CIA ALERT

Slider Archives - Page 407 of 487 - CIA Live

December 28, 2018
alpesh-kathiriya-1-1280x720.jpg
1min8370
  • સરથાણા પોલીસમાં તા.27મી ડિસેમ્બર 2018ના રોજ ઉગ્ર રજૂઆતો બાદ
  • તા.28મી ડિસેમ્બરે સવારે અલ્પેશ કથિરીયા અને સમર્થકોએ વરાછામાં પાર્કિંગ બાબતે પોલીસ સાથે સંઘર્ષ થયો
  • વરાછા પોલીસ મથકમાં ગાળાગાળી, સૂત્રોચ્ચાર, હોબાળો
  • અલ્પેશ કથિરીયાને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરે લાફો માર્યો હોવાની ફરીયાદ
  • પોલીસ સાથે બદસલુકીનો ગુનો નોંધાયો
  • પાસના 8-10 કાર્યકરોની અટકાયત

પાટીદાર આંદોલનનો દોરી સંચાર જેના શિરે સોંપવામાં આવ્યો છે એ સુરતના પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાએ ગઇકાલ તા.27મી ડિસેમ્બર 2018ના રોજ સરથાણા પોલીસ મથકમાં જઇને ભૂતકાળમાં તેમના કાર્યકરોને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાના મુદ્દે કસૂરવાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવા માટે ઉગ્ર રજૂઆતો કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં જ પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસનો ઉગ્ર શાબ્દિક ઉધડો લીધો હતો.

આ ઘટનાના 24 કલાક બાદ આજે તા.28મી ડિસેમ્બર 2018ની સવારે વરાછા રોડ પર પાર્કિંગની બાબતમાં પાસના કાર્યકરને પોલીસ સાથે માથાકૂટ થઇ હતી. આ મુદ્દે પાસના નેતા અલ્પેશ કથિરીયા ઘટના સ્થળે ધસી ગયા હતા અને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ઉગ્ર અવાજો બોલાચાલી થઇ હતી. અલ્પેશ કથિરીયા અને પાસના સમર્થકોએ પોલીસ સાથે ઉગ્ર અવાજે બોલાચાલી કરતા મામલો બિચક્યો હતો. અલ્પેશ કથિરીયાને વરાછા પોલીસ મથકમાં લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરે તેને લાફો માર્યો હોવાનું અલ્પેશ કથિરીયાનું કહેવું હતું.

ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે અલ્પેશ કથિરીયા અને સમર્થકો વરાછા પોલીસ મથકે ડિસીપીને રજૂઆતો કરવા પહોંચ્યા હતા. ત્યારે પણ એસીપી તથા અન્ય પોલીસ સાથે માથાકૂટ થતાં મામલો વધુ બગડ્યો હતો. જોતજોતામાં પાસના સેંકડો કાર્યકરો વરાછા પોલીસ મથકે પહોંચી ગયા હતા અને પોલીસનો હૂરીયા બોલાવવા સાથે ભારે ગાળાગાળીના દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલાક પાસના કાર્યકરોએ પોલીસ મથકમાં ફુલછોડના કૂંડા પણ ઉંધા વાળી દીધા હતા. પરીણામે પોલીસે અલ્પેશ કથિરીયા સામે પોલીસની ફરજમાં રુકાવટ, ધાકધમકી વગેરે સંદર્ભનો ગુનો દાખલ કરીને તેને ધરપકડ કરી લીધી હતી જ્યારે પાસના 8-10 જેટલા કાર્યકરોની અટકાયત કરી દેવામાં આવી હતી.

બપોરે 12.30 વાગ્યાના અરસામાં વરાછા પોલીસ મથકે હજારો પાસના કાર્યકરો ભેગા મળીને પોલીસને હૂરીયો બોલાવી રહ્યા હતા. વરાછા પોલીસ મથકે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

December 27, 2018
airport_authority.jpg
1min5190

કેન્દ્ર સરકારે એરપોર્ટ સંચાલન અંગે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયોમાં સ્થાનિક ભાષાઓને મહત્વ આપીને તેમાં જાહેરાતો કરવા માટે સૂચનાઓ જારી કરી છે. હવેથી દેશના દરેક વિમાનમથકે સ્થાનિક ભાષામાં પણ જાહેરાત કરાશે.

કેન્દ્ર સરકારે બુધવાર, તા.26મી ડિસેમ્બર 2018 પહેલા સ્થાનિક ભાષામાં, ત્યાર બાદ હિંદી અને છેવટે અંગ્રેજીમાં જાહેરાત કરવાના આદેશ દેશના દરેક વિમાનમથકોને આપ્યાં હતાં. જ્યાં જાહેરાત કરવામાં ન આવતી હોય એવા સાઇલન્ટ ઍરપોર્ટ પર આ આદેશનો અમલ નહીં કરવામાં આવે. નાગરી ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુના આદેશ પ્રમાણે ઉપરોક્ત ફેરફાર કરવામાં આવ્યો હતો.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઍરપોર્ટ ઑથોરિટિ ઑફ ઇન્ડિયા (એએઆઇ)એ પોતાના તાબા હેઠળના બધા જ હવાઇમથકને આ બાબતના આદેશ લેખિતમાં મોકલી આપ્યા છે. નાગરી ઉડ્ડયન મંત્રાલયે પણ ખાનગી ઍરપોર્ટ ઓપરેટરોને આ બાબતની સૂચના મોકલાવી છે.  દેશમાં 100થી વધુ કાર્યરત ઍરપોર્ટ છે.

December 27, 2018
e_Commerce.jpg
1min5460

સરકારે ફ્લિપકાર્ટ અને ઍમેઝોન જેવી ઇ-કૉમર્સ કંપનીઓને લગતા નિયમો કડક બનાવવાના હેતુથી બુધવારે અનેક પગલાં લીધા હતા અને આ બે કંપનીઓ જે કંપનીઓમાં ઇક્વિટી હિસ્સો ધરાવતી હોય એના ઉત્પાદનો વેચવાની એમને મનાઈ કરી હતી.

  • જે કંપનીઓમાં ઇક્વિટી હિસ્સો ધરાવતી હોય એના ઉત્પાદનો વેચવાની મનાઈ
  • ઇ-કૉમર્સ કંપનીઓને ઉત્પાદનોના વિશિષ્ટ વેચાણ માટે કરાર કરવાની પણ મનાઈ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઇ-કૉમર્સ કંપનીઓને ઉત્પાદનોના વિશિષ્ટ વેચાણ માટે કરાર કરવાની પણ મનાઈ કરી હતી.

મંત્રાલયે જણાવ્યું હતું કે ‘જે કંપનીમાં ઇ-કૉમર્સ માર્કેટપ્લેસ કંપની કે એના ગ્રુપની કંપનીઓનો હિસ્સો હોય અથવા તો એના ઉત્પાદનો પર ઇ-કૉમર્સ માર્કેટપ્લેસ કંપની કે એના ગ્રુપની કંપનીઓનો અંકુશ હોય એવી કંપની આવી માર્કેટપ્લેસ કંપની દ્વારા ચાલતા મંચ પર પોતાની પ્રૉડક્ટો નહીં વેચી શકે.’

એ ઉપરાંત, મંત્રાલયના નૉટિફિકેશન મુજબ ઑનલાઇન રીટેલ કંપનીઓમાંના સીધા વિદેશી રોકાણ પરની સુધારિત નીતિમાં જણાવાયું છે કે જે કંપનીમાં ઇ-રીટેલ કંપનીનું સીધું કે આડકતરું ઇક્વિટી રોકાણ હોય કે એવી કંપનીઓ દ્વારા સર્વિસ પૂરી પાડવાની રહેશે. માર્કેટપ્લેસ કંપનીની ગ્રુપ કંપનીઓ દ્વારા ખરીદદારોને પૂરી પડાતી કૅશ-બૅકની સુવિધા વ્યવહારું અને ભેદભાવ-વિનાનું હોવું જોઈશે.’

એમાં એવું પણ જણાવાયું છે કે આ કંપનીઓએ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)ને અધિકૃત ઑડિટરના રિપોર્ટ સાથેનું સર્ટિફિકેટ પણ નોંધાવવું પડશે. આ સર્ટિફિકેટ મારફત કંપનીએ દરેક વર્ષની 30મી સપ્ટેમ્બર સુધીમાં આગલા નાણાકીય વર્ષને લગતી માર્ગદર્શિકાઓનું પાલન થયું હોવાને પુષ્ટિ પણ અપાઈ હોવી જોઈશે.આ ફેરફારો આવતા વર્ષની 1લી ફેબ્રુઆરીથી અમલી બનશે.ઇ-કૉમર્સ કંપનીઓ દ્વારા વપરાશકારોને ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા હોવાની સ્થાનિક વેપારીઓએ અનેક ફરિયાદો કરી એને પગલે સરકાર તરફથી આ નિર્ણય આવી રહ્યો છે.વર્તમાન નીતિ મુજબ માર્કેટપ્લેસ ઇ-કૉમર્સ પ્રવૃત્તિઓમાં 100 ટકા ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) એટલે કે સીધું વિદેશી રોકાણની છૂટ છે. જોકે, માલસામાન પર આધારિત પ્રવૃત્તિઓમાં એ પ્રતિબંધિત છે.

December 27, 2018
court.jpg
1min6250

નાગપુરમાં આવેલી સેશન્સ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલે કોર્ટ પરિસરની અંદર ન્યાયાધીશ ઉપર હુમલો કરવાની ઘટના બની હતી. આ જિલ્લા ઘટના બુધવારે સેશન્સ કોર્ટના સાતમા માળે લિફ્ટની બહાર બન્યો હતો. ન્યાયાધીશે કરેલી ફરિયાદ મુજબ સિનિયર સિવિલ જજ (ન્યાયાધીશ) કે. આર. દેશપાંડેને મદદનીશ સરકારી વકિલ ડી. એમ. પરાટેએ કોર્ટરૂમની બહાર લાફો માર્યો હતો.

આરોપી વકિલ એક કેસના ન્યાયાધીશે આપેલા ચુકાદાથી ગુસ્સે ભરાયો હતો, જેને પગલે તેણે ન્યાયાધીશને લાફો માર્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. જો કે, હજી સુધી આ મામલે કોઇની ધરપકડ કરવામાં આવી નથી. સરકારી અરજદાર નીતિન તેલગોટેએ આ ઘટનાને વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યા અનુસાર ‘તેણે (આરોપી વકીલે) આવું કરવું જોઇતું નહોતુુંં. જો તેને કોઇ ફરિયાદ હતી તો તેની યોગ્ય રીતે રજૂઆત કરવી જોઇતી હતી. વકીલો પાસેથી આપણો સમાજ આવી અપેક્ષા નથી રાખતો.’

https://scroll.in/latest/907120/maharashtra-assistant-prosecutor-allegedly-slaps-judge-inside-court-premises-in-nagpur

December 26, 2018
bjp-1280x960.jpg
1min12520

ભારતીય જનતા પાર્ટીના આંતરીક વહીવટમાં એક વ્યક્તિ એક હોદ્દાની નીતિનો સગવડીયા ધોરણે અમલ થઇ રહ્યો છે. આ નીતિ સુરત ભાજપમાં પણ લાગૂ પાડવામાં આવી રહી છે. સુરત ભાજપમાં મહામંત્રી તરીકે ફરજ બજાવતા ડો.જગદીશ પટેલની મેયર પદે નિમણૂંક થઇ ત્યારથી તેઓ મેયર અને સુરત ભાજપના મહામંત્રી એમ બે હોદ્દે સવાર થઇ રહ્યા છે.

સુરત ભાજપ સમેત ગુજરાત ભાજપમાં કેટલાક નેતાઓની નજરમાં અનેક મહિનાઓથી આ બાબત હતી. હવે સુરત સમેત ભાજપાના પ્રદેશ મોવડીમંડળના નેતાઓએ સુરત ભાજપના મહામંત્રી પદેથી ડો.જગદીશ પટેલના સ્થાને અન્ય કોઇ નેતાની નિમણૂંક કરવાનું કામ હાથ પર લીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાવનગર સાઇડ મૂળવતન ધરાવતા સૌરાષ્ટ્રવાસી નેતાને સુરત ભાજપના મહામંત્રી તરીકે નિયુક્ત કરવા માટે હાલ પ્રયાસો ચાલી રહ્યા છે. સુરત ભાજપાના મહામંત્રી પદે કોને નિમણૂંક આપવી તે અંગે હાલમાં તો પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી કહે તે ફાઇનલ ગણાય તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ, સુરત ભાજપામાં કેટલાક નેતાઓ મહામંત્રી જેવા મોટા હોદ્દા માટે પોતાના ચેલકાઓ માટે પણ લોબિંગ કરી રહ્યા હોઇ, મામલો ભાજપાના નવી દિલ્હી સ્થિત મોટા નેતાઓ સુધી પહોંચે અને ત્યાંથી દર વખતે જેમ થાય છે એમ મેન્ડેટ આવે તેવું પણ થઇ શકે છે.

સુરત ભાજપા વર્તુળમાં થઇ રહેલી ચર્ચાઓ મુજબ ડો.જગદીશ પટેલના મહામંત્રી તરીકેના રાજીનામા સાથે ખાલી પડનારા હોદ્દા પર કોઇપણ સૌરાષ્ટ્રવાસી નેતાની જ નિમણૂંક કરવામાં આવે તેવી રજૂઆતો સૌરાષ્ટ્રીયન લોબીમાંથી ચાલી રહી છે જેની સામે સુરત ભાજપાના મૂળ સુરતીઓ તેમજ પરપ્રાંતીય જૂથમાંથી સૌરાષ્ટ્રવાસીના સ્થાને અન્ય કોઇ સમૂહમાંથી નેતાની નિમણૂંક કરવામાં આવે એવી પણ રજૂઆતો પ્રદેશ કક્ષાએ કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપાના પ્રદેશ મોવડીએ એવી ગણતરી માંડી રહ્યા છે કે સુરત ભાજપામાં મહામંત્રી તરીકેની એક બેઠક પર કોઇ સૌરાષ્ટ્રવાસી પાટીદાર નેતાની નિમણૂંક કરવામાં આવે જેથી પાટીદાર ફેક્ટરમાં ભાજપ વિરોધી આક્રમક્તા ઓછી કરી શકાય.

 

December 26, 2018
shirdiwale_modi.jpeg
1min11710

ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં સૌથી વિશાળ ભક્તવર્ગ ધરાવતા શિરડીવાલે સાઇબાબા મંદિરમાં ભક્તજનો માટે ખાસ પ્રસંગો, તહેવારો નિમિત્તે વધુને વધુ લોકો દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ નિયમિત રીતે ગોઠવાતી હોય છે. આવી જ રીતે આગામી થર્ટી ફર્સ્ટ નાઇટે આખી રાત શિરડી સાઇ મંદિર ભક્તજનો માટે ખુલ્લું રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

SHIRDI SAI BABA SAMADHI

24 કલાક ખુલ્લુ રહેશે શિરડીનું મંદિર

શ્રી સાંઈ સંસ્થાન ટ્રસ્ટ, શિર્ડી તરફથી ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષના સ્વાગત માટે શિર્ડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિર્ડી મહોત્સવ નિમિત્તે લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખતાં અને તમામ ભક્તો બાબાના આર્શીવાદ લઈ શકે એ માટે ૩૧ ડિસેમ્બરે આખો દિવસ અને આખી રાત મંદિરનાં દ્વાર ખુલ્લાં રાખવામાં આવશે જેથી ભક્તો બાબાનાં દર્શન કરી શકે.

શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી રૂબલ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘૨૦૧૮ની વિદાય અને ૨૦૧૯ના સ્વાગત નિમિત્તે સાંઈબાબાનાં દર્શન માટે શિર્ડીમાં મોટા પ્રમાણમાં ભાવિકો આવશે. જોકે, ૩૧મીએ રાત્રે મંદિર ખુલ્લું રહેશે એટલે પહેલી તારીખે સવારે મળસકે થતી કાકડ આરતી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ૩૧ ડિસેમ્બર સુધી રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

December 26, 2018
balaji-mbbs.jpg
1min6900

ગુજરાતમાં ફેલાઈ રહેલા રોગચાળાની સામે રક્ષણ મળે એ માટે રાજકોટના જગવિખ્યાત બાલાજી હનુમાનજી ને ડૉક્ટરનો ડ્રેસ, ઇક્વિપમેન્ટસ સમેતનો શણગાર કરવામાં આવ્યો હતો.

BALAJI MBBS

રાજકોટમાં બાલાજી મંદિર ખાતે બિરાજમાન બાલાજી હનુમાનજી સમગ્ર સૌરાષ્ટ્રમાં જ નહીં બલ્કે જગવિખ્યાત ભગવાન છે. લાખો લોકોની આસ્થાનું પ્રતિક સમા બાલાજી ભગવાનને ગયા શનિવાર તા.26મી ડિસેમ્બર 2018ના રોજ તબીબના વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને બાલાજી મંદિરને બાલાજી હોસ્પિટલના નામથી શણગાર કરીને એવી પ્રાર્થના કરવામાં આવી હતી કે ગુજરાત તેમજ દેશના સામાન્ય લોકોના આરોગ્યનું રક્ષણ કરજો ભગવાન….

ગુજરાતમાં વધી રહેલા ડેન્ગ્યુ ફીવર અને સ્વાઇન ફ્લુ જેવી જીવલેણ બીમારીના કેસો ઘટે અને લોકોનું આરોગ્ય જળવાય એ માટે રાજકોટના જગવિખ્યાત બાલાજી મંદિરના બાલાજીને ડૉક્ટરના વાઘા પહેરાવીને એ મુજબનો શણગાર કરી આ પ્રકારના રોગચાળા સામે રક્ષણ કરવા માટે તા.24મી ડિસેમ્બર 2018ના રોજ શનિવારે આરતી કરવામાં આવી હતી. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી મંદિરમાં બાલાજી ભગવાનને ક્યારેય આ પ્રકારના વાઘા પહેરાવવામાં નથી આવ્યા. આ પહેલો પ્રસંગ હતો કે જેમાં ભગવાનને ડૉક્ટર બનાવવામાં આવ્યા હોય.

December 26, 2018
d3-1.jpg
1min16030

ગુજરાતના શિક્ષણ વિભાગમાં રાજ્ય સરકારની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઇ રહી છે. રાજ્યમાં સ્કુલ ટુરની બસોના થયેલા ઉપરાછાપરી બે અકસ્માત બાદ રાજ્ય સરકારે મને કમને એવો નિર્ણય કરવો પડ્યો છે કે સ્કુલની ટૂરો રાત્રીના સમયે ડ્રાઇવિંગ નહીં કરી શકે એટલે રાત્રીના સમયે સ્કુલ કોલેજની ટૂરોની મુસાફરી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે શાળા કે કૉલેજમાંથી પ્રવાસ માટે જતા વિદ્યાર્થીઓની સલામતિને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સ્કૂલ કે કૉલેજની પ્રવાસ લઈને જતી બસો રાત્રે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી પ્રવાસ નહીં કરી શકે.

ડાંગમાં વિદ્યાર્થીઓની બસને થયેલા અકસ્માતની ફાઈલ તસ્વીર

શાળા કે કૉલેજની બસોને થતા અકસ્માતને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસ લઈને જતી બસોને રાત્રિ દરમિયાન પ્રવાસ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારના નિર્ણય અંગે નાયબ મુખ્યમંત્રીએ જાણકારી આપતા કહ્યું કે થોડા સમયથી શાળાને બાળકોને લઈ જતી બસને અકસ્માત થયો હોવાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં બાળકોના મોતના સમાચાર પણ સામે આવે છે. વિદ્યાર્થીઓ ઘાયલ પણ થાય છે. આવા કિસ્સામાં સરકાર સહાય જાહેર કરે છે. પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસો રાતનાં 11 કલાકથી સવારે 6 કલાક સુધી પ્રવાસ નહીં કરી શકે. જે બસો રાતે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની તેવું ભવિષ્યમાં ન થાય એટલે રાતે બસો પ્રવાસ કરી શકશે નહીં. આ ઉપરાંત બાળકોને રાતે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરશે.

મહત્વનું છે કે ચાર દિવસ પહેલા જ ડાંગમાં વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકેલી આ બસમાં ત્યારે 50 વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી 10નાં મોત થયા હતા. જે બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

December 25, 2018
CIA_Live_Logo_New2.jpg
1min12720

સુરતના ગોડાદરા ખાતે આજે અઘટિત ઘટના બની હતી. કિન્નરો પાસેથી ઉછીના રૂપિયા લઇ ગયેલા યુવકની ભાળ મેળવવા માટે સુરતના ગોડાદરા વિસ્તારમાં પહોંચેલા કિન્નરોના એક જૂથના હાથે ઉછીના રૂપિયા લેનાર યુવાન તો આવ્યો નહીં પણ તેનો મિત્ર આવી ચઢ્યો હતો.

ઉછીના રૂપિયા લેનાર યુવકના મિત્ર સાથે પ્રાથમિક જીભાજોડી બાદ મામલો બિચક્યો હતો અને કિન્નરોના જૂથે ઉછીના રૂપિયા લેનાર યુવાનના મિત્રની જે ધોલાઇ શરૂ કરી એ નો રિયલ વિડીયો અત્રે પ્રસ્તુત છે. વાચકોએ આ પ્રકારનો વિડીયો અગાઉ ક્યારેય નહીં જોયો હોય.

કિન્નરોને યુવાન પર એટલો રોષ હતો કે તેના કપડા ફાડીને ઢોર માર માર્યો હતો. કેટલાક કિન્નરોએ પણ નિર્વસ્ત્ર થઇને તેને શ્રાપ આપ્યો હતો.

આ વિડીયો તમને વિચલિત કરી શકે છે. ફક્ત પુખ્ત વયના વાચકો એ જોવો હિતાવહ છે.

December 25, 2018
paas-1280x856.jpg
1min10330

લઠ્ઠો (દેશીદારુ) પી ને મરનારાઓના પરિવારજનોને ગુજરાત સરકાર રૂ.4 લાખની સહાય આપે છે જ્યારે અકસ્માતમાં સુરતના જે નિર્દોષ ભૂલકાઓ મોતને ભેટ્યા છે તેમના પરિવારજનોને ફક્ત રૂ.2.5 લાખની સહાય. રાજ્ય સરકારની સહાયમાં આ પ્રકારનો ભેદ અન્યાયકર્તા હોવાનું જણાવીને પાસના કાર્યકર્તાઓએ આજે સુરત કલેક્ટર સંકુલ ખાતે બેમુદતી ધરણા સાથે અન્નત્યાગનું શસ્ત્ર ઉગામતા સુરત પોલીસ સમેત તંત્રવાહકો નાતાલની રજાના દિવસે પણ દોડતા થઇ ગયા હતા.

સુરતના પાસના કાર્યકરોએ આજે અણચિતવ્યી રીતે સુરત કલેક્ટર કચેરી સંકુલ ખાતે પહોંચીને અમરોલીના બાળકોની બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકોના પરિવારજનોને રૂ.4-5 લાખ અને ઇજાગ્રસ્ત બાળકોની તમામ મેડીકલ સેવાનું બિલ ચૂકવવાની માગણી તાત્કાલિક ઉકેલવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. કલેક્ટર કચેરીએ ત્વરિત પગલાં નહીં ભરતા પાસના અલ્પેશ કથિરીયાની આગેવાની હેઠળ 100-150 કાર્યકરોએ કલેક્ટર કચેરીના સંકુલમાં જ ધરણા શરૂ કરી દીધા હતા. બપોર બાદ પાસના કાર્યકરોએ અન્નત્યાગ પણ કરી દીધો હતો.

આજે નાતાલના દિવસે જાહેર રજા હોવા છતાં પાસના કાર્યકર્તાઓ સવારે અઠવાલાઇન્સ ચોપાટીની બાજુમાં આવેલી કલેક્ટર કચેરીના સંકુલમાં પહોંચ્યા હતા. કલેક્ટર ડો.ધવલ પટેલને મળીને અમરોલી બસ દુર્ધટના બાબતે રજૂઆતો કરી હતી. તેમની ચાર મુખ્ય માગણીઓ આ મુજબ હતી.

  1. લઠ્ઠાકાંડમાં મોતને ભેટતા દારુડીયાઓને રાજ્ય સરકાર રૂ.4 લાખની સહાય કરે છે તો અમરોલીની બસ દુર્ઘટનામાં મોતને ભેટેલા ભૂલકાઓને પરિવારજનોને ફક્ત રૂ.2.5 લાખ કેમ, અલ્પેશ કથિરીયાએ રૂ.4-5 લાખની ત્વરીત સહાય આપવામાં આવે.
  2. અમરોલી બસ દુર્ઘટનામાં ઇજા પામેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને તમામ બિલની રકમ ચૂકવવામાં આવે.
  3. દારુ પીધેલા બસ ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી તેમજ જેની પાસેથી દારુ લીધો તેની સામે પણ પગલાં ભરવામાં આવે.

કલેક્ટર ડો. ધવલ પટેલે આવેદનપત્ર સ્વીકાર્યું અને ઘટતું કરવા માટે સરકારને મોકલી આપવાનું જણાવ્યું હતું. અલ્પેશ કથિરીયાની આગેવાની હેઠળ ગયેલા પાસના કાર્યકર્તાઓએ ત્વરીત એકશન નહીં લેવાતા કલેક્ટર કચેરી સંકુલમાં જ સવારથી ધરણા શરૂ કરી દીધા હતા. 100થી 150 જેટલા પાસના કાર્યકર્તાઓએ અચોક્કસ મુદતના ધરણા શરૂ કરી દીધા હતા. મોડી સાંજે મળતી માહિતી મુજબ ધરણા પર બેઠેલા પાસના કાર્યકર્તાઓએ અન્નનો ત્યાગ કરી દીધો હતો.