CIA ALERT

Slider Archives - Page 148 of 486 - CIA Live

April 27, 2021
guj_corona.jpg
1min666

સૌરાષ્ટ્રમાં તબીબી સુવિધાના અભાવે કોરોનાના ગંભીર દર્દીઓનો લોડ હવે સુરત પર વધી રહ્યો છે. સુરતમાં અગાઉથી કોરોના બેકાબૂ બન્યો છે. શહેરીજનોને બેડની સુવિધા મળી રહી નથી તેમજ પાડોશી મહારાષ્ટ્ર અને મઘ્યપ્રદેશના ગંભીર દર્દીઓ સારવાર કરાવી રહ્યા છે. એવામાં હવે સૌરાષ્ટ્રના ગામડાંઓથી સુરત આવતા ગંભીર દર્દીઓનો ધસારો પાછલા એક સપ્તાહમાં વધ્યો છે.’

પાટીદાર સમાજની સેવા સંસ્થા અને અન્ય સામાજિક સંસ્થાઓના 13થી વધુ આઇસોલેશન સેન્ટરમાં વીસ ટકા બેડ સૌરાષ્ટ્રના દર્દીઓથી ઉભરાયા છે. સૌરાષ્ટ્રના ગામડાંઓથી સુરત વચ્ચેનું અંતર દસ થી બાર કલાકનું છે. કોરોના ટ્રીટમેન્ટ માટે સૌરાષ્ટ્રથી’ સુરત એમ્બ્યુલન્સ મારફત આવતા કેટલાક દર્દીઓના મોત ઓક્સિજનના અભાવે થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.’
સમાજના આગેવાનો કહી રહ્યા છે કે સૌરાષ્ટ્રના ગામડાંઓમાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે સરકાર કોઇ કડક પગલાં નહીં લે તો સ્થિતિ હાલ કરતાં પણ વધુ ખરાબ રીતે વણસી શકે છે. સૌરાષ્ટ્રમાં તબીબી સુવિધા ખાડે ગઇ હોવાથી લોકો પોતાની સારવાર કરાવવા માટે સુરત આવી રહ્યા છે. ખાનગી એમ્બ્યુલન્સ અને વાહનોમાં દર્દીઓ સાથે આવતા પરિજનો ઓક્સિજનના બાટલા ભેગા લઇને આવે છે. પરંતુ રસ્તામાં અધવચ્ચે જ ઓક્સિજન બાટલો ખાલી થઇ જવાને કારણે દર્દી ગંભીર કટોકટીમાં મૂકાઇ જાય છે. તેમજ તેના કારણે કેટલાક દર્દીઓએ રસ્તામાં જ દમ તોડી દીધો હોવાના અહેવાલો છે.

સામાજિક આગેવાન અને સેવા સમિતિ આઇસોલેશન સેન્ટરના મહેશભાઇ સવાણી કહે છે કે, આગામી દિવસોમાં વધુ આઇસોલેશન સેન્ટર શરૂ કરાશે. હાલ તો ગામડાઓમાંથી આવતા દર્દીઓનો ભારે ધસારો છે. 20 ટકાથી વધુ બેડ સૌરાષ્ટ્રના દર્દીઓથી ભરાઇ ગયા છે.’
તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રથી સુરત વચ્ચેનું અંતર વધુ હોવાથી અનેક ગંભીર દર્દીઓને સમયસર સારવાર મળતી નથી જેના કારણે કેસ બગડી જાય છે. સૌરાષ્ટ્રથી આવતા ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સોમાં ઓક્સિજનનો જથ્થો પૂરતો ન હોવાના કારણે ઓક્સિજનના વાંકે દર્દીની હાલત ગંભીર બની રહે છે. અમે એકાદ દિવસમાં તારાપૂર ચોકડી કે તેની આજુબાજુના વિસ્તારમાં આઇસોલશન સેન્ટર કે પછી ઓક્સિજનના બાટલા એક્સચેન્જ માટેની કોઇ વ્યવસ્થા ઉભી કરવાનું વિચારી રહ્યા છીએ જેથી દર્દીઓની મુશ્કેલી ઓછી થાય.’

સૌરાષ્ટ્ર સેવા સમાજના પ્રમુખ અને આગેવાન કાનજીભાઇ ભાલાળા કહે છે કે, સરકારે તાત્કાલિક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તબીબી સુવિધાઓ બહેતર બનાવવી જરૂરી છે. ગામડાંઓના દર્દીઓને ત્યાં જ સુવિધા મળી રહે તે અત્યંત આવશ્યક છે. તારાપુર ચોકડી પાસે ઓક્સિજન બોટલ એક્સચેન્જની વ્યવસ્થા ઉભી કરાવવા માટે અમે તંત્રને રજૂઆત કરીશું જેથી કોઇને કોઇ ઉકેલ આવે.’

April 27, 2021
coronavirus.jpg
1min584

કોરોનાનો બિનજરૂરી ડર લાભ કરતા નુકસાન વધુ પહોંચાડી રહ્યો હોવાનું જણાવી સરકારે લોકોને ભય ત્યજી દેવાની સોમવારે હાકલ કરી હતી.

વૅક્સિનેશનની જરૂર પર ભાર મૂકી તેમણે વૅક્સિનેશન ઝુંબેશ ઝડપી બનાવવાની હાકલ કરી હતી.

મહિલાઓ માસિક ધર્મ સમયે પણ કોરોનાની વૅક્સિન લઈ શકશે, એમ તેમણે કહ્યું હતું.

સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતાના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે અનેક લોકો ગભરાટને કારણે હૉસ્પિટલમાં ભરતી થઈ રહ્યા છે અને બૅડ પર કબજો કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

ડૉક્ટરની સલાહ બાદ જ દરદીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

મૅડિકલ ઑક્સિજનની અછત અંગે તેમણે કહ્યું હતું કે ભારતમાં વિપુલ માત્રામાં મૅડિકલ ઑક્સિજન ઉપલબ્ધ છે, પરંતુ હૉસ્પિટલોમાં પહોંચાડવા તેને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવો મોટો પડકાર છે.

હૉસ્પિટલોને પૂરતા પ્રમાણમાં ઑક્સિજનનો પુરવઠો મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

સરકારે હૉસ્પિટલોને ઑક્સિજનનો યોગ્ય ઉપયોગ કરવા અને તેનો બગાડ તેમ જ ગળતર થતું અટકાવવા જણાવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાની મહામારી સામેની લડતમાં ઑક્સિજનનો તર્કસંગત ઉપયોગ અને રેમડેસિવિર તેમ જ ટોસિલિઝુમેબ જેવા ઈન્જેક્શનો યોગ્ય રીતે પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે તે જરૂરી છે, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાના ગંભીર દરદીઓ પર રેમડેસિવિર ઈન્જેક્શન કારગત નીવડે છે એવું હજુ ચોક્કસપણે સ્થાપિત નથી થયું એમ છતાં સૂચન મુજબ અન્ય ઈન્જેક્શનનો ઉપયોગ પણ કરી શકાય, એમ તેમણે કહ્યું હતું.

કોરોના સામેની લડત માટે દેશમાં યોગ્ય માળખાકીય સુવિધાઓ તો ઊભી કરવામાં આવી છે, પરંતુ દેશની વસતિને કારણે તેનાં પણ ભારે દબાણ સર્જાશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આમ છતાં કોરોનાને નિયંત્રણમાં લેવો જરૂરી છે.

વૅક્સિનેશન ઝુંબેશને બની શકે તેટલો વેગ આપવામાં આવશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે સંશોધન દર્શાવે છે કે જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં ન આવે તો એક વ્યક્તિ ૩૦ દિવસમાં ૪૦૬ જણને સંક્રમિત કરી શકે છે.

જો શારિરીક સંપર્કમાં પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવે તો એટલા જ સમયગાળમાં એક વ્યક્તિ ૧૫ જણને અને શારિરીક સંપર્કમાં ૭૫ ટકાનો ઘટાડો કરવામાં આવે તો એક વ્યક્તિ એટલા જ સમયગાળામાં ૨.૫ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે, એમ તેમણે કહ્યું હતું.

સમય આવી ગયો છે કે લોકોએ ઘરમાં પણ માસ્ક પહેરવાનું શરૂ કરવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

April 27, 2021
madras-high-court.jpg
1min487

કોવિડ-૧૯ની બીજી લહેર માટે એકમાત્ર ચૂંટણીપંચ જવાબદાર છે તેવું અવલોકન મદ્રાસ હાઈ કોર્ટે સોમવારે કર્યું હતું.

મદ્રાસ હાઈ કોર્ટે ચૂંટણીપંચને કહ્યું હતું કે, ‘કોવિડ-૧૯ની બીજી લહેર માટે એકમાત્ર તમારી સંસ્થા જવાબદાર છે. સંભવત: તમારા અધિકારીઓ સામે હત્યાના આરોપસર ફરિયાદ નોંધાવી જોઈએ, જયારે ચૂંટણી રેલીઓ યોજાઈ રહી હતી ત્યારે શું તમે બીજા ગ્રહ પર હતા?’

ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક, સેનિટાઈઝર્સ અને સામાજિક અંતર જેવી તકેદારીઓ જાળવવામાં ચૂંટણીપંચ નિષ્ફળ ગયું છે તેવું હાઈ કોર્ટે કહ્યું હતું.

ચૂંટણી પરિણામ બીજી મેના દિવસે જાહેર થવાનું છે તે દિવસે કોવિડના નિયમોનું પાલન કરવાની યોજના રજૂ કરવાનું હાઈ કોર્ટે કહ્યું હતું. નક્કર યોજના નહીં તૈયાર કરાય તો મત ગણતરી પણ બંધ કરી શકાય છે તેવું અદાલતે કહ્યું હતું.

‘પ્રજાનું સ્વાસ્થ્ય સૌથી મહત્ત્વનું છે. બંધારણીય સત્તાને યાદ અપાવવું પડે છે તે દુ:ખની બાબત છે. નાગરિક જીવશે તો જ તે ચૂંટાયેલું પ્રજાસત્તાકના હક્કો ભોગવી શકશે.’

તમિળનાડુએ પુડ્ડુચેરીમાં કોવિડ-૧૯ મહામારી પર નિયંત્રણ મેળવવા સરકારના પ્રયત્નો પર ધ્યાન રાખવા કોર્ટ દ્વારા ‘સુઓ મોટો’ (આપ મેળે) કેસ નોંધવામાં આવ્યો તે છે. તેની સુનાવણી દરમિયાન કોર્ટને આ મૌખિક અવલોકન હતું.

‘નાગરિકો રઘવાયા બનીને હૉસ્પિટલમાં દોડી જાય તેવી પરિસ્થિતિ ઊભી નહીં થવી જોઈએ અને તેમને માર્ગદર્શન આપવા તમિળનાડુ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશે ૮-૧૦ બુલેટ પોઈન્ટ ધરાવતી નોંધ તમામ મીડિયા પર પ્રકાશિત અથવા પ્રસારણ કરવી જોઈએ.’

April 26, 2021
karnataka.jpg
1min407

કોરોનાથી સૌથી પ્રભાવી રાજ્ય, કર્ણાટકમાં આવતીકાલે 27/4/21 સાંજે છ વાગ્યાથી 14 દિવસનું જડબેસલાક લોકડાઉન લાગુ પડી જશે. કોરોનાના સતત વધતા કેસો વચ્ચે ચેઈનને બ્રેક કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ તાજેતરમાં જ રાજ્યોને લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે અજમાવવા સલાહ આપી હતી.

આજે ત્રણ કલાક સુધી ચાલેલી કેબિનેટ મિટિંગ બાદ રાજ્યના સીએમ યેદિયુરપ્પાએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક્સપર્ટ્સ કમિટિ સાથે સલાહ-મસલત કર્યા બાદ રાજ્ય સરકારે લોકડાઉનનો નિર્ણય લીધો છે.

દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતાં જ દારુની દુકાનો પર લાંબી લાઈનો લગાવી હતી. જોકે, કર્ણાટકમાં આવી સ્થિતિ ના સર્જાય તે માટે સરકારે દારુની હોમ ડિલિવરી માટે છૂટ આપી છે. સરકારે 1લી મેથી 18 વર્ષથી વધુ વય ધરાવતા તમામ નાગરિકોને ફ્રીમાં વેક્સિન આપવાની પણ જાહેરાત કરી છે.

કર્ણાટકમાં લોકડાઉન દરમિયાન જીવનજરુરિયાતની ચીજવસ્તુઓની દુકાનો પણ સવારે છથી 10 વાગ્યા સુધી જ ખૂલ્લી રહેશે. સીએમ બી.એસ. યેદિયુરપ્પાના જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમિયાન કૃષિ તેમજ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ચાલુ રાખી શકાશે. સરકારે રાજ્યના ચૂંટણીપંચને આગામી સમયમાં આવી રહેલી પેટાચૂંટણીને ત્રણ મહિના પાછી ઠેલવા પણ વિનંતી કરી છે.

લોકડાઉન દરમિયાન રાજ્યની અંદર કે રાજ્યની બહાર ઈમરજન્સી સિવાય પ્રવાસ કરવા પર સખ્ત નિયંત્રણ મૂકાયા છે.

April 26, 2021
remdesivir.jpg
1min671

સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે રામબાણ ઈલાજ સમાન રેમડેસિવિર ઈન્જેકશનની અછત સર્જાવા પામી હતી. આ આફતને પણ અવસરમાં તબ્દીલ કરનાર સુરત શહેરની વધુ એક ટોળકીને શહેર પોલીસે  રંગે હાથ ઝડપી લીધી છે. પોલીસે ઈન્જેક્શનની કાળાબજારી કરનાર ડોક્ટર સહિત ચાર જણાને ઝડપી પાડી ત્રણ ઈન્જેક્શનના બોક્ષ જપ્ત કર્યા હતા. જયારે ઈન્જેકશન સપ્લાય કરનાર અમરોલીના ડોકટરને વોન્ટેડ બતાવ્યો છે.

    સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા હાલમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનમાં કોવિડ પોઝિટિવના કેસોમાં સતત વધારો થયો હોય છે અને અંતર્ગત કોરોના દર્દીઓ માટે જીવન રક્ષક એવા રેમડેસિવિર ઈન્જેકશનની માંગમાં પણ ખુબ જ વધારો થયો હોવાથી ઈન્જેકશનની અછત વર્તા છે જેનો કેટલાક ફાયદો ઉઠાવી ગેરકાયદેસર રીતે ઈન્જેકશનનો કાળાબજારી કરતા હોવાનુ બહાર આવતા આ દિશામાં કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત બાતમી મળી હતી કે, જૈનીશકુમાર પોપટ કાકડીયા તેના સાગરીતો સાથે ગેરકાયદે રીતે મેળવેલા ઈન્જેકશનનો ઉંચા ભાવે વેચાણ કરે છે. તે હાલમાં ભાગળ ચાર રસ્તા ઝપાટા શો રૂમ પાસે પોતાની બાઈક પર બેઠો છે જે બાતમીને પીઆઈ એસ.જે.ભાટિયાએ વર્કઆઉટ કરી સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોચી એક્ષપોટીંગનો ધંધો કરતા જૈનીશકુમાર પોપટ કાકડીયા (ઉ.વ.૨૩,રહે,ગૌતમપાર્ક કારગીલ ચોક પીપલોદ)ને રેમડેસિવિર ઈન્જેકશન સાથે ઝડપી પાડ઼્યો હતો.

    જૈનીશકુમારની પૂછપરછમાં તેના સાગરીત ભદ્રેશ બાબુ નાકરાણી (રહે,સમ્રાટ સોસાયટી પુણગામ), જૈમીશ ઠાકરશી જીકાદરા (રહે,યમુનાપાર્ક સોસાયટી ડભોલી) અને ડો. સાહિલ વિનુ ધોધારી (રહે, હરીહરી સોસાયટી બાળ આશ્રમ સ્કુલની પાછળ કતારગામ)ને ઝડપી પાડ્યા હતાં. પીસીબીએ આરોપીઓ પાસેથી રેમડેસિવિર ઈન્જેકશન બોક્ષ નંગ-3 જેની કિંમત રૂપિયા 2697, મોબાઈલ ફોન નંગ-4 જેની કિંમત રૂપિયા 63,500, રોકડા રૂપિયા 12,520 તથા મોટર સાયકલ મળી કુલ રૂપિયા 1,23,717 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીસીબીની પૂછપરછમાં આરોપીઓએ અમરોલી ન્યુ કોસાડ રોડ મુની ક્લીનીક એન્ડ નર્સીગ હોમના ડોકટર હિતેશ ડાભીએ ઈન્જેકશન સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો હતો.

April 26, 2021
IPL_cia.jpg
1min412

ત્રણ મેચ બાદ હારનો ક્રમ તોડનાર પંજાબ કિંગ્સની ટીમ સોમવારે અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આઇપીએલના મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ સામે જીતનો ક્રમ જાળવી રાખવાની કોશિશ કરશે. સોમવારથી હવે અમદાવાદમાં પણ આઇપીએલના મેચોનો પ્રારંભ થઇ રહ્યો છે. મોટેરા સ્ટેડિયમની પિચ બેટધરોને યારી આપશે તેવું માનવામાં આવશે. અહીં સિઝનનો આ પહેલો મુકાબલો હોવાથી બન્ને ટીમની કઠિન કસોટી થશે.

પંજાબની ટીમે ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી, પણ બાદમાં તેને સતત ત્રણ હાર મળી હતી. આ પછી કેએલ રાહુલની ટીમે શુક્રવારે વર્તમાન વિજેતા મુંબઇ ઇન્ડિયન્સની ટીમને 9 વિકેટે હાર આપીને જીતની રાહ પર વાપસી કરી છે. પંજાબ હવે કેકેઆર સામે જીતના મકકમ ઇરાદે સોમવારે મેદાને પડશે. જે પાછલા ચાર મેચ સતત હારી ચૂકી છે.

પંજાબની બેટિંગ લાઇન અપ મજબૂત છે. સુકાની રાહુલ સતત શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓમાં સામેલ છે. તેણે પાછલા મેચમાં મુંબઇ સામે અણનમ 60 રન કરીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓપનર મયંક અગ્રવાલ પણ સારા ફોર્મમાં છે. ક્રિસ ગેલે મુંબઇ વિરૂધ્ધ અણનમ 43 રન કરીને ફોર્મમાં વાપસીનો સંકેત આપી દીધો છે. જે પંજાબ માટે સારી ખબર છે. જો કે દીપક હુડ્ડા એક મેચના સારા દેખાવ બાદ તેનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહ્યો છે. યુવા સ્પિનર રવિ બિશ્નોઇ અને અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી સારો દેખાવ કરી રહ્યા છે.

બીજી તરફ વિશ્વ વિજેતા ઇંગ્લેન્ડની ટીમના કપ્તાન ઇયોન મોર્ગનના સુકાનીપદ હેઠળની કેકેઆર ટીમ તેના પ્રદર્શનમાં સુધારો કરવામાં નિષ્ફળ રહી છે. તેને પાછલા મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરૂધ્ધ 6 વિકેટે હાર સહન કરવી પડી હતી. કેકેઆરે જો હારનો ક્રમ તોડવો હશે તો તેના બેટધરોએ સારો દેખાવ કરવો પડશે. નીતિશ રાણા અને દીનેશ કાર્તિકે કેટલીક આકર્ષક ઇનિંગ રમી છે, પણ હુકમના એકકા આંદ્રે રસેલ સહિતના બીજાએ નિરાશ કર્યાં છે. યુવા અને પ્રતિભાશાળી શુભમન ગિલ પણ સંઘર્ષ કરી રહ્યો છે.તેણે પાંચ ઇનિંગમાં ફકત 80 રન કર્યાં છે. જયારે કેપ્ટન મોર્ગનના નામે પ ઇનિંગમાં માત્ર 4પ રન જ છે. બોલિંગમાં રસેલ, પ્રસિધ્ધ કૃષ્ણા અને વરૂણ ચક્રવર્તી ઠીક ઠીક પ્રદર્શન કરી રહ્યા છે.

April 26, 2021
weather-forecast.jpg
1min396

રવિવાર તા.૨૫મી એપ્રિલ ૨૦૨૧ના રોજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો. જામનગરના જામજોધપુર, કાલાવડ અને ગ્રામ્ય પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. આ માવઠાથી તલ, મગ, અડદ, કેરી જેવા ઉનાળું પાકોને નુકસાન થવાની ભીંતી પ્રવર્તી રહી છે.

ખાંભા પંથકમાં સતત બીજા દિવસે તડકામાંથી વાતાવરણ બદલાઈને વાદળછાયું થઈ ગયુ હતું. તેમજ ખાંભા તેમજ ગ્રામ્ય પંથકમાં માવઠું વરસ્યું હતુ. ખાંભાના ઈંગોરાલા, ભાડ, કોટડા, અનીડા, નાના વિસાવદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો. અહીંયા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ઉનાળામાં માવઠું પડતા તલ, બાજરી તેમજ કેરીના પાકને નુકસાન જવાની ભીતિ ઉભી થઈ છે.

રાજકોટ શહેરમાં બપોર પછી ધાબળછાયું વાતાવરણ થઈ ગયું હતું. સાંજે પાંચ વાગ્યાના સુમારે આકાશમાંથી ગાજવીજ શરૂ થઈ હતી. અચાનક ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો અને શહેરમાં કેટલાક સ્થળે હળવા વરસાદી છાંટા પડયા હતા.

ગોંડલમાં સાંજે આકાશ વાદળોથી ગોરંભાયા બાદ ગાજવીજ સાથે વરસાદ થતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ઉનાળામાં ચોમાસા જેવા વાતાવરણ વચ્ચે ડબલ ઋતુથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તાલુકાના નવા ગામમાં’ અડધા ઈંચ જેટલો કમોસમી વરસાદ પડયો હતો.

જામજોધપુર પંથકમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. જસદણમાં સાંજે પાંચ વાગ્યે વાતાવરણ પલટાયા બાદ વરસાદી છાંટા પડયા હતા.

જામનગર:’ જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં આજે સાંજે આકાશમાંથી કરા વરસ્યા હતા. આ ઉપરાંત જામજોધપુર ગ્રામ્ય વિસ્તારમાં પણ આવું વાતાવરણ જોવા મળ્યું હતું. જેને લઇને ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જામજોધપુર ઉપરાંત કાલાવડ પંથકના અનેક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

કાલાવડ તાલુકાના ખાનકોટડામાં સૌ પ્રથમ કરા પડયા હતા. ત્યાર પછી કાલાવડ તાલુકાના ખંઢેરા, રણુજા, બેરાજા, મોટી માટલી, ભંગડા, બાંગા સહિતના અનેક ગામોમાં કરા સાથે વરસાદ પડયો હતો. આ ઉપરાંત જામનગર તાલુકાના મતવા, ધુતારપર, સુમરી વગેરે ગામોમાં પણ વરસાદી ઝાપટા અને ક્યાંક કરા પડયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેને લઇને ખેડૂતોના ઉભા પાકને નુકસાની થઇ છે.

જેતપુર: જેતપુર તાલુકાના વિરપુર, થોરાળા, સેલુકા, મેવાસા, રબારીકા, પ્રેમગઢ, કેરાળી, જાંબુડી, હરિપર, મોટાભાદરા, લુણાગરા, નાનાભાદરા, દુધીવદર જેવા અનેક ગામોમાં આજે સાંજે અડધાથી એક ઇંચ કમોસમી વરસાદ કરા સાથે વરસ્યો હતો. જ્યારે આકાશમાં વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો.

જામકંડોરણા: જામકંડોરણા સાંજના 7-30 કલાકે ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદથી ઉનાળુ ખેતીના પાકો તલ, મગ, અડદને નુકસાનીની ખેડૂતોમાં ભીતી સેવાઇ રહી છે.

વિરપુર (જલારામ): વિરપુર પંથકમાં બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વિરપુર તેમજ પંથકના આજુબાજુ વિસ્તારમાં ભારે પવન તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડયો હતો.

ભેસાણ પંથકમાં માવઠું થતા ઉનાળુ પાકને નુકસાન: સર્વે કરવા કોંગ્રેસની માગણી
ભેસાણ : ભેસાણ પંથકમાં અઠવાડીયા અગાઉ ભારે પવન સાથે વરસાદ પડતા આઠથી દસ ગામમાં ઉનાળુ તલના પાકને નુકસાન પહોંચ્યું છે, જેનો સર્વે કરીને વળતર ચૂકવવા માંગ ઉઠી છે.

ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઇ મોવલીયાએ મુખ્ય મંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ભેસાણ પંથકમાં પડેલ કમોસમી વરસાદને લીધે માંડવા, બામણગઢ, ખંભાળીયા, રાણપુર, ખારચીયા, સુખપુર, ભાટગામ અને વિશળ હડમતીયા, મેંદપરા સહીતના ગામોમાં ખેડૂતોના તલના પાકને ભારે નુકસાન થયું છે, જેનો સર્વે કરીને વળતર ચુકવવા માગણી કરી છે.

April 26, 2021
bankholiday.jpg
1min559

નાણાકીય વર્ષના બીજા મહિનામાં એટલે કે મે મહિનામાં સાર્વજનિક અને ખાનગી બેંક નવ દિવસ બંધ રહેશે. દેશમાં કોરોનાના વધી રહેલા સંકટને કારણે બેંકમાં કામ કરવાની પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર મે મહિનામાં મહારાષ્ટ્ર દિન, રમઝાન, બુદ્ધ પૂર્ણિમા જેવા તહેવારો આવતા હોવાથી બેંક બંધ રહેશે.

પહેલી મેના દિવસે મહારાષ્ટ્ર દિન અને લેબર ડે, સાતમી મેના ઉમત-ઉલ-વિદા, ૧૪મી મેના પરશુરામ જયંતી, અક્ષય તૃતિયા અને રમઝાન ઇદ તથા ૨૬ મેના દિવસે બુદ્ધ પૂર્ણિમા હોવાથી બેંકમાં રજા જાહેર કરવામાં આવી છે. મે મહિનામાં બે, નવ, ૧૬ અને ૩૦ તારીખે રવિવાર તથા આઠ અને ૨૨ મેના રોજ બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહેશે.

ક્ટેઇન્મેન્ટ ઝોનમાં આવેલી બેંકના કર્મચારીઓને કોરોનાનો ચેપ ન લાગે તે માટે સુવિધા મર્યાદિત કરવામાં આવી છે. આ સહિત અનેક રાજ્યમાં બેંકના કામકાજનો સમય પણ ઓછો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

April 26, 2021
Free-vaccinee-1280x720.jpg
1min351

૧૮-૪૫ વર્ષના વય જૂથના તમામને નિ:શુલ્ક કોરોના રસી આપવાનું રવિવારે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડીશા અને રાજસ્થાને જાહેર કર્યું હતું. ગુજરાત સરકારે કહ્યું હતું કે, ૧.૫ કરોડ ડોઝનો (૧ કરોડ ડોઝ – કોવિશીલ્ડ, ૫૦ લાખ ડોઝ કોવૅક્સિન) ઓર્ડર આપવામાં આવ્યો છે. આ અગાઉ ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશે પણ તમામને કોવિડ-૧૯ વિરોધી રસી નિ:શુલ્ક આપવામાં આવશે, તેવું જાહેર કર્યું હતું. દરમિયાન દેશમાં એક જ દિવસમાં કોરોનાના ૨,૧૭,૧૧૩ દરદી સાજા થયા હોવાનું રવિવારે સવારે બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીના આરંભથી અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના ૧,૪૦,૮૫,૧૧૦ દરદી સાજા થયા હોવાનું પણ બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

દેશમાં કોરોનાવાઇરસ સામેની રસી લેવા ૧૮થી ૪૫ વર્ષના વયજૂથના લોકોની નોંધણી (રજિસ્ટ્રેશન) કોવિન વૅબ પૉર્ટલ અથવા આરોગ્ય સેતુ ઍપ પર કરાવવી જરૂરી છે. આ નોંધણી ૨૮ એપ્રિલથી શરૂ થવાની છે. ૧૮થી ૪૫ વર્ષના વયજૂથના લોકોના રસીકરણની પ્રક્રિયા અને નોંધણી માટે જરૂરી દસ્તાવેજો (આધાર કાર્ડ કે અન્ય સરકાર માન્ય ઓળખપત્ર) અગાઉની જેવા જ રહેશે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે રસીની ઘણી માગ છે અને તેથી આ વયજૂથના લોકો માટે રસી લેવા અપૉઇન્ટમેન્ટ જરૂરી છે. રસીકરણ કેન્દ્ર ખાતે ગિરદી ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. શરૂઆતમાં રસીકરણ માટે વૉક-ઇનની પરવાનગી નહિ અપાય.

હૅલ્થકૅર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને ૪૫ વર્ષથી મોટી વયના લોકોને રસીકરણના સરકારી કેન્દ્રો ખાતે મફતમાં રસી મળવાનું ચાલુ રહેશે.

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે સ્પષ્ટતા કરી હતી કે સરકારે રસીને લગતી નીતિ છૂટછાટભરી બનાવી હોવાનો અર્થ એવો નથી થતો કે રસી દવાની દુકાનોમાં પણ મળવા લાગશે.

રસીના ઉત્પાદકોએ સેન્ટ્રલ ડ્રગ્સ લેબૉરેટરીને કેન્દ્રનો પચાસ ટકા જથો આપવો પડશે, જ્યારે બાકીનો તે રાજ્ય સરકારોને આપી શકે છે.

કોવિન પ્લેટફૉર્મ પર રસીના જથા અને ભાવને લગતી દરેક જાણકારી અપાશે.

April 24, 2021
CIA_Live_Logo_New2.jpg
1min570

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

તા.૨૩મી એપ્રિલ ૨૦૨૧થી કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ્સ પર એક મહિનાનો બેન (પ્રતિબંધ) લાદી દીધો છે અને આ સમાચાર સાંભળતા જ સુરત સમેત સમગ્ર ભારતના હજારો વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સામે પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. સુરતમાં એવા અનેક વિદ્યાર્થીઓ છે જેમની ટિકીટ બુક હતી, એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ તા.૨૪થી ૩૦ એપ્રિલ વચ્ચે ફ્લાઇટ પકડીને કેનેડા જવાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. કેનેડાના ફ્લાઇટ બેનના સમાચાર મળતા જ વિદ્યાર્થીઓ નાસીપાસ થઇ ગયા હતા. હવે તમામ વિદ્યાર્થીઓ રિશિડ્યુલિંગની કંટાળાજનક અનેે નુકસાનકારક પ્રોસેસમાં પડ્યા છે.

વિશ્વમાં હાલ કેનેડા અભ્યાસ કરવું સૌથી સરળ હોઇ, મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ જવાના હતા

સમગ્ર વિશ્વમાં હાલ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જઇ રહ્યા છે તેનું કારણ એ છે કે કેનેડાની વીઝા પોલીસી સરળ છે અને પ્રવેશ કાર્યવાહી પણ બિનખર્ચાળ અને ટૂંકા ગાળામાં પૂર્ણ થઇ જાય છે અને એટલે જ સુરત સમેત ગુજરાતમાંથી હજારો વિદ્યાર્થીઓ એપ્રિલ મે જુનમાં કેનેડા જવાનું પ્લાનિંગ ધરાવે છે. અનેક વિદ્યાર્થીઓની ટિકીટ પણ બુક થઇ ચૂકી છે.

૨૭મીએ ફ્લાઇટ હતી, ૨૩મીએ સપનું તૂટી ગયું

સુરતના એક પેરેન્ટ રિતેશ પટેલે કહ્યું કે તેમના દિકરાની તા.૨૭મી એપ્રિલે ફ્લાઇટ હતી. પેકિંગથી લઇને બધી જ તૈયારી પૂર્ણ કરી દેવાઇ હતી. છેલ્લા એક વર્ષથી તો ઓનલાઇન બે સેમેસ્ટરનો અભ્યાસ ચાલી રહ્યો હતો હવે ક્યાં સુધી ઓનલાઇન ભણવું પડશે એ વિચાર જ નાસીપાસ કરી મૂકે છે. કેમકે કેનેડાની યુનિવર્સિટીઓએ ઓનલાઇન અભ્યાસની ફી પણ રેગ્યુલર અભ્યાસની ફી જેટલી રાખી છે. બીજી તરફ વર્ચ્યુઅલ એજ્યુકેશનની ક્રેડિટ ટ્રાન્સફર મળતી નથી. એટલે લાખો રૂપિયાનું નુકસાન અને સમયની બરબાદી થઇ છે.

૮ મહિનાથી તૈયારી કરી, જવાનું કેન્સલ થતાં વિદ્યાર્થિની ડિપ્રેશનમાં

એવી જ રીતે એક વિદ્યાર્થીની કેનેડા અભ્યાસ માટે જઇ રહી છે. તા.૨ મેના રોજ તેની ફ્લાઇટની ટિકીટ બુક છે પણ તમામ ફ્લાઇટ કેન્સલ થતાં એ વિદ્યાર્થીની ઘેરા ડિપ્રેશનનો ભોગ બની છે. છેલ્લા આઠ મહિનાથી તૈયારીઓ કરી રહી હતી, વિદ્યાર્થીના પેરેન્ટ શૈલેષભાઇએ જણાવ્યું કે અમને એકલાને નુકસા નથી પણ જે રીતે ફ્લાઇટ કેન્સલ થઇ છે, સુરતના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મુશ્કેલ સમય આવ્યો છે. હવે ત્યાની યુનિવર્સિટીઓ સાથે વાટાઘાટ કરવી પડશે.

સુરતના હજારો વિદ્યાર્થીઓએ ત્યાં ૧૪ દિવસના ઇન્સ્ટીટ્યુશનલ કોરોન્ટાઇનના રૂપિયા પણ ચૂકવી દીધા છે, હવે ફ્લાઇટ રદ

ગુજરાતભરના અનેક વિદ્યાર્થીઓ કેનેડાની અલગ અલગ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવ્યો છે અને વીઝા મેળવવામાં વિલંબ થવાને કારણે તેમાંથી ઘણાં વિદ્યાર્થીઓ મે મહિનાની શરૂઆતમાં કેનેડા જવાની તૈયારીઓ કરી રહ્યા હતા. સુરતના એવા અનેક વિદ્યાર્થીઓ છે જેઓ ૧થી ૧૦ મે દરમિયાન જુદી જુદી ફ્લાઇટથી કેનેડા જવાના હતા. આ વિદ્યાર્થીઓએ કેનેડામાં કોરોનાને ધ્યાનમાં રાખીને ત્યાની સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા કડક નિયમોના પાલન અંગેની પ્રોસીજર પણ કરી દીધી હતી. હજારો વિદ્યાર્થીઓએ કેનેડા પહોંચીને 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવાનો તેમજ આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનો નિયમ અનુસાર વધારાનો લાખો રૂપિયા ઓનલાઇન ચૂકવી પણ દીધા છે, કે જેથી કેનેડામાં લેન્ડ થયા પછી તુરત જ ઇન્સ્ટીટ્યુશનલ કોરન્ટાઇનમાં રહી શકાય. હવે આ ખર્ચા પરત મળશે કે કેમ તેનો સવાલ છે.