Slider Archives - Page 412 of 487 - CIA Live

December 17, 2018
CIA_Live_Logo_New2.jpg
1min4500

આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બરના નવ મહિના દરમિયાન મુંબઈમાં ગુમ થયેલા ૭,૭૪૦ લોકોમાંથી ૨,૯૮૪ લોકોની કોઇ ભાળ મળી ન હોવાની મુંબઈ પોલીસે માહિતી આપી હતી. જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં ૪,૭૫૭ ગુમ વ્યક્તિને શોધવામાં પોલીસને સફળતા મળી હતી.

છેલ્લાં અમુક વર્ષમાં ગુમ થયા બાદ પત્તો ન લાગતો હોય એવી વ્યક્તિની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. મુંબઈ પોલીસના આંકડા અનુસાર ૨૦૧૪માં ૮,૩૮૯ લોકો ગુમ થયા હતા, તે પૈકી ૬૮૭ જણની ભાળ મળી નહોતી. ૨૦૧૫માં ગુમ થયેલા ૮,૭૩૨ જણ પૈકી ૮૦૩ જણનો કોઇ પત્તો લાગ્યો નહોતો. ૨૦૧૬માં ગુમ થનાર કુલ ૯,૧૭૬ પૈકી ૧,૦૦૯ લોકોની કોઇ જાણકારી મળી નહોતી. ૨૦૧૭માં ગુમ થનાર ૯,૧૮૬ જણમાંથી ભાળ ન મળી હોય એવા લોકોની સંખ્યા વધીને ૧,૫૯૨ પર પહોંચી હતી. ૨૦૧૪થી લઇને સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધીમાં કુલ ૭,૦૭૪ જણના ગુમ થયા બાદ કોઇ પત્તો લાગ્યો નથી.

December 15, 2018
darshan1.jpg
1min6030
આજ રોજ શનિવાર, તા.15મી ડિસેમ્બર 2018ના રોજ સુરત સિંચાઇ વર્તુળ ખાતે ખેડૂત સમાજ ગુજરાત ના પ્રમુખ જયેશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઇ એન.પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય દર્શનભાઈ નાયક, ઓલપાડ તાલુકા ખેડૂત સમાજ ના પ્રમુખ રમેશભાઈ પટેલ, માંગરોળ તાલુકા પંચાયતના માજી પ્રમુખ જયચંદભાઈ વસાવા, માંગરોળ તાલુકાના ખેડૂત આગેવાન સુરેશભાઈ વસાવા, પીપોદરાગામના ડેપ્યુરિટી સરપંચ નશરૂમભાઈ શેખ, પીપોદરા સહકારી મંડળીના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવેલા ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે સિંચાઇના પાણી રોટેશનથી વિતરીત કરવાનું વ્યવસ્થાતંત્ર ગોઠવવા બાબતે લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.
સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતનો સુરત સિંચાઇ વર્તુળમાં આવતા વિસ્તારમાં ખેતી કરી રહેલા ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં ત્યારે જ મળી રહેશે જ્યારે રોટેશન પ્રમાણે પાણી વિતરણ કરવામાં આવે અન્યથા ધરતીપુત્રોને મોટી નુકસાની થવાની દહેશત છે. આ વર્ષે આમેય વરસાદ ઓછો પડ્યો છે અને સમગ્ર રાજ્યમાં જળસંકટ સર્જાય તેવી ભીંતી પ્રવર્તી રહી છે ત્યારે સુરત જિલ્લાના સામાજિક-રાજકીય આગેવાન શ્રી દર્શન નાયકે રજૂઆત કરી છે કે સુરતના ખેડૂતોને આયોજનબદ્ધ રીતે જો ખેતી સિંચાઇનું પાણી વિતરણ કરવામાં આવશે તો સમસ્યાને નિવારી શકાશે. ખેડૂતોની ફરીયાદો ઉપસ્થિત થાય એ પહેલા જ સિંચાઇ વિભાગે રોટેશનથી પાણી કેવી રીતે વિતરીત કરી શકાય એ માટેનું હોમવર્ક કરવું રહ્યું એમ દર્શન નાયકએ ઉમેર્યું હતું.
December 15, 2018
shpoin.jpg
1min8210

દુનિયાનું સૌથી મોટું અને સર્વ સ્વીકૃત સર્ચ એન્જિન ગુગલ કરાવશે હવે તમને શોપિંગ. ગૂગલે ભારતમાં પોતાની ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ગૂગલ શોપિંગ લોન્ચ કરી દીધી છે. ગૂગલના ઈ-કોમર્સ સેક્ટરમાં આવતાની સાથે જ તે ભારતમાં પહેલેથી  જ લોકપ્રિય ઓનલાઈન વેબસાઈટ્સ ફ્લિપકાર્ટ, એમેઝોનને જબરદસ્ત ટક્કર આપશે એવું માનવામાં આવી રહ્યું છે.

આજે દુનિયાભરમાં કોઇપણ પ્રકારની માહિતી મેળવવા માટે ગુગલ કરો એવી છાપ ઉભી થઇ છે. ગુગલ દરેક દેશના દરેક લોકો માટે અત્યંત ઉપયોગી અને લોકપ્રિય બન્યું છે એટલે જ ગુગલના નામથી નવા શોપિંગ સર્ચ એક્સપિરિયન્સને ભારતીય ગ્રાહકો માટે લાવવામાં આવ્યું છે. ગુગલ ઓનલાઇન શોપિંગ દ્વારા ગ્રાહકો સરળતાથી કોઈ પણ પ્રોડક્ટ પર મળી રહેલી ઓફરને શોર્ટલિસ્ટ કરી શકશે અને પોતાના માટે યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી શકશે.

ગૂગલ શોપિંગની મદદથી ગ્રાહકો મલ્ટીપલ ઈ-કોમર્સ સાઈટ્સ પર મળી રહેલી બેસ્ટ ઓફર્સને એક સાથે જોઈ શકશે, જેમાં રિટેઇલર્સ પણ સામેલ હશે. ગૂગલ શોપિંગ યૂઝર્સ માટે સરળ અને યૂઝર ફ્રેન્ડલી શોપિંગનો અનુભવ કરાવશે. ગૂગલના આ પ્લેટફોર્મ પર ડેડિકેટેડ સેક્શન્સ જોડવામાં આવ્યા છે. જેમા પ્રાઈઝ ડ્રોપ્સ, ટોપ ડીલ અને ગૂગલની પ્રાઈઝ એક સાથે જોઈ શકાશે.  આ સિવાય મોબાઈલ ફોન, સ્પીકર્સ, વૂમન ક્લોધિંગ, બુક્સ, ઘડિયાળ, હોમ ડેકોર ,પર્સનલ કેર  વગેરે જેવી કેટેગરી જોવા મળશે.

આ પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ પાવર્ડ શોપિંગનો અનુભવ મળશે. ગૂગલ લેન્સની મદદથી તમે કોઈપણ વસ્તુને સ્કેન કરીને સર્ચ કરી શકશો અને તે માટે ફોનના કેમેરાનો ઉપયોગ પણ કરી શકાશે. ગૂગલ ખાસ કરીને રિટેલર્સ માટે ઉપયોગી બનશે કેમકે અહીં કોઈ પણ રિટેલર રજીસ્ટર થઈ શકે છે.  આ માટે ગૂગલ મર્ચંટ સેન્ટરનો ઉપયોગ કરવાનો રહેશે. મર્ચંટ સેન્ટર  અંગ્રેજી સિવાય હિન્દી ભાષાને પણ સપોર્ટ કરશે.

December 15, 2018
sparkle.jpg
1min7170

સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહેલા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત સ્પાર્કલ એક્ઝીબિશનમાં અત્યંત ટાઇટ સિક્યુરિટી, સતત કેમેરા સર્વેલન્સ વચ્ચે પણ તસ્કરો ચોરી કરવાની હિંમત દાખવે છે. શુક્રવાર તા.14મી ડિસેમ્બર 2018ની સાંજે સ્પાર્કલ પ્રદર્શનમાં મુલાકાતીઓની સંખ્યા ઠીકઠીક હતી ત્યારે એક ગઠીયાએ સુરતના જ એક વેપારીના સ્ટોલ પરથી 99.13 કેરેટના હીરા ચોરીછૂપીથી તફડાવી લીધા હતા. બાદમાં બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ મથકે ફરીયાદ કરવામાં આવી હતી.

ચેમ્બરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહેલા જેમ એન્ડ જ્વેલરીના સ્પાર્કલ 2018 પ્રદર્શનમાં 212 નંબરનો સ્ટોલ સુરતના નાનપુરા સ્થિત સિદ્ધશીલા એપાર્ટમેન્ટમાં રહેતા જ્વેલર તેજશ સુરેશભાઇ શાહ ધરાવે છે. શુક્રવારે સાંજે તેમના સ્ટોલ પર મુલાકાતી બાયર તરીકે આવેલા એક ગઠીયાએ 99.13 કેરેટના હીરા નજર ચૂકવીને ચોરી લીધા હતા. બાદમાં હીરાના સ્ટોકની ઘટ આવતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કુલ રૂ.6 લાખની બજાર કિંમત ધરાવતા હીરા ગૂમ થયા હતા.

તાત્કાલિક સી.સી. ટીવી કેમેરામાં તપાસ કરવામાં આવતા જે ગઠીયાએ ચોરી કરી હતી એ તમામ સ્પષ્ટ દેખાઇ આવ્યું છે. બનાવ અંગે પોલીસને ફરીયાદ કરવામાં આવી છે. પોલીસ આશાવાદ સેવી છે કે સ્પાર્કલ પ્રદર્શનમાંથી હીરા તફડાવનાર તસ્કર ટૂંક સમયમાં પોલીસ ઝડપી લેશે.

December 15, 2018
arun_jaitly.jpg
1min5230

સપ્ટેમ્બર અંત સુધીમાં જાહેર ક્ષેત્રની બૅન્કો (PSB – પબ્લિક સેક્ટર બૅન્ક્સ)એ ઇરાદાપૂર્વકના ડિફૉલ્ટર્સ સામે ૨૫૦૦થી વધુ FIR દાખલ કર્યા છે અને રિકવરીની પ્રક્રિયા શરૂ કરી છે, એમ નાણાપ્રધાન અરુણ જેટલીએ સંસદને તા.13મી ડિસેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું.

PSB દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વિલફુલ ડિફૉલ્ટર્સ સામે ૨૫૭૧ FIR નોંધવામાં આવ્યા છે, તેમની પાસેથી વસૂલાત માટે ૯૩૬૩ ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને વિલફુલ ડિફૉલ્ટર્સના ૭૬૧૬ કેસમાં સિક્યૉરિટાઇઝેશન ઍન્ડ રીકન્સ્ટ્રક્શન ઑફ ફાઇનૅન્શિયલ ઍસેટ્સ ઍન્ડ એન્ર્ફોસમેન્ટ ઑફ સિક્યૉરિટી ઇન્ટરેસ્ટ ઍક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, એમ અરુણ જેટલીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું.

December 12, 2018
sonakshi1.jpg
1min23490

સોનાક્ષી સિંહા સાથે ઑનલાઇન શૉપિંગ સાઇટ ઍમેઝૉન દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરીયાદ ખુદ સોનાક્ષીએ ટ્વીટર પર શેર છે.

સોનાક્ષીએ ૧૮,૦૦૦ના બોઝ કંપનીના હેડફોન ઑર્ડર કર્યા હતા, પરંતુ બદલામાં તેને લોખંડનો એક ટુકડો મોકલવામાં આવ્યો છે.

સોનાક્ષીએ ટ્વિટર પર તેણે કરેલા ઑર્ડરના બદલામાં મળેલા લોખંડના ટુકડાનો ફોટો શૅર કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘મેં કરેલા બોઝના હેડફોનના ઑર્ડરની જગ્યાએ મને શું મળ્યું છે એ જુઓ ઍમેઝૉન. એકદમ બરાબર બંધ થયેલું અને ક્યારેય ઓપન ન કર્યું હોય એવું બૉક્સ દેખાઈ રહ્યું હતું, પરંતુ ફક્ત બહારથી જ. આના કરતાં પણ સૌથી ખરાબ બાબત એ છે કે તમારી કસ્ટમર કૅર સર્વિસ કોઈ મદદ કરવા નથી માગતી. શું કોઈ ૧૮,૦૦૦માં આ ભંગાર ખરીદવા માગે છે? ડરવાની જરૂર નથી, આ ભંગાર હું વેચી રહી છું; ઍમેઝૉન નહીં. એથી તમે જે ઑર્ડર કર્યો હશે એ જ તમને મળશે.’

December 12, 2018
vd.jpg
1min6580

કામરેજ વિધાનસભાથી ભાજપની ટિકીટ પરથી ચૂંટાયેલા વી.ડી. ઝાલાવડીયા અને તેમના સગાસબંધીઓના કારનામાઓથી સુરત ભાજપની જે બદનામી થઇ રહી છે એ જોતા આજે પ્રદેશ ભાજપના એક દિગ્ગજ નેતા બોલી ઉઠ્યા હતા કે ખુદ અમે ભાજપના લોકો ઝાલાવડીયાથી કંટાળી ચૂક્યા છે. ભાજપાના ઘણા નેતાઓ તેમની સાથે સ્ટેજ શેર કરવાનું પણ ટાળી રહ્યા છે એટલી હદે લોકોમાં તેમની છાપ ખરાબ થઇ ચૂકી છે.

કામરેજના વી.ડી. ઝાલાવડીયાની આ રીતરસમો ભાજપની છબિ ખરડી રહી છે

  1. સામાન્ય લોકોના કામો નહીં કરવાના
  2. બિલ્ડરો, ધનકુબેરો, લેન્ડ માફિયાઓની બ્રિફ લઇને તેમના કામો કરી આપવાના
  3. ગ્રાન્ટના કામો કાગળ પર મંજૂર થાય એટલે કટકીબાજને સક્રીય કરી દેવાના
  4. તેમના દિકરા અને મળતીયાઓ સામે દાદાગીરીના કેસો
  5. પાટીદાર અનામત માટે લડતા યુવકો અને તેમના પરિવારજનોની યેનકેન પ્રકારે હેરાનગતિ કરવી
  6. સામાન્ય દાખલાઓ લેવા આવતા લોકોને કોંગ્રેસી કહીને કાઢી મૂકવાના અનેક કિસ્સાઓ

વી.ડી. ઝાલાવડીયા સામે તાજા વિવાદ ભાજપના મોવડીઓ સુધી પહોંચ્યો

વી.ડી. ઝાલાવડીયા ફરીથી એક મોટા વિવાદમાં સપડાયા છે અને પોતાના મતવિસ્તારમાં બહુજન (સામાન્ય લોકો)નું હિત જોવાની જગ્યાએ ધનકુબેરોની બ્રિફ પકડીને ચાલતા વી.ડી. ઝાલાવડીયાને કહેવાય છે કે તેમના મતવિસ્તારના લોકોએ રીતસર ભગાડ્યા હતા. પોલીસે પરાણે તેમને ટોળામાંથી ઉગાર્યા હતા. એવી પણ વાતો વાઇરલ થઇ કે સીમાડા વિસ્તારમાં બિલ્ડરોને ફાયદો થાય એ રીતે અને સોસાયટીવાસીઓને અન્યાય થાય એ પ્રકારે વી.ડી. ઝાલાવડીયા તંત્રવાહકો પાસે કામ કરાવવા પહોંચ્યા હતા. વી.ડી. ઝાલાવડીયાની આ અન્યાયી હરકતથી ઉશ્કેરાયેલા લોક ટોળાએ ઝાલાવડીયાનો એવો તે હૂરીયો બોલાવ્યો કે તેણે સ્થળ છોડીને ભાગવાની ફરજ પડી હતી. આ સંઘર્ષ દરમિયાન કોઇ મહિલાએ વી.ડી. ઝાલાવડીયાને તેના કારનામાઓ બદલ લાફા ઠોકી દીધા હતા. જોકે, વી.ડી. ઝાલાવડીયા આ વાતને રદીયો આપી રહ્યા છે. પણ જે રીતે વિડીયો વાઇરલ થયો છે, એ જોતા સવાલ એ ઉપસ્થિત થાય છે કે સવાર પડે ને ફક્તને ફક્ત કમાણી થાય એવી ફાઇલ કે એવું કામ હાથ પર લેતા વી.ડી. ઝાલાવડીયા સામાન્ય લોકોના કામો ક્યારે કરતા હશે. યુ ટ્યુબલ અને ફેસબુક પર વી.ડી. ઝાલાવડીયાને ધક્કે ચઢાવતો વીડીયો ભારે વાઇરલ થયો છે અને તેને કારણે ભાજપના ભારે બદનામી થવા પામી છે.

વી.ડી. ઝાલાવડીયા માટે તો કહેવાય છે કે પોતાની ગ્રાન્ટના કામમાંથી પણ તેમના કેટલાક મળતીયાઓ કામ મંજૂર થાય એટલે કટકી પડાવવા માટે પહોંચી જાય છે. ઇરાદાપૂર્વક એવી વ્યક્તિને કટકી માટે મોકલાય છે કે જ્યારે મામલો વિવાદિત બને અને છાપરે ચઢીને પોકારે ત્યારે વી.ડી. ઝાલાવડીયા સરળતાથી છટકી જઇ શકે.

વી.ડી. ઝાલાવડીયાના આ તાજા વિવાદ અંગે પ્રદેશ પ્રમુખથી લઇને અમિત શાહ સુધી રજૂઆતો કરવામાં આવી છે. ભાજપની છબી આવા ભ્રષ્ટાચારી રીત રસમો અપનાવતા નેતાઓને કારણે જ ખરડાય રહી હોઇ, આગામી દિવસોમાં વી.ડી. ઝાલાવડીયા સામે ભાજપા મોવડીમંડળ આકરાં સરશંધાન વ્યક્ત કરે તો નવાઇ નહીં.

શરદ વી.ડી. ઝાલાવડીયાની કરતૂત પોલીસ ફરીયાદ સ્વરૂપે દર્જ

(કામરોજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા તેમના પુત્ર શરદ સાથે, ફાઇલ ફોટો)

અગાઉ ગત ફેબ્રુઆરી માસમાં જ વી.ડી. ઝાલાવડીયાના દિકરા શરદ સામે ગુનો નોંધાયો છે. રેતીની લીઝના મુદ્દે દાદાગીરી કરતા આ ધારાસભ્યના પુત્રના કારનામાઓ છોટા ઉદેપુરમાં પણ થયા છે.

દેશના અગ્રગણ્ય અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં વી.ડી. ઝાલાવડીયાના પુત્ર શરદના પરાક્રમ અંગે પ્રકાશિત અહેવાલની લિંક

https://timesofindia.indiatimes.com/city/surat/kamrej-bjp-mlas-son-booked-for-threatening-transporter/articleshow/62922751.cms

દેશના અગ્રગણ્ય મિડીયા સમૂહ નેટવર્ક 18માં વી.ડી. ઝાલાવડીયાના પુત્ર શરદના પરાક્રમ અંગે પ્રકાશિત અહેવાલની લિંક

https://gujarati.news18.com/news/south-gujarat/surat-illegal-drawing-issues-in-kamrej-743850.html

December 12, 2018
rahul-1280x720.jpg
1min10970

રાજસ્થાન કુલ બેઠક ૧૯૯ પક્ષ જીત્યા કૉંગ્રેસ ૧૦૦ ભાજપ ૭૩ બીએસપી ૦૬ અન્યો ૨૦

૧૯૯ સભ્યની રાજસ્થાન વિધાનસભામાં કૉંગ્રેસે ૧૦૦ બેઠક પર વિજય મેળવી સરકાર બનાવવા જરૂરી બહુમત મેળવી લીધા બાદ સમગ્ર ધ્યાન મુખ્ય પ્રધાનની પસંદગી કરવા પર કેન્દ્રિત કર્યું છે. શાસક ભાજપની કારમી હાર થઇ છે અને તેને ૭૩ જ બેઠક મળી છે તો બહુજન સમાજવાદી પક્ષને છ બેઠક મળી છે. અન્ય પક્ષોને ૨૦ બેઠક મળી છે.

મુખ્ય પ્રધાનની પસંદગી માટે ચર્ચા કરવા આજે કૉંગ્રેસની ધારાસભ્યોની બેઠક મળશે.

રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનપદના બે મુખ્ય દાવેદારમાં રાજસ્થાન કૉંગ્રેસ કમિટીના પ્રમુખ સચિન પાઇલટ અને બે વખત રાજસ્થાનના મુખ્ય પ્રધાન રહેલા અશોક ગેહલતના નામનો સમાવેશ થાય છે.

ઑલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના સભ્યો જયપુરમાં બુધવારે યોજાનારી આ બેઠકમાં ભાગ લેશે અને તેઓ ત્યાંથી દિલ્હી પાછા ફરી કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જાણકારી આપશે.

એઆઈસીસીના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલ બેઠકમાં ભાગ લેવા જયપુર આવી પહોંચ્યા છે, એમ સચિન પાયલટે હજુ મતગણતરી ચાલી રહી હતી ત્યારે જ કહી દીધું હતું.

નીરિક્ષકો મુખ્ય પ્રધાનપદના બંને દાવેદારને વ્યક્તિગત રીતે પણ મળે એવી શક્યતા છે.

એકતાનો સંકેત આપતા સચિન પાયલટ અને ગેહલોત બંને અન્ય નેતાઓ સાથે વિજયના સંકેત દર્શાવતા પ્રસારમાધ્યમ સમક્ષ સાથે આવ્યા હતા.

૨૦૦ સભ્યની રાજસ્થાન વિધાનસભાની ૧૯૯ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. અલવરના રામગઢ મતદારસંઘના બહુજન સમાજવાદી પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં એ બેઠકની ચૂંટણી મૂલતવી રાખવાની ફરજ પડતા રાજસ્થાનમાં ૧૯૯ બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી.

સામાન્ય રીતે મહારાણી તરીકે જાણીતાં રાજસ્તાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ તેમની ઝાલરપાટણ બેઠક પરથી વિજય મેળવી લીધો હતો, પરંતુ તેમના પક્ષ ભાજપે કૉંગ્રેસ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

મુખ્ય પ્રધાન તરીકે આ તેમની બીજી મુદત હતી, પરંતુ મતદારોએ ભાજપ અને કૉંગ્રેસને વારાફરતી સત્તા પર બેસાડવાની પરંપરા જાલવી રાખી હતી જેને પગલે શાસક પક્ષ ભાજપે રાજ્યમાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.

રાજસ્થાનના છેલ્લા મહારાજા જિવાજી રાવ સિંધિયા અને ભાજપનાં જાણીતાં નેતા વિજયારાજે સિંધિયાનાં પુત્રી વસુંધરા રાજે સિંધિયા વર્ષ ૨૦૦૩-૨૦૦૮ અને વર્ષ ૨૦૧૩-૨૦૧૮ દરમિયાન રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન રહ્યાં હતાં તેમ જ વર્ષ ૨૦૦૮-૨૦૧૩ દરમિયાન તેઓ વિપક્ષનાં નેતા હતાં.

December 12, 2018
kcr.jpg
1min15470

પાંચ રાજયોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામ તરફ નજર નાખીએ તો તેલંગણા એક એવું રાજય છે જયાં તેલુગુ દેશમ સામ્યવાદી પક્ષ, કૉંગ્રેસ અને તેલંગણા જનસમિતિના મહાગઠ બંધનનો સામનો કરી કે. ચંદ્રશેખર રાવની તેલંગણા રાષ્ટ્ર સમિતિ પાર્ટી ફરી વખત તેલંગણામાં સરકાર રચવાની છે. આ સાથે જ તેલંગણામાં ગુલાબી ક્રાંતિ આવી છે. તેલંગણાના પૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવે છ મહિના પૂર્વે જ વિધાનસભાનું વિસર્જન કરી ફરી ચૂંટણીનો નિર્ણય કર્યો હતો.

કેસીઆર પાર્ટીએ ચૂંટણી વિશ્ર્વલેષકોની ગણતરી ખોટી પાડી છે. તેના મુખ્ય કારણમાં ચંદ્રશેખર રાવની પ્રજાની નાડ પારખવાની નીતિ સહાયત બની છે. કેસીઆર પક્ષની પૈસા, શાદી, પાણી અને મકાન ફોર્મ્યુલાએ ચંદ્રશેખર રાવના પક્ષને જવલંત સફળતા અપાવી છે. અન્ય કોઈ ફોર્મ્યુલા પર આધાર રાખવાને બદલે રાવે જનતાના કલ્યાણની યોજના જનતા સમક્ષ મૂકી પ્રજામત મેળવી લીધો છે.

રાવની પાર્ટીએ ખેડૂતોને પ્રતિસિઝન પર એકર રૂ. 4000 રોકડા આપવાની ફોર્મ્યુલા અપનાવી હતી. તેલંગણાની રવી પાક અને ખરીફ પાક એમ બે સિઝનનો પાક લેવા ટેવાયેલા ખેડૂતોને પ્રતિએકર રૂ. 8000 વાર્ષિક મળવાથી ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.

ઉપરાંત તેલંગણાની કેસીઆર સરકારે દીકરીવાળા પરિવાર માટે કલ્યાણ લક્ષ્મી અને શાદી મુબારક (મુસ્લિમ પરિવાર) યોજના અમલમાં મૂકી હતી, જે મુજબ પ્રતિલગ્ન સરકારે રૂ. 1 લાખની સહાય જાહેર કરી હતી.

તેલંગણા રાષ્ટ્ર સમિતિ દ્વારા વૃદ્ધ, વિધવા તથા વિકલાંગો માટે પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી. તદ્ઉપરાંત ગરીબ પરિવારો માટે બે બેડરૂમના મકાનની જાહેરાત પણ કરવામાં આવી. જોકે આવાસ યોજના પૂર્ણ થઈ નહતી, પરંતુ ઘર અંગે બાંધકામ શરૂ થઈ ગયા હતા. જેથી પ્રજામાં પણ એક એવો ભરોસો બેઠો કે આવાસ યોજનાની પૂર્ણાહુતિ માટે પણ કેસીઆર સરકારને વિજયી બનાવવી જરૂરી છે. કેસીઆર સરકારે પ્રત્યેક ઘરને વીજળી તથા ચોખ્ખા પાણીનું પણ વચન આપ્યું હતું. મતલબમાં કે. ચંદ્રશેખર રાવની પાર્ટીએ પ્રજાની નાડ પારખી તેમની જરૂરિયાત પરત્વે પ્રજાને પૂરા પેકેજની સહાય જાહેર કરી એ અંતર્ગત કામ પણ કર્યા.

તેલંગણામાં મોટા બેનર અને મોટા રાજકીય નેતાઓના ગઠબંધન વચ્ચે પણ પ્રજાની નાની અને મહત્ત્વની જરૂરિયાતો પૂરી કરનાર કેસીઆર પાર્ટીએ ચૂંટણી નિષ્ણાતોના સમીકરણો ખોટા સાબિત કરી તેલંગણામાં મેદાન મારી લીધું છે.

December 11, 2018
bjp-1280x960.jpg
1min6540

પાંચ રાજ્યોના પરિણામ ધીરે ધીરે આવી રહ્યા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણામાં કોની સરકાર રચાશે તે થોડાક કલાકોમાં નક્કી થઈ જશે. હાલ તો છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસનો રથ આગળ ચાલી રહ્યો છે, તો મધ્યપ્રદેળમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે., તેલંગાણામાં TRS અને મિરોઝરમમાં મિજો નેશનલ ફ્રંટ આગળ છે.

આ વલણની વચ્ચે પીએમ મોદીએ કોર કમિટીની બેઠક બોલાવી છે. મનાઈ રહ્યું છે કે આ બેઠકમાં પાંચ રાજ્યોના પરિણામ અંગે ચર્ચા થશે. હાલના પરિણામો ભાજપનું કોંગ્રેસમુક્ત ભારતનું સપનું તોડતા દેખાઈ રહ્યા છે. ત્યારે કોર કમિટીની બેઠકમાં પરિણામના જો તો વિશે પણ ચર્ચા થઈ શકે છે.

હાલ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની સરકાર છે. તો તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને મિઝોરમમાં કોંગ્રેસની સરકાર છે. આ પાંચેય રાજ્યોના પરિણામને 2019ની લોકસભા ચૂંટણી પહેલાની સેમીફાઈનલ મનાઈ રહ્યા છે.