CIA ALERT

Slider Archives - Page 487 of 491 - CIA Live

June 27, 2018
oscar_feature.jpg
1min16810

તબુ, માધુરી દીક્ષિત, અનીલ કપૂર તેમ જ અભિનેતા અલી ફઝલને નિમંત્રણ દેવાયા છે. બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જી (બ્રીજ) તથા માધબી મુખરજી (ચારુલતા)નું નામ પણ આમંત્રણ મેળવનાર સભ્યોમાં

એકેડેમી ઓફ મોશન પીક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા વિક્રમસર્જક 928 નવા સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં બોલીવૂડના સુપરસ્ટાર શાહ રૂખ ખાન, તબ્બુ તેમ જ પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહનો પણ સમાવેશ થાય છે. જગપ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ સંલગ્ન સંસ્થા વૈવિધ્ય વિસ્તારવા ઈચ્છતી હોવાથી અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે.

અકાદમીએ એક જાહેરાતમાં કહ્યું હતું કે નવા સભ્યોને લીધે મોટા પાયે વૈવિધ્યમાં વધારો થશે. કારણ કે 49 ટકા આમંત્રિત મેમ્બર્સ મહિલા છે તથા 38 ટકા લોકો ત્વચાના વિવિધ રંગ ધરાવે છે. સભ્યો તરીકે 59 દેશના કલાકારોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. 59 દેશના કલાકારોને સભ્યો તરીકે નોતરાં દેવામાં આવ્યાં છે.

ઓસ્કાર એકેડેમીના નવા આમંત્રિતોમાં ભારતનો દબદબો છે. તબુ, માધુરી દીક્ષિત, અનીલ કપૂર તેમ જ અભિનેતા અલી ફઝલને નિમંત્રણ દેવાયા છે. બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જી (બ્રીજ) તથા માધબી મુખરજી (ચારુલતા)નું નામ પણ આમંત્રણ મેળવનાર સભ્યોમાં છે.

યશરાજ ફિલ્મના આદિત્ય ચોપરા તથા નિર્માતા ગુણીત મોન્ગાને પણ આ નામાવલિમાં સ્થાન મળ્યું છે.

ઈમ્તીયાઝ અલીના રોકસ્ટારમાં કામ કરવા બદલ જાણીતા સિનેમાટોગ્રાફર અનિલ મહેતાને, કોસ્ચ્યુમ ડિઝાઈનર ડોલી અહલુવાલિયા તેમ જ મનીષ મલ્હોત્રાને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે.

June 27, 2018
saudi1.jpg
1min20800

સઉદી અરેબિયામાં મહિલાઓને ડ્રાઈવિંગની પરવાનગી આપવામાં આવતાં હવે એ રાજ્યની આવક સઉદી અરેબિયાની ઑઈલ કંપની અર્માકોના શેરના વેચાણ જેટલી થશે. ગઇ તા.24મી જુન 2018ના રોજ લેવામાં આવેલા પગલાથી દેશની આવકમાં 2030 સુધીમાં વધીને 90 અબજ ડૉલર જેટલી થશે, એવું દુનિયાભરના એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે. સઉદી અરેબિયન ઑઇલ કંપનીના લગભગ પાંચ ટકા શેરના વેચાણમાંથી લગભગ 100 અબજ ડૉલરની આવક ઊભી કરી શકાય.

આ રીતે ઇકોનોમીને વેગ મળશે

ડ્રાઇવિંગ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાતાં ઑફિસમાં કામ કરતી મહિલાઓની સંખ્યા વધશે, વર્કફોર્સના કદમાં વધારો થશે. એકંદર આવક અને આઉટપૂટમાં વધારો થશે, ઇકોનોમીક એક્સપર્ટે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નોકરિયાત મહિલાઓની વધતી સંખ્યાનો સમાવેશ કરવા અર્થતંત્ર સાનુકૂળ બન્યા પછી જ આ લાભ મેળવી શકાશે. સઉદી અરેબિયાની લેબર માર્કેટમાં મહિલાઓનો સહભાગ નબળો છે. આર્થિક દૃષ્ટિએ માત્ર 20 ટકા મહિલા સક્રિય છે. અખાતના બીજા પાડોશી દેશો કરતાં આ દેશ પાછળ છે.

2016માં બીજા દેશોમાં મહિલાઓનો સહભાગ સરેરાશ 42 ટકા જેટલો હોવાનું જણાયું હોવાથી સઉદી વહીવટીતંત્રે સઉદી અરેબિયાના સમાજને આધુનિક બનાવવા ઘડી કાઢેલા નેશનલ વિઝન 2030 પ્રોગ્રામના મુખ્ય લક્ષ્યાંક પૈકી એક મહિલાઓનો સહભાગ વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સઉદી અરેબિયામાં તેમના (મહિલાઓના) એક ટકા પોઇન્ટ ઉમેરવામાં આવે તો લેબર માર્કેટમાં કામ કરતી મહિલાઓની સંખ્યા વધીને 70,000 થાય.

તા.24મી જુન 2018નો દિવસ સઉદી અરેબિયામાં રહેતી મહિલાઓ માટે ઐતિહાસિક દિન બની રહેશે. મહિલાઓના ડ્રાઇવિંગ પરની પાબંદી ઉઠાવી લેવાતાં ઉજવણી કરવા મહિલાઓએ રિયાધના રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરવાનો આનંદ માણ્યો હતો.

સઉદી અરેબિયાના ઊર્જા ખાતાના પ્રધાન ખાલિદ અલ-ફાલિહે જણાવ્યું હતું કે ડ્રાઈવિંગ પરની પાબંદી ઉઠાવી લેવાનો અર્થ મહિલાઓ વધુ શક્તિશાળી બનશે અને તેઓ વધુ સક્રિય બનશે.

 

June 27, 2018
firebikes.jpg
1min16980

જયેશ બ્રહ્મભટ્ટ

કોટ વિસ્તાર એટલે કે જુના તળ સિટી વિસ્તાર, ગીચ ગલીઓમાં આગ લાગે કે બિલ્ડિંંગ છત તૂટી ગઈ તો હવે ડરવાનું કારણ નથી. ફાયરબ્રિગેડના કંટ્રોલરૂમમાં ફોન કરવાની સાથે જ ઘટના સ્થળે તુરંત ફાયર મોટરબાઈક મદદ માટે પહોંચી જશે. મુંબઈના સાંકડા રસ્તા અને ગલીઓમાં આવેલી વસતિમાંથી રસ્તો કાઢીને ઘટના સ્થળે ફાયર બાઈક ગણતરીના સમયમાં પહોંચી જશે. મુંબઈ ફાયરબિગ્રેડે પ્રાયોગિક ધોરણે પાંચ ફાયર બાઈકની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે, જેમાં એક બાઈકની કિંમત 76 લાખ 12 હજાર 800 રૂપિયા છે. મુંબઇ બાદ દેશના અન્ય શહેરોમાં પણ ફાયરબ્રિગેડ ફાયર બાઇક્સ કન્સેપ્ટ ઝડપભેર સ્વીકારે એ દિવસો દૂર નથી.


મુંબઈમાં ઠેર ઠેર વિકાસના નામે ઊંચા ઊંચા ટાવર ઊભા થઈ ગયા છે પણ અનેક જગ્યાએ રસ્તાઓ અને ગલીઓ હજી પણ સાંકડી છે. તેમાં પાછું રસ્તા પર ફેરિયાઓ તેમ જ ગેરકાયદે રીતે પાર્કિંગને કારણે રસ્તાઓ પરથી વાહનોને પસાર થવાને જગ્યા ઓછી પડતી હોય છે. ત્યારે આવા સમયે જો કોઈ દુર્ઘટના થાય તો ફાયરબ્રિગેડની ગાડીઓ રસ્તો કાઢીને સમસયર ઘટનાસ્થળે પહોંચી શકતી નથી અને મોટી જાનહાનિ થતા માલમિલકતને નુકસાન થવાનો ભય હોય છે.

કાલબાદેવીમાં આવેલી ગોકુલ નિવાસ બિલ્ડિંગમાં 2015ની સાલમાં લાગેલી આગની દુર્ઘટના સમયે રસ્તો સાંકડો હોવાને કારણે તેમ જ બે ઈમારતની વચ્ચે જગ્યા પણ સાંકડી હોવાને કારણે ફાયરબિગ્રેડની સમયસર મદદ મળી શકી નહોતી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.ઉપરાઉપરી આગની દુર્ઘટનાઓને પગલે ફાયરબ્રિગેડે આવા સમયે તુરંત ઘટનાસ્થળે પહોંચીને બચાવકામગીરી પાર પાડી શકાય તે માટે કમર કસી છે. તે મુજબ મુંબઈ ફાયરબિગ્રેડે હવે ફાયર બાઈક ખરીદવાનો નિર્ણય લીધો છે અને એક ખાનગી કંપની સાથે પાંચ વર્ષનો કૉન્ટ્રાક્ટ કર્યો છે.

ઇમરજન્સી રિસ્પોન્સ ટાઇમ અડધોઅડધ ઘટી જાય  છે

એક્સપર્ટસ કહે છે કે દરેક મોટા શહેરોમાં ફાયર બ્રિગેડમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં નાના વ્હીકલ્સ હોવા જ જોઇએ. ગીચ વિસ્તારો, સાંકડી શેરીઓમાં જ્યારે હોનારત સર્જાય ત્યારે નાના વ્હીકલ્સ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચીને તાકીદે બચાવ રાહતની કામગીરી શરૂ કરી શકાય છે. એવી જ રીતે નાની હોનારત કે જ્યાં ફાયર બાઇક્સથી કામ પૂરું થઇ જતું હોય ત્યારે મોટા વ્હીકલ્સને બિનજરૂરી રીતે એકશનમાં લાવીને મેઇન્ટેનન્સ કોસ્ટ શું કામ વધારવાની. મોટા વ્હીકલ્સથી બચાવ રાહત કામગીરી શરૂ થાય તેના કરતા અડધોઅડધ ઓછા સમયમાં ફાયર બાઇક્સથી ઇમરજન્સી રિસ્પોન્સ આપી શકાય છે.

સુરત શહેરમાં પણ આવી જ સ્થિતિ છે. સુરતના કોટ વિસ્તારમાં ગીચ શેરીઓમાં જ્યારે પણ કોઇ હોનારત કે આગ લાગવાની ઘટના બને ત્યારે પણ ફાયર બ્રિગેડને ઘટના સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. ફાયર બાઇક્સને કારણે કોઇપણ હોનારત સમયે ઇમરજન્સી રિસ્પોન્સ ટાઇમ મોટા ફાયર વ્હીકલ કરતા અડધોઅડધ ઘટાડી શકાય તેમ હોવાથી નિષ્ણાંતો માને છે કે દેશભરના મહાનગરોમાં આગામી દિવસોમાં ફાયર બાઇક્સ જોવા મળશે.

June 26, 2018
jalyatra.jpg
1min13070

અમદાવાદનાં નગરદેવતા જગન્નાથજી મંદિર, જમાલપુર ખાતેથી નીકળનારી જળયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ૧૦૮ કળશ કે જેમાં જળ ભરીને લાવવામાં આવે છે. રથયાત્રા માટેના ઉપરણાની તૈયારીઓ પણ ચાલી રહી છે. તા.૨૮મી જૂને ‘જળયાત્રા મહોત્સવ’ ઉજવાશે.  ‘જળયાત્રા મહોત્સવ’ જેઠ સુદ પૂર્ણિમા, તા.૨૮મી જૂને ઉજવાશે. આ પ્રસંગે જગન્નાથજી મંદિરેથી મહંત દિલીપદાસજી મહારાજની નિશ્રામાં શોભાયાત્રા સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવા સવારે ૮ વાગ્યે થશે. સવારે ૮.૩૦ વાગ્યે નદીએથી ૧૦૮ કળશમાં જળભરીને મંદિરમાં લાવવામાં આવશે-ગંગાપૂજન વિધિ થશે. ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ મહાજળાભિષેક કરાશે. ત્યારબાદ ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ એવા સવારે ૧૧ વાગ્યે ગજવેશ શણગારના દર્શન થશે.

આ પ્રસંગે ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજનાં આશીર્વચન થશે. મહોત્સવના મુખ્ય અતિથિ તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સાથે જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત ધારાસભ્યો, સાંસદ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.

જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે, મંદિરમાં જળયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ રથયાત્રા માટે ઉપરણા બનાવવાનું કાર્ય મંદિરના સ્વયંસેવકો દ્વારા ચાલી રહ્યું છે.

જ્યારે ઉપરણાના પ્રસાદ અંગે તેમણે જણાવ્યું કે, ભગવાન જગન્નાથજીને નેત્રોત્સવ વિધિ દરમિયાન આ ઉપરણા આંખે બાંધવામાં આવતા હોય છે. જેનાથી તેઓ સ્વસ્થ બને છે. માટે મંદિર દ્વારા ભગવાનની નિજ પ્રસાદીરૂપ આ ઉપરણા અષાઢી બીજે- ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યા માટે નીકળે છે ત્યારે માર્ગમાં વહેંચવામાં આવે છે. આ ઉપરણા મંદિરમાં જ, સ્વયંસેવકો દ્વારા જ તૈયાર થયેલા હોય છે. જેની તૈયારી રથયાત્રાનાં ૨૦-૨૫ દિવસ પૂર્વે મંદિર દ્વારા શરૂ થઇ જાય છે. સાથોસાથ આ દોઢ  લાખ કરતાં વધુ ઉપરણા વહેંચવામાં આવે છે. સાથે જ રથયાત્રા પરંપરાગત માર્ગ ઉપર નીકળે છે ત્યારે ભગવાનનો પ્રસાદ ઉપરણા મેળવવા ભક્તોની પડાપડી થાય છે.

June 26, 2018
narmada.jpg
1min12500

ગુજરાતની નદીઓ અને ડેમોમાં પણ પાણીની આવક નોંધાઈ છે, જેને કારણે સરદાર સરોવરની ડેમ સપાટી પણ વધી ગઈ છે. મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદ તેમજ ડેમના ઉપરવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં 48 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલની ડેમની સપાટી 107.25 મીટર છે. ડેમની સપાટીમાં દર કલાકે બે સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી હાલ 21,333 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમની મુખ્ય કેનાલમાં ગુજરાત માટે 2432 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મધ્યપ્રદેશના ડેમોમાં પાવરહાઉસ ચાલુ કરાયા છે. તો ઉપરવાસમાંથી 9826 ક્યુસેક પાણી છોડાયું છે, જેથી પાણીની આવક થતા સપાટીમાં વધારો થયો છે. દર કલાકે નર્મદા ડેમની સપાટી 1 સેન્ટિમીટર જેટલી વધી રહી છે.

ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યના દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર પ્રાંતોમાં વરસાદ નોંધાયો છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સોમવારે ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે લોકોનો મૂડ અને મિજાજ પણ બદલાયેલો જોવાયો હતો. લોકોના ચહેરા પર તો ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

 

June 25, 2018
gold2.jpg
1min12850

ગયા વર્ષે પહેલી જુલાઈથી જીએસટી અમલમાં આવ્યો ત્યારથી સોનાનો ગેરકાયદે વ્યાપાર ઘણો વધી ગયો છે. બુલિયન ડીલર્સ અને જ્વેલર્સનું કહેવું છે કે તેમના બિઝનેસને ફટકો પડ્યો છે.

નવી ટેક્સ સિસ્ટમ અમલમાં આવી ત્યારથી સરકારે વેચાણના જુદા જુદા પોઇન્ટ પર ટેક્સ ચોરીની તપાસ અટકાવી દીધી છે. સંગઠિત ગોલ્ડ ઇન્ડસ્ટ્રીને અપેક્ષા હતી કે જીએસટી લાગુ થવાથી ગેરકાયદે વેપાર અટકી જશે અને ટેક્સના નિયમોનું પાલન થશે. પરંતુ એમ થયું નથી તેવું ડીલર્સનો દાવો છે. તેમણે કહ્યું કે દક્ષિણ ભારતમાં આ સમસ્યા વધારે ગંભીર છે જે દેશમાં સોનાનું સૌથી મોટું બજાર છે.

અગ્રણી બુલિયન સંચાલકે જણાવ્યું કે “જીએસટી લાગુ થયો ત્યારથી સોનામાં ગેરકાયદે બિઝનેસ વધ્યો છે. તેનું કારણ એ છે કે સરકારે ટેક્સ ચોરીની ફરજિયાત ચકાસણી અટકાવી દીધી છે.”

કેરળ અને તામિલનાડુ હવે સોનાના ગેરકાયદે વ્યાપારનાં કેન્દ્રો
ગોલ્ડ પર ત્રણ ટકા જીએસટી અને 10 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગુ પડે છે. કેરળ અને તામિલનાડુ હવે સોનાના ગેરકાયદે વ્યાપારનાં કેન્દ્રો છે. જોકે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સના આગેવાને કહ્યું કે ગેરકાયદે ટ્રેડ માત્ર દક્ષિણ ભારત પૂરતું મર્યાદિત નથી. પડોશી દેશોની સરહદ પરથી પણ ગેરકાયદે માલ લાવવામાં આવે છે. તેથી બુલિયન અને જ્વેલરી ઉદ્યોગ માટે સમસ્યા પેદા થાય છે. આવી પદ્ધતિના કારણે પારદર્શક વેપાર થઈ શકતો નથી.”

ભારતમાં વર્ષે 800થી 850 ટન સોનાનો વપરાશ થાય છે. કુલ સ્થાનિક વપરાશમાં દક્ષિણ ભારતનો હિસ્સો 40 ટકા છે. ત્યાર બાદ 25 ટકા હિસ્સો પશ્ચિમ ભારત, 20 ટકા હિસ્સો ઉત્તર અને 15 ટકા હિસ્સો પૂર્વ ભારતનો છે.

કેટલાક ટ્રેડર્સ કોઈ પણ ટેક્સ ચૂકવ્યા વગર રાજ્યોમાં દાણચોરીથી બુલિયન ઘુસાડે છે. તેને તેઓ ઘરેણાંમાં રૂપાંતરિત કરીને ડાયરેક્ટ સેલિંગ એજન્ટ મારફત વેચે છે. કેરળમાં 40 ટકા જ્વેલરી ઉત્પાદકો જ જીએસટી મુજબ કામ કરે છે.

June 25, 2018
bombaybaris.jpg
1min17380

સમગ્ર પશ્ચિમ ભારતમાં રવિવારથી શરૂ થયેલા વરસાદે સોમવારે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. ખાસ કરીને સપ્તાહનો પ્રારંભ બોમ્બેવાસીઓ માટે કપરો રહ્યો હતો. વરસાદને કારણે સર્જાયેલી ઘટનાઓના  વિડીયોઝ અને ફોટા સોશ્યલ મિડીયામાં ગરમાગરભ ભજીયા ઉપડતા હોય તે રીતે ટ્રોલ થયા હતા. અહીં

 

 

 

 

June 25, 2018
Emergency-3.jpg
1min13120

 

જયેશ બ્રહ્મભટ્ટ

43મી વરસીએ ઇમરજન્સી-1975 સોશ્યલ મિડીયામાં ટ્રોલ થઇ

આજથી બરાબર 43 વર્ષ અગાઉ તા.25મી જુન 1975ના દિવસે ભારતના તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ રાષ્ટ્રીય કટોકટી (ઇમરજન્સી)ની જાહેરાત કરી હતી. 1977 સુધી ચાલેલી આ ઇમરજન્સીને ભારતીય લોકશાહીમાં સૌથી કલંકિત ઘટના તરીકે લેવામાં આવે છે. તા.25મી જુનને દર વર્ષે ડાર્કેસ્ટ ડે તરીકે પણ ભારતમાં ઉજવવામાં આવે છે.

  • ઇમરજન્સીની ઘોષણા તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ કરી હતું.

  • સત્તાવાર નોટિફિકેશન તત્કાલિન રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદની સહીથી ઇશ્યુ થયું હતું.

  • ઇમરજન્સી તા.25મી જુન 1975ના દિને ઇમ્પોઝ કરવામાં આવી હતી.

  • ઇમરજન્સી તા.21મી માર્ચ 1977ના દિને પરત ખેંચી લેવામાં આવી.

  • ઇમરજન્સી પહેલા કોંગ્રેસનું સંખ્યાબળ લોકસભામાં 352 સીટનું હતું.

  • ઇમરજન્સી પછી કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 153 પર સીમીત થઇ ગયું હતું.

 

ઇન્દીરા ગાંધીએ ભારતમાં લાદેલી એ ઇમરજન્સી આમ તો 3જી કટોકટી હતી. એ પહેલા 1962માં ચાઇના સામેની જંગ સમયે પહેલી વખત ભારતમાં ઇમરજન્સી ઘોષિત કરવાાં આવી હતી. દ્વિતીય ઇમરજન્સી 1972માં પાકિસ્તાન યુદ્ધ વખતે અને એ પછી 1975માં ઇન્દીરા ગાંધીએ રાજકીય કારણોસર ઇમરજન્સી ઘોષિત કરી હતી. ત્રીજી ઇમરજન્સી કોઇ બાહ્ય કારણથી નહીં બલ્કે દેશમાં અંદરોઅંદરના વિખવાદો ખાસ કરીને રાજકીય સ્થિરતાના અભાવે લાદવામાં આવી હોવાનો આરોપ તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધી પર મૂકવામાં આવ્યો હતો. 1975ની ઇમરજન્સી વખતે લોકસભાની ચૂંટણીઓ રદ કરી દેવામાં આવી હતી. વિપક્ષી નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. સરકાર વિરોધી દેખાવોને સખત હાથે ડામી દેવામાં આવ્યા હતા એટલું જ નહીં પણ લોકશાહીની ચોથી જાગીર ગણાતા પ્રેસ-મિડીયા પર સેન્સરશીપ લાદી દેવામાં આવી હતી. કેટલાક કાયદાઓ સરકારની તરફેણમાં બદલી નાંખવામાં આવ્યા હતા.

June 25, 2018
iit.jpg
1min6030

જયેશ બ્રહ્મભટ્ટ

IIT જાણે મહિલાઓ માટે બની જ નથી એ પ્રકારનું દ્રશ્ય દર વર્ષે જોવા મળી રહ્યું છે. IIT જેવી વૈશ્વિક ઇજનેરી કોલેજોમાં મહિલા ઉમેદવારોની સંખ્યા જળવાય રહે તે માટે ચાલુ શૈક્ષણિક વર્ષ 2018થી IITમાં ખાસ ફિમેલ ઓન્લી પુલ ઉભું કરીને તેમાં 800થી વધારે સીટ્સ ઉમેરવામાં આવી છે જેમાં ફક્તને ફક્ત ગર્લ્સ કેન્ડીડેટ્સને જ પ્રવેશ આપવામાં આવશે એવું નક્કી કરાયું છે. પરંતુ, જેઇઇ એડવાન્સ્ડ 2018 ના પરીણામો જોતા આ વખતે પણ IITમાં મહિલાઓનું પ્રમાણ સાવ નિમ્નસ્તરે જ રહેશે તેવું જણાય રહ્યું છે. આઇઆઇટી જેઇઇ એડવાન્સ્ડ 2018માં ટોચના 24,500 રેન્કર્સમાં ગર્લ્સ કેન્ડીડેટ્સની સંખ્યા ફક્ત 3000 છે.

જેઇઇ એડવાન્સ્ડના ટોપ રેન્કર્સ સ્ટુડન્ટ્સની સંખ્યામાં ફિમેલ કેન્ડીડેટની સંખ્યા પર નજર કરીએ તો ટોચના 500 વિદ્યાર્થીઓમાં ગર્લ્સની સંખ્યા ફક્ત 14 છે. ટોચના 1000 રેન્કર્સમાં 46ની સંખ્યા છે, જે ગયા વર્ષે 2017માં 68ની હતી. જેઇઇ એડવાન્સ્ડ 2018માં ટોચના 5000 રેન્કર્સમાં ગર્લ્સની સંખ્યા ફક્ત 410, ટોચના 10000 જેઇઇ એડવાન્સડ રેન્કર્સમાં ગર્લ્સની સંખ્યા ફક્ત 935 જ છે.

જેઇઇ એડવાન્સ્ડમાં ગર્લ્સ સ્કોરર્સની સંખ્યા કેટલી

  • ટોપ સ્કોરર સંખ્યા         ગર્લ્સની સંખ્યા
  • 500                                 14
  • 1000                              46
  • 5000                             410
  • 10000                           935
  • 12,500                        1202
  • 24500                        3000

ગર્લ્સ ઓન્લી પુલ્સની 800 સીટને બાદ કરીએ તો દેશભરમાં કુલ 23 આઇઆઇટીમાં 11,270 સીટ્સ છે. એ જોતા જેઇઇ એડવાન્સ્ડમાં ટોચના 12,000 રેન્કર્સમાં 1202 જ ગર્લ્સ સ્થાન મેળવી શકી છે. આમ, સમગ્ર આઇ આઇટી સીટ્સમાં પણ આ વખતે મહિલાઓની સંખ્યા 10 ટકાને પણ પાર કરી શકે તેમ નથી.

અહીં એ પણ નોંધપાત્ર બાબત છે કે સૌથી જુની દેશની 7 આઇઆઇટીમાં મહિલા વિદ્યાર્થિનીઓની સંખ્યા ફક્ત 3 ટકા જ છે.

June 24, 2018
zimfe.jpg
1min14500

ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટ મ્નન્ગાગ્વા બુલાવાયો ખાતે તા.23મી જુને થયેલા એક બોંબ વિસ્ફોટથી વ્હેંત છેટા રહીને બચી જવા પામ્યા હતા. ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટ મ્નન્ગાગ્વા બુલાવાયો શહેરના સિટી સ્ટેડીયમ ખાતે એક રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક જ બોંબ વિસ્ફોટ થતા ભારે નાસભાગ મચી જવા પામી હતી.

ઝિંબાબ્વેના બુલાવાયો શહેર ખાતે પ્રેસિડેન્ટની રેલીમાં વિસ્ફોટ થયાની બીજી મિનિટે લેવાયેલી તસ્વીર

ઝિંબાબ્વેના બુલાવાયો શહેર ખાતે બોંબ વિસ્ફોટ બાદ રેડક્રોસ સોસાયટીએ ત્વરિત બચાવ રાહતની કામગીરી શરૂ કરી દીધી હતી

બોંબ વિસ્ફોટ ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટની બેઠકથી થોડા ઇંચ પર જ થયો હતો. વિસ્ફોટ અંગે ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટએ ટ્વીટર પર પણ જાણકારી આપીને તેમને ઉગારી લેવા બદલ પ્રભુનો પાડ માન્યો હતો.