CIA ALERT

Slider Archives - Page 455 of 488 - CIA Live

August 22, 2018
narmada.jpg
1min5800

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં સિંચાઈ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી ૧૧૫.૫ મીટર પર પહોંચી ગઈ છે. ડેમમાં ૩૦ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે. નર્મદા ડેમની જળ સપાટી ૧૧૫.૫ મીટર પર પહોંચી ગઈ છે. અને નર્મદા ડેમમાં ૩૦ હજાર ક્યુસેક પાણીની આવક પણ થઈ રહી છે.

ગુજરાતને સિંચાઈ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ નર્મદા ડેમમાં થઈ ગયો છે. નર્મદા ડેમમાં સતત પાણીની આવકને કારણે ખેડૂતો અને લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. હાલ નર્મદા ડેમમાં ૫૦૦.૫૬ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

August 22, 2018
bn2-1280x853.jpg
1min8440

Jayesh Brahmbhatt   98253 44944

ઓગસ્ટ, 2018 : મુંબઈની હોટલ સહારા સ્ટાર ખાતે યોજાયેલી બીએનઆઇ ઇન્ડિયા એન્યુઅલ લીડરશીપ કોન્ફરન્સ 2018માં ભારતના 65થી વધુ શહેરોના બીએનઆઇ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, રિજનલ ડિરેક્ટર્સ, ડિરેક્ટર કન્સલ્ટન્ટ્સ અને લીડરશીપ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત વિશ્વના અન્ય દેશોના પણ નેશનલ ડિરેક્ટર્સે આ ભવ્ય કોન્ફરન્સમાં હાજર રહીને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

 

 

 

 

 

બીએનઆઇ ઇન્ડિયા એન્યુઅલ લીડરશીપ કોન્ફરન્સ 2018માં 6નેશનલ રેકગ્નિશન્સમાંથી બીએનઆઇ સુરતે નીચે મૂજબની ચાર કેટેગરીમાં નેશનલ એવોર્ડ્સ જીત્યાં છે.

(1) ટોપ પર્ફોર્મિંગ રિજન ટુ સ્કોર 100પોઇન્ટ્સ ઇન લાસ્ટ 12મંથ્સ,

(2)હાઇએસ્ટ વર્લ્ડ એવરેજ ચેપ્ટર સાઇઝ,

(3) ટોપ પર્ફોર્મિંગ રિજન એઝ પર 3+1 ટ્રાફિક લાઇટ્સ અને

(4)હાઇએસ્ટ રિટેન્શન.

ઉલ્લેખનીય છે કે બીએનઆઇ સુરતે માત્ર બે વર્ષમાં અત્યંત ઝડપી પ્રગતિ સાધીને 14ચેપ્ટર્સમાં 1,000થી વધુ સભ્યોને જોડ્યાં છે તથા તેણે બીએનઆઇમાં વિશ્વભરમાં અત્યાર સુધીના સૌથી ઝડપે વૃદ્ધિ સાધતા રિજનનું ટાઇટલ પણ મેળવ્યું છે.

આની સાથે-સાથે બીએનઆઇ સુરતે 5રિજનલ એવોર્ડ્સ પણ મેળવ્યાં છે. હવે બીએનઆઇ સુરતે પોતાના સભ્યોને કારોબારમાં વિસ્તાર કરવામાં મદદરૂપ બનવા માટે એક્ઝિમ અને બી2બી ટેક્સટાઇલ ફોરમ જેવી મહત્વપૂર્ણ પહેલ કરી છે.

-x-x-x-

August 22, 2018
Ukai-1.jpg
1min44280

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ખેતી સિંચાઇ તેમજ પીવાના પાણીના સૌથી મોટા સ્ત્રોત સમાન ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ધીમે ધીમે વધી ગઇ છે અને તા.23મી ઓગસ્ટને ગુરુવારે બપોરે 3 કલાકે ઉકાઇ ડેમની સપાટી 311 ફૂટના લેવલને આંબી ગઇ છે.

 

ઉકાઇ ડેમ અંગે બે બાબતો હાલમાં ચર્ચાસ્પદ છે એક સકારાત્મક અને એક નકારાત્મક. સકારાત્મક બાબત એ છે કે ધીમે ધીમે ખરું પણ ઉકાઇ ડેમમાં પાણીનો આવરો થઇ રહ્યો છે અને સપાટી 292 ફૂટ પરથી વધીને તા.23મી ઓગસ્ટ 2018ના રોજ 311.34 ફૂટ પર પહોંચી છે. આમ, ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયા કે જ્યાં વરસાદ શરૂ થયો છે અને ત્યાંથી પાણીનો આવરો ડેમમાં થઇ રહ્યો છે.

નકારાત્મક બાબત એ છે કે રાજ્ય સરકારે ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ મેઇન્ટેન કરવા માટે કેટલાક નીતિ નિયમો બનાવ્યા છે. જેમાં એક નિયમ રુલ લેવલની જાળવણીનો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન જે તે તારીખે ડેમમાં પાણીનું લેવલ કેટલું જાળવવું તે અંગે ચોક્કસ ગણતરી સાથે કાર્યવાહી થાય છે. તા.23મી ઓગસ્ટ 2018ના દિવસે ઉકાઇ ડેમમાં પાણીની સપાટીનું રૂલ લેવલ 335 ફૂટ હોવું જોઇએ. તેના કરતા આજના દિવસે પાણીની સપાટી 24 ફૂટ ઓછી છે.

પણ દેર આયે દુરસ્ત આયે એ રુએ પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ખાતે આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં પડી રહેલા વરસાદનું પાણી ઉકાઇ ડેમને ધીમી ધારે ભરી રહ્યું છે એ પોઝિટીવ બાબત સમગ્ર દક્ષિણ ગુજરાતના માથેથી ધીમે ધીમે જળસંકટ ઓછું કરી રહી છે.

અગાઉ ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ નહીં પડવાને કારણે ડેમમાં પાણીનો આવરો નહીં થતા ચોમાસાના પ્રારંભે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ હવે જિલ્લા પ્રશાસન તેમજ દક્ષિણ ગુજરાતના લોકોને પણ ઉકાઇ ડેમની પાણીની સપાટી વધવાથી હાશકારો થઇ રહ્યો છે.

August 22, 2018
vior.jpg
1min12980

સુરતના લાલદરવાજા, ભટાર અને વેસુ ખાતે સ્કીન ક્લિનિક ધરાવતા સખીયા ગ્રુપ દ્વારા હવે સ્કીન ટાઇટનિંગ માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃત અને અત્યંત અદ્યતન ટ્રીટમેન્ટ પદ્ધતિ લાવ્યા છે. સમગ્ર ગુજરાતવાસીઓ માટે સખીયા સ્કીન ક્લિનિકને સુરતમાં 20 વર્ષ પૂર્ણ થયા છે અને આ ઉપલક્ષમાં ભટાર સ્થિત સખીયા ક્લિનિક ખાત ેસ્કીન ટાઇટનિંગ માટે ઇઝરાયેલ મેઇક વિઓરા સિસ્ટમ્સનું સૌથી એડવાન્સ્ડ વર્ઝન સુરત ખાતે સ્થાપિત કર્યું છે. સ્કીન ટાઇટેનિંગ માટે આનાથી વિશેષ આધુનિક સુવિધા વિશ્વમાં ક્યાંય ઉપલબ્ધ નથી.

વધુ વિગતો આપતા ડો. જગદીશ સખીયાએ કહ્યું કે સખીયા સ્કીન ક્લિનિકમાં ચામડીના વિવિધ રોગો જેવા કે સોરીયાસીસ, ખીલ, પીગમેન્ટેશન, હઠીલી ધાધર, એલર્જી, શીળવા, બેક્ટેરિયલ વાઇરલ ઇન્ફેકશન, તજા ગરમી, ખસ, ખરજવું વગેરે જેવા રોગોની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે. ડર્મેટો દ્વારા સફેદ ડાઘની સર્જરી, ખીલના ખાડાની સર્જરી, ચરબીની ગાંઠ, ગળા પરના મસા, કપાસી, કણી, નખની સર્જરી, અત્યાધુનિક હેર ટ્રાન્સપ્લાન્ટ, બાયોપ્સી દ્વારા નિદાન વગેરે પ્રકારની સર્જરી પણ સખીયા સ્કીન ક્લિનિકમાં ઉપલબ્ધ છે.

લેસર ટ્રીટમેન્ટ, પ્લાસ્ટીક સર્જરી વગેરે સુવિધા પણ સખીયા સ્કીન ક્લિનિક ખાતે ઉપલબ્ધ છે. વધુમાં સખીયા સ્કીન ક્લિનિક આઇ.પી.ઓ. બહાર પાડી રહી છે, એ પછી સમગ્ર ભારતમાં સખીયા સ્કીન ક્લિનિકની 2000 જેટલી ફ્રેન્ચાઇઝી શરૂ કરશે.

 

ઉપરોક્ત તસ્વીરોમાં દ્રશ્યમાન થાય છે એ રીતે વિઓરા મશીન્સથી સ્કીન ટાઇટેનિંગ ટ્રીટમેન્ટ સુરતના સખીયા સ્કીન ક્લિનિક, ભટાર રોડ ખાતે ઉપલબ્ધ બનશે. આ ટ્રીટમેન્ટના રૂ.36 હજાર ચાર્જ છે જેમાં 6 સેશનમાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે.

August 22, 2018
maulin.jpg
1min8260

સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સુરતના વર્તમાન પ્રમુખ શ્રી હેતલ રુમેન્દ્ર મહેતાના પુત્ર મૌલિન કે જેમણે હાલમાં એસ.એસ.સી.ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી તેઓ હવે રોટરી ઇન્ટરનેશનલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે અમેરિકાના ઓહિયોના કોલંબસ ખાતે સ્ટડી કરવા માટે સિલેક્ટ થયા છે અને તેઓ હવે ધો.11નો સ્ટડી 11 મહિના માટે અમેરિકા ભણશે. મૌલિન મહેતા આજરોજ તા.22મી ઓગસ્ટ 2018ના રોજ સુરતથી અમેરિકા ખાતે તેમની 11 મહિનાની ટ્રીપ માટે રવાના થયા છે.

મોલિન હેતલ મહેતા એક સારા રોલબોલ પ્લેયર પણ છે અને રોટરી સ્ટુડન્ટ એક્ટિવિટીઝમાં તેઓ સક્રિય રહીને રચનાત્મક પ્રવૃતિ કરી રહ્યા છે. તેઓ ભારતના લાખો વિદ્યાર્થીઓમાંથી અમેરિકાના ઓહિયો ખાતે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એક્સચેન્જ માટે સિલેક્ટ થયા છે. બહું જૂજ વિદ્યાર્થીઓ આ પ્રકારની સિદ્ધિ મેળવી શકતા હોય છે. રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3060-6690 અન્વયે તેમની પસંદગી કરવામાં આવી છે.

રોટરી ઇન્ટરનેશનલ યુથ એક્સચેન્જ એક એવો પ્રોગ્રામ છે કે જે વિશ્વભરના દેશોના વિદ્યાર્થીઓને એવું પ્લેટફોર્મ અને એક્સપોઝર આપે છે કે વિદ્યાર્થીઓ એક બીજાના દેશમાં જઇને ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, ફેસ્ટિવલ, લાઇફસ્ટાઇલ અને અન્ય અધતન રીતરસમોથી વાકેફ થઇ શકે છે.

Traveling today to Columbus, Ohio, USA as a Rotary International Youth Exchange Student till July -2019 from RI dist. 3060 to 6690

August 22, 2018
guru.jpg
1min675
ગુજરાત કોંગ્રેસના માજી પ્રભારી અને મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુરુદાસ કામતનું બુધવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 63 વર્ષની ઉંમરે તેમનું દિલ્હીની એક હોસ્પિટલમાં હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. ગુરુદાસ કામત અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ અને કોંગ્રેસના કાર્યકારી સમિતિના સભ્ય હતા. તેઓ ઉત્તર-પશ્ચિમ મુંબઈથી 2009થી 2014 સુધી સાંસદ પણ રહી ચૂક્યા હતા.
તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રભારી પણ રહી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એપ્રિલ મહિનામાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને એઆઈસીસીના મહાસચિવ ગુરુદાસ કામતે તેમના તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું. કામતે એક નિવેદનમાં રાજકારણથી સેવાનિવૃત્તિ પર નિશાન સાધતા કહ્યું હતું કે, “હું છેલ્લા અઠવાડિયે બુધવારે (19 એપ્રિલ)ના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યો હતો અને તમામ જવાબદારીથી મુક્ત થવાની વાત મેં તેમને કરી હતી.” કામતે કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને ત્રણ ફેબ્રુઆરીના રોજ વિનંતી કરી હતી કે તેઓ મને તમામ જવાબદારીમાંથી મુક્ત કરે. તે જ દિવસે મુંબઇ નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત થઇ હતી, અને 21મી ફેબ્રુઆરીએ તેમણે ફરી આ અંગે વિનંતી કરી હતી.
August 22, 2018
DRI-Rahul_d.jpg
1min5210

મુંબઈથી દેશભરની બ્લૅકમાર્કેટમાં સપ્લાય કરવા માટે વિવિધ વિદેશી બ્રૅન્ડની ઇમ્પોર્ટેડ સિગારેટ સપ્લાય કરતા ગોડાઉનમાં DRIએ રેઇડ પાડીને ૧.૦૭ કરોડ રૂપિયાનો માલ અને ૨.૩૧ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. દિલ્હીથી આ બિઝનસ ઑપરેટ કરતો માસ્ટર માઇન્ડ દેશભરમાં માર્લબોરોસ બેન્સન, રોથમૅન્સ જેવી જાણીતી બ્રૅન્ડની સિગારેટ સપ્લાય કરતો હતો.

મુંબઇના મુસાફિરખાનાના ગોડાઉન પર રેઇડ પાડવામાં આવી, દિલ્હીથી ઑપરેટ કરતા માસ્ટર માઇન્ડનું હતું આ ગોડાઉન

raid1

મુંબઇના મુસાફિરખાનાના ગોડાઉનમાંથી ઝડપાયેલો સિગારેટ્સનો જ્થ્થો

raid

આ બિઝનસનું મુખ્ય હબ મુંબઈ હતું એમ જણાવીને DRIએ આપેલી માહિતી મુજબ અહીંની માર્કેટમાંથી દેશભરમાં ડિમાન્ડ મુજબ માલની સપ્લાય કરવામાં આવતી હતી. મુંબઈની ધમધમતી મુસાફિરખાનાની માર્કેટમાં મુંબઇના બે મોટા ડિસ્ટ્રિબ્યુટર્સનાં પાંચથી છ ગોડાઉનમાં વિદેશી સિગારેટ રાખવામાં આવતી હોવાની માહિતી મળી હતી. મુસાફિરખાનામાં આવેલાં કેટલાંક ગોડાઉનમાં રેઇડ પાડવામાં આવી હતી. એમાંથી વિવિધ બ્રૅન્ડની ૧.૦૭ કરોડ રૂપિયાની સિગારેટનાં બૉક્સ અને ૨.૩૧ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં હતાં તેમ જ બે જણની ધરપકડ કરવામાં આવી હતી. આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

August 22, 2018
nta1.jpg
1min6660

Jayesh Brahmbhatt   98253 44944

 

જેમને સિસ્ટમની ખબર નથી એવા લોકો ઇજનેરી અને નીટ જેવી રાષ્ટ્રીય અને મહત્વની ગણાતી પ્રવેશ પરીક્ષાઓ અંગે નીતિ વિષયક નિર્ણયો લઈ રહ્યા છે અને આવું થવાને કારણે ગઇ તા.7મી જુલાઇ 2018ના રોજ ઉતાવળે કરવામાં આવેલી ઘોષણાઓને રદ કરીને નવેસરથી જાહેરાતો કરવી પડી હતી. તા.21મી ઓગસ્ટ 2018ના રોજ કરાયેલી તાજા જાહેરાતો અનુસાર જેઇઇ મેઇન પરીક્ષા જાન્યુઆરી માસમાં લેવામાં આવશે. ધો.12 મેથેમેટિક્સ સાથે હાલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનું સત્ર, કોર્ષ, વર્ષ પૂરું થયા વગર કેવી રીતે આ પરીક્ષા આપી શક્શે એનો વિચાર કરાયો નથી. એથી વિશેષ જો હાલમાં ધો.12 પીસીએમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ જાન્યુઆરી 2019માં જેઇઇ મેઇન પરીક્ષા નહીં આપશે તો તેમણે આઇઆઇટી, એનઆઇટીમાં પ્રવેશ માટે 2020 જાન્યુઆઆરી સુધી રાહ જોવી પડશે. જાન્યુઆરી 2020માં પરીક્ષા પાસ કર્યા પછી પણ છ મહિના એટલે કે જુલાઇ 2020 સુધી તેમને કોઇ એનઆઇટી કે આઇઆઇટી પ્રવેશ આપવાની નથી. આમ કેટલાક ભેજાગેપ અધિકારીઓ વગર વિચાર્યે આડેધડ નિર્ણયો લઇ રહ્યા હોવાની અનૂભુતિ થઇ રહી છે.

The change in NEET exam pattern (as against the statement released on 7th July, 2018), which will now be a single exam in pen-and-paper mode and in the same number of languages as been conducted last year. 

Here is the calender for NEET, JEE Main 2019 dates released by National Testing Agency:

width: 100%; height: 100%;

width: 100%; height: 100%;

width: 100%; height: 100%;

width: 100%; height: 100%;

બે વખત નીટ અને જેઇઇ પરીક્ષા લેવાની બાબતમાં કાંચુ કપાયું હોવાનું જણાતા એ નિર્ણય ફેરવી કાઢ્યો હવે તા.21મી ઓગસ્ટના રોજ નેશનલ ટેસ્ટિંગ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા શિડ્યુલને જોતા કોઇ ભેજાગેપ અધિકારીએ ઓફિસમાં બેઠા બેઠા  નિર્ણય લીધો હોવાનું જણાય આવે છે.

જેઇઇ મેઇનની વાત કરીએ તો જેઇઇ મેઇન પરીક્ષા કે જે આઇઆઇટીમાં પ્રવેશ માટેનું પહેલું પગથીયું અને એનઆઇટીમાં પ્રવેશ માટેની એકમાત્ર પરીક્ષા છે. ઇજનેરીમાં ગુણવત્તાસભર અને નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય તો જેઇઇ મેઇન અતિ આવશ્યક છે. જેઇઇ મેઇન પરીક્ષા ધો.12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ પીસીએમ ગ્રુપ સાથે એપિયર થયેલા કે એપિયર્ડ થઇ ચૂકેલા વિદ્યાર્થીઓએ આપવાની હોય છે. જેઇઇ મેઇન્સ 2019ની પરીક્ષા જાન્યુઆરીની તા.6થી 20 દરમિયાન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાત સાવ જ મનઘડંત રીતે અને કોઇપણ પ્રકારની વાસ્તવિક સ્થિતિ જોયા જાણ્યા વગર કરી દેવામાં આવી છે. હાલમાં ધો.12 પીસીએમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનું અભ્યાસકીય વર્ષ અને સત્ર પૂરું કર્યા વગર કેવી રીતે પરીક્ષા આપી શકશે. એક તરફ સરકાર એમ કહે છે કે બોર્ડના વિદ્યાર્થીઓ જો શાળામા 80 ટકા હાજરી નહીં હોય તો પરીક્ષા નહીં આપી શકે, આવા સંજોગોમાં જેઇઇ મેઇન 2018 પરીક્ષા જાન્યુઆરીમાં લેવાની હોય તો કેવી રીતે 80 ટકા હાજરી થશે.

આ નિર્ણયનો બીજું ભયસ્થાન એ પણ છે કે શાળાઓ તેમજ વિદ્યાર્થીઓ જાન્યુઆરીમાં જેઇઇ કવર થાય તે માટે ધો.11ને સાવ જ સાઇડ પર મૂકી દેશે અને ધો.11નો અભ્યાસક્રમ છ માસમાં જ પૂરો કરીને જેઇઇ મેઇનના એક વર્ષ અગાઉથી જ તૈયારી કરી દેશે.

બીજી તરફ જો વિદ્યાર્થીઓ ધો.12ની પરીક્ષા પાસ કર્યા પછી જેઇઇ મેઇન આપશે તો તેમની કારકિર્દીમાં એક વર્ષ વધું બગડશે. દર વર્ષે મે માસમાં ધો.12 સાયન્સના પરીણામો જાહેર થઇ જાય છે એ પછી જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇનની તૈયારી કરવી પડશે. આ નિર્ણય સીધો જ વિદ્યાર્થીઓનું એક વર્ષ તો બગાડશે જ પરંતુ, સાથોસાથ કોચિંગ ક્લાસીસોવાળાને બખ્ખાં કરી આપનારો જણાય રહ્યો છે.

હાલની સિસ્ટમ યોગ્ય હતી કે એપ્રિલ માસમાં જેઇઇ લેવાય અને જૂન માસમાં એડવાન્સ્ડ લેવાય કે જેથી ધો.12 પછી વિદ્યાર્થીઓને તરત જ કોલેજમાં પ્રવેશ માટે કનેક્ટિવિટી મળી જતી હતી.

આમ જેઇઇ મેઇનનું કેલેન્ડર ગોઠવનારા અધિકારીઓએ મગજ ચલાવ્યા વગરનો નિર્ણય લીધો છે જેની સામે એકલા ગુજરાતમાંથી જ નહીં બલ્કે સમગ્ર દેશમાંથી ઉહાપોહ મચશે અને ફરીથી આ નિર્ણયને ફેરવી તોડવાની નોબત આવશે એમ હાલ તો જણાય રહ્યું છે.

August 22, 2018
sau.jpg
1min7400

 

ભારતનો માત્ર ૧૬ વર્ષની ઉંમરનો સૌરભ ચૌધરી ગઈ કાલે એશિયન ગેમ્સના ઇતિહાસમાં શૂટિંગનો ગોલ્ડ મેડલ જીતનારો પાંચમો ભારતીય શૂટર બન્યો હતો. તેણે અહીં ૧૦ મીટર ઍર પિસ્તોલની ફાઇનલ્સમાં વર્લ્ડ તથા ઑલિમ્પિક ચૅમ્પિયનોને પાછળ રાખીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. સૌરભે કુલ ૨૪૦.૭નો સ્કોર નોંધાવ્યો હતો જે એશિયાડનો નવો વિક્રમ છે. સૌરભની આ પહેલી જ સિનિયર ઇવેન્ટ હતી.

આ જ ઇવેન્ટમાં ભારતના ૨૯ વર્ષીય અભિષેક વર્માએ કુલ ૨૧૯.૩ના સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. જાપાનનો તોમોયુકી માત્સુદા આ હરીફાઈમાં સૌરભથી જરાક જ પાછળ રહી ગયો હતો અને ૨૩૯.૭ના સ્કોર સાથે બીજા સ્થાને આવતાં સિલ્વર મેડલ જીત્યો હતો. સૌરભ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના કાલિના ગામમાં રહે છે. તેના પિતા ખેડૂત છે.

સૌરભે એશિયન ગેમ્સનો ગોલ્ડ જીતીને ભારતના જસપાલ રાણા, રણધીર સિંહ, જિતુ રાય અને રોન્જન સોઢીની બરાબરી કરી છે. જોકે, સૌરભ માત્ર ૧૬ વર્ષનો છે અને એશિયાડમાં શૂટિંગનો ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો સૌથી યુવાન નિશાનબાજ બન્યો છે.

સૌરભે તા.21મી ઓગસ્ટ 2018ના દિવસે એશિયાડ સ્પર્ધામાં બે ચૅમ્પિયન ખેલાડીઓને પાછળ રાખીને પહેલું સ્થાન પ્રાપ્ત કરીને સુવર્ણચંદ્રક પર કબજો કરી લીધો હતો. ફાઇનલ્સ પહેલાંના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં સૌરભની સાથે સાઉથ કોરિયાનો ચાર વખત ઑલિમ્પિક ચૅમ્પિયન અને ત્રણ વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલો જિન યૉન્ગ-ઓહ પણ હરીફાઈમાં હતો. જોકે, સૌરભે તેને પાછળ રાખી દીધો હતો.

ફાઇનલ્સમાં બીજા નંબરે આવીને સિલ્વર જીતનારો જાપાનનો ૪૨ વર્ષીય માત્સુદા અગાઉ બે વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો, પરંતુ ગઈ કાલે સૌરભને તે હરાવી નહોતો શક્યો.

દરમિયાન, શૂટિંગની મિક્સ્ડ ઇવેન્ટમાં અભિષેક વર્મા અને મહિલા શૂટર મનુ ભાકરની જોડી ફાઇનલ્સ માટે ક્વૉલિફાય નહોતી થઈ શકી.

દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડલ-વિજેતા ભારતીય નિશાનબાજોને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા અને લખ્યું હતું કે ‘તમે બધાએ દેશને અનેરું ગૌરવ અપાવ્યું છે.’

સૌરભ ખેતીમાં પપ્પાને મદદ કરવાનું ન ચૂકે

સૌરભ ચૌધરી અગિયારમા ધોરણમાં ભણે છે. એશિયન ગેમ્સ પછી તે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લેશે. ભારતની ટોચની મહિલા શૂટર મનુ ભાકરની જેમ સૌરભ પણ વેજિટેરિયન છે.

સૌરભે ભારતીય શૂટિંગના લેજન્ડ જસપાલ રાણા પાસે તાલીમ લીધી છે. સૌરભે તા.21મી ઓગસ્ટ 2018ના દિવસે સુવર્ણચંદ્રક જીત્યા પછી પત્રકારોને કહ્યું હતું કે ‘મને ખેતી કરવી ખૂબ ગમે છે. શૂટિંગની તાલીમમાંથી મને બહુ સમય તો નથી મળતો, પરંતુ જ્યારે પણ મળે છે ત્યારે હું ગામમાં પહોંચીને મારા પપ્પાને મદદ કરવા ખેતરમાં દોડી જાઉં છું.’

August 22, 2018
gst.jpg
1min4240

મહારાષ્ટ્રને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)થી ફળ્યો છે. આ ટેક્સથી મહારાષ્ટ્રની આવકમાં 28 ટકા જેટલો અસાધારણ વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં રાજ્યમાં જીએસટીથી રૂ. ૪૫,૬૨૬ કરોડની મહેસૂલ જમા થઇ છે. આ આંકડો એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭માં જમા થયેલા ઇન્ડાઇરેક્ટ ટેક્સના ૨૮.૩ ટકા વધુ છે. , એમ મહારાષ્ટ્ર સ્ટેટ જીએસટી કમિશનરના આંકડા દ્વારા જાણવા મળ્યું હતું.

એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭ દરમિયાન જીએસટી અમલમાં મુકાયો નહોતો અને ઇન્ડાઇરેક્ટ ટેક્સથી રાજ્યને રૂ. ૩૫.૫૪૮ કરોડની મહેસૂલ મળી હતી. જીએસટી પહેલી જુલાઇ, ૨૦૧૭એ રજૂ કરવામાં આવ્યો હતો. જીએસટીની ચુકવણીમાં અગ્રેસર રાજ્યોમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. એપ્રિલ-જુલાઇ દરમિયાનના સમયગાળાની જીએસટી ચુકવણીમાં દેશમાં મહારાષ્ટ્રનો ૧૪.૭૭ ટકા હિસ્સો છે. આ સમયગાળા દરમિયાન દેશમાં રૂ. ૩.૮૯ લાખ કરોડ જીએસટીની ચુકવણી કરવામાં આવી હતી. તેમ છતાં જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે ભવિષ્યમાં પણ આટલા પ્રમાણમાં જ જીએસટી દ્વારા મહેસૂલ મળશે એ એક પ્રશ્ર્ન બની રહ્યો છે. ઑગસ્ટમાં રિટર્ન ફાઇલ કરાશે ત્યારે તેનો અંદાજ આવશે.

ઉલ્લેખીય છે કે જીએસટી અમલમાં મૂકાયા બાદ વૅટ, ઓક્ટ્રોઇ તથા સ્થાનિક વેરા જેવી ઇન્ડાઇરેક્ટ ટેક્સ રદ કરાયા હતા.