Slider Archives - Page 463 of 488 - CIA Live

August 11, 2018
guj.jpg
1min15270

ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનથી વ્યાપક નુકસાન વેઠનારી ભાજપની સરકારે ગત વિધાનસભાની ચૂંટણી પહેલા બિનઅનામત વર્ગ કે સવર્ણો માટે અલગ આયોગની રચના સહિતની સમાધાનકારી યોજનાઓ અમલમાં મૂક્યા બાદ હવે જ્યારે પાસના નેતા હાર્દિક પટેલે આગામી 26મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસનું એલાન આપ્યું છે ત્યારે ભાજપ સરકારે આજે શુક્રવારે બિનઅનામત વર્ગની 50થી વધુ જ્ઞાતિઓ માટે જુદી જુદી પાંચ યોજનાઓની જાહેરાત કરી છે.

 

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરતા કહ્યું હતું કે, બિન અનામત વર્ગ માટે સરકારે કેટલીક યોજના બનાવી છે. આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓ અને સમાજના એવા વર્ગને થશે જેઓને અનામતનો લાભ નથી મળતો. આ યોજનાથી અનામત મેળવતા વર્ગને કોઇ નુકસાન થશે નહીં. રાજ્યમાં ચાલતા મેડિકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવાસિયક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુવેર્દિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપીસ વેટરનરી વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ, બીકોમ, બીએસસી, બીએ વગેરે સિવાય) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યૂશન ફી અથવા 10 લાખ રૂપિયા તે બે પૈકી તે ઓછું હોય તે પ્રમાણેની લોન 4 ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીએ ધોરણ 10માં 60 ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઇએ, વ્યાજનો દર વાર્ષિક 4 ટકા લેખે સાદું વ્યાજ, તો કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 3 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ. અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઇએ. આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા અરજદારે ધોરણ 12 પછી એમબીબીએસ માટે , ડિપ્લોમા પછી ડીગ્રી માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે અને રિસર્ચ જેવા ટેક્નિકલ પેસમેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂપિયા 15 લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે. અરજદારે ધોરણ 12માં 60 ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઇએ. આ લોન વાર્ષિક 4 ટકાના લેખે સાદું વ્યાજ આપવામાં આવશે. કુટુંબની વાર્ષિક આવકમર્યાદા 4.50 લાખ કે તેથી ઓછી હોવા જોઇએ.

August 10, 2018
mumbai.jpg
1min9300

મુંબઇને માથે કોઇને કોઇ આપત્તિ મંડળાયેલી રહેતી હોય છે. હાલમાં મેઘરાજાએ મુંબઇમાં પોરો ખાધો છે ત્યારે હવે દરિયો મુંબઇવાસીઓ માટે નવું સંકટ લઇને આવી રહ્યો છે. આગામી સપ્તાહમાં મુંબઇના દરીયાકાંઠે મોટી ભરતી આવશે અને આ મોટી ભરતી સમુદ્રનો કચરો મુંબઇના દરીયા કિનારાઓ પર ઘસડી લાવશે. આ સમસ્યાથી છુટકારો મેળવતા ફરીથી મુંબઇગરાઓ સમેત તંત્રવાહકોએ દિવસો સુધી સફાઇ કામગીરી કરવી પડશે.

જાણકારો કહે છે કે આગામી સપ્તાહમાં દરિયામાં મોટી ભરતી આવશે અને દરિયાઇ મોજાં ઉંચા ઉછળશે તેની સાથે જ મુંબઈના કિનારા પર મોટા પ્રમાણમાં કચરો તણાઈને આવવાની શકયતા છે.  આ મહિને દરિયામાં છ દિવસ મોટી ભરતી છે. દસમી ઑગસ્ટથી 15 ઑગસ્ટ દરમિયાન મોટી ભરતી છે, જેમાં સૌથી ઊંચી ભરતી સોમવાર 13 ઑગસ્ટના છે, તે દિવસ દરિયામાં 4.96 મીટર ઊંચા મોજાં ઉછળશે. તો આજે 4.60 મીટર, શનિવારે 4.82 મીટર, રવિવારે 4.95 મીટર, મંગળવારે 4.85 મીટર અને બુધવારે 4.62 મીટર જેટલા મોજાં ઊંચા ઉછળશે. છેલ્લાં થોડાં વર્ષમાં દરિયામાં કચરો નાખવાનું પ્રમાણ વધી ગયું છે. ચોપાટી પર મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. તેમાંથી મોટાભાગના લોકો દરિયામાં કચરો નાખતા હોય છે. તો જહાજના માધ્યમછી પણ નાખવામાં આવતો કચરો ભરતીના સમયમાં મોજાની સાથે કિનારા પર ધસડાઈને આવતો હોય છે. 15 જુલાઈના મોટી ભરતી હતી અને મોજાં 4.97 મીટર ઊંચાં ઉછળ્યાં હતાં ત્યારે કચરાના ઢગલા ને ઢગલા મરીન ડ્રાઈવ, જૂહુ, દાદર, માહિમ ચોપાટી પર પાણીની સાથે તણાઈને આવ્યા હતા. લગભગ 2015 મેટ્રિક ટન જેટલો કચરો મુંબઈના દરિયા કિનારા પર ઠલવાયો હતો. તેથી આજથી છ દિવસ ભરતીના છે ત્યારે ફરી મોજાની સાથે મોટા પ્રમાણમાં કચરો તણાઈ આવવાની શકયતાને પગલે પાલિકાએ મોટી સંખ્યામાં સફાઈ કામગારોને તહેનાત રાખ્યા છે.

મુંબઈમાં વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનની ક્ષમતા કલાકના 50 મિલીમીટર વરસાદી પાણીનો નિકાલ કરવાની છે પણ દરિયામાં મોટી ભરતી હોય અને દરિયામાં મોજા 4.5 મીટરથી ઊંચા ઉછળતા હોય અને બરોબર તે જ સમયે મુશળધાર વરસાદ પડતો હોય તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે. તેને કારણે દર વર્ષે ચોમાસામાં મોટી ભરતીના દિવસની પાલિકા યાદી બનાવીને તે દિવસે દરિયા કિનારા પર પાલિકા યંત્રણા સુજ્જ રહેતી હોય છે.

August 10, 2018
comando.jpg
1min12280

દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકની દેખરેખમાં મહિલા સ્વૉટ કમાન્ડો નામનું એક વિશેષ દળ બનાવવામાં આવ્યું છે જેમાં 36 વુમન કોન્સ્ટેબલને 15 મહિના ટ્રેનિંગ આપવામાં આવી છે. આ મહિલા કમાંડૉમાં તાજેતરમાં જ દિલ્હી પોલીસમાં ભરતી થયેલી દેશભરની મહિલા કોન્સ્ટેબલમાંથી અસમમાંથી 13, મણિપુરમાંથી 5, અરૂણાચલ પ્રદેશમાંથી 5, સિક્કીમમાંથી 5, મેઘાલયમાંથી 4, નાગાલેન્ડમાંથી 2 અને મિઝોરમ અને ત્રિપુરામાંથે 1-1 કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવી છે. હાલમાં તેમને રાજપથ અને વિજય ચોક પર તૈનાત કરવામાં આવશે. તેમની ટ્ટ્રેનિંગ પીટીસી ઝડૌદા કલાં અને માનેસરમાં થઈ છે.

આગામી સ્વતંત્રતા પર્વ, 15મી ઓગસ્ટ 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લાની પરથી દેશને સંબોધી રહ્યાં હશે ત્યારે તેમની સુરક્ષામાં એસપીજી અને લોકલ પોલિસ સાથે દિલ્હી પોલીસની વુમન સ્વૉટ કમાંડો ટીમ પણ તૈનાત હશે. દિલ્હી પોલીસની આ કમાંડૉ ટીમ દેશના કોઈ પણ રાજ્ય પોલીસમાં આ પહેલી ટીમ છે.

દિલ્હી પોલીસે તૈયાર કરેલી આ મહિલા કમાન્ડોને કમાંડૉ ટ્રેનિંગ 12 મહિનાથી આપવામાં આવી હતી. આ દળ પુરૂષ કમાંડૉ કરતા પણ વધારે તાલિમબદ્ધ છે. ઉપરાંત તેમને એનએસજીની કમાંડૉ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આ મહિલા કમાંડૉ બુલેટપ્રૂફ ગાડીઓમાં તૈનાત હશે. આ ગાડીઓને પણ વુમન કમાંડૉ જ ચલાવશે. શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આ દળને દિલ્હીની જનતાને સમર્પિત કર્યું હતું.

દિલ્હી પોલીસનું કહેવું છે કે, વર્તમાનમાં દેશના કોઈ પણ રાજ્ય પોલીસ પાસે આ કક્ષાની મહિલા કમાંડૉ ટીમ નથી.

August 10, 2018
10_08_2018-vaibhav-raut_18300964.jpg
1min6590

આજે સવારથી જ મુંબઇ ફરીથી સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કેમકે મુંબઇ ATS ટીમને નાલાસોપારા ખાતેથી 8 જેટલા ક્રુડ બોંબનો જથ્થો મળી આવ્યો છે. આ જ કારણથી મુંબઇ ક્રુડ બોંબના ન્યુઝ વાઇરલ થયા છે.

મુંબઇ પોલીસ સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ મુંબઇ ATS આતંકવાદ વિરોધી ટીમને નાલા સોપારાના એક ઘરમાંથી આઠ દેશી બોમ્બ મળી આવ્યા છે. આટલા મોટા જથ્થામાં ક્રુડ બોંબ મળી આવતા પોલીસ હરકતમાં આવી ચૂકી છે. જેના ઘરમાંથી ક્રુડ બોંબનો જથ્થો મળી આવ્યો છે એ વ્યક્તિની ઓળખ વૈભવ રાઉત નામથી કરવાં આવી છે.

નાલા સોપારામાં દરોડા પાડવા પહોંચેલી ટેરરિસ્ટ સ્ક્વૉડને નજીકમાં આવેલી એક દુકાનમાં પણ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો હતો. આ સામાનની તપાસ કરતા તેમાં ગન પાઉડર તેમજ ડીટોનેટર હોવાનું જણાયું હતું. એવી આશંકા છે કે આ સામાન દ્વારા ઓછામાં ઓછા બે ડઝન બોમ્બ બનાવી શકાય તેમ હતા.

આ વૈભવ રાઉત કોઇ હિન્દુવાદી સામાજિક સંસ્થા સાથે જોડાયેલો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જોકે, જે સંસ્થા સાથે તે જોડાયો છે એ સંસ્થાએ કહી દીધું છે કે તેમને સંજય રાઉત સાથે કોઇ સંબંધ નથી.

ક્રુડ બોંબ રાખવાના ગંભીર ગુના હેઠળ ઝડપાયેલા નાલાસોપારાના વૈભવ રાઉતને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે. તેના રિમાન્ડ દરમિયાન વધુ સ્ફોટક વિગતો પ્રકાશમાં આવે તેમ મનાય છે.

August 10, 2018
adh-1280x720.jpg
1min6960

 

 

સાબરમતી નદી પર એલિવેટેડ વે બનાવવાનો આરંભ

metro

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલ માટે અમદાવાદમાં યુદ્ધના ધોરણે કામકાજ હાથ ધરાઇ રહ્યું છે. ગુજરાતના સૌપ્રથમ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અમદાવાદમાં સાબરમતી નદી પર એલિવેટેડ વે બનાવવાનું કામ પણ ઝડપભેર હાથ ધરી દેવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની પહેલી મેટ્રો ટ્રેનનું અમદાવાદમાં ટ્રાયલ-રન આગામી ડિસેમ્બર મહિનામાં ધરાશે.

અમદાવાદમાં મેટ્રો રેલ ઈસ્ટ-વેસ્ટ કૉરિડોર અને નૉર્થ–સાઉથ કૉરિડોર એમ બે કૉરિડોરમાં ચાલશે. અમદાવાદના લોકો જેનો ઇન્તેજાર કરી રહ્યા છે એ મેટ્રો રેલની ટ્રાયલ-રન ૮ ડિસેમ્બરે વસ્ત્રાલથી અપૅરલ પાર્ક સુધી શરૂ કરવાનું પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે, જ્યારે નૉર્થ–સાઉથ કૉરિડોરમાં વાસણાથી શ્રેયસ સુધી ૨૦૧૯માં ટ્રાયલ-રન શરૂ કરવાનું આયોજન છે. મેટ્રો રેલનો આ આખો પ્રોજેક્ટ જુલાઈ-૨૦૨૦ સુધીમાં પૂરો કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.’

વસ્ત્રાલથી થલતેજ સુધીના રૂટ પર વચ્ચે સાબરમતી નદી આવે છે. સાબરમતી નદી પર મેટ્રો રેલ માટે બ્રિજ બનાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ અને નદીમાં પ્લૅટફૉર્મ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભાઈ છે. એકાદ વર્ષમાં મેટ્રો રેલ માટે સાબરમતી નદી પર બ્રિજ બની જશે. ૨૦૧૯ સુધીમાં નદી પર મેટ્રો રેલ માટેનો એલિવેટેડ વે ઉપયોગ માટે લઈ શકાય એ રીતે કામગીરી પૂરી કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

August 10, 2018
isha3.jpg
1min12670

ભારત જ નહીં વિશ્વભરમાં દરેક ઘરમાં માબાપને એક જ ફરીયાદ હોય છે કે ભણતા સંતાનો ગેડ્જેટ્સમાં કલાકો વેડફી નાંખે છે. મોબાઇલ, ટેબ્લેટ, આઇપોડ વગેરેને કારણે કુછંદે પણ ચઢી જતા હોય છે. ભાગ્યે જ કોઇ સંતાન રચનાત્મક કાર્ય કરીને નાની ઉંમરમાં મોટું કામ કરે છે. અમદાવાદની એક કિશોરીએ આવું જ રચનાત્મક કામ કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રીત કર્યું છે.

અમદાવાદમાં રહેતી ૧૨ વર્ષની ઈશા મજીઠિયાએ રામાયણના સુંદરકાંડ પર આધારિત ૩૫ ચિત્રોની એક શ્રેણી તૈયાર કરીને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

સુંદરકાંડના પાંચમા અધ્યાયમાં ૩૫ તસવીરોની મદદથી સુંદરકાંડની ચોપાઈઓ દર્શાવવામાં આવી છે. આ ચિત્રોમાં કાગળ પર ઍક્રેલિક, ક્રેયોન અને ચારકોલ દ્વારા ચિત્રણ થયું છે. તસવીરોના માધ્યમથી કોઈ શાસ્રનું નિરુપણ થાય એવી પહેલવહેલી ચિત્રકારી આ છે. ઈશા જ્યારે માત્ર ૬ વર્ષની હતી ત્યારથી તેણે આ વિષય પર કામ શરૂ કરેલું.

આ ચિત્રોની શ્રેણીનું અમદાવાદમાં પ્રદર્શન પણ થયેલું અને એ વખથે એક પુસ્તક પણ પ્રકાશિત થયું હતું. ઈશાની મમ્મી પ્રિયાનું કહેવું છે કે બાળકો આપણા પ્રાચીન અને પવિત્ર ગંથોના પ્રચાર અને સંરક્ષણમાં જોડાય એ આ પુસ્તક અને ચિત્રો બનાવવાનો ઉદ્દેશ છે. પુસ્તકમાં સુંદરકાંડના મૂળ પાઠનો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે. આ કામ માટે તાજેતરમાં ઈશાનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે.

isha2

isha

અમદાવાદની ઈશા મજીઠિયાએ ચિત્રો થકી સુંદરકાંડ સાર્થક કર્યું

 

August 10, 2018
rahul.jpg
1min5900

કૉંગ્રેસે 41 વર્ષ પછી પહેલીવાર રાજ્યસભાના નાયબ અધ્યક્ષની ચૂંટણીનો હારનો સામનો કરવો પડ્યો છે અને બિનકોંગ્રેસી સાંસદ ચૂંટાયા છે. જોકે, હજુ આ પદ પર ભાજપના સાંસદ હજુ બેસી શક્યા નથી. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અમિત શાહની ચાલ’ને સમજવામાં રાહુલ ગાંધીએ ફરી એકવાર ગોથું ખાધું છે. રાહુલ ગાંધીએ એવી ઘણી ભૂલો કરી કે રાજ્યસભા ઉપાધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો ?

જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પાંચ ભૂલ ન કરી હોત અને સક્રિય રહ્યાં હોત તો હરિવંશ સામે બીકે હરિપ્રસાદ કદાચ જીતી પણ શક્યા હોત. બી.કે. હરિપ્રસાદની પસંદગી સાવ છેલ્લી ઘડીએ કરાઇ. જ્યારે એનડીએ દ્વારા ચૂટણીની જાહેરાત સાથે જ ઉમેદવાર નક્કી કરાયો. વિપક્ષમાં ફોર્મ ભરવાના દિવસ સાથે ઉમેદવાર મામલે માથાકૂટ ચાલતી રહી. વિપક્ષ તરફથી પહેલાં એનસીપીના વંદના ચવ્હાણનું નામ આવ્યું, બાદમાં રાહુલે અંતિમ પત્તુ ખોલ્યું અને બીકે હરિપ્રસાદના નામની જાહેરાત કરી.

કોંગ્રેસે બીકે હરિપ્રસાદને ઉમેદવાર જાહેર કર્યા, એટલે આ ચૂંટણીજંગ વિપક્ષોની સંયુક્ત રીતે નહીં પરંતુ કોંગ્રેસનો વ્યક્તિગત જંગ બની ગયો. એટલે કોંગ્રેસ તરફથી સમર્થન મેળવવાની કોશિશ કરાઈ, પરંતુ યુપીએના બાકી પક્ષોની ભૂમિકા ફક્ત મત આપવા પૂરતી સિમિત થઈ ગઈ. જ્યારે એનડીએ તરફથી હરિવંશ ઉમેદવાર હતા, તેમ છતાં વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહએ એનડીએના સહયોગી દળો અને વિપક્ષના કેટલાક દળોના સમર્થન માટે વાતચીત કરી હતી.

રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી જીતવામાં એનડીએ પહેલાંથી જ સક્રિય રહ્યું. જ્યારે કોંગ્રેસ તરફથી ખાસ સક્રિયતા જોવા મળી નહીં.

ભાજપના નેતૃત્વયુક્ત એનડીએમાં જેડીયૂના ઉમેદવાર હરિવંશને જાહેર કર્યા ત્યારથી જ શિવસેના અને અકાલીદળે ખુલ્લીને નારાજગી જાહેર કરી હતી. આ બંને પક્ષો જેડી (યુ)ને બદલે પોતાના ઉમેદવારની પસંદગી થાય તેમ ઈચ્છતા હતા. તેમ છતાં આ પક્ષોની નારાજગીનો ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકી નહીં. જ્યારે સમયને વહેણને જોઈને મોદી અને અમિત શાહે શિવસેના અને અકાળી દળ સાથે વાતચીત કરીને મનાવી લીધા.

August 10, 2018
download-1.jpg
1min6140

ભારતની મહિલા ક્રિકેટ ટીમના કોચ બનવા ક્રિકેટ બોર્ડને કુલ ૨૦ અરજીઓ મળી છે જેમાં ભૂતપૂર્વ ભારતીય સ્પિનરો સુનીલ જોશી અને રમેશ પોવારનો સમાવેશ છે. તમામ અરજીકર્તાઓના આજે મુંબઈમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

અન્ય અરજી કરનારાંઓમાં ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર અજય રાત્રા તેમ જ વિજય યાદવ, ભારતની ભૂતપૂર્વ મહિલા કૅપ્ટન મમતા મબેન તેમ જ સુમન શર્મા, મારિયા ફાહે અને પૂર્ણિમા રાવનો સમાવેશ છે. આ બધામાં ભૂતપૂર્વ સ્પિનરો જોશી અને પોવાર સૌથી મજબૂત દાવેદાર ગણાય છે.

તાજેતરમાં તુષાર અરોઠેને તાજેતરમાં ટીમની અમુક ‘સિનિયર’ ખેલાડીઓની ‘સલાહ’ને આધારે કોચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમના સ્થાને પોવારને વચગાળાના કોચ બનાવવામાં આવ્યા છે.

સુનીલ જોશી ભારત વતી ૧૫ ટેસ્ટ અને ૬૯ વન-ડે રમ્યો હતો. પોવાર ભારત વતી બે ટેસ્ટ અને ૩૧ વન-ડે રમ્યો હતો.

August 9, 2018
IMG-0287.jpg
1min10750

Jayesh Brahmbhatt  98253 44944

સુરતમાં 12મી ઓગસ્ટે સ્ટાર બ્રાન્ડ શૉકેસમાં 2014થી અત્યાર સુધી જુદી જુદી બ્યુટી કોન્ટેસ્ટમાં વિનર ખિતાબ હાંસલ કરનારી સુરતની તમામ બ્યુટીઝ એક સાથે એક જ રેમ્પ પર ડ્રીમ કેટવૉક કરશે

2014માં મિસ સુરત અને 2015માં મિસ ગુજરાતનો ખિતાબ હાંસલ કરનાર રિના ટેંક આકર્ષણનું કેન્દ્ર બનશે

સૌંદર્ય સ્પર્ધાઓમાં ગુજરાત જ નહીં બલ્કે દેશભરમાં સુરતનું નામ ઉજાળી ચૂકેલી સુરતની બ્યુટી ક્વીન્સ એક જ પ્લેટફોર્મ પર આવે અને જુદી જુદી બ્રાન્ડ્સનું પ્રમોશન કરે તો તેને શું કહીશું. અફકોર્સ ડ્રીમ વૉક કહીશું. 2014થી અત્યાર સુધી જુદી જુદી બ્યુટી કોન્ટેસ્ટમાં મિસ સુરત અને મિસ ગુજરાતનો ખિતાબ હાંસલ કરી ચૂકેલી સુરતી બ્યુટીક્વીન્સ આગામી તા.12મી ઓગસ્ટના રોજ અવધ યુટોપીયા ખાતે યોજાનારા રંગારંગ કાર્યક્રમમાં એક સાથે કેટવૉક કરશે. સુરતની આ બ્યુટીઝમાં પ્રમુખ આકર્ષણ રીના ટેંક હશે. 2014માં રીના ટેંક મિસ સુરત બની હતી જ્યારે 2015માં રિનાએ મિસ ગુજરાતનો ખિતાબ હાંસલ કર્યો હતો.

ફેશન અને બ્યુટી ક્ષેત્રમાં સુરત હવે અવ્વલ દરજ્જે જઇ રહ્યું છે અને આગામી તા.12મીઓ અવધ યુટોપીયા ખાતે યોજનાર સ્ટાર બ્રેન્ડસ શૉ કેશ સુરતને બ્યુટી એન્ડ ફેશનની દુનિયામાં નવી ઉંચાઇએ લઇ જશે. સુરત સમેત રાજ્ય અને દેશની જુદી જુદી બ્રાન્ડસ પ્રોડક્ટસને પ્રમોટ તો કરાશે જ સાથોસાથ આ પ્રમોશન 2014થી 2018 સુધીમાં બ્યુટી કોન્ટેસ્ટ જીતનારા સુરતની તમામ બ્યુટીઝ રેમ્પ વૉક કરશે. તમામ વિનર્સ આ શૉમાં ભાગ લેશે સાથો સાથ સુરતની નામી-અનામી હસ્તીઓને આ બ્રેન્ડ શૉકેશના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. સુરતમાં બ્યુટી કોન્ટેસ્ટ વિનર્સ એક સાથે એક જ સ્ટેજ પર એક જ શૉમાં વૉક કરે એવી પહેલી ઘટના તા.12મી ઓગસ્ટના રોજ અવધ યુટોપીયા ખાતે આકાર પામશે.

સુરતની વિનર બ્યુટીઝ રેમ્પ પર ડ્રીમ વૉક તો કરશે જ સાથોસાથ જુદી જુદી ગારમેન્ટસ, કોસ્મેટિક્સ, ડ્રેસીંગ, સ્ટાઇલ, ફેશન, એસેસરીઝ વગેરે તમામનું પણ અદભૂત પ્રમોશન કરશે. સુરતમાં યોજાઇ રહેલા આ સ્ટાર બ્રેન્ડસ શૉને લઇને સમગ્ર રાજ્ય અને ખાસ કરીને મુંબઇ જેવા ફેશન સિટીના માંધાતાઓની પણ નજર કેન્દ્રીત થઇ છે.

 

August 9, 2018
harivansh_a123_1533555361_618x347.jpeg
1min8140
2019ની લોકસભા ચૂંટણી પહેલાં આજરોજ તા.9મી ઓગસ્ટ 2018ના રોજ રાજ્યસભાના ઉપાધ્યક્ષ માટે ચૂંટણી યોજાઇ હતી.
મુખ્ય ટક્કર એન.ડી.એ. અને યુ.પી.એ. વચ્ચે થઇ હતી. જેમાં NDAના ઉમેદવાર હરિવંશ સિંહની જીત થઇ છે. હરિવંશને 125ને મત મળ્યા હતા, જ્યારે UPAના બી.કે.હરિપ્રસાદને 105 મત મળ્યા હતા જો કે કેટલાક સાંસદોએ ખોટા બટન દબાવ્યા હોવાથી બે વખત મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ મતદાનમાં તેમને 115 અને બીજી વખતના મતદાનમાં કુલ 122 મત મળ્યા હતા. આ સાથે કુળ 222 સાંસદોએ રાજ્યસભામાં મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.