CIA ALERT

Slider Archives - Page 333 of 487 - CIA Live

June 28, 2019
raining.jpg
1min4810

satellite

ગુજરાતમાં ચોમેર સારા વરસાદના અહેવાલો વચ્ચે હવામાન વિભાગે ફરીથી નવી જાહેર કરેલી આગાહીમાં જણાવ્યું છે કે શનિ, રવિ અને સોમવાર એમ ત્રણ દિવસો દરમિયાન ગુજરાતમાં ઠેકઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જોકે, સુરતની વાત કરીએ તો સુરતમાં વરસાદના છૂટાછવાયા ઝાટપાઓને બાદ કરતા હજુ ચોમાસુ બેઠું એવો વરસાદ વર્તાયો નથી. સુરતીઓ પણ મેહુલિયો મન મૂકીને વરસાદ વરસે એની રાહ જોઇ રહ્યા છે.

આગામી દિવસોની આગાહીની વાત કરીએ તો 28 અને રાજ્યના દક્ષિણ અને મધ્ય ભાગમાં આવેલા વડોદરા, આણંદ, સુરત, વલસાડ, નવસારી, દમણમાં તોફાની ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય 29 તારીખે પણ રાજ્યના આ ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ વગેરે દક્ષિણ વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રમાં ઠેક-ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા, આણંદમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

June 28, 2019
bribe.jpg
1min6720

નશો કરીને પરણવા આવેલા શરાબી વરરાજાને માંડવેથી પાછો વાળનાર આદિવાસી મહિલાનું એણે દાખવેલી બહાદુર બદલ સંબલપુર જિલ્લા પ્રશાસને બહુમાન કર્યું હતું. મે 2019માં આ ઘટના નોંધાઇ હતી.

sambalpur brave groom માટે છબી પરિણામ

મમતા ભોઇ નામની 20 વર્ષની યુવતીએ નશો કરીને પરણવા આવેલા શરાબી વરરાજાને પરણવાનો નનૈયો ભણ્યા બાદ વરરાજા અને એના કુટુંબીઓને ખાલી હાથે પાછા ફરવું પડયું હતું. ગોવર્ધન બદામી ગામની રહેવાસી મમતાએ આ પ્રસંગે ભેગાં થયેલા લોકોને જણાવ્યું હતું કે પરણવાની ના પાડયા બાદ પોતે અનેક યુવતીઓ માટે પ્રોત્સાહનનું કારણ બનશે એવી તો એને કલ્પના પણ નહોતી.

લગ્નની ઘટના યાદ કરતા મમતાએ જણાવ્યું હતું કે જ્યારે મેં મંડપમાં વરરાજાને નશાની હાલતમાં જોયો ત્યારે તરત જ મેં એને ન પરણવાનો નિર્ણય લીધો હતો. એણે એટલો તો નશો લીધો હતો કે એ ઊભો પણ રહી શકતો નહોતો. મેં વિચાયું કે હું આવી વ્યક્તિની સાથે જીવન પસાર ન કરી શકું. મને નથી લાગતું કે મેં કશું ખોટું કર્યું છે.

મમતાની માસીએ જણાવ્યું હતું કે મમતાના નિર્ણયથી એના ગરીબ કુટુંબને આશ્ર્ચર્ય થયું હતું, પણ એમણે એને સાથ આપ્યો હતો. હવે મમતાના લગ્ન વ્રજરાજનગરની વ્યક્તિ સાથે નક્કી કરાયા છે.

સંબલપુરના એસપી સંજીવ અરોરાએ જણાવ્યું હતું કે દારૂડિયાને ન પરણવાનો નિર્ણય લઇને મમતાએ બધી ક્ધયાઓને એવો સંદેશ આપ્યો હતો કે એમણે પોતાના જીવનસાથીને પસંદ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જોઇએ. દારૂડિયા વ્યક્તિને પરણ્યા બાદ એમનું જીવન ઝેર બની જશે.

સંબલપુરના કલેક્ટર શુભમ સક્સેનાની હાજરીમાં મમતાનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મમતાને શાલ, પ્રશંસાપત્ર અને રૂ. 10,000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

June 27, 2019
CIA_Live_Logo_New2.jpg
2min15210
સુરત અને દક્ષિણ ગુજરાતની કોલેજોમાં કેટલી બેઠકો પર સરકાર પ્રવેશ આપી રહી છે, તેમાંથી કેટલી બેઠકો પર પ્રવેશ અપાયા અને કેટલી બેઠકો ખાલી રહી તેની વિગતો અહીં દર્શાવવામાં આવી છે.

સુરતની કોલેજો

દક્ષિણ ગુજરાતની કોલેજો

જયેશ બ્રહ્મભટ્ટ 98253  44944

 

ઉપરોક્ત માહિતી એડમિશન કમિટી દ્વારા 2019-20ના શૈક્ષણિક વર્ષ માટે આપવામાં આવેલા પહેલા રાઉન્ડના પ્રવેશ અંગેની છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ માહિતી એટલા માટે ઉપયોગી છે કેમકે સરકારી કોલેજોના બાદ કરતા મોટા ભાગની કોલેજોમાં બેઠકો ખાલી પડી રહી છે. બ્રાન્ચવાઇઝ જો આપને કોલેજ પસંદ હોય તો મેનેજમેન્ટ ક્વોટા કે એનઆરઆઇ ક્વોટામાં પ્રવેશ લેવાની કોઇ જ જરૂરીયાત રહેતી નથી. કેમકે સ્ટેટ ક્વોટામાં મેરીટથી આપવામાં આવતી બેઠકો જ જ્યારે ખાલી પડી રહેતી હોય ત્યારે રૂપિયા ખર્ચીને મેનેજમેન્ટ ક્વોટા કે એનઆરઆઇ ક્વોટામાં પ્રવેશ લેવો એ મૂર્ખામી કહેવાય.

આખા રાજ્યની શું સ્થિતિ, વાંચો અહીં

એક સમયે એન્જિનયિરંગ કોલેજોની ઓછી સંખ્યા અને ડીમાન્ડ વધારે હોવાથી 5-5 લાખ રૂપિયાનું ડોનેશન મળતું હોવાની મલાઇ પારખીને 50થી 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરીને ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજનો ધંધો શરૂ કરનારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના અનેક સંચાલકોએ હવે ધંધો બંધ કરવો પડે અથવા તો ધંધો બદલવો (બીજો કોઇક રનિંગ કોર્સ શરૂ કરવો) પડે એવી નોબત આવીને ઉભી છે.

ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઇન પ્રવેશ કાર્યવાહીના પહેલા રાઉન્ડના એલોટમેન્ટ સાથે સુરતના ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન જેવી ધંધાદારીઓની કોલેજોમાં કાગડા ઉડે તેવી સ્થિતિ સર્જાઇ છે. બે, પાંચ, દસ, પંદર જેવા વિદ્યાર્થીઓ માટે કોલેજ ચલાવવી પડે, અધ્યાપકોને પગાર આપવો પડશે, મેઇન્ટેનન્સ વગેરે આવા સંચાલકોને ધંધો બદલવા માટે મજબૂર કરશે.

ગુજરાત સરકારે રચેલી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિઝ એ સ્ટેટ ક્વોટાની 65,212 માટે પ્રવેશ કાર્યવાહી શરૂ કરી હતી. પહેલા રાઉન્ડમાં કુલ 35,460 બેઠકો ખાલી રહી જવા પામી છે, જેમાં 90 ટકા બેઠકો પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એટલે કે ધંધાદારીઓની કોલેજોની છે.

એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓમાં કમ્પ્યૂટર પસંદગીમાં ટોચના સ્થાને રહ્યું. ત્યારબાદ ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી વિદ્યાર્થીઓમાં મનપસંદ રહ્યા. સતત ત્રીજા વર્ષે કમ્પ્યૂટર ટેક્નોલોજી વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી બન્યું છે. અગાઉ એડમિશન માટે વિદ્યાર્થીઓની પહેલી ચોઈસ રહેતી મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ આ વખતે ચોથા સ્થાને રહી.

ત્રણ કોલેજો એવી છે જેને એકપણ વિદ્યાર્થી ના મળ્યો
34 કોલેજો માત્ર 10% બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મળ્યો પણ હજુ કન્ફર્મ કેટલા કરશે એ નક્કી નથી
19 કોલેજોમાં માત્ર 10%-25% બેઠકો ભરાઈ
35 કોલેજોની કુલ બેઠકો પૈકી 26%-50% સીટ પર પ્રવેશ અપાયા.
ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે કુલ 33,271 વિદ્યાર્થીઓના નામ મેરિટ લિસ્ટમાં હતા. તેમાંથી 31,436એ ચોઈસ ફિલિંગ કર્યું. 29,753 વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સના પહેલા વર્ષમાં એડમિશન મળ્યું. 1683 વિદ્યાર્થીઓના માર્ક્સ તેમની પહેલી પસંદગીની કોલેજ સાથે અનુરૂપ ના થતાં એડમિશન ન મળ્યું.
આર્થિક પછાત વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત રાખી છે. કુલ 6,164 સીટમાંથી 1,818 બેઠકો વિદ્યાર્થીઓને ફાળવાઈ છે, જ્યારે બાકીની ખાલી રહી.
June 27, 2019
oil_singtel.jpg
1min6290

મોંઘવારીમાં થતા સતત વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ સતત ખોરવાઇ રહ્યું છે. તેવામાં સિંગતેલના ભાવ આજે આસમાને પહોંચી ગયા હતા ત્યારે આ વર્ષે સાતમ – આઠમ તહેવાર પૂર્વે સિંગતેલના ભાવમાં છેલ્લા 20 દિવસમાં નવી મગફળીના સિંગતેલના ભાવમાં 15 કિલોએ 120 રૂપિયાનો વધારો થયો હતો. જયારે જૂની મગફળીના સિંગતેલના ભાવમાં ડબ્બે 20 દિવસમાં 90 રૂપિયાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે.

સિંગતેલનો ડબ્બો માટે છબી પરિણામ

ગત વર્ષે સૌરાષ્ટ્રમાં 15 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવા પામ્યું છે. અને સરકાર પાસે ગત વર્ષની જૂની 4 લાખ ટન મગફળી જથ્થો પડેલ છે. કુલ મળી આ વર્ષે 19 લાખ ટન મગફળી છે. એટલે કે, ગત વર્ષની સરખામણીએ 50 ટકા ઓછી મગફળી હોવાથી આ વર્ષે સિંગતેલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. તહેવાર સમયે તો સિંગતેલની બજારમાં તેજી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે તહેવાર પૂર્વે પણ સિંગતેલની બજારમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા 20 દિવસમાં સિંગતેલના ભાવમાં નવી મગફળીના સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 120નો જંગી વધારો કરવામાં આવ્યો છે જયારે જૂની મગફળીના સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 90નો વધારો કરવામાં આવ્યો હતો જે હજુ પણ આગામી 10થી 15 દિવસમાં 40થી 50 રૂપિયા જેટલો ભાવવધારો વેપારીઓએ જણાવ્યું હતુ

June 27, 2019
dron.jpg
1min11690

શહેરમાં અષાઢી બીજને દિવસે એટલે કે, આગામી તા. 4થી જુલાઈએ નીકળનારી 142મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે શહેર પોલીસ પણ રથયાત્રાના માહોલમાં આવી પ્રિ-એકશન પ્લાન પોલીસે ઘડી કાઢ્યો હતો.

રથયાત્રાના રૂટ પર પોલીસે કોમ્બિંગ, પેટ્રોલિંગની સાથે સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમજ શહેરના રૂટપર ફલેગ માર્ચ યોજી આખરી ઓપ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અગાઉથી જ પોલીસ એકશનમાં આવી જતી હોય છે. જૂના પોલીસ અધિકારીઓ કે જેમણે રથયાત્રાનો બંદોબસ્ત કર્યો હોય તેવા અધિકારીઓનું લિસ્ટ પણ તૈયાર કરી દેવાતું હોય છે. અને સાથે થોડા દિવસો પહેલા જ કોમ્બિંગ, પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે.

પોલીસે દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ અને કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે આ વખતે પોલીસ સુરક્ષા માટે સૌથી વધુ ડ્રોનનો ઉપયોગ કરશે. શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજા તે સંવેદનશીલ વિસ્તારમાંના એક ગણાય છે. જેને લઇને પહેલા તો આ વિસ્તારમાં 100થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા હાઇ રિઝોલ્યુશનવાળા મુવેબલ સીસીટીવી કેમેરા છે. આ તમામ કેમેરાનું મોનિટરીંગ ત્રણ જગ્યાએ થશે.

June 27, 2019
kailash.png
1min4590

તિબેટમાં કૈલાસ માનસરોવરની યાત્રા કરીને પાછા ફરી રહેલા 200 જેટલા ભારતીય યાત્રાળુઓ નેપાળના હુમલા જિલ્લામાં કથિત રીતે ખાનગી ટૂર ઑપરેટરના વાંકે ફસાયા હોવાનો દાવો યાત્રાળુઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

તિબેટના બુરાંગથી ભારત-ચીન સરહદ નજીક આવેલ હિલસા ટાઉનમાં ભારતીય યાત્રાળુઓ હાલ ફસાયા છે. અહીંથી તુરંત જ હેલિકોપ્ટર દ્વારા સિમિકોટ અને ત્યાંથી તેઓ નેપાલગંજ તરફ રવાના થવાના હતા, પણ જ્યારે તેઓ હિલસા પહોંચ્યા ત્યારે એમની પહેલાના યાત્રાળુઓને પણ રોકવામાં આવ્યા હતા અને આ કારણસર એમને પણ ત્યાં રોકાવાની ફરજ પાડવામાં આવી હતી. પંકજ ભટનાગર નામના એક યાત્રાળુએ જણાવ્યું હતું કે ટૂર ઓપરેટરે અમારી અગાઉના અનેક યાત્રાળુને ત્યાં રોકાવાની ફરજ પાડી હતી અને એ કારણે અમારે પણ ત્યાં રોકાવું પડયું હતું. તેઓ ત્રણ દિવસથી અહીં છે અને એમના ગયા બાદ અમને જવા મળશે.

અન્ય એક યાત્રાળુએ પણ ફરિયાદ કરી હતી કે યાત્રાળુઓની સંખ્યા પ્રમાણે અહીં વ્યવસ્થા નથી અને સતત પડી રહેલા વરસાદને લીધે એમાં વધારો થાય છે. ઓપરેટરો યોગ્ય જવાબ નથી આપતા. ભારતીય ટૂર ઓપરેટરે જણાવ્યું હતું કે હવામાન ખરાબ હોવાને કારણે હેલિકોપ્ટર સેવા હાલ બંધ હતી, પણ હવે હવામાન સુધરી રહ્યું હોવાથી હેલિકોપ્ટર સિમિકોટ મોકલવામાં આવી રહ્યા છે. જે લોકો હિલસામાં પહેલા આવ્યા હશે, એમને પહેલા સિમિકોટ મોકલવામાં આવશે. જોકે, વરિષ્ઠ નાગરિકો અને બીમાર વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે.

June 27, 2019
anil_ambani.jpg
1min4370

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) તરફથી મુંબઈમાં રૂ. 7000 કરોડનો વર્સોવા-બાન્દ્રા સી-લિંક પ્રોજેક્ટનો કૉન્ટ્રેક્ટ મેળવ્યો હોવાનું રિલાયન્સ ઇન્ફાસ્ટ્રકચરે બુધવારે જણાવ્યું હતું. વર્સોવા-બાન્દ્રા સી-લિંક એ 17.17 કિલોમીટરનો મહત્ત્વનો પ્રકલ્પ છે, જેની લંબાઇ બાન્દ્રા-વરલી સી-લિંક કરતા ત્રણ ગણી વધુ છે. બાન્દ્રા-વરલી સી-લિંકની લંબાઇ 5.6 કિલોમીટર છે. 24મી જૂન, 2019ના કરાર કર્યા બાદ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર આ પ્રકલ્પ 60 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે, એમ કંપનીએ જણાવ્યું હતું.

આ પ્રકલ્પને કારણે મુંબઈગરાઓ 90 મિનિટનો પ્રયાસ ફક્ત દસ મિનિટમાં કરી શકશે.

31મી માર્ચે કંપની દ્વારા ત્રિમાસિક ખોટ રૂ. 3,301 કરોડ દેખાડી હતી જ્યારે અગાઉના નાણાકીય વર્ષમાં સમાન સમયગાળા દરમિયાન કંપની તરફથી રૂ. 133.66 કરોડનો નફો દેખાડવામાં આવ્યો હતો. આ સિવાય 2018-19માં કંપનીએ વાર્ષિક રૂ. 2,426.82 કરોડની ખોટ દેખાડી હતી જ્યારે 2017-18માં કંપનીને વાર્ષિક રૂ. 1,255.50 કરોડનો નફો થયો હતો.

June 27, 2019
modi_vic.jpg
1min4980

રાષ્ટ્રપતિના સંભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર રાજયસભામાં જવાબ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પણ કૉંગ્રેસની વિવિધ મુદ્દાઓ પર ટીકા કરી હતી. ભાજપની જંગી જીત, ઇવીએમની ટીકા, એક રાષ્ટ્ર એક ચૂંટણી, રાજયસભામાં વિધેયકો પસાર નહીં થવા દેવાની વિપક્ષની વૃત્તિ, મોબલિન્ચિંગ, આસામ સમજૂતી, જમ્મુ – કાશ્મીર, બિહારમાં મગજનો તાવ સહિત સંખ્યાબંધ વર્તમાન મુદ્દાઓ મોદીએ પોતાના જવાબમાં આવરી લીધા હતા.

ઇવીએમથી હાર્યા છે તેવા વિપક્ષની રજૂઆતને ખોટી ગણાવતા મોદીએ શેર ટાંકયો હતો.

‘તાઉમ્ર યહી ભૂલ કરતા રહા, ધૂલ ચેહરે પર થી, આયના સાફ કરતા રહા.’ તેમણે કહ્યું હતું કે, એનડીએની જીત એટલે દેશની હાર, લોકશાહીની હાર’ તેવું કૉંગ્રેસનું કથન ‘ઘમંડની પરાકાષ્ઠા’ છે.

આ નિવેદનથી લોકશાહીનું, જનતા જનાર્દનનું મોટું અપમાન થયું છે, તેમ તેમણે કહ્યું હતું. કૉંગ્રેસ કહે છે કે તમે જીત્યા અને દેશ હારી ગયો તો શું વાયનાડમાં (રાહુલ ગાંધીની જીત), રાયબરેલીમાં (સોનિયા ગાંધીની જીત) અને અન્ય સ્થળોમાં (જ્યાં કૉંગ્રેસ જીત્યું છે), તમિળનાડુમાં શું દેશ, લોકશાહીની હાર થઈ છે તેવો પ્રશ્ર્ન પૂછી કૉંગ્રેસના ઘમંડી કથન પર પલટવાર કર્યો હતો. 55-60 વર્ષ સુધી દેશ પર રાજ કરનારો પક્ષ (કૉંગ્રેસ) 17 રાજયમાં એક બેઠક પણ નહીં મેળવી શકયો.

તેમણે કહ્યું કે, જે લોકો હારી ગયા છે, જેમનો ઘમંડ તૂટ્યો છે. તેઓ જનતાનો આભાર નહીં માનશે પણ હું તો જનતા જનાર્દનનો આભાર માનું છું. એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા કરવા તો આવો તેમ તેમણે કહ્યું હતું. ચૂંટણીકીય સુધારાઓ કરવા જોઈએ અને થતા રહેવા જોઈએ. જે લોકો પોતાની ખામીઓ બાબતમાં વિચાર નથી કરવા માગતા તેઓ ઈવીએમને દોષ દઈ રહ્યા છે. તમે વિજય પચાવી નથી શકતા અને હાર સ્વીકારી નથી શકતા, તે દર્શાવે છે કે તમારામાં કંઈક ખામી છે. એક રાષ્ટ્ર, એક ચૂંટણીથી લોકોમાં ગૂંચવાડો ઊભો થતો નથી તેવું સમજાવતા તેમણે કહ્યું હતું કે, ઓડિશામાં વિધાનસભામાં અને લોકસભામાં જુદા જુદા પક્ષ જીત્યા છે.

તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિવેદન યાદ અપાવ્યું હતું. જેમણે કહ્યું હતું કે, વિપક્ષને વિરોધ કરવાનો હક્ક છે, પણ ગૃહનું કામકાજ ખોરવી કાઢવાનો હક્ક નથી. મોદીએ કહ્યું કે, રાજયસભામાં કાર્યવાહી ખોરવી નાખનારાઓને પ્રજાએ સજા (મત નહીં આપવીને) આપી છે. કૉંગ્રેસના એક નેતાએ રાજયસભામાં કહ્યું હતું કે, ‘અમને ન્યૂ ઈન્ડિયા નહીં પણ ઑલ્ડ ઈન્ડિયા’ આપો તેનો જવાબ આપતા મોદીએ સામો પ્રશ્ર્ન કર્યો કે, ‘જ્યાં કેન્દ્રીય પ્રધાનમંડળના નિર્ણય પત્રકાર પરિષદમાં ફાડી નાખવામાં આવતા હતા. સંરક્ષણ સોદાઓમાંથી મળેલા લાભથી પિકનિક થતી હતી શું તેવું ‘ઑલ્ડ ઈન્ડિયા’ જોઈએ છે? ઝારખંડમાં મોબલિન્ચિંગથી માર્યા ગયેલા યુવાન બાબતમાં દુ:ખ વ્યક્ત કરતા મોદીએ કહ્યું કે, ગુનેગારોને કડક સજા થશે પણ સમગ્ર ઝારખંડને દોષ આપવો જોઈએ નહીં.

‘આસામ કરાર’ દરમિયાન ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન (એનઆરસી) સ્વીકાર કર્યો હતો તે યાદ અપાવતા મોદીએ કહ્યું કે, આ મુદ્દો અમારે માટે રાષ્ટ્રીય સુરક્ષાનો છે, વૉટબેંકનો નથી. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ વડા પ્રધાન બનતે તો કાશ્મીરનો પ્રશ્ર્ન નહીં રહેતે તેવું યાદ અપાવતા મોદીએ કહ્યું કે, સરદાર કૉંગ્રેસના નેતા હતા આથી કૉંગ્રેસના સભ્યોએ ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ની મુલાકાત એક વાર તો લેવી જ જોઈએ. બિહારમાં ‘મગજના તાવ’થી બાળકોના મૃત્યુ બાબતમાં તેમણે કહ્યું હતું કે, તે ખૂબ જ દુ:ખદ છે અને શર્મનાક છે.

June 27, 2019
sandesara.jpg
1min8180

નાઈજિરિયામાં ઓઈલરિગ, જહાજ, જેટ વિમાન અને લંડનમાં ફ્લેટ સહિતની 9778 કરોડ રૂપિયા મૂલ્યની સંપત્તિ પર ઈડી દ્વારા ગુજરાતની કંપની સ્ટર્લિંગ બાયોટેક સામેના મનિલોન્ડરિંગ કેસના સંબંધમાં ટાંચ મૂકવામાં આવી હતી.

ઈડી દ્વારા આ પ્રકારની સંપત્તિ પર ટાંચ મૂકવાનો સૌથી મોટો ઓર્ડર છે, જેનું કુલ મૂલ્ય 9778 કરોડ રૂપિયા છે. મોટા ભાગની સંપત્તિ વિદેશમાં છે. ઈડીએ એક નિવેદનમાં કહ્યું કે નાઈજિરિયામાં ચાર ઓઈલરિગ, ઓએમએમ 143 નામનું ઓઈલફિલ્ડ, પનામામાં નોંધાયેલા ચાર જહાજ તુલજાભવાની, વરિન્ડા, ભાવ્યા અને બ્રહ્માણિટેક, અમેરિકામાં નોંધાયેલું ગલ્ફસ્ટ્રીમ જેટ અને લંડનમાં એક ફ્લેટ વિગેરે પર ટાંચ મૂકવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મનિલોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઈડીએ ટાંચ મૂકવા અંગેનો પ્રોવિઝનલ ઓર્ડર બહાર પાડ્યો હતો. કંપનીની વિદેશમાંની સંપત્તિ સહિત 9778 કરોડ રૂપિયા મૂલ્યની સંપત્તિ ટાંચમાં મૂકવામાં આવી છે. આંધ્ર બૅંક સહિત બૅંકોના એક જૂથ પાસેથી કંપનીએ 5000 કરોડ રૂપિયાથી વધુની લોન મેળવી હતી અને તે લોન એનપીએ (નોન પર્ફોર્મિંગ એસેટ) બની હતી એટલે કે ચૂકવવામાં આવી ન હતી. આ રકમ 8100 કરોડ રૂપિયા જેટલી થઈ છે. સીબીઆઈની એફઆઈઆર અને ચાર્જશીટના આધાર પર ઈડીએ કથિત બૅંક ફ્રોડ કૌભાંડના સંબંધમાં ક્રિમિનલ કેસ કર્યો હતો. વડોદરાના સાંડેસરા ભાઈઓ કંપનીના પ્રમોટર છે.

સાંડેસરાઓ સામે કેટલાક હાઈપ્રોફાઈલ રાજકારણીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવા અંગે પણ ઈડી અને સીબીઆઈએ તપાસ હાથ ધરી છે. સાંડેસરાભાઈઓએ નાઈજિરિયામાં આશ્રય લીધો છે અને ભારત તેમના પ્રત્યર્પણ માટે પ્રયત્ન કરી રહ્યું છે.

June 25, 2019
englandvsaus.jpg
1min12010

ઓઇન મોર્ગનની ટીમ તેની છેલ્લી મેચની નિષ્ફળતા બાદ તેના કટ્ટર હરીફ ઑસ્ટ્રેલિયા સામે મંગળવારે અહીં રમાનારી મેચમાં પોતાના વર્લ્ડ કપના સંગ્રામને ફરી વિજયના માર્ગે લાવવાના પ્રયાસમાં રમશે.

એશિઝ સિરીઝનાં બે હરીફ રાષ્ટ્રો વચ્ચે લોર્ડ્સના મેદાન પર રમાનારી આ મેચ પર બધાની મીટ હતી, પણ ઈંગ્લેન્ડની ટીમના શ્રીલંકા સામે ૨૦ રનથી થયેલા પરાજય બાદ તેની મહત્ત્વતા વધી ગઈ છે.

england vs ausi world cup માટે છબી પરિણામ

શ્રીલંકા વિરુદ્ધ હેડીંગલી ખાતેની મેચમાં વિજય માટે ૨૩૩ રન કરવાના સાધારણ લક્ષ્ય સામે અંગ્રેજ ટીમના બધા ખેલાડી ૨૧૨ રનમાં આઉટ થઈ ગયા હતા.

ઈંગ્લેન્ડ આ અગાઉ પાકિસ્તાન સામે પણ તેની વિભાગીય મેચમાં હારી ગયું હતું અને શ્રીલંકા વિરુદ્ધ તેની બીજી નિષ્ફળતા છતાં, આયોજક રાષ્ટ્રની ટીમે પોઈન્ટ-કોષ્ટકમાં ટોચની ચાર ટીમમાં પોતાનું સ્થાન સેમી-ફાઈનલ તબક્કામાં પ્રવેશ માટે જાળવી રાખ્યું હતું.

છતાં, વર્લ્ડ કપ પહેલી વાર જીતવાના પ્રયાસમાં ઈંગ્લેન્ડને હવે તેની બાકીની વિભાગીય મેચમાં કોઈ વધુ નિષ્ફળતા ભારી પડી શકે છે.

ઈંગ્લેન્ડની ટીમની ઑસ્ટ્રેલિયા પછી ભારત અને ન્યૂ ઝીલેન્ડ સામે મેચ રમાવાની બાકી છે જે બધી ટીમ સ્પર્ધા જીતવા ફેવરિટ ગણાય છે અને જેઓને અંગ્રેજ ખેલાડીઓએ ૧૯૯૨ પછી વર્લ્ડ કપમાં ક્યારેય પરાજય આપ્યો નથી.

૨૦૧૫ના વર્લ્ડ કપમાં પહેલા રાઉન્ડમાંથી બાકાત થઈ જવાની નિરાશા પછી ઈંગ્લેન્ડની ટીમની વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટના રેન્કિંગમાં ચઢતી મુખ્યત્વે તેની આક્રમક બૅટિંગના પ્રતાપે છે.

ચાર વર્ષના સમય દરમિયાન ઈંગ્લેન્ડે આ સ્તરે સૌથી વધુ જુમલો નોંધાવવાનો બે વાર વિશ્ર્વવિક્રમ કર્યો છે જેમાં ફક્ત ૧૨ મહિના અગાઉ ટ્રેન્ટ બ્રીજ ખાતે ઑસ્ટ્રેલિયાની ટીમ સામે છ વિકેટે ૪૮૧ રનના સ્કોરનો પણ સમાવેશ છે કે જે વર્તમાનમાં વર્લ્ડ રેકોડર્ રહે છે. પણ, શ્રીલંકા સામેની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડની બૅટિંગ સમસ્યારૂપ બની હતી જેમાં મોઈન અલીએ તેની ૧૦૦મી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં રમવાની ઉજવણીમાં છગ્ગો ફટકાર્યા બાદ ફરી બીજા બોલમાં તે ફટકો મારવાના પ્રયાસમાં તે આઉટ થઈ જતા ઈંગ્લેન્ડે ૧૭૦ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.