Slider Archives - Page 42 of 484 - CIA Live

November 18, 2024
mba-mca-cmat.png
3min804

ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે:

ગુજરાત સમેત દેશભરમાં આવેલી MBA/MCA કોલેજોમાં જૂન 2025થી શરૂ થનારા પહેલા સેમેસ્ટરમાં પ્રવેશ માટે મેરીટની ગણતરી જેના આધારે કરવામાં આવશે એ કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ CMAT 2025 આગામી તા.25મી જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવશે.

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જાહેરાત કરી છે કે કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ CMAT 2025ના રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયા છે અને એ ડિસેમ્બર 15 સુધી ચાલશે.

જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ બેચલર ડિગ્રી કરી ચૂક્યા છે તે, તેમજ જે વિદ્યાર્થીઓ હાલમાં કોઇપણ ફેકલ્ટીની બેચલર ડિગ્રીના છેલ્લા વર્ષની પરીક્ષા આપવાના છે તેઓ પણ કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ CMAT આપી શકે છે.

CMAT કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટની મહત્વની તારીખો

The National Testing Agency (NTA) has opened the online registration process for the Common Management Admission Test (CMAT) 2025. Interested and eligible candidates are encouraged to visit the official website, exams.nta.ac.in/CMAT, to complete their registration. According to the schedule, the application window for CMAT 2025 will remain open until December 13, 2024. From December 15 to 17, 2024, candidates will have the opportunity to make corrections to their applications. The exam is set to take place on January 25, 2025, and will have a duration of 180 minutes.

CMAT 2025: Steps to register

Candidates can follow these steps to register for CMAT 2025:
Step 1: Visit the official website, i.e., exams.nta.ac.in/CMAT.
Step 2: On the homepage, click on the link that reads, ‘Click here to register/login’.

Step 3: A new page will appear on the screen.

Step 4: Register yourself and login to your account.

Step 5: Fill in the application form and pay the registration fee.

Step 6: Submit your CMAT 2025 application and take a printout of it for future reference.

Candidates can click on this link to register for CMAT 2025.

For more information, candidates are advised to visit the official website of CMAT 2025.

November 17, 2024
drugs-surat.png
1min327


હજીરા સાયણ રોડ અને ક્પલેથા ચેક પોસ્ટ પાસે ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન : વેડરોડનો યુવાન મુંબઈથી ડ્રગ્સ લઈ કારમાં મિત્રો સાથે સુરત આવતો હતો ત્યારે ઝડપાઈ ગયો
બાઈક ઉપર આવતા કોસંબાના બે યુવાનો પોલીસને જોઈ ડ્રગ્સ-બાઈક મૂકી ખેતરમાં ભાગ્યા : છ કલાક પકડદાવ પકડાયા

સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના બે છેવાડાના વિસ્તાર હજીરા સાયણ રોડ અને ક્પલેથા ચેક પોસ્ટ પાસેથી દોઢ કિલોથી વધુ એમ.ડી.ડ્રગ્સ સાથે પાંચ યુવાનોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.1.53 કરોડનું એમ.ડી.ડ્રગ્સ, કાર, બાઈક, પાંચ મોબાઈલ ફોન, રોકડ મળી કુલ રૂ.1.57 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તે પૈકી બાઈક ઉપર આવતા કોસંબાના બે યુવાનો પોલીસને જોઈ ડ્રગ્સનો જથ્થો અને બાઈક મૂકી શેરડીના ખેતરોમાં ભાગી જતા ક્રાઈમ બ્રાન્ચે છ કલાક કોમ્બીંગ કરી ઝડપી લીધા હતા.જયારે વેડરોડનો યુવાન મુંબઈથી ડ્રગ્સ લઈ કારમાં મિત્રો સાથે સુરત આવતો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગતરાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે હજીરા સાયણ રોડ ઉપર બાઈક ઉપર આવતા બે યુવાનો પોલીસને જોઈ બાઈક અને રૂ.97,37,400 ની મત્તાનું 973.740 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મૂકી શેરડીના ખેતરોમાં ભાગી ગયા હતા.ક્રાઈમ બ્રાન્ચે એફએસએલને સ્થળ ઉપર બોલાવી જરૂરી પરીક્ષણ કરતા તે એમ.ડી.ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ થયા બાદ ભાગી ગયેલા બંને યુવાનોને શોધવા કોમ્બીંગ હાથ ધર્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે છ કલાકની મહેનત બાદ કોસંબાના બે યુવાન તામીર શેખ અને સાહીલ દિવાનને ઝડપી પાડી તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત બાઈક, બે મોબાઈલ ફોન અને રોકડા રૂ.2 હજાર મળી કુલ રૂ.97,99,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.છત રીપેરીંગનું કામ કરતા અને અગાઉ મારામારી, મોબાઈલ સ્નેચીંગ અને ચોરીના ગુનામાં ઝડપાયેલા તામીર શેખ અને કોસંબામાં બુટ ચંપલની દુકાનમાં નોકરી કરતા સાહીલ દિવાનની ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ હાથ ધરી તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે તપાસ હાથ ધરી હતી.

ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરી દરમિયાન જ વધુ એક બાતમી મળી હતી કે વેડરોડ સાબરીનગરમાં રહેતો અને વરીયાવી બજાર મેઈન રોડ ઉપર છેલ્લા આઠ વર્ષથી મી.કોકોના નામે રેડીમેઈડ કપડાંની દુકાન ચલાવતો ધો.10 પાસ મોહમદ તૌસીફ ઉર્ફે તૌસીફ કોકો તેના મિત્રો ઈરફાન પઠાણ અને અસ્ફાક કુરેશી સાથે મુંબઈથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો લઈ કાર ( નં.જીજે-01-સીવી-2370 ) માં નવસારી થઈ સુરતમાં આવે છે.આથી મળસ્કે 3.30 વાગ્યાના અરસામાં ક્રાઈમ બ્રાન્ચે સચીન ક્પલેથા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી કારને અટકાવી રૂ.55,48,200 ની મત્તાના 554.82 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ત્રણેયને ઝડપી પાડી તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત કાર, રોકડા રૂ.53,750, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ.58,71,950 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ મુંબઈના નાલાસોપારા ખાતે એક અજાણ્યા પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા અને સુરતમાં વેચવા આપવાના હતા.

તૌસીફ સાથે ઝડપાયેલા બે મિત્રો પૈકી ઈરફાનખાન પઠાણ બી.કોમ કર્યા બાદ હાલ એમબીએમાં અભ્યાસ કરે છે અને વીઆઈ કંપનીમાં છેલ્લા બે વર્ષથી દક્ષિણ ગુજરાતમાં ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે નોકરી કરે છે.જયારે અસ્ફાક કુરેશી ધો.8 સુધી અભ્યાસ કર્યા બાદ દોઢ વર્ષથી ફેશન બકેટના નામે શુઝ, ઘડીયાળ વિગેરેનું ઓનલાઈન વેચાણ કરે છે.ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા અંગે બે અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ફરી ડ્રગ્સની રેલમછેલ : રૂ.1.53 કરોડના MD ડ્રગ્સ સાથે પાંચ ઝડપાયા 2 – image

હજીરા સાયણ રોડ ઉપરથી આ લોકો પકડાયા

(1) તામીર અબ્દુલ કયુમ શેખ ( ઉ.વ.20, રહે.કોસંબા, સુરત )
(2) સાહીલ અલ્લા ગુલામ મહંમદ દિવાન ( ઉ.વ.19, રહે.કોસંબા, સુરત )

ક્પલેથા ચેક પોસ્ટ ઉપરથી આ લોકો પકડાયા

(1) ઈરફાનખાન મોહમદખાન પઠાણ ( ઉ.વ.32, રહે.ઘર નં.12/2197, છોટા એન્ડ્રુસ, વરીયાવી બજાર પોલીસ ચોકી પાસે, સૈયદપુરા, સુરત )
(2) મોહમદ તૌસીફ ઉર્ફે તૌસીફ કોકો મોહમદ રફીક શા ( ઉ.વ.34, રહે.ઘર નં.સી/70/3, સાબરીનગર, ભરીમાતા રોડ, વેડરોડ, સુરત )
(3) અસ્ફાક ઈર્શાદ કુરેશી ( ઉ.વ.18, રહે.ઘર નં.302, ખતીજા એપાર્ટમેન્ટ, ફીસલ્લી મસ્જીદ પાછળ, ખ્વાજાદાનાની દરગાહ પાસે, અઠવા, સુરત )

November 13, 2024
voting.jpg
1min267

  • પૂર્વ મુખ્યમંત્રીઓ ચંપઈ સોરેન, રઘુવરદાસનાં પુત્રવધૂ, મધુ કોડાનાં પત્ની ગીતા કોડા સહિત કુલ 683 ઉમેદવારો મેદાનમાં
  • ઝારખંડની 43 માંથી 17 બેઠકો સામાન્ય જ્યારે 20 એસટી અને 6 બેઠકો એસસી માટે અનામત
    ઝારખંડમાં આજે તા.13 નવેમ્બર 2024ના રોજ પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન સવારે 7ના ટકોરે શરૂ થઇ ચૂક્યું છે. આ સાથે વાયનાડની લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણીના ભાગરૂપે 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થવાનું છે. ઝારખંડમાં બુધવારે પૂર્વમુખ્યમંત્રીઓ ચંપઈ સોરેન, રઘુવરદાસ, પૂર્વ સીએમ મધુ કોડાનાં પત્ની ગીતા કોડા જેવા ચર્ચાસ્પદ નેતાઓ સહિત કુલ 683 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થશે. બીજીબાજુ વાયનાડ લોકસભા બેઠક પર હાલ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં 13 નવેમ્બર અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે કુલ 2.60 કરોડ મતદારોમાંથી 1.37 કરોડ મતદારો બુધવારે પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન કરશે. બાકીની 38 બેઠકો પર ૨૦ નવેમ્બરે મતદાન થશે. ઝારખંડમાં પહેલા તબક્કામાં બુધવારે સૌથી વધુ છ બેઠકો પૂર્વ સિંહભૂમ જિલ્લામાં છે. ત્યાર પછી પલામુ, પશ્ચિમી સિંહભૂમ અને રાંચી જિલ્લામાં પાંચ-પાંચ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર આજે બુધવારે સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. જોકે, 950 મતદાન મથકો પર સાંજે 4 વાગ્યે મતદાન પૂરું થઈ જશે. રાજ્યમાં 43માંથી 17 બેઠકો સામાન્ય, 20 એસટી અને 6 બેઠકો એસસી માટે અનામત છે.

ઝારખંડમાં નક્સલી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખતા ચૂંટણી પ્રક્રિયામાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે વ્યૂહાત્મક સ્થળો પર સુરક્ષા દળોની 200થી વધુ કંપનીઓ તૈનાત કરાઈ છે. પહેલા તબક્કામાં 73મહિલા સહિત 683 ઉમેદવારો મેદાનમાં છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં આ 43 બેઠકોમાંથી 30 બેઠકો પર ઝારખંડ મુક્તિ મોરચા, ૨૫ બેઠકો પર ભાજપ અને 16 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો.

ઝારખંડમાં બુધવારે કેટલીક મહત્વપૂર્મ બેઠકોમાં સરાઈકેલા કે જ્યાં પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેઓ આ બેઠક પર 2005થી ઝામૂમોના પ્રતિનિધિ તરીકે ચૂંટાતા હતા. આ વખતે તેઓ પહેલી વખત ભાજપના ઉમેદવાર તરીકે લડશે. આ સિવાય જમશેદપુર પૂર્વમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઓડિશાના વર્તમાન રાજ્યપાલ રઘુબર દાસનાં પુત્રવધૂ પુર્ણિમા દાસ સાહુ કોંગ્રેસના અજય કુમાર સામે મેદાનમાં છે. જગન્નાથપુરમાં પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાનાં પત્ની ગીતા કોડા ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસના નેતા સોના રામ સિંકુ સામે લડશે.

દરમિયાન દેશમાં પેટા ચૂંટણીના ભાગરૂપે વાયનાડ લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણીના રાજકારણમાં પદાર્પણ કરી રહ્યાં છે. આ પેટા ચૂંટણીમાં મતદાનથી કોઈપણ જગ્યાએ સરકારો પર કોઈ મોટી અસર થવાની નથી, પરંતુ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન હરિયાણામાં નિષ્ફળ ગયા હોવાથી આ પેટા ચૂંટણીઓને કોંગ્રેસ તથા ઈન્ડિયા ગઠબંધન માટે મોટા પડકાર સમાન માનવામાં આવે છે. આ મોટાભાગની બેઠકો વર્તમાન ધારાસભ્યો લોકસભા ચૂંટણી લડીને જીત્યા હોવાથી ખાલી પડી છે. વિવિધ રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં રાજસ્થાનમાં સાત, પશ્ચિમ બંગાળમાં છ, આસામમાં પાંચ, બિહારમાં ચાર, કર્ણાટકમાં ત્રણ, મધ્ય પ્રદેશમાં બે અને છત્તિસગઢ, ગુજરાત, કેરળ તથા મેઘાલયમાં એક-એક બેઠકો પર મતદાન થશે.

November 11, 2024
vistara-air-india.png
1min293

ભારતમાં પ્રીમિયમ બ્રાન્ડની પ્રાઇવેટ એરલાઇન્સ તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલી વિસ્તારા એરલાઇન્સ આજે તા.11મી નવેમ્બરને સોમવારે પોતાના વિમાનોની અંતિમ ઉડાનો ભરી રહી છે. આવતીકાલ તા.12મી નવેમ્બરથી વિસ્તારા એરલાઇન્સનું નામોનિશાન મટી જશે અને તેની બધી ઉડાનો એર ઇન્ડિયામાં મર્જ થઇ જશે.

વિસ્તારા સોમવાર, નવેમ્બર 11 ના રોજ તેની પોતાની બ્રાન્ડ હેઠળ તેની અંતિમ ફ્લાઇટનું સંચાલન કરશે, કારણ કે તે એર ઇન્ડિયા સાથે સંપૂર્ણ રીતે એકીકૃત થવાની તૈયારી કરે છે. 12 નવેમ્બરથી, વિસ્તારાની કામગીરી એર ઈન્ડિયા સાથે એકીકૃત થઈ જશે, જે એર ઈન્ડિયા બેનર હેઠળ સિંગલ, કોન્સોલિડેટેડ સેવામાં સંક્રમણને ચિહ્નિત કરશે.

સરકારે એર ઈન્ડિયા-વિસ્તારા મર્જરમાં સિંગાપોર એરલાઈન્સ દ્વારા સીધા વિદેશી રોકાણને મંજૂરી આપી છે, જે એર ઈન્ડિયા બ્રાન્ડ હેઠળ એક સંપૂર્ણ-સેવા કેરિયરમાં તેમના એકીકરણને સુવ્યવસ્થિત કરે છે.

વિસ્તારા, ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ એર ઈન્ડિયા સાથે સંપૂર્ણ રીતે સંકલિત થઈ ગયું છે, જેની માલિકી પણ ટાટા ગ્રૂપની છે. આ મર્જર બે વાહકોને એક છત્ર હેઠળ એકીકૃત કરે છે.

એરલાઇન્સે જાહેરાત કરી હતી કે 3 સપ્ટેમ્બર 2024થી ગ્રાહકો ધીમે ધીમે 12 નવેમ્બર 2024ના રોજ અથવા તે પછીની મુસાફરીની તારીખો માટે વિસ્તારા સાથે બુકિંગ કરવાની ક્ષમતા ગુમાવશે.

નવેમ્બર 2022 માં જાહેરાત કરાયેલ એર ઈન્ડિયા સાથે વિસ્તારાના વિલીનીકરણના પરિણામે, સોદો પૂર્ણ થયા પછી સિંગાપોર એરલાઈન્સ યુનિફાઈડ એરલાઈનમાં 25.1 ટકા હિસ્સો ધરાવે છે.

વિસ્તારાના સીઈઓ વિનોદ કન્નને જણાવ્યું હતું કે એર ઈન્ડિયા સાથે મર્જરનો ઉદ્દેશ્ય પ્રવાસીઓના સમગ્ર અનુભવને વધારીને ફ્લીટ અને નેટવર્કને વિસ્તૃત કરીને મુસાફરોને વધુ વિકલ્પો પ્રદાન કરવાનો છે.

“એર ઈન્ડિયા અને વિસ્તારાની ક્રોસ-ફંક્શનલ ટીમો ઘણા મહિનાઓથી એરક્રાફ્ટ, ફ્લાઈંગ ક્રૂ, ગ્રાઉન્ડ-બેઝ્ડ સહકર્મીઓ અને સૌથી અગત્યનું, અમારા મૂલ્યવાન ગ્રાહકોને નવી એર ઈન્ડિયામાં શક્ય તેટલી સીમલેસ બનાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે. એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને અગાઉ કહ્યું હતું.

જેમ જેમ વિસ્તારા આજે એર ઈન્ડિયા સાથે મર્જ થાય છે તેમ, ભારતમાં ફુલ-સર્વિસ કેરિયર્સની સંખ્યા છેલ્લા 17 વર્ષમાં પાંચથી ઘટીને એક થઈ ગઈ છે. આ શિફ્ટ 2012 માં વિદેશી સીધા રોકાણના ધોરણોના ઉદારીકરણને અનુસરે છે, જેના કારણે વિસ્તારા અને અન્ય વિદેશી રોકાણવાળી એરલાઇન્સની સ્થાપના થઈ.

વિસ્તારાનું વિલીનીકરણ ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં વિદેશી કેરિયર્સ સાથેના સંયુક્ત સાહસોના લાંબા યુગના અંતનો સંકેત આપે છે.

2012 માં, યુપીએ સરકારે વિદેશી એરલાઇન્સને 49 ટકા સુધી સ્થાનિક કેરિયર્સની માલિકીની મંજૂરી આપી, જેના કારણે એતિહાદ સાથે જેટ એરવેઝ અને વિસ્તારા અને એરએશિયા ઇન્ડિયાની રચના જેવી ભાગીદારી થઈ.

વિસ્તારા, છેલ્લા દાયકામાં એકમાત્ર નવી સંપૂર્ણ-સેવા કેરિયર, 2015 માં શરૂ થઈ. સમય જતાં, કિંગફિશર અને એર સહારા જેવી એરલાઇન્સ ઝાંખી પડી, જ્યારે જેટ એરવેઝ 2019 માં પડી ભાંગી.

November 8, 2024
1min294

ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે સાર્વજનિક સ્થાન પર મહિલાઓની સુરક્ષા માટે નવા દિશા-નિર્દેશ રજૂ કર્યાં છે. આયોગ પુરૂષ દરજીઓને મહિલાઓનું માપ લેવા પર રોક લગાવવા વિચાર કરી રહ્યું છે. યુપી પેનલે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે, કોઈપણ પુરૂષ પોલીસ દરજી મહિલાઓનું માપ નહીં લઈ શકે. આ સાથે જ મહિલાની સુરક્ષાને ધ્યાને લેતા મહિલા આયોગે કહ્યું કે, જીમ અને યોગા સેન્ટરમાં પણ મહિલા ટ્રેનર હોવી જોઈએ. જીમ અને યોગા સેન્ટરમાં ડીવીઆર સહિત સીસીટીવ કેમેરા અનિવાર્ય કરવામાં આવે. સ્કૂલ બસમાં મહિલા સુરક્ષાકર્મી અથવા મહિલા શિક્ષિકા હોવી જોઈએ.
આ પણ વાંચોઃ સરકારી ઓફિસોમાં કર્મચારીઓના સિગારેટ-તંબાકુના સેવન પર પ્રતિબંધ, આ રાજ્યએ લીધો મોટો નિર્ણય

મહિલા આયોગના આ સૂચન પર 28 ઓક્ટોબરે લખનૌમાં થયેલી એક બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મહિલા આયોગના સભ્યોએ મહિલાઓની સુરક્ષાને લઈને મંથન કર્યું હતું. જેમાં મહિલાઓની સુરક્ષા તેમજ તેમના અધિકારોના સંરક્ષણ માટે અમુક નિર્ણય લેવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. જોકે, આ સૂચનોની શક્યતા અંગે હજુ નિર્ણય લેવાયો નથી. એકવાર આ સૂચનનોનો સ્વીકાર કરાયા બાદ આ પ્રસ્તાવને જમીની સ્તર પર અમલીકરણ માટે નીતિ બનાવી તેનો નમૂનો તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.

કોચિંગ સેન્ટરમાં સીસીટીવી

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, બુટિક સેન્ટરમાં મહિલાઓનું માપ લેવા માટે મહિલા દરજી નિયુક્ત કરવાની રહેશે, જેમાં સક્રિય સીસીટીવીથી દેખરેખ કરવામાં આવશે. આ સિવાય કોચિંગ કેન્દ્રોમાં સીસીટીવીથી દેખરેખ અને યોગ્ય શૌચાલયની સુવિધા હોવી જોઈએ। મહિલાઓ માટે વિશેષ કપડાં અને સામાન વેચનાર સ્ટોરમાં પણ ગ્રાહકની મદદ માટે મહિલા કર્મચારી નિયુક્ત કરવાની રહેશે.

November 8, 2024
vipul-shah-gjepc.jpg
2min365

કેન્દ્ર સરકારે સોનાના દાગીના બનાવવામાં સોનાના થતાં બગાડના ધોરણો એટલી હદે મર્યાદિત કરી દીધા હતા કે જેને કારણે ઝવેરાત ઉત્પાદકો, ઝવેરીઓને નફાની વાત તો દૂર પણ નુકસાની વહોરવી પડતી હતી. સમગ્ર દેશના ઝવેરાત ઉત્પાદકોમાં આ અન્યાયી નિયમો સામે સખત નારાજગી હતી જેને લઇને જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલે કેન્દ્ર સરકારને રજૂઆતો કરી હતી કે સોનામાંથી દાગીના બનાવનારા ઉત્પાદકોને દાગીના બનાવતી વખતે 5 ટકા સુધીના સોનાનો બગાડ સહન કરવો પડે છે. આ રીતે બગડતું સોનું ક્યાં તો ગોલ્ડ ડસ્ટ, ક્યાંતો ઓગળીને, ક્યાં તો કચરા ભેગું થઇ જતું હોવાથી અગાઉના ધોરણો અનુસાર 5 ટકા બગાડને મંજૂર રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

જીજેઇપીસીની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ઝવેરાત ઉત્પાદનમાં થતા સોનાના બગાડ અંગેની માગણીને સ્વીકારી છે. વિદેશી વેપારના મહાનિદેશાલય (ડીજીએફટી) એ આગામી તા.1લી જાન્યુઆરી 2025થી અમલમાં આવે એ રીતે દાગીનાઓના ઉત્પાદનમાં થતાં સોનાના બગાડના નવા ધોરણો અને સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ નોર્મ્સ (SIONs)માં સુધારો કરતું નોટિફિકેશન પ્રસિદ્ધ કરી દીધું છે.

અગાઉ DGFTએ 27મી મે 2024ના રોજ જાહેર સૂચના નંબર 05/2024-25 દ્વારા તમામ દાગીનાઓની તમામ શ્રેણીઓના બગાડના ધોરણોમાં ભારે ઘટાડો કર્યો હતો. આ ઘટાડાઓની ગંભીર અસર પર ધ્યાન આપતા, જીજેઇપીસીએ એ જ દિવસે DGFT અધિકારીઓ સાથે સ્ટેક હોલ્ડર્સની મીટીંગ યોજી હતી. જીજેઇપીસી અને ઝવેરાત ઉત્પાદકોએ દાગીના બનાવવાની પ્રક્રિયા દરમિયાન કઇ રીતે કેટલા પ્રમાણમાં સોનું બગડે છે તે પ્રકારે ઉત્પાદન ડેટા રજૂ કર્યો હતો. પરિણામે, અગાઉ આપવામાં આવેલી સૂચનાનો અમલ સમયાંતરે સ્થગિત કરવામાં આવ્યો હતો.

જીજેઇપીસીએ ઝવેરાત ઉત્પાદકોના હિતમાં કેન્દ્ર સરકાર પાસે બે મુખ્ય રજૂઆતો કરી હતી જેમાં (એ) દાગીનાઓના ઉત્પાદની પ્રક્રિયા સાથે વાસ્તવિક રીતે સંરેખિત થતા બગાડના ધોરણો નિર્ધારિત કરવા અને (બી) નવા નિયમો અપનાવવા માટે ફેરફાર અપનાવવાની પર્યાપ્ત અવધિની મંજૂરી આપવી.

GJEPC ના સંશોધન અને ડીજીએફટી અધિકારીઓ સાથેની વિવિધ ચર્ચાઓ બાદ, બગાડના અગાઉના ધોરણો સાથે વ્યવહારુ ફેરફારો કરવામાં આવ્યા છે જે આગામી તા.1લી જાન્યુઆરી 2025થી અમલમાં આવશે. વચગાળાના સમયગાળા દરમિયાન, અગાઉના ધોરણો 31મી ડિસેમ્બર 2024 સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામામાં SIONs માટેના સુધારણાની પણ વિગતો આપવામાં આવી છે, જે ફિનિશ્ડ જ્વેલરીના ચોક્કસ જથ્થા માટે મંજૂર કાચા માલની માત્રાનો ઉલ્લેખ કરે છે. સુધારેલા ધોરણોનો ઉદ્દેશ્ય ધાતુના અસરકારક ઉપયોગને દાગીનાઓની ઉત્પાદનની પ્રક્રિયાઓની વાસ્તવિકતાઓ સાથે સંતુલિત કરવાનો છે, જેનાથી વધારે ફાયદો પરંપરાગત કારીગરોને થશે.

હેડિંગ બોક્સ

દાગીના ઉત્પાદનમાં સોનાનો બગાડના ધોરણો

વિગત સોનું ચાંદી

હેન્ડ ક્રાફ્ટેડ પ્લેન જ્વેલરી 2.25 3

મશીન મેડ જ્વેલરી 0.45 0.50

સ્ટડેડ હેન્ડ ક્રાફ્ટ જ્વેલરી 4.00 4.00

સ્ટડેડ મશીન મેડ જ્વેલરી 2.80 2.80

માઉન્ટીંગ-ફાઇન્ડીંગ્સ હેન્ડ 2.00 2.50

માઉન્ટીંગ-ફાઇન્ડીં મશીન 0.40 0.50

અન્ય મિકેનાઇઝ્ડ જ્વેલરી 0.90 0.90

ભગવાનની પ્રતિકૃતિ હેન્ડ 4.00 4.00

ભગવાનની પ્લેન પ્રતિકૃતિ 2.00 2.00

November 7, 2024
bitcoin.jpg
1min216

  • ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટોનું વૈશ્વિક મથક બનાવવાની ચૂંટણી પ્રચારમાં ખાતરી આપી છે કમલા હેરિસ કરતા ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સીસ માટે વધુ પોઝિટિવ હોવાનો ખેલાડીઓ મત ધરાવી રહ્યા છે. ટ્રમ્પના આવવાથી અમેરિકાના સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ કમિશન (એસઈસી)ના ક્રિપ્ટોકરન્સીસ તરફના વલણમાં બદલાવ આવવાની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે.
  • ક્રિપ્ટો માર્કેટ તરફી વલણ ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પના વિજયની અસર
    અમેરિકાના પ્રમુખપદે ક્રિપ્ટોકરન્સી તરફી ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થતાં છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનની આગેવાની હેઠળ વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં મોટી રેલી જોવા મળી હતી. દસ ટકાના ઉછાળા સાથે બિટકોઈને ૭૫૩૬૩ ડોલરની નવી ઊંચી સપાટી દર્શાવી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૬૮૬૫૪ ડોલર જોવાયો હતો અને મોડી સાંજે ૭૩૮૬૦ ડોલર કવોટ કરાતો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસમાં પણ સુધારો જોવા મળ્યો હતો. આજથી શરૂ થયેલી ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક પર બજારની નજર રહેશે.

બિટકોઈનમાં જંગી ઉછાળા પાછળ સંસ્થાકીય માગ હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. અમેરિકાના બિટકોઈન ઈટીએફ હોલ્ડિંગ્સ ગયા મહિને વધી ૬૬ અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.

જોખમ લેવા માગતા ખેલાડીઓ માટે બિટકોઈન એક પસંદગીની એસેટસ છે. બિટકોઈનમાં ઉછાળાનો અર્થ સંસ્થાકીય રોકાણકારો તેમાં નાણાં ઠાલવી રહ્યા છે એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું.

ટ્રમ્પના વિજયથી ડિજિટલ કરન્સીને બળ મળશે. પોતાના ચૂંટણી પ્રચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટોનું વૈશ્વિક મથક બનાવવાની ખાતરી આપી હતી.

બાઈડન વહીવટીતંત્ર હેઠળ જપ્તિના પગલાંઓ બાદ ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગ હવે નિયમનકારી માળખાની આશા રાખી રહ્યો છે. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ જેમ કે એથરમ વધી ૨૬૨૨ ડોલર, સોલાના ૧૮૫ ડોલર, બીએનબી ૫૮૨ ડોલર બોલાતા હતા.

એલન મસ્કના પીઠબળ સાથેની ક્રિપ્ટો ડોજકોઈન ૨૫ ટકા ઉછળી ૦.૨૦ ડોલર પહોંચી ગઈ હતી. એલન મસ્કે ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. ક્રિપ્ટોસની એકંદર માર્કેટ કેપ પણ પાંચ ટકાથી વધુ વધી ૨.૫૬ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી.

નીચા વ્યાજ દરોને બિટકોઈન માટે તેજીની સ્થિતિ તરીકે જોવામાં આવે છે, કારણ કે રોકાણકારો વધુ નાણાં ઉછીના લઈ જોખમી એસેટસમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, ત્યારે વર્તમાન સપ્તાહમાં અમેરિકન ફેડરલ રિઝર્વની ૬-૭ મીએ મળનારી બેઠકમાં વ્યાજ દરમાં જો વધુ ઘટાડોઆવશે તો બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સીસમાં ઉછાળો જોવા મળવાની ખેલાડીઓને અપેક્ષા છે.

November 6, 2024
2000.jpg
1min272

દેશમાં રૂ. 2000ની ગુલાબી નોટો પર પ્રતિબંધ મૂકાયો તેને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ હજારો કરોડ રૂપિયાની ગુલાબી નોટો લોકો પાસે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર મહિનામાં આ અંગેનું નવીનતમ અપડેટ બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચલણમાંથી કાઢી લેવામાં આવ્યા બાદ 2000 રૂપિયાની કુલ નોટોમાંથી હજુ પણ લોકો પાસે 6,970 કરોડ રૂપિયાની નોટો છે. આ આંકડો 31 ઓક્ટોબર 2024 સુધીનો છે. RBIના લેટેસ્ટ અપડેટમાં જણાવાયું છે કે 2000 રૂપિયાની 98.04 ટકા નોટ પરત આવી ગઇ છે.

ગયા વર્ષે મે મહિનામાં RBIએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. તે સમયે 3.56 લાખ કરોડ રૂપિયાની કુલ 2000 રૂપિયાની બેંક નોટો ચલણમાં હતી. હવે સમસ્યા એ છે કે કેન્દ્રીય બેંકને નોટ પરત કરવાની ગતિ એકદમ ધીમી થઈ ગઈ છે. આનો અર્થ એવો પણ થાય છે કે જેની પાસે આ નોટો છે તેઓ તેને પરત કરવા માંગતા નથી. બહુ ઓછા લોકો હવે આ નોટો પરત કરવા આવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં માત્ર 147 કરોડ રૂપિયાની ગુલાબી નોટો પરત આવી છે.

આરબીઆઇએ તેમનો ડેટા પણ શેર કર્યો છે જે અનુસાર 1 જુલાઈ, 2024ના રોજ બજારમાં 7581 કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટો બચી ગઈ હતી. 1 ઓક્ટોબરે તે રૂ. 7,117 કરોડ હતો અને હવે 31 ઓક્ટોબરે રૂ. 6,970 કરોડ છે. મતલબ કે જુલાઈથી અત્યાર સુધીમાં માત્ર 611 કરોડ રૂપિયાની નોટ જ પરત આવી છે.

આરબીઆઇએ 9 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઇએ અગાઉ 2000 રૂપિયાની નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જોકે, સમયાંતરે આ સમયમર્યાદા લંબાવવામાં પણ આવી હતી. રૂપિયા 2000ની નોટ નવેમ્બર 2016માં ચલણમાં લાવવામાં આવી હતી. તે સમયે સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાં બંધ કરી દીધી હતી. આ પછી, પર્યાપ્ત માત્રામાં અન્ય મૂલ્યોની બેંક નોટો ઉપલબ્ધ થયા પછી, 2,000 રૂપિયાની બેંક નોટો રજૂ કરવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો હતો, તેથી 2018-19માં રૂ. 2,000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું, એમ રિઝર્વ બેંકે જણાવ્યું હતું.

October 28, 2024
ayushaman.jpg
1min375

આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય)  હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે વડાપ્રધાન મોદી દ્વારા  આરોગ્ય વીમાની શરૂઆત 29 ઓક્ટોબરે થવાની સંભાવના છે તેમ સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.નિયમિત ટીકાકરણનું ઇલેકટ્રોનિક રજિસ્ટર બનાવી રાખવા માટે વિકસિત યુ-વિન પોેર્ટલને પણ તે જ દિવસે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બે ઉપરાંત મંગળવારે કેટલાક અન્ય પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવશે.

70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને તેમની આવક ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સરકારના આ નિર્ણયથી 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે. આ સ્કીમ હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરની વ્યકિત પછી ભલે તે ગરીબ હોય કે ધનવાન તમામને મફતમાં પાંચ લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે 1 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 12696 ખાનગી હોસ્પિટલો સહિત 29648 હોસ્પિટલોમાં એબી-પીએમજેએવાયના લાભાર્થીઓને મફત સારવાર આપવામાં આવે છે. 

દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળને છોડીને દેશના 33  રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજના અમલી છે. આધાર કાર્ડ અનુસાર જે વ્યકિતની ઉંમર 70  કે તેથી વધારે હોય તે આ સ્કીમ માટે અરજી કરી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. 

October 28, 2024
nitishkumar.jpg
1min267


બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે એનડીએની બેઠક બોલાવી છે. બિહારમાં ચાર બેઠકો પર પેટા ચૂંટણી વચ્ચે નીતિશ કુમાર આ બેઠક બોલાવીને ભાજપને પોતાની નારાજગીના સ્પષ્ટ સંકેતો આપવા જઇ રહ્યા છે. તાજેતરમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા એનડીએની બેઠકો બોલાવાઇ હતી જેમાં નીતિશ ગેરહાજર રહ્યા હતા. હવે ખુદ નીતિશે જ બેઠક બોલાવીને આશ્ચર્ય સર્જ્યું છે. એવા અહેવાલો છે કે નીતિશ કુમાર ભાજપને ભીંસમાં લઇ શકે છે.

અરરિયાના ભાજપના સાંસદ પ્રદીપસિંહ દ્વારા અપાયેલા નિવેદનથી નીતિશ કુમાર નારાજ છે. જ્યારે ભાજપના નેતા ગિરિરાજસિંહે હિન્દુ સ્વાભિમાન યાત્રાની જાહેરાત કરી છે જેનાથી પણ નીતિશ કુમાર અને તેમનો પક્ષ ખુશ નથી જણાતા કેમ કે જદ(યુ)ને ડર છે કે ભાજપના નેતાઓના ભડકાઉ નિવેદનોથી પક્ષને નુકસાન થઇ શકે છે.

આ ઉપરાંત ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં જદ(યુ)ને ભાજપે માત્ર બે જ બેઠકો આપી છે. જ્યારે નીતિશને 11 બેઠકોની આશા હતી. બેઠકોની જાહેરાત સમયે યોજાયેલી પ્રેસ કોન્ફરંસમાં જદ(યુ)ના ઝારખંડના પ્રદેશ અધ્યક્ષ ગેરહાજર રહ્યા હતા. આવા અનેક મુદ્દે નીતિશ કુમાર ભાજપથી નારાજ જોવા મળી રહ્યા છે.

28મીએ નીતિશ કુમારે એનડીએની બેઠક બોલાવી છે જે બાદ અલગ રૂમમાં જદ(યુ)ના નેતાઓ સાથે બેઠક યોજવામાં આવશે. નીતિશ કુમાર આ બેઠકમાં ભાજપના નેતાઓને વિવાદિત નિવેદનો આપતા અટકાવવાનો પ્રયાસ કરશે સાથે જ આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે તેના પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. નીતિશ કુમારે જ્યારે પણ બેઠક બોલાવી છે ત્યારે કોઇ મોટી જાહેરાત થતી જોવા મળી છે. આ બેઠકમાં પણ કઇક નવા જુની થવાની શક્યતાઓ છે. નીતિશ કુમાર એનડીએમાં પોતાનુ કદ મોટુ હોવાનો અહેસાસ પણ ભાજપના નેતાઓને કરાવી શકે છે.