CIA ALERT

Slider Archives - Page 456 of 488 - CIA Live

August 22, 2018
acb-trap.jpg
2min5670
સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર બની ગયા એટલે કોર્પોરેટરના પરિવારજનો એવી રીતે વર્તી રહ્યા છે જાણે ભ્રષ્ટાચાર આચરવાનું લાઇસન્સ મળી ગયું છે. છએક મહિના પૂર્વે ભાજપાના મહિલા કોર્પોરેટર મીના રાઠોડના પતિ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા, ત્યાં મંગળવાર તા.22મી ઓગસ્ટ 2018ના રોજ ભાજપાના વધુ એક મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાનો ભાઇ  બાંધકામની સાઇટ પર હેરાનગતિ નહીં કરવા સબબ રૂ.55 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો છે, આ જ કેસમાં ભાજપના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા નાસી ગયા હોવાનું એન્ટી કરપ્શન બ્યુરોએ જણાવ્યું હતું.
એન્ટી કરપ્શન બ્યુરોએ આ સફળ છટકા અંગે આપેલી વિગતો મુજબ સુરત મહાનગરપાિલકાના વોર્ડ નં.11ના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા મોહન જેઠાભાઇ સુમરા અને ભાઇ વિકી મોહન સુમરા દ્વારા એ જ વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા પોતાની મિલક્તમાં કરવામાં આવી રહેલા બાંધકામની સાઇટ પર હેરાનગતિ નહીં કરવા સબબ રૂ.75 હજાર માગી રહ્યા હતા. આ પૈકી રૂ.20 હજાર તો અગાઉ બન્ને સ્વીકારી ચૂક્યા હતા, જ્યારે વાયદાના બાકી રૂ.55 હજારની માગણી કરી રહ્યા હતા. એ દરમિયાન બાંધકામ કરી રહેલા વ્યક્તિના મિત્રએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરતા તા.21મી ઓગસ્ટ 2018ના રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ભાજપાના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા મોહન સુમરાના કહેવાથી તેના પુત્ર અને મહિલા કોર્પોરેટરના ભાઇ વિકી સુમરા ફરીયાદી પાસેથી રૂ.55 હજાર લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ કેસમાં પોલીસે મોહન સુમરા નાસી ગયા હોવાનું દર્શાવ્યું છે.
એસીબીએ દર્જ કરેલા કેસની પ્રાથમિક વિગતો
*ફરીયાદી* :- એક જાગૃત નાગરીક
*આરોપીઓ* :-
(1) મોહનભાઈ જેઠાભાઇ સુમરા.(ખાનગી વ્યક્તિ)
 રહે.304,
રાજવીર કોમ્પ્લેક્ષ, લેખડીયા શેરી,
સૈયદપુરા,
 સુરત.
(2) પ્રિંન્સ @ વીકી મોહનભાઇ સુમરા (ખાનગી વ્યક્તિ) 
રહે.રૂમ નંબર-2 અને 3,
બીજો માળ,
પોસ્ટ ઑફિસ બિલ્ડીંગ ની ઉપર,
વરિયાવી બઝાર,
પ્રણામી મન્દિર ની સામે,
સુરત
*લાંચની માંગણીની રકમ* :- 
રૂા.55000/-
*સ્વીકારેલ રકમ*
રૂ.55000/-
*રીકવર રકમ* :- 
રૂા.55000/-
*ટ્રેપ*  :- તા.21/08/2018 
*ટ્રેપ સ્થળ* :
મહાદેવ મંદિર પાસે,રાજેશ ઝરીવાલા ના દવાખાના ની સામે, વાવશેરી,સૈયદપુરા,સુરત, જાહેર માં રોડ ઉપર.
*ટ્રેપ કરનાર અધિકારી* :- *બી.કે .વનાર* ,પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે.,તથા સ્ટાફ.
*સુપર વિઝન અધિકારી* :-  *શ્રી એન.પી. ગોહિલ*  ઇન્ચાર્જ મદદનીશ નિયામક,     એ.સી.બી. સુરત એકમ.
અગાઉ ભાજપાના કોર્પોરેટર મીના રાઠોડનો પતિ ઝડપાયો હતો
ગત જાન્યુઆરી-ફેબ્રુઆરી 2018માં ભાજપાના મહિલા કોર્પોરેટર મીના રાઠોડનો પતિ પણ આવા જ એક કેસમાં લાંચ લેતા એન્ટી કરપ્શનના અધિકારીઓની ટ્રેપમાં ફસાઇ ગયો હતો. આ કેસમાં રેલો છેક મહિલા કોર્પોરેટર મીના રાઠોડ સુધી આવ્યો હતો અને તેમણે પણ જેલમાં જવું પડ્યું હતું.
August 21, 2018
bangladesh.jpg
1min17820

Jayesh Brahmbhatt  98253 44944

એપેરલ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટન્ટનો ગેરફાયદો ઉઠાવતા કેટલાક આંતર રાષ્ટ્રીય વ્યાપારીઓ ચીનનું સસ્તું કાપડ મોટા પાયે બાંગ્લાદેશમાં ઠાલવે છે, ત્યાં કાપડમાંથી રેડીમેડ ગારમેન્ટ બનાવીને બિલકુલ ફ્રી ભારતમાં ઘૂસાડી દેવાની મોડસ ઓપરેન્ડી સામે કેન્દ્રને કરાયેલી રજૂઆતો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાપડ માટેનો ફ્રી ટેડ એગ્રીમેન્ટે ગેરલાભ ઉઠાવીને કેટલાક ભેજાબાજ વેપારીઓ દ્વારા વાયા બાંગ્લાદેશ દુનિયાભરમાંથી કાપડ ભારતમાં ઠાલવવામાં આવી રહ્યો છે. વાયા બાંગ્લાદેશ આ પ્રમાણે થઇ રહેલા કાપડના ઇમ્પોર્ટને પગલે સ્થાનિક એપેરલ મેન્યુફ્કચરર્સ કંપનીઓ મોટા આર્થિક ખાડામાં પડી રહી છે. બાંગ્લાદેશ એક ગરીબ દેશ અને પડોશી હોવાથી ભારતે બાંગ્લાદેશને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપતા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કર્યો હતો પણ એ એગ્રિમેન્ટએ ભારતના જ રેડીમેડ ગારમેન્ટસ ઉદ્યોગને પાયમાલ કરી રહ્યો છે. બાંગ્લાદેશના રસ્તે ભારતમાં ઠલવાતા તૈયાર વસ્ત્રો ઝીરો ડ્યૂટીથી આવે છે, ચીન વાયા બાંગ્લાદેશથી આવતા આવા તૈયાર વસ્ત્રો સસ્તા દરે મળતા હોઇ ભારતના સ્થાનિક નાના અને મધ્યમ એપેરલ મેન્યુફેક્ચરર્સ મુશ્કેલી આર્થિક રીતે ખાડામાં ઉતરી રહ્યા છે.

(બાંગ્લાદેશની એપેરલ ફેક્ટરીની ફાઇલ તસ્વીર)

ગુજરાત અગ્રણી એપેરલ મેન્યુફેક્ચર સૂત્રો જણાવે છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ફેરફાર કરવાનો તકાજો છે, ભારતના કાપડ ઉત્પાદકો માટે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો ઘાર્ટ સર્જાયો છે. એપેરલ ફિલ્ડમાં બાંગ્લાદેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઇન્ડિયા’નો હેતુ પણ સરતો નથી. મોટા રિટેલરો તો બાંગ્લાદેશમાંથી સસ્તો માલ ખરીદીને ભારતીય બજારમાં નાંખે છે.ચીનનું કાપડ બાંગ્લાદેશ જાય અને ત્યાંથી એપેરલ બનીને ડ્યુટી ફ્રી ભારતમાં ઠલવાય

ભારતના એપેરલ ઉદ્યાગકારો કહે છે કે બાંગ્લાદેશ સાથે ભારતનો એપેરલમાં ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ છે એવું પામી ગયેલા ચીની ઉત્પાદકો હાલમાં મોટા પાયે બાંગ્લાદેશમાં પોતાનું કાપડ ડમ્પ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં જ ચીની કાપડમાંથી એપેરલ બનીને બાદમાં તેને ભારતમાં ઠાલવી દેવામાં આવે છે. આ આખું કારસ્તાન ફ્રી ટ્રેડ એટલે કે કોઇપણ પ્રકારના આયાત વેરા વગર કરવામાં આવી રહ્યું છે. ચીનનું કાપડ બાંગ્લાદેશમાં સસ્તા ભાવે જાય અને તેમાંથી એપેરલ બનીને ભારતમાં ડ્યૂટી ફ્રી હોવાને કારણે સસ્તા ભાવે ઠલવાય છે.

ભારતમાં બનેલા એપેરલ સ્પર્ધામાં ટકી રહે તેમ નથી. આ સંજોગોમાં ભારતના એપેરલ ઉદ્યોગને ટકાવવા સરકારે પગલાં લેવાં જરૂરી છે. ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા પાયે વિસ્તરેલો છે સૌથી વધુ રોજગારી ઉત્પન કરતું સેક્ટર છે, ત્યારે રોજગારીને ટકાવવા પણ કેન્દ્ર સરકાર આ દિશામાં પગલાં લે તે માટે એસોસિયેશને રજૂઆતો કરવામાં આવી છે.

છેલ્લાં બે વર્ષમાં બાંગ્લાદેશથી ભારતમાં એપેરલની આયાતમાં અસાધારણ ઉછાળો નોંધાયો છે. નાણાંકીય વર્ષ 2016-’17ની સરખામણીમાં 2017-’18માં બાંગ્લાદેશમાંથી આવતા એપેરલ્સમાં 115 ટકાનો તીવ્ર વધારો નોંધાયો છે.

ભારતમાં જીએસટી લાગુ થવા અગાઉ 16 ટકા કસ્ટમ ડ્યૂટી લાગતી હતી જે હવે આઇજીએસટીના નામે બાદ મળતાં હવે શૂન્ય ટકા ડ્યૂટી રહે છે. ચીનનું સસ્તું કાપડ એપેરલ બનીને ભારતમાં આવે છે જે અહીંના ઉદ્યોગો માટે ખતરાની ઘંટી સમાન છે. ભારત સરકાર એપેરલ ઉદ્યોગને બચાવવા અને તેના ઉપાયના ભાગ રૂપે ‘સર્ટિફિકેટ ઓફ ઓરિજન’ કે સંપૂર્ણ વેલ્યૂ એડિશન જેવાં નિયંત્રણો લાદવા જોઇએ એવો મત નિષ્ણાંતો આપી રહ્યા છે.

ભારતીય મોટા રિટેલર હવે બાંગ્લાદેશથી માલ મંગાવે તો ભારતમાં ઉત્પાદિત માલ કરતાં અન્યો સાથે સ્પર્ધામાં ટકી રહે તેવો હોય છે. તેથી તેઓ માલ ત્યાંથી મંગાવે છે, જેની વિપરીત અસર દેશમાં પડી રહી છે. સાથે જીએસટી આવવાની સાથે અન્ય દેશમાં કાઉન્ટરવેલિંગ ડ્યૂટી (સીવીડી) દૂર કરીને તેને બદલે જીએસટી લાગુ પડ્યો છે, જે હવે આઇજીએસટી નામે તેઓને બાદ મળે છે.

જીએસટી બાદ ટેક્સમાં છૂટ વધુ મળતાં હાલમાં મોટા રિટેલર જે અગાઉ ભારતમાંથી માલ લઈ રહ્યા હતા તે બાંગ્લાદેશથી લઈ રહ્યા છે, એટલું જ નહીં ભારત અને વિદેશના અમારા ગ્રાહકો હવે સીધા બાંગ્લાદેશથી સસ્તા એપેરલ મેળવી રહ્યા છે, આમ એપેરલના નાના ઉત્પાદકોનાં કામકાજ ઘટી રહ્યાં છે.

August 21, 2018
mbbs_1.jpg
1min14530

ધો.12 સાયન્સ કોમર્સના પરીણામો જાહેર થઇ ગયા પછી રાજ્યની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં અતિશય વિલંબ થયો છે અને તેનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓએ બનવું પડશે.

MBBSમાં એડમિશનની વાત કરીએ તો આ વખતે ડોમિસાઇલ સર્ટિફિકેટની નવી સિસ્ટમ અમલી બનતા પ્રવેશ પ્રક્રિયામાં ભારે ગૂંચવાડો સર્જાયો છે અને MBBSમાં પ્રવેશ માટે ઉપજાવી કાઢેલા અને બોગસ ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરનારા વિદ્યાર્થીઓના પ્રવેશ લેવા અંગે વાલીઓ જ પીછેહટ કરી રહ્યા છે અને તેને કારણે જ MBBS જેવા કોર્સમાં બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી જનરલ ઓપન કેટેગરીમાં 120 સીટો ખાલી પડી રહી છે જ્યારે ઓબીસી એટલે કે બક્ષી પંચ, અધર બેકવર્ડ ક્લાસ કેટેગરીમાં 24 સીટો ખાલી પડી રહી છે.

ભૂતકાળમાં ઓપન કેટેગરીમાં બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી એકેય સીટ ખાલી પડે તેવો પ્રસંગ જોવાયો નથી. આ વખતે ઓપન અને ઓબીસી બન્નેમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં MBBSમાં મોપ અપ રાઉન્ડ ચાલી રહ્યો છે. તા.22મી ઓગસ્ટ સુધી મોપ અપ રાઉન્ડ હાથ ધરવામાં આવશે.

 

August 21, 2018
gnete.jpg
1min5660

19 ઓગસ્ટ 2018ના રોજ તેઓ બાળકને જન્મ આપવા માટે હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેમણે કાર કે અન્ય કમ્ફર્ટેબલ વેહિકલને બદલે સાઇકલ પર જવાનું પસંદ કર્યું હતું

new zeland

હજી થોડાક સમય પહેલાં જ ન્યુ ઝીલૅન્ડના વડાં પ્રધાન જેસિન્ડા ઍર્ડર્ને બાળકને જન્મ આપ્યો હતો, હવે આ જ દેશનાં મહિલાવિકાસ પ્રધાન અને ગ્રીન પાર્ટીનાં સંસદસભ્ય જુલી ઍન જેન્ટર પણ બાળકને જન્મ આપવાનાં છે. હાલમાં જુલીને પૂરા મહિના જઈ રહ્યા છે અને ગમે ત્યારે ડિલિવરી થાય એમ છે. જોકે તા.19મી ઓગસ્ટે તેઓ ડિલિવરી માટે હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેમણે કાર કે અન્ય કમ્ફર્ટેબલ વેહિકલને બદલે સાઇકલ પર જવાનું પસંદ કર્યું હતું.

 

 

જુલીએ જાતે જ પોતાનો ફુલટર્મ પ્રેગ્નન્સી સાથે સાઇક્લિંગ કરતો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. ઑકલૅન્ડ સિટી હૉસ્પિટલ તેમના ઘરથી એક જ કિલોમીટરના અંતરે હતી અને એ તેમણે સાઇકલ ચલાવીને પાર કર્યું હતું. તેમને ઑલરેડી ૪૨ અઠવાડિયાંની પ્રેગ્નન્સી થઈ ચૂકી છે એટલે દવાઓ દ્વારા ડિલિવરી ઈન્ડ્યુસ કરવી જરૂરી હતી.

 

August 21, 2018
Murder-Mystery-Logo.png
1min5120

શહેરાના સલાબતપુરામાં આવેલી તિરૂપતિ માર્કેટના પાછળના ભાગે યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. તિરૂપતિ માર્કેટના પાછળના ભાગે યુવકની હત્યા કરવામાં આવી હતી. ગાળાના ભાગે ચપ્પુના ઘા મારી હત્યારા ફરાર થઈ ગયા હતાં. ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા એક મહિનામાં આ આઠમી હત્યાનો બનાવ સામે આવતાં પોલીસની કામગીરી સામે લોકો સવાલો ઉઠાવી રહ્યાં છે. સુરતમાં હત્યાના બનાવો વધતા જાય છે. છેલ્લા એક મહિનામાં હત્યાના આઠ બનાવો બન્યા છે. તાજેતરમાં શહેરના વેદરોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટમાં રેતીના ઢગલામાંથી માનવલાશ મળી હતી. આ ઉપરાંત યુપીનો યુવક નોકરી માટે મુંબઈ જવા નીકળ્યો હતો. લૂંટારૂઓએ ચપ્પુ મારી હત્યા કરી રોકડ લૂંટ કરી હતી.

August 21, 2018
doll.jpg
1min6130

અમેરિકન ડોલર રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને બીજા વૈશ્વિક અર્થતંત્રમાં નરમાઈ મુખ્ય ચિંતાનો વિષય છે, પરંતુ આ ચિંતાને તમે મૂડીરોકાણની તક ગણીને ફાયદો ઉઠાવી શકો છો. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થાય છે ત્યારે આવકનો મુખ્ય સ્રોત નિકાસ હોય અથવા તો જેમનો વ્યવસાય યુએસ ચલણમાં મોટું રોકાણ ધરાવતો હોય એવા ક્ષેત્રને વધારે ફાયદો થાય છે.

ઇન્ફર્મેશન ટેક્‌નોલોજી અને ફાર્મા કંપનીઓ અમેરિકામાં મોટો બિઝનેસ ધરાવે છે, જેથી તેમને સૌથી વધુ લાભ થશે. આંકડાકીય માહિતી મુજબ આઇટી સેક્ટરની નિકાસ કુલ વેચાણના 88.6 ટકા છે અને ત્યાર બાદ નોન-ફેરસ ધાતુ અને હેલ્થકેર સેક્ટરની નિકાસ તેમના કુલ વેચાણના આશરે અનુક્રમે બાવન ટકા અને 51 ટકા છે.

છેલ્લાં બે વર્ષમાં ભારતીય અર્થતંત્રએ હરણફાળ ભરી છે અને તેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાના વેચાણ થકી વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. વેપારખાધ અને સતત વધતા જતા ક્રૂડ ઓઇલના ભાવ રૂપિયા માટે ચિંતાનો વિષય છે. આવા સંજોગોમાં રૂપિયાની કટોકટીભરી અવસ્થામાં જે સ્ટોક સારો દેખાવ કરે અને સંબંધિત બેંચમાર્ક કરતાં વધારે વળતર આપે તેવા સ્ટોકને મહત્ત્વ આપવું જોઈએ.

ફાર્માસ્યુટિકલ્સનું બજાર સતત વધી રહ્યું છે. વર્તમાન માર્કેટના અહેવાલ અનુસાર 2021 સુધીમાં દુનિયાભરમાં દવાઓનો ખર્ચ 1.5 ટ્રિલિયન ડોલર થશે. આ સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર તબીબી ખર્ચના ચારથી સાત ટકા અથવા ડોઝિસના 3 ટકા જેટલો છે. રાજકીય અનિશ્ચિતતા હોવા છતાં જનરલ હેલ્થકેરમાં યુએસ સૌથી વધુ વૃદ્ધિ નોંધાવશે જ્યારે ફાર્મા ક્ષેત્રનું ઊભરતું બજાર સમગ્ર દવાના વોલ્યુમના આશરે બે તૃતીયાંશની જરૂર પડશે.

August 21, 2018
gita.jpg
1min5220

બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE) પર 10 સપ્ટેમ્બરથી ગીતાંજલિ જેમ્સ સહિતની નવ કંપનીઓમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.  નિરવ મોદી અને તેના મામાના બહાર આવેલા કૌભાંડથી અત્યાર સુધી આ કંપનીઓને સ્ટોક માર્કેટમાં કામ કરવા દેવાયું એ પણ તપાસ માગી લે તેવો વિષય બન્યો છે.

ગીતાંજલિ જેમ્સ પીએનબીને અબજો રૂપિયાનો ચૂનો લગાવનારા મેહુલ ચોક્સીની કંપની છે.

સેબીએ કહ્યું છે કે જો આ પૈકી કોઈ કંપની LODR (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) નિયમોનો અમલ ચોક્કસ સમયમર્યાદામાં કરશે તો તે કંપનીના શેરમાં ટ્રેડિંગ સસ્પેન્ડ નહીં થાય. બીએસઇના કિસ્સામાં આ સમયમર્યાદા ચાર સપ્ટેમ્બર છે, જ્યારે એનએસઇના કિસ્સામાં પાંચમી સપ્ટેમ્બર છે. આમ, વાસ્તવમાં આ તમામ નવ કંપનીમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થશે કે કેમ તે પાંચમી સપ્ટેમ્બર પછી સ્પષ્ટ થશે.

યાદીમાં સમાવિષ્ટ અન્ય કંપનીઓમાં એમ્ટેક ઓટો, એસુન રેરોલ, પેનોરેમિક યુનિવર્સિલ એ ચાર કંપનીમાં BSE-NSE બન્નેમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થઈ જશે. થમ્બી મોડર્ન સ્પિનિંગ મિલ્સ, ઇન્ડો પેસિફિક પ્રોજેક્ટ્સ, હરિયાણા ફાઇનાન્શિયલ કોર્પોરેશન, નોબલ પોલિમર્સ, સમૃદ્ધિ રિયલ્ટી પર બીએસઇમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થઈ જશે.

રેગ્યુલેશન 33 નાણાકીય પરિણામોની રજૂઆત અંગેનો છે. બીએસઇના કહેવા પ્રમાણે આ નવ કંપનીઓ પૈકી સમૃદ્ધિ રિયલ્ટી અને નોબલ પોલિમર્સે તેમના નાણાકીય પરિણામ જાહેર કરી દીધાં છે, પરંતુ જરૂરી દંડ હજી જમા નથી કરાવ્યો. વળી, આ બન્ને કંપનીઓમાં પ્રમોટરોનું સંપૂર્ણ હોલ્ડિંગ 17 ઓગસ્ટથી સ્થગિત કરી દેવાયું છે.

એનએસઇએ પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે જો કંપનીઓ LODR નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો પાંચમી સપ્ટેમ્બરથી તેમના ઇક્વિટી શેરનું ટ્રેડિંગ સ્થગિત કરી દેવાશે. જ્યાં સુધી પાલન નહીં કરે ત્યાં સુધી આ સસ્પેન્શન ચાલુ રહેશે. વળી, સસ્પેન્શનના 15 દિવસ પછીથી શેરનું ટ્રેડિંગ ઝેડ ગ્રૂપમાં જ થઈ શકશે. મતલબ કે છ મહિના સુધી દર સપ્તાહના પ્રથમ દિવસે જ ટ્રેડિંગ થશે.

ઝેડ ગ્રૂપમાં એવી કંપનીઓ સામેલ છે, જેઓ લિસ્ટિંગના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે અને/અથવા રોકાણકારોની ફરિયાદોનું નિવારણ કરવામાં નિષ્ફ‌ળ ગઈ છે અને/અથવા તેમની જામીનગીરીઓનું ડિમટિરિયલાઇઝેશન કરવા ડિપોઝિટરીઝ CDSL and NSDL સાથે જરૂરી વ્યવસ્થા નથી કરી.

August 20, 2018
shiv-1-1280x720.jpg
1min20280

હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ભગવાન ભોળાનાથની આરાધનામાં ભાવિકો ગળાડૂબ બન્યા છે ત્યારે એક ચર્ચા એ વાઇરલ થઇ છે કે ભગવાન શિવને અર્પણ કરાયેલો પ્રસાદ ભાવિકો આરોગી શકે કે કેમ આ અંગે અનેક મતમતાંતર સાંભળવા મળી રહ્યા છે. કોઇક કહે છે શિવજીને, શિવલિંગને અર્પણ કરાયેલા પ્રસાદ પર ભાવિકોનો અધિકાર નથી બલ્કે  શિવલિંગ કે શિવ મંદિરની પૂજા કરનાર વ્યક્તિ હોય એ સિવાય બીજા કોઈ વ્યક્તિઓથી લઈ શકાય નહીં. એ પ્રસાદ બીજાઓએ લેવો જોઈએ પણ નહીં. જો લેવામાં આવે તો લેનારનું જરૂર કંઈક ને કંઈક અનિષ્ટ થતું હોય છે. કેમકે શિવજી કાળ-ભૂત પ્રેતના દેવ છે .

 

શાસ્રો ટાંકે છે કે ભૂત-પ્રેતો ના વડેરા એવા ચંડેશ્વરની ઉત્પત્તિ શિવજીના મુખેથી થયેલી છે. તે હંમેશા શિવજીની આરાધનામાં લીન રહેતો હોય છે અને એટલે શિવલિંગ પર ચડાવવામાં આવેલો પ્રસાદ તેના ભાગનો ગણવામાં આવતો હોય છે. આથી જો અન્ય કોઈ વ્યક્તિનો પ્રસાદ ખાય તો તે ભૂત પ્રેત માટેનો અંશ ખાઈ રહ્યો છે એવું સમજાય છે. એટલે શિવલિંગ પર અર્પણ કરવામાં આવેલો પ્રસાદ ભલે પછી તે ફળ, મીઠાઇ, ભાંગ, દૂધ કે અન્ય ગમે તે સ્વરૂપમાં પણ કેમ ન હોય! નહીં ખાવું જોઈએ એવા પ્રકારની માન્યતા પ્રવર્તે છે.

શિવપુરાણ (વિશ્વેશ્વર સંહિતા)ના 22મા અધ્યાયમાં લખાયું છે કે

“चण्डाधिकारो यत्रास्ति तद्भोक्तव्यं न मानवै:।

चण्डाधिकारो नो यत्र भोक्तव्यं तच्च भक्तित:।।”

એટલે કે જ્યાં ચંડીકેશ્વરનો અધિકાર હોય ત્યાં શિવલિંગ પર અર્પણ કરવામાં આવેલો પ્રસાદ મનુષ્યો લઈ શકતા નથી, તે ચંડીકેશ્વરના અધિકારનો હોય છે. શિવજીને અર્પણ કરવામાં આવેલો પ્રસાદ તે જ લઇ શકે છે.

અડાજણના રામેશ્વર મહાદેવના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લ શું કહે છે

સુરતના અડાજણ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લ કહે છે કે શિવપુરાણમાં લખાયું છે એ યોગ્ય છે. અમારા રામેશ્વર મહાદેવ મંદિરમાં તેનું પાલન કરવામાં આવે છે. હાલ શ્રાવણ માસમાં રોજેરોજ થતી શિવ પૂજામાં ભાવિકોને ભગવાન શ્રી ગણેશજી, માતા પાર્વતી દેવીને અર્પણ કરવામાં આવતો પ્રસાદ જ વહેંચવામાં આવે છે.

કયા શિવલિંગનો પ્રસાદ લઇ શકાય અને કયા શિવલિંગનો નહીં

પ્રસાદની આ ચર્ચામાં એ બાબત પણ મહત્વની છે કે શિવલિંગ કઈ ધાતુ કે પદાર્થમાંથી બનેલું છે, તેની બનાવટ ઘણી મહત્વની છે. સાદી માટી, પથ્થર અથવા ચીનાઇ માટીથી બનાવવામાં આવેલા શિવલિંગને અર્પણ કરેલો પ્રસાદ લેવો જોઈએ નહીં.

જો શિવલિંગ ધાતુ, બાણલિંગ (નર્મદા કિનારે મળતા કંકર)નું બનેલું હોય તો અથવા પારાનું (પારદ) શિવલિંગ હોય તો તેને અર્પણ કરેલો પ્રસાદ તમામને માટે લઈ શકાય એવો માનવામાં આવે છે. તેમાં ચંડકેશ્વરનો કોઈ અંશ હોતો નથી. એટલે એ પ્રસાદ લેવાથી વ્યક્તિ દોષમુક્ત રહે છે. વળી તેના જીવનમાં આવેલા અવરોધો પણ દૂર થતા હોય છે. આ ઉપરાંત શાલિગ્રામની સાથે જે શિવલિંગની પૂજા કરવામાં આવતી હોય (ભલે પછી તે શિવલિંગ ગમે તે પદાર્થનું બનેલું હોય) તેને અર્પણ કરેલો પ્રસાદ હંમેશા દોષમુક્ત હોય છે, જે લેવાથી જીવનમાં તમામ પ્રકારના અવરોધો કે પરેશાનીઓ દૂર થાય છે. શિવલિંગ જો સ્વયંભૂ હોય એટલે કે પોતાની જાતે પ્રગટ થયેલું હોય એવા શિવલિંગ ને અર્પણ કરેલો પ્રસાદ ખાવાથી જીવનના તમામ પ્રકારનાં પાપ દૂર થતા હોય છે.

જ્યોર્તિલિંગનો પ્રસાદ સર્વોત્તમ

બાર જ્યોતિર્લિંગને પણ અર્પણ કરેલો પ્રસાદ ખૂબ જ સુખશાંતિ આપનારો અને પાપથી છુટકારો કરાવનારો હોય છે. દેશના વિવિધ ભાગોમાં આવેલા બાર જ્યોતિર્લિંગના પ્રસાદ લેવાથી વ્યક્તિનું ખૂબ જ હિત થતું હોય છે.

શાસ્ત્રો અનુસાર જે શિવલિંગની ઉપાસના કરીને કોઈ એ ભૂતકાળમાં સિદ્ધિ હાંસલ કરી હોય કે જે શિવલિંગ કોઈ સિદ્ધ મહાપુરુષો ભક્તો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલું હોય તેનો પ્રસાદ લેવાથી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.આ ઉપરાંત જેમણે સાધુત્વ ગ્રહણ કર્યું છે એટલે કે જેમણે દીક્ષા લીધેલી છે તેવા તમામ સંતપુરુષો શિવજીના લિંગને અર્પણ કરવામાં આવેલો પ્રસાદ લેતા હોય છે અને લઈ શકે છે.

 

August 20, 2018
momomumbai.jpg
4min11700

 Jayesh Brahmbhatt  98253 44944

આખી દુનિયામાં બ્લૂ વેલ જેવી ખતરનાક ગેમ કારણે ૧૦૦ કરતાં પણ વધુ યુવાનોએ જીવ ગુમાવ્યા હતાં, ત્યારબાદ સોશિયલ મીડિયા પર વધુ એક જીવલેણ ચેલેન્જ એટલે કે મોમો ચેલેન્જ MOMO Challenge  ખૂબ જ જોર પકડી રહી છે. આ મોમો ચેલેન્જ માટે મુંબઇ પોલીસે આ ખતરનાક ચેલેન્જ સંબંધી એક ચેતવણી બહાર પાડી છે અને લોકોને આ અંગે જાગૃત રહેવાની સલાહ આપી છે. મુંબઇ પોલીસે ટ્વિટરનો સહારો લઇને મોમો ચેલેન્જ અંગે જાગરૂકતા ફેલાવી રહી છે. તેમ જ Dial100 જેવા હેશટૅગ વાપરીને મુંબઇ પોલીસે મહત્ત્વનું પગલું ભર્યું છે. તેમ જ તેની સાથે સંદેશ પણ લખ્યો હતો કે બધા મોમોનો વપરાશ થાય એવું જરૂરી નથી.

(Mumbai police issued notice on twitter)

આ જીવલેણ મોમો ચેલેન્જ ફેસબુકથી શરૂ થઇને વૉટ્સએપ અને યુટ્યુબ સુધી પહોંચી ગયું છે તેમ જ આ ચેલેન્જમાં ડરામણા ફોટોગ્રાફ બતાવીને અને અજાણ્યા ફોન નંબરથી બાળકોને તેમની સાથે વાતચીત કરવા માટે પ્રેરિત કરતી હોય છે. ફક્ત બાળકો જ નહીં પરંતુ, મોટેરાઓ પણ આ માયાજાળમાં ફસાય જાય છે અને જે પ્રમાણે તેમને મોબાઇલ કે ગેડજેટ્સ પર સૂચનાઓ મળે છે એમ કરવા માટે પ્રેરાય છે. એક્સપર્ટસ કહે છે કે આ એક પ્રકારનું હિપ્ટોટિઝમ છે. સાહસ, ડેર, ચેલેન્જના નામે મોબાઇલ યુઝર્સને ફસાવીને તેમની જીંદગી પૂરી થઇ જાય એટલી હદે ચેલેન્જ આપવામાં આવે છે. ભારતમાં મોમો ચેલેન્જ ખતરનાક રીતે માયાજાળ ફેલાવી રહી છે. મુંબઇ પોલીસ પ્રથમ રાજ્યની પોલીસ છે કે જેણે મોમો માટે એલર્ટ જારી કર્યા છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ખતરનાક મોમોના અકાઉન્ટ જાપાન, મેક્સિકો અને કોલમ્બિયાથી જોડાયેલા છે.

Read in English

Momo Challenge

The Momo Challenge reportedly started on Facebook where members were “challenged” to communicate with an unknown number. It allegedly involves challenges that encourage children to engage in a series of violent acts that end with suicide.

Almost a year after the Blue Whale Challenge allegedly led to a number of suicides among teenagers across the globe, a new game called ‘Momo Challenge’ is reportedly encouraging children to perform dangerous challenges. The Momo challenge, viral on social media platforms, especially WhatsApp is allegedly linked to the death of a 12-year-old girl in Argentina, the Buenos Aires Times reported.

What is Momo Challenge?

The Momo Challenge reportedly started on Facebook where members were “challenged” to communicate with an unknown number, The Sun reported. Once the initial contact with a user is established, the Momo account sends a number of challenged and activities that are to be completed to meet ‘Momo’. It allegedly involves challenges that encourage children to engage in a series of violent acts that end with suicide. If a user refuses to follow the game’s orders, Momo threatens them with violent images, The Sun reported. The account appears to be connected to three numbers in Japan, Mexico, and Columbia.

‘Momo’ is a social media account on popular platforms that use an image of a doll with monstrous features, large eyes and a wide mouth to induce curiosity among children, the report added. The artwork called Mother Bird by Link Factory is inspired by the work of a Japanese artist Midori Hayashi, who has no association with the challenge, according to officials.

Deaths linked to Momo Challenge

The Argentina Police are linking the death of a 12-year-old to the game. The girl filmed her activities immediately prior to the suicide on her phone. Authorities suspect someone encouraged her to take her own life, the Buenos Aires Timesreported. The officials are hunting for the “adolescent with whom she exchanged those messages” and have issued a warning to the parents to monitor the browsing activity of their children.

As of now, there are no reports suggesting the presence of the challenge. As per cyber experts, the challenge is a hoax aimed at stealing personal data and extorting information.

August 20, 2018
iit-1.jpg
1min14620

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વર્ષે આઇઆઇટી-બૉમ્બેમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો પર કરવામાં આવેલા સર્વે અનુસાર દર પાંચમાંથી ચાર વિદ્યાર્થીને ધૂમ્રપાનની અને દર દસમાંથી સાત વિદ્યાર્થીને દારૂના વ્યસનની આદત ઇન્સ્ટ્ટ્યિૂટના પહેલા વર્ષથી પડી ગઇ હતી.

આઇઆઇટી-બૉમ્બેના કૅમ્પ્સમાં રહેતા વિદ્યાર્થીઓની રહેણી-કરણી, અભ્યાસ યોજના અને કારકિર્દી માટે ભવિષ્યની યોજનાને જાણવા માટે ચાલુ વર્ષે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ પર આવા અવનવા સર્વેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં અનુસાર, આઇઆઇટી-બૉમ્બેમાં પ્રવેશ કરનારા અનેક વિદ્યાર્થીઓને પહેલા વર્ષથી જ ખરાબ આદતોનું વ્યસન થયું હોવાનું જણાયું હતું.

આ વિશે એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે વ્યસન કરવા પાછળ ઘણાં બધા કારણો હોઇ શકે છે, અમુક વિદ્યાર્થીઓને ઘરથી દૂર હૉસ્ટેલમાં રહેવાને કારણે છૂટ મળી હોવાથી તેઓ મદ્યપાન કે ધૂમ્રપાન કરે છે જ્યારે અનેક વિદ્યાર્થીઓ ટેન્શન દૂર કરવા માટે વ્યસન કરતા હોય છે, એમ જણાવાયું હતું. સર્વેમાં આશ્ર્ચર્યની વાત એ છે કે ફક્ત ૧૭.૮ ટકા વિદ્યાર્થી માટે તેમના અભ્યાસમાં સારો દેખાવ કરવો જરૂરી હોવાનું માન્યું હતું, જ્યારે ૨૯.૮ ટકા વિદ્યાર્થી તેમના માર્ક્સથી ખુશ હતા. ટેન્શનને દૂર કરવા માટે ૧૩.૫ ટકા વિદ્યાર્થીએ સલાહકારની મદદ લેવી પડી હતી. પહેલા વર્ષમાં પ્રવેશ કરનારા દર પાંચમાંથી ચાર વિદ્યાર્થી ધૂમ્રપાનની આદત અને દર દસમાંથી સાત વિદ્યાર્થીને દારૂના વ્યસનની આદત પડી હતી.