Slider Archives - Page 413 of 487 - CIA Live

December 10, 2018
CIA_Live_Logo_New2.jpg
1min15310

લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવી પડી હતી, હજુ આ ઘટનાના મૂળ સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યાં આજે તા.10મીએ મોડી સાંજે રાજ્ય સરકારના વહીવટ અને આઇ.ટી. વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે રવિવારે તા.23મી ડિસેમ્બર 2018ના રોજ રાજ્યવ્યાપી ધોરણે યોજાનારી વન રક્ષક વર્ગ-3ની કુલ 334 જગ્યા માટેની ભરતી પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ અને સમયપત્રક હવે પછી જાહેર કરવામાં આવશે.

વન રક્ષક વર્ગ-3ની આ પરીક્ષા માટે પણ રાજ્યભરમાંથી અંદાજે 6 લાખ ઉપરાંત ઉમેદવારોએ તૈયારી કરી હતી અને પરીક્ષાના કોલ લેટરની રાહ જોઇ રહ્યા હતા. આજે મોડી સાંજે પરીક્ષા રદ કરવાની જાહેરાતને પગલે લાખો ઉમેદવારો નિરાશ થયા હતા. આ સાથે જ ગુજરાત સરકારની આબરૂનું પણ લિલામ થવા પામ્યું છે. ભરતી પ્રક્રિયાઓ કે જેમાં એક સાથે લાખો ઉમેદવારો તૈયારી કરતા હોય છે એ છેલ્લી ઘડીએ રદ કરી દેવાથી ઉમેદવારોને માનસિક, શારીરીક, આર્થિક અને ભવિષ્યનું કેટલું મોટું નુકસાન વેઠવું પડે છે તેનો અંદાજો પણ સરકાર જાણતી ન હશે.

December 10, 2018
urjit_patel.jpg
1min5170

RBIના ગવર્નર ઉર્જિત પટેલે અચાનક જ રાજીનામું આપી દીધું છે. જેની પાછળ ઉર્જિત પટેલે અંગત કારણોને જવાબદાર ગણાવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે ઉર્જિત પટેલ અને કેંદ્ર સરકાર વચ્ચે અનેક મુદ્દાઓ પર તણાવ અને મતભેદ ચાલી રહ્યા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસો RBIની બોર્ડની બેઠક બાદ અહેવાલો આવ્યા હતા કે સરકાર અને ઉર્જિત પટેલ વચ્ચે બધું ઠીક થઈ ગયું છે. જો કે તે વચ્ચે આજે તા.10મી ડિસેમ્બર 2018ના રોજ સાંજે આર.બી.આઇ.ના ગવર્નર ઉર્જિત પટેલે અચાનક રાજીનામું આપી દીધું હતું.

“કેટલાક અંગત કારણોના લીધે મે મારા વર્તમાન હોદ્દા પરથી રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયા છે વર્ષો સુધી અલગ અલગ હોદ્દા પર કામ કરવા મળ્યું તે મારા માટે ગૌરવની વાત છે. RBIના તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને મેનેજમેન્ટના સહયોગથી બેંકે આ વર્ષોમાં ઘણી સિદ્ધીઓ મેળવી છે. હું મારા સહકર્મચારીઓ અને RBIના સેંટ્રલ બોર્ડના ડિરેક્ટરનો આભાર માનું છું, અને હું તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપું છું”

આવતીકાલ તા.11મી ડિસેમ્બર 2018નો દિવસ ભારતના અર્થતંત્ર માટે નઠારો બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. શેરબજાર પર ઉર્જિત પટેલના રાજીનામાની ઘેરી અસર પડવાની શક્યતાઓ નકારી શકાતી નથી તો બીજી તરફ પાંચ રાજ્યોની ચૂંટણીના પરીણામો પણ ભારતીય અર્થતંત્રને મોટી અસર કરે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

December 10, 2018
kedarnath.jpg
1min6040

ફિલ્મ કેદારનાથમાં સારા અલી ખાનની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. તો બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂર અને સારા અલી ખાનની કેદારનાથે રવિવારે એટલે કે ત્રીજા દિવસે પણ 10.75 કરોડ રૂપિયાની કમાણી કરી. પહેલા વીક એન્ડમાં ફિલ્મ કુલ 27.75 કરોડ રળી ચૂકી છે.

ફિલ્મ કેદારનાથે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર થી 7.25 કરોડ રૂપિયા ઉસેટ્યા હતા. તો બીજા દિવસે આ આંકડો વધીને 9.75 કરોડ થયો. રિલીઝના ત્રીજા દિવસે ફિલ્મે 10.75 કરોડની કમાણી કરી. આ સાથે જ ફિલ્મ પોતાના પહેલા વીક એન્ડમાં 27.75 કરોડની કમાણી કરી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ કેદારનાથમાં સારા અલી ખાનની એક્ટિંગ વખણાઈ છે. પોતાની ડેબ્યુ ફિલ્મમા જ સારાએ ક્ષમતાની નોંધ લેવડાવી છે.

કેદારનાથ 2013માં કેદારનાથમાં આવેલી પૂરની ઘટના પર આધારિત છે. આ પૂરમાં એક હજાર કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. રોની સ્ક્રૂવાલાની RSVP અને અભિષેક કપૂરની ગાય ઈન ધી સ્કાય પિક્ચર્સ દ્વારા નિર્મિત કેદારનાથ અભિષેક કપૂરે ડિરેક્ટ કરી છે.

December 10, 2018
hukka.jpg
1min13980
  • મુંબઈ હાઈ કોર્ટમાં તા.26મી નવેમ્બર 2018ના રોજ આવો સવાલ કરતી એક પિટિશન દાખલ કરવામાં આવી હતી
  • ૧૭ ડિસેમ્બર સુધીમાં જવાબ ફાઇલ કરવા મહારાષ્ટ્ર સરકારને આદેશ કરાયો છે

મહારાષ્ટ્રમાં નવા જે કાયદા કાનૂન લાગુ થાય છે ગુજરાતમાં એ થોડા વખતમાં લાગૂ પડી જાય છે. જેમકે મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પર બેન મૂકાયા બાદ ગુજરાતમાં પણ તેનો અમલ શરૂ કરાયો હતો. એવા અનેક નિયમો, કાયદાઓ બન્યા છે જેનો ટ્રેન્ડ મહારાષ્ટ્રે સેટ કર્યો છે. હવે હુક્કા બારની બાબતમાં પણ આવું બની શકે એમ છે. મહારાષ્ટ્રમાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂકાયો છે જેની સામે મહારાષ્ટ્ર હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી છે જેમાં સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે હુક્કા બાર પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં તો હુક્કાબારમાં સિગારેટ કે બીડી કરતા પણ ઓછું નિકોટિન હોય છે, મોટા મોલ્સ, એરપોર્ટ જેવા જાહેર સ્થળો પર ધુમ્રપાન માટે સ્પેશયલ એરિયા હોય છે ત્યારે હુક્કા બાર પણ સ્પેશિયલ જગ્યા હોવા છતાં તેને કેમ ગેરકાચદે ગણવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં થયેલી આ રીટના અનુસંધાનમાં મહારાષ્ટ્ર સરકારને તા.17મી ડિસેમ્બર 2018 સુધીમાં જવાબ ફાઇલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ નથી તો પછી હુક્કા પર કેમ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એવો સવાલ પુણેની કાર્નિવલ રેસ્ટોરન્ટના દિનેશ ગાયકવાડે ગઇ તા.26મી નવેમ્બર 2018ના રોજ મુંબઈ હાઈ કોર્ટમાં કરવામાં આવેલી પિટિશનમાં પૂછ્યો છે. આ પિટિશનમાં રાજ્યમાં હુક્કા પાર્લર પર લાદવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લેવાની માગણી કરવામાં આવી છે. આ પિટિશનની અંતિમ સુનાવણી કરવામાં આવી ત્યારે સરકારને પોતાનો જવાબ નોંધાવવાનો આદેશ આપીને સુનાવણી ૧૭ ડિસેમ્બર પર મોકૂફ રાખવામાં આવી હતી.

પિટિશનરે એવો દાવો કર્યો છે કે હુક્કામાં બીડી અને સિગારેટની સરખામણીમાં ઓછા નિકોટિનનું સેવન થાય છે. આમ છતાં બીડી અને સિગારેટના વેચાણને પરવાનગી છે અને થિયેટર્સ, મૉલ, કૉર્પોરેટ ઑફિસ, ઍરપોર્ટ વગેરે સ્થળે ખાસ સ્મોકિંગ ઝોન બનાવીને આપવામાં આવે છે ત્યારે હુક્કા વિક્રેતા સાથે જ કેમ અન્યાય કરવામાં આવે છે?

December 10, 2018
taj.jpg
1min6630

વિશ્વની અજાયબીઓમાંથી એક તાજમહેલમાં ભીડને કાબૂમાં કરવા માટે નવી વ્યવસ્થા લાગૂ પાડવામાં આવી છે. મુખ્ય મકબરા સુધી જવા માટે હવે પર્યટકોએ કુલ 250 રૂપિયા ચુકવવા પડશે. તાજ મહેલની મુલાકાતે આવા પર્યટકોની સંખ્યા સતત વધી કહી છે. વીકેંડમાં 50 હજારથી વધુ સહેલાણીઓ તાજની મુલાકાતે પહોંચે છે. એવામાં મુખ્ય મકબરા પર ભીડ વધ્યા બાદ શાહજહાં અને મુમતાઝની કબર જોવા વાળાઓની ભીડ વધી જાય છે. લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. જેને જોતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મુખ્ય મકબરા પર ભીડને ઓછી કરવા માટે ટિકિટના જક વધારવાનું સૂચન આપ્યું હતું જેને સરકારે મંજૂરી આપી છે.

જૂના દર મુજબની 50 રૂપિયાની ટિકિટ લેનાર પર્યટકોને રેડ પ્લેટફોર્મ(ચમેલી ફર્શ) સુધી જવાની અનુમતિ મળશે. આ પર્યટકો મુખ્ય મકબરા સિવાય તાજમહેલના દીદાર કરી શકશે.

  • સ્થાનિક પર્યટકો માટે 50 અને 250 રૂપિયા
  • વિદેશી પર્યટકોએ 1100 અને 1300 રૂપિયા
  • સાર્ક દેશો માટે 540 અને 740 રૂપિયા

તાજમહેલના પૂર્વીય અને પશ્ચિમી ગેટ પર બનેલી ટિકિટ વિંડો પરથી પર્યટકો ટિકિટ લઈ શકશે. અહીં સ્થાનિક પર્યટકો માટે 50 અને 250 રૂપિયાની ટિકિટ આપવામાં આવશે જ્યારે વિદેશી પર્યટકોએ 1100 અને 1300 રૂપિયા ચુકવવા પડશે. જ્યારે સાર્ક દેશો માટે 540 અને 740 રૂપિયાની ટિકિટ રહેશે. મુલાકાતીઓ પોતાની સુવિધા અનુસાર ટિકિટની પસંદગી કરી શકશે.

પ્રવાસન વિભાગે ઑગસ્ટમાં પણ તાજની ટિકિટમાં વધારો કર્યો હતો. સ્થાનિક અને સાર્ક દેશોના પર્યટકો માટે ટિકિટમાં 10 રૂપિયા અને વિદેશી પર્યટકો માટે 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા એપ્રિલ 2016માં ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો હતો.

200 રૂપિયાની વધારાની ટિકિટ લઈને મુલાકાતીઓ તાજના મુખ્ય મકબરાના મુગલકાળના નકશીકામનો આકર્ષક નજારો જોઈ શકશે. સંગેમરમર પર કરવામાં આવેલું આ નકશીકામ પર્યટકોમાં આકર્ષણનું કેંદ્ર છે. મુમતાજની કબર પાસે પણ પથ્થરો પર શાનદાર કામ કરવામાં આવ્યું છે. જે ખુબ જ મનમોહક છે.

 

December 10, 2018
senior_citizen.jpg
1min6070

(Symbolic photo senior citizen )

કેટલીક બેંકો સિનિયર સિટીઝન્સને બેંક ડિપોઝીટસ પર મળતા વ્યાજની આવકમાંથી ખોટી રીતે ઇન્કમટેક્સ કાપી લેતી હોવાની બાબત ધ્યાન પર આવતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ ગઇ તા.6 ડિસેમ્બર 2018ના રોજ એક ખાસ નોટિફિકેશન જારી કરીને દરેક બેંકો, ફાઇનાન્સિયલ સંસ્થાઓ જોગ સ્પષ્ટતા કરી છે કે સિનિયર સિટીઝન્સને વિવિધ પ્રકારની થાપણો, ડિપોઝીટ્સ પર થતી વ્યાજની કુલ રૂ.50,000 સુધીની આવક પર કોઇ પણ પ્રકારનો ટેક્સ કાપવાનો નથી. (CBDT)એ એ પણ સ્પષ્ટતા કરી છે કે ઇન્કમ ટેક્સ એક્ટ ની કલમ 194-એ અન્વયે પણ રૂ.50,000 સુધીની વ્યાજની આવક ધરાવનાર સિનિયર સિટીઝન્સની આવક પર કોઇ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ કાપવાનો નથી.

થાપણો પર રૂ.50,000થી વધુ વાર્ષિક આવક ધરાવત સિનિયર સિટીઝનની વ્યાજની આવક પર જ ટેક્સની ગણતરી કરીને તેને કાપવાનો રહેશે. રૂ.50 હજાર સુધીના વાર્ષિક વ્યાજ પર કોઇપણ પ્રકારનો ઇન્કમ ટેક્સ કાપવાનો રહેતો નથી.

(CBDT)ની આ પ્રકારી સ્પષ્ટતા પછી દેશભરના લાખો નહીં કરોડો સિનિયર સિટીઝન્સને રાહતની લાગણી થઇ છે. મોટા ભાગના સિનિયર સિટીઝન્સ કે જેઓ સેવા નિવૃત જીવન વિતાવે છે, તેમની પાસે આવકનો એકમાત્ર સ્ત્રોત બેંકની ફિક્સ ડિપોઝીટ કે અન્ય થાપણો સ્વરૂપે હોય છે અને તેના વ્યાજમાંથી મળતી રકમમાંથી તેમનો નિર્વાહ થતો હોય છે. આવા સંજોગોમાં (CBDT)ની સ્પષ્ટતાથી સિનિયર સિટીઝન્સને રાહતની લાગણી ફેલાય છે.

The Central Board of Direct Taxes (CBDT) has learnt of instances where banks wrongly deducted tax at source (TDS) on interest income earned by senior citizens. In a notification issued on December 6, it has clarified that no TDS has to be deducted under section 194-A of the Income Tax (I-T) Act in the hands of senior citizens, unless their interest income in the aggregate exceeds Rs 50,000 in a year.

Section 80-TTB was introduced with effect from April 1, 2018. Any individual, aged 60 and above, can claim a deduction of up to Rs 50,000 from his/her interest income.

Thus, if the interest income is collectively less than this sum, TDS requirements do not come into play

 

December 10, 2018
upendra-kushwaha.jpg
1min7490
તા.11મી ડિસેમ્બરના રોજ મંગળવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે એના એક દિવસ પહેલા આજે તા.10મી ડિસેમ્બર 2018ના રોજ એનડીએની બેઠક યોજાવાની છે, આ બેઠકમાં ઉપસ્થિત નહીં રહેવા અંગે ટ્વીટ કરનાર કેન્દ્રીય મંત્રી અને બિહારના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. તા.10મી ડિસેમ્બરના રોજ બપોરે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપી દીધું છ. ચર્ચા થઈ રહી છે કે ઉપેન્દ્ર કુશવાહા વિપક્ષોના મહાગઠબંધન સાથે જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે, એક્ઝિટ પોલમાં કોંગ્રેસના સરાસરી મળતી હોય તેવું લાગી રહ્યું છે.
રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP)નાં અધ્યક્ષ છે ઉપેન્દ્ર કુશવાહા
December 10, 2018
india_wins.jpg
1min4720

એડિલેડ ઓવલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રનથી હરાવીને ટેસ્ટ મેચ જીતી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. આ ટેસ્ટ જીતવાની સાથે ભારતે છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લે 2008માં ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટ જીતી હતી. તો એડિલેડ ઓવલમાં ભારતને 15 વર્ષ બાદ જીત મળી છે.

ચેતેશ્વર પુજરાએ પહેલા દાવમાં ૧૨૩ રન અને બીજા દાવમાં ૭૧ રનોની ધુંઆધાર બેટિંગ કરીને મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવ્યો છે. પુજારાએ ભારત માટે સંકટમોચન બનીને ભારતીય ટીમના ઐતિહાસિક વિજયમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યુ હતું. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં બુમરાહ, શમી અને અશ્વિને 3-3 વિકેટ ખેરવી હતી. આ ટીમ ઈન્ડિયાનો 11મો વિજય છે જ્યારે એડિલેડ મેદાનમાં 15 વર્ષ બાદ વિજય મેળવ્યો છે.

December 10, 2018
sensex.jpg
1min9540

આજે સેન્સેક્સ 35058.76 પોઈન્ટ થયો છે. તો નિફ્ટી 193.55 અંક ઘટીને 10,500ના સ્તરે પહોંચ્યું

તા. 11મી ડિસેમ્બર 2018 ને મંગળવારે ભારતના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાના છે, પણ તે પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલ્સમાં ભાજપાને મોટું નુકસાન વેઠવું પડે તેવી આગાહીઓ થતાં ચાલુ અઠવાડિયાના પ્રથમ દિવસે બજારમાં હાહાકાર મચ્યો છે. આજે સેન્સેક્સ 35058.76 પોઈન્ટ થયો છે. તો નિફ્ટી 193.55 અંક ઘટીને 10,500ના સ્તરે પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કેચૂંટણીના પરિણામ પહેલા શુક્રવારે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા ત્યારથી જ ભાજપ માટે સ્થિતિ ચિંતા જનક દેખાઈ રહી છે.

બેન્ક સેક્ટરના શૅરના ભાવ પણ સતત ઘટી રહ્યાં છે. જે શૅરના ભાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે તેમાંના વિપ્રો, એક્સિસ બેન્ક, ઈંડસ્લેન્ડ બેન્ક, પાવર ગ્રિડ, ONGC, HDFC Bank, ITC, L&T, ટાટા સ્ટીલ, NTPC, SBIN, હીરો મોટોકોર્પ વગેરે છે.

ગત સપ્તાહે એટલે કે શુક્રવારે ફાઈનેન્શિયલ અને બેઁક શૅરમાં ખરીદદારો વધવાને કારણે સેન્સેક્સ 361 અંક વધીને 35,673ના સ્તરે બંધ થયો હતો. ત્યાં જ નિફ્ટી પણ 92 અંકની તેજી સાથે 10693 અંકે બંધ થયો. આ પહેલા ગુરુવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 562 અંક ગબડીને 35,312ના સ્તરે બંધ થયો. ત્યાં જ નિફ્ટી 181 અંકથી સીધું 10601ના સ્તરે પહોંચ્યું હતો.

બુધવારે પણ સેન્સેક્સ લગભગ 250 જેટલું તૂટીને 35, 884 પર બંધ થયો. જ્યારે નિફ્ટી ગબડીને 10784 પર હતો. ભારતીય શૅર બજાર માટે મંગળવારનો દિવસ પણ સારું નહોતો. જેમ કે સેન્સેક્સ 107 અંક ગબડીને 36,134 પર બંધ થયો જ્યારે નિફ્ટી પણ ગબડીને 10869 પર આવ્યો. ત્યાં જ સોમવારે છઠ્ઠા વેપારી સત્રમાં તેજીનો સિલસિલો ચાલ્યો હતો. સોમવારે સેન્સેક્સ 47 અંકના સામાન્ય ઉછાળા સાથે 36,241ના અંકે બંધ થયો જ્યારે નેશનલ સ્ટેક એક્સચેંજના નિફ્ટીમાં 7 અંકના વધારા સાથે 10,883.75ને અંકે બંધ થયો.

ડૉલરની સામે રૂપિયાની શરૂઆત જ ઘટાડાથી થઈ. રૂપિયો 54 પૈસા તૂટીને 71.34ના સ્તરે ખૂલ્યો ત્યાં જ ગત વેપારી સત્રમાં રૂપિયો 10 પૈસાના વધારાની સાથે 70.80ના સ્તરે બંધ થયો.

December 10, 2018
guj.jpg
1min5050

ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે ગુજરાતમાં ચાલુ વર્ષે જળસંકટ ઘેરું બન્યું છે. આ વર્ષે પડેલા સાધારણ વરસાદને લીધે પાણીની સમસ્યા સર્જાતા રવીપાકની વાવણીમાં પણ ઘટાડો નોંધાયો છે.

રાજ્યના ૨૦૪ જળાશયમાંથી ૮૩ જળાશયોમાં ૧૦ ટકાથી પણ ઓછી પાણીની સપાટી છે. તો કચ્છના જળાશયોમાં માત્ર ૧૧.૪૨ ટકા પાણી બચ્યું છે. હજુ તો શિયાળાની શરૂઆત જ થઈ છે ત્યારે રાજ્યના ૩૪ જળાશયો અત્યારથી તળિયાઝાટક થઈ ગયા છે. ચોમાસા દરમિયાન અપૂરતા વરસાદના કારણે મોટાભાગના જળાશયો પૂરતા ભરાયા નહેતા. ઉનાળા પહેલા જ ૩૫ ડેમો તો તળિયા ઝાટક થઈ ગયા છે. શિયાળામાં પાણીની સ્થિતિ સર્જાતા ઉનાળો વધુ આકરો બનશે. સરદાર સરોવરમાં માત્ર ૬૨ ટકા જળસ્તર નોંધાયું છે. રાજ્યના ૧૪ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણી છે. જ્યારે કે ૧૩ જળાશયોમાં ૮૦થી ૯૦ ટકા પાણીનો જથ્થો બાકી છે. આ સિવાય ૧૦ જળાશયોમાં ૭૦થી ૮૦ ટકા પાણી છે. તો ૧૬૬ જળાશયોમાં ૭૦ ટકાથી ઓછું પાણી રહ્યુ છે. હજુ તો માત્ર શિયાળાની શરૂઆત થઈ છે, ત્યારે જ જળાશયોમાં ૫૦ ટકા જેટલું પાણી બાકી રહેતાં ગુજરાતમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ શકે છે.