Slider Archives - Page 260 of 487 - CIA Live

February 8, 2020
coronavirus.jpg
1min5580

ચીનમાં કોરોના વાઈરસના કારણે મરણનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શુક્રવારે એક જ દિવસમાં ૮૬નાં મોત થતાં કુલ આંકડો ૭૨૩નો થયો છે. આ વાઈરસથી ઈન્ફેકશનના કેસ ૩૪૫૪૬ થઈ ગયા છે, એમ ચીનના હેલ્થ મિશને જણાવ્યું હતું. વુહાન બાદ હુબેઈ પ્રાન્તમાં મોત વધી રહ્યા છે. નજીકના હોંગકોંગમાં પણ એક મરણ થયું છે. અમેરિકા-જાપાનમાં પણ આ વાઈરસથી ઘણા મોત થયા હતા.

૬૧૦૧ દર્દી ગંભીર હાલતમાં છે. ૧.૮૯ લાખ લોકો નિગરાની હેઠળ છે. સિંગાપોરમાં ૩૩નાં મોત થયા છે. દર્દીને રીકવરી થતાં હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયા છે એવા ૨૦૫૦ લોકો છે જેેને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.

કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીઓને શોધવા માટે ઘરે ઘરે જઈને તપાસ થઈ રહી છે. અમુક દર્દીઓ આ વાઈરસ વિશે છુપાવતા હોવાની ફરિયાદ પણ આવતી રહી છે. જેઓ સારવારનો ઈનકાર કરે તેને સમજાવવા પોલીસની મદદ લેવાય છે.

News on 8 February

કોરોના વાઈરસ સામે ચીનમા જનયુદ્ધ

ચીનમાં નવા જીવલેણ કોરોના વાઈરસે અત્યાર સુધીમાં ૬૩૭ જણનો ભોગ લેતાં ચીને આ મહામારી વિરુદ્ધ જનયુદ્ધ આરંભ્યું છે.

કોરાના વાઈરસને કારણે ગુરુવારે વધુ ૭૩ જણનાં મોત સાથે ચીનમાં આ મહામારીનો મરણાંક ૬૩૭ પર પહોંચ્યો હતો.

મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના આ વાઈરસના મુખ્ય કેન્દ્ર ગણાતા હુબેઈ પ્રાન્તના હોવાનું ચીનના આરોગ્ય ખાતાના અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું.

કોરોના વાઈરસના ક્ધફર્મ કેસનો આંક ૩૧૦૦૦ને પાર કરી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.

ચીન અને ભારત સહિત વિશ્ર્વના ૨૭ કરતા પણ વધુ દેશ આ વાઈરસની સામે ઝઝુમી રહ્યા છે.

વુહાન અને હુબેઈ પ્રાન્તમાંથી આવતા પ્રવાસીઓને કારણે આ મહામારીનો વ્યાપ વધી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

વિદેશમાં કોરાના વાઈરસના કુલ ૨૨૦ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.

કેરળમાં અત્યાર સુધીમાં કોરાના વાઈરસના ત્રણ કેસ નોંધાયા હોવા વચ્ચે ૬૪૭ ભારતીયને વુહાનમાંથી સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

હુબેઈ પ્રાન્ત અને તેની રાજધાની ગણાતા વુહાન શહેરમાં ગુરુવારે કોરોના વાઈરસને કારણે ૬૯ જણનાં તો જિલિન, હેનાન, ગ્વાન્ગડૉન્ગ અને હૈનાનમ પ્રત્યેકમાં એક જણનું મોત થયું હોવા ઉપરાંત ૩૧૪૩ નવા સેક નોંધાયા હોવાનાં અહેવાલ છે.

ચીનના આરોગ્ય અધિકારીઓએ દેશના શ્રેષ્ઠ આઈસીયુ સ્ટાફ સહિત તબીબી ક્ષેત્રના ૧૧૦૦૦ કર્મચારીઓને વુહાન મોકલ્યા હતા જેમાં ૩૦૦૦ ડૉક્ટર, નર્સ અને ઈન્ટેન્સિવ કૅઅર સ્પેશિયાલિસ્ટનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

February 7, 2020
coronavirus.jpg
1min5430

સમગ્ર વિશ્વને ભરડામાં લઇ રહેલા કોરોના વાઇરસની ભારતમાં ચકાસણી માટે હાલમાં કોરોના વાઇરસના ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી મોકલવામાં આવે છે. પણ હવે અમદાવાદના બી. જે. મેડિકલ કૉલેજમાં જ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમદાવાદ બી. જે. મેડિકલ કોલેજમાં કોરોના વાઇરસને લઈ ટેસ્ટિંગ લેબ પણ ઊભી કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે ભારતના તમામ ઍરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓના સ્ક્રીનિંગ માટે શું વ્યવસ્થા કરી છે તેની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ મોકલી હતી. અમદાવાદમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે ઍરપોર્ટ પર તબીબી સુવિધા ચકાસી સંતોષ વ્યક્ત કર્યો હતો.

કોરોના વાઇરસનો ટેસ્ટ કરી શકાય તે માટે ટૂંક સમયમાં અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજમાં બ્લડ સેમ્પલના ટેસ્ટિંગની સુવિધા ઊભી કરાશે. ટેસ્ટ માટે જરૂરી કીટ ઉપલ્બ્ધ કરવામાં આવશે, જેના કારણે હવે પછી કોરોના વાઇરસના ટેસ્ટ માટે બ્લડનું સેમ્પલ પુણે મોકલવાની જરૂર નહીં પડે.

February 7, 2020
vidaadhar.jpg
1min5740

દેશનાં સાત રાજ્યમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજની અનુમાનિત વસતી કરતાં વધારે આધારકાર્ડ ધારકો હોવાની માહિતી ગુરુવારે રાજ્યસભામાં આપવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન સંજય ધોતરેએ જોકે, આ માટે મૃતક આધારકાર્ડ ધારક જવાબદાર ના હોવાનું જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે અનુમાનિત વસતીગણતરીમાં મૃત્યુ પામેલા લોકોનો પણ હિસાબ રાખવામાં આવ્યો હતો. તેથી એમ કહી શકાય કે વસતીનો અંદાજ લગાવવામાં કોઇ ભૂલ થઇ હોઇ શકે છે.

એવું કોઇ રાજ્ય છે જેમાં રાજ્યની કુલ વસતી કરતાં આધારકાર્ડ ધારકોની સંખ્યા વધારે હોય એવા એક સ્પષ્ટ સવાલના જવાબમાં ધોતરેએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે સાત રાજ્યમાં આમ થયું છે.

અન્ય એક સવાલના જવાબમાં ધોતરેએ જણાવ્યું હતું કે એમ-સીપ્ઝ યોજના હેઠળ સેમીકંડક્ટર એફએબી સ્થાપવા માટે કોઇ પ્રસ્તાવ તેમને મળ્યા નથી.

February 7, 2020
income_tax.png
1min5560

વા વિકલ્પ પ્રમાણે ચૂકવવાપાત્ર ટેક્સની રકમ ગણી શકાય તે માટે આવકવેરા વિભાગે ઈ-કેલક્યુલેટર લૉન્ચ કર્યું છે. આવકવેરા વિભાગની અધિકૃત ઈ-ફાઈલિંગ, વેબસાઈટ પર કેલક્યુલેટર ‘હોસ્ટ’ કરવામાં આવ્યું છે. સામાન્ય નાગરિક (સાઠ વર્ષથી ઓછી વય), વરિષ્ઠ નાગરિક (૬૦-૭૯ વર્ષ), તમામ સ્ત્રોતથી થનારી વાર્ષિક આવક પોર્ટલમાં પંચ કરી શકે છે. પાત્ર ડિડકસન (કપાત) અને એકઝેમ્પશન (રાહત) પણ પંચ કરી તેમની કરપાત્ર રકમ જોઈ શકે છે. આ પછી નવો વિકલ્પ સ્વીકારવો કે કપાત, રાહતવાળો જૂનો વિકલ્પ ચાલુ રાખવો તે બાબતમાં કરદાતાઓ નિર્ણય લઈ શકે છે.

હાલમાં વ્યક્તિગત કરદાતાઓને ૫૦,૦૦૦ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડકશન મળે છે અને વિવિધ બચત યોજનાઓમાં ૧.૫ લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે. નવા વિકલ્પ પ્રમાણે ૨.૫ લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર પાંચ ટકા ટેક્સ લાગુ પડે છે. પાંચ લાખથી સાડા સાત લાખ રૂપિયા પર ૧૦ ટકા, સાડા સાતથી દસ લાખ રૂપિયા પર ૧૫ ટકા, દસ લાખથી સાડા બાર લાખ રૂપિયા પર ૨૦ ટકા, સાડા બાર લાખ રૂપિયાથી પંદર લાખ રૂપિયા સુધી ૨૫ ટકા અને પંદર લાખથી વધુ આવક પર ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે.

ઈ-કેલક્યુલેટરમાં બંને વિકલ્પની સરખામણી કરતો કોઠો ધરાવે છે.

इनकम टैक्स विभाग ने नए टैक्स स्लैब के अनुसार अपने टैक्स का आकलन करने और कितना टैक्स देना होगा इसके जोड़ घटाव के लिए ई-कैलकुलेटर लॉन्च किया है। इस कैलकुलेटर के लिए आपको कही जाने की जरूरत नहीं है क्योंकि यह इनकम टैक्स की साइट पर ही उपलब्ध है। यह कैलकुलेटर और टेबल आपको इनकम टैक्स विभाग की आधिकारिक ई-फाइलिंग वेबसाइट https://www.incometaxindiaefiling.gov.in पर मिल जाएगा। जिसके जरिए आप आराम से अपनी इनकम और टैक्स का जोड़ घटाव कर सकते हैं।

विभाग के अधिकारियों की माने तो इस कैलकुलेटर के जरिए बजट में हुए एलान के मुताबिक जिन लोगों ने नई व्यवस्था को चुना है उनको बिना डिडक्शन और छूट के अपना आईटीआर फाइल करने में मदद मिलेगी। इस कैलकुलेटर में कई ऑप्शन दिए गए हैं। जिसको आपको भरना होगा और फिर इनकम कैलकुलेट होकर आएगी। इसमें पहला ऑप्शन उम्र का है जिसमें तीन कैटेगिरी दी गई है। जिसमें अलग-अलग स्लैब में आने वाले टैक्सपेयर्स इलेक्ट्रॉनिक इनकम टैक्स रिटर्न को फाइल करने के लिए कर सकते हैं

पहला 60 साल से नीचे और दूसरा 60 से 70 साल के बीच और तीसरा 79 साल से उपर। इसके बाद दूसरे नंबर पर अनुमानित वार्षिक आय का ऑप्शन दिया गया है। इसके बाद तीसरा ऑप्शन है कम: छूट / कटौती। इतना करने के बाद आपको कम्पेयर वाले बटन पर क्लिक करना होगा। उसके बाद सब कुछ आपके सामने डिस्प्ले हो जाएगा।

टैक्स स्लैब में हुए हैं बदलाव
वित्त मंत्री निर्मला सीतारमण ने शनिवार को वित्त वर्ष 2020-21 का बजट पेश करते हुए टैक्स स्लैब में बदलाव किए हैं। नई कर व्यवस्था में 2.5 लाख तक की आय पर कोई टैक्स नहीं लगेगा। 2.5 लाख से 5 लाख तक की आय पर 5 फीसदी टैक्स लगेगा। 5 से 7.5 लाख तक आय पर 10 फीसदी का टैक्स लगेगा। पहले 10 फीसदी का स्लैब नहीं था। 7.5 लाख से 10 लाख की आय पर 15 फीसदी टैक्स होगा। 10 लाख से 12.5 लाख की आय पर 20 फीसदी टैक्स होगा। नई टैक्स व्यवस्था के तहत इसमें कोई डिडक्शन शामिल नहीं होगा, जो डिडक्शन लेना चाहते हैं वो पुरानी दरों से टैक्स दे सकते हैं। यानी कि टैक्सपेयर्स के लिए वैकल्पिक व्यवस्था होगी। यह नए स्लैब तब लागू होंगे, जब टैक्सपेयर अपने दूसरे एक्जेम्पशन यानी दूसरे छूट या लाभ को छोड़ेगा।

February 7, 2020
air-india.jpg
1min5940

સરકાર દ્વારા જેનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે આર્થિક કટોકટીમાં સપડાયેલી ઍર ઈન્ડિયાનાં વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ માટે રૂ. ૮૨૨ કરોડનાં લેણાં બાકી હોવાનું માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં જાહેર કરવામાં આવેલી આંકડાઓની યાદીમાં દર્શાવવામાં આવ્યું હતું.

કોમોડોરે લોકોશ બત્રા (નિવૃત્ત) દ્વારા માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ઍર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધીમાં વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ પેટે રૂ. ૮૨૨ કરોડ વસૂલવાનાં બાકી છે. સ્થળાંતર કરાવવાની કામગારી પેટે વધારાના રૂ. ૯.૬૭ કરોડ અને વિદેશી મહાનુભાવોને લાવવા લઈ જવા બદલ રૂ. ૧૨.૬૫ કરોડનાં લેણાં બાકી હોવાનું તેમણે કહ્યું હતું.

વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ હેઠળ ઍર ઈન્ડિયા પ્રમુખ, ઉપપ્રમુખ, રાષ્ટ્રપતિને લાવવા લઈ જવાનું કામ ઍર ઈન્ડિયા કરે છે જેનું બિલ સંબંધિત ખાતા દ્વારા ચુકવવામાં આવે છે.

આ ઓછું હોય તેમ ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં સરકારી અધિકારીઓની ટિકિટ પેટે વસૂલવાની બાકી નીકળતી રકમનો આંક રૂ. ૫૨૬.૧૪ કરોડ હોવાનું તેમણે કહ્યું હતું. આ રૂ. ૫૨૬.૧૪ કરોડમાંથી રૂ. ૨૩૬.૧૬ કરોડ તો છેલ્લાં ત્રણ વરસથી લેવાનાં બાકી છેે, એમ તેમણે કહ્યું હતું. વસૂલી નહીં થઈ શકે તેવી સંભવિત રકમનો આંક રૂ. ૨૮૧.૮૨ કરોડ હોવાનું તેમણે કહ્યું હતું.

February 7, 2020
Christina-Koch_updates.jpg
1min8380

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે લગભગ એક વર્ષ જેટલો લાંબો સમય રહીને ગુરુવારે પૃથ્વી પર પાછી ફરેલી ‘નાસા’ની ક્રિસ્ટીના કૉચે મહિલા અવકાશયાત્રીનો સૌથી વધુ સમય અવકાશમાં રહેવાનો વિક્રમ તોડ્યો હતો.

યુરોપની સ્પેસ એજન્સીની લૂકા પારમિટાનો અને રશિયાની ઍલેકઝાન્ડર સ્કવૉટ્સોવ સાથે અવકાશમાં ૩૨૮ દિવસ રહ્યા બાદ ક્રિસ્ટીનાએ ગુરુવારે કઝાખસ્તાનમાં ઉતરાણ કર્યું હતું.

ક્રિસ્ટીના ગયા વર્ષની ૧૪મી માર્ચે અવકાશમાં ગઈ હતી.

રશિયાના રાસ્કોસ્મોસ સ્પેસ એજન્સીના વડા ડીમિત્રી રૉગોઝીને કહ્યું હતું કે અવકાશયાત્રીઓએ સફળતાપૂર્વક પૃથ્વી પર ઉતરાણ કર્યું હતું અને તમામનું આરોગ્ય સારું છે.

૪૧ વર્ષની ક્રિસ્ટીનાનો જન્મ અમેરિકાના મિશિગનમાં થયો હતો અને તે ઍન્જિનિયર છે.

ક્રિસ્ટીનાએ અગાઉ અવકાશમાં ૨૮૯ દિવસ રહેવાનાં પૅગી વ્હિટસને ૨૮ ડિસેમ્બર ૨૦૧૯ના નોંધાવેલા વિક્રમને તોડ્યો હતો.

પૃથ્વી પર પાછાં ફરવાનો સાડાત્રણ કલાકનો પ્રવાસ શરૂ કરતા અગાઉ પત્રકારોને આપેલી મુલાકાતમાં તેણે કહ્યું હતું કે તે માઈક્રોગ્રૅવિટીનો અનુભવ ગુમાવશે.

ત્રણ વખત અવકાશયાત્રા કરનાર ૫૯ વર્ષની વ્હિટસનને ક્રિસ્ટીનાને તેણે તેની માર્ગદર્શિકા અને આદર્શ લેખાવી હતી.

સમાનવ મંગળ મિશનને ધ્યાનમાં લેતાં ક્રિસ્ટીનાનો મૅડિકલ ડૅટા વૈજ્ઞાનિકો-ખાસ કરીને ‘નાસા’ માટે ખૂબ જ મૂલ્યવાન પુરવાર થશે.

February 6, 2020
bhutan-1280x720.jpg
1min9220

ભૂટાન સરકારે નિયમોમાં ફેરબદલ કરતાં ભારતીય પાસપોર્ટ ધારકો માટે દેશમાં ફ્રી એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

નિયમોમાં ફેરફાર કરતા હવે જૂલાઇ 2020થી ભારતીય ટૂરિસ્ટએ ભૂટાન જવા માટે પ્રતિ દિવસના હિસાબથી 1200 રુપિયા ફી પેટે ભૂટાન સરકારને ચૂકવવા પડશે. ભૂટાને ફી નિયમમાં ફેરફાર ભારત સહિત માલદીવ અને બાંગ્લાદેશથી આવતા ટૂરિસ્ટ માટે પણ કર્યા છે. ભૂટાન જતાં ટૂરિસ્ટમાં 6થી 12 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે પ્રવેશ ફી 600 રુપિયા રહેશે. ભૂટાન સરકાર મુજબ આ પ્રવેશ ફીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી (SDF)કહેવામાં આવે છે.

ભારતીય ટૂરિસ્ટ માટે SDF હેઠળ વસૂલવામાં આવતી ફી, અન્ય દેશોના ટૂરિસ્ટ માટે રાખવામાં આવેલી ફીની સરખામણીએ ઘણી ઓછી છે. અન્ય દેશોના ટૂરિસ્ટએ હવે ભૂટાનમાં પ્રવેશ ફી તરીકે 65 ડોલર એટલે કે 4631 રુપિયા ચૂકવવા પડશે. આ સિવાય તેઓએ 250 ડોલરનું ફ્લેટ કવર ચાર્જ પણ આપવો પડશે. 

February 6, 2020
WeChat-1.jpg
1min11070

575 લોકોનો ભોગ લઇ ચૂકેલા અને વિશ્વના 27 દેશોને ભરડામાં લેનાર કોરોના વાઇરસથી બચવા માટે હજુ સુધી કોઇ અસરકારક દવા વિકસાવી શકાઇ નથી પરંતુ, ચીનના ટેક્નોલોજીસ્ટસએ ભેગા મળીને એવી મોબાઇલ એપ્લિકેશન જરૂર વિકસાવી છે કે જે માહિતી આપે છે કે મોબાઇલ યુઝરની આસપાસ કોરોના વાઇરસગ્રસ્ત લોકો છે કે કેમ, કયા વિસ્તારમાં જવું ને કયા વિસ્તારમાં ન જવું. ત્યાં સુધી કોરોના વાઇરસને ટ્રેક કરે છે કે વાઇરસગ્રસ્ત એપ યુઝર નજીક હોય તો તેનું એક્ઝેટ લોકેશન પણ દર્શાવે છે.

ચીનના વુહાનથી 27 દેશો સુધી ફેલાયેલા મહાવિનાશક ‘કોરોના વાઇરસ’થી બચવા માટે ચાઇનીઝ નાગરિકો હવે વાઇરસ ટ્રૅકિંગ ઍપ્સ વિકસાવી છે.

ચીનની ‘ક્વૉન્ટ અર્બન’ નામની ડેટા મેપિંગ કંપની ‘વીચેટ’ નામની ચેટિંગ ઍપ્લિકેશને ખાસ મિની પ્રોગ્રામ તૈયાર કર્યા છે. આ પ્રોગ્રામ યુઝરને જાણ કરે છે કે આસપાસના કયા વિસ્તારમાં કોરોના વાઇરસના ચેપનો ભોગ બનેલા લોકો છે જેથી યુઝર્સ વધુ કાળજી લઈ શકે અથવા તો ત્યાં જવાનું ટાળી શકે.

ચેટિંગ ઍપ ‘વી ચેટ’એ ‘એપિડેમિક સિચ્યુએશન’ નામનો પ્રોગ્રામ તૈયાર કર્યો છે જે શેન્ઝેન અને ગ્વાંગઝુના દક્ષિણ તરફના વિસ્તારોને આવરી લે છે, જ્યારે ‘કવાંટઅર્બન’નો બ્રાઉઝર આધારિત નકશા પર તૈયાર થયેલો પ્રોગ્રામ એ પ્રોવિન્સનાં અન્ય નવ શહેરોને આવરી લે છે. આ બન્ને પ્લૅટફૉર્મ પર જઈને યુઝર જાણી શકે છે કે પોતાની આસપાસ કયો વિસ્તાર કોરોના વાઇરસથી અસરગ્રસ્ત છે. એ વિસ્તારથી યુઝરનું એક્ઝેક્ટ અંતર પણ દર્શાવવામાં આવે છે જેથી યુઝર એનાથી દૂર જઈને વાઇરસથી બચી શકે અથવા તો અલગ રૂટ પસંદ કરી શકે.

February 5, 2020
icai_logo.jpeg
3min8940

C.A. ફાઉન્ડેશન, ઇન્ટરમિડીયેટ અને ફાઇનલ્સ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન શરૂ : જાણો કેવી રીતે રજિ. થાય ?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી મે 2020માં લેવામાં આવનારી સી.એ. કોર્સની તમામ ત્રણેય સ્તરની પરીક્ષા માટેના ઓનલાઇન આવેદનપત્ર (રજિસ્ટ્રેશન પ્રક્રિયા)નો આરંભ કરી દીધો છે. જે વિદ્યાર્થીઓ મે 2020માં ફાઉન્ડેશન, ઇન્ટરમિડીએટ (જૂનો અને નવો કોર્સ) તેમજ ફાઇનલ્સ (જૂનો અને નવો કોર્સ)ની પરીક્ષા આપવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોને તા.26મી ફેબ્રુઆરી 2020 સુધીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે.

વધુ માહિતી માટે સંપૂર્ણ વિગત સાથેની ફાઇલ ડાઉનલોડ કરો

https://icaiexam.icai.org/Announcements/May_2020_Announcement.pdf

How to apply for ICAI CA May 2020 exam?

1) Open the official website of the ICAI – icaiexam.icai.org and click on Login/Register

Click here to register for ICAI CA May 2020 exam

2) Select your program, enter the seven digits of your registration number, date of birth, email ID, phone number and other details as asked in the form and click on Register

3) Fill the application form and select an exam centre

4) Upload all the documents as asked in the application process

5) Make application fee payment and download the PDF of registration form

6) Make sure your Photo is appearing on the PDF. If not, take a print out of PDF, paste a passport size photo and send it to ICAI. Also, keep a copy of the same with you for future reference

February 5, 2020
gujarateducation.jpg
1min6670

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે સેન્ટ્રલ બોર્ડની શાળાઓની માફક શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ તાકીદે શાળાઓ શરૂ કરી દેવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ચાલુવર્ષ ૨૦૨૦-૨૧થી નવું શૈક્ષણિક વર્ષ તા.૨૦મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જ્યારે ઉનાળુ વેકેશન તા.૪થી મેથી લઇને તા.૭મી જૂન સુધી યથાવત રાખવામાં આવશે. એટલે કે હવે એપ્રિલ માસના પ્રથમ સપ્તાહથી જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવામાં આવશે. 

બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ચાલુ વર્ષ અને હવે પછીના તમામ શૈક્ષણિક વર્ષોમાં એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાનુ રહેશે. મે માસના પ્રથમ સપ્તાહથી લઇને જૂન માસના પ્રથમ સપ્તાહના અંત સુધી એટલે કે પાંચ સપ્તાહનુ વેકેશન યથાવત રાખવાનુ રહેશે. આ પ્રમાણેના દિવસોને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને વ્યવસ્થા કરવા સૂચના આપી દેવામાં આવી છે. પરીક્ષા પૂરી થયા બાદ એપ્રિલમાં શરૂ થનારુ શૈક્ષણિક સત્ર પછીના વર્ષમાં માર્ચ માસ સુધી રહે તે પ્રમાણે કામગીરી કરવાની રહેશે.