપા હાઇકમાન્ડને સુરત મહાનગરપાલિકાના ચાવીરૂપ પદો પૈકી એક પણ પદ માટે કોઇપણ મહિલા કોર્પોરેટર લાયક ન દેખાઇ. જોકે, પદોની વહેંચણીમાં મહિલા કોર્પોરેટરો પૈકી શ્રીમતી હેમાલી બોઘાવાલા, શ્રીમતી કલ્પના મદનસિંહ અટોદરીયા, શ્રી રોહિણીબેન છોટુભાઇ પાટીલ, શ્રીરૂપલબેન શાહ, શ્રી રશ્મિકાબેન પટેલ વગેરેના નામો ચાલતા હતા પણ એકેય મહિલાને ચાવીરૂપ પદ પૈકી એક પણ પદ માટે સમોવડી ગણવામાં આવી ન હતી.

ભાજપા હાઇકમાન્ડની બલિહારી તો એવી પણ રહી છે કે 1995થી અત્યાર સુધી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે અગર તો શાસક પક્ષના નેતા તરીકે ક્યારેય કોઇપણ મહિલા કોર્પોરેટરની નિયુક્તિ કરી નથી. આ બાબત પ્રતીતિ કરાવે છે કે વુમન એમ્પાવરન્મેન્ટના મુદ્દે ભાજપાના ચાવવાના અને બતાવવાના દાંતમાં ટેન્ડરમાં જે રીતે ડેવિએશન આવે છે તેવું ડેવિએશન છે.

એક તરફ સ્પેન એવો દેશ છે જેણે તાજેતરમાં 17 સભ્યોની સરકારમાં 11 મહિલા મિનિસ્ટર અને ફક્ત 6 પુરુષને સમાવ્યા છે અને બીજી તરફ ભાજપા હાઇકમાન્ડને સુરત મહાનગરપાલિકામાં એકેય મહિલા કોર્પોરેટર પદ માટે લાયક જણાય નથી.

મેયર કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષપદ માટે ભારે લોબિંગ હતું

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશના ચાવીરૂપ પદોની વહેંચણીમાં એક બાબત ઉડીને આંખે વળગે તેવી હતી કે મેયર પદ કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષ પદ માટે સ્થાનિક સ્તરેથી લઇને રાજ્ય સ્તરના નેતાઓ ભારે ઇન્ટ્રેસ્ટેડ હતા. જ્યારે મેયર પદ માટે ડો. જગદીશ પટેલનું નામ આવ્યું ત્યારે સ્થાનિક સ્તરે જૂથવાદમાં રાચતા એકેય નેતાએ તેમના નામનો વિરોધ કર્યો નહીં, એ બાબત સૂચક છે કે મેયર પદ માટે અહીં કોઇ લડાઇ હતી જ નહીં જે હતું એ સ્થાયી સમિતિ ચેરમેન પદ કે જેની પાસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીની ચાવી રહે છે એ પદ માટે જ ખેંચતાણ હતી.

મુખ્યમંત્રીનું પણ માન ન રાખ્યું

મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે નિરવભાઇ શાહને મૂકવાની લાગણી ધરાવતા હતા. નિરવ શાહ સ્થાનિક સ્તરે પૂર્ણેશ મોદી જૂથ સાથે સક્રિય હોઇ, અન્ય જૂથ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવતા તેમનું નામ સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે ફાઇનલ થતા થતા રહી ગયું.

સવારે 9 વાગ્યે નામ ફાઇનલ થયા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સહિતના પદો પણ નામ ફાઇનલ કરવામાં ભાજપા મોવડીઓમાં છેક છેલ્લી ઘડી સુધી મડાગાંઠ જોવા મળી હતી. તા.13મીને બુધવારે રાત્રે જે નામો પણ સંમતિ સાધી લેવાઇ હતી, એ નામ આજે સવારે 9 વાગ્યે બદલવા પડ્યા હતા. સ્થાનિક નેતાઓએ પ્રદેશ નેતાઓ પર પોતપોતાના મળતીયાઓને ગોઠવવા માટે દરેક પ્રકારે લોબિંગ કરી જોયા હતા.

June 13, 2018
chikufarmbullet.jpg
1min16050

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

નરેન્દ્ર મોદીના 17 બિલિયન અમેરિકન ડોલર્સના અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આગામી ડિસેમ્બર સુધીમાં જમીન સંપાદનની કાર્યવાહી પૂરી કરવાની ડેડલાઇન છે પરંતુ, બુલેટ ટ્રેનના આ પ્રોજેક્ટને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવેલા કેરી અને ચીકુની વાડીઓ અટકાવી રહી છે. મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જ્યાં પ્રપોઝ કરાયો છે, અને જે ખેડૂતોની જમીન સંપાદનમાં લેવાની છે એ ખેડૂતો પોતાની જમીન ફાળવવા માટે રાજી નથી અને તેમણે આક્રમક આંદોલન શરૂ કર્યા છે. ખેડૂતોના આ આંદોલનને મહારાષ્ટ્રમાં સ્થાનિક રાજકારણીઓના આશીર્વાદ પણ સાંપડી રહ્યા છે. ચીકુ અને કેરીના ફાર્મથી ખેડૂતો દાયકાઓથી રોજીરોટી મેળવી રહ્યા છે, સંપાદન ઓથોરિટી દ્વારા જે રકમની ઓફર કરવામાં આવી છે તેનાથી કેરી અને ચીકુથી થતી આવક પણ થઇ શકે તેમ ન હોવાથી ખેડૂતો જમીનના બદલામાં આર્થિક વળતર ઉપરાંત રોજગારીની ગેરેન્ટી પણ માગી રહ્યા છે. આમ, નરેન્દ્ર મોદીની બુલેટ ટ્રેનને કેરી અને ચીકુ અટકાવી રહ્યા છે.

મહારાષ્ટ્રના પાલઘર ખાતે ખેડૂતોએ બુલેટ ટ્રેન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું તે વખતની તસ્વીર

મહારાષ્ટ્રમાં તો બુલેટ ટ્રેનની જમીન સંપાદનના બદલામાં સંબંધિત ઓથોરિટી દ્વારા ખેડૂતોને માર્કેટ ભાવ કરતા 25 ટકા વધુ પ્રીમિયમ ભાવ તેમજ અન્ય સ્થળ પર જમીન આપવાની ઓફર આપવામાં આવી છે પણ ખેડૂતોએ તેને પણ ઠુકરાવી દીધી છે. મહારાષ્ટ્રના ખેડૂતો હાલ બુલેટ ટ્રેન સામે આક્રમક દેખાવો કરી રહ્યા છે. ખેડૂતોએ જમીનના બદલામાં વળતર ઉપરાંત રોજગારીના કાયમી સ્ત્રોતની પણ તીવ્ર માગણી કરી છે જે સરકારની નીતિ વિરુદ્ધ અને ખોટો દાખલો બેસે તેમ હોવાથી જમીન સંપાદન ઓથોરિટીના હાથ બંધાય ગયા છે.

મુંબઇથી અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રપોઝ્ડ પ્રોજેક્ટમાં કુલ 108 રનિંગ કિલોમીટર વિસ્તારમાં જમીન સંપાદન કરવામાં ખેડૂતોના વિરોધને કારણે મોટી સમસ્યા સર્જાવા પામી છે અને આ જ કારણે આગામી ડિસેમ્બર 2018ની ડેડલાઇન સુધીમાં જમીન સંપાદન નહીં થઇ શકે જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે જોખમ સમાન છે.

June 6, 2018
3tien_feature.jpg
1min15630

વર્લ્ડ ઍન્વાયરમેન્ટ ડે નિમિત્તે મુંબઈ-પંજાબ વચ્ચે છેલ્લાં 106 વર્ષથી દોડતી ‘પંજાબ મેલ’માં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એસી-થ્રી ટિયર કૉચ જોડવામાં આવ્યો હતો. રેલવે ટ્રેક પર મુસાફરો દ્વારા ફેંકવામાં આવતી ફાલતુ ચીજવસ્તુઓના રીયુઝથી મેલના કેટલાક હિસ્સા તૈયાર કરવામાં આવ્યા છે.

રેલવે અધિકારીઓએ પંજાબ મેલ ટ્રેનમાં એક ઇકો ફ્રેન્ડલી કોચ લગાડ્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કૉચના ઈન્ટિરિયરમાં ફેરફાર કરીને ફ્લોર પર અને કૉચની દીવાલ પર ‘ક્રિબ શીટ’ લગાવવામાં આવી છે. આ શીટ તૈયાર કરવા માટે રેલવેએ ખાલી પડેલા ટેટ્રાપૅકના કૅન, ટૂથપેસ્ટ, ફેસક્રીમની ખાલી પડેલી ટ્યૂબને ઉપયોગમાં લેવામાં આવ્યા હોવાનું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

રેલવે દ્વારા કરવામાં આવેલા આ ફેરફાર અંગે પહેલાં પ્રવાસીઓની પ્રતિક્રિયા જાણવામાં આવશે અને ત્યાર બાદ જ વધુ ટ્રેનોમાં આ પ્રયોગ હાથ ધરવો કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, એવું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.

June 6, 2018
narmada.jpg
1min13860

ગુજરાતના સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસ માંથી 7257 ક્યુસેક પાણીની આવક થતા સપાટીમાં વધારો નોંધાયો છે અને 10 દિવસમાં 1.12 મીટરનો વધારો નોંધાયો હાલ ડેમની સપાટી 106.43 મીટર થઇ છે જેમાં વધારો થઇ રહ્યો છે, હાલ મધ્ય પ્રદેશમાં અને નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ બે દિવસમાં પડ્યો જે વરસાદી પાણી મધ્યપ્રદેશ ના ડેમમાં આવતા હાલ ડેમ ના પાવર હાઉસના ટર્બાઇન ચાલુ કરાતા ધીરે ધીરે સરદાર સરોવરમાં આવી રહ્યા છે જેને લઈને સરદાર સરોવરની સપાટીમાં વધારો થયો છે .

નર્મદા બંધની આઇબીટીપી ટનલ માંથી કેનલ માંથી ગુજરાત ને પીવા માટે હાલ પણ 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે સપાટી 110 મીટર પર જતા આઇબીટીપી ના ગેટ બંધ કરી દેવામાં આવશે. આ સાથે હાલ મેન કેનલ માં 6000 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. જોકે મધ્યપ્રદેશમાં વરસાદને પગલે હવે નર્મદા બંધની સપાટીમાં સતત વધારો નક્કી છે.. ઇંંદીરા સાગર ડેમનું રૂલ લેવલ વધતા અને વરસાદ પહેલા ડેમ ખાલી કરવા માટે હાલ વિજ મથકો દ્વારા પાની છોડાઇ રહ્યું છે.

1 જુલાઇ થી 30 જુન વચ્ચે ઇન્દીરાસાગર ડેમમાં થી 10 હજાર પાણી છોડવું એવો જળ વિવાદ પંચ નો ચુકાદો છે. જેને લઈને 11 જુન 2018નાં રોજનું ઇંદીરાસાગર ડેમનું રૂલ લેવલ 248.77 મીટર છે અને હાલમા પાનીની સપાટી 2.49.17 મીટર છે. જેથી પાણી છોડાઇ રહ્યું છે ત્યારે નર્મદા ડેમ પર આવતા પ્રવાસીઓ પણ ગાઈડ દ્વારા હાલ ડેમ ની સપાટી માં વધારો સાંભળતા ખુશ નજરે પડી રહ્યા છે આજે ડેમ પર છેલ્લા 6 મહિનાથી પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ચોમાસું આવતા પ્રવાસીઓ પણ વધી રહ્યા છે જેને લઈ ડેમ સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સરદાર ડેમના ઉપરવાસમાંથી સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે જેને કારણે પ્રવાસીઓમાં પણ વધારો થયો છે.

June 5, 2018
anaathfeture-1280x853.jpg
1min16590

સુરતના ચિલ્ડ્રન હોમના ૬૦ અનાથ બાળકો મનાલીના પ્રવાસે
સુરતના ચિલ્ડ્રન હોમમાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં મનાલી જતાં ૬૦ બાળકોનો અભિવાદન સમારોહ યોજાયો 
સરકારી બાળગૃહમાં રહેતા બાળકો માટે હિમાચલ પ્રદેશના મનાલી ખાતે બાળ સાહસિકતા શિબિરનું આયોજન
સુરતના બાલગૃહના ૬૦ બાળકો સહિત ગુજરાતના ૧૪૭ બાળકોને બે બેચમાં આવરી લેવાશે
બાળકોની સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્યને બહાર લાવવા બાળ સાહસિકતા શિબિર જેવા કાર્યક્રમો સહાયરૂપ બને છે: મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર

સરકારી બાળગૃહમાં રહેતા બાળકો પણ અન્ય બાળકોની જેમ કુદરતને ખોળે આનંદ-પ્રમોદ કરી શકે તે માટે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા આ બાળકો માટે હિમાચલ પ્રદેશના મનાલીમાં બાળ સાહસિકતા શિબિરનું આયોજન કરાયું છે. જેમાં સુરત ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ, કતારગામ અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રામનગર-રાંદેરના ૬૦ બાળકો પણ ભાગ લઇ રહ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કતારગામના વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમ ખાતે આ બાળકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો

આ પ્રસંગે મનાલી પ્રવાસે જતા બાળકોનું અભિવાદન કરતાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બાળગૃહના બાળકો પણ અન્ય બાળકોની જેમ બાળસહજ પ્રવૃત્તિઓ થકી આનંદ અને જ્ઞાન મેળવી શકે તે માટે બાળ સાહસિકતા શિબિરનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે રાજસ્થાનના આબુ ખાતે અનાથ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે પ્રકારે શિબિરનું આયોજન કરાયું હતું. આ વર્ષે હિમાચલના મનાલીમાં આયોજિત શિબિરમાં બાળકો સાહસિક અને ખડતલ બને તે માટે ટ્રેકિંગ-જોગિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે.

મંત્રીશ્રી પરમારે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્યને બહાર લાવવા બાળ સાહસિકતા શિબિરો ખૂબ સહાયરૂપ હોવાનું જણાવી ઉપસ્થિત સૌ બાળકોને જીવનમાં સાહસિકતાના ગુણો ખીલવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે દરેક બાળકોને ગુલાબનું ફૂલ ભેટ ધરી તેમના સુખમય અને આનંદદાયક પ્રવાસની શુભકામનાઓ પાઠવી હતી.
સ્વાગત પ્રવચન કરતાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના અધ્યક્ષ અને કોર્પોરેટરશ્રી ડો. જગદીશ પટેલે સમગ્ર કાર્યક્રમ વિષે વિસ્તૃત જાણકારી આપી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, સુરત દ્વારા ત્યજી દેવાયેલા બાળકો, અનાથ બાળકો, બાળમજૂરીમાંથી મુક્ત કરાવેલા બાળકોની સારસંભાળ, કાળજી અને રક્ષણની કામગીરીથી સૌને વાકેફ કરાવ્યા હતા.

બે બેચમાં યોજાનાર આ શિબિરમાં આગામી ૧૧ મી જુને સુરતના ૩૬ બાળકો અને ૨૪ બાળાઓ સહિત કુલ ૬૦ બાળકો મનાલી જવા રવાના થશે. ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા આયોજિત આ શિબિરની પ્રથમ બેચ તા.૫ જૂન થી ૧૪ જૂન ૨૦૧૮ દરમિયાન તેમજ બીજી બેચ ૧૧ જૂનથી ૨૦ જૂન ૨૦૧૮ દરમિયાન યોજાશે. પ્રથમ બેચમાં સુરત, વડોદરા તથા અમદાવાદથી રાજધાની ટ્રેનમાં ૭૭ બાળકો તથા બીજી બેચમાં સુરત, વડોદરા, અમદાવાદ અને પાલનપુરથી ૭૦ બાળકો પ્રસ્થાન કરશે. જેમાં સોસાયટીના અધિકારી/કર્મચારીઓ સાથે રહી બાળકોને માર્ગદર્શન આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને બેચની શિબિરમાં જોગણી વોટર હોલ્સ, હિડિમ્બા ટેમ્પલ, સ્નો/ભ્રીગુ, મનાલી જેવા પર્વતોમાં પર્વતારોહણની પ્રવૃત્તિ કરવામાં આવશે. તેમજ સાહસિકતા તાલીમ શિબિરમાં બાળકોને રિપલીંગ, ઝિપ લાઇન, રિવર ક્રોસિંગ, કેમ્પ ફાયર જેવી પ્રવૃત્તિઓ તેમજ નેતૃત્વ, જીવન કૌશલ્ય, હકારાત્મક વિચાર શૈલી અંગે સવિસ્તૃત માર્ગદર્શન અપાશે.

મંત્રીશ્રીએ ચિલ્ડ્રન હોમના વિવિધ વિભાગોની મુલાકાત લઇ અહી નિવાસ કરતાં બાળકોના ખબર-અંતર પણ પૂછ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિનુભાઈ મોરડિયા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એલ.બી.પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જે.એમ.ઠાકોર, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્ય શ્રીમતી રૂપલબેન શાહ, સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ ચૌધરી અને ઉર્વીબેન પરમાર સહિત ચિલ્ડ્રન હોમના કર્મચારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.