CIA ALERT

Slider Archives - Page 203 of 486 - CIA Live

August 20, 2020
CIA_Live_Logo_New2.jpg
1min4890

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને તા.19મી ઓગસ્ટને બુધવારે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જમીન સુધારણા અંગે કરાયેલા અનેક નિર્ણયોમાં એક નિર્ણય રાજ્યના શિક્ષણ ક્ષેત્રને સ્પર્શતો મહત્વનો નિર્ણય છે અને એ એ છે કે રાજ્યમાં હવે ગમે ત્યાં શિક્ષણના હેતુ માટેની ખેતી વિષયક જમીન ખરીદવા માટે જે તે જિલ્લાના કલેક્ટરની પૂર્વમંજૂરીની આવશ્યક્તા રહેતી નથી.

ગુજરાત કેબિનેટના આ નિર્ણય મુજબ સમગ્ર રાજ્યમાં હવે, કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડીકલ કોલેજ, ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી નહિ લેવી પડે. શૈક્ષણિક હેતુ માટે જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે.

અત્યાર સુધી શૈક્ષણિક હેતુ માટેની જમીન ખરીદી માટે બિન ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ કલીયરન્સ, ઇન્સપેકશન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે આ નવી વ્યવસ્થામાં અંત આવશે.

રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝ માટે જો જમીન ખરીદી હોય પરંતુ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શકય ન હોય તેવા કિસ્સામાં GDCRની જોગવાઇઓ મુજબ ઊદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ જમીન વેચી શકાશે.

આવી જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર, જોઇન્ટ વેન્ચર, એમાલગ્મેશન કે પોતાની જ પેટા કંપની, ગૃપ કંપની અથવા સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીન વેચાણ ગણવામાં આવશે નહિ આ વ્યવહારોમાં જંત્રીની માત્ર ૧૦ ટકા કિંમત-પ્રિમીયમ ભરીને તબદીલ થઇ શકશે. ડેટ રીકવરી-દેવા વસુલી, NCLT, લીકવીડેટર કે નાણાંકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજી હુકમના ૬૦ દિવસ માં જંત્રીના ફકત ૧૦ ટકા પ્રિમીયમ ભરવાનું રહેશે.

August 20, 2020
swachh.jpg
3min5360
POSITIONSTATE NAMEULB NAMESCORE
#1Madhya PradeshIndore5647.56
#2GujaratSurat5519.59
#3MaharashtraNavi Mumbai5467.89
#4ChhattisgarhAmbikapur5428.31
#5KarnatakaMysore5298.61
#6Andhra PradeshVijayawada5270.32
#7GujaratAhmedabad5207.13
#8DelhiNew Delhi (NDMC)5193.27
#9MaharashtraChandrapur_M5178.93
#10Madhya PradeshKhargone5158.36
#11GujaratRajkot5157.36
#12Andhra PradeshTirupati5142.76
#13JharkhandJamshedpur5133.2
#14Madhya PradeshBhopal5066.31
#15GujaratGandhinagar5056.72
#16ChandigarhChandigarh4970.07
#17Andhra PradeshGVMC Visakhapatnam4918.44
#18MaharashtraDhule4896.99
#19ChhattisgarhRajnandgaon4887.5
#20ChhattisgarhBilaspur4875.74
#21GujaratVadodara4870.34
#22Madhya PradeshUjjain4826.53
#23ChhattisgarhRaigarh4808.37
#24Madhya PradeshBurhanpur4791.18
#25MaharashtraNashik4729.46
August 20, 2020
corona_india.jpg
1min13010

દેશમાં બુધવારે કોરોના વાયરસના નવા નોંધાયેલા કેસોએ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે, દેશમાં પહેલીવાર 70,000 કરતા વધારે કેસ એક જ દિવસમાં નોંધાયા છે. વધુ 70,101 કેસ સાથે કુલ કેસનો આંકડો 28 લાખને પાર કરીને 28,33015 થયો છે. આ સાથે 979 નવા કેસ નોંધાયા છે, જેની સાથે કુલ મૃત્યુઆંક 53,929 થયો છે.

દેશમાં તાજા કેસનો નવો રેકોર્ડ નોંધાયો છે ત્યારે સૌથી વધારે 13,000 કરતા વધુ 13,165 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ સિવાય અન્ય 7 રાજ્યો છે જ્યાં નવા નોંધાયેલા કેસોએ રેકોર્ડ તોડ્યા છે. આ પહેલા મહારાષ્ટ્રમાં 8 ઓગસ્ટના રો 12,822 કેસ નોંધાયા હતા.

દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 6,88,162 થઈ ગઈ છે. જ્યારે કુલ 20,90,924 દર્દીઓ વાયરસને હરાવીને સાજા થઈ ગયા છે- આ સાથે રિકવરી રેટ 73.8% પર પહોંચ્યો છે.

ઓગસ્ટના પાછલા 19 દિવસમાં મહારાષ્ટ્રમાં 2.07 લાખ નવા કેસ ઉમેરાયા છે, જ્યારે જેમાંથી માત્ર 9.3% એટલે કે 19,331 કેસ મુંબઈમાં નોંધાયા છે. રાજ્યમાં પાછલા 30 દિવસથી 1.5 લાખ એક્ટિવ કેસ રહ્યા બાદ આંકડો 1.6 લાખ પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં વધુ 346 મૃત્યુઆંક નોંધાયા છે, આ સાથે કુલ મૃત્યુઆંક 21,000ને પાર કરીને 21,033 થયો છે. જ્યારે મુંબઈ 346માંથી 46 મૃત્યુઆંક બુધવારે નોંધાયો હતો.

મહારાષ્ટ્રા પછી કર્ણાટકમાં સૌથી વધારે 126 મૃત્યુ નોંધાયા, જ્યારે તામિલનાડુમાં 116 મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા છે, જેમાં કેરળમાં 2333, યુપીમાં 5156, ઝારખંડમાં 1266, પંજાબમાં 1693, હરિયાણામાં 994, છત્તીસગઢમાં 759 અને જમ્મુ-કાશ્મીરમાં 708 કેસ નોંધાયા છે.

કેરળમાં પહેલીવાર નવા કેસનો આંકડો 2000ને પાર ગયો છે. આ સાથે કુલ કેસનોં આંકડો 50,000ને પાર કરીને 50,231 પર પહોંચી ગયો છે. તો આંધ્રપ્રદેશમાં નવા 9,742 કેસ નોંધાયા છે.

August 20, 2020
corona-gujarat.jpg
1min4490

૨૪ કલાકમાં ૬૩ હજારથી વધુ ટેસ્ટ, ૧૧૪૫ નવા કેસ, ૧૭ મૃત્યુ, ૧૧૨૦ ડિસ્ચાર્જ

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિતોને શોધી કાઢવા માટે અત્યાર સુધીના સૌથી વિક્રમી ટેસ્ટ છેલ્લા ચોવીસ કલાકમાં કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં ૬૩,૦૮૭ ટેસ્ટ રાજ્યભરમાં કરવામાં આવ્યા એમાંથી ૧૧૪૫ નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે બીજી તરફ આઇસીએમઆરની ગાઇડલાઇન્સ પ્રમાણે ૧૧૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે, સારવાર હેઠળના વધુ ૧૭ દર્દીઓના હોસ્પિટલમાં મૃત્યુ થયા હોવાનું સરકારે જાહેર કર્યું છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે ૨૩૮ કેસ સુરતમાં નોંધાયા છે એમાં મહાનગરના ૧૬૬ કેસનો સમાવેશ થાય છે. શહેરના ત્રણ મળી કુલ સાત દર્દીઓના મૃત્યુ થયા છે. આ જ રીતે અમદાવાદ શહેરમાંથી નવા ૧૪૬ કેસ નોંધાયા છે અને ચાર દર્દીના મૃત્યુ થયા છે. અલબત્ત, ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૧૭ કેસ ઉમેરાયા છે. વડોદરા શહેરમાંથી નવા ૯૩ કેસ અને જિલ્લામાંથી ૨૨ મળી ૧૧૫ કેસ નોંધાયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૦ અને ગ્રામ્યમાંથી ૧૭ કેસ મળી કુલ ૨૭ કેસ નોંધાયા છે. ગ્રામ્યમાં એક દર્દીનું કોવિડના કારણે મૃત્યુ થયું છે.

રાજકોટ મહાનગરમાંથી નવા ૬૨ કેસ નોંધાયા છે જ્યારે ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી નવા ૩૪ કેસ મળ્યા છે. સૌરાષ્ટ્રના અન્ય મહાનગર જામનગરમાંથી સતત રોજેરોજ નવા કેસ વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૯ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લાના જામખંભાળીયા, ધ્રોળ, લાલપુર જેવા વિસ્તારમાંથી નવા ૬ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાંથી ૩૫ કેસ અને એક દર્દીના મૃત્યુની પુષ્ટી સરકારે કરી છે. જિલ્લામાંથી નવા ૨૫ કેસ પણ નોંધાયા છે. જૂનાગઢમાંથી કુલ વીસ કેસ નોંધાયા છે એમાં મહાનગરના ૧૧ કેસનો સમાવેશ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો સૌથી વધારે કેસ પંચમહાલ જિલ્લામાંથી નોંધાયા છે. પંચમહાલના હાલોલ, કાલોલ, ગોધરા સહિતના તાલુકા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નવા ૪૪ કેસ મળી આવ્યા છે. આ જ રીતે રાજકોટ સાથે નજીકનો નાતો ધરાવતા અને સિરામિક સહિતની ઔદ્યોગિક પ્રવૃત્તિના હબ ગણાતા મોરબીમાંથી નવા ૩૪ કેસ મળ્યા છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા, ભૂજ, અબડાસા, અંજારમાંથી નવા ૩૦ કેસ આવ્યા છે.

અમરેલીમાં લાઠી, લીલીયા, ધારી સહિતના વિસ્તારોમાંથી નવા ૨૭ કેસ, ભરૂચમાં ભરૂચ શહેર ઉપરાંત વાગરા, અંકેલશ્વર, ઝગડિયા જેવા ઔદ્યોગિક વિસ્તારોના કારણે કેસ સતત વધી રહ્યા છે અહીં વધુ ૨૨ કેસ નોંધાયા છે. મહેસાણામાં કડી, વિજાપુર, બેચરાજી, વીસનગર અને ઊંઝા સંક્રમિત થયા છે એમાંથી નવા ૨૦ કેસ નોંધાયા છે. બનાસકાંઠમાં પાલનપુર, ડીસા, ધાનેરા જેવા વિસ્તારોમાંથી વધુ ૧૯ કેસ અને પાટણમાંથી ૧૮ નવા કેસ નોંધાયા છે. પાટણમાં એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

રાજ્યના આણંદ, ગીર સોમનાથ, વલસાડ જિલ્લામાંથી ૧૩-૧૩ કેસ, બોટાદ અને નવસારામંથી ૧૧, પોરબંદરમાંથી ૧૦, નર્મદામાંથી ૯, સાબરકાંઠામાંથી ૭ કેસ નવા નોંધાયા છે. ખેડા, સુરેન્દ્રનગર, તાપીમાંથી ૬-૬ કેસ, મહીસાગરમાંથી ૫, અરવલ્લીમાંથી ૪, દ્વારકા ૩, છોટાઉદેપુર તથા અન્ય રાજ્યના એક એક કેસ નોંધાયા છે.

આમ, રાજ્યમાં ૧૪,૭૮,૬૨૯ ટેસ્ટ સાથે કુલ કેસનો આંક વધીને ૮૨,૦૮૭ સુધી પહોંચ્યો છે જ્યારે નવા ૧૧૨૦ ડિસ્ચાર્જ સાથે કુલ આંક ૬૪૮૩૦ થયો છે આને પગલે રાજ્યનો રિવકરી રેટ ૭૮.૯૮ ટકા થયો છે. અલબત્ત, કુલ મૃત્યુ આંક પણ ૨૮૩૯ સુધી પહોંચ્યો છે. જે સરેરાશ ચાર ટકા કરતાં નીચો છે. આમ, હાલ રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ૧૪૪૧૫ થયો છે એમાંથી ૮૧ દર્દી વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૩૩૭ સ્ટેબલ છે.

August 20, 2020
1597848724371-1280x640.jpg
1min7460

સુરતના પાલ ખાતે ગૌરવપથ રોડ પર આજે એક કોમ્પલેક્ષ માંથી ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને ઓનલાઈન ગેમ્બલીંગનો જુગાર રમાડતાં 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1.83 લાખ અને 13 લેપટોપ સહિત કુલ્લે સાડા આઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે અમદાવાદના ભરત સહિત એક વિદેશી નાગરિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના ગૌરવ પથ રોડ પર આવેલ મોનાર્ક આર્કેડમાં ઓનલાઈન જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જે બાતમીના આધારે આજે ક્રાઈમ બ્રાંચની ટીમે મોનાર્ક આર્કેડમાં બીજા માળે આવેલ વિકટ આઈ.ટી. સોલ્યુશન નામનની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન પોલીસે ઘટના સ્થળેથી જીગર, રાહુલ અને કાર્તિક સહિત 13 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી જીગર – રાહુલ અને કાર્તિકે ઓફિસ ભાડે રાખીને ઓનલાઈન જુગાર રમવા તેમજ રમાડવા માટે અમદાવાદના ભરત નામના ઈસમ પાસેથી સર્વર ભાડે લીધું હતું. આ સર્વર યુ.કે. બેઈઝ્ડ હોવાને કારણે આરોપીઓએ તેમાં ફેક આઈ.ડી. બનાવીને અલગ – અલગ 30 ડોમેઈનમાં ઢગલાબંધ વેબસાઈટો બનાવી દીધી હતી. આ વેબસાઈટના માધ્યમથી આરોપીઓ ઓનલાઈન તીન પત્તીનો જુગાર, રૂલેટ, અંદર – બહારનો જુગાર, ડ્રેગન ટાઈગરનો જુગાર અને બકોરેટનો જુગાર સહિત ક્રિકેટ, ટેનિસ અને ફુટબોલની મેચો પર હાર – જીતનો જુગાર રમાડતા હતા. આ માટે આરોપીઓ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પણ ભાડેથી પુરૂં પાડી અલગ – અલગ ગ્રાહકો પાસેથી માસિક એક લાખથી બે લાખ રૂપિયા સુધીનું ભાડું વસુલ કરવામાં આવતું હતું. 

સુરત ક્રાઈમ બ્રાન્ચના દરોડામાં મુખ્ય સૂત્રધાર એવા જીગર દિપક ટોપીવાલા, રાહુલ પ્રહલાદ પ્રજાપતિ અને કાર્તિક રવજી હિસોરીયા સહિત કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ સિવાય યુ.કે.નું સર્વર ભાડેથી આપનાર અમદાવાદના ભરત અને વેબસાઈટો પર જુગારની રમતનો લાઈવ વીડિયો મુકનાર અરમેનીયા દેશના નારીક નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી ક્રાઈમ બ્રાંચે 4.15 લાખના 13 લેપટોપ, 1.50 લાખના આઠ મોબાઈલ અને રોકડા રૂપિયા 1.83 મળી કુલ્લે 8.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

ઝડપાયેલા આરોપીઓની વિગત

(૧) જીગર ટોપીવાલા (રહે. પવિત્રા રો-હાઉસ, અડાજણ) (૨) રાહુલ પ્રજાપતિ (રહે. ભૂમિપૂજ્ય રેસીડેન્સી, પાલ) (૩) કાર્તિક હિસોરીયા (રહે. લક્ષ્મીધામ સોસાયટી, કતારગામ) (૪) હુસૈન કોકાવાલા (રહે. કોકાવાલા મેન્સન, ઝાંપા બજાર) (૫) ભાવિક શેઠ (રહે. શુભ રેસીડેન્સી, ઉધના) (૬) ફલક કાબરાવાલા (રહે. વેસ્ટર્ન સિટી, અડાજણ) (૭) જૈમેશ રાઠોડ (રહે. સાકાર પેલેસ, ડિંડોલી) (૮) અર્જુન કંસારા (રહે. દિવાળીબાગ ફ્લેટ, રાંદેર) (૯) કૃષાન કંસારા (શરણમ રેસિડેન્સી, જહાંગીરપુરા) (૧૦) રાજ આનંદ (રહે. શુભમ બંગ્લોઝ, વેસુ) (૧૧) ઈશીતા ગાંધી (એન.એસ.એસ. સ્પલેન્ડેડ, વેસુ) (૧૨) કૃપાબેન પેન્ટર (રહે. દયાળજી પાર્ક, અડાજણ) (૧૩) શશાંગ ટેલર (સુડા આવાસ, પાલ) 

હાઈટેક જુગારનું સર્વર ઈંગ્લેન્ડમાં

મોનાર્ક આર્કેડમાં વિકટર આઈ.ટી. સોલ્યુશનના નામે દુકાન ભાડે રાખીને જીગર, રાહુલ અને કાર્તિક નામના આરોપીઓએ અમદાવાદના ભરત નામના ઈસમ પાસેથી સર્વર ભાડે લીધું હતું. પોલીસ આરોપીઓ સુધી ન પહોચે તે માટે જે સર્વર ભાડે લેવામાં આવ્યું હતું તે ઈંગ્લેન્ડનું રાખવામાં આવ્યું હતું. આ સર્વરમાં પણ આરોપીઓએ ફેક આઈડી બનાવીને અલગ  અલગ વેબસાઈટો દ્વારા ઓનલાઈન જુગારનો ધીકતો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. આરોપીઓ જુગાર શોખિનોને પણ ઓનલાઈન પ્લેટફોર્મ પુરૂં પાડવાના નામે મહિના એકથી બે લાખ રૂપિયાનું ભાડું વસુલ કરી રહ્યા હતા. પોલીસે તમામને ધરપકડ કરી આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અન્યોને પણ ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે.

August 20, 2020
govt_jobs.jpg
1min6800

કેન્દ્રીય કેબિનેટે બુધવારે કેન્દ્ર સરકારમાં નોકરી માટે લેવાતી વિવિધ પરીક્ષાઓને એક છત્ર હેઠળ લાવવા માટે નેશનલ રીક્રૂટમેન્ટ એજન્સી (NRA)ના ગઠન માટે મંજૂરી આપી દીધી છે. મોદી કેબિનેટના આ સીમાચિહ્ન નિર્ણયથી કેન્દ્ર સરકારમાં રોજગારી માટેની પ્રક્રિયામાં ધરખમ ફેરફાર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષામાં મળેલી કેબિનેટ બેઠક અંગે પત્રાકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે આ ઐતિહાસિક નિર્ણય છે અને આનાથી નોકરી વાંછુઓને વિવિધ પરીક્ષા આપવામાંછી મુક્તિ મળશે તેમજ તેમનો ખર્ચ પણ ઘટશે.
યુવાઓ વર્ષોથી આ પ્રકારની વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા અને તેને આખરે સ્વીકારવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કેબિનેટના આ નિર્ણયને દેશના ઈતિહાસમાં પરિવર્તનકારી તેમજ સીમાચિહ્ન ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારમાં વિવિધ નોકરીઓ માટે એક પરીક્ષા એજન્સીને પગલે પસંદગી, જોબ પ્લેસમેન્ટ અને ઈઝ ઓફ લિવિંગમાં સરળતા આવશે ખાસ કરીને સમાજના એવા વર્ગ માટે જે લાભોથી વંચિત રહે છે. 

નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) યોજી શકશે અને તેના દ્વારા ગ્રુપ બી તેમજ ગ્રુપ સી (બિન ટેક્નિકલ) પદો માટે ઉમેદવારોની પસંદગી કરી તેમને શોર્ટલિસ્ટ કરાશે. આ એજન્સીમાં રેલવે મંત્રાલય, નાણા મંત્રાલય/ નાણા સેવા વિભાગ, સ્ટાફ સીલેક્શન કમિશન, રેલવે રીક્રૂટમેન્ટ બોર્ડ અને ઈન્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સીલેક્શનના પ્રતિનિધિઓને સ્થાન અપાશે. કેન્દ્ર સરકારે જણાવ્યા મુજબ એનઆરએ વિશેષજ્ઞોને સમાવતી સંસ્થા હશે જે અદ્યતન ટેક્નોલોજીની મદદથી કેન્દ્ર સરકારની ભરતી પ્રક્રિયામાં શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી કરવામાં મદદરૂપ થશે. પ્રવર્તમાન સમયે કોમન ટેસ્ટના સ્કોર ત્રણ મુખ્ય રિક્રૂટમેન્ટ એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે પરંતુ આગામી સમયમાં વધુ એજન્સીઓનો સમાવેશ કરાશે.  

આગામી સમયમાં સીઈટીનો સ્કોર કેન્દ્ર સરકાર, રાજ્ય તેમજ કેન્દ્રશાસિત સરકાર, જાહેર ક્ષેત્રના સાહસ અને ખાનગી ક્ષેત્ર સહિત અન્ય રિક્રૂટિંગ એજન્સીઓને પણ આપવામાં આવશે. આમ કરવાથી ખર્ચ અને સમય બન્ને બચી શકશે.

કેન્દ્ર સરકારે એનઆરએની રચના માટે 1,517.57 કરોડ મંજૂર કર્યા છે. એનઆરએનું વડુમથક દિલ્હીમાં સ્થપાશે. આ સંસ્થાના વડા તરીકે સિચવ કક્ષાના વ્યક્તિની ચેરમેન પદે નિમણૂક કરાશે. વર્તમાન સમયે ઉમેદવારો વિવિધ પદ માટે લાયકાત ધરાવતા હોવા છતા જુદી જુદી એજન્સી દ્વારા યોજાતી પરીક્ષામાં એકથી વધુ પરીક્ષા આપવી પડે છે તેમજ ફી પણ ભરવી પડે છે. વિદ્યાર્થીઓને જુદા જુદા સ્થળે પરીક્ષા આપવા જવું પડે છે જેમાં ઘણો સમય પણ લાગે છે.  એનઆરએ દ્વારા દેશમાં કોમન ટેસ્ટ માટે પ્રારંભિક ધોરણે 1,000 જેટલા પરીક્ષા કેન્દ્રો સ્થાપવાની યોજના છે. દરેક જિલ્લામાં એક કેન્દ્ર રહેશે જેથી કોઈ ઉમેદવારને જિલ્લા બહાર મુસાફરી ના કરવી પડે.

August 19, 2020
rain_forecast.png
1min5780

રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર તા.18મી ઓગસ્ટે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. જેમાં આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમા તા. 21 થી 27 ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

હર્ષદ પટેલે જણાવ્યું હતુ કે, આગામી સપ્તાહમાં તારીખ 18 થી 22 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમો જરૂર જણાયે ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે. ભારે વરસાદની આગાહીના ૫ગલે તમામ વિભાગોએ સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર, મોરબીમાં ભારેથી અતિભારે જ્યારે ખેડા, આણંદ અને દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. તારીખ 18થી 22 ઓગસ્ટ તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરૂરી આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર હર્ષદ પટેલ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

August 19, 2020
ausi-flood6.jpg
2min6340

રાજકોટ અને ભાવનગર સિંચાઇ વર્તૂળ સુત્રોના જણાવ્યા મુજબ’ સૌરાષ્ટ્રના 140 ડેમમાંથી રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી, ન્યારી સહિત કુલ 89 ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ તથા નદીના પટમાં અવર – જવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. ભાદર ડેમની સપાટી 31.90 ફૂટે પહોંચી જતાં ઓવરફલો થવામાં 2.10 ફૂટ દૂર છે.

રાજકોટના ડેમોની સ્થિતિ

રાજકોટ જિલ્લાનો આજી-1, આજી-2, ભાદર-1, વેરી, મોતીસર, છાપરવાડી-1, ફોફળ, છાપરવાડી-2, કરમલ, વાછપરી, ડોંડી, ન્યારી-1, ન્યારી-2, ખોડાપીપર, લાલપરી, મોજ, વેણુ-2, સોડવદર, ઘેલોસોમનાથ અને માલગઢી સહિતના ડેમ ઓવરફલો થયા છે.

જામનગરના ડેમોની સ્થિતિ

જામનગર જિલ્લાનો ઉંડ-2, ડાઇમીણસર, ઉમીયા સાગર, ફુલઝર (કે.બી.), ઉંડ-1, રંગમતી, વાડીસંગ, સપડા, આજી-4, ફુલઝર-1, ફોફળ-2, ઉંડ-3, સસોઇ, પના, ફુલઝર-2, રૂપાવટી, સસોઇ-2 સહિતનાં ડેમ ઓવરફલો થયા છે.

દ્વારકાના ડેમોની સ્થિતિ

દેવભૂમી દ્વારકા : દેવભૂમી જિલ્લાનો સંકરોલી, વર્તુ-1, વર્તુ-2, સોનમતી, વેરાડી-1, કળરણ, વેરાડી-2, મીણસર (વાનાવાડ), સાની, એસ ભાડથરી, સીંઘવી, ઘી અને ગઢકી સહિતના ડેમ ઓવરફલો થયા છે.

મોરબીના ડેમોની સ્થિતિ

મોરબી : મોરબી જિલ્લાનો ડેમી-3, મચ્છુ-3, ઘોડાધરોઇ, બંગાવડી અને ડેમી-2, સહિતના ડેમ ઓવરફલો થયા છે.

સુરેન્દ્રનગરના ડેમોની સ્થિતિ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાનો મોરસલ, ધારી અને ત્રિવેણીઠાંગા સહિતના ડેમ ઓવરફલો થયા છે.

પોરબંદરના ડેમોની સ્થિતિ

પોરબંદર : પોરબંદર જિલ્લાનો સોરઠી, ફોદારનેસ, ખંભાલા, કાલીન્દ્રી, અડવાણ, સારણ અને રાણાખીરસરા સહિતના ડેમો ઓવરફલો થયા છે.

અમરેલીના ડેમોની સ્થિતિ

અમરેલી : અમરેલી જિલ્લાનો ખોડીયાર, ધાતરવડી-1, રાયડી, વડિયા, સુરજવડી, ઘેલોઇતરીયા, સેલદેદુમલ અને ધાતરવાડી-2 સહિતના ડેમો ઓવરફલો થયા છે.

બોટાદ, જૂનાગઢ, સોમનાથની સ્થિતિ

બોટાદ : બોટાદ જિલ્લાનો ખાંભળા અને કાળુભા ડેમ ઓવરફલો થયા છે.
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાનો મધુવંતી, હસનાપુર, ઓઝત-2, આંબાજળ, બાંટવાખારો, મોટાગુજરીયા, સાબલી અને વ્રજમી સહિતના ડેમો ઓવરફલો થયા છે.
ગીરસોમનાથ : ગીરસોમનાથ જિલ્લાનો સિંગોડા, હિરણ-2, રાવળ, મચ્છુન્દ્રી અને હિરણ-1 સહિતના ડેમો ઓવરફલો થયા છે.

August 19, 2020
dream11-1280x853.jpg
1min6830

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ટાઈટલ સ્પોન્સરશિપના અધિકાર ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ‘ડ્રીમ-11’ને આપવામાં આવ્યા છે. ડ્રીમ-11એ 222 કરોડ રૂપિયામાં આઈપીએલના સ્પોન્સરશિપ અધિકાર ખરીદ્યા છે.

આઈપીએલના ચેરમેન બૃજેશ પટેલે જણાવ્યું છે કે, આઈપીએલ 2020 ટાઈટલ સ્પોન્સરશિપના અધિકાર ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ-11ને 222 કરોડમાં આપવામાં આવ્યા છે. 

ચીનની કંપનીઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન બાદ બીસીસીઆઈએ વિવોની સ્પોન્સરશિપને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટાટા ગ્રૂપ, ડ્રીમ-11, અનએકેડમી અને બાયજૂ જેવી કંપનીઓ સ્પોન્સરશિપ બનવાની રેસમાં સામેલ હતી. અનએકેડમીએ 21 કરોડ, ટાટા ગ્રૂપે 180 કરોડ અને બાયજૂએ 125 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. 

August 19, 2020
corona-gujarat.jpg
1min4710

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીના વિક્રમી ૫૭,૨૩૪ ટેસ્ટ દ્વારા કોરોનાથી સંક્રમિત દર્દીને શોધવાના પ્રયાસમાં નવા ૧૧૨૬ કેસ મળી આવ્યા છે. આ સાથે કુલ કેસનો આંક ૮૦,૦૦૦ને પાર થઇ ૮૦,૯૪૨ થયો છે. જોકે, આ સમયમાં વધુ ૨૦ દર્દીનાં કોવિડ-૧૯ સંક્રમણને લીધે મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. આ મૃત્યુમાં સૌથી વધુ સુરતમાં ૭, અમદાવાદમાં ૪, ભાવનગર, કચ્છ, અમરેલીમાં ૨-૨, વડોદરા અને ગીર સોમનાથમાં ૧-૧ દર્દીનો સમાવેશ થાય છે.

રાજ્યના આઠ મહાનગરોને આવરી લેતાં જિલ્લાઓમાં જોઇએ તો સૌથી વધારે કેસમાં સુરત ૨૫૨ કેસ સાથે ટોપ ઉપર છે. એમાં મહાનગરના ૧૭૫ કેસ તેમજ ગ્રામ્યના ૭૭ કેસનો સમાવેશ થાય છે. આ જ રીતે અમદાવાદમાં પૂર્વ તથા ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ વિસ્તારમાંથી સતત નવા કેસ આવી રહ્યાં છે. જેના પગલે વધુ ૧૪૯ કેસ શહેરમાંથી તેમજ ધોળકા, ધંધુકા, વિરમગામ, સાણંદ, બાવળા અને દસક્રોઇમાંથી વધુ ૧૪ કેસ ઉમેરાયા છે આમ, અમદાવાદના કુલ કેસ ૧૬૨ નવા કેસ નોંધાયા છે. વડોદરામાં ૧૧૧ કેસમાં ૮૯ મહાનગરમાંથી નોંધાયા છે જ્યારે ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૧ તથા ગ્રામ્યમાંથી ૧૬ કેસ મળી ૨૭ કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં સૌથી વધુ રાજકોટમાંથી ૯૮ કેસ છે, એમાં શહેરમાંથી ૬૫ કેસ તથા ગ્રામ્યમાંથી ૩૩ કેસ નોંધાયા છે. જામનગર શહેરમાંથી ૫૩ કેસ તથા ગ્રામ્યમાંથી પાંચ જ નવા કેસ ઉમેરાયા છે તો ભાવનગર શહેરમાંથી નવા ૨૩ કેસ તથા ગ્રામ્યના ૧૬ કેસ મળી ૩૯ કેસ નોંધાયા છે. જુનાગઢ શહેરમાંથી ૧૩ અને જિલ્લામાંથી ૮ કેસ મળી ૨૧ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી મોટો વિસ્ફોટ મોરબીમાં થયો છે. કોરોનાથી સંક્રમિત એક સાથે ૪૬ કેસ મળી આવ્યા છે. સિરામીક ફેક્ટરીઓમાં કારીગરોની અવરજવર સાથે કોરોનાના સંક્રમણનો પણ વધારો જોવા મળ્યો છે. જોકે, આ સિવાયના જિલ્લાઓમાં જોઇએ તો અમરેલી અને ગીર સોમનાથમાંથી ૧૫-૧૫ કેસ, સુરેનદ્રનગરમાંથી ૧૦, પોરબંદરમાંથી ૯, દેવભૂમિ દ્વારકામાંથી ૫, બોટાદમાંથી ૩ કેસ નવા નોંધાયા છે. જ્યારે કચ્છ જિલ્લામાંથી નવા ૧૭ કેસ ઉમેરાયા છે.

રાજ્યમાં પૂર્વના આદિવાસી પટ્ટામાં દાહોદમાં વધુ ૨૮, ભરૂચમાં ૨૬, મહીસાગરમાં ૧૫, વલસાડ અને નવસારામાં ૧૦-૧૦ કેસ, નર્મદામાં ૭, તાપી અને ડાંગમાં અનુક્રમે ૩ અને એક કેસનો સમાવેશ થાય છે. આણંદ અને ખેડામાંથી અનુક્રમે ૮ અને ૭ કેસ મળ્યા છે. અન્ય રાજ્યમાંથી આવેલા ૮ દર્દીનો પણ ગુજરાતના કેસમાં સમાવેશ કરાયો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ વધુ ૧૧૩૧ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૬૩,૭૧૦ થયો છે. સતત વધી રહેલા ડિસ્ચાર્જને પગલે રિકવરી રેટ ૭૮.૭૧ ટકા સુધી પહોંચ્યો છે. અલબત્ત, મૃત્યુ આંક ૨૮૨૨ થયો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૪,૪૧૦ છે. એમાં ૭૮ દર્દીને વેન્ટિલેટરી કેર ઉપર રાખવામાં આવ્યા છે જ્યારે ૧૪,૩૩૨ દર્દી સ્ટેબલ છે.