CIA ALERT

Slider Archives - Page 379 of 487 - CIA Live

March 30, 2019
gir_kesar.jpg
1min16080

મે માસમાં તાલાલા મેંગો માર્કેટ શરૂ થતા કેરીની સીઝન જામશે

કેસર કેરીનો સ્વાદ લેવા માટે વધારે રૂપિયા ચુકવવા તૈયાર રહેવું પડશે, કારણ કે કેસર કેરીના ગઢ ગણાતા તાલાલામાં હવામાન પરિવર્તનથી પાકને ભારે નુકસાન થયું છે. હવે તેની અસરથી પાક ઓછો આવવાની સંભાવના છે. એપ્રિલ માસના અંતે કે મે માસમાં તાલાલા મેંગો માર્કેટમાં હરાજી શરૂ થયા પછી ખરી આવક થશે. અત્યારે બજારમાં થોડી થોડી આવક થઇ છે. જૂનાગઢમાં ગઇકાલે 100 બોક્સની આવક થતા રુ. 1000-1200માં 10 કિલોનું બોક્સ વેચાયું હતુ.

તાલાલા પંથકમાંઆંબાની ખેતી કરતા ખેડૂત રાજેશ પાનગાડીયા જણાવે છે કે “પંથકમાં કુલ 16,900 હેકટરમાં આંબાની ખેતી થાય છે પરંતુ ઠંડીના કારણે આંબાના કુમળા ફૂલો મોટી સંખ્યામાં ખરી પડયા હતા. હવે જયારે પાક આવવાની તૈયારી છે ત્યારે સાચું ચિત્ર સામે આવે છે. ઠંડી પછી ગરમી અને ભારે વાયરા વાયા હતા તેની અસરે મોરને ભારે નુક્સાન થયું છે. હવે એક ઝાડમાં ક્યાંક વધુ તો એ જ બાગના બીજા ઝાડમાં કોઇ કેરી દેખાતી નથી.
તાલાલામાંથી દર વર્ષે પાક ઓછો હોવાની બૂમ ઉઠે છે પરંતુ વિસ્તાર ઘણો મોટો હોવાને લીધે બજારમાં કેરી મોટાંપાયે આવે છે. જોકે બાગાયતકારોને વ્યક્તિગત નુક્સાની પણ જાય છે. આ વર્ષે પાકના ગણિતો ઓછાં મંડાય છે એટલે ભાવ થોડો ઉંચો રહી શકે છે.
પાક ઓછો ઉતરવાના કારણે ગત વર્ષ કરતા કેરીના ભાવ કમ સે કમ 20 થી 30 ટકા વધારે આપવા પડશે. ગુજરાતના લોકોની પહેલી પસંદ હમેશા કેસર કેરી જ’ રહી છે પરંતુ આ વખતે કેસર કેરી જ ઓછી આવવાથી હવે વધુ ભાવ આપવા પડે તેવું અત્યારે દેખાય છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે માત્ર 1.78 મેટ્રિક ટન કેસર કેરીના ઉત્પાદનની સંભાવના છે જે ગત વર્ષ કરતા 33000 ટન ઓછું છે.
ઓછા ઉત્પાદનના કારણે ખેડૂતોને મનગમતા ભાવ મળશે પરંતુ ગ્રાહકોને વધારે ચુકવવા પડશે.’ ગત વર્ષે કેસર કેરીના 20 કિલો બોક્સના ભાવ શરૂઆતમાં 750 હતા અને બાદમાં 550 રૂપિયે સ્થિર થઇ ગયા હતા પરંતુ આ વખતે ભાવ શરૂઆતમાં તો 1200 થી 1500 રૂપિયા રહે તો નવાઈ નહિ. જોકે છેલ્લે છેલ્લે ભાવ ઘટતા હોય છે પરંતુ શરૂઆતમાં ભાવ ઉંચા રહેશે.
March 30, 2019
amit_shah.jpg
1min10680

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભા સીટ પર ઉમેદવારી કરવા પૂર્વે આજે તા. 30 માર્ચને શનિવારે અમદાવાદ તેમજ ગાંધીનગરની 18 વિધાનસભા બેઠકોના વિસ્તારમાં ફરીને મેગા રોડ શૉ કર્યો હતો. મોટી સંખ્યામાં અમદાવાદીઓ સમેત રાજ્યભરમાંથી કાર્યકરો ઉમટી પડ્યા હતા. ફોર્મ ભરતા પહેલા 4 કિલોમીટર લાંબા રોડ શો જોઇને કોંગ્રેસીઓ મોં માં આંગળા નાંખી ગયા હતા. વિજય મુહૂર્તે ઉમદવારી ફોર્મ ભર્યું હતું.

અમિત શાહના ઉમેદવારીપત્ર ભરવાના આખા કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અગ્રણીઓ નીતિન ગડકરી, ગૃહ પ્રધાન રાજનાથસિંહ, શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તથા પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહનો ભવ્ય રોડ શો #MaiKamalKhilaneAyaHu

Posted by BJP Gujarat on Friday, 29 March 2019

March 29, 2019
bharat_pandya.jpg
1min8860

આજે સુરત ભાજપા મહાનગર કાર્યાલય ખાતે પત્રકાર પરિષધને સંબોધતા ભાજપાના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની કડક આલોચના કરતા એવું નિવેદન કર્યું હતું કે ચૌકીદાર ચોર નહીં પણ ગાંધી પરિવાર મહાચોર છે.

ચોકીદારી કોની થઇ રહી છે એના જવાબમાં ભરત પંડ્યાએ જણાવ્યું કે દેશનું ગૌરવ અપાવવામાં, દેશનું સન્માન વધારવામાં, ગરીબોની યોજના ગરીબો સુધી પહોંચાડવામાં તમામ કામોમાં ચૌકીદારીને કારણે જ લોકો સુધી યોજના પહોંચી રહી છે.

સુરતની સૌથી સલામત ગણાતી બેઠક પર ભાજપાએ ઉમેદવાર જાહેર કરવામાં અતિશય વિલંબ કેમ કર્યો એવા પ્રશ્ના ઉત્તરમાં ભરત પંડ્યાએ જણાવ્યું કે સુરત અમારા માટે મોડેલ સિટી છે, સુરત મિની ભારત સમાન છે. યોગ્ય સમયે, એકાદ બે દિવસમાં જ સુરતની સીટ પર ભાજપાના સત્તાવાર ઉમેદવારની ઘોષણા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરી દેવામાં આવશે.

આ પત્રકાર પરિષદમાં શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાળા, મેયર ડો.જગદીશ પટેલ, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, ધારાસભ્ય વિનુભાઇ મોરડીયા, ડેપ્યુટી મેયર નિરવ શાહ, વિવેકભાઇ પટેલ, પ્રવીણ ઘોઘારી, અરવિંદ રાણા, નિરંજનભાઇ ઝાંઝમેરા, દર્શિણી કોઠીયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

March 27, 2019
ghan_lakhani.jpg
1min40880

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાની ટિકીટ કોને મળશે એ વાતો ભારે ચર્ચાઓ થઇ રહી છે પરંતુ, કોંગ્રેસે ચૂપકીદીથી એવા મજબૂત ઉમેદવારને શોધી કાઢ્યો છે કે જો કોંગ્રેસ એ મજબૂત ઉમેદવાર નામે લોક કલાકાર, ડાયરા કલાકાર ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા સવજીભાઇ ધોળકીયા, એસ.આર.કે.ના ગોવિંદ ધોળકીયા સમેત અનેક ઉદ્યોગપતિ પરિવારો માટે આ ચૂંટણી મોટું ધરમસંકટ પુરવાર થશે. એટલું જ નહીં પરંતુ, જો કોંગ્રેસ આ લોક કલાકાર ઘનશ્યામ લાખાણીને સુરતમાંથી ઉતારશે તો ભાજપ માટે આ બેઠક પરથી લીડથી જીતવાની વાત તો દૂર રહી પરંતુ, બરાબરીના ખેલ બરાબર બની રહે તેમ છે.

અહીં અમે કેટલાક ફોટા રજૂ કરી રજૂ કરી રહ્યા છે જેને જોઇને વાચકો જાતે જ નક્કી કરી લેશે કે લોક કલાકાર ઘનશ્યામ લાખાણી સુરતના એવા કયા ઉધોગપતિઓ સાથે ઘરોબો ધરાવે છે જેઓ નરેન્દ્ર મોદીના ખાસ હોવાની વાતો ચાલી રહી છે.

એસ.આર.કે.ના ગોવિંધ ધોળકીયા સાથે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને લોક કલાકાર ઘનશ્યામ લાખાણી અત્યંત નજીદીકી સંબંધો ધરાવે છે. તાજેતરમાં ચૂંટણીને લઇને કહેવાય છે કો ગોવિંદ ધોળકીયાના ફાર્મ હાઉસ પર જ ઘનશ્યામ લાખાણી અને તેમના શુભેચ્છકોએ એક મોટી મિટીંગ કરી હતી. ભાજપમાં આ વાતને લઇને ભારે ચર્ચા ચાલી નીકળી છે.

લોક કલાકાર અને કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લાખાણી સાથે ગોવિંદ ધોળકીયાની સેલ્ફી તેમના સંબંધોની પ્રતીતિ કરાવી જાય છે.

સુરત ભાજપામાંથી ટિકીટ માંગનાર મહેશ સવાણી સાથે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લખાણીની આ તસ્વીરો હાલના સમય માયે પ્રસ્તુત થઇ પડે છે

(તો બન્ને ગાઢ મિત્રો ભાજપ અને કોંગ્રેસના સુરત બેઠકના ઉમેદવાર બની શકે)

(મહેશ સવાણીની આ પ્રકારની સેલ્ફી કયા મિત્ર સાથે હોઇ શકે )

(વરાછા ભાજપાના કદાવર નેતા સુરતના માજી મેયર કનુભાઇ માવાણી સાથે ઘનશ્યામ લાખાણી કે જે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે)

ટોચના સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓમાં ગણના પામતા લવજી બાદશાહ સાથે ઘનશ્યામ લાખાણી

કહેવાનું તાત્પર્ય એ છે કે લોક કલાકાર, ડાયરાના કલાકાર હોવાના નાતે ઘનશ્યામ લાખાણીની પ્રોફાઇલ કોઇ પ્રાદેશિક રાજકીય નેતા કરતા વધુ મજબૂત છે, લોકપ્રિયતાના કારણે સુરત સમેત સૌરાષ્ટ્રના લગભગ દરેક મોટા માણસો, સેલિબ્રિટીઓ, સાધુ સંતોમાં ઘનશ્યામ લાખાણી લાડીલા છે. મોરારીબાપૂ સમેત અનેક મોટા સંતો, ડાયરાના સુપર સ્ટાર માયા આહિર સમેતના અત્યંત લોકપ્રિય લોકો ઘનશ્યામ લાખાણી સાથે છે. એથી વિશેષ સૌરાષ્ટ્રના લોકો પણ ઘનશ્યામ લાખાણીના મોટા ફેન છે. યુ ટ્યુબ પર ઘનશ્યામ લાખાણીના વિડીયોઝને લાખો વ્યુઅર્સ મળે છે એ દર્શાવે છે કે તેઓ કેટલાક લોકપ્રિય છે.

જાહેરમાં નહીં તો અંદર ખાને પણ ઘનશ્યામ લાખાણીને તન, મન અને ધનની મદદ મળે જ

આવા સંજોગોમાં જો કોંગ્રેસ ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા ધોળકીયા પરિવાર, ધોળકીયા બંધુઓ મોટા ધરમસંકટમાં મૂકાય એમાં બે મત નથી. આ બન્ને પરિવારો ન તો મોદીની નારાજગી વહોરી શકે ન તો ઘનશ્યામ લાખાણીથી કિનારો કરી શકે. જો એવું હોત તો તાજેતરમાં ગોવિંદભાઇના ફાર્મમાં ઘનશ્યામ લાખાણીની ઉમેદવારીને લઇને મિટીંગ જ ન યોજાઇ હોત. ધોળકીયા પરિવાર ઉપરાંત સુરત અને સૌરાષ્ટ્રના અનેક દિગ્ગજો જાહેરમાં નહીં તો અંદર ખાને તો કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લાખાણીને તન, મન અને ધનથી મદદ કરતા જોવા મળશે જ.

તો સુરત ભાજપ માટે સેફ સીટ નહીં પણ બરાબરીના જંગવાળી બની રહેશે

(સુરત બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને લોક કલાકાર-ડાયરા કલાકાર ઘનશ્યામ લાખાણી)

જો કોંગ્રેસ દર વખતની જેમ ઉમેદવાર આ વખતે પણ ઉમેદવારની પસંદગીમાં દાટ નહીં વાળે અને સુરતની બેઠક પર લોક કલાકાર ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો સુરતની બેઠક જેને ભાજપા સેફ સીટ માની રહી છે એ બેઠક પર બરાબરીનો જંગ જરૂર જોવા મળે. સુરત બેઠક સૌરાષ્ટ્રવાસી વર્સીસ ઓલના જંગમાં ફેરવાય જાય તેમ છે. કેમકે ઘનશ્યામ લાખાણીની લોકપ્રિયતા અને તેમનું નેટવર્ક એવું છે કે તેમના માટે સૌરાષ્ટ્રથી મોટા ભાગના સેલિબ્રિટીઝ સુરત પ્રચાર કરવા માટે આવશે. ભાજપા સાથે નજદીકીયા ધરાવતા નેતાઓ પણ અંદર ખાને તો ઘનશ્યામ લાખાણીને સપોર્ટ કરે તેમ છે.

 

March 27, 2019
static_checking.jpg
1min21730

રાજ્યમાં ગુરુવાર, તા.28મી માર્ચ 2019ના રોજ લોકસભાની ચૂંટણીનું નોટિફિકેશન જારી થશે. સુરતનું ચૂંટણી તંત્ર જણાવે છે કે તા.28મી માર્ચથી જ સુરત જિલ્લાના વિસ્તારોમાં કુલ 48 સ્ટેટીક સ્કવોર્ડ તેમની કામગીરી શરૂ કરી દેશે. સ્ટેટીક સ્ક્વોડનું કામ રોકડની હેરફેર પર નજર રાખવાનું છે. ચૂંટણીમાં દારુ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર ન થાય તે માટે વાહનોનું ચેકિંગ કરવા માટે સ્ટેટીક સ્ક્વોડને કામ સોંપવામાં આવે છે.

ભૂતકાળમાં સુરત શહેર જિલ્લામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ દરમિયાન રોકડ રકમ કરતા વધારે દારુની બાટલીઓ મળી આવવાના કિસ્સાઓ નોંધાયા હતા. દારુ પીવાના શોખીન લોકો પોતાની કારમાં જ બાટલીઓ રાખીને ફરતા હોય છે એવા અનેક નમૂનાઓ સ્ટેટીક સ્કવોર્ડના ચેકિંગમાં ઝડપાય જાય છે.

ચૂંટણી તંત્રના સૂત્રો જણાવે છે કે સુરત શહેર જિલ્લામાં સ્ટેટીક સર્વેલન્સ સ્ક્વોર્ડની કુલ 48 ટીમો ગમે ત્યાં, ગમે તે સ્થળે, ગમે તે વિસ્તારમાંથી પસાર થતા વાહનોને અટકાવીને તેનું કડક ચેકીંગ કરશે. સ્ટેટીક સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ જ્યારે ચેકિંગ હાથ ધરતી હશે ત્યારે તેની વિડીયોગ્રાફી પણ કરાવવામાં આવશે.

સુરતના ઇતિહાસમાં સ્ટેટીક સ્ક્વોર્ડને ગાડીઓમાંથી રોકડ કરતા દારુ વધારે મળ્યો છે

સુરત શહેરમાં જે નાગરિકો કોઇ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા ન હોય, તેમની ગાડીમાંથી કોઇ ચૂંટણી લક્ષી સાહિત્ય ન રાખ્યું હોય, દારુ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ ન રાખતા હોય તેવા લોકો કુલ રૂ.10 લાખ સુધીની રોકડ રકમ સાથે અવરજવર કરી શકશે. જે વ્યક્તિઓ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા હોય તેવા લોકો ફક્ત રૂ.50 હજાર સુધીની રકમની જ હેરફેર કરી શકશે.

રાજકીય પાર્ટી કે ઉમેદવાર સાથે કોઇ કનેકશન નહીં ધરાવતા લોકો રૂ.10 લાખ સુધીની રોકડ રકમની હેરફેર કરી શકશે

March 27, 2019
voting.jpg
1min8310

ગુજરાત સમેત દેશના મોટાભાગના રાજ્યોમાં ઉનાળાની ગરમીના દિવસોમાં જ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજવાનું હોઇ, દેશના ચૂંટણી પંચે રાજ્યના ચૂંટણી અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ વિવેકબુદ્ધિ પૂર્વક મતદાનનો સમય વધારી શકશે.

ગુજરાતમાં ચૂંટણી તંત્રએ તા.23મી એપ્રિલ 2019ના રોજ યોજાનાર ચૂંટણી મતદાન માટેના સમયમાં એક કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. વધુ મળતી વિગતો મુજબ ચૂંટણી પંચના નિયમાનુસાર અગાઉ મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો હતો. પરંતુ, જે રીતે છેલ્લા અઠવાડીયાથી ગુજરાતમાં ગરમી પડી રહી છે એ જોતા હવે ગુજરાતમાં મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરીને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે તે માટેની પરવાનગી આપવામાં આવી છે.

તા.23મી એપ્રિલ 2019ના રોજ ગુજરાતમાં મતદાનનો સમય સવારે 7થી સાંજે 6 કલાક સુધીનો મુકરર કરવામાં આવ્યો છે.

 

આજથી ચૂંટણીનું જાહેરનામું અને ઉમેદવારીનો ધમધમાટ શરૂ

ગુજરાતમાં 23મી એપ્રિલે યોજનારી ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું તા.28મી માર્ચે જારી કરવામાં આવશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન તા.23મી એપ્રિલ 2019ના રોજ યોજવાનું છે ત્યારે આવતીકાલ તા.28મી માર્ચને ગુરુવાર ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું જારી કરવામાં આવશે. આવતીકાલ તા.28મીથી જ ઉમેદવારીની પ્રક્રિયા શરૂ કરાશે.

સુરત સંસદીય મત વિસ્તારમાં ઉમેદવારી કરવા માંગતા નાગરિકો માટે બે સ્થળે વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત કલેક્ટરેટ કચેરી, પાંચમાં માળે નવા જિલ્લા સેવાસદન ખાતે તેમજ ચોર્યાસી પ્રાંતની કચેરી ખાતેથી લોકસભાની સુરત બેઠક પર ઉમેદવારી માટેના ફોર્મ બિલકુલ વિના મૂલ્યે ઉપલબ્ધ થશે અને આ જ બન્ને કચેરીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્રો રૂબરૂમાં જ ભરવાના રહેશે. ઉમેદવારીની પ્રક્રિયા તા.4 એપ્રિલ 2019 સુધી ચાલશે.

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા નાગરિકો પૈકી જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવારો પાસેથી રૂ.25 હજાર તેમજ એસ.સી. કે એસ.ટી. વર્ગના ઉમેદવારો પાસેથી રૂ.12,500ની રકમ ડિપોઝીટ પેટે લેવામાં આવશે.

સુરત બેઠક માટે બે મુખ્ય હરીફ રાજકીય પક્ષો, ભાજપા કે કોંગ્રેસ પૈકી કોઇએ પણ પોતાના સત્તાવાર ઉમેદવારોની ઘોષણા કરી નથી.

 

સાચવજો, આજથી સ્ટેટીક સ્કવોર્ડ ગમે ત્યાં ગાડી ઉભી રખાવીને ચેક કરશે

ગુજરાતમાં તા.28મી માર્ચ 2019ના રોજ લોકસભાની ચૂંટણીનું સત્તાવાર જાહેરનામુ પ્રસિદ્ધ થવાની સાથે જ સ્ટેટીક સ્કવોર્ડ અમલમાં આવી જશે. સુરત શહેર જિલ્લામાં સુરત બેઠક ઉપરાંત નવસારી અને બારડોલી એમ ત્રણ લોકસભા વિસ્તારો સમાવિષ્ટ છે. આ તમામ વિસ્તારોમાં સુરત જિલ્લા ચૂંટણીતંત્રએ ગઠિત કરેલી સ્ટેટીક સર્વેલન્સ સ્ક્વોર્ડ આવતીકાલ તા.28મી માર્ચ 2019ના ગુરુવારથી એકશનમાં જોવા મળશે.

ચૂંટણી તંત્રના સૂત્રો જણાવે છે કે સ્ટેટીક સર્વેલન્સ સ્ક્વોર્ડની કુલ 48 ટીમો ગમે ત્યાં, ગમે તે રોડ પર, ગમે તે વિસ્તારમાંથી પસાર થતા વાહનોને અટકાવીને તેનું કડક ચેકીંગ કરશે. સ્ટેટીક સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ જ્યારે ચેકિંગ હાથ ધરતી હશે ત્યારે તેની વિડીયોગ્રાફી પણ કરાવવામાં આવશે.

સુરત શહેરમાં જે નાગરિકો કોઇ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા ન હોય, તેમની ગાડીમાંથી કોઇ ચૂંટણી લક્ષી સાહિત્ય ન રાખ્યું હોય, દારુ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ ન રાખતા હોય તેવા લોકો કુલ રૂ.10 લાખ સુધીની રોકડ રકમ સાથે અવરજવર કરી શકશે. જે વ્યક્તિઓ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા હોય તેવા લોકો ફક્ત રૂ.50 હજાર સુધીની રકમની જ હેરફેર કરી શકશે.

ભૂતકાળમાં સુરત શહેર જિલ્લામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ દરમિયાન રોકડ રકમ કરતા વધારે દારુની બાટલીઓ મળી આવવાના કિસ્સાઓ નોંધાયા હતા. દારુ પીવાના શોખીન લોકો પોતાની કારમાં જ બાટલીઓ રાખીને ફરતા હોય છે એવા અનેક નમૂનાઓ સ્ટેટીક સ્કવોર્ડના ચેકિંગમાં ઝડપાય જાય છે.

March 27, 2019
bmd1-1280x720.jpg
1min7420

ભારતે અંતરિક્ષ ક્ષેત્રે એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. મિશન શક્તિએ અંતરિક્ષ ક્ષેત્રે એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.27મી માર્ચ 2019ના રોજ રાષ્ટ્રજોગ સંબોધન કરીને જણાવ્યું હતું.

ભારતે પોતાનું નામ અંતરીક્ષ મહાસત્તા તરીકે નોંધાવી દીધું છે. બુધવારે તા.27મી માર્ચ 2019ના રોજ સવારે પૃથ્વીની ભ્રમણકક્ષામાં 300 કિલોમીટરના અંતરે લો ઓર્બિટમાં એક જીવંત ઉપગ્રહને ભારતે તોડી પાડ્યો હતો. આ સેટેલાઈટ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું જેને એન્ટી સેટેલાઈટ મિસાઈલ દ્વારા ફક્ત ત્રણ મિનિટમાં તોડી પાડવામાં આવ્યું હતું તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.

થોડા સમય પહેલા આપણા વૈજ્ઞાનિકોએ 300 કિમી દૂર લો અર્થ ઓર્બિટને તોડી પાડ્યું છે. આ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું. જેને A-SAT મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યું. માત્ર ત્રણ જ મિનિટમાં આ ઑપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.

અવકાશ આજે દેશનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે. આપણા દેશે છોડેલા ઉપગ્રહોનો લાભ ખેડૂતો, વિદ્યાર્થીઓથી લઈને સામાન્ય નાગરિકોને પણ થઈ રહ્યો છે. હાલના વર્ષોમાં ઉપગ્રહોનો વધારો થઈ રહ્યો છે ત્યારે દેશે તેની સુરક્ષા કરવી પણ એટલી જ જરૂરી છે. મિશન શક્તિ ભારતને હવે અવકાશમાં પણ મહાસત્તા તરીકે સ્થાપિત કરશે. આટલી ઝડપથી પ્રહાર કરવાની ક્ષમતા સાથે ભારતે તેની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરી દીધું છે.’

March 27, 2019
amroli_logo.jpeg
1min54590

જયેશ બ્રહ્મભટ્ટ

હાલમાં ધો.12 કોમર્સની બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જ્યારે ધો.12 કોમર્સનું પરિણામ આવે અને કોલેજમાં પ્રવેશ કામગીરી શરૂ થાય ત્યારે સેંકડો નહીં હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને કેવી રીતે ફોર્મ ભરવું, કેવી રીતે ચોઇશ ફિલિંગ કરવી એ સમજ પડતી નથી, ઘણાં વિદ્યાર્થીઓને તો યુનિવર્સિટીની કઇ વેબસાઇટ પરથી ફોર્મ ભરવું તે સમજ પડતી નથી હોતી, પ્રવેશ રાઉન્ડનું પરીણામ કેવી રીતે જોવું વગેરે અનેક સવાલો ઉપસ્થિત થાય છે.

ધો.12 કોમર્સ B.com, B.C.A. B.B.A. ના વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ પ્રવેશની દોડધામથી બચવું હોય તો હેલ્પ ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવીને એડવાન્સમાં પ્રવેશનું આયોજન કરી શકશો

આવા સંજોગોમાં કોલેજોમાં વિનામૂલ્યે હેલ્પ સેન્ટર શરૂ કરાયા હોવા છતાં પ્રવેશાર્થી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાઇબર કાફેના સંકજામાં સપડાય છે. ખાસ કરીને વરાછા, કતારગામ, વેડરોડ, સુમુલડેરી રોડ, પૂણા, કુંભારીયા, કોસાડ, અમરોલી, કોટ વિસ્તાર, ઓલપાડ વિસ્તાર વગેરે વિસ્તારમાં તો કેટલાક સાઇબર કાફેમાં માત્ર ફોર્મ ભરવાના રૂ.1500થી રૂ.2000 સુધીનો ચાર્જ ચૂકવવો પડે છે.

ઓનલાઇન પ્રવેશ ફોર્મ જે કોલેજોના હેલ્પ સેન્ટર્સ પર બિલકુલ મફત ભરાય છે તેના પ્રવેશાર્થીઓ સાઇબર કાફેમાં રૂ.2-2 હજાર ચૂકવી આવતા હોય છે

જાણકારીના અભાવે માત્ર 15 મિનિટમાં જે ફોર્મ ઓનલાઇન ભરાય એ ફોર્મ ભરવાના વિદ્યાર્થીઓ રૂ.2000 સુધીની રકમ બિનજરુરી ચૂકવી આવે છે.

શહેરના અમરોલી ખાતે જીવનજ્યોત ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આ વખતના ધો.12 કોમર્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે નિશુક્લ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ ડેસ્ક ઓનલાઇન કાર્યરત છે. ધો.12 કોમર્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ માત્ર તેમની 8 જાણકારીઓ આપીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું છે. અમરોલી કોલેજની હેલ્પ ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયાથી સંપૂર્ણપણે માહિતગાર કરશે, તેમના પ્રશ્નો, સમસ્યાઓ, ડાઉટ વગેરેનું પણ સમાધાન કરી આપશે. અને સૌથી મહત્વની વાત છે કે આ હેલ્પ ડેસ્કનો કોઇ જ ચાર્જ નથી.

અમરોલી કોલેજની આ હેલ્પ ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવો અને કોલેજ પ્રવેશ માટે આગોતરી વ્યવસ્થા કરી નચિંત બનો

http://amrolicollege.org/admhelpdesk/

અમરોલી કોલેજના હેલ્પ ડેસ્કના હોમ પેજ પર જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રોસ્પેક્ટસ, અમરોલી કોલેજની પરિચય પુસ્તિકા, કારકિર્દી માર્ગદર્શનની ગુજરાત સરકારની માહિતી પુસ્તિકા, બી.કોમ.માં શું ભણવાનું આવશે એનો સંપૂર્ણ અભ્યાસક્રમ વગેરે માહિતી કોઇપણ વિદ્યાર્થી જોઇ શકશે. આ હેલ્પ ડેસ્કના હોમ પેજ પર જ હેલ્પલાઇન નંબર પણ આપ્યા છે. વિદ્યાર્થીઓ તેના પર કોલ કરીને પણ માહિતી મેળવી શકશે.

ટૂંકમાં અમરોલી કોલેજે ધો.12 કોમર્સ પછી કોલેજના પ્રવેશાર્થીઓ માટે શરૂ કરેલી હેલ્પ લાઇન સેંકડો વિદ્યાર્થીઓના સાઇબર કાફેમાં ઘસડાઇ જતા બિનજરૂરી રૂપિયા તો બચાવશે જ પરંતુ કોલેજ પ્રવેશ કાર્યવાહીનું યોગ્ય માર્ગદર્શન પણ પૂરૂં પાડશે.

March 26, 2019
medical_treatment.jpg
1min5870

સરકારી હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર અને ત્યાં શક્ય ન બને તો જિલ્લા ચૂંટણી અધિકારીના રેફરન્સ સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાં ચૂંટણી પંચના ખર્ચે સારવાર કરવામાં આવશે

આગામી તા.23મી એપ્રિલ 2019ના રોજ મતદાન અને તા.23મી મે ના રોજ મતગણતરીની પ્રક્રિયા પાર પાડવા માટે સુરત શહેર જિલ્લા સમેત સમગ્ર ગુજરાતમાં લાખો કર્મચારીઓને કામગીરીમાં જોતરવામાં આવે છે. દર વખતની વિધાનસભાની ચૂંટણી કે લોકસભાની ચૂંટણીની ફરજ દરમિયાન માનસિક તાણ કે અન્ય બિમારીથી ત્રસ્ત અધિકારીઓ કર્મચારીઓનું સ્વાસ્થય ચાલુ ફરજે બગડે છે અને બાદમાં તેમને સારવાર માટે સ્વજોખમે રવાના કરી દેવામાં આવે છે.

પરંતુ, આ વખતની ચૂંટણીથી નવો ધારો અમલમાં આવ્યો છે. ચૂંટણીની ફરજમાં જે પણ કર્મચારી કે અધિકારીઓને જોતરવામાં આવે અને ચૂંટણીની ફરજ દરમિયાન જો સ્વાસ્થ્ય સંબંધિત બિમારી કે અન્ય વિપરિત સંજોગો સર્જાય તો એવા સંજોગોમાં જે તે અધિકારી કે કર્મચારીને સરકારી હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર આપવામાં આવશે અને તેનો સઘળો ખર્ચ ચૂંટણી પંચ ઉઠાવશે. જો સરકારી હોસ્પિટલ કે દવાખાનામાં સારવાર શક્ય ન બને તો જિલ્લા ચૂંટણી અધિકારીના રેફરન્સ લેટર સાથે જે તે કર્મચારી કે અધિકારીને પ્રાઇવેટ હોસ્પિટલ કે દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવશે અને તેનો સઘળો ખર્ચ જિલ્લા ચૂંટણી તંત્ર ઉઠાવશે એવી માહિતી સુરત જિલ્લા ચૂંટણી તંત્રના સૂત્રોએ આપી હતી.

March 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min15870

4થી એપ્રિલએ પૂરવણી મતદાર યાદી પ્રસિદ્ધ થશે

સુરત- આગામી તા.23મી એપ્રિલ 2019ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર હાલ મતદાર યાદીઓ અદ્યતન કરવાની કામગીરીમાં જોતરાયું છે. સુરત શહેર જિલ્લામાં મતદાર યાદી સુધારણા ડ્રાઇવ દરમિયાન 18 વર્ષની વય પૂર્ણ કરનાર તેમજ અન્ય મળીને મતદાર યાદીમાં નામ આમેજ કરવા માટે તંત્રવાહકોને કુલ 18 હજાર જેટલી અરજીઓ મળી છે.

જિલ્લા ચૂંટણી તંત્રએ ગઇ તા.16મી ઓક્ટોબર 2018થી તા.25મી માર્ચ 2019 સુધીના સમયગાળા દરમિયાન મતદાર યાદી સુધારણા ડ્રાઇવ હાથ ધરી હતી. મોટા ભાગે નવા મતદારો દાખલ કરવા, હયાત મતદારોના રેકોર્ડમાં સુધારણા કરવા તેમજ 18 વર્ષની આયુ પૂર્ણ કરનાર મતદારોના નામો દાખલ કરવા જેવી પ્રક્રિયા મતદાર યાદી સુધારણામાં હાથ ધરવામાં આવી હતી.

કલેક્ટરેટના સૂત્રોએ આપેલી માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં કુલ 18000થી વધુ નવા મતદાર તરીકે નોંધણી માટેના આવેદન મળ્યા છે. હવે ચૂંટણી તંત્ર આ 18000 અરજીઓને યુદ્ધના ધોરણે ચકાસણી કરશે અને દસ્તાવેજી પુરાવાઓના આધાર પર જે અરજીઓ માન્ય કરવા જેવી લાગે તેના નામો મતદાર યાદીમાં આમેજ કરશે.

તા.4 એપ્રિલ 2019ના રોજ સ્થાનિક ચૂંટણી તંત્ર સુરત શહેર જિલ્લામાં આવેલી 16 વિધાનસભા બેઠકો પર નવા મતદારોને સામેલ કરતી પૂરવણી મતદારયાદી જાહેર કરશે અને તેમાં આમેજ થયેલા મતદાતાઓને પહેલી વાર મતાધિકાર મળશે.