Slider Archives - Page 220 of 486 - CIA Live

July 5, 2020
rain-1280x720.jpg
1min5630
Mumbai : A woman crosses the road during rains in Mumbai on Monday. PTI Photo (PTI7_17_2017_000340B)

મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મુંબઈ, ઠાણે અને કોંકણ ક્ષેત્રમાં મેઘકૃપા યથાવત્ રહી છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં રવિવારે સવારથી મેઘો મંડાતા શહેરજનો ખુશખુશાલ થઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી શહેર તેમજ પરાં વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. રાજ્યોના છૂટાછવાયા ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

ભારે વરસાદને પગલે મધ્ય મુંબઈના હિન્દમાતા વિસ્તાર તેમજ પૂર્વનો પરા વિસ્તાર ચેમ્બુર પાણીમાં ગરક થઈ ગયો છે. દક્ષિણ મુંબઈના કાબામાં રવિવાર સવાર સુધીમાં 129.5 એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે સાંતાક્રુઝમાં પણ 200.8 એમએમ વરસાદ નોંધાયો હતો.

મુંબઈ નજીક આવેલા ઠાણે અને સિંધુદુર્ગ સહિત આસપાસના કોંકણ વિસ્તારમાં ભાર વિરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વિદર્ભમાં પણ મેઘ મહેર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. શનિવારે મુંબઈ શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ભારે પવનને પગલે 19 જેટલા સ્થળે ઝાડ પડવાના બનાવ બન્યા હોવાનું બૃહમુંબઈ મ્યુનિ. કોર્પોરેશને જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વરસાદ: ગીર સોમનાથ અને અમરેલીમાં પૂરબહાર

ગુજરાતમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી જારી રહી હતી તેમજ કોડીનારમાં આજે સવાર પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે બપોર સુધીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલી અને દ્વારકામાં પણ જોરદાર ઝાપટાં ચાલુ રહ્યાં હતાં.

રાજ્યમાં આ વર્ષે જૂન મહિનામાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં અમુક જ વિસ્તારોમાં વરસાદ થયો હતો. ગત ૨૩મી જૂન સુધી રાજ્યમાં સરેરાશ ૧૭ ટકા જેટલો વરસાદ પડી ગયો હતો. ૪થી જુલાઇ સુધી સરેરાશ વરસાદની ટકાવારી ૧૬.૮૭ ટકા છે. શુક્રવારે કોડીનારમાં ૬ ઇંચ, અમરેલીના જાફરાબાદમાં ૩.૫ ઇંચ, વાડીયામાં ૨.૫ ઇંચ, બાબરામાં બે ઇંચ, નર્મદાના ડેડીયાપાડામાં બે ઇંચ વરસાદ થયો હતો. છેલ્લા ૧૦ દિવસમાં માત્ર ૨ ટકા સરેરાશ વરસાદ જ થયો છે. અત્યાર સુધી ૧૦૧ તાલુકાઓમાં બેથી ૫ ઈંચ સુધી, ૧૦૩ તાલુકાઓમાં ૫થી ૧૦ ઈંચ સુધી, ૧૮ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધારે જ્યારે ૨૯ તાલુકાઓમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ ્છે. છેલ્લા ૫ વર્ષમાં આ જૂન ૨૩ તારીખ સુધીનો આ સૌથી વધુ વરસાદ હતો. ગત વર્ષે પણ આ સમય સુધી ૧૬ ટકા જેટલો વરસાદ જ થયો હતો.


July 4, 2020
home-isolation-1280x768.jpg
1min4810

મોટી સંખ્યામાં લોકોને કોરોનાના લક્ષણો જોવા મળતા નથી એની નોંધ લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે અસિમ્પ્ટોમિક પોઝિટિવ દર્દીઓને હળવા અથવા પ્રિ-સિમ્પ્ટોમિક કોરોના ચેપના કેસોની સૂચિમાં સમાવવા માટે હોમ આઇસોલેશનની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.

હવેથી હોમ આઇસોલેશનના દર્દીઓને લક્ષણોની શરૂઆતના દસ દિવસ પછી અને ત્રણ દિવસ સુધી તાવ ન આવે તે પછી ડિસ્ચાર્જ આપવામાં આવશે. ત્યાર બાદ તેમને સાત દિવસ હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવશે. હોમ આઇસોલેશન બાદ ટેસ્ટિંગની જરૂર નથી.

દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય મંત્રાલય દ્વારા સમયાંતરે વિવિધ જાહેરાત કરાય છે. આ ઉપરાંત દરેક રાજ્ય પાસેથી મળતા કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા અંગે પણ નોંધ રખાય છે. અમુક રાજ્ય દર્દીઓની સંખ્યા ઘણી મોડી જણાવતા હોવાની ફરિયાદ થઈ રહી છે.

July 3, 2020
modi_inleh.jpg
1min4810

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અચાનક લદ્દાખના લેહની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત જાણકારી ખૂબ જ ઓછા લોકોને હતી. શુક્રવારે સવારે જ્યારે તેઓ લેહ પહોંચ્યા ત્યારે જ લોકોને આ અંગે જાણ થઈ. મોદીના આગમન અગાઉ તે લોકોને ફક્ત એટલી જ જાણકારી હતી કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત જ લેહ આવી રહ્યા છે.


July 2, 2020
neet.jpg
2min7490

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિદ્યાર્થીઓના અનુરોધ અને વિરોધ બાદ જેઈઈ મેઈન અને નીટની પરીક્ષાને સ્થગિત કરી દેવાઈ છે. આ બંનેની પરીક્ષાઓ હવે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરી આ જાણકરી આપી.

પોખરિયાલે ટ્વિટ કરી લખ્યું કે, ‘વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે અમે #JEE અને #NEET પરીક્ષાઓને સ્થિગિત કરવાનો નિર્ણય લીધો છે. JEEની પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર વચ્ચે આયોજિત કરાશે. JEE એડવાન્સ્ડની પરીક્ષા 27 સપ્ટેમ્બર અને NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરે આયોજિત કરાશે.’

Dated 1 July 2020

NEET-JEE અંગે બે દિવસમાં ફેંસલો : ઘણુંખરું પરીક્ષાની તારીખ બદલાવાની સંભાવના

દેશભરના 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ જેની કાગડોળે વાટ જોઇ રહ્યા છે એ એન્જિનિયરિંગની નેશનલ ટેસ્ટ જેઇઇ મેઇન્સ અને મેડીકલ ડેન્ટલની નેશનલ એન્ટ્રન્સ નીટ પરીક્ષા ચાલુ જુલાઇ દરમિયાન લેવી કે નહીં લેવી એ અંગે કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસેથી ભલામણો મંગાવી છે અને આગામી એકાદ બે દિવસમાં નીટ અને જેઇઇ મેઇન્સ પરીક્ષા લેવી કે નહીં તે અંગેની સત્તાવાર જાણકારી સાર્વજનિક કરવામાં આવશે એમ દેશના શિક્ષણ પ્રધાન શ્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે જણાવ્યું હતું.

તેમણે ટ્વીટર, ફેસબુક પર પોતાના હેન્ડલ પર નીટ અને જેઇઇ અંગે આ મુજબની સ્પષ્ટતા મૂકી છે.

HRD Minister on Twitter (Dt. 7.2)

HRD Minister on Facebook (Dt 7.2)

NEET और JEE

मौजूदा परिस्थितियों एवं NEET और JEE परीक्षाओं में उपस्थित होने वाले छात्रों और उनके माता-पिता / अभिभावकों से प्राप्त निवेदन को देखते हुए, डीजी एनटीए एवं अन्य विशेषज्ञों से मिलकर बनी समिति को सलाह दी है कि वे स्थिति की समीक्षा करें और इन परीक्षाओं के बारे में कल तक एमएचआरडी को अपनी सिफारिशें प्रस्तुत करें

Dr.Ramesh Pokhriyal Nishank यांनी वर पोस्ट केले गुरुवार, २ जुलै, २०२०

દેશમાં મોટા ભાગની પરીક્ષાઓ મુલતવી રાખી દેવાઇ છે, નીટ જેઇઇમાં પણ આવું જ થવાની શક્યતા

ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ જેવા રાજ્યોમાં કોવીડ-19ના કેસોની વધી રહેલી સંખ્યા ઉપરાંત સમગ્ર ભારતભરમાં હાલ સરેરાશ 18-19 હજાર દૈનિક કેસો આવી રહ્યા હોઇ, આવી સ્થિતિમાં આગામી તા.18થી 24 જુલાઇ દરમિયાન જેઇઇ મેઇન્સ, અને 26 જુલાઇએ નીટ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવાની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ, હવે દેશની વર્તમાન સ્થિતિ જોતા આ પરીક્ષા યોજી શકાય તેવી સ્થિતિ ન હોઇ, વધુ એક વખત પરીક્ષા મુલતવી રાખીને ભવિષ્યમાં નવી તારીખોનું એલાન કરવામાં આવે તેવી શક્યતા છે.

Latest on CiA Live

July 2, 2020
corona-1.jpg
2min4530

દેશમાં કોરોના વાયરસ બેકાબુ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 24 હજારથી વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 6,73,165 પર પહોંચી ગઈ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 24,850 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત કોરોનાને કારણે 613 લોકોના મોત થયા છે જેને કારણે હવે મૃત્યુઆંક વધીને 19,268 પર પહોંચી ગયો છે. 

દેશમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 60.77 ટકા પર પહોંચી ગયો છે જે એક રાહતના સમાચાર છે. આ જીવલેણ વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,09,083 પર પહોંચી ગઈ છે. 

ઈન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ, 4 જુલાઈના રોજ 2,48,934 લોકોની ટેસ્ટિંગ કરવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધી 97,89,066 લોકોના ટેસ્ટ કરાયા છે. 

4 July India Corona Outbreak : 24 કલાકમાં કોરોનાના 20,903 કેસ

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. બે મહિનાના સખત લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 648315 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 22771 નવા કેસ નોંધાયા છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 60.80 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 14335 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 394227 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 442 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 18655 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 235433 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 192990 કેસ નોંધાયા છે જ્યારે 8376 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 102721 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 1385 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 94695 કેસ નોંધાયા છે જ્યારે 2864 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 34688 લોકો સંક્રમણમાં આવ્યા છે 1906 લોકોના મોત થયા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 11072276 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 525119 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 5863682 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 4683475 કેસ એક્ટિવ છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ચોથા ક્રમાંક પર છે.

2 જુલાઇના એક જ દિવસમાં 22000 કેસો

ભારતમાં કોરોના વાયરસના કારણે થતા મોતનો આંકડો ગુરુવારે 18,000ને પાર થઈ ગયો, આ સાથે નવા પોઝિટિવ કેસના આંકડામાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. દેશમાં 22,000 કરતા પણ વધારે નવા કેસ નોંધાયા છે, એટલે કે 27મીએ નોંધાયેલા 20,060 કરતા 2000 વધુ કેસ સામે આવ્યા છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6,330 કેસ નોંધાયા, આ પછી તામિલનાડુમાં 4,343, કર્ણાટકામાં 1,502 અને તેલંગાણામાં 1,213 કેસ નોંધાયા છે.

આ સિવાયના રાજ્યોની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં 845, ઉત્તરપ્રદેશમાં 817, ગુજરાતમાં 681 અને બિહારમાં 478 કેસ નોંધાયા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વધુ 646 અને આસામમાં 408 કેસ નોંધાયા છે.

કોરોના વાયરસના કારણે દેશમાં મૃત્યુઆંક 17,000ને પાર કર્યાના બે દિવસમાં આંકડો 18,000 થઆ ગયો છે, ગુરુવારે 379 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા. લગભગ 3000 જેટલા (2,917) લોકોએ પાછલા સાત દિવસમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.

Dated 1 July 24 કલાકમાં 19,148 નવા કેસ : 434ના મોત

દેશમાં કોરોના વાયરસ બેકાબુ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમમાં દેશમાં 19,148 નવા કેસ સામે આવ્યા છે. ત્યાંજ આ જીવલેણ બીમારીને કારણે એક જ દિવસમાં 434 દર્દીઓના મોત થઈ ગયા છે. ભારતમાં કોરોના વાયરસના કેસની કુલ સંખ્યા 6,04,641 થઈ ગઈ અને 17,834 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં અત્યારે કોરોના વાયરસના 2,26,947 એક્ટિવ કેસ છે. સાથે જ અત્યાર સુધી  3,59,860 દર્દી સાજા થઈ ગયા છે. 

આઈસીએમઆરના જણાવ્યા મુજબ, એક જુલાઈ સુધી દેશમાં કુલ 90,56,173 સેમ્પલ લેવામાં આવ્યા છે. ગઈ કાલે લગભગ 2,29,588 લોકોની ટેસ્ટિંગ કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસમાં લગભગ બે લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. 

July 2, 2020
rofl_jets.jpg
1min4770
File Photo of First Rofl Jet plane delivery time

ચીન સાથે સરહદે ભારે તંગદીલી વચ્ચે ભારતને ફ્રાંસ પાસેથી અવકાશી યોદ્ધા રાફેલ યુદ્ધ વિમાનો મળવા જઈ રહ્યાં છે. આ યુદ્ધ વિમાનો ભારતને આગામી મહિને જ મળી જશે. પહેલા તબક્કામાં ચારના બદલે કુલ છ રાફેલ ભારતને મળશે અને તે પણ ફૂલ લોડેડ હશે. આ વિમાનો સૌથી પહેલા ગુજરાતના જામનગર એરબેઝ પર આવશે જ્યાં મુહૂર્ત પણ થશે.

ભારતમાં રાફેલ પહેલાં જામનગર ખાતે લેન્ડિંગ કરશે. જ્યાં કસ્ટમ વિધિ પૂરી થયા બાદ વિમાન ફરી ઉડાન ભરીને અંબાલા એરબેઝ ખાતે પહોંચશે. રાફેલનો સમાવેશ એરફોર્સની ગોલ્ડન એર સ્કવોડ્રનમાં કરાયો છે. મી સ્ટિલ્થ ટેકનોલોજીથી સજ્જ અને હવામાંથી હવામાં માર કરતી દુનિયાની સૌથી ખતરનાક અને સૌથી લાંબી રેન્જ ધરાવતી મિટિયોર મિસાઈલ્સ સહિતના શસ્ત્રોથી સજ્જ રાફેલ વિમાનોના આગમનથી ભારતીય વાયુસેનાની તાકાત બમણી થશે. પહેલાં ફ્રાન્સ ભારતને ચાર વિમાનોની ડિલિવરી આપવાનું હતું. જેમાંથી ચાર ડબલ સીટ ધરાવતા ટ્રેનર એરક્રાફ્ટ હતા. જોકે હવે ફ્રાન્સ ભારતને ૬ વિમાનો આપશે અને તે પણ લડાઈમાં તરત ઉતારી શકાય તેવી સ્થિતિમાં હશે. ફ્રાંસથી જ રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનાના પાઈલોટસ ઉડાવીને લાવશે. આ પાયલટો હાલમાં વિમાનની તાલીમ ફ્રાન્સમાં જ લઈ રહ્યા છે. વિમાનોને ભારત લાવવા માટે પણ ભારે પ્લાનિંગ ચાલી રહ્યુ છે. કારણ કે ફ્રાન્સથી ભારત વચ્ચે રાફેલ વિમાન દુનિયાના સંખ્યાબંધ દેશોમાંથી પસાર થશે. આ દરમિયાન વિમાન પ્રતિ કલાક ૧૦૦૦ કિલોમીટર ઝડપથી ઉડાન ભરશે. ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ અડધા રસ્તા સુધી ફ્રાન્સનું હવામાંથી હવામાં ફ્યુલ ભરી શકતું વિમાન સાથે રહેશે. રાફેલ વિમાન બે વખત ફ્યુલ ભરવા ઉતરાણ કરશે.

July 2, 2020
googlechrome-1280x720.jpeg
1min5350

ગુગલ ક્રોમના ૧૦૦થી વધુ ઍક્સ્ટેન્શન્સ યુઝર્સની ગુપ્ત અને મહત્ત્વની માહિતી ભેગી કરતા હોવાની વાત જાણ્યા બાદ કંપનીએ એમને કાઢી નાખ્યા હોવાથી આવા ઍક્સ્ટેન્શન્સ ઇન્સ્ટોલ કરવા અગાઉ ઇન્ટરનેટ વાપરનારાએ સાવધાની વર્તવી જરૂરી છે.

ભારતના સાઇબર સ્પેસનું રક્ષણ કરતી અને સાઇબર હુમલાને ખાળવાનું કામ કરતી સરકારી સંસ્થા સીઇઆરટી-ઇનએ જણાવ્યું હતું કે આ ઍક્સ્ટેન્શન્સ ગુગલ ક્રોમના વૅબ સ્ટોરના સુરક્ષા સ્કૅનને બાયપાસ કરી શકે એવા કોડ ધરાવે છે.

ગુગલે ગુગલ ક્રોમ બ્રાઉઝરના ૧૦૬ ઍક્સ્ટેન્શન્સ કાઢી નાખ્યા છે. આ ઍક્સ્ટેન્શન્સ મોબાઇલ સ્ક્રિનના સ્ક્રિનશૉટ્સ લઇ શકે છે, મોબાઇલની માહિતી વાંચી શકે છે અને તમારા કિ સ્ટ્રોકની મદદથી તમારા પાસવર્ડને પણ ડિકોડ કરી શકે છે.

જો લોકોએ આવા કોઇ ઍક્સ્ટેન્શન્સ ઇન્સ્ટોલ કર્યા હોય તો એને અનઇન્સ્ટોલ કરવાની સલાહ આપવામાં આવી છે. 

July 2, 2020
coronil.jpg
1min4800

કેન્દ્રીય આયુષ મંત્રાલયે બાબા રામદેવની પતંજલિ કંપનીને ‘કોરોનીલ’ની દવા રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે.

બાબા રામદેવએ આ દવાને કોવિડ-૧૯ની દવા તરીકે જાહેરાત કર્યા બાદ આયુષ મંત્રાલયે હંગામી ધોરણે એની જાહેરાત અને વેચાણ પર પ્રતિબંધ લાદ્યો હતો. પતંજલિએ આ મામલે એવો દાવો કર્યો હતો કે એમણે કોવિડ-૧૯ના સંચાલન પર કામ કર્યું હોવાની વાત તાર્કિક રીતે આયુષ મંત્રાલયે સ્વીકારી છે અને એમની કંપની વચ્ચે કોઇ મતભેદ નથી. બાબા રામદેવે જણાવ્યું હતું કે હું લોકોને જણાવવા માગુ છું કે આ દવાના વેચાણ પર હવે કોઇ પ્રતિબંધ નથી. આજથી એ દેશભરમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

આયુષ મંત્રાલયે એમને કોવિડ ટ્રીટમેન્ટને બદલે કોવિડ સંચાલન શબ્દ વાપરવા જણાવ્યું છે અને તેઓ એવું જ કરશે.

આયુષ મંત્રાલયે આ દવાના વેચાણ માટે પરવાનગી આપી હોવાની વાત સ્વીકારતા જણાવ્યું હતું કે એમણે આ દવા કોરોનાની દવા તરીકે નહીં, પણ રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે.

July 2, 2020
corona-gujarat.jpg
2min4640

છેલ્લા ચોવીસ કલાકમાં ૮૪૮૧ ટેસ્ટ થકી નવા વિક્રમી ૭૧૨ પોઝિટિવ દર્દીઓને શોધવામાં સફળતા મળી હોવાનો રાજ્યના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે અલબત્ત, સારવાર હેઠળ રહેલા ૨૧ દર્દીઓએ જાન ગુમાવ્યો છે.

આમ છતાં સરકારનો દાવો છે કે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણાં ઓછા પોઝિટિવ કેસ નોંધાય છે. પરંતુ હકીકત એ છે Fકે જિલ્લાઓ, તાલુકાઓમાં નોંધાતા કેસને ગાંધીનગરના સરકારી ચોપડે ઉમેરવામાં ‘કન્ટ્રોલ્ડ’ પ્રોસીઝર અપનાવાય છે. આને કારણે સુરતમાં રોજેરોજ નોંધાતા કેસ અને મૃત્યુના સ્થાનિક આંકડા તેમજ આરોગ્ય વિભાગના બુલેટીનમાં ઘણો ફેર રહે છે એમ છતાં શનિવારે સુરતે અત્યાર સુધીનો સૌથી વધારે કેસનો વિક્રમ સર્જ્યો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાં ૨૦૧ કેસ અને ચાર દર્દીના મૃત્યુ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બાવન કેસ જાહેર કરાયા છે. આમ, સુરતનો કુલ કેસનો આંક ૨૫૩ રહ્યો છે. આજ રીતે અમદાવાદ શહેરમાં બે મહિના પછી પોઝિટિવ દર્દીનો આંક ૧૬૫ સુધી સીમિત રહ્યો છે. જ્યારે ગ્રામ્યનો આંક ૭ કેસનો રહ્યો છે. આમ, કુલ કેસ ૧૭૨ થાય છે અને મહાનગરમાંથી સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી ૯ દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે.

સુરતની જેમ સૌથી મોટો આંક મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૧ કેસ મહાનગરના અને ૩૬ કેસ જિલ્લાના નોંધાયા છે. છેલ્લા બે દિવસથી સતત વધી રહેલા કેસને અન્યથા લઇ ધીમે ધીમે સરકારી ચોપડે દર્શાવાતા હોવાની ચર્ચા લોકમુખે શરૂ થઇ છે એની પાછળનું કારણ પાંચ દર્દીઓના એક જ દિવસે થયેલા મૃત્યુ છે. આ મૃત્યુને ત્રીજા દિવસે જાહેર કરાયા છે આજે રાજકોટ મહાનગરમાં ચાર દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે. આ વાસ્તવમાં ત્રણ દિવસ પૂર્વે જાહેર થયા હતા.

આ જ પ્રમાણે, અન્ય મહાનગરો, જિલ્લાઓમાં પ્રવર્તી રહ્યું છે. ગઇકાલે જૂનાગઢમાં આઠ કેસ બપોર સુધીમાં જાહેર થયેલા હતા. આ પછી સાંજે વધુ ૨૫ કેસ જાહેર થયા હતા. પરંતુ આજેય સરકારી ચોપડે ૧૦ કેસ જ જાહેર થયા છે. એમાં નવ કેસ મહાનગરના અને એક કેસ ગ્રામ્યનો છે. આવું જ અન્ય જિલ્લાઓમાં જાહેર થતાં પોઝિટિવ કેસ અને રાજ્ય સરકારના ચોપડે દર્શાવાઇ રહ્યું છે.

Gujarat on 4/7 : 689 કેસ : CM-DyCM સુરતમાં

રાજ્યમાં કોરોનાના કેસો રોજેરોજ નવી સપાટી કૂદાવી રહ્યા છે. શુક્રવારે રાજ્યમાં કોરોનાના નવા 689 દર્દી નોંધાયા છે. જ્યારે 340 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના લીધે વધુ 18 દર્દીનાં મોત થયા છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના 204-204 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના લીધે 10 અને સુરતમાં 5 દર્દી કોરોનાનો ભોગ બન્યા છે. રાજ્યમાં હાલમાં અઢી લાખ કરતા વધુ લોકો કોરેન્ટાઇન કરવામાં આવેલા છે.

રાજ્યમાં 3 July 2020 કોરોનાના નવા 687 દર્દી નોંધાયા છે અને 340 સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 395873 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નોંધાયેલા નવા 687 કેસોનો નવો વિક્રમ છે. રોજેરોજ કેસોનો આંકડો નવા વિક્રમો સ્થાપી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ સમગ્ર રાજ્યના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

3 July 2020 નોંધાયેલા નવા 687 કેસો પર નજર નાખીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 195 કેસ અને જિલ્લામાં 9 કેસ મળી કુલ 204 કેસ નોંધાયા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં 190 કેસ અને જિલ્લામાં 14 કેસ મળી કુલ 204 કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરત પછી વડોદરા કોર્પોરેશનમાં 50 કેસ અને જિલ્લામાં 12 કેસ મળી કુલ 62 કેસ થયા છે. આ ઉપરાંત જૂનાગઢમાં 26 કેસ, ખેડામાં 14, સુરેન્દ્રનગરમાં 14, ભરૂચમાં 13, પંચમહાલમાં 13, જામનગરમાં 13, ભાવનગરમાં 21, ગાંધીનગરમાં 16 કેસ નોંધાયા છે.

Gujarat on 3/7 : 681 કેસ : સુરતમાં વકરી રહેલી સ્થિતિ

રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ ધીરે ધીરે કોરોના વાયરસ માથું ઉચકી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 681 નવા કેસ નોંધાયા છે તો વધુ 563 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 7510 થયો છે.

રાજ્યમાં 2 July તારીખે કુલ એક્ટિવ કેસનો આંકડો 7510 જેમાથી 68 દર્દીઓ વેન્ટીલેટર પર અને 7442 સ્ટેબલ દર્દીઓ છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 24601 લોકોને ડીસ્ચાર્જ અને 1888 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

2 July : સતત પાંચમા દિવસે કોરોનાના 600+ Cases, કુલ 33318

અનલોક-2 પછી પણ કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતા છે. મહામારીના સમયમાં ભારતમાં સતત 8 દિવસથી રોજ 15000 ઉપર કેસ આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ 24 કલાકમાં સતત પાંચમા દિવસે 600થી વધુ એટલે કે 675 કેસ સામે આવ્યા છે. જેથી હવે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 33318 પણ થઈ છે.

રાજ્યમાં 24 કલાકમાં 675 નવા કેસ નોંધાયા છે તો વધુ 368 દર્દીઓ પણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 3,80,640 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 7411 થયો છે અને 73 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 7348 દર્દીઓની હાલત સ્થિર છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,50,357 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 2,47,067 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીન છે અને 3290 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ખેડા અને અમરેલીમાં 1-1, અમદાવાદ કોર્પોરેશનમાં 8, અરવલ્લી અને બનાસકાંઠામાં 1-1, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન અને ભરુચમાં 1-1 તેમજ દાહોદ અને દેવભૂમિ દ્વારકામાં પણ 1-1 એમ કુલ 21 લોકો સંક્રમણના કારણે મોતને ભેટ્યા હતાં. જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 1869 થયો છે.

July 1, 2020
corona-gujarat.jpg
1min5110

ગુજરાતમાં કોરોનાની તવારિખમાં પહેલી વખત સૌથી સંક્રમિત અમદાવાદને પાછળ રાખી સુરત ટોપ ઉપર પહોંચ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં વધુ ૬૨૦ પોઝિટિવ કેસ મળ્યા છે અને ૨૦ કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ થયા છે એમાં સુરત ૧૯૯ કેસ સાથે ટોપ ઉપર પહોંચ્યું છે અને વધુ ચાર દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ૧૫ સહિત કુલ કેસ ૧૯૭ થયા છે. અલબત્ત, ચોવીસ કલાકમાં વધુ ૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે. સુરત પછી ધીમે ધીમે વડોદરામાં પણ સંક્રમણ બેકાબુ સ્તરે પહોંચી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બાવન દર્દી પોઝિટિવ મળ્યા છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે.

અમદાવાદ મહાનગરમાં સૌથી વધારે ૧૮૨ કેસ મળ્યા છે એમાં પશ્ચિમ, ઉત્તરપશ્ચિમ વિસ્તારના કેસ વધારે છે જ્યારે મધ્ય ઝોનમાંથી સીંગલ ડિજીટમાં કેસ આવ્યા છે. આને પગલે હવે માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયામાં દર સપ્તાહે ફેરફાર થઇ રહ્યા છે. આ જ રીતે ગ્રામ્યમાં ૧૫ કેસમાં સૌથી વધારે માંડલમાંથી ૬, સાણંદ ૪, બાવળા ૨, દસક્રોઇ, દેત્રોજ અને વિરમગામમાંથી એક એક કેસ મળ્યા છે. ગાંધીનગરમાં પણ મહાનગરમાંથી કેસ નહીવત થયા છે, પરંતુ તાલુકાઓમાં વાવોલ, સરઢવ, કોબા સહિત ગાંધીનગર તાલુકામાંથી ચાર, દહેગામમાં ૧, માણસામાં ૫ અને કલોલમાંથી ૫ કેસ મળ્યા છે જ્યારે ગાંધીનગરના બે દર્દીના મૃત્યુ થયા છે.

ઉત્તર ગુજરાતમાં જોઇએ તો પાટણમાં એક સાથે વધુ ૧૧ કેસ મળ્યા છે એમાં પાટણ નગર, સિદ્ધપુર, રાધનપુરના પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોનું સંક્રમણ મળ્યું છે. મહેસાણામાં નવા ૭ કેસમાં કડી, બેચરાજી અને મહેસાણાના કેસ છે. બનાસકાંઠામાં પાલનપુરનો એક કેસ છે. સાબરકાંઠામાં પ્રાંતિજ, ઇડર અને હિમતનગરમાંથી ચાર કેસ આવ્યા છે. અરવલ્લીના મોડાસામાંથી પાંચ કેસ ઉમેરાયા છે.

વલસાડમાં ફરીથી સંક્રમણ વધ્યું હોય એમ વાપી, પારડી, વલસાડમાંથી એક સાથે વીસ કેસ ઉમેરાયા છે. ભરૂચમાં જંબુસર, ઝગડિયા, વાગરામાંથી આઠ કેસ મળ્યા છે. ખેડા-આણંદમાં બાલાસિનોર, ખંભાત, નડીયાદ, ઉમરેઠ, ડાકોર જેવા વિસ્તારોમાં હવે સંક્રમણ પહોંચી ગયું છે.

અન્ય મહાનગરો, જિલ્લાની સ્થિતિ જોઇએ તો જામનગર કુલ ૧૮ કેસ, ગાંધીનગરમાં ૧૬ નવા કેસ અને ૨ દર્દીના મૃત્યુ, જૂનાગઢમાં કુલ ૭ કેસ અને એક દર્દીનું મૃત્યુ, ભાવનગર અને રાજકોટમાં અનુક્રમે કુલ કેસ આઠ અને છ નોંધાયા છે. જિલ્લાઓમાં ફરીથી વલસાડમાં ૨૦ નવા કેસ સાથે સ્થિતિ વધારે બગડી રહી છે. આ સિવાય આણંદમાં ૧૪, પાટણ ૧૧ અને એક મૃત્યુ, કચ્છ ૯, ભરૂચ ૮, મહેસાણા ૭, ખેડા ૬, અરવલ્લી અને પંચમહાલ ૫-૫, બનાસકાંઠા, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ૪-૪,  ગીરસોમનાથ, પોરબંદર, અમરેલીમાં ૩-૩, મહીસાગર, નવસારી, મોરબીમાં ૨-૨ કેસ મળ્યા છે જ્યારે નવસારીમાં એક દર્દીનું મૃત્યુ પણ નોંધાયું છે. બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને અન્ય રાજ્યના એક એક કેસ નવા ઉમેરાયા છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર શહેર ઉપરાંત પાટડી અને ધ્રાંગધ્રામાંથી નવા ચાર કેસ, બોટાદમાંથી ચાર, અમરેલીમાં સાવરકુંડલામાંથી મળી ત્રણ કેસ, રાજકોટમાં ધોરાજીમાંથી એક કેસ, મહાનગરમાંથી પાંચ કેસ મળ્યા છે. જામનગર મહાનગરામાંથી પંદર કેસ મળતાં ચકચાર મચી ગઇ છે એની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારના ત્રણ કેસ આવ્યા છે. જૂનાગઢમાં એકાએક સંક્રમણે માથુ ઉચક્યું છે મહાનગરમાંથી વધુ પાંચ કેસ મળ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી એક નવો કેસ આવ્યો છે. ભાવનગરમાંથી પાંચ અને ગ્રામ્યના ત્રણ કેસ નવા ઉમેરાયા છે.

આમ, રાજ્યમાં કુલ કેસ આ સાથે રાજ્યના કુલ કેસનો આંક વધીને ૩૨૬૪૩ થયો છે જ્યારે ચોવીસ કલાકમાં વધુ ૬૧૯ ડિસ્ચાર્જ થતાં કુલ સંખ્યા ૨૩૬૭૦ થઇ છે. ૧૮૪૮ દર્દીના મૃત્યુ અત્યાર સુધીમાં નોંધાયા છે. હાલ એક્ટિવ કેસનો આંક ૬૯૨૮ થયો છે એમાં ૭૧ વેન્ટીલેટર ઉપર છે અને ૬૮૫૭ સ્ટેબલ છે.