CIA ALERT

Slider Archives - Page 406 of 487 - CIA Live

January 2, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10200

BNI Surat पूरे विश्व में फेले हुए BNI नेटवर्क में सबसे बेस्ट परर्फोर्मर रहा है. BNI सूरत क्यों बेस्ट परफोर्मर है, और पूरे विश्व में सुरत के बिजनेसमेन को क्यूं सक्सेसफुल माने जाते है एैसी कई बातें BNI Surat के एक्जिक्युटिव डीरेक्टर श्री गौरव सिंघवी से सी.आइ.ए. लाइव के एक्जिक्युटिव एडिटर जयेश ब्रह्मभट्ट ने बातचीत की. प्रस्तुत ते उनके अंश…

January 2, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7020

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાત સરકારે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ગિફટ આપી છે. માત્ર મેડિકલ જ નહી, હવેથી અન્ય અભ્યાસ માટે પણ વિદેશમાં સ્ટડી કરવા માટે સરકાર સસ્તા વ્યાજે લોન આપશે.

ગઈ કાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પ્રધાનમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટેના અભ્યાસને લઈને મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટલે જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતના શિક્ષિત યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે સહાય કરવા માટે રાજ્ય સરકારે બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી છે. એમાં વિવિધ યોજનાઓ કાર્યન્વિત કરવામાં આવી છે જેમાં સહાય મેળવવા માટે વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાની હતી એ વધારીને સાડાચાર લાખ રૂપિયાની કરવામાં આવી છે. આ ઉપરાંત ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે સાદા વ્યાજની ૧૫ લાખની લોન અપાય છે એ માટેની આવક-મર્યાદા સાડાચાર લાખ રૂપિયાથી વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે હવે છ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા કોઈ પણ યુવાનો વિદેશ અભ્યાસ માટે લોન મેળવી શકશે.’

મેડિકલ અને ટેક્નિકલ અભ્યાસ માટે નિગમ દ્વારા જે લોન અપાતી હતી એ યોજનાનો માત્ર ગુજરાતમાં પ્રવેશ મેળવે તેને જ લાભ મળતો હતો. એને બદલે હવે રાજ્યની બહાર કોઈ પણ રાજ્યમાં પ્રવેશ મેળવશે તો તે પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. સાથે-સાથે રાજ્ય બહારની IIT, NID, IIM, NIFT, નિરમા જેવી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ ગુજરાતનો યુવાન પ્રવેશ મેળવશે તો તેને પણ આ નિગમ દ્વારા લોનનો લાભ પૂરો પાડવામાં આવશે.

January 1, 2019
AgustaWestland-helicopter12.jpg
1min7820

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં મોટી સફળતા મેળવતાં સીબીઆઈ આ સોદામાં લાંચ લેનારા ભારતીયો સુધી પહોંચી ગઈ છે. ભારતીયોએ 432 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાના પુરાવા મળ્યા છે. તેવો દાવો એજન્સીએ કર્યો હતો.

ઓગસ્ટાએ મિશેલ અને ગુડકો હાસ્કેને 432 કરોડની રકમ ભારતમાં ચૂકવવા માટે આપી હતી, તેવું તથ્ય પુરવાર કરી શકે તેવા દસ્તાવેજો મેળવી લીધા હોવાનું સીબીઆઈ જણાવે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર મિશેલ અને હાસ્કેએ આઠ મે, 2011ના દુબઈમાં તૈયાર કરેલા એક કરારમાં આ રકમનો ઉલ્લેખ હતો.
દુબઈમાં આ બેઠક બન્ને પક્ષના વચેટિયાઓ વચ્ચે પૈસાની વહેંચણી અંગે સમજૂતી કરવા માટે યોજાઈ હતી. અગાઉ બન્ને વચેટિયાઓમાં વિવાદ હતો.

January 1, 2019
exports.jpg
1min7010

દેશમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં થતી કુલ નિકાસમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને અને ગુજરાત બીજા ક્રમે છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો છે, જ્યારે મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા છે.

  • 2017-’18માં ભારતની કુલ નિકાસ 303અબજ યુએસ ડોલર
  • પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્ન મુખ્ય નિકાસ માલ
  • ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો, 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો
  • મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા

વર્ષ 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો તે વધીને 2017-’19માં 22.02 ટકા થયો છે. આમ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ગયા વર્ષ કરતાં ત્રણ ટકા વધ્યો છે. આગામી વાઇબ્રન્ટ સમિટમાં ટ્રેડ અને એક્સ્પોર્ટ પર વધુ ભાર મૂકવાને પગલે નિકાસ હિસ્સામાં સારો એવો વધારો થશે તેમ રાજ્યના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ગુજરાતનાં ઉદ્યોગ કમિશનર મમતા વર્માએ જણાવ્યું હતું કે, “ભારતે ગયા નાણાકીય વર્ષ 2016-’17માં 275 અબજ ડોલરની નિકાસ કરી હતી જે 2017-’18માં વધીને 303અબજ યુએસ ડોલર થઈ હતી, જે દસ ટકા વધારો દર્શાવે છે. ગુજરાતમાંથી નિકાસમાં જે ત્રણ ટકાનો વધારો નોંધાયો તેમાં મુખ્યત્વે પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્નનો સમાવેશ થાય છે.”

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 18 જાન્યુઆરી 2019ના રોજ ‘મેક ઈન ઇન્ડિયા’ પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે આ સેમિનારનો મુખ્ય હેતુ ‘મેક ઈન ઇન્ડિયા’ કાર્યક્રમની મુખ્ય સિદ્ધિઓ અને તેની અસરો સમજવી, તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર્સ અને ઔદ્યોગિક નીતિ જેવા તેના મુખ્ય સ્તંભો વિશે ચર્ચા કરવાનો છે.

સેમિનાર અંગે મમતા વર્માએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની સાફલ્યગાથા રજૂ કરાશે તેમજ સરકાર દ્વારા લેવાયેલાં મહત્ત્વપૂર્ણ પગલાંથી માહિતગાર કરવામાં આવશે. સેમિનારમાં દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગજગતના ઉદ્યોગપતિઓ ભારતમાં ઉત્પાદન વધારવા અંગે પોતાનાં મંતવ્ય રજૂ કરશે.

સેમિનારના બીજા સત્રમાં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા વિષય સાથે દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર – ડીએમઆઇસી અંતર્ગત ઉત્પાદન અને રોકાણનાં શ્રેષ્ઠ સ્થળો બાબતે ઉચ્ચસ્તરીય ચર્ચા કરાશે.

ધોલેરા એસઆઇઆર અને ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર શિવહરેએ જણાવ્યું હતું કે, “કેન્દ્રની ‘મેક ઈન ઇન્ડિયા’ ફ્લેગશિપ યોજનામાં ગુજરાતનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુજરાત દેશના સૌથી વધુ ઝડપથી વિકસતાં રાજ્યો પૈકી એક છે તેમજ ભારતના ટોચના પાંચ વિદેશી મૂડીરોકાણ ધરાવતાં રાજ્યોમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધીમાં ગુજરાતને કુલ 18.7 અબજ અમેરિકન ડોલરનું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે, જે એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધી ભારતમાં થયેલા કુલ એફડીઆઇના પાંચ ટકા જેટલું છે.” વર્ષ 2013-’14થી 2017-’18 સુધીમાં એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 10 અબજ અમેરિકન ડોલરની વિદેશી મૂડી પ્રાપ્ત થઈ છે. દેશ અને વિવિધ રાજ્યોમાં રોકાણને આકર્ષવા અને ઉત્પાદન ક્ષમતામાં ગતિ લાવવા માટે ‘મેક ઈન ઇન્ડિયા’ સેમિનારમાં ભાગ લેવા માટે 3,000થી વધુ લોકોએ રસ દાખવ્યો છે.

January 1, 2019
npa.jpg
1min5290

માર્ચ ૨૦૧૮ના ૧૧.૫ ટકાની સરખામણીએ સપ્ટેમ્બર ૨૦૧૮માં બૅંકની ગ્રૉસ નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ (જીએનપીએ) ઘટીને ૧૦.૮ ટકા થઈ હોવાનું આરબીઆઇ દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

માર્ચ ૨૦૧૮ના ૬.૨ ટકાની સરખામણીએ સપ્ટેમ્બર ૨૦૧૮માં નૅટ એનપીએ પણ ઘટીને ૫.૩ ટકા થઈ ગયો હોવાનું આરબીઆઈના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીનાં અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. માર્ચ ૨૦૧૫ બાદ જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રની બૅંકોમાં ઍસેટ ક્વાલિટી રિવ્યૂ (એક્યૂઆર) અગાઉ જ જીએનપીએના અર્ધવાર્ષિક દરમાં ઘટાડો જોવા મળ્યો હતો, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

માર્ચ ૨૦૧૮ના ૧૫.૨ ટકાની સરખામણીએ સપ્ટેમ્બર ૨૦૧૮માં જીએનપીએ સુધરીને ૧૪.૮ ટકા થઈ ગયો હતો તો ખાનગી ક્ષેત્રની બૅંકોનો જીએનપીએ માર્ચ ૨૦૧૮ના ૪ ટકાથી ઘટીને સપ્ટેમ્બર ૨૦૧૮માં ૩.૮ ટકા થઈ ગયો હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

January 1, 2019
hny-1.jpg
1min6260

જગતમાં સૌથી પહેલાં નવું વર્ષ સમોઆ ટાપુ અને પછી ન્યૂ ઝીલેન્ડ અને એ પછી ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ટકોરા મારે છે. સિડનીમાં મધ્યરાત્રિએ શહેરના સીમાચિહ્નરૂપ એવા સિડની હાર્બર બ્રિજ ફરતે અદ્ભુત આતશબાજી કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૮ આથમી ગયું અને ૨૦૧૯ના નવા વર્ષનો નવી આશા, નવા ઉમંગ અને નવતર ઉત્સાહ સાથે આગમન થઇ ગયું છે. ખાસ કરીને ભારત માટે નવું વર્ષ બહુ મહત્ત્વનું બની રહેશે. વર્ષના પૂર્વાર્ધમાં જ સંસદીય ચૂંટણી યોજાવાની છે જેનાં પરિણામો દેશના ભાવિના પ્રહરી બની રહેશે.

મુંબઈ અને ગુજરાત સહિત આખા ભારતમાં નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિ થવાની સાથે જ લોકોએ પૂરેપૂરા ઉમંગથી ૨૦૧૯ને વધાવ્યું હતું. ઠેર ઠેર ન્યૂ યર પાર્ટીઓનું આયોજન થયું હતું. ખાસ કરીને શહેરોમાં નવા વર્ષને આવકારવા માટે લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા અને બધે હકડેઠઠ ગરદી જોવા મળી હતી. આને લીધે ભારે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો.

વિશ્ર્વભરમાં નવા વર્ષ ૨૦૧૯નું ભારે ધામધૂમથી સ્વાગત કરાયું

ન્યૂ ઝીલેન્ડના એઓટેઓરા, ઇસ્ટર આઇલેન્ડના રૂપા નૂઇ અને અગાઉ સેન્ડવિચ આઇલેન્ડ્સ તરીકે ઓળખાતા હવાઇ ટાપુના બનેલા પૉલિનેશિયન ટ્રાઇઍન્ગલ (ત્રણ ટાપુનો ત્રિકોણ) ખાતે સોમવારે ૩૧મી ડિસેમ્બરે સવારે ગ્રીનવિચ મીન ટાઇમ (જીએમટી) મુજબ ૧૦ વાગ્યે આતશબાજી કરીને નવા વર્ષને વધાવનારા વિશ્ર્વના સૌપ્રથમ હતા, જ્યારે બાકર ટાપુ અને હૉલેન્ડ ટાપુ જેવા અમેરિકાના નાના ટાપુઓ નવા વર્ષને આવકારવામાં સૌથી છેલ્લાં હતા.

ન્યૂ ઝીલેન્ડનો સમય ભારતથી અંદાજે ૭.૩૦ કલાક આગળ હોવાથી ત્યાં નવા વર્ષની ઉજવણી ભારત કરતાં ઘણી વહેલી શરૂ થઇ ગઇ હતી.

અમેરિકાના સમોઆનો સમય ભારતની સરખામણીમાં ૧૬.૩૦ કલાક પાછળ હોવાથી ત્યાં નવા વર્ષને ઘણું મોડું આવકારવામાં આવ્યું હતું.  રસપ્રદ વાત એ છે કે સમોઆનો સમય અમેરિકાના સમોઆથી પચીસ કલાક આગળ છે. ન્યૂ ઝીલેન્ડના ઑકલેન્ડમાં ૨૦૧૯ને આવકારવા ભવ્ય આતશબાજી કરાઇ હતી. અહીં વાર્ષિક વન્ડરગાર્ડન ફૅસ્ટિવલની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી.

ઑસ્ટ્રેલિયામાં સિડની સહિતના શહેરોમાં પણ નવા વર્ષની ઉજવણી ભારત કરતાં વહેલી શરૂ થઇ ગઇ હતી. અહીં આવેલા બંદરો પર મોટા પાયે આતશબાજી કરાઇ હતી. ઑસ્ટ્રેલિયાના સિડનીના હાર્બર બ્રિજની જેમ હોંગકોંગના વિક્ટોરિયા હાર્બર પર પણ આતશબાજી કરાઇ હતી.

સ્કોટલેન્ડના એડિનબર્ગમાં નવા વર્ષ નિમિત્તે હજારો લોકો જાહેરસ્થળે ભેગા થયા હતા. દુબઇમાં લોકો વિશ્ર્વભરની ઉજવણીને જોઇ શકે તે માટે અનેક સ્થળે મોટા ટીવી સ્ક્રિન લગાડાયા હતા. ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્કવૅર બૉલ ડ્રૉપ ઇવેન્ટ સાથે નવા વર્ષની શરૂઆત કરાઇ હતી.

December 31, 2018
jan-dhan.jpg
1min9560

જનધન યોજના દ્વારા 6 કરોડ ગ્રામીણ અને 1.પ કરોડ શહેરી પરિવાર સુધી પહોંચ બનાવવાનાં પ્રારંભિક લક્ષ્યને પૂરો કર્યા બાદ આ યોજનામાં કુલ 33.પ કરોડ જનધન ખાતાઓ ખોલવામાં આવ્યા હતાં. જેમાંથી હવે 2પ.6 કરોડ ખાતા જ સક્રિય છે. આ ખાતાઓમાં જમા રકમ 8પ494 કરોડ રૂપિયા છે. જનધન યોજના હેઠળ સરકાર હવે પ્રત્યેક ઘરનાં બદલે માત્ર એવા વયસ્કો ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમની પાસે બેન્ક ખાતું ન હોય.

  • સૌથી વધુ જનધન ખાતા ઉત્તર પ્રદેશમાં છે અને તેનો આંકડો પ.2 કરોડ છે. જેમાં કુલ મળીને 14882 કરોડ રૂપિયા છે.
  • બીજા ક્રમે પશ્ચિમ બંગાળ અને
  • ત્રીજા ક્રમે બિહાર

સંસદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર જનધન યોજના હેઠળ 6પ લાખ ખાતાધારકોને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળેલી છે. જેમાંથી 30 લાખ લોકોએ તેનો લાભ લઈને 340 કરોડ રૂપિયાનાં ઓવરડ્રાફ્ટની સુવિધા લીધેલી છે. અત્યાર સુધીમાં 26 કરોડ રૂપે કાર્ય જારી કરવામાં આવ્યા છે.

નિયમાનુસાર જે ખાતામાં બે વર્ષમાં એકપણ વ્યવહાર થયો હોય તો તેને સક્રિય ખાતુ માનવામાં આવે છે. અત્યારે લગભગ 76 ટકા ખાતાઓ સક્રિય છે. આમાંથી અનેક ખાતાઓ એવા છે જેનો ઉપયોગ પ્રત્યક્ષ લાભાંતરણ એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે કરવામાં આવે છે. સૌથી વધુ જનધન ખાતા ઉત્તર પ્રદેશમાં છે અને તેનો આંકડો પ.2 કરોડ છે. જેમાં કુલ મળીને 14882 કરોડ રૂપિયા છે. આ યાદીમાં બીજા ક્રમે પશ્ચિમ બંગાળ અને ત્રીજા ક્રમે બિહાર આવે છે.

December 29, 2018
hom-1280x720.jpg
1min6090

કેન્દ્રીય પ્રધાનમંડળે નેશનલ કમિશન ફૉર હોમિયોપથી બિલ, 2018ના મુસદ્દાને મંજૂરી આપી હતી. આ મુસદ્દામાં પારદર્શકતા અને જવાબદારી નક્કર કરવાના હેતુથી વર્તમાન નિયમનકારી સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ હોમિયોપથીના સ્થાને નવી સંસ્થા અસ્તિત્વમાં લાવવાની સલાહ આપવામાં આવી હતી.

આ મુસદ્દા-ખરડામાં એકંદરે હોમિયોપથી એજ્યુકેશન બોર્ડ દ્વારા હોમિયોપથીને લગતું શિક્ષણ આપવાની જવાબદારી ધરાવતા ત્રણ સ્વાયત્ત બોર્ડ સહિતનું રાષ્ટ્રીય પંચ રચવાનું સૂચવવામાં આવ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે ‘તમામ ગ્રેજ્યુએટોએ હોમિયોપથીની પ્રૅક્ટિસ કરવા માટેનો પરવાનો મેળવવા કૉમન એન્ટ્રન્સ એક્ઝામ અને એક્ઝિટ એક્ઝામ પાસ કરવી પડે એવો પ્રસ્તાવ આ મુસદ્દામાં છે.’ એ ઉપરાંત, હોમિયોપથીના તબીબી શિક્ષણમાં સુધારા લાવવાનો ઉદ્ેશ પણ આ ખરડામાં સમાવિત છે.દરમિયાન, કેન્દ્રીય પ્રધાનમંડળે શુક્રવારે નેશનલ કમિશન ફૉર ઇન્ડિયન સિસ્ટમ્સ ઑફ મેડિસિન (એનસીઆઇએમ) બિલ, 2018ને પણ બહાલી આપી હતી. આ ખરડામાં પણ સેન્ટ્રલ કાઉન્સિલ ફૉર ઇન્ડિયન મેડિસિનના સ્થાને નવી સંસ્થા અસ્તિત્વમાં લાવવાનું સૂચવવામાં આવ્યું છે. ખરડામાં ચાર સ્વાયત્ત બોર્ડ સાથેનું રાષ્ટ્રીય પંચ રચવાનું કહેવામાં આવ્યું છે અને એ ચાર સૂચિત બોર્ડમાં આયુર્વેદ, યુનાની, સિદ્ધ તથા સોવારીગ્પાનો સમાવેશ છે.સરકારે શુક્રવારે પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ અફેન્સિસ (પોસ્કો) ઍક્ટમાં સૂચવાયેલા સુધારાઓને પણ મંજૂરીની મહોર મારી હતી. એ ઉપરાંત, સરકારે બાળકોની પોર્નોગ્રાફી સંબંધમાં અને નાની ઉંમરે જ કામુકતા લાવવા બાળકોને હોર્મોન્સ આપવા પર અંકુશ લાવવા સંબંધિત કડક પગલાં પણ દાખલ કર્યા છે.

December 29, 2018
CIA_Live_Logo_New2.jpg
1min5510

એન્ટિ નાર્કોટિક્સ સેલ (એએનસી)ના આઝાદ મેદાન યુનિટે પાર્લા વિસ્તારમાંથી રૂ. એક હજાર કરોડની કિંમતનું ફેન્ટાનીલ ડ્રગ્સ પકડી પાડીને ચાર જણની ધરપકડ કરી હતી. ડ્રગ્ઝનો આ જથ્થો ગુજરાતના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટથી ભિવંડી લવાયો હતો અને બાદમાં તે એર-કાર્ગો દ્વારા વાયા મેક્સિકો થઇ અમેરિકા પાઠવવામાં આવનાર હતો, એવું તપાસમાં જાણવા મળ્યું હતું. બીજી તરફ પકડાયેલા ચારમાંથી એક આરોપી એક સમયે ઇકબાલ મિરચી ટોળકીનો સભ્ય રહી ચૂક્યો હોવાથી દાઉદ ગેન્ગ સાથે કોઇ કડી હોવાની શંકા પણ પોલીસ તપાસી રહી છે.

  • એન્ટિ નાર્કોટિક્સ સેલ (એએનસી)ના આઝાદ મેદાન યુનિટે પાર્લા વિસ્તારમાંથી રૂ. એક હજાર કરોડની કિંમતનું ફેન્ટાનીલ ડ્રગ્સ પકડી પાડ્યું
  • વિલે પાર્લે પૂર્વમાં સુભાષનગર વિસ્તારમાંથી સલીમ ડોલા, ચંદ્રામણિ તિવારી, સંદીપ તિવારી અને ઘનશ્યામ સરોજને પકડી પાડીને 100 કિલો ફેન્ટાનીલ જપ્ત કર્યું
  • ફેન્ટાનીલનો આ જથ્થો જામનગરથી આવ્યો હતો અને ભિવંડીના ગોદામમાં રાખવામાં આવ્યો હતો
  • ભીવંડીના ગોડાઉનમાંથી આ જથ્થો અમેરિકા મોકલવાનો હતો

એએનસીના અધિકારીઓએ વિલે પાર્લે પૂર્વમાં સુભાષનગર વિસ્તારમાંથી સલીમ ડોલા, ચંદ્રામણિ તિવારી, સંદીપ તિવારી અને ઘનશ્યામ સરોજને પકડી પાડીને 100 કિલો ફેન્ટાનીલ જપ્ત કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સલીમ ડોલાને 1998માં નાર્કોટિક્સ ક્ધટ્રો બ્યુરોએ મેન્ડ્રેક્સ ટેબ્લેટ્સ સાથે ઝડપી પાડ્યો હતો. બાદમાં જુલાઇ, 2013માં પવઇ વિસ્તારમાંથી રૂ. 15 કરોડના ડ્રગ્સ સાથે તેની ફરી ધરપકડ કરાઇ હતી. 2017માં ડીઆરઆઇના ઓફિસરોએ રૂ. પાંચ કરોડના ગુટખા સાથે તેને પકડી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ફેન્ટાનીલનો આ જથ્થો જામનગરથી આવ્યો હતો અને ભિવંડીના ગોદામમાં રાખવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ બાદમાં અમેરિકા પાઠવવાનો હતો, એવું પૂછપરછમાં જાણવા મળ્યું હોવાથી પોલીસની એક ટીમ ગુજરાત રવાના કરાઇ છે. ફેન્ટાનીલ ગુજરાતના જે મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી લવાયું હતું તેની માહિતી મેળવવામાં આવશે. ત્યાર બાદ કાર્યવાહી કરાશે, એમ પણ પોલીસે જણાવ્યું હતું.

આરોપી ચંદ્રામણિ તિવારી કાંદિવલીના ઠાકુર વિલેજ ખાતે મોબાઇલની દુકાન ધરાવે છે, જ્યારે સંદીપ તિવારી બેરોજગાર છે. ઘનશ્યામ સરોજ ડ્રાઇવર છે અને તેની પાસે કાર છે, જેમાંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

December 28, 2018
surat_police.jpg
1min14910

આગામી તા.31મી ડિસેમ્બર 2018ને સોમવારે 2018ની વિદાય અને 2019ના આગમન પ્રસંગે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાય રહે તે માટે સુરત પોલીસને તમામે તમામ જવાનો સાંજે 5 વાગ્યાથી ઓન ફિલ્ડ હશે એવી જાહેરાત કરતા સુરત પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ ફેસબુક લાઇવ વિડિયોમાં જણાવ્યું હતું કે સુરત પોલીસને ત્રણ ફરીયાદો વારંવાર મળે છે, એક દારુડીયાઓ દ્વારા તોફાન મચાવવાની, બીજી ફરીયાદ મહિલાઓ, યુવતિઓની મશ્કરી કરવાની અને ત્રીજી ફરીયાદ રફ ડ્રાઇવિંગ કરવાની. આ ત્રણેય બાબતો પર પોલીસની વોચ રહેશે.

  • સુરત પોલીસના એકેએક જવાનો ઓન ધ ફિલ્ડ હશે
  • 31 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાથી ડુમસ રોડ પર વાહન બંધી
  • 4 પોલીસ ચોકી પર ખાસ પોલીસ કુમક તૈનાત રહેશે
  1. પીપલોદ પોલીસ ચોકી
  2. ગોવર્ધન હવેલી પાસે
  3. એસ.કે. નગર ચાર રસ્તા
  4. ડુમસ લંગર ચાર રસ્તા

પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ નાગરિકોને જણાવ્યું કે 31મી ડિસેમ્બર 2018ને સાંજે 5 વાગ્યાથી ડુમસ રોડ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. નાગરિકો ડુમસ રોડ પર વાહનો લઇને નહીં જઇ શકે, પગપાળા ઉજવણી માટે ત્યાં પહોંચી જશે. તેમણે કહ્યું કે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પોલીસ પોઇન્ટ હશે. કોઇપણ નાગરિક પોલીસની મદદ માગી શકશે. સુરત શહેર પોલીસનો તમામે તમામ સ્ટાફ થર્ટી ફર્સ્ટની રાત્રે ઓન ધ ફિલ્ડ હશે. દરેક જવાન, અધિકારીઓને પોતાની ફરજના સ્થળ જણાવી દેવાયા છે અને તેઓ ત્યાં તૈનાત હશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કંઇપણ ખરી છૂટશે.

સુરત શહેર પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ ફેસબુક લાઇવ પર આ રીતે ગાઇડન્સ આપ્યું હતું.

#નવા વર્ષની ઉજવણી દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો.#Live #SmartCity #SmartSurat #SuratCityPolice #GujaratPolice #Like #Share #Comment #SafeSurat #Follow #Surat #Gujarat #India.Our Official Pages :FB Page : @suratcitypoliceInsta : @suratcitypoliceTwitter : @Cp_surat

Posted by Surat City Police on Friday, 28 December 2018