કોચ રવિ શાત્રીએ એમ પણ કહ્યંy કે વિશ્વ કપ માટે પહેલાથી કોઇ રણનીતિ ઘડી શકે નહીં. તૈયારી માટે ચાર વર્ષનો સમય રહે છે.


Paytm સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. Paytmના પ્રમુખ વિજય શેખર શર્માએ કહ્યું કે નાના વેપારી અને હવે Paytmથી અલગ થઈ ચુકેલા સેલર્સે કમાયેલા ભારે કેશબેકની તપાસમાં આ છેતરપિંડી સામે આવી છે. આ તપાસમાં Paytmના કર્મચારીઓનું પણ નામ ખુલતા તેમણે નોકરીથી હાથ ધોવા પડ્યા છે.
શર્માએ કહ્યું કે દીવાળી બાદ અમારી ટીમે જોયું કે કેટલાક નાના સેલર્સને કેશબેક તરીકે મોટી રકમ મળી રહી છે. અમારી ટીમના ઑડિટર્સને કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરે. જે તપાસમાં સામે આવ્યું કે કેટલાક સેલર્સ જૂનિયર કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરીને કેશબેક કમાઈ રહ્યા હતા.
છેતરપિંડીની આ રકમ 10 કરોડ જેવી થવા જાય છે. તેમણે કહ્યું કે જેણે ખોટું કર્યું છે તેમની સામે કાર્રવાઈ કરાશે. જેમાં અનેક સેલર્સને Paytmમાંથી ડીલિસ્ટ પણ કરવામાં આવશે. અનેક કર્મચારીઓને આ મામલે કાઢી મુકવામાં આવ્યા છે. કેટલાક કર્મચારીઓ કથિત રીતે થર્ડ પાર્ટી વેંડર્સ સાથે મળીને ફેક ઑર્ડર પોસ્ટ કરતા હતા અને કેશબેક ઑફરના લાભ ઉઠાવતા હતા.
ભયંકર ગરમી બાદ વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે ચોમાસાને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. હવામાન અંગેની માહિતી આપતી એજન્સીએ મંગળવારે જણાવ્યું કે, ભારતમાં 4 જૂને ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ જશે. આ જાણકારી સ્કાયમેટ દ્વારા આપવામાં આવી છે, જે હવામાન અંગેની ભવિષ્યવાણી કરે છે. ચોમાસું કેરળ પહોંચવાની તારીખ પહેલા 1 જૂન જણાવાઈ હતી, એટલે કે તે સમય કરતા થોડું મોડું આવી રહ્યું છે.


સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લાં કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઊડી રહી છે તો ક્યાં કાળઝાળ ગરમીથી લોકો તોબાહ પોકારી ઊઠયા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વધુમાં ઉત્તર પશ્ર્ચિમ ભાગમાં લો-પ્રેશર થવાના કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ર્ચિમ ઇરાનમાં સર્જાયેલું અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન આવતી કાલથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે જેની અસરોથી તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે.
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની આગાહી પણ હવામાન ખાતાએ કરી હતી.
ગુજરાત બોર્ડનું ધો.12 સાયન્સનું છેલ્લા આઠ વર્ષના સૌથી નીચા અને નબળા પરીણામ બાદ સમગ્ર રાજ્યમાંથી ભારે ઉહાપોહ મચી ઉઠ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખાસ કરીને કેમેસ્ટ્રી વિષયનું પેપર અને તેના પરીણામ અંગે ભારે આક્રોશ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓનો રોષ ઠંડો પાડવા માટે આખરે સરકારની સૂચના બાદ ગુજરાત બોર્ડે આજે જાહેરાત કરી છે કે ધો.12 સાયન્સમાં એક નહીં પરંતુ, બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આગામી જુલાઇ 2019માં લેવામાં આવનારી પૂરક પરીક્ષા (સપ્લીમેન્ટરી એકઝામ) આપીને જો તેમાં સફળ થશે તો તેમની કારકિર્દીનું એક અમૂલ્ય વર્ષ બચાવી શકશે.
ધો.12 સાયન્સના ગઇ તા.9મી મે ના રોજ જાહેર થયેલા પરીણામમાં કુલ 34800 વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. નાપાસ વિદ્યાર્થીઓ પૈકી બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા બહું મોટી થવા જાય છે. આમ, બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે સરકારે તેમનું એક વર્ષ બચી જાય તેવી તક આપી છે.
આજે તા.14મી મે 2019ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી એ આ મુજબ છે.

જયેશ બ્રહ્મભટ્ટ
સેન્ટ્રલ બોર્ડની સ્કુલોમાં ગુજરાત બોર્ડની સ્કુલો કરતા સારુ શિક્ષણ મળતું હોવાની વાત માની શકાય પરંતુ, સેન્ટ્રલ બોર્ડની સ્કુલોની બીજી કેટલીક નબળાઇઓ વિદ્યાર્થીઓને જીવનભર ભારે પડી શકે તેમ છે. સુરતની રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલ વગેરે સ્કુલમાં ધો.12 સાયન્સ ભણીને પાસ થયેલા વિદ્યાર્થીઓએ ગુજકેટ-2019ની પરીક્ષા આ વખતે આપી નહીં હોવાથી તેમના માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંચાલિત એન્જિનિયરિંગ, ફાર્મસી કે એગ્રિકલ્ચર જેવા કોઇ જ અભ્યાસક્રમમાં મેરીટ ધરાવતા હોવા છતાં પ્રવેશ નહીં મળે.

ઉપરોક્ત ત્રણેય સ્કુલોના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને સ્કુલમાંથી ક્યારેય એવી સમજણ આપવામાં આવી ન હતી કે તેમણે ગુજકેટ જેવી ગુજરાત બોર્ડની પરીક્ષા આપવી જોઇએ. પરિસ્થિતિ એ આવીને ઉભી છે કે એક તરફ ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોમાં સીટો ખાલી પડી રહેશે અને બીજી તરફ સીબીએસઇના વિદ્યાર્થીઓ સારા ટકા લાવ્યા હોવા છતાં ગુજકેટના અભાવે પ્રવેશ નહીં મેળવી શકે.
સુરતમાં સીબીએસઇ બોર્ડ સાથે સંલગ્ન રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલ વગેરે સ્કુલોના સંચાલકો અને આચાર્યો એમના મગજમાં એવી રાય ભરીને જ ચાલતા હોય છે કે તેમને બધી જ બાબતોનો ખ્યાલ છે. પરંતુ, આ વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમના મગજમાંથી રાય કાઢી નાંખે તેવી સ્થિતિ પેદા થઇ છે.
ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફક્ત નીટ અને જેઇઇની તૈયારી કરવાની સલાહ આપતા સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના સંચાલકો, આચાર્યો અને શિક્ષકોના પાપે આ વખતે સેન્ટ્રલ બોર્ડના સેંકડો વિદ્યાર્થીઓ ધો.12 સાયન્સમાં સારું પરીણામ લાવ્યાં હોવા છતાં તેઓ ગુજરાતની એન્જિનિયરિંગ, ફાર્મસી કે એગ્રિકલ્ચર કોલેજોમાં પ્રવેશ નહીં મેળવી શકે. એક તરફ જેઇઇ મેઇન્સનું પરીણામ પાછલા વર્ષોની તુલનામાં અત્યંત કડક આવ્યું છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ એડવાન્સ માટેની લાયકાત સુદ્ધાં મેળવી શક્યા નથી, તો એન.આઇ.ટી. કે ત્રિપલ આઇટીમાં પ્રવેશ મળવાની વાત તો દૂર રહીં.
એક અબ્રામા સ્થિત પી.પી. સવાણી સ્કુલ સેન્ટ્રલ બોર્ડની એકમાત્ર એવી શાળા છે જ્યાં ધો.11-12ના વિદ્યાર્થીઓને દરેકે દરેક પ્રવેશ પરીક્ષા અંગે અગાઉથી માહિતગાર કરીને તે અંગેની પૂર્વ તૈયારી કરાવવામાં આવે છે. એ સિવાય મોટા ભાગની સીબીએસઇ સ્કુલોના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શનના નામે મીંડું આપવામાં આવે છે.
સીબીએસઇની સ્કુલોએ જો તેમના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને એવી સલાહ, સમજણ આપી હોત કે જેઇઇ મેઇન્સની સાથે ગુજકેટની પરીક્ષા આપવાથી ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજો, ફાર્મસી કોલેજો, એગ્રિકલ્ચર કોલેજોમાં પ્રવેશ મળશે અને તેના માટે ગુજકેટ જરૂરી છે તો કદાચ સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ બગડતા બચી ગયું હોત.
લેખક કરીયર કાઉન્સલર હોવાના નાતે અત્યાર સુધીમાં રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલ વગેરેના 125થી વધુ વિદ્યાર્થીઓ પર્સનલ કાઉન્સેલિંગ માટે રૂબરૂ મળ્યા ત્યારે આ વાતનો ઘટસ્ફોટ વિદ્યાર્થીઓએ કર્યો કે તેમને ક્યારેય સ્કુલ તરફથી એવી સમજ, સલાહ કે ગાઇડન્સ આપવામાં આવ્યું ન હતું કે જેઇઇની સાથે તેમણે ગુજકેટની પરીક્ષા પણ આપવી જોઇએ. જો વિદ્યાર્થીઓને એ વાતની પહેલેથી જ જાણકારી હોત તો તેઓ આજે એન્જિનિયરિંગ કોલેજમાં સાવ જ પ્રવેશથી વંચિત ન રહી ગયા હોત.
સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના ગુજકેટની પરીક્ષા નહીં આપનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની હાલ તો પગતળેથી ધરતી ખસી ગઇ છે કેમકે હવે તેમની પાસે સહારો માત્ર બી.એસસી.માં પ્રવેશનો બચ્યો છે પરંતુ, તેમને થયેલા આ નુકસાનની જવાબદારી કોની, સેન્ટ્રલ બોર્ડનું એક વખત એફિલિયેશન મેળવી લીધા બાદ હાટડીની જેમ સ્કુલો ચલાવતા સંચાલકોને સ્વપનેય ખ્યાલ નહીં હોય કે તેમણે વિદ્યાર્થીઓનું કેટલું અહીત કર્યું હશે.
પોતાના સંતાનોને સીબીએસઇ સ્કુલોમાં અભ્યાસ કરાવવા માટે અધીરા બની રહેલા વાલીઓ, માબાપ માટે ઉપરોક્ત કિસ્સો આંખ ઉઘાડનારો છે. સીબીએસઇ સ્કુલો શિક્ષણ ભલે સારું આપે, સીબીએસઇમાં ટીચર્સની ક્વોલિટી ગુજરાત બોર્ડના શિક્ષકો કરતા સારી હોય પણ અન્ય બાબતોમાં સેન્ટ્રલ બોર્ડના સંચાલકોની અજ્ઞાનતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડી નાંખે તેટલી જવાબદાર બને છે.
ચૂંટણી માહોલમાં સોફટ હિન્દુત્વની પોતાની વ્યૂહરચના પર કોંગ્રેસ સતત આગળ વધી રહી છે. પક્ષના અધ્યક્ષ રાહુલનાં ‘ટેમ્પલ રન’ બાદ હવે તેમનાં બહેન પક્ષનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ મંદિરોમાં દર્શનની શરૂઆત કરી દીધી છે.

પ્રિયંકા ગાંધીએ મુખ્ય જ્યોતિર્લિંગોમાંથી એક મહાકાલેશ્વર (મહાકાલ) મંદિરમાં પૂર્ણ વિધિ સાથે પૂજાથી અને પંચામૃતથી અભિષેક કર્યો હતો. આ દરમ્યાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ, પ્રિયંકાના મહાકાલ દર્શન મામલે પ્રતિક્રિયા આપતાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધી અને મુખ્યમંત્રી કમલનાથ પર નિશાન સાધ્યું હતું.
શિવરાજે મંદિર દર્શનના બહાને પ્રિયંકાની સાથે કમલનાથ પર પણ નિશાન સાધ્યું હતું. શિવરાજે કહ્યું કે, ‘િપ્રયંકાજી મહાકાલ મંદિરમાં દર્શન માટે જઇ રહ્યો છે, તો ત્યાં તેમનાં ભાઇ અને મુખ્યમંત્રી (કમલનાથ)ને પૂછો કે, તેમણે 10 દિવસની અંદર બધા કિસાનોની ઋણ માફીની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, આવું ન થયું તો મુખ્યમંત્રીને અમે હટાવી નાખશું.’ ખેડૂતોની લોન હજુ માફ નથી થઇ. મુખ્યમંત્રી તમારા ભાઇને ગુમરાહ કરે છે અને બીજી તરફ તમારા ભાઇ ખોટું બોલી રહ્યા છે.
‘

મેટ્રો ટ્રેન બાઈકથી પણ ઓછી સ્પીડે દોડી રહી છે. એલિવેટેડ કોરિડોરમાં મેટ્રોને ક્યાંય ટ્રાફિક કે અવરોધ નડતો નથી છતાં મેટ્રો ખૂબ જ ધીમી એટલે કે ૨૨થી ૨૫ કિલોમીટરની સ્પીડે દોડે છે. એટલે કે, મેટ્રો ટ્રેન વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી ૨૦ મિનિટમાં પહોંચે છે.

ગુજરાતમાં મેટ્રો ટેન પ્રોજેક્ટ ૨૦૧૪માં શરૂ કર્યો હતો અને માર્ચ ૨૦૧૯માં તેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી કરાયું હતું. દેશમાં સૌથી પહેલા દિલ્હીમાં મેટ્રો શરૂ કરાઈ હતી ત્યારે ત્યાં પણ મેટ્રોની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ ૮૦ કિલોમીટર અને એવરેજ સ્પીડ ૩૨ કિલોમીટર નક્કી કરાઈ હતી.
જ્યારે અમદાવાદ મેટ્રોની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની જ્યારે સરેરાશ સ્પીડ ૩૪ કિલોમીટર નક્કી કરવામાં આવી હતી છતાં ફર્સ્ટ ફેઝમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો હાલ ૨૨થી ૨૫ કિલોમીટરની સ્પીડે દોડી રહી છે. જોકે, ગત તા.૬ઠી માર્ચે મેટ્રો લોકો માટે ખુલ્લી મુકવામાં આવી ત્યારથી આજ સુધી કુલ ૧.૫૮ લાખ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે શરૂઆતમાં તા.૬ઠી માર્ચથી તા.૧૪મી માર્ચ સુધી ફ્રી મુસાફરી દરમિયાન ૭૫૯૧૭ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે શહેરમાં તહેવારોમાં અને શનિ-રવિમાં મેટ્રોમાં મુસાફરની સંખ્યા વધુ હોય છે.